અંબાજીમાં દર્શન કરવા પહોંચી અનુપમા, મહારાજ પાસેથી બંધાવી આ વસ્તુ

Share this story
  • ઘરે ઘરે લોકપ્રિય બનેલી હિન્દી ટીવી સિરિયલ અનુપમાની એક્ટ્રસે રૂપા ગાંગુલી આજે ગુજરાતના પ્રસિદ્ધ અંબાજી મંદિરના દર્શને પહોંચ્યા હતા.

અનુપમાની અદાકાર રૂપાલી ગાંગુલીએ શક્તિપીઠમાં મા અંબાના દ્વાર પર નમન કર્યુ હતું. તેઓએ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં માતાજીના દર્શન કર્યા તેમજ અંબાજી મંદિરના મહારાજ દ્વારા તેમને ચુંદડી આપવામાં આવી હતી.

હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે રૂપાલી ગાંગુલીએ અંબાજી મંદિરના અંબિકેશ્વર મહાદેવમાં પણ પૂજા અર્ચના કરી. તેમજ મહાદેવજીને જળ અને બીલીપત્ર પણ ચઢાવ્યા હતા. તેઓએ માતાજીની ગાદી પર ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધાં હતા. રૂપા ગાંગુલીએ ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી હતી. અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ચાહકો રૂપા ગાંગુલીને જોવા ઉમટ્યાં હતા. તો મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્તો સાથે ફોટા પડાવ્યા હતા. અંબાજી મંદિરમાં ભૈરવજી મંદિર, બહુચર માના દર્શન કર્યા. તો અંબાજીના ગબ્બર ખાતે માં અંબે ની અખંડ જ્યોતના દર્શન કર્યા હતા.

આ પણ વાંચો :-