Home Blog Page 1145

તમારો પગાર વધે તેવી જાહેરાત, ગુજરાતના 2 કરોડ લોકોને તગડો ફાયદો થશે

0

Announcement to increase your salary

  • gujarat workers wage increased : ગુજરાત સરકારની આ જાહેરાતથી રાજ્યભરના ઉદ્યોગોમાં કરતા 2 કરોડ જેટલા શ્રમિકોને તગડો ફાયદો થશે. તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.

રાજય સરકાર (State Govt) દ્વારા લધુતમ વેતનમાં વધારો કર્યો છે. ગઈકાલે ગુજરાત વિધાનસભામાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતે જાહેરાત કરી છે. વિધાનસભા ગૃહમાં નિયમ 44 અંતર્ગત આ જાહેરાત કરવામાં આવી હતી. સરકારના આ નિર્ણયથી શ્રમિકોના વેતનમાં (Wages of workers) સીધો 25 ટકાનો સીધો ફાયદો થયો છે. તેમના માસિક વેતનમાં રૂપિયા ૨૪૩૬.૨૦નો વધારો કરવામાં આવ્યો છે. આ જાહેરાતથી રાજ્યભરના ઉદ્યોગોમાં કરતા 2 કરોડ જેટલા શ્રમિકોને તગડો ફાયદો થશે. તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.

શ્રમિક કોર્પોરેશન વિસ્તારો તથા નગરપાલિકા, સ્થાનિક સત્તામંડળ હેઠળના વિસ્તારોમાં માસિક વેતન ૯,૮૮૭.૮૦ થી વધારો ૧૨,૩૨૪ કરવામાં આવ્યો છે. શ્રમિકોના વેતનમાં ૨૪.૬૩ ટકાનો વધારો કરાયો છે. કુશળ શ્રમિકને માસિક વેતન ૯,૬૫૩.૮૦ થી વધારો કરી ૧૧,૯૮૬ કરવામાં આવ્યો છે.

નગરપાલિકા અને સ્થાનિકતા મંડળમાં મહાનગરપાલિકામા કુશળ શ્રમિકોને માસિક વેતન ૯,૬૫૩.૮૦ હતો તેની જગ્યાએ ૧૨,૦૧૨ કરવામાં આવ્યો છે. ૨,૩૫૮.૨૦ નો માસિક વધારો કરવામાં આવ્યો છે. જે ૨૪.૪૧ ટકાનો વધારો છે. નગરપાલિકા વિસ્તારમાં માસિક વેતન 9,887 હતું જેમાં 2436 નો વધારો કરી ને 12324 કરવામાં  આવ્યું.લઘુતમ વેતન મા 24.63 ટકા નો વધારો કરવામાં આવ્યો.,

અર્ધ કુશળ શ્રમિકોને રૂ.૯,૬૫૩.૮૦/- મળે છે. તેના સ્થાને કુશળ શ્રમિકને માસિક વેતન માસિક વેતન રૂ.૧૧,૯૮૬/- મળશે. એટલે કે તેમાં રૂ.૨,૩૩૨.૨૦નો માસિક વધારો થશે. જે સરેરાશ ૨૪.૧૫ ટકાનો વધારો થાય છે.
બિન સ્થાને કુશળ શ્રમિકને માસિક વેતન રૂા.૯,૪૪૫.૮૦/- મળે છે. તેના માસિક વેતન રૂ.૧૧,૭૫૨/- મળશે એટલે કે રૂ.૨,૩૦૬.૨૦નો માસિક વધારો થશે જે સરેરાશ ૨૪.૪૧ ટકાનો વધારો થાય છે.

કોર્પોરેશન વિસ્તારો તથા નગરપાલિકાઓ અને સ્થાનિક સત્તામંડળ હેઠળના વિસ્તારો સિવાયના કુશળ શ્રમિકને માસિક વેતન રૂ.૯,૬૫૩.૮૦/- મળે છે. તેના સ્થાને માસિક વેતન રૂ.૧૨,૦૧૨/- મળશે એટલે કે તેમાં રૂ.૨,૩૫૮.૨૦નો માસિક વધારો થશે. જે સરેરાશ ૨૪.૪૨ ટકાનો વધારો થાય છે.

આ રીતે અર્ધ કુશળ શ્રમિકને રૂ.૯,૪૪૫.૮૦/- ના સ્થાને માસિક વેતન રૂ.૧૧,૭૫૨/- મળશે. એટલે કે તેમાં રૂ.૨,૩૦૬.૨૦નો માસિક વધારો થશે. જે સરેરાશ ૨૪.૪૧ ટકાનો વધારો થાય છે. તથા બિન કુશળ શ્રમિકને માસિક વેતન રૂ.૯,૨૩૭.૮૦/- મળે છે. તેના સ્થાને રૂ.૧૧,૪૬૬/- મળશે. એટલે કે રૂ.૨,૨૨૮.૨૦નો માસિક વધારો થશે જે સરેરાશ ૨૪.૧૨ ટકાનો વધારો થાય છે.

