Home Blog Page 1414

પાકિસ્તાન : શાહબાઝ-ઈમરાન કરતાં પણ તેમની પત્નીઓ અમીર, જાણો કોની પાસે છે કેટલી સંપત્તિ

His wives are richer than Shahbaz

  • ઈમરાન ખાન (Imran) બાદ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના (Nawaz Sharif) ભાઈ શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પત્નીઓ પાસે પોતપોતાના પતિ કરતા વધુ સંપત્તિ છે. વડાપ્રધાન શાહબાઝ શરીફ પાસે જેટલી સંપત્તિ છે તેના કરતા તેની પત્ની પાસે વધુ સંપત્તિ છે.

11 એપ્રિલ 2022ના રોજ, શાહબાઝ શરીફ (shahbaz sharif) પાકિસ્તાન (Pakistan) ના 23મા વડાપ્રધાન (Prime Minister of Pakistan) બન્યા. તેઓ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ છે. વડાપ્રધાન શાહબાઝ શરીફની પાસે 10 કરોડ 42 લાખ 10 હજાર રૂપિયાની સંપત્તિ છે. તેમના પર 14 કરોડ 17 લાખ 80 હજાર રૂપિયાની સંપત્તિ છે.

 ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન (imran khan) પાસે છ મિલકતો છે, જેમાં સૌથી મુખ્ય 300 કનાલી વિસ્તારમાં બનેલ વિલા 'બનીગાલા' છે. આ સિવાય તેમની પાસે વારસામાં મળેલી મિલકત પણ છે, જેમાં લાહોરના જમાન પાર્કમાં એક ઘર, બિન-ખેતીની જમીન અને લગભગ 600 એકર ખેતીની જમીનનો સમાવેશ થાય છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પાસે બે લાખ રૂપિયાની કિંમતના ચાર બકરા છે. તેની પ્રથમ પત્ની જેમિમા છે, જેની સાથે તેમણે છૂટાછેડા લીધા છે. (ફોટો ક્રેડિટ્સ - રોઇટર્સ)

ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન (imran khan) પાસે છ મિલકતો છે, જેમાં સૌથી મુખ્ય 300 કનાલી વિસ્તારમાં બનેલ વિલા ‘બનીગાલા’ છે. આ સિવાય તેમની પાસે વારસામાં મળેલી મિલકત પણ છે, જેમાં લાહોરના જમાન પાર્કમાં એક ઘર, બિન-ખેતીની જમીન અને લગભગ 600 એકર ખેતીની જમીનનો સમાવેશ થાય છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પાસે બે લાખ રૂપિયાની કિંમતના ચાર બકરા છે. તેની પ્રથમ પત્ની જેમિમા છે, જેની સાથે તેમણે છૂટાછેડા લીધા છે.

 30 જૂન, 2020 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) સમક્ષ ફાઇલ કરવામાં આવેલી મિલકતની વિગતો અનુસાર, નુસરત શાહબાઝ તેમના પતિ વડાપ્રધાન શાહબાઝ શરીફ કરતાં વધુ અમીર છે અને તેમની પાસે 23 કરોડ 2 લાખ 90 હજાર રૂપિયાની સંપત્તિ છે. લાહોર અને હજારા ડિવિઝનમાં તેમની પાસે નવ કૃષિ મિલકતો અને એક-એક મકાન છે.

30 જૂન, 2020 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) સમક્ષ ફાઇલ કરવામાં આવેલી મિલકતની વિગતો અનુસાર, નુસરત શાહબાઝ તેમના પતિ વડાપ્રધાન શાહબાઝ શરીફ કરતાં વધુ અમીર છે અને તેમની પાસે 23 કરોડ 2 લાખ 90 હજાર રૂપિયાની સંપત્તિ છે. લાહોર અને હજારા ડિવિઝનમાં તેમની પાસે નવ કૃષિ મિલકતો અને એક-એક મકાન છે.

 ઈમરાન ખાન પાસે ન તો કોઈ વાહન છે કે ન તો પાકિસ્તાનની બહાર કોઈ મિલકત છે. પાકિસ્તાની વિદેશી ચલણ ખાતામાં USD 329,196 અને 518 પાઉન્ડ સ્ટર્લિંગ ઉપરાંત બેંક ખાતાઓમાં 60 મિલિયનથી વધુ રૂપિયા છે. પરંતુ ખાનની ત્રીજી પત્ની બુશરા બીબી પાસે 14 કરોડ 11 લાખ 10 હજાર રૂપિયાની સંપત્તિ છે. તેની પાસે બનીગાલામાં એક ઘર અને એક વાહન સહિત ચાર પ્રોપર્ટી છે.

ઈમરાન ખાન પાસે ન તો કોઈ વાહન છે કે ન તો પાકિસ્તાનની બહાર કોઈ મિલકત છે. પાકિસ્તાની વિદેશી ચલણ ખાતામાં USD 329,196 અને 518 પાઉન્ડ સ્ટર્લિંગ ઉપરાંત બેંક ખાતાઓમાં 60 મિલિયનથી વધુ રૂપિયા છે. પરંતુ ખાનની ત્રીજી પત્ની બુશરા બીબી પાસે 14 કરોડ 11 લાખ 10 હજાર રૂપિયાની સંપત્તિ છે. તેની પાસે બનીગાલામાં એક ઘર અને એક વાહન સહિત ચાર પ્રોપર્ટી છે.

 પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની બીજી પત્નીનું નામ તેહમિના દુરાની છે. તેહમિના પાસે પણ ઘણી સંપત્તિ છે. તેઓ ખૂબ લક્ઝરી લાઈફ સાથે જીવે છે. જો કે રિપોર્ટ અનુસાર છેલ્લા ઘણા સમયથી તેમની પાસે પાકિસ્તાનમાં માત્ર 57 લાખની સંપત્તિ છે. (Twitter)

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની બીજી પત્નીનું નામ તેહમિના દુરાની છે. તેહમિના પાસે પણ ઘણી સંપત્તિ છે. તેઓ ખૂબ લક્ઝરી લાઈફ સાથે જીવે છે. જો કે રિપોર્ટ અનુસાર છેલ્લા ઘણા સમયથી તેમની પાસે પાકિસ્તાનમાં માત્ર 57 લાખની સંપત્તિ છે.

ખોડલધામના વડા અને પાટીદાર આગેવાન નરેશ પટેલ શેઠ મટીને નોકર બનવા નીકળ્યા હતા, સારૂ થયું સમયસર નિર્ણય પડતો મૂક્યો

કદાચ નરેશ પટેલને એ ખબર હશે જ કે દિલ્હી કરતાં ખોડલધામની ગાદી વધુ શક્તિશાળી છે
 
અપવાદરૂપ ઘટનાઓ સિવાય ક્યારેય કોઇ ધાર્મિકગાદીનો વડો સક્રિય રાજકારણમાં જોડાયો નથી, પરંતુ રાજકારણીઓને હંમેશા લાઇનમાં ઊભા રાખ્યા હશે
 
રાજકીયપક્ષોને નરેશ પટેલમાં જરા પણ રસ નહોતો, પરંતુ તેમની સાથેનો પાટીદાર સમાજ અને ખોડલધામના શ્રધ્ધાળુઓના મતો જોઇતા હતા
 
નરેશ પટેલ રાજકીય પ્રભાવમાંથી બહાર આવશે તો અનેકને ‘કીંગ’ બનાવી શકશે, ઉપરાંત પોતાનો પ્રભાવ વધુ ઊભો કરી શકશે
ગામ આખાને ચકરડે ચઢાવીને નરેશ પટેલે આખરે અપેક્ષા મૂજબ રાજકારણમાં જોડાવાના મામલે હાથ અધ્ધર કરી દીધા છે. હકીકતમાં પહેલાથી જ નક્કી હતું કે નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય પરંતુ સામાજિક સરવેના નામે રાજકીય પક્ષોને ઉલ્લુ બનાવી રહ્યા હતા. જે માણસ રાજકારણમાં જોડાવાનો હોય એ પોતાના સમાજને એટલા માટે પુછવા જવાનો નથી. કારણ કે રાજકારણ કોઇ એક સમાજ ઉપર નિર્ભર નથી. પરંતુ દિવસો સુધી રાજકીય પક્ષોને રમાડનાર નરેશ પટેલ એક ખંધા રાજકારણી કરતા પણ વધુ ગણતરી બાજ છે એવું પુરવાર કરી બતાવ્યું છે. વળી તેમના આખા ડ્રામા દરમિયાન ખોડલધામ હંમેશા કેન્દ્રમાં રહ્યું હતું અને મોટાભાગની બેઠકો ખોડલધામમાં જ કરવામાં આવી હતી.
નરેશ પટેલે એવો રાજકીય મધપુડો તૈયાર કર્યો હતો કે ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના બધા જ પક્ષો એવું માની રહ્યા હતા કે નરેશ પટેલ તેમની સાથે આવી જશે તો રાજકીય જંગ જીતી જવાશે. અલબત આ વાસ્તવિકતા નથી તેમ છતા રાજકીય પક્ષના નેતાઓ પણ એક ચોક્કસ ભ્રમણાની માયાજાળમાં ફસાઇ ગયા હતા. રાજકીય નેતાઓ ખોડલધામમાં ખોડિયાર માતાને બદલે  નરેશ પટેલના દર્શન કરવા લાઇન લગાવતા જોવા મળ્યા હતા અને વળી નરેશ પટેલે પણ મહિનાઓ સુધી બધાને જ ઉલ્લુ બનાવ્યા હતા. નરેશ પટેલ જે રીતે સમય પસાર કરી રહ્યા હતા એ જોતા ચોક્કસ એમ લાગતું હતું કે તેઓ ક્યારેય પણ રાજકારણમાં નહી જોડાય.
અને હકીકત પણ એ છે કે નરેશ પટેલ સક્રિય રાજકીય જીવનમાં આવશે તો આજે તેમનો જેટલો માન, મોભો છે કદાચ એટલો પણ નહીં રહે કારણ કે આજે તેઓ પાટીદાર સમાજ ઉપરાંત એક ધાર્મિક સંસ્થાના વડા હોવાના નાતે લોકો અને રાજકીયપક્ષો તેમને આદર આપી રહ્યા છે. સ્વભાવિક છે કે રાજકીયપક્ષોને નરેશ પટેલ કરતા તેમની સાથે જોડાયેલા પાટીદાર મતદારોની વધુ ગરજ હોવાથી દરેક નરેશ પટેલને પોતાની છાવણીમાં ખેંચવાના પ્રયાસો કરી રહ્યા હતા.
ખેર, નરેશ પટેલનો રાજકારણમાં નહી જોડાવાનો નિર્ણય ચોક્કસ યથાયોગ્ય ગણી શકાય આ નિર્ણયથી ખોડલધામના વડા તરીકેની તેમની પ્રતિષ્‍ઠા અને પદ બન્ને વધુ ઉજળા બનશે. પરંતુ તેમનામાં છુપાયેલો ‘રાજકીય જીવ’ શાંત નહીં થાય તો આજે નહીં તો કાલે નરેશ પટેલ પક્ષપાતનો ચોક્કસ શિકાર બની જશે કારણ કે રાજકીયપક્ષોને ચૂંટણીના સમયે જ ધાર્મિક અને સામાજિક નેતાઓની તરફદારીની જરૂર હોય છે. ચૂંટણી પતી ગયા પછી કોઇપણ સામાજિક, ધાર્મિક કે અન્ય સંસ્થાઓના વડા શાસકોની આગળ, પાછળ ચક્કર કાપતા હોવાના દ્રષ્યો નવાઇ પામવા જેવા નથી.
ખરેખર તો ખોડલધામની ગાદી રાજકીય પક્ષો કરતા વધુ મહત્વની અને કિંમતી છે અને એટલે જ રાજકીય આગેવાનો નરેશ પટેલને મળવા માટે ચક્કર કાપતા હતા. નરેશ પટેલે ‘કિંગ’ બનવા કરતા ‘કિંગ મેકર’ બનવાની જરૂર છે. તેઓ રાજકીયપક્ષોના પ્રભાવથી પોતાની જાતને દૂર રાખી શકશે તો ચોક્કસ તેમની ભલામણથી ઘણાને કિંગ બનાવી શકશે. અપવાદરૂપ સિવાય અત્યાર સુધીમાં કોઇ ધાર્મિક સંસ્થાના વડા સક્રિય રાજકારણમાં જોડાયા હોવાનુ યાદ નથી પરંતુ ધાર્મિક સંસ્થાના વડાના કહેવાથી ઘણા લોકો રાજકીય કારકિર્દીમાં મહત્વના પદો મેળવવામાં સફળ રહ્યા છે.
હકીકતમાં નરેશ પટેલને પોતાની વેલ્યુ સમજવાની જરૂર છે. આજે સર્વસમાજના લોકો તેમનો આદરભાવ કરે છે તેમને પગે લાગે છે કારણ કે તેઓ ખોડલધામના ગાદીપતી છે આ ગાદી દિલ્હીની ગાદી કરતા પણ વધુ કિંમતી અને વધુ શક્તિશાળી છે. બસ આટલી વાત નરેશ પટેલ અને તેમના સમર્થકોને જે દિવસે સમજાઇ જશે એ દિવસે રાજકીય મહારથીઓ પણ નરેશ પટેલના આશીર્વાદ (શુભેચ્છા) મેળવવા લાઇનમાં ઉભા હશે.

