HomeNationalપત્નીથી પરેશાન 2 પતિ એક જ દિવસે પોલીસ સ્ટેશન પહોંચ્યા, એકે કહ્યું-...

પત્નીથી પરેશાન 2 પતિ એક જ દિવસે પોલીસ સ્ટેશન પહોંચ્યા, એકે કહ્યું- ‘સાહેબ, બચાવી લો’

Date:

Related stories

આ રાજ્યમાં કેમ 1 ઓક્ટોબરથી નહીં મળે ગાડીઓને પેટ્રોલ-ડીઝલ?

હરિયાણામાં જૂની ગાડીઓ ચલાવતા લોકો માટે હવે મોટો ફેરફાર...

તમારો પગાર ₹25 હજાર સુધી છે? EPFOના આ નિર્ણયથી થશે મોટો ફેરફાર

નોકરી કરતા લાખો કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય...

નાવપરા GIDCની કંપનીમાં આગ લાગતાં ખળભળાટ!

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાવપરા GIDCમાં વિશાલ પોલિફાઇબર પ્રાઇવેટ...
spot_img

આગ્રાના એકતા પોલીસ સ્ટેશનમાં મંગળવારે બનેલા બે અલગ-અલગ કિસ્સાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સામાન્ય રીતે ઘરેલુ વિવાદમાં મહિલાઓ પોલીસનો સંપર્ક કરતી જોવા મળે છે, પરંતુ અહીં બે પતિઓ પોતાની પત્નીઓથી પરેશાન હોવાનો આક્ષેપ કરીને પોલીસ પાસે પહોંચ્યા અને સુરક્ષાની માંગ કરી હતી. બંનેએ પોતાની ફરિયાદમાં ગંભીર આક્ષેપો કર્યા હતો, જોકે આ દાવાઓની પોલીસ તપાસ ચાલી રહી છે.

ફિરોઝાબાદના રૂપ કિશોરે પત્ની અને સાસુ પર મારપીટનો આરોપ લગાવ્યો હતો.

બપોરે આશરે એક વાગ્યે ફિરોઝાબાદના રહેવાસી રૂપ કિશોર બેગ લઈને એકતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે પત્ની અને સાસુ સામે પૈસાની માંગણી તથા મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો.આ દરમિયાન બે મહિલાઓ પોલીસ સ્ટેશનમાં આવી અને રૂપ કિશોર સાથે મારપીટ શરૂ કરી હતી. હાજર લોકોએ વચ્ચે પડીને તેમને બચાવ્યા બાદ બંને મહિલાઓ ત્યાંથી ચાલી ગઈ હતી.

રૂપ કિશોરના જણાવ્યા પ્રમાણે, તેમના લગ્ન આશરે ત્રણ વર્ષ પહેલાં દિગનેર વિસ્તારની ગૌરી સાથે થયા હતા અને તેમને બે વર્ષની એક પુત્રી છે. તેમનો દાવો છે કે પત્ની હાલમાં પોતાની માતા સાથે પિયર રહે છે અને સાસરીમાં આવવા તૈયાર નથી. રૂપ કિશોરે આરોપ લગાવ્યો કે પત્ની દર મહિને પૈસાની માંગ કરે છે અને બહાને બોલાવી પત્ની તથા સાસુ મળીને તેમની સાથે મારપીટ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ જોધપુરમાં ખાનગી નોકરી કરે છે અને મંગળવારે સાસરી પહોંચ્યા ત્યારે તેમની પાસેથી પૈસા લઈ લેવાયા બાદ મારપીટ કરવામાં આવી હતી, જેના કારણે તેમના કપડાં પણ ફાટી ગયા હતા.

20 વર્ષના લગ્નજીવન બાદ પત્ની અંગે રાકેશ જાદૌનનો આરોપ

આ જ પોલીસ સ્ટેશનમાં બપોરે બે વાગ્યે કહરઈયા મોંડના રહેવાસી 40 વર્ષીય રાકેશ જાદૌન પણ પહોંચ્યા હતા. તેમણે પત્નીથી સુરક્ષા આપવાની વિનંતી કરી હતી. રાકેશના જણાવ્યા મુજબ, લગ્નના લગભગ 20 વર્ષ બાદ તેમની પત્નીએ ધર્મ પરિવર્તન કર્યું છે અને હવે તે અન્ય વ્યક્તિ સાથે રહે છે. બંનેને ત્રણ સંતાનો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. રાકેશે પત્ની દ્વારા તેમને જાનથી મરાવવાની ધમકીઓ મળતી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, બંને મામલામાં સંબંધિત પક્ષોની તહરીર મળી ગઈ છે અને ફરિયાદોના આધારે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હાલ બંને કેસમાં લગાવવામાં આવેલા આક્ષેપોની પોલીસ તપાસ મહત્વની રહેશે.

Subscribe

Latest stories

spot_img