આમ, આ સરકારે શ્રમિકોના વેતનમાં સૌ પ્રથમ વખત ૨૫ ટકા જેટલો માતબર વધારો કરેલ છે.શ્રમિકોના લઘુત્તમ વેતન નક્કી કરવા માટે ૧૫મી ઇન્ડિયન લેબર કોન્ફરન્સમાં વિવિધ માપદંડો નક્કી કરવામાં આવેલ છે.

આ પણ વાંચો :-

પેટી-પટારા અને કબાટમાં શોધો, 1 રૂપિયાની આ નોટ તમને તાત્કાલિક બનાવી શકે છે કરોડપતિ !

0

Search in boxes and closets

  • ભારત સરકારની તરફથી ભલે આ નોટ ચલણમાં ના હોય પરંતુ તેની કિંમત હજારોમાં છે. 1 રૂપિયાની નોટનું બંડલ ખુબ મોટી રકમમાં પણ વેચાઈ શકે છે. CollectorBazarની વેબસાઈટ પર 1 રૂપિયાની નોટના બંડલની અધધ કિંમત મળે છે. આ વેબસાઈટ હાલ ફ્લેટ 15 ટકા ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.

કહેવાય છે કે સંઘરેલો સાપ પણ કામનો. આ કહેવતને અનુરૂપ જો તમારી પાસે એક રૂપિયાની આ નોટ હશે તો એ તમારી કિસ્મત બદશે સકે છે. ઘણાં લોકોને વિવિધ વસ્તુઓનો સંગ્રહ કરવાનો શોખ હોય છો. જો તમે પણ આ રીતે આવી નોટોનો સંગ્રહ કરેલો હશે તો તમને એનો મોટો લાભ ચોક્કસ મળશે.

તમારી પાસે 1 રૂપિયાની નોટ છે જેના પર 1957માં ગવર્નર એચ.એમ.પટેલની સહી અને સીરિયલ નંબર 123456 છે તો તમે તેની હરાજી કરીને લાખો રૂપિયા કમાઈ શકો છો. શું તમે ઘરે બેઠાં કમાઈ કરવા માગો છો? શું તમારી પાસે પણ જૂની ચલણી નોટ છે. તો આ તમારા માટે કમાણીનું માધ્યમ બની શકે છે. આ વેબસાઈટ હાલ ફલેટ 15 ટકા ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.

જો તમને પણ જૂની ચલણી નોટ એકઠી કરવાનો શોખ છે તો આ તમારો શોખ તમને લાખોપતિ બનાવી શકે છએ. અનેક વખત લોકો જૂના સિક્કા અથવા ચલણી નોટ સાચવીને રાખે છે. આ સિક્કાની કિંમત અત્યારના સમયમાં ઘણી જ વધી ગઈ છે. એટલે તમને લાખો રૂપિયા મળી શકે છે. આજે અમે તમને આવી જ 1 રૂપિયાની નોટ વિશે જણાવી રહ્યા છીએ. જેને વેચીને તમે કરોડપતિ બની શકો છો.

ક્યાં વેચી શકો છો?

દેશમાં અનેક એવી વેબસાઈટ છે જે જૂની ચલણી નોટ ખરીદી રહી છે અને તેના સામે સારી એવી કિંમત પણ આવી રહી છે. Ebay, CoinBazzaar, CollectorBazar જેવી અનેક સાઈટ છે જ્યાં તમે 1, 5 અને 10 રૂપિયાની ચલણી નોટને વેચી શકો છો. આટલું જ નહીં આ સાઈટ્સથી તમે રેયર કોઈન પણ ખરીદી શકો છો. આ સાઈટ એવો દાવો કરે છે કે અહીં જૂની ચલણી નોટ વેચવામાં આવે છે.

1 રૂપિયાની નોટથી કેટલું કમાઈ શકો છો?

ભારત સરકારની તરફથી ભલે આ નોટ ચલણમાં ના હોય પરંતુ તેની કિંમત હજારોમાં છે. 1 રૂપિયાની નોટનું બંડલ 25 હજાર રૂપિયા સુધી પણ વેચાઈ શકે છે. CollectorBazarની વેબસાઈટ પર 1 રૂપિયાની નોટના બંડલની ખુબ જ ઉંચી કિંમત મળે છે.

 તેના માટે તમે વેબસાઈટ પર શોપ સેક્શનમાં જઈને નોટ્સ પર ક્લિર કરી નોટ્સના બંડલમાં જાઓ. અહીં તમને તમામ જાણકારી મળી રહેશે. આ નોટ પર 1957ના ગવર્નર એચ.એમ.પટેલની સહી અને તેનો સિરિયલ નંબર 123456 હોવો જોઈએ.

શોખ બનાવશે કરોડપતિ :

જો તમે બાળપણના શોખના ભાગરૂપે 1, 5 અથવા 10 રૂપિયાની નોટ એકઠી કરી છે તો તેનો એક ગલ્લો પણ તૈયાર રાખ્યો છે તો તે નોટ અથવા સિક્કો તમને કરોડપતિ બનાવી દેશે. તમને નવાઈ લાગશે કે આ સિક્કો અથવા ચલણી નોટની આજના સમયમાં ભલે કંઈ કિંમત ના બનાવી હોય પણ તેની કિંમત આજના સમયમાં ઘણી છે.

