Home Blog Page 1425

સબંધોમાં જયારે પ્રેમની ઉણપ હોય ત્યારે પરિણામ કેટલું ભયાનક આવે………. ઘટના વિશે જાણીને રુંવાડા બેઠા થઇ જશે

How terrible is the result when

પતિ પત્ની (Husband-wife) વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા રહે છે. પરંતુ ઘણીવાર આ ઝઘડા એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે કે જેની કોઈ કલ્પના પણ નહીં કરી હોય. હાલ આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં પતિએ પોતાની જ પત્નીનો હાથ કાપી નાખ્યો હતો. પત્ની નોકરી પર જતા પતિ એટલો ઉશ્કેરાયો કે તેની જ પત્નીનો હાથ કાપી નાખ્યો હતો. પતિનો ઘા એટલો જોરદાર હતો કે, પત્નીનો હાથ જ કાંડાથી સાવ અલગ થઈ ગયો હતો.

ઘટના પૂર્વ બર્દવાન (East Burdwan) જિલ્લાના કેતુગ્રામની (Ketugram) છે. પીડિત યુવતી સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે. આવી સ્થિતિમાં પતિને ડર લાગવા લાગ્યો કે જો તેની પત્ની નોકરી કરવા લાગી તો તે તેનાથી દૂર થઈ જશે અને તેને છોડી દેશે. તે પછી તે બીજા પુરુષ સાથે લગ્ન કરશે.

પત્ની રોજ નોકરી પર જવા લાગી ત્યારે તેના પતિની શંકા વધતી ગઈ અને બેચેની બની ગઈ. શખ્સના મિત્રોએ તેને ઉશ્કેરવાનું કામ કર્યું, કારણ કે તેઓ હંમેશા આ વ્યક્તિને કહેતા કે એક દિવસ તેની પત્ની તેને છોડીને બીજા પુરુષ સાથે લગ્ન કરી લેશે.

મહિલાએ કહ્યું કે, ‘જ્યારે મારું નામ સરકારી નોકરીમાં આવ્યું તો પતિએ વિચાર્યું કે તે તેને આ નોકરી કરવા દેશે નહીં. મેં તેને ઘણી વખત સમજાવ્યું, પરંતુ અમારી વચ્ચે ઝઘડા થવા લાગ્યા. એક દિવસ મારે દુર્ગાપુર જવાનું હતું, તે પહેલા મારા પતિએ મને બોલાવી. તેના મનમાં શું ચાલી રહ્યું છે તેનાથી હું સંપૂર્ણપણે અજાણ હતી. 10 વાગે રાત્રિભોજન કર્યા પછી, જ્યારે હું સુતી, ત્યારે મેં રાત્રે બે વાર મારી આંખો ખોલી અને જોયું કે તે વારંવાર વૉશરૂમમાં જતો હતો. પૂછવા પર તેણે કહ્યું કે તેના પેટમાં દુખાવો છે.’

પીડિતાએ વધુમાં જણાવ્યું કે, ‘થોડી જ વારમાં મારા મોં પર કોઈએ ઓશીકું મૂક્યું છે અને કોઈ મારો હાથ પકડી રાખ્યો. અને પછી કાતર જેવી ધારદાર વસ્તુ વડે મારો હાથ કાપી નાખ્યો. ત્યાં કુલ 3 લોકો હતા અને જ્યારે બાકીના લોકો ત્યાંથી નીકળી ગયા, ત્યારે પણ તેઓએ મારા મોં પર ઓશીકું મૂકી દીધું.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

How terrible is the result when

ગુજરાતમાં વરસાદની અસર શરૂ, પાટણમાં ભારે પવનથી મકાનોનાં પતરા ઉડ્યા તો લીંબડીમાં વીજળીથી પહેલું  મોત નોંધાયું

0

The effect of rain started in Gujarat

  • થન્ડર સ્ટોર્મની અસર વચ્ચે આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળશે, પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે, ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના નહીવત્ છે.

આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં મોટો બદલાવ થશે. કારણ કે, રાજ્યના વિવિધ વિસ્તારમાં થન્ડરસ્ટોર્મની અસર જોવા મળશે. જોકે, મંગળવારથી જ તેની અસર જોવા મળી છે. થન્ડર સ્ટોર્મની અસરથી રાજ્યના 5 જિલ્લાના 12 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સાથે જ પાટણના સાંતલપુર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા 10 વધુ મકાનોના પતરાં ઉડ્યા હતા. સદનસીબે તેમાં મોટી જાનહાનિ ટળી હતી. આમ, થન્ડર સ્ટોર્મની અસર વચ્ચે આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળશે, પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે, જોકે ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના નહીવત્ છે. તેમજ પ્રથમ વરસાદની વીજળીએ લીંબડી તાલુકાના એક યુવકનો ભોગ લીધો છે. મધરાતે લીંબડી તાલુકાના જાંબુ અને નટવરગઢ ગામ વચ્ચે વીજળી પડતા યુવકનું મોત નિપજ્યુ છે.

