Home Blog Page 1406

ખાનગી પેટ્રોલ કંપનીઓએ ગ્રાહકોને લૂંટવાનું શરૂ કર્યું, સીધાં વધારી દીધાં આટલાં રૂપિયા 

0
  • ખાનગી કંપનીઓને પેટ્રોલ-ડીઝલનો ફરજીયાત જથ્થો ઉપલબ્ધ કરાવવા બદલે મન ફાવે તેવા ભાવ લેવાની છૂટ ભાવની અપાઈ છે. ભાવની છૂટ મળતા જ ખાનગી કંપનીઓએ ગ્રાહકોને લૂંટવાનું શરૂ કર્યું. સરકારના એક નિર્ણયથી ખાનગી પેટ્રોલ કંપનીઓએ મનમાની શરૂ કરી, ડીઝલના બેફામ ભાવ ગ્રાહકો પાસેથી વસૂલવાનુ શરૂ કર્યું .

રશિયા-યુક્રેન યુદ્ધની (Russia-Ukraine war) જ્વાળાઓ હજી પણ અનેક વસ્તુઓ પર ભાવ વધારો બનીને પ્રકટી રહી છે. આ યુદ્ધને કારણે જેમાં સૌથી વધુ અસર પડી છે તે પેટ્રોલ-ડીઝલના (Petrol-diesel) ભાવ છે. જ્યારથી યુદ્ધ શરૂ થયા છે, ત્યારથી પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને આંબી ગયા છે. આવામાં ખાનગી કંપનીઓ (Private companies) મનફાવે તેમ ભાવો વધારીને ગ્રાહકોને લૂંટી રહી છે. એક તરફ મોંઘવારીનો માર, અને બીજી તરફ પેટ્રોલ-ડીઝલનો કમરતોડ ભાવ. જ્યાં સરકારી કંપનીઓ અને ખાનગી કંપનીના પંપ પર ડીઝલમાં લગભગ 25 થી 31 રૂપિયાનો ભાવ ફેર બતાવે છે. સરકારના જ એક પરિપત્રને કારણે આ નોબત આવી છે.

અમદાવાદમાં ડીઝલનો ભાવ ઐતિહાસિક 125 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે. તો પેટ્રોલનો ભાવ પણ 105 થી વધુ નોંધાયો છે. પરંતુ આ ભાવ વધારા વચ્ચે એક વાત આંખે ઉડીને વળગે તેવી છે કે, ખાનગી કંપનીના પંપ અને સરકારી પંપ પર મોટો ભાવ ફેર જોવા મળ્યો છે. ડીઝલમાં સરકારી અને ખાનગી કંપનીના ડીઝલના ભાવમાં 31 રૂપિયાનો મોટો તફાવત જોવા મળી રહ્યો છે. સરકારી કંપની એચપી, બીપીસીએલ, ઇન્ડિયન ઓઇલમાં ભાવ એક સમાન છે, પરંતુ શેલ, નાયરા અને રિલાયન્સ કપંનીઓના પેટ્રોલ પંપ પર વધુ ભાવ લેવાઈ રહ્યાં છે. એમ કહો કે ગ્રાહકોને રીતસરના લૂંટવામાં આવી રહ્યાં છે.

સરકારી કંપનીઓના પંપ કરતા ખાનગી કંપનીઓએ વધારે ભાવ લેવાની શરૂઆત કરી છે. આખરે ખાનગી કંપનીઓએ આ મનમાની કેમ શરૂ કરી છે. પેટ્રોલ-ડીઝલની તંગી વચ્ચે ખાનગી કંપનીઓ બેફામ બની છે. જે પાછળ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ યુએસઓ છે. ભારત સરકારના એક પરિપત્રથી ખાનગી પેટ્રોલિયમ કંપનીઓને મનફાવે એ ભાવ લેવાનો પરવાનો મળી ગયો છે. તાજેતરમાં પંપો પર ડીઝલ-પેટ્રોલની અછતના બનાવો બાદ સરકારે કંપનીઓ માટે યુએસઓ ઓર્ડર કર્યો છે. આ યુએસઓ હેઠળ પેટ્રોપ પંપ પર જથ્થો રાખવો ફરજિયાત છે. સાથે જ ખાનગી કંપનીઓને ફરજીયાત જથ્થો ઉપલબ્ધ કરાવવા બદલ મન ફાવે તેવા ભાવ લેવાની છૂટ ભાવની અપાઈ છે. ત્યારે ભાવની છૂટ મળતા જ ખાનગી કંપનીઓએ ગ્રાહકોને લૂંટવાનું શરૂ કર્યું છે.

