શરીર માટે ‘અમૃત’ સમાન છે આ શાકભાજી, માર્કેટમાં માત્ર ૦૪ મહિના જ આપે છે દેખાડો

Share this story
  • પોષકતત્વોનાં ભંડાર એવા કાચરી સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી હોય છે. તેનું શાક જમવાથી શરીર બીમારીઓથી દૂર રહે છે.

દેશનાં અલગ-અલગ વિસ્તારોમાં ભિન્ન-ભિન્ન પ્રકારનાં શાક બનાવવામાં અને ઊગાડવામાં આવે છે. એવું જ એક ગુણકારી વેજીટેબલ છે કાચરી. કાચરીમાં અનેક પ્રકારનાં પોષકતત્વો હોય છે જે શરીર માટે અત્યંત જરૂરી હોય છે. આ શાક રાજસ્થાનમાં સૌથી વધુ ઊગે છે અને ૩-૪ મહિના માટે જ બજારમાં ઉપલબ્ધ હોય છે. અંગ્રેજીમાં તેને Mouse Melon કહેવામાં આવે છે. કાચરી શરીર માટે અત્યંત ફાયદાકારક હોય છે. માહિતી અનુસાર લીલી કાચરી બજારમાં ૬૦-૮૦ રૂપિયે કિલો વેંચાતી હોય છે.

રીરને બીમારીઓથી બચાવી શકાય છે

કાચરીનું શાક પ્રોટીનનો બેસ્ટ સોર્સ હોય છે. તેનાં સેવનથી ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલની પીડા પણ દૂર થાય છે. કેટલાક લોકો એવું પણમાને છે કે કાચરીનું સેવન કરવાથી શરીરને બીમારીઓથી બચાવી શકાય છે. કાચરીમાં અનેક પાવરફુલ એંટીઓક્સીડેંટસ હોય છે જે સ્વાસ્થ્ય માટે ચમત્કારી સાબિત થઈ શકે છે. કાચરીને સુકાવીને ખાવામાં આવે છે એટલું જ નહીં તેનો પાઉડર પણ બનાવવામાં આવે છે. KACHRI POWDER રાજસ્થાની વ્યંજનોમાં ખાસ ઉપયોગમાં લેવાય છે.

કાચરીનું શાક ખાવાનાં ૫ મોટા ફાયદાઓ :

  1. કાચરીમાં એંટીઓક્સીડેંટ ભરપૂર માત્રામાં હોય છે જેના લીધે આપણાં શરીરની ઈમ્યૂન સિસ્ટમ બૂસ્ટ થઈ શકે છે. પરિણામે બીમારીઓનો ભય પણ ઓછો થઈ જાય છે.
  2. કાચરીમાંથી મોટા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે તેથી તેના સેવન બાદ મસલ્સને મજબૂતી મળે છે.
  3. માનવામાં આવે છે કે કાચરીનાં સેવનથી ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ ઈંફેક્શન સહિત અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેનું સેવન પેટ માટે લાભદાયી હોય છે.
  4. ડાયટમાં કાચરીનો સમાવેશ કરવાથી ભૂખ ન લાગવાની સમસ્યા પણ દૂર થાય છે.
  5. કાચરીને ડાયાબિટીઝનાં દર્દીઓ માટે લાભકારી માનવામાં આવે છે. તેનાથી બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે.

આ પણ વાંચો :-