પાંચ દિવસમાં બદલાશે ગુજરાતનું વાતાવરણ :

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. કારણ કે, રાજ્યના વિવિધ વિસ્તારમાં થન્ડરસ્ટોર્મની અસર થશે. જેમાં પવનની ગતિ પણ 30થી 40 KM પ્રતિ કલાકની રહી શકે છે. તો આજે બનાસકાંઠા, અમદાવાદ સહિતના વિસ્તારમાં મોટાપાયે તેની અસર જોવા મળશે. આજથી 10 જૂન કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ વરસાદની શક્યા છે. આજથી 10 જૂન સુધી ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.

મંગળવારે 12 તાલુકામાં વરસાદ ખાબક્યો :

થન્ડર સ્ટોર્મની અસર મંગળવારે રાજ્યના 5 જિલ્લામાં જોવા મળી હતી. ગઈકાલે ગુજરાતના 12 તાલુકામાં વરસાદ પડ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ભીંજાયા હતા, જેથી વાતાવરણ ખુશ્નુમા બન્યુ હતું. લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો હતો. અમરેલી, અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદ નોંધાયો હતો. તો અમરેલીના લાઠીમાં સૌથી વધુ પોણા ત્રણ ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો. ઉત્તર ગુજરાતમાં અમદાવાદના ધંધુકામાં 1.5 ઈંચ વરસાદ પડ્યો હતો. તો સુરેન્દ્રનગરના ચુડામાં પોણો ઈંચ અને લીંબડીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

પાટણમાં પતરા ઉડ્યા :
થન્ડર સ્ટોર્મની અસરના ભાગરૂપે પાટણ જિલ્લાના વાતાવરણમા પલટો આવ્યો હતો. વાતાવરણના પલટાના ભયાનક વીડિયો પણ સામે આવ્યા, જેમાં સાંતલપુર તાલુકાના વારાહીમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે. ભારે પવન સાથે પડેલ વરસાદમાં 10 થી વધુ મકાનોના પતરા ઉડ્યા હતા. ગઢા, વર્ણોસરી, કોરડા, એવાલ સહિત વાઘપુરામાં ભારે પવન સાથે ધીમીધારે વરસાદ ખાબક્યો હતો. તો – ઝંડાલા ગામે ભારે પવન ફૂંકાતા કાચા તેમજ પાકા મકાનના પતરાં ઉડતા વ્યાપક નુકસાની નોંધાઈ છે. ભારે પવનના કારણે પતરાં ઉડી ખેતરમાં પડતા મકાન માલિકોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. પ્રિ-મોન્સૂનના પ્રથમ વરસાદમાં જ પાટણ જિલ્લામાં નુકસાની જોવા મળી. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી.
No description available.
વીજળીથી રાજ્યમાં પ્રથમ મોત :
હજી ગુજરાતમાં ચોમાસુ બેઠુ નથી ત્યાં સામાન્ય વરસાદમાં વરસેલી વીજળીએ એક યુવકનો ભોગ લીધો છે. લીંબડી તાલુમાં વીજળીથી પ્રથમ મોત નોંધાયુ છે. મધરાત્રિએ લીંબડી તાલૂકાના જાંબુ અને નટવરગઢ ગામ વચ્ચે વીજળી પડી હતી. 23 વર્ષીય યુવક બાઈક પર સવાર થઈને લીંબડીથી જાંબુ તરફ જઈ રહ્યો હતો, ત્યારે વચ્ચે વીજળી પડી હતી. યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. જાંબુ ગામના યુવકનુ મોત નિપજતા ચકચાર મચી ગઈ છે, તો યુવકના પરિવારજનોમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે.
આજે ક્યા ક્યા વરસાદની આગાહી :

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીથી દમણમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતથી ભેજ વાળા પવન આવતા વરસાદી માહોલ સર્જાઇ શકે છે. એટલુ જ નહિ પરંતુ આ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે. નોંધનીય છે કે, આ વર્ષે દેશમાં ગયા વર્ષ કરતાં વધારે સારો વરસાદ થવાની આગાહી છે. ભારતીય હવામાન વિભાગે આ વખતે જૂનથી સપ્ટેમ્બર સુધી દેશમાં 103 ટકા વરસાદ થવાની શક્યતા દર્શાવી છે.

The effect of rain started in Gujarat

સોનાના 133 સિક્કા અને 2.82 કરોડ રોકડા, સત્યેન્દ્ર જૈનના સંબંધીના ઘરેથી મળ્યો ખજાનો, ઈડીના દરોડા

0

133 gold coins and 2.82 crore cash

  • ઈડીની કાર્યવાહીમાં દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના સંબંધીના ઘરેથી મોટી સંખ્યામાં રોકડ રકમ અને સોનું મળી આવ્યું છે. મહત્વનું છે કે સત્યેન્દ્ર જૈન હાલ ઈડીની કસ્ટડીમાં છે.