  WhatsApp યુઝર્સને જે જોઈતું હતું એ જ મળી ગયું , પ્રોફાઇલ ફોટોને લઈને આવી ગયું જોરદાર ફીચર

WhatsApp users

  • WhatsApp પર નવુ ફિચર જોડાઈ ગયું છે. એપ પર પ્રાઈવસી કંટ્રોલનું નવુ ફિચર આવી ગયું છે. જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ઈન્સ્ટન્ટ મેસેજીંગ પ્લેટફોર્મ WhatsApp સતત નવા ફિચર્સ જોડી રહ્યું છે. એપે હાલમાં જ એન્ડ્રોયડ સાથે iOS પર ચેટ બેકઅપનું ફિચર જોડ્યું છે. તે ઉપરાંત ગ્રુપ મેમ્બર્સની લિમિટને વધારવામાં આવી છે. આ પ્લેટફોર્મ પર હવે તમે વધારે મોટી ફાઈલ્સને ટ્રાન્સફર કરી શકો છો. એવામાં તમામ નવા ફિચર્સ WhatsApp પર આવી ચુક્યા છે.

એપ પર પ્રાઈવસી સાથે જોડાયેલુ એક એવુ ફિચર આવ્યું છે જેની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. હવે તમે પોતાની મરજીથી નક્કી કરી શકો કે કોણ તમારો પ્રાઈવેટ ફોટો, અબાઉટ અને લાસ્ટ સીન જોઈ શકે છે.

તેના પર પણ તમારા સ્ટેટસની જેમ નવો ઓપ્શન મળી ગયો છે. જેની મદદથી તમે નક્કી કરી શકશો કે તમારા કોન્ટેક્ટ્સમાંથી કોણ પ્રોફાઈલ ફોટો નહીં જોઈ શકે. આવો જાણીએ વોટ્સએપના લેટેસ્ટ ફિચરની ડિટેલ્સ.

કેવું છે નવું ફિચર

now you can select who from your contact list can see profile photo whatsapp new feature

વોટ્સએપ પર અત્યાર સુધી તમને પ્રોફાઈલ ફોટો, લાસ્ટ સીન અને અબાઉટ માટે ત્રણ ઓપ્શન મળતા હતા. પ્રાઈવસી સેટિંગમાં તમે આ ફિચર્સ માટે Everyone, My Contacts અને  Nobody ઓપ્શનનો જ યુઝ કરી શકતા હતા.

એપે આ લિસ્ટમાં ચોથો ઓપ્શન આપ્યો છે. જે છે My Contacts Except. એટલે કે યુઝર્સના કંટ્રોલમાં હશે કે કોણ તેમનો પ્રોફાઈલ ફોટો, લાસ્ટ સીન અને અબાઉટ જોઈ શકે છે. આ ફિચર એન્ડ્રોયડ iOS બન્ને યુઝર્સ માટે જાહેર કરી દેવામાં આવ્યા છે.

આ રીતે કરી શકો છો સેટિંગ :

જો તમે એક એન્ડ્રોયડ યુઝર છો તો આ ફિચરને યુઝ કરવા માટે તમારે અમુક સ્ટેપ ફોલો કરવાના રહેશે. સૌથી પહેલા તમારે WhatsApp ઓપન કરવાનું રહેશે. ત્યાં તમને More options > Settings > Account > Privacy પર જવાનું રહેશે. હવે તમારે પ્રોફાઈલ ફોટોથી લઈને લાસ્ટ સીન સુધી દરેક ફિચર માટે ચાર ઓપ્શન મળશે.

અહીં જો તમે iOS યુઝર છો તો તમારે Settings > Account > Privacy પર જવાનું રહેશે. ત્યાર બાદ તમને પ્રોફાઈલ ફોટો, લાસ્ટ સીન, અબાઉટ, સ્ટેટસ જેવા ઓપ્શન મળશે. અહીંથી તમે નક્કી કરી શકશો કે કોણ તમારી પ્રોફાઈલ ફોટો જોઈ શકે છે.