ખાનગી કંપનીઓની વાત કરીએ તો નાયરાના પંપમાં ડીઝલમાં 3 રૂપિયા વધારે લેવામાં આવી રહ્યાં છે. નાયરા કંપની ડીઝલના 97.18 રૂપિયા ભાવે ડીઝલ વેચી રહી છે. તો શેલ કંપનીએ ડીઝલ પર સીધો 31 રૂપિયાનો ભાવવધારો ઝીંક્યો છે.

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે આ વિશેનુ કારણ જણાવ્યુ કે, રશિયા-યુક્રેન યુદ્ધની અસર હજી પણ ભારત પર પડી રહી છે. આ કારણે અને પેટ્રોલિયમનો પુરતો સપ્લાય ન હોવાનો કારણે ક્રુડના ભાવ ઉંચકાયા છે. ઓપેક ભાવ ઘટાડવા સહમત ન હોવાથી ભાવ આસમાને ગયા છે. પેટ્રોલ પંપ પર ઇંધણની તંગી દુર કરવા સરકારે યુએસઓની જાહેરાત કરી છે. તેને કારણે જ ખાનગી અને સરકારી કંપનીના પેટ્રોલ પંપ પર ભાવમા ભારે તફાવત છે. સરકારી કંપનીની સરખામણીમાં ખાનગી કંપનીમાં ડીઝલમાં 5 રૂપિયાથી માંડી 31 રૂપિયા જેટલુ મોંઘું છે. રશિયા પાસેથી ભારતે ખરીદેલુ ક્રુડ આવતા હજુ બે મહિનાનો સમય લાગશે. ત્યાં સુધી આવી સ્થિતિ રહેશે.

શું છે યુએસઓ (યુનિવર્સિલ સર્વિસ ઓર્ડર) :

તાજેતરમાં પેટ્રોલ-ડીઝલની અછતને પગલે પેટ્રોલ પંપ બંધ રહેતા સરકાર એક્શનમાં આવી હતી. ખાનગી કંપનીઓ પોતાનું નુકસાન ટાળવા માટે પેટ્રોલ પંપ બંધ કરી રહી હતી. આ સ્થિતિને રોકવા માટે સરકારે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન (યુએસઓ) નો વ્યાપ વિસ્તાર્યો છે. જે મુજબ, જે કંપનીઓએ પેટ્રોલ પંપનું લાયસન્સ મેળવ્યું છે, તેમણે તેમના તમામ પેટ્રોલ પંપ પર અમુક સમય માટે એટલે કે નિર્ધારિત કામના કલાકોમાં તેલ વેચવું પડશે. પેટ્રોલ પંપ પણ દૂરના વિસ્તારોમાં ન હોવા જોઈએ. ખાનગી પેટ્રોલ પંપોએ હવે તમામ સંજોગોમાં તેલ વેચવું પડશે. ભલે તે માત્ર થોડા કલાકો માટે પણ કેમ ન હોય.

ઓઇલ મંત્રાલય દ્વારા જારી કરાયેલી સૂચના મુજબ, તમામ પેટ્રોલ પંપને USOના કાર્યક્ષેત્રમાં સામેલ કરવામાં આવ્યા છે. આ પછી હવે જે પણ કંપનીને પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણ માટે લાયસન્સ મળ્યું છે. તેણે તેના તમામ રિટેલ આઉટલેટ્સ પર તેલ વેચવું પડશે. આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે તેમનું લાઇસન્સ રદ થઈ શકે છે.

આ રાજ્યમાં ભારે વરસાદ અને પુરને કારણે 12 લોકોના મોત- મૃત્યુઆંક પહોંચ્યો 101 પર, સેકંડો લોકો બન્યા બેઘર

0

Heavy rains and floods in the state

  • આસામમાં વરસાદે આફત બનીને વસસ્યો છે, ત્યારે બ્રહ્મપુત્રા અને બરાકનું જળસ્તર સતત વધી રહ્યું છે.

આસામ (Assam)માં પૂરના કારણે હંગામો મચી ગયો છે. બુધવારે અહીં સ્થિતિ ખૂબ જ ગંભીર રહી હતી. અહીં નદીઓના જળસ્તર સતત વધી રહ્યા હતા. દરમિયાન અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂરને કારણે રાજ્યમાં વધુ 12 લોકોના મોત (12 deaths) થયા છે. આસામના 32 જિલ્લામાં 55 લાખ લોકો પ્રભાવિત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યની બે મોટી નદીઓ બ્રહ્મપુત્રા (Brahmaputra) અને બરાક (Barack river)નું જળસ્તર સતત વધી રહ્યું છે. જેના કારણે અનેક નવા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા હતા. જેના કારણે હોજાઈમાં ચાર, બારપેટા અને નલબારીમાં ત્રણ-ત્રણ અને કામપુર જિલ્લામાં બે લોકોના મોત થયા છે.