મની લોન્ડ્રિંગ કેસમાં (Money laundering case) ધરપકડ કરાયેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી (Health Minister of Delhi) સત્યેન્દ્ર જૈનની (Satyendra Jain) મુશ્કેલી વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ના દરોડામાં સત્યેન્દ્ર જૈનના સંબંધીના ઘરેથી મોટી માત્રામાં રોકડ અને સોનું મળી આવ્યું છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન હાલ ઈડીની કસ્ટડીમાં છે.

જાણવા મળી રહ્યું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને સત્યેન્દ્ર જૈનના એક સંબંધીના ઘરેથી 2.82 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યાં છે. આ સાથે એક કિલોથી વધુ સોનું મળ્યું છે, જેમાં 133 સોનાના સિક્કા સામેલ છે.

મહત્વનું છે કે ઈડીએ સોમવારે આપ સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ કથિત હવાલા ડીલ સાથે જોડાયેલી મની લોન્ડ્રિંગ તપાસ હેઠળ તેના ઘર અને અન્ય જગ્યાએ દરોડા પાડ્યા હતા. 57 વર્ષીય સત્યેન્દ્ર જૈનની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ 30 મેએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને 9 જૂન સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.

આ પહેલાં ઈડીએ એપ્રિલમાં તપાસ દરમિયાન સત્યેન્દ્ર જૈનના પરિવાર અને તેની માલિકી તથા નિયંત્રણવાળી કંપનીઓની 4.81 કરોડ રૂપિયાની સંપત્તિ અટેચ કરી હતી. ઈડીએ કહ્યું હતું કે, અકિંચન ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટે, ઈન્ડો મેટલ ઇન્પેક્સ પ્રાઇવેટ લિમિટેડ, પ્રયાસ ઇન્ફોસોલ્યૂશન્સ પ્રાઇવેટ લિમિટેડ, મંગલાયતન પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, જેજે આઇડિયલ એસ્ટેટ પ્રાઇવેટ લિમિટે, વૈભવ જૈનની પત્ની સ્વાતી જૈન, અજિત પ્રસાદ જૈનની પત્ની સુશીલા જૈન અને સુનીલ જૈનની પત્ની ઇંદુ જૈન સંબંધિત 4.81 કરોડ રૂપિયાની અચલ સંપત્તિને સીલ કરવા માટે એક અસ્થાયી આદેશ જાહેર કર્યો હતો.

તપાસમાં સામે આવ્યું કે 2015 અને 2016 દરમિયાન જ્યારે સત્યેન્દ્ર કુમાર જૈન એક લોક સેવલ હતા, ત્યારે તેમની માલિકી અને નિયંત્રણવાળી કંપનીઓને કોલકત્તાના એન્ટ્રી ઓપરેટરને હવાલા દ્વારા મોકલેલી રકમને શેલ કંપનીઓથી 4.81 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળ્યાં હતા.

EDએ કહ્યું હતું કે આ રકમનો ઉપયોગ જમીનની સીધી ખરીદી અથવા દિલ્હી અને તેની આસપાસની ખેતીની જમીન ખરીદવા માટે લેવામાં આવેલી લોનની ચુકવણી માટે કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ કહ્યું કે જપ્ત આદેશમાં નામિત વ્યક્તિ જૈનના સહયોગી અને પરિવારના સભ્ય છે.

ઈ – પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

133 gold coins and 2.82 crore cash

Realme નો સસ્તો સ્માર્ટફોન, ધમાકેદાર બેટરી અને અદભૂત કેમેરા, નોકિયાના નાક પર લાવી દીધો દમ , જાણો ફીચર્સ 

Realme’s Cheap Smartphone

  • Realme ઓછી કિંમતનો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. તાજેતરના અહેવાલોમાં એન્ટ્રી-લેવલ સ્માર્ટફોનના મુખ્ય સ્પષ્ટીકરણો લીક થયા છે. આવો જાણીએ ફોનમાં શું ખાસ હશે…

નોકિયાએ (Nokia) તેના સ્માર્ટફોનને ઓછી કિંમતે માર્કેટમાં લોન્ચ કર્યા છે. નોકિયા ઓછી કિંમતના ફોનના કારણે હેડલાઇન્સમાં રહે છે. હવે રિયલમીનો સ્માર્ટ સ્માર્ટફોન Nokiaના સસ્તા સ્માર્ટફોનને (Cheap smartphones) ટક્કર આપવા આવી રહ્યો છે. આ એક એન્ટ્રી લેવલ સ્માર્ટફોન (Level smartphone) હશે, જે મજબૂત ફીચર્સ સાથે આવશે. Realme C30 ટૂંક સમયમાં સત્તાવાર રીતે જવાની અપેક્ષા છે. તાજેતરના અહેવાલોમાં એન્ટ્રી-લેવલ સ્માર્ટફોનના મુખ્ય સ્પષ્ટીકરણો લીક થયા છે. હવે વિશ્વસનીય ટિપસ્ટર સ્ટીવ હેમરસ્ટોફરના સહયોગથી કમ્પેર ડાયલ પ્રકાશન દ્વારા નવા લીકમાં ફોનની સંપૂર્ણ ડિઝાઇન જાહેર કરવામાં આવી છે.