હકીકતમાં અનેક વેબસાઈટ પર આ ચલણી નોટની હરાજી થઈ રહી છે તેના માટે તમને સારી કિંમત પણ મળી શકે છે. જો તમારી પાસે વધારે માત્રામાં આવી નોટો પડી હશે તો તે તમને કરોડપતિ બનાવી દેશે.

આ પણ વાંચો :-

રાહુલ ગાંધી ગુજરાત આવશે, માનહાનિના કેસના સંભવિત ચુકાદો આવશે

0

Rahul Gandhi will come to Gujarat

Rahul Gandhi In Gujarat : માનહાનિના કેસના સંભવિત ચુકાદાને લઈ કોંગ્રેસના દિગ્ગજ નેતા 23મીએ સુરત આવશે.ગુજરાત કોંગ્રેસ દ્વારા સ્વાગતની તૈયારીઓ શરૂ.

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી (Congress president Rahul Gandhi) ગુજરાત આવશે. ૨૩ માર્ચ ગુરુવારના રોજ રાહુલ ગાંધી સુરત (Surat) માનહાનિ કેસમાં કોર્ટમાં હાજરી આપવા આવી પહોંચશે. 23 માર્ચના રોજ માનહાનિ કેસમાં ચુકાદો આવી શકે છે. ત્યારે રાહુલ ગાંધીના આગમન માટે સુરતમાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુરત અરપોર્ટથી કોર્ટથી સુધી કોંગ્રેસના (Congress) કાર્યકરો રાહુલ ગાંધીનું સ્વાગત કરશે.

ઉલ્લેખનીય છે કે ગત લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી આપેલા નિવેદનને કારણે મોદી સમાજની લાગણી દુભાઈ હોવાની વાત સામે મૂકીને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી (Purnesh Modi) દ્વારા માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) બુધવારે ગુજરાતમાં આવશે. કોર્ટ કેસને લઈ રાહુલ ગાંધી સુરત (Surat) માં આવશે. તેઓ જિલ્લાની સેશન્સ કોર્ટમાં સુનાવણીમાં હાજર રહેશે. ચૂંટણીપ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં જાતિગત ટિપ્પણી કરી હતી.  વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ કેસ કર્યો હતો.

શું હતો મામલો ?

ત્રણ વર્ષ પહેલા કર્ણાટક (Karnataka) ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને જેથી સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો.

હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી.

આ પણ વાંચો :-

તમારા ખાતામાં કોઈ રૂપિયા જમા કરાવે તો પણ થઈ જશો સાવધાન

0

Be careful even if someone

  • Financial fraud : સાયબર ક્રાઈમના ગુનાઓમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે આ સાયબર માફિયા છેતરપિંડી માટે એક નવો જ કિમિયો અપનાવી રહ્યા છે.

જો કોઈ અજાણ્યો વ્યક્તિ તમારા ખાતામાં પૈસા જમા (Deposit Money) કરાવ્યાં બાદ પરત માગે તો તમે સાવધાન થઈ જજો. જમા થયેલા પૈસા તમે પાછા મોકલશો તો તમારું ખાતું પણ ખાલી થઈ શકે છે. સાયબર માફિયાઓ (Cyber Mafia) બેંક KYC અને PAN કૌભાંડો બાદ હવે છેતરપિંડી માટે ઓનલાઈન નવો જ રસ્તો અપનાવ્ય છે.

જેમાં કૌભાંડીઓ Google Pay અને PhonePe ગેટવેનો ઉપયોગ કરીને તમારા એકાઉન્ટમાં પહેલાં તો રૂપિયા જમા કરાવે છે. રૂપિયા જમા કરાવ્યા બાદ તે પરત માગે છે. પરંતુ તમે રૂપિયા પરત મોકલવાની ભૂલ ના કરતા. નહીં તો તમે માલવેર એટેકનો શિકાર બની શકો છો.

શું કહેવું છે સાયબર એક્સપર્ટનું ?

દિલ્લીના સાયબર ક્રાઈમ એક્સપર્ટનું કહેવું છે કે જો તમે કૌભાંડીઓના કહેવાથી રૂપિયા જમા કરવા જશો તો તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે. જે બાદ કૌભાંડીઓ તમારા ખાતામાંથી રૂપિયા ઉપાડી લે છે.

Google Pay, PhonePeમાં કેવી રીતે કરે છે છેતરપિંડી ?

લોકોના રૂપિયા ચાઉં કરવા માટે કૌભાંડીઓ પહેલા Google Pay અને PhonePe વાપરતા લોકોના ખાતામાં રૂપિયા જમા કરે છે. જેનાથી તેઓ સામેવાળી વ્યક્તિના ખાતાની સંપૂર્ણ વિગતો મેળવે છે જેમાં બેંકિંગ ડેટા, અન્ય KYC દસ્તાવેજો, PAN, આધાર વગેરેની માહિતી મેળવી લે છે. આ  માહિતી મળતાની સાથે તેઓ કોઈનો પણ એકાન્ટ હેક કરીને છેતરપિંડી આચરે છે.

