તારા સિંહ અને સની દેઓલે ભારત અને પાકિસ્તાન મેચને લઈને કરી જાહેરાત, જાણો શું કરી જાહેરાત

Share this story
  • ભારત અને પાકિસ્તાનની ટીમો લગભગ એક વર્ષ પછી આમને-સામને થવા જઈ રહી છે. આગામી એશિયા કપમાં બંને ટીમો ટકરાશે.

આ મેચ ૨ સપ્ટેમ્બરે શ્રીલંકાના કેન્ડીમાં રમાશે. વિશ્વભરના ક્રિકેટ ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની રાહ જોઈ રહ્યા છે. આમાં બોલિવૂડ સ્ટાર્સ પણ સામેલ છે. આ વખતે દિગ્ગજ અભિનેતા સની દેઓલ ટીવી પર મહામુકાબલા દરમિયાન જોવા મળશે.

ગદર ૨માં ફરી એકવાર તારા સિંહ બનીને સમગ્ર દેશનું દિલ જીતનાર સની દેઓલ એશિયા કપના બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ પર જોવા મળશે. સ્ટાર સ્પોર્ટ્સે એક પ્રોમો રિલીઝ કર્યો છે. આ પ્રોમોમાં સની દેઓલે કહ્યું કે, “ઈન્ડિયા-પાકિસ્તાન મેચ પહેલા તો હું સની દેઓલ જ હોઉં છું. પરંતુ એક વાર મેચ શરૂ થઈ જાય પછી હું તારા સિંહ બની જાઉં છું.”

ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરો સની દેઓલે વધુમાં કહ્યું કે, “જો તમે આ મેચમાં ગદર મચાવવા માગતા હોવ તો ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરો. મેન ઈન બ્લૂનો ઉત્સાહ વધારો.” પ્રોમોમાં ભારત-પાકિસ્તાન મેચની જૂની ક્લિપ્સ પણ બતાવવામાં આવે છે.’

આ પણ વાંચો :-