Realme C30 ડિઝાઇન :

Realme C30 ની આગળની બાજુએ ખૂબ જાડી ચિન સાથે વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે છે. તેમાં વોલ્યુમ રોકર અને જમણી કિનારે પાવર કી સાથે બોક્સી ડિઝાઇન છે. ઉપકરણના તળિયે સ્પીકર ગ્રિલ, માઇક્રોયુએસબી પોર્ટ, માઇક્રોફોન અને 3.5mm ઓડિયો જેક છે.

Realme C30svનો પાછળનો શેલ અલગ વર્ટિકલ ગ્રીડ ડિઝાઇનને સપોર્ટ કરે છે. ઉપરના ડાબા ખૂણામાં LED ફ્લેશ :સાથે એક કેમેરા મોડ્યુલ છે. જેમ જોઈ શકાય છે, ત્યાં કોઈ બિનજરૂરી સેકન્ડરી મેક્રો અથવા ડેપ્થ સેન્સર નથી. રેન્ડર પુષ્ટિ કરે છે કે Realme C30 વાદળી અને લીલા રંગોમાં આવશે, જે લેક ​​બ્લુ અને બામ્બૂ ગ્રીન તરીકે વેચી શકાય છે. તે ડેનિમ બ્લેક કલરમાં આવવાની પણ અફવા છે.

Realme C30 સ્પષ્ટીકરણો :

નવા લીકમાં Realme C30 ના ફીચર્સ વિશે કોઈ માહિતી નથી. અહેવાલો દર્શાવે છે કે તે 6.58-ઇંચની IPS LCD પેનલથી સજ્જ હશે જે FHD+ રિઝોલ્યુશન ઓફર કરે છે. તે યુનિસોક ચિપ દ્વારા સંચાલિત થવાની સંભાવના છે. જો કે, ચિપનું ચોક્કસ નામ હજુ સુધી જાણી શકાયું નથી. તે 5,000mAh બેટરી પેક કરશે જે 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે. ઉપકરણ ટોચ પર Realme UI સાથે Android Go OS પર ચાલશે.

Realme C30 કેમેરા :

ફોટોગ્રાફી માટે, Realme C30માં 5-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો અને 13-મેગાપિક્સલનો રિયર કેમેરા હોઈ શકે છે. આ ઉપકરણ ભારતીય બજારમાં બે વિકલ્પોમાં આવવાની અપેક્ષા છે: 2GB RAM + 32GB સ્ટોરેજ અને 3GB RAM + 32GB સ્ટોરેજ. છેલ્લે, ઉપકરણની જાડાઈ 8.48 mm હશે અને વજન લગભગ 181 ગ્રામ હશે. ભારતમાં આ મહિને (જૂન) લોન્ચ થવાની ધારણા છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Realme’s Cheap Smartphone

8 જૂન 2022, રાશિફળ : આ રાશિના જાતકોને વિઘ્નહર્તાની કૃપાથી દરેક કાર્યોમાં મળશે સફળતા

June 8, 2022, horoscope Gujarat Guardian

મેષ :
દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર સુધી આવક પણ જ જળવાય. બપોર પછી આવક ઓછી થતી જણાય અને તબિયતમાં પણ અસ્વસ્થતા જણાય. શરદી, ખાંસી, થાક લાગવાની તકલીફ જણાય. ધંધામાં પ્રગતિ.

વૃષભ :
સ્વભાવમાં થોડી ઉગ્રતા જણાય. સિદ્ધાંતવાદી વલણ વધે. આર્થિક મોરચે ફાયદો થતો જણાય. પરિવારમાં આનંદ-પ્રમોદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ શારૂ. નોકરી-ધંધામાં પ્રગતિ. સ્વાસ્થ્ય જળવાય.

મિથુન :
કોઇ બનાવી ન જાય એનું ધ્યાન રાખવું. સરકારી કામકાજ, લખાણ બપોર વાંચીને કરવું. નાણાંકીય લાભ મેળવી શકાશે. પરિવારમાં આનંદ. સંતાનની પ્રગતિથી મન હરખાય. વાહન સુખ મળે. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય.

કર્ક :
આજનો દિવસ તમામ રીતે આનંદ-ઉત્સાહ લઇને આવ્યો છે. આવકમાં વધારો થાય. પરિવારના તમામ સભ્યો વચ્ચે એકરાગીતા જળવાશે. નોકરી ધંધમાં નિશ્રફળ મળે. આરોગ્ય સારૂં રહેશે. માત્ર જમણી છાતીની કાળજી રાખવી.

સિંહ :
મનમાં ચંચળતા રહે. આપનું મન કોઇ કળી શકે નહીં. નવા મિત્રો બનશે. જુના મિત્રોને મળવાનું થાય. પ્રિય પાત્ર સાથે પ્રેમ જળવાશે. જીવનસાથીની પ્રગતિથી આનંદ. ધંધામાં પ્રગતિ. સત્તા, હોદ્દો માનમાં વધારો થાય.

કન્યા :
દિવસ દરમ્યાન આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. માનસિક શાંતિ અનુભવાય. નાણાંની આવક અંગે મધ્યમ દિવસ છે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. નોકરી-ધંધોમાં ફાયદો થતો જણાય. માથાનો દુઃખાવો રહે.