આ પણ વાંચો :-

 

ભારતીય છોકરીઓની આટલી સેલેરી વાળા છોકરાઓ છે પહેલી પસંદ, લગ્ન માટે…

0

Boys with such a salary

  • Relationship : ભારતીય મેટ્રિમોનિયલ સાઈટ શાદી.કોમ દ્વારા પ્રકાશિત ‘ઈન્ડિયાઝ મોસ્ટ એલિજિબલ’ ડેટાની પ્રથમ આવૃત્તિ અનુસાર ભારતીય છોકરીઓ માટે લગ્ન માટે પુરુષનો પગાર સ્લેબ વધુ મહત્વપૂર્ણ બની રહ્યો છે.

લગ્ન એ લગ્ન (Marriage) જ છે. ભારતીય સમાજમાં હંમેશા એવું માનવામાં આવે છે કે લગ્ન માટે છોકરી સંસ્કારી અને છોકરો સારો કમાનારો હોવો જોઈએ. આવા લોકોનું મિલન લગ્નજીવનને (Married life) સફળ બનાવે છે. જોકે આજના સમયમાં છોકરીઓએ પણ નોકરી કરીને પૈસા કમાવવાનું શરૂ કરી દીધું છે.

પરંતુ તેમ છતાં તેમના માટે લગ્ન માટે નોકરી કરવી જરૂરી નથી. આ કારણોસર છોકરાઓ પર વધુ કમાવવાનું દબાણ ચોક્કસપણે વધે છે. આવી સ્થિતિમાં એક અહેવાલ સામે આવ્યો છે કે ભારતીય છોકરીઓને કેટલો પગાર મેળવનારા છોકરાઓ પસંદ છે.

છોકરીઓને છોકરાઓ ગમે છે જેઓ આટલા પૈસા કમાય છે :

ભારતીય મેટ્રિમોનિયલ સાઈટ શાદી.કોમ દ્વારા પ્રકાશિત ‘ઈન્ડિયાઝ મોસ્ટ એલિજિબલ’ ડેટાની પ્રથમ આવૃત્તિ અનુસાર ભારતીય છોકરીઓ માટે લગ્ન માટે પુરુષનો પગાર સ્લેબ વધુ મહત્વપૂર્ણ બની રહ્યો છે. આ અભ્યાસ દર્શાવે છે કે વાર્ષિક 7 થી 10 લાખ રૂપિયાની કમાણી કરતા પુરૂષો અન્ય પુરૂષોની સરખામણીમાં લગ્ન માટે 7% વધુ પસંદ કરે છે. જો કે, વધારે કે ઓછો પગાર ધરાવતા પુરૂષોની લાયકાત વધી કે ઘટી શકે છે. આજના સમયમાં લગ્નની સૌથી વધુ માંગ 30 લાખથી વધુ કમાતા છોકરાઓની છે.

એટલા માટે લગ્નમાં પૈસાનું મહત્વ છે :

લગ્ન માટે પરસ્પર સંવાદિતા અને પ્રેમ જેટલું જ મહત્વ પૈસા છે. કારણ કે લગ્ન નવા પરિવારની શરૂઆત કરવા માટે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ખર્ચ એ એક મોટી બાબત છે જેને જાળવી રાખવા માટે પૈસાની જરૂર છે. આ જ કારણથી લગ્ન પહેલાં પરિવારના સભ્યો છોકરા-છોકરીની કમાણી અને પ્રોપર્ટીની ખૂબ જ બારીકાઈથી તપાસ કરે છે.

પુરુષોએ લગ્ન માટે કમાવવું પડે છે :

આપણા ભારતીય સમાજમાં એક પ્રથા ચાલી રહી છે જે મુજબ પુરૂષો બહાર કમાણી કરે છે અને સ્ત્રીઓ ઘરનું સંચાલન સંભાળે છે. એટલા માટે પુરુષો માટે પૈસા કમાવવા જરૂરી છે. આજના સમયમાં જ્યારે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરૂષો સાથે ખભે ખભા મિલાવીને ચાલી રહી છે. જેથી પૈસાના અભાવે પરિવારો તૂટી ન જાય.

આ પણ વાંચો :-

7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો જ ફાયદો, DAમાં થયો વધારો

0

7th Pay Commission

  • 7th Pay Commission Latest Update : હોળી બાદ (Central Government Employees)કેન્દ્ર સરકારના કર્મચારીઓની મજા પડી ગઈ છે. જો તમે પણ વધેલા પગારની રાહ જોઈ રહ્યા છો, તો તમારા ખાતામાં મોટી રકમ આવવાની છે. કેન્દ્ર સરકારે લાખો કર્મચારીઓ અને પેન્શનધારકોને મોટા સમાચાર આપ્યા છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓ (Central Government Employees) હોળી પછી મજા મજા કરે છે. જો તમે પણ વધેલા પગારની રાહ જોઈ રહ્યા છો તો તમારા ખાતામાં મોટી રકમ આવવાની છે. કેન્દ્ર સરકારે લાખો કર્મચારીઓ અને પેન્શનધારકોને મોટા સમાચાર આપ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA Hike) વધારવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ કર્મચારીઓનો DA 38 ટકાથી વધીને 42 ટકા થઈ ગયો છે. હાલમાં, તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

પગાર કેટલો વધી શકે?