 

17 જૂન 2022, રાશિફળ : વિષ્ણુ ભગવાનની કૃપાથી આ રાશિના જાતકોનો દિવસ રહેશે લાભદાયી

June 17, 2022, Horoscope Gujarat Guardian

મેષ :
આત્મવિશ્વાસમાં વધારો થતાં યોગ્ય નિર્ણયો લઈ શકાય. શુક્રને કારણે આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં પરસ્પર મનદુઃખ ન થાય એનું ધ્યાન રાખવું. ધંધામાં પ્રગતિ થતી જણાય. મિત્રોનો સાથ મળતાં આનંદ વધે.

વૃષભ :
ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિણામે માનસિક આનંદનો અનુભવ થાય. ધાર્મિક કાર્યનું આયોજન શક્ય બને. નવા રોકાણો કરી શકાય. માતા-પિતા સાથે મતભેદ સંભવે. સ્વાસ્થ્ય સારું રહેતું અનુભવાય.

મિથુન :
દિવસ દરમ્યાન ગુસ્સો વધે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ-બહેનની તબિયત સાચવવી. વાણી ઉપર કાબુ રાખવો જરૂરી છે. અગત્યના કાર્યો ટાળવા. ફેફસાનાં રોગોથી કાળજી રાખવી. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્ક :
નિરાશાવાદી વિચારધારા તથા ડરપોક સ્વભાવ છોડી મન સ્થિર કરવું. આનંદની તકલીફોની કાળજી રાખવી. ખનીજ, કોલસો, રસાયણ જેવા ધંધાર્થી માટે શુભ ફળ મળે. સાંસારિક જીવનમાં મધુરતાનો અનુભવ થાય.

સિંહ :
દિવસ દરમ્યાન નકારાત્મક વિચારો સતાવે. ધારેલી આવક મેળવવામાં અવરોધ ઊભા થાય. પરિવારમાં લાગણીશીલતા વધે. કાપડના તથા સ્ત્રીઓને લગતી વસ્તુઓના ધંધામાં ફાયદો થતો જણાય. તબિયતનું ધ્યાન રાખવું હિતાવહ છે.

કન્યાઃ
પુત્ર-પૌત્રાદી તરફથી સ્નેહ વધતો જણાય. લક્ષ્મીની યોગ્ય હેરફેર શક્ય બને. મિત્રો તરફથી લાભ મળવાની તકો ઉજળી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. વધારે કામ કરવાને કારણે થાકનો અનુભવ થાય.

તુલા :
આનંદ ઉત્સાહમાં વૃદ્ધિ થાય. કરેલા રોકાણો નફાકારક સાબિત થાય. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ ના યોગ બને છે. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાન સાથે મતભેદ ટાળવા. માન-સન્માનમાં વૃદ્ધિ થાય.

વૃશ્ચિક :
મોજશોખમાં ખર્ચ વધે. બચત ઓછી થતી જણાય. નાના ભાઈ-બહેનોની તબિયતની કાળજી જરૂરી. ગળાના રોગોથી સાચવવું. કુટુંબમાં શાંતિ અને સંપનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આરોગ્ય સારું રહેશે.

ધન :
આવક વધતાં માનસિક ચિંતા ઓછી થતી જણાય. છતાં અકારણ અજંપો રહે. પરિવારના તમામ સભ્યોનો સાથ સહકાર મળતો જણાય. પિતા તરફથી આર્થિક લાભ મળવાના યોગ છે. સંતાન સંબંધી ચિંતા સતાવે. ભાગ્યનો સાથ મળતો અનુભવાય.

મકર :
ગુરૂ-ચન્દ્રને કારણે આનંદમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્ય સફળતા મળતી જણાય. પાન, સોપારી, દૂધ, ખેડૂત, માછીમારી જેવા ધંધામાં વધુ પ્રગતિ થતી જણાય.

કુંભ :
મન અશાંત રહે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આવક અંગે અસંતોષ વધતો જણાય. નાણાં ઉછીના લેવા કે આપવા નહીં. અન્યથા નાણાં ફસાઈ જવાના યોગ બને છે. જમણી આંખની તથા મગજના રોગોથી સાવચેત રહેવું.

મીન :
મિત્રો થકી આવકનો લાભ મળતો જણાય છે. જુની ઉઘરાણી છુટી થાય. પરિવારમાં તથા કાર્યક્ષેત્રે સ્ત્રીવર્ગ તરફથી સહકાર મળતો જણાય. જમીન, મકાન, દલાલીના ધંધામાં વિશેષ લાભ. સંતાનની પ્રગતિ અનુભવાય. આરોગ્યનું ધ્યાન રાખવું.

70 વર્ષની ઉંમરે જેતપુરનું આ દંપતી ગોલા બનાવી રોજના 12000 રૂપિયા કમાય છે

0

70, this couple from Jetpur

ઉનાળાના સમયમાં લોકો કેન્ડી કે પછી બરફગોલા (Snowballs) ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે આજે કેવા વૃદ્ધ દાદા-દાદીની વાત કરવી છે કેજે બરફ ગોલા બનાવીને ફેમસ બન્યા છે. બરફ ગોલા બનાવીને તેઓ જે 12 હજાર રૂપિયાની કમાણી કરે છે. આ દંપતી જેતપુરના (Jetpur) મેવાસા (Mevasa) ગામમાં રહે છે. વૃદ્ધાવસ્થામાં આ દંપતી આરામ કરવાના બદલે કાંડાની કમાણી એ જીવન જીવવાનો આત્મવિશ્વાસ (Confidence) રાખી બરાબર ગોલા વેચીને (Gola sold) પોતાનું ગુજરાન ચલાવે છે. દંપતીની ઉંમર 70 વર્ષની છે અને તેઓ છેલ્લા 40 વર્ષથી બરફ ગોલાનું વેચાણ કરે છે અને મહત્વની વાત એ છે કે, આ દંપતી પ્રતિદિન 12 હજાર કરતાં વધારે રૂપિયાની કમાણી કરે છે.