તુલા :
વિદેશના સંબંધો તરફથી લાભ મળતો જણાય. વિદેશ જવાની વ્યવસ્થાનું આયોજન થતું જણાય. માનસિક સંતોષ રહેતો જણાય. પરિવારના સભ્યોના આરોગ્યની ચિંતા રહે. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ શક્ય બને.

વૃશ્ચિક :
સ્વભાવમાં થોડી ઉગ્રતા જણાય. સિદ્ધાંતવાદી વલણ રહે. આર્થિક દૃષ્ટિએ સારો દિવસ. માતા-પિતા સાથે મનમેળ રહે. નવા રોકાણો ફાયદા કારક નીવડે. વાહન સુખ, મિલકત સુખમાં વધારો થાય. સ્વાસ્થ્ય જળવાય.

ધન :
માનસિક રીતે અસંતોષની ભાવના પેદા થાય. નાના ભાઈ બહેનો સાથે સારૂ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવાર પ્રત્યે ઉદાસીનતા વર્તાય. ભાગ્ય બળવાન છે. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ અનુભવાય.

મકર :
માન સન્માનમાં વધારો થતો જણાય. નાણાંકીય બાબતો અંગે સંતોષ. પરિવારમાં આનંદ. સ્થાવર જંગમ મિલકતના રોકાણોમાં સાનુકુળતા જણાય. સંતાનના પ્રશ્નો ઉકેલાય. સંતાન તરફથી પ્રેમ મળતો જણાય. આરોગ્ય સારૂ.

કુંભ :
આર્થિક બાબતો અંગે શુભ દિવસ. છતાં આજે કોઇને ઉધાર આપવું નહીં. નાણાં ઉછીના આપવા નહીં. પૈસા ફસાઇ ન જાય તેનું ધ્યાન રાખવું. શરદી-ખાંસી, તાવનો ઉપદ્રવ રહે. દિવસના પૂર્વાર્ધમાં ધંધા બાબતે સારૂં.

મીન :
આનંદ ઉત્સાહ સભર દિવસ જણાય. આર્થિક પાસુ મળતી જણાય. પહિન સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ધંધાકીય બાબતોમાં સાચવવું. વિચારીને નિર્ણયો લેવાની સલાહ છે.

June 8, 2022, horoscope

આજે જ બદલી નાંખો તમારી આ આદત, હાર્ટ એટેક આવવાની ઘટી જશે શક્યતા, સંશોધનમાં દાવો

Change your habit today

  • એક્ટિવ લોકોને પણ હાર્ટ એટેક આવતો હોવાનુ સામે આવે છે ત્યારે એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે જો આ એક આદત બદલવામાં આવે તો હાર્ટ એટેકની શક્યતાઓ ઘટે છે.

ભારતમાં હાર્ટ એટેકની (Heart attack) સમસ્યા જ નહી પરંતુ ભારતમાં આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તાજેતરમાં જ બોલિવૂડના જાણીતા સિંગર કેકેનું મંગળવારે હાર્ટ એટેકથી નિધન થયું, તેઓ માત્ર 53 વર્ષના હતા. આ પહેલા કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમાર (Puneet Rajkumar) પણ આ કારણે દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. આ ઉપરાંત એવા ઘણા એક્ટર છે જેઓ હેલ્ધી હોવા છતાં હાર્ટ એટેકને કારણે દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે.

વર્ષે હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં વધારો :

એક રિપોર્ટ્સ અનુસાર ભારતમાં દર વર્ષે એક લાખમાંથી 272 લોકો હૃદય રોગને કારણે મૃત્યુ પામે છે. જ્યારે સમગ્ર વિશ્વની સરેરાશ 1 લાખ દીઠ 235 છે. દર વર્ષે લગભગ 13 થી 14 લાખ લોકો હાર્ટ પેશન્ટ બને છે. આમાંથી 8 ટકા લોકો હાર્ટ એટેકના 30 દિવસમાં મૃત્યુ પામે છે, એટલે કે લગભગ 1.25 લાખ લોકો હાર્ટ એટેકના 30 દિવસમાં જીવ ગુમાવે છે.

સ્મોકિંગ છોડવાથી હાર્ટ એટેકનું ઘટે છે જોખમ :

તે પહેલાથી જ સાબિત થયું છે કે સિગારેટ પીવાથી હૃદયની બીમારીઓનું જોખમ વધે છે. તાજેતરના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે ધૂમ્રપાન છોડવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટી જાય છે. જો તમને પણ આવા જોખમનો ડર છે તો આજે જ આ ખરાબ વ્યસનથી છૂટકારો મેળવો.