7th Pay Commissionથી પ્રાપ્ત માહિતી અનુસાર, કર્મચારીઓના DAમાં વધારા પછી જો કોઈ કર્મચારીનો પગાર 30,000 રૂપિયા છે. તો તેના કુલ પગારમાં લગભગ 10,800 રૂપિયાનો વધારો થઈ શકે છે. બીજી તરફ સેક્રેટરી લેવલની વાત કરીએ તો કર્મચારીઓના વાર્ષિક પગારમાં રૂ. 90,000 કે તેનાથી પણ વધુનો વધારો થઈ શકે છે.

પેન્શન પણ વધશે :

આ સાથે ડીઆરમાં વધારાને કારણે કર્મચારીઓના પેન્શનમાં પણ વધારો થવા જઈ રહ્યો છે. જો પેન્શનરોનો DR 42 ટકા છે તો આ લોકોને દર મહિને 14,868 રૂપિયા મળશે. આ લાભ કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપવામાં આવશે.

મોંઘવારી પ્રમાણે ડીએ વધે છે :

શ્રમ મંત્રાલય પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર DAની ગણતરી કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI-IW)ના આધારે કરવામાં આવે છે. દેશમાં મોંઘવારી કેવી રીતે વધી રહી છે? તે મુજબ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. હાલમાં જાન્યુઆરી મહિનામાં સરકારે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો :-

21 માર્ચ 2023 રાશિફળ : આજે આ 3 રાશિના જાતકોને ગણેશજીની અસીમ કૃપાથી હીરાની જેમ ચમકી ઉઠશે કિસ્મત

21 March 2023 Horoscope Gujarat Guardian

મેષઃ
દિવસ દરમિયાન ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. હયાત તથા નવા રોકાણો ફાયદાકારક નીવડે. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. ચામડીના તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું

વૃષભઃ
દિવસ દરમિયાન ખોટું લાગે અેવા પ્રસંગો બને. નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ છે. કાર્યક્ષેત્રે સંઘર્ષનું પ્રમાણ વધારે રહે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરિવારના સભ્યોઅે પડવા-વાગવાથી સાચવવું.

મિથુનઃ
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નાણાંકીય રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા હળવી થતી જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પ ખીલવી શકશો. ધંધાકીય ક્ષેત્રે લાભ. આરોગ્ય સારૂં રહેશે.

કર્કઃ
આર્થિક પાસુ મજબુત બનતું જણાય. કુટુંબના સભ્યો સાથે મનમેળ જળવાશે. મિત્રના સહકારથી આર્થિક લાભ મળતો જણાય. અગત્યના કાર્યો પૂર્ણ થતા જણાય. સ્વાસ્થ્ય સારૂ રહેશે. આકસ્મિક ધનલાભના યોગ છે.

સિંહઃ
સંતાન સંબંધી પ્રશ્નો ઉકેલાતા જણાય. આદ્યાત્મિકતામાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મગજમાં ઇજા થાય તો સાવધાની જરૂરી. સફેદ વસ્તુ, કાપડના ધંધામાં વિશેષ લાભ.

કન્યાઃ
નવી નોકરી કે ધંધાની શરૂઆત થતી જણાય. વાક‍્ચાતુર્ય દ્વારા સફળતા પ્રાપ્‍ત થાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. દિવસ દરમિયાન ટુકડે ટુકડે આવક મળતી રહે. વિશ્વાસઘાતનો ભોગ બનાય અેનું ધ્યાન રાખવું.

તુલાઃ
નસીબનો સાથ મળતાં ઓછી મહેનતે વધુ આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતીથી મન આનંદમાં રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી અનુભવાય. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચિકઃ
આવકમાં વધારો થતો જણાય. આકસ્મિક ધન લાભના યોગ છે. પરિવારમાં સુખ-શાંતી બરકરાર રહેશે. સંતાન સાથએ વાદવિવાદ ટાળવો. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતી થતી જણાય છે.

ધનઃ
માનસિક શાંતી-આનંદમાં વધારો થાય. ડોક્ટર, બેંક, ધર્મ કે જ્યોતીષને લગતા ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય. ગુપ્‍તાંગ સંબંધી વ્યાધીથી સાચવવી જરૂરી. સ્થાવર-જંગમ મિલકતથી લાભ.

મકરઃ
દિવસ દરમિયાન થોડી ઉદાસીનતા વર્તાય. વાયુનો ઉપદ્ર વધતો જણાય. સાંધાના દુઃખાવાથી પરેશાની રહે. અગત્યના રોકાણો મુલતવી રાખવા. છતાં લક્ષ્મીની વખતસર હેરફેર થતાં. આવશ્યક કાર્યો પૂરા કરી શકાય.