રિપોર્ટ અનુસાર જેતપુરના મેવાસા ગામમાં 70 વર્ષના મુક્તાબેન અને પ્રેમજીભાઈ જેઠવા નામના વૃદ્ધ પરિવારની સાથે રહેતા હતા. 70 વર્ષની ઉંમરે પણ આ દંપતી પોતાના ગામમાં બરફના ગોલા બનાવી તેનું વેચાણ કરે છે. મહત્વની વાત છે કે આ દંપતીના સંતાનો સુરતમાં ગોલા વેચવાનું કામ કરે છે. વૃદ્ધ દંપતીના ગોલા એટલા ફેમસ છે કે દૂર-દૂરથી લોકો આ દંપતીના ગોલા ખાવા માટે સ્પેશિયલ આવે છે અને લોકો દાદા-દાદીના હાથના ગોલા ખાય અને તેમના ભરપૂર વખાણ કરે છે. વૃદ્ધ દંપતી કેટબરી, ઓરેન્જ, રાજભોગ, કાલા ખટ્ટા, પાઈનેપલ ફ્લેવરના ગોલા બનાવે છે. આ ગોલા લોકોમાં ખૂબ જ ફેમસ છે. દંપતી પોતાની દુકાન બપોરના 3 વાગ્યાથી રાત્રે બે વાગ્યા સુધી ખુલ્લી રાખે છે અને તેઓ વૃદ્ધાવસ્થામાં પણ આ પ્રકારે કમાણી કરીને આત્મનિર્ભર જીવન જીવી રહ્યા છે.

વૃદ્ધાવસ્થામાં પણ મુક્તાબેન અને પ્રેમજીભાઈએ સાબિત કરીને બતાવ્યું કે, જો બાવળામાં બળ હોય તો કોઈના પર નિર્ભર રહેવાની જરૂર નથી. મહત્વની વાત છે કે, વૃદ્ધ દંપતીએ એવું પણ કહ્યું કે તેમને સંતાન ખૂબ જ પ્રેમ કરે છે અને સાથે રાખવા ઇચ્છે છે પરંતુ વૃદ્ધ દંપતી જ એવું માને છે કે જ્યાં સુધી હાથ પગ ચાલે ત્યાં સુધી બેસીને ખાવાની મજા નથી. હાલ તો આ વૃદ્ધ દંપતી વૃદ્ધાવસ્થામાં પણ આ પ્રકારે મહેનત કરીને પ્રતિદિન 12 હજાર રૂપિયા ગોલાનું વેચાણ કરે છે.

70 વર્ષના વૃદ્ધે મુક્તાબેન દ્વારા કહેવામાં આવ્યું કે, તેઓ 40 વર્ષથી આ ધંધો કરે છે અને બજારમાં તેમના પતિ તમામ વસ્તુઓ લેવા જાય છે અને રોજ 40થી 50 જેટલા લોકો તેમની દુકાન પર ગોલા ખાવા માટે આવે છે. મુક્તાબેને લોકોને અપીલ કરી છે કે, વૃદ્ધાવસ્થામાં પણ જેટલું કામ થાય તે કામ કરવાનું અને પછી ભક્તિ કરવાની.

એક ગ્રાહકે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 12થી 13 વર્ષથી આ વૃદ્ધ દંપતીના ગોલા ખાવા માટે આવે છે. વૃદ્ધ દંપતી ખૂબ જ સારા ગોલા બનાવે છે. જ્યારે લોકો જુનાગઢ જતા હોય છે ત્યારે આ દંપતીના હાથના ગોલા પાર્સલ કરાવે છે અને તેમને આ ઉંમરે આરામ કરવાની જરૂર છે પરંતુ તેમનો જુસ્સો આજે પણ યુવાનોને શરમાવે છે.

દીવાલ પર ચઢીને બદમાશો ઘરમાં ઘૂસ્યા, બે બહેનો પર તલવારથી કર્યો હુમલો, એકનું મોત

Miscreants break into house

  • Murder in Fatehabad: આ હુમલા બાદ આરોપીએ કાર પર આવી રહેલી છોકરીઓની માતાને પણ છરી બતાવી

ફતેહાબાદની (Fatehabad) ભાટિયા કોલોનીમાં એક યુવકે ઘરમાં ઘૂસીને બે બહેનો પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યાનો (attacked with swords) સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. હુમલામાં નાની બહેનનું મોત (dies) થયું છે જ્યારે મોટી બહેનને ગંભીર હાલતમાં હિસાર રિફર (Hisar Referee) કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલા બાદ આરોપીએ કાર પર આવી રહેલી છોકરીઓની માતાને પણ છરી બતાવી હતી અને આ દરમિયાન તેની બાઇક ડિવાઈડર (Bike divider) સાથે અથડાઈ હતી, જેના કારણે આરોપી ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસે તેને પકડીને હોસ્પિટલમાં (Hospital) દાખલ કર્યો, તેના બે સાથીઓ ફરાર હોવાનું કહેવાય છે.

મળતી માહિતી મુજબ ચંદીગઢમાં (Chandigarh) અભ્યાસ કરતી બે બહેનો પ્રિયા અને યોગિતા તેમના ઘરે આવી હતી અને આજે ઘરે જ હાજર હતી. તેના પિતા અને ભાઈ દિલ્હીમાં કામ કરે છે, તેઓ ઘરે ન હતા અને માતા પણ ઘરે ન હતા. બપોરે 3 વાગ્યાની આસપાસ દોલતપુરનો સંદીપ નામનો શખ્સ ઘરમાં ઘુસી ગયો હતો અને તેમના પર તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો.