સંશોધનમાં મોટો ખુલાસો :

ન્યુયોર્કની પ્રેસ્બીટેરીયન હોસ્પિટલ અને વેઈલ કોર્નેલ મેડિકલ કોલેજના ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોવેસ્ક્યુલર ઈમેજીંગના ડાયરેક્ટર ડો.રોબર્ટ જે મિને જણાવ્યું હતું કે ધૂમ્રપાન (ધુમ્રપાન)થી હૃદયરોગનું જોખમ વધે છે. તેમણે કહ્યું કે અમે સ્ટડી એ વાતને ધ્યાનમાં રાખીને કર્યો છે કે કાર્ડિયોવેસ્ક્યુલર રોગો અને ધૂમ્રપાન છોડવાથી થતા મૃત્યુના આંકડામાં તફાવત છે.

તોડપાણીના આરોપમાં PSI થયાં ઘરભેગા ! ટ્રાફિકમાં ઢીલી કામગીરીના લીધે PIને મૂક્યાં બીજી જગ્યાએ ,

0

PSI arrested for vandalism

  • અમદાવાદમાં આજે ખાડિયા પોલીસ સ્ટેશન અને સોલા પોલીસ સ્ટેશનના PIની બદલી કરાઈ છે. જેણા કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.
શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાયદો- વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગમાં બદલીના ઓર્ડર અપાઈ રહ્યા છે. આ દિશામાં આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં આજે ખાડિયા પોલીસ સ્ટેશન અને સોલા પોલીસ સ્ટેશનના PIની બદલી કરાઈ છે. જેણા કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.
ખાડિયા પોલીસ સ્ટેશનના PIની બદલી :
અમદાવાદમાં આજે ખાડિયા પોલીસ સ્ટેશનના PIની બદલી કરાઈ છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા લાલઆંખ કરતા ખાડિયાના PI પી.ડી. સોલંકીની બદલી કરાઈ છે. બદલી થવા પાછળનું કારણ પણ સામે આવ્યું છે. જેમાં ખાડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.ડી. સોલંકીની ટ્રાફિક મેનેજમેન્ટમાં ઝીરો, નબળી કામગીરીને લઈ બદલી કરાઈ છે. રથયાત્રાની કામગીરી નબળી હોવાથી શહેર પોલીસ કમિશનર દ્વારા આકરા પગલાં લીધા છે.
સોલા પોલીસ સ્ટેશનના PSI સસ્પેન્ડ :
બીજી બાજુ અમદાવાજના સોલા પોલીસ સ્ટેશનના PSIને સસ્પેન્ડ કરાયા હોવાના સમાચાર મળતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. સોલા પોલીસ સ્ટેશનના PSI અને ડીસ્ટાફ PSI જે.જે. રાણાને સસ્પેન્ડ કરાયા હોવાની માહિતી મળી રહી છે. PSI જે.જે. રાણાએ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાની ફરીયાદ મળતા શહેર પોલીસ કમિશનર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવતા તેમને સસ્પેન્ડ કરાયા છે.
રાજકોટ તોડકાંડ મામલે ફરિયાદી પોલીસ કમિશનરને કરશે રજૂઆત :
રાજકોટ પૂર્વ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તોડકાંડ મામલે ફરિયાદી જગજીવન સખીયા ન્યાયિક તપાસ માટે નવા કમિશ્નરને રજુઆત કરવા જવાના છે. આગામી 4 થી 5 દિવસમાં નવા કમિશ્નર રાજુભાર્ગવને રજુઆત કરવા જશે. તોડકાંડ મામલે તપાસમાં ઢીલને લઈ રજુઆત કરવા જશે. તોડડકાંડ મામલે DCB પૂર્વ પી.આઈ, પી.એસ.આઈ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. તમને જણાવી દઈએ કે મનોજ અગ્રવાલની જૂનાગઢ ખાતે બદલી કરાઈ છે. જોકે સમગ્ર મામલે ACBમાં પણ તપાસ ચાલુ છે.
મહત્વનું છે કે, જગજીવન સખિયાએ કમિશનર પર તોડ કર્યાનો આક્ષેપ કર્યો હતો. જે બાદ DCP, PI, PSI અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા હતા. જ્યારે મનોજ અગ્રવાલની જૂનાગઢમાં બદલી કરાઈ હતી. હાલમાં સમગ્ર મામલે ACB તપાસ કરી રહી છે.
PSI arrested for vandalism

હવે ગુજરાતમાં પણ બનશે આઇસક્રીમનાં કોન ! 125 કરોડનાં ખર્ચે બની રહ્યો છે પહેલો વહેલો પ્લાન્ટ, પાટીલ કરશે ખાતમુહૂર્ત

0

will be ice cream cones in Gujarat too

  • સુરતની સુમુલ ડેરી સૌ પ્રથમ આઈસ્ક્રીમના કોન બનાવવવાના પ્લાન્ટની સ્થાપના કરશે. જેનું આવતીકાલે CR પાટીલ ખાતમુહૂર્ત કરશે.
સુમુલ ડેરી દ્વારા રાજ્યમાં આઈસ્ક્રીમ પ્લાન્ટ નાખવાનું આયોજન કરાયું છે. પારડી ખાતે સુમુલ ડેરી ગુજરાતનો પ્રથમ કોન મેકિંગ પ્લાન્ટ સ્થાપશે. 125 કરોડના ખર્ચે સુમુલ ડેરી આઈસ્ક્રીમનો પ્લાન્ટ સ્થાપશે. આઈસ્ક્રીમ અને કોન પ્લાન્ટનું ખાતમુહૂર્ત C.R પાટીલ કરશે. આવતી કાલે ખુદ સી.આર.પાટીલના હસ્તે સવારે 9.30 કલાકે આઈસ્ક્રીમ પ્લાન્ટનું ખાતમૂહુર્ત કરાશે.