કુંભઃ
નાણાંકીય પાસુ મજબૂત બને. શેરબજાર, ટ્રાવેલીંગ, સ્ત્રી શણગાર ક્ષેત્રે લાભ મેળવો શક્ય બને. સંતાનની ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. ભાગ્ય સારૂ છે. નાના અેક-બે દિવસના પ્રવાસનો યોગ બને છે.

મીનઃ
મનોબળ મજબૂત બને. પોતાનું જ ધાર્યું કરવાની ઇચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થતો જણાય. હાડકા અને આંખની કાળજી જરૂરી છે.

આ પણ વાંચો :-

લો બોલો ! આ રેલ્વે સ્ટેશનની ટીવી સ્ક્રીન પર અચાનક ચાલવા લાગી Porn ફિલ્મ

0

Speak up!A porn film suddenly 

  • ટીવી સ્ક્રીન પર એડલ્ટ ફિલ્મ દેખાયા બાદ પટના જંકશનના અધિકારીઓમાં પણ ખળભળાટ મચી ગયો હતો.

બિહારની (Bihar) રાજધાની પટનાના રેલ્વે સ્ટેશન (Patna Railway Station) પર રવિવારે એક એવી ઘટના ઘટી જેણે ત્યા હાજર તમામ લોકોને શરમમાં મુકી દીધા હતા. આ રેલ્વે સ્ટેશન પર સવારે 9.30 કલાકે ત્રણ મિનિટ સુધી ટીવી સ્ક્રીન પર પોર્ન (Porn) ફિલ્મો ચલાવવામાં આવી હતી. આ દ્રશ્યો જોઈને થોડીવાર માટે ત્યા હાજર લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા કે આવું કેવી રીતે બન્યું. ટીવી સ્ક્રીન પર એડલ્ટ ફિલ્મ (Adult film) દેખાયા બાદ પટના જંકશનના અધિકારીઓમાં પણ ખળભળાટ મચી ગયો હતો.

લગભગ 3 મિનિટ સુધી એડલ્ટ ફિલ્મ ચાલીતી રહી :

પટના રેલ્વે સ્ટેશનની ટીવી સ્ક્રીન પર પોર્ન ફિલ્મો દેખાયા બાદ ત્યા હાજર અમુક લોકોએ તેનો વીડિયો બનાવી દીધો હતો અને આ વીડિયોને તેમણે સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ વીડિયો રેલ્વે સ્ટેશનની ટીવી સ્ક્રીન પર લગભગ 3 મિનિટ સુધી ચાલ્યો હતો.

સુત્રના જણાવ્યા અનુસાર ટીવી સ્ક્રીન પર આ વીડિયોની જાણ પટના જંકશનના અધિકારીઓને થઇ અને તેમણે ફટાફટ આ વીડિયોને બંધ કરાવ્યો. જણાવી દઇએ કે, જે સમયે અશ્લીલ વીડિયો ટેલિકાસ્ટ થયો તે સમયે પટના જંકશનના અલગ-અલગ પ્લેટફોર્મ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. ટ્રેનની રાહ જોઈને બેઠેલા લોકોએ આ વીડિયો જોઈને શરમ અનુભવવી પડી હતી.

એજન્સીના કંટ્રોલ રૂમમાં કર્મચારીઓ જોઈ રહ્યા હતા પોર્ન વીડિયો :

RPF ના ચોકી ઈન્ચાર્જ સુશીલ કુમારે તેમની તપાસ બાદ દાવો કર્યો હતો કે પોર્ન વીડિયો પ્લેટફોર્મ નંબર 10 પર જ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. સવારે 9.56 થી 9.59 સુધી કુલ ત્રણ મિનિટનું ટેલિકાસ્ટ થયું. એજન્સીના તાબા હેઠળ જ્યારે દરોડો પાડવામાં આવ્યો ત્યારે ત્યાંના કર્મચારીઓ પોર્ન વીડિયો જોતા જોવા મળ્યા હતા. એજન્સીના કેટલાક કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. એજન્સીના માલિકને પણ બોલાવવામાં આવ્યા છે.

RPF એ કેસ દાખલ કર્યો હતો :

અહીં આ પ્રકારની ઘટનાની જાણ રેલ્વે કર્મચારીઓને થતાં જ કર્મચારીઓમાં પણ ખળભળાટ ફેલાઈ ગયો હતો. તુરંત જ ટીવીની સ્ક્રીન બંધ થઈ ગઈ. આ સાથે જ રેલ્વે પોલીસ દળે કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. જાણકારી મળતા જ RPF આ ઘટના પાછળ કોઈ મસ્તી કે બેદરકારી છે કે કેમ તેની તપાસ કરી હતી. વળી, રેલ્વેનું કહેવું છે કે આ પ્રકારની ઘટના જાહેરમાં બની છે. આવું કોઈ પણ ભોગે થવું ન જોઈએ. આ ઘટના શરમજનક છે. આવી ઘટનાના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો :-