 આ દરમ્યાન છોકરીઓને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં નાની બહેન યોગિતાનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્યને રિફર કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ગયા મહિને પણ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. યુવતીની માતાનો આરોપ છે કે પોલીસે આ મામલામાં કોઈ કડક કાર્યવાહી કરી ન હતી, ત્યારબાદ જેલમાંથી બહાર આવતા જ યુવકની હિંમત વધી અને તેણે ફરી હુમલો કર્યો.

આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ સાથે જ એવું કહેવામાં આવ્યું છે કે યુવતીઓની માતા કાર પર ઘરે આવી રહી હતી, તે દરમ્યાન ઘટના પછી આરોપીએ તેના બે સાથીઓ સાથે હનુમાન મંદિર પાસે તેને છરી બતાવી, જેના કારણે ડિવાઈડર સાથે બાઇક અથડાયા બાદ હુમલાખોર ઇજાગ્રસ્ત થયો હતો અને પકડાયો હતો.

આ દરમ્યાન છોકરીઓને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં નાની બહેન યોગિતાનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્યને રિફર કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ગયા મહિને પણ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. યુવતીની માતાનો આરોપ છે કે પોલીસે આ મામલામાં કોઈ કડક કાર્યવાહી કરી ન હતી, ત્યારબાદ જેલમાંથી બહાર આવતા જ યુવકની હિંમત વધી અને તેણે ફરી હુમલો કર્યો.

 આ મામલામાં એક સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં યુવકો ઘરમાં પ્રવેશતા નજરે પડી રહ્યાં છે યુવક ઘરની દિવાલ ચડીને ઘરમાં પ્રવેશ્યો હતો. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે બંને યુવકોની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ મામલામાં એક સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં યુવકો ઘરમાં પ્રવેશતા નજરે પડી રહ્યાં છે યુવક ઘરની દિવાલ ચડીને ઘરમાં પ્રવેશ્યો હતો. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે બંને યુવકોની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Tulsi Tea Benefits : તુલસીની ચા પીશો તો બીમારીઓ થઇ જશે છૂમંતર, જાણી લો ફાયદા

Tulsi Tea Benefits

  • જે રીતે તુલસીને ઘરમાં રાખવાના અનેક ફાયદા છે, એ જ રીતે તુલસીની ચા પીવાના પણ ઘણા ફાયદા છે. ખરેખર, તુલસીની અંદર એન્ટીવાયરસ, એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ઈન્ફલેમેટરી, વિટામિન એ, વિટામિન સી, ફાસ્ફોરસ, કેલ્શિયમ વગેરે મહત્વપૂર્ણ તત્વ હોય છે.

તુલસી (Tulsi) આરોગ્યની અનેક સમસ્યાઓને દૂર રાખી શકે છે. તેથી તેની ચા પીવાની (Drinking tea) પણ સલાહ આપવામાં આવે છે. પાચન ક્રિયાને તંદુરસ્ત બનાવવામાં પણ તુલસીની ચા ખૂબ ફાયદાકારક છે. આજના સમયમાં લોકો ખોટા ખાન-પાનના (Khan-Pan) કારણે પાચન ક્રિયાની અનેક સમસ્યાઓથી ગ્રસ્ત થાય છે. એવામાં તુલસીની ચાના સેવનથી શૌચ પ્રક્રિયા તો સરળ થાય છે, પરંતુ ગેસની સમસ્યા, જાડાની સમસ્યા, પેટમાં દુ:ખાવાની સમસ્યા, કબજીયાતની સમસ્યામાંથી પણ છૂટકારો મળી શકે છે.

સારી ઊંઘ માટે પીવો તુલસીની ચા :

સારી ઊંઘ માટે તુલસી તમારા માટે ખૂબ કામની છે. મહત્વનું છે કે આજના સમયમાં લોકો તણાવ અને ખોટી જીવનશૈલીના કારણે ઊંઘની સમસ્યાનો સામનો કરવો પડે છે. એવામાં તમે સારી ઊંઘ માટે તુલસીની ચા પી શકો છો. એટલેકે કુલ મળીને જો તમે અન્ય ચાની અપેક્ષાએ તુલસીની ચા પીવો છો તો તમને આવશ્ય ફાયદો મળશે.

મિકાને જોતા જ એક છોકરી થઈ ગઈ બેકાબૂ, બધાની સામે કર્યું એવું કામ કે લોકો શરમાઈ ગયા

Seeing Mika a girl became

  • મીકાનો સ્વયંવર ‘મીકા દી વોહતી’ ટૂંક સમયમાં શરૂ થવાનો છે. આ દરમિયાન શોનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મીકાને જોઈને એક છોકરી બેકાબૂ થઈ જાય છે. આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

ટૂંક સમયમાં ટીવી પર રિયાલિટી શો ‘મીકા દી વોહતી (Mika di Wohti)’ આવવાનો છે. આ શોમાં મીકાનો સ્વયંવર થશે અને આ સ્વયંવરમાં દૂર-દૂરથી યુવતીઓ મીકા સિંહની (Mika Singh) દુલ્હન બનવા આવી રહી છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક છોકરી મીકા સિંહને જોઈને એટલી ઉત્તેજિત થઈ જાય છે કે તેને ખુદ તેને કંટ્રોલ કરવા માટે કહેવામાં આવે છે.