 

સુમુલ ડેરી રોજ 3 લાખ કોનનું ઉત્પાદન કરશે :

દેશભરમાં આઈસ્ક્રીમનું વેચાણ વધતા સુમુલ ડેરીએ આ યોજના બનાવી. કેન્દ્રની પ્રોડક્ટ લિંક ઇનસેન્ટિવ સ્કીમમાં મંજૂરી આપવામાં આવી. એક લાખ લીટર આઈસ્ક્રીમ સાથે રોજ 3 લાખ કોનનું સુમુલ ડેરી ઉત્પાદન કરશે. આઇસ્ક્રીમના પ્લાન્ટની ક્ષમતા 8 ડેરીના પ્લાન્ટ જેટલી છે. જણાવી દઇએ કે, પ્લાન્ટના ખાતમુહૂર્તમાં મંત્રી કનુ દેસાઈ, જગદીશ પંચાલ અને મુકેશ પટેલ હાજર રહેશે. MD આર.એસ. સોઢી પણ આ પ્લાન્ટમાં ઉપસ્થિત રહેશે.

સુમુલ ડેરી આઈસ્ક્રીમનું રોજિંદુ ઉત્પાદન 1 લાખ લીટર કરશે :

will be ice cream cones in Gujarat too

વિદેશથી ગોવા ફરવા આવેલી છોકરી દરિયાકિનારે સુતી હતી ને, નરાધમે બનાવી હવસનો શિકાર

0

The girl who came to Goa from

ગોવાના (Goa) પણજી (Panji)માં બ્રિટિશ મૂળની મહિલા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. પોલીસે દુષ્કર્મના આરોપમાં 32 વર્ષીય યુવકની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપ્યો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીનું નામ જોએલ વિન્સેન્ટ ડિસોઝા (Joel Vincent D’Souza) છે. તેણે 2 જૂને બ્રિટિશ મૂળની મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું.

તેણે જણાવ્યું કે, બ્રિટિશ મૂળની મહિલા 2જી જૂનના રોજ ઉત્તર ગોવાના અરમ્બોલ બીચ પાસે ‘સ્વીટ લેક’ પર આરામ કરી રહી હતી. ત્યારબાદ જોયલે મહિલાને હવસનો શિકાર બનાવી હતી. મહિલાએ તેના પતિ સાથે મળીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે કહ્યું કે તે બંને ગોવા ફરવા માટે ભારત આવ્યા છે. 2 જૂને જ્યારે મહિલા બીચ પાસે સુતી હતી. ત્યારબાદ આરોપી ત્યાં આવ્યો અને વિદેશી મહિલાને જોઈ દુષ્કર્મ આચર્યું. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આગળની કાર્યવાહી ચાલુ છે.

12 વર્ષની રશિયન છોકરી પર દુષ્કર્મ :

અગાઉ મે મહિનામાં ગોવા પોલીસે અરમ્બોલ સ્થિત રિસોર્ટમાં 12 વર્ષની રશિયન છોકરી પર દુષ્કર્મ કરવા બદલ કર્ણાટકના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપી તે રિસોર્ટમાં રૂમ એટેન્ડન્ટ તરીકે કામ કરતો હતો. પોલીસને મળેલી ફરિયાદ મુજબ આરોપીએ યુવતી સાથે સ્વિમિંગ પુલમાં અને પછી રૂમમાં દુષ્કર્મ આચર્યું હતું.

ફરિયાદ મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે બાળકીની માતા તેને સ્વિમિંગ પુલમાં છોડીને અરમ્બોલ નજીકના બજારમાંથી કેટલીક જરૂરી વસ્તુઓ લેવા ગઈ હતી. ઘટના બાદ આરોપી નાસી ગયો હતો. પરંતુ ફરિયાદ મળ્યાના 24 કલાકમાં જ ગદગ (કર્ણાટક)માંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

The girl who came to Goa from

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ફરી તૂટી શકે છે કોંગ્રેસ ! હાર્દિક BJPમાં જોડાયા બાદ શું નેતાઓની લાઈન લાગશે ? 