Aadhar PAN Link : પાન-આધાર લિંક કરવાનું કોણ લાવ્યું ? લિંક નહીં હોય તો શું થશે જાણો

0

Aadhar PAN Link  

  • Aadhar PAN Link : કેમ પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે? આ અચાનક બે સરકારી પુરાવા લિંક કરાવવાનું આ લઠ્ઠું કેમ આવ્યું? તમામ સવાલોના જવાબો જાણો એક ક્લિકમાં…

સૌ કોઈ જાણે છેકે પાન કાર્ડ (Pan Card) એટલે કે આપણો પર્મેનેન્ટ એકાઉન્ટ નંબર (Permanent Account Number). જે ભારત સરકારના સૌથી મહત્ત્વના પુરાવા પૈકી એક ગણાય છે. અને કોઈપણ પ્રકારની આર્થિક લેવડદેવડ માટે આ પુરાવો સાથે હોવો અતિઆવશ્યક છે. ત્યારે હવે વાત કરીએ આધાર કાર્ડની. તો આધારકાર્ડ એટલે કે આપણે ભારતના નાગરિક છીએ તેનો સૌથી મોટો પુરાવો એટલે આધાર કાર્ડ (Aadhar Card).

ચૂંટણી કાર્ડ પહેલાં જેજે કામોમાં ઉપયોગમાં લેવાતું હતું હવે તે કામોમાં આધાર કાર્ડ માંગવામાં આવે છે. બદલે એમ કહો કે દરેક કામોમાં આધાર કાર્ડ માંગવામાં આવે છે તો પણ ચાલે. ભારતમાં વર્ષ 2012માં આધારકાર્ડ અસ્તિત્વમાં આવ્યું. ત્યારે બાદ આ અચાનક અત્યારે પાન અને આધાર લિંક કરવાનું લઠ્ઠું કોણ લાવ્યું? પાન અને આધાર કાર્ડ લિંક નહીં હોય તો શું થશે? અને આ બન્ને લિંક કઈ રીતે કરવા? કેમ આ બન્ને લિંક કરવા જરૂરી છે? આ તમામ સવાલોના જવાબો જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.

ઉલ્લેખની છેકે  2012થી ભારતમાં અમલી થયેલું આધાર કાર્ડ આજકાલ સૌથી હોટ ટોપિક બની ગયો છે. જેને જુઓ આજકાલ એક જ વાત કરે છે હે, તમે પાન અને આધાર લિંક કરાવ્યું? ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા એવી કડક સુચના આપવામાં આવી છે કે 31 માર્ચ સુધીમાં આ બન્ને દસ્તાવેજો લિંક નહીં કરવામાં આવે તો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.

પાન-આધાર લિંક ન હોય તો 1 હજાર રૂપિયાનો દંડ ભરીને તાત્કલિક લિંક કરાવવું પડશે. આ પુરાવાઓને લિંક કરવાનો આદેશ ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. પાનકાર્ડ આર્થિક વ્યવહારો માટે જરૂરી ઓળખપત્ર છે. જો કે તેને લગતા બે નિયમોનું પાલન ન કરવું વ્યક્તિને ભારે પડી શકે છે. ત્યાં સુધી કે વ્યક્તિને જેલની સજા પણ થઈ શકે છે.

પાન-આધાર લિંક કરવું કેમ જરૂરી?

કોઈકને કોઈ ખામીના લીધે જેતે સમયે એક-એક વ્યક્તિને અનેક પાન કાર્ડ ઈશ્યૂ કરી દેવામાં આવ્યા હતા. અને અનેક લોકોના પાનકાર્ડ નંબર એક સમાન હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે આ પ્રકારની ક્ષતિઓ સામે આવ્યા બાદ આ નિર્ણય લેવાયો હતો. જેમાં પાન ડેટાબેસમાં રિપીટેશનને ઘટાડવા માટે આવકવેરા વિભાગે નિર્ણય લીધો છે. આર્થિક લેવડદેવડમાં થતો મોટો ગોટાળો રોકવા માટે આ ડોક્યુમેન્ટની સાચી જાણકારી સરકાર પાસે હોવી જરૂરી છે.

થઈ શકે છે મોટો દંડ અને જેલની સજા :

આધાર અને PANને લિંક કરવાની સમયમર્યાદા હવે પૂર્ણ થવાના આરે છે. આમ કરવું હવે દરેક વ્યક્તિ માટે અનિવાર્ય છે. જો કોઈ પાનકાર્ડ ધારક સરકારના આદેશનું પાલન નહીં કરે તો તેને ભારે દંડ ભરવાની પણ નોબત આવી શકે છે.

આધાર-પાન લિંક નહીં હોય તો 10 હજારનો દંડ :

આવકવેરા વિભાગની જાહેરાત અનુસાર જો તમે 31 માર્ચ પહેલા આધાર અને PANને લિંક નહીં કરો તો તમારે 10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. આટલું જ નહીં, 31 માર્ચ પછી જેમના PAN અને આધાર લિંક નહીં હોય, તેમના પાન કાર્ડ બંધ થઈ જશે. જેના કારણે વ્યક્તિના PAN સંબંધિત તમામ કામ અટકી પડશે. જો તમે હજુ સુધી આ કામ કર્યું નથી. તો તમારે તુરંત આ કાર્ય પૂર્ણ કરવું જોઈએ.