અત્યાર સુધીમાં 101 લોકોના થયા મોત :

અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 101 લોકોના મોત થયા છે. તે જ સમયે, બરાક ખીણના કચર, કરીમગંજ અને હૈલિકાંડી જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર છે. આસામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના 32 જિલ્લા પૂરથી પ્રભાવિત છે. પૂરના કારણે 55,42,053 લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાં હજારો લોકો બેઘર બની ગયા છે.

મુખ્યમંત્રીએ લીધી અલગ અલગ વિસ્તારની મુલાકાત :

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ NDRFની ટીમ સાથે બોટ પર બેસીને નાગાંવ જિલ્લાના ઘણાં વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી અને પૂરથી પ્રભાવિત લોકોની સ્થિતિ વિશે પૂછપરછ કરી. અગાઉ, તેમણે નલબારી અને કામરૂપ જિલ્લામાં રાહત શિબિરોની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે ટૂંક સમયમાં રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે.

જોખમી સાબિત થઇ નદી :

સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, કોપિલી નદી, નિમતીઘાટ, બ્રહ્મપુત્રા નદી, પુથિમરી, પાગલડિયા, બેકી, બરાક, કુશિયારા વગેરે નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. તે જ સમયે, બરપેટા, કચર, દારંગ, ગ્વાલપારા, કામરૂપ અને કરીમગંજના શહેરી વિસ્તારોમાં પૂરનો ભય છે.

હોટલમાં ચાલતો હતો દેહવ્યાપાર, અનેક યુગલો મળ્યા આપત્તિજનક સ્થિતિમાં !

Prostitution was going

  • હોટલના રૂમમાં યુવતીઓ કઢંગી સ્થિતિમાં હતી. પોલીસે હોટલના દરેક રૂમની તપાસ કરી, હોટલના રૂમમાંથી 14 યુવતીઓ અને 20 યુવકોને કસ્ટડીમાં લીધા

મોબાઈલ એપથી ઇન્સ્ટન્ટ લોન લેતા પહેલાં 100 વખત વિચારજો, સુરતની મહિલા સાથે બની ચોંકાવનારી ઘટના

0

Think 100 times

  • સુરતના મોટા વરાછામાં રહેતી એક 30 વર્ષીય પરિણીતાને ઓનલાઇન 3 હજારની ઇન્સ્ટન્ટ લોન લેવી ભારે પડી. લોનની રકમ ચૂકવી દીધા બાદ પણ વધુ રકમની માંગ કરાઇ.

સુરતમાં ઈન્સ્ટન્ટ લોન (Instant loan) લેવાનું એક મહિલાને ભારે પડ્યું. મહિલાએ મોબાઈલ એપથી ઇન્સ્ટન્ટ લોન લીધી હતી. પરંતુ લોનની રકમ ચૂકવ્યા બાદ પણ વધુ રકમની માંગણી કરાઈ. જો કે વધુ રૂપિયા આપવાની ના પાડતા મહિલાને બ્લેકમેલ (Blackmail) કરાઈ. મહિલાને તેના જ મોર્ફ કરેલા ફોટા મોકલીને બ્લેકમેલ કરવામાં આવી. જણાવી દઇએ કે, મહિલાએ એપ મારફતે રૂ. 3 હજારની લોન લીધી હતી. જો કે, મહિલાએ અમરોલી પોલીસ સ્ટેશને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. આથી અમરોલી પોલીસે (Amaroli police) ખંડણી અને IT એક્ટનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

મહિલાએ ઇન્સ્ટન્ટ લોન લીધી ત્યારે પાનકાર્ડ-આધાર કાર્ડ તેમજ ફોટો મોક્લ્યો હતો :

તમને જણાવી દઇએ કે શહેરના મોટા વરાછામાં રહેતી એક 30 વર્ષીય પરિણીતાએ ઓનલાઇન 3 હજારની ઇન્સ્ટન્ટ લોન લીધી હતી. આ મહિલાએ જ્યારે ઇન્સ્ટન્ટ લોન લીધી ત્યારે પરિણીતાએ પાનકાર્ડ અને આધાર કાર્ડ તેમજ ફોટો મોક્લ્યો હતો. 3 હજારની લોનની સામે ચાર્જીસના નામે 1200 રૂપિયા કાપી 1800 રૂપિયા મહિલાને આપ્યા હતા. મહિલાએ લોનની રકમ 1810 અને 1110 મળીને કુલ 2920 રૂપિયા ચૂકવી દીધા હતા છતાં મહિલાને કોલ કરી રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી.