0

again before Gujarat Assembly elections

  • વિધાનસભા ચૂંટણી પહેલાં ફરી એક વાર તૂટ શકે છે. કોગ્રેસના નેતા અને જાણીતા બિલ્ડર કલ્પેશ પટેલ (ભોલો) કોંગ્રેસ છોડી શકે છે. કોંગ્રેસમાં રહેલા કલ્પેશ પટેલ (ભોલો) હવે આમ આદમી પાર્ટીમાં જોડાય તેવા અણસાર મળ્યા છે અને તેઓ કોંગ્રેસ છોડી શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) પહેલાં ભાજપ કોંગ્રેસમાં (BJP Congress) આયારામ ગયારામ ચાલુ થઇ ગયું છે. કોંગ્રેસના દિગ્ગજો કાયમની માફક આ વખતે પણ પક્ષ સાથે છેડો ફાડીને ભાજપ કે આપમાં જોડાઇ રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. ચૂંટણી પહેલા અનેક નેતાઓ એક પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસની હાલત દિવસેને દિવસે કથળી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે જેવી છે. હાર્દિક પટેલ (Hardik Patel) સહિત અનેક નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. ત્યારે ફરી કોંગ્રેસને ઝાટકો લાગે તેવા સમાચાર મળી રહ્યા છે.

વિધાનસભા ચૂંટણી પહેલાં ફરી એક વાર તૂટ શકે છે. કોગ્રેસના નેતા અને જાણીતા બિલ્ડર કલ્પેશ પટેલ (ભોલો) કોંગ્રેસ છોડી શકે છે. કોંગ્રેસમાં રહેલા કલ્પેશ પટેલ (Kalpesh Patel) (ભોલો) હવે આમ આદમી પાર્ટીમાં જોડાય તેવા અણસાર મળ્યા છે અને તેઓ કોંગ્રેસ છોડી શકે છે. તમને જણાવી દઈએ કે સોમવારે સાંજે મહેસાણા સર્કીટ હાઉસ ખાતે કલ્પેશ પટેલે (ભોલો) આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ (Chief Minister Kejriwal) સાથે મુલાકાત કરી હતી. જેણા કારણે મુલાકાતના પગલે આપમાં જોડાવાની અટકળો તેજ બની છે.

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસના કેટલાક નેતા ભાજપના સંપર્કમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા બાદ કેટલાક કોંગ્રેસી નેતા ભાજપના સંપર્કમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. કેટલાક કોંગ્રેસી નેતા ગમે ત્યારે ભગવો ધારણ કરી શકે છે. આ સાથે જ ગુજરાતમાં ફરી કોંગ્રેસ એક વાર તૂટી શકે છે.

ભાવનગર કોંગ્રેસમાં ભૂકંપ :

ભાવનગરમાં કોંગ્રેસ નેતા સંજયસિંહ ગોહિલ ભાજપમાં જોડાયા છે. સંજયસિંહ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસ નેતા રાજુ જોશી પણ ભાજપમાં જોડાશે. એવું જાણવા મળી રહ્યું છે. રાજુ જોશી ભાવનગરના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે. સંજયસિંહ ગોહિલ ભાવનગરમાં કોંગ્રેસના મોટા નેતા કહેવાય છે. ભાવનગરમાં શકિતસિંહ ગોહિલ પછી સંજયસિંહ મોટા નેતા છે. છેલ્લા કેટલાંક સમયથી ચર્ચા ચાલી રહી હતી કે સંજયસિંહ ગોહિલ અને રાજુ જોશી કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા હતા. આ સિવાય કામિનીબા રાઠોડ પણ ભાજપમાં જોડાઈ શકે છે. કામિની બા દહેગામ બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો જીતી લીધી હતી. આ વખતે પણ કોંગ્રેસની સ્થિતિ કફોડી ન બને તે માટે અત્યારથી જ ગુજરાતની કમાન મજબૂત કરવામાં આવી રહી હોય તેવું જણાઈ રહ્યું હતું. પરંતુ કોંગ્રેસમાં તો એક પછી એક ઝટકા મળી રહ્યા છે.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષો પર નજર કરીએ તો કોંગ્રેસના કેટલાય ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો, સાંસદો જેવા જનપ્રતિનિધિઓ કોંગ્રેસથી છેડો ફાડી ભાજપ સાથે જોડાઇ ચુક્યા છે. ભાજપ હાલમાં જે રીતે ડાયનેમિક રીતે કામ કરી રહી છે, પોતાના કાર્યકરો અને નેતાઓને મોબિલાઇઝ કરી રહી છે. પરંતુ કોંગ્રેસમાં કોઇ કાર્ય વિભાજન કે આયોજનનો અભાવ જોવા મળે છે. કોઇ સાર્વજનિક ચહેરો ઉભો કરવામાં કે તેને પાર્ટી ધોરણે પ્રમોટ કરવામાં પક્ષ ઉણો સાબિત થઇ રહ્યો છે.

કોંગ્રેસને હાઇ કમાન્ડનો સીધો દોરી સંચાર નથી કે કોઇ અંકુશ પણ નથી. કહેવાય છે કે, ગુજરાત કોંગ્રેસમાં બે જૂથ મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે. આ કારણે, બે જૂથની આંતરિક લડાઇમાં બીજા પક્ષો પોતાનો ફાયદો મેળવી રહ્યું છે. જો કોઇ ચહેરો ઉભરી આવે તો તેને કોઇપણ ભોગે પુરો કરવા અને તેને પક્ષમાં અવગણના કરવા વિરોધી જૂથ લાગી જાય છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

again before Gujarat Assembly elections