બે પાન કાર્ડ બદલ જેલ થઈ શકે :

જો તમારી પાસે બે પાન કાર્ડ છે તો આમ કરવા બદલ તમારે જેલમાં જવાની નોબત આવી શકે છે. બે પાન કાર્ડ હોવા એ ગુનાહિત કૃત્ય ગણાય છે. જો તમારી પાસે બે પાન કાર્ડ છે તો તમારે એક પાન કાર્ડ સરેન્ડર કરવું પડશે. જો તમે આમ નહીં કરો તો તમને 6 મહિનાની જેલ થઈ શકે છે.

આ પણ વાંચો :-

Electric-CNG કાર છોડો ! આ કાર તડકાથી ચાલશે જુઓ… માત્ર 30 રૂપિયામાં 100 KM દોડશે

0

Ditch Electric-CNG Cars! See this car will run on sun… It will run

  • Tata Nano Solar Car : ભારતમાં જ્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે ત્યારે એવા સમયમાં લોકો ઈલેક્ટ્રિક કારોને વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. જો કે હજુ પણ ઈલેક્ટ્રિક કારો મોટાભાગના ગ્રાહકોના બજેટમાંથી બહાર છે. આ બધા વચ્ચે પશ્ચિમ બંગાળમાં એક એવી ટાટા નેનો કાર સામે આવી છે જે સોલર પાવરથી ચાલે છે.

ભારતમાં જ્યાં પેટ્રોલ અને ડીઝલના (Petrol and Diesel) ભાવ આકાશને આંબી રહ્યા છે ત્યારે એવા સમયમાં લોકો ઈલેક્ટ્રિક કારોને વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. જો કે હજુ પણ ઈલેક્ટ્રિક કારો (Electric Cars) મોટાભાગના ગ્રાહકોના બજેટમાંથી બહાર છે. આ બધા વચ્ચે પશ્ચિમ બંગાળમાં (West Bengal) એક એવી ટાટા નેનો કાર સામે આવી છે જે સોલર પાવરથી ચાલે છે. ખાસ વાત એ છે કે આ કારને 100 કિમી ચલાવવાનો ખર્ચો ફક્ત 30 રૂપિયા છે. પશ્ચિમ બંગાળના એક વ્યક્તિએ પોતે આ કારને મોડિફાય કરી છે. જે હાલ ખુબ ચર્ચામાં છે.

મનોજિત મંડલ નામના આ વ્યક્તિએ આ કારને તૈયાર કરી છે જે સંપૂર્ણ રીતે સૌર ઉર્જાથી ચાલે છે. તેમાં કોઈ એન્જિન પણ નથી. કારની છત પર સૌર પેનલ લાગેલી છે. PTI એ આ લાલ નેનો કારનો એક વીડિયો પણ શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.

સૌર ઉર્જાથી તાલતી કારો કોઈ નવો કોન્સેપ્ટ નથી. દુનિયાભરમાં એવી અનેક કાર કંપનીઓ છે જેમણે સૌર પેનલવાળા વાહનો બનાવવાની કોશિશ કરી છે. આ વાહનો મોંઘી લિથિયમ-આયન બેટરી પર નિર્ભરતા ઓછી કરે છે. જો કે આ ટાટા નેનો એક પ્રકારની ઈલેક્ટ્રિક કાર જ છે. જેની બેટરી સૌર ઉર્જાથી ચાર્જ થાય છે.

પેટ્રોલ વગરની આ સોલર કારને 100 કિલોમીટર સુધી ચલાવવામાં લગભગ 30 રૂપિયાનો ખર્ચો થાય છે. કોઈ એન્જિન નથી આથી આ ઈલેક્ટ્રિક કારોની જેમ જ સાઈલેન્ટ છે. નેનો સોલર કાર 80 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડથી દોડી શકે છે. વેપારીનું કહેવું છે કે તેમને આ પ્રયોગ માટે સરકાર તરફથી વધુ સહયોગ મળ્યો નથી. પરંતુ તેઓ બાળપણથી પોતાનું આ સપનું પૂરું કરવા માંગતા હતા. તેમણે મોંઘા પેટ્રોલથી રાહત મેળવવા માટે પોતાની ટાટા નેનો મોડિફાય કરી છે.

અત્રે જણાવવાનું કે નેનો ટાટા મોટર્સ દ્વારા 2008માં લોન્ચ કરાયેલી એક કોમ્પેક્ટ હેચબેક કાર હતી. ઓછા વેચાણના પગલે ટાટાએ 2018માં તેને બંધ કરવી પડી હતી. નેનો ભારતમાં સૌથી સસ્તી કાર હતી જેની શરૂઆતની કિંમત એક લાખની અંદર હતી.

આ પણ વાંચો :-