સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જનારા સાવધાન, કેનેડા સરકારના આ નિર્ણયથી તમારું પ્લાનિંગ ફેલ જશે

Share this story
  • આશરે ૩૯.૫ મિલિયન લોકોની વસ્તી ધરાવતું કેનેડા વર્ષ ૨૦૨૫માં રેકોર્ડ ૫,૦૦,૦૦૦ નવા કાયમી રહેવાસીઓ સ્વીકારવાની યોજના ધરાવે છે. આવામાં જ કેનેડા સરકાર કોઈ પણ નિર્ણય લે તો તેની મોટી અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડી શકે છે. જેઓ કેનેડા વસવાટના ખ્વાબ જોઈ રહ્યાં છે.

હાલ ગુજરાતમાં જેને જુઓ એને વિદેશ જવુ છે. કેનેડા, અમેરિકા, યુકે જેવા દેશોમાં સ્થાયી થવા ગુજરાતીઓ તલપાપડ બન્યા છે. આવામાં કેનેડાનો ક્રેઝ સૌથી વધુ છે. જુવાનિયાઓમાં કેનેડા હોટ ફેવરિટ કન્ટ્રી છે. પરંતુ જો તમે કેનેડા સેટલ્ટ થવાના ખ્વાબ જોઈ રહ્યા છો તો ચેતી જવાની જરૂર છે. કારણ કે કેનેડા સરકાર તરફથી સંકટના સમાચાર મળ્યા છે. કેનેડા સરકાર જલ્દી જ સ્ટુડન્ટ વિધા પર મર્યાદા લગાવવાની વિચારણા કરી શકે છે.

કેનેડાના નવા હાઉસિંગ મિનિસ્ટર સીન ફ્રેઝરે સોમવારે જણાવ્યું હતું કે, કેનેડિયન સરકાર રહેણાંક સ્થળોની વધતી કિંમતોને ધ્યાને રાખીને છેલ્લા કેટલાક વર્ષોથી વધી રહેલા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝા પર નિયંત્રણ રાખવા અંગે વિચાર કરી શકે છે.

આનું કારણ પણ તમને જણાવી દઈએ. કારણ કે, કેનેડા સરકારના ડેટા અનુસાર વર્ષ ૨૦૧૨ માં કેનેડા સરકારે ૨ લાખ ૭૫ હજાર વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝાથી એન્ટ્રી આપી હતી. પરંતું વર્ષ ૨૦૨૨ માં એકાએક આ સંખ્યામાં વધારો થયો. કેનેડામાં બહારથી આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૮ લાખને પહોંચી ગઈ છે. તઆ કારણે કેનેડાના માર્કેટ પર અને નોકરીની વ્યવસ્થા પર મોટી અસર પડી રહી છે.

જો કે સ્ટુડન્ટ વિઝા ઓછા આપવા પર કેનેડા સરકારે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. પરંતું જો આ સંખ્યામાં વધારો થયો તો સરકાર વહેલી તકે કોઈ નિર્ણય લઈ શકે છે.

આશરે ૩૯,૫ મિલિયન લોકોની વસ્તી ધરાવતું કેનેડા વર્ષ ૨૦૨૫માં રેકોર્ડ ૫,૦૦,૦૦૦ નવા કાયમી રહેવાસીઓ સ્વીકારવાની યોજના ધરાવે છે. આવામાં જ કેનેડા સરકાર કોઈ પણ નિર્ણય લે તો તેની મોટી અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડી શકે છે. જેઓ કેનેડા વસવાટના ખ્વાબ જોઈ રહ્યાં છે.

આ પણ વાંચો :-