HomeInternationalVIDEO: આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ભારત-પાકિસ્તાનના જહાજોની ટક્કર, 1991ના કરારનો મુદ્દો ફરી ચર્ચામાં

VIDEO: આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ભારત-પાકિસ્તાનના જહાજોની ટક્કર, 1991ના કરારનો મુદ્દો ફરી ચર્ચામાં

Date:

Related stories

નાવપરા GIDCની કંપનીમાં આગ લાગતાં ખળભળાટ!

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાવપરા GIDCમાં વિશાલ પોલિફાઇબર પ્રાઇવેટ...

GETCOની ભરતીને લઈને મોટો વિરોધ, 200થી વધુ ઉમેદવારો રસ્તા પર ઉતર્યા

16 સપ્ટેમ્બર 2026ના રોજ GETCOમાં ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીને લઈને...

મોદીને મળ્યાને બદલાઈ આખી કહાની! 81 વર્ષીય મિત્રને જમીન પાછી આપવાનો નિર્ણય

8 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના મીરા રોડ પર રહેતા 81 વર્ષીય...

સુરતના સારોલીની સાલાસર માર્કેટમાં આગનો કહેર!

સુરતના સારોલી વિસ્તારમાં આજે સવારે અચાનક ધુમાડાના કાળા ગોટેગોટા...

FAKE PASSPORT CASE: નકલી પાસપોર્ટથી વિદેશ ફરતો હતો ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પુત્ર!

અમદાવાદમાં પાસપોર્ટ સંબંધિત ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગુજરાત...
spot_img

અરબી સમુદ્રમાં ભારત અને પાકિસ્તાનના યુદ્ધ જહાજો સામસામે આવી જતાં ફરી એકવાર બંને દેશો વચ્ચે દરિયાઈ સુરક્ષાનો મુદ્દો ગરમાયો છે. 15 સપ્ટેમ્બર, 2026ની સાંજે ઉત્તર અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ભારતીય નૌકાદળના એક જહાજ સાથે પાકિસ્તાની નૌકાદળના જહાજની ટક્કર થઈ હતી. ઘટનાના બીજા જ દિવસે ભારતે દિલ્હીમાં પાકિસ્તાનના ચાર્જ ડી’અફેયર્સને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો હતો.

ભારતીય સત્તાવાર માહિતી અનુસાર, ભારતીય યુદ્ધજહાજ નિયમિત દેખરેખ મિશન પર હતું. આ દરમિયાન પાકિસ્તાની નૌકાદળનું જહાજ ઊંચી ઝડપે ભારતીય જહાજની નજીક આવ્યું અને ત્યારબાદ તેની દિશામાં અસુરક્ષિત તથા બિન-વ્યાવસાયિક રીતે ફેરફાર કર્યો હતો.ભારતના જણાવ્યા પ્રમાણે ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી.

મીડિયા અહેવાલોમાં ટક્કરમાં સામેલ પાકિસ્તાની જહાજ તરીકે PNS Hunainનું નામ સામે આવ્યું છે. તે પાકિસ્તાન નૌકાદળનું Yarmook-class offshore patrol vessel છે, જે દરિયાઈ સુરક્ષા, દેખરેખ અને પેટ્રોલિંગ જેવી કામગીરી માટે ઉપયોગમાં લેવાય છે. જોકે, ભારતીય નૌકાદળના ટક્કરમાં સામેલ જહાજનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.

ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાની રાજદ્વારીને જણાવ્યું કે દરિયામાં તમામ સૈન્ય એકમોએ યોગ્ય સાવચેતી રાખવી જોઈએ અને બંને દેશો વચ્ચે લાગુ કરારોનું પાલન કરવું જોઈએ. ભારતે પાકિસ્તાની નૌકાદળની કાર્યવાહીનું વર્ણન ‘અસ્વીકાર્ય અને બિન-વ્યાવસાયિક’ તરીકે કર્યું છે. ઇસ્લામાબાદમાં રહેલા ભારતીય ચાર્જ ડી’અફેયર્સને પણ પાકિસ્તાનના વિદેશ મંત્રાલય સમક્ષ સમાન વિરોધ નોંધાવવા સૂચના આપવામાં આવી છે.

આ મામલે ભારતે એપ્રિલ 1991ના ‘Advance Notice on Military Exercises, Manoeuvres and Troops Movements’ કરારના આર્ટિકલ 10નો પણ ઉલ્લેખ કર્યો છે. આ જોગવાઈ મુજબ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં બંને દેશોના નૌકાદળના જહાજો અને સબમરીન એકબીજાથી ઓછામાં ઓછા 3 નોટિકલ માઈલનું અંતર જાળવે તેવો નિયમ છે, જેથી અકસ્માત ટાળી શકાય છે.

રસપ્રદ બાબત એ છે કે લગભગ 15 વર્ષ પહેલાં, જૂન 2011માં પણ PNS Babur અને INS Godavari વચ્ચે દરિયામાં ટક્કર જેવી ઘટના બની હતી. તે સમયે પણ ભારતે પાકિસ્તાની જહાજ સામે નૅવિગેશનલ સેફ્ટીના નિયમો અને 1991ના કરારના આર્ટિકલ 10ના ભંગ અંગે વિરોધ નોંધાવ્યો હતો. સરકારી રેકોર્ડ મુજબ PNS Baburએ ઊંચી ઝડપે INS Godavariની નજીક જઈને તેને સ્પર્શ કર્યો હતો, જેના કારણે હેલિકોપ્ટર ડેકની સુરક્ષા જાળીને નાનું નુકસાન થયું હતું.

હાલની ઘટનામાં બંને દેશો તરફથી આગળની કાર્યવાહી અને ટક્કરની સંપૂર્ણ તપાસ અંગે વધુ સત્તાવાર વિગતોની રાહ જોવામાં આવી રહી છે.

Subscribe

Latest stories

spot_img