મિકાને જોઈને બેકાબૂ છોકરી :

‘મીકા દી વોહતી’ 19 જૂનથી સ્ટાર ભારત પર શરૂ થઈ રહી છે. આ શોમાં ભાગ લેવા માટે દૂર-દૂરથી છોકરીઓ પહોંચી રહી છે, પરંતુ આ દરમિયાન એક છોકરીનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે હાથમાં પ્લેટ લઈને મિકા સિંહ પાસે આવી રહી છે. છોકરી મીકાને ફ્લાઈંગ કિસ આપે છે અને મીકા તેને કંટ્રોલ કરવા કહે છે. બાદમાં તે છોકરી તેની પાસે આવે છે અને તેને ચુંબન કરે છે અને તેના ઘૂંટણ પર બેસીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. મિકા છોકરીને કંટ્રોલ કરવા કહે છે, જેના પર તે કહે છે કે આવું ન થાય.

કપિલ પણ શોમાં આવ્યો હતો :

આ પહેલા પણ મીકાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં બતાવવામાં આવ્યું હતું કે કપિલ શર્મા મીકા સિંહના શોમાં પહોંચી ગયો છે. કપિલ આ વીડિયોમાં કહેતો જોવા મળે છે કે આ વ્યક્તિ જેની સાથે લગ્ન કરશે, તે છોકરી ખરેખર નસીબદાર હશે. આ વ્યક્તિ એવા લોકોનું પણ ધ્યાન રાખે છે જેઓ તેને ઓળખતા પણ નથી જેઓ તેના વિશે સાવ અજાણ છે. વિચારો કે જો આ વ્યક્તિ એ લોકોને આટલો પ્રેમ કરે છે, તો તે તેના જીવનસાથીને કેટલો પ્રેમ કરશે. હું તે અનુભવી શકું છું. તમારા માટે દિલાની પ્રાર્થના. મારું જીવન આ વ્યક્તિ છે.

શો 19મી જૂનથી શરૂ થશે :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે મીકા સિંહનો સ્વયંવર એટલે કે ‘મીકા દી વોહતી‘ આજથી ચાર દિવસ પછી એટલે કે 19 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. આ શો સ્ટાર ભારત પર રાત્રે 8 વાગ્યે બતાવવામાં આવશે. આ શોમાં દેશના ખૂણે ખૂણેથી 12 છોકરીઓ ભાગ લેશે, જેઓ મિકા સિંહનું દિલ જીતવાનો પ્રયાસ કરશે. હવે મિકાના મતદાર કોણ બનશે તે તો સમય જ કહેશે.

જો આટલી વાર લાગે,’ રમત રમતમાં મિત્રએ છરી મારી દેતા મિત્રનું મોત

If you think so many times

  • Rajkot murder case : મૃતકના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો કે તેના દીકરાની વિધવા એટલે મૃતકની ભાભીએ જ તેને પતાવી દીધી છે. બંને વચ્ચે લફરું હોવાથી વિધવા ભાભી દિયરને મળવા બોલાવતી હતી.

રાજકોટ (Rajkot) શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન (Ajidam Police station) વિસ્તારમાં મજાક-મજાકમાં મામલો મોત સુધી પહોંચી ગયો હોવાની ઘટના સામે આવી છે. એક મિત્રે અન્ય મિત્રોને ‘આટલી વાર લાગે’ તેમ કહી સાથળમાં છરીનો ઘા ઝીંકી દેતા શરીરમાં રહેલી ધોરી નસ કપાઈ જતાં યુવકનું મોત (Rajkot murder case) નિપજ્યું હતું. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ (Rajkot crime branch) દ્વારા સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

 દેવરાજ પરમારના મોતની જાણ થતા અંજારથી તેના માતા મંજુબેન સહિતના પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા. રાજકોટ દોડી આવેલા મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે દેવરાજ અને તેના મૃતકભાઈ અજયની પત્ની જ્યોત્સના પરમાર સાથે લફરું હતું. જ્યોત્સના પરમાર અવારનવાર દેવરાજને ફોન કરીને રાજકોટ બોલાવતી હતી. સોમવારના રોજ પણ દેવરાજ કચ્છના અંજારથી રાજકોટ જ્યોત્સનાના ફોન બાદ આવ્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. પરિવારજનોનો આક્ષેપ હતો કે જ્યોત્સના પરમારે જ દેવરાજને છરીનો ઘા ઝીંકી પતાવી દીધો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના અંજારમાં રેલવે સ્ટેશન (Anjar Railway station) પાછળ નવાનગરમાં રહેતા દેવરાજભાઈ પરમાર (Devrajbhai Parmar) નામનો યુવાન રાજકોટના ખોખડદળ ખાતે રહેતી તેની વિધવા ભાભી જ્યોત્સના પરમાર (Jyotsna Parmar)ના ઘરે આવ્યો હતો. મંગળવારે બપોરના બે વાગ્યા આસપાસ દેવરાજ પરમારને તેમના ભાભીએ ઘવાયેલી હાલતમાં સિવિલ હોસ્પિટલ (Rajkot civil hospital) ખાતે દાખલ કર્યો હતો. દેવરાજના સાથળની ધોરી નસ કપાઈ જતા લોહી વહી જવાથી તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

દેવરાજ પરમારના મોતની જાણ થતા અંજારથી તેના માતા મંજુબેન સહિતના પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા. રાજકોટ દોડી આવેલા મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે દેવરાજ અને તેના મૃતકભાઈ અજયની પત્ની જ્યોત્સના પરમાર સાથે લફરું હતું. જ્યોત્સના પરમાર અવારનવાર દેવરાજને ફોન કરીને રાજકોટ બોલાવતી હતી. સોમવારના રોજ પણ દેવરાજ કચ્છના અંજારથી રાજકોટ જ્યોત્સનાના ફોન બાદ આવ્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. પરિવારજનોનો આક્ષેપ હતો કે જ્યોત્સના પરમારે જ દેવરાજને છરીનો ઘા ઝીંકી પતાવી દીધો છે.

 સમગ્ર મામલે આજીડેમ પોલીસ દ્વારા પણ ઊંડાણપૂર્વક તપાસ કરતા એક નવો જ ફણગો ફૂટ્યો હોવાનું સામે આવ્યું છે. દેવરાજ પરમાર, જ્યોત્સના પરમાર અને જ્યોત્સનાનો ખોડિયારનગરમાં રહેતો ભાઈ શૈલેષ સોલંકી મંગળવારે બપોરે સાથે બેઠા હતા. આ દરમિયાન દેવરાજ અને શૈલેષ વચ્ચે છરીથી શું થાય તેવી ચર્ચા અને મજાક શરૂ થઈ હતી. દેવરાજે થોડીવાર છરી હાથમાં રાખી હતી ત્યારબાદ શૈલેષે છરી હાથમાં લીધી હતી. બાદમાં શૈલેષે આટલી વાર લાગે તેમ કહી દેવરાજના સાથળના ભાગે છરી ઝીંકી દેતા વાત મોત સુધી પહોંચી હતી. 

સમગ્ર મામલે આજીડેમ પોલીસ દ્વારા પણ ઊંડાણપૂર્વક તપાસ કરતા એક નવો જ ફણગો ફૂટ્યો હોવાનું સામે આવ્યું છે. દેવરાજ પરમાર, જ્યોત્સના પરમાર અને જ્યોત્સનાનો ખોડિયારનગરમાં રહેતો ભાઈ શૈલેષ સોલંકી મંગળવારે બપોરે સાથે બેઠા હતા. આ દરમિયાન દેવરાજ અને શૈલેષ વચ્ચે છરીથી શું થાય તેવી ચર્ચા અને મજાક શરૂ થઈ હતી. દેવરાજે થોડીવાર છરી હાથમાં રાખી હતી ત્યારબાદ શૈલેષે છરી હાથમાં લીધી હતી. બાદમાં શૈલેષે આટલી વાર લાગે તેમ કહી દેવરાજના સાથળના ભાગે છરી ઝીંકી દેતા વાત મોત સુધી પહોંચી હતી.

નેતા ન બન્યા તો શું થયું ! રાજકારણનો “ર” શિખવાડશે નરેશ પટેલ, યુવાનો માટે કર્યું મોટું એલાન 

0

What if you don’t become a leader

  • છેલ્લાં કેટલાંય સમયથી નરેશ પટેલને લઇને ગુજરાતના રાજકારણમાં કેટલીક અટકળો ચાલતી આવી છે. જેનો આજે અંત આવ્યો છે.

ખોડલધામ ટ્રસ્ટના (Khodaldham Trust) ચેરમેન નરેશ પટેલે (Naresh Patel) મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, ‘રાજકારણમાં પ્રવેશ કરવાનો મારો નિર્ણય હું હાલ પૂરતો મોકૂફ રાખું છું. જો હું કોઈ પાર્ટીમાં જોડાઉ તો એક જ પાર્ટીનો થઈ જાઉં, દરેક સમાજની ચિંતા ન કરી શકું.

નરેશ પટેલે ખોડલધામના નેજા હેઠળ પોલિટિકલ એકેડમીની જાહેરાત કરી :

નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ કે, ખોડલધામ સંસ્થા વિશ્વસ્તરે પહોંચી છે અને અહીં તમામ સમાજમાં લોકો અહીં આવે છે. જેમનો આભાર માનું છું. મૂળ વાત રાજકારણમાં પ્રવેશવાની છે. કોરોનાકાળમાં લોકોની જેમ મારી પાસે પણ ઘણો સમય હતો. જેમાં સરદાર સાહેબ અને અન્ય સ્વતંત્ર સેનાનીઓને વાંચ્યા ત્યારે મને થયું કે રાજકારણમાં આવીને પણ ઘણી સેવા થઇ શકે.

આ મારો વ્યક્તિગત વિચાર હતો. જ્યારે મેં આ વિચાર સમાજ વચ્ચે મૂક્યો ત્યારે લોકોની લાગણી હતી કે, સમાજને પણ આ અંગે પૂછવું જોઇએ. આ અંગે અમે સર્વે પણ કરાવ્યો હતો. આનો રિપોર્ટ એવો છે કે, વડીલો ઘણી ચિંતા કરે છે, બહેનો અને યુવાનો હજી ઇચ્છે છે કે હું રાજકારણમાં આવું. ત્યારે મને જણાવતા આનંદ થાય છે કે, ખોડલધામના નેજા હેઠળ, પોલિટિકલ એકેડમીની જાહેરાત કરીએ છીએ. આમાં અમે તમામ સમાજના યુવાનોને આવકાર્યે છીએ.

2022 ચૂંટણીમાં મારી કોઈ મદદ માગશે તો મદદ કરીશ : નરેશ પટેલ

તેમણે વધુમાં જણાવ્યું કે, એક પાર્ટી સાથે જોડાવ તો હું ત્યાંનો થઇ જાવ ત્યારે વડીલોની ચિંતા મને યોગ્ય લાગી. ઘણા બધા પ્રકલ્પો જેવાં કે શિક્ષણ, આરોગ્ય અને ખેતી જે દરેક સમાજને સ્પર્શવાના છે. ત્યારે આવા ખૂબ મોટા પ્રકલ્પો ખોડલધામના બાકી રહ્યાં છે ત્યારે આ પ્રકલ્પોને વેગ આપું, એને આગળ વધારું, ગુજરાતની જનતાને દરેક સમાજને આમાં લાભ મળે એવાં પ્રયત્નો મારી આગેવાની નીચે ખોડલધામ ચાલુ કરશે. આ જે પ્રકલ્પો છે તેને ટૂંક સમયમાં જ રાજકોટ નજીક અમરેલી ગામે ખોડલધામ તેને રોલમોડલ તરીકે આગળ વધારવા માંગે છે.’ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 2022ની ચૂંટણીમાં મારી જે કોઈ મદદ માંગશે તો હું તેને મદદ કરીશ.