એક ફેક લિંક દ્વારા મહિલાનો મોબાઇલ હેક કરી લીધો હતો :

આથી વધારે રૂપિયાની માંગણી કરતા મહિલાએ જ્યારે રૂપિયા આપવાની ના પાડી દીધી એટલે કોલ કરનારે મહિલાને બ્લેકમેલિંગ કરવાનું શરૂ કરી દીધું. મહિલાને લોન વખતે એક લિંક મોકલી હતી જે ખોલતા જ તેને તે મહિલાનો મોબાઇલ હેક કરી લીધો હતો. બાદમાં મહિલા તેની બહેન અને અન્ય એક બહેનપણીનો બિભત્સ ફોટો બનાવી તેમાં ખરાબ કોમેન્ટ કરીને સોશિયલ મીડિયામાં તેને વાયરલ કર્યો હતો. છેલ્લા 20 દિવસથી જે-તે વ્યક્તિ મહિલાને હેરાન કરતો હતો. વધુમાં કોલ કરનાર મહિલા પાસેથી પૈસા પડાવવા શરૂઆતમાં તેનો મોર્ફ કરેલો ફોટો ફોન પર મોકલ્યો હતો.

ત્યાર બાદ પરિણીતાના હેક કરેલા ફોન પર તેની બહેનપણીનો મોર્ફ કરેલો ફોટો મોકલ્યો. આ રીતે મહિલાને તેના જ મોર્ફ કરેલા ફોટા મોકલીને બ્લેકમેલ કરવામાં આવતી. આથી મહિલાએ અમરોલી પોલીસ સ્ટેશને આ મામલે ફરિયાદ નોંધાવતા અમરોલી પોલીસે ખંડણી અને IT એક્ટનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

વડોદરામાં તળાવની સફાઈ દરમિયાન એવી વસ્તુ મળી આવી કે પોલીસ અને IT વિભાગ થયું દોડતું

0

lake in Vadodara

  • વડોદરાના કમલાનગર તળાવમાં સફાઇ દરમ્યાન 5.30 લાખની બે હજારની નોટોના બંડલ મળી આવતા પોલીસ અને IT વિભાગ દોડતું થઇ ગયું.

વડોદરામાં (Vadodara) તળાવમાં સફાઇ દરમિયાન 2000ની નોટોના બંડલ મળી આવ્યા હોવાની ઘટના સામે આવી છે. 5.30 લાખની બે હજારની નોટોના બંડલ મળી આવ્યા. જો કે, બાપોદ પોલીસે (Bapod police) નોટોના બંડલનો કબજો લઇ લીધો છે. હાલમાં પોલીસે આ મામલે CCTVના આધારે તપાસ હાથ ધરી છે. હાલ વડોદરામાં IT વિભાગ હોસ્પિટલ ગ્રુપની તપાસ કરી રહ્યું છે. છેલ્લાં 3 દિવસથી IT વિભાગે આ મામલે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ITની તપાસને લઇને નોટોના બંડલ તળાવમાં (Lake) ફેંક્યા હોવાની આશંકા.

સફાઇ કર્મચારીએ રેલવે પોલીસ કર્મચારીને જાણ કરી હતી :

તમને જણાવી દઇએ કે આ ઘટના અંગેની સમગ્ર વિગત એવી છે કે શનિવારે વડાપ્રધાનની મુલાકાતના આગલા દિવસે સફાઇ કર્મચારીઓ દ્વારા કમલાનગર તળાવમાં સફાઇ કામગીરી ચાલતી હતી. એ દરમ્યાન એક કોથળામાં બે હજારની ચલણી નોટોનો જથ્થો સફાઇ કર્મચારીને મળી આવ્યો. આ અંગે સફાઇ કર્મચારીએ રેલવે પોલીસ કર્મચારીને જાણ કરતા રેલવે પોલીસ કર્મચારીએ શહેર પોલીસ કંટ્રોલ રૂમને માહિતી આપી હતી. બાદમાં બાપોદ પોલીસને મેસેજ આપતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

ITનાં દરોડાને લઇને નોટોના બંડલ તળાવમાં ફેંક્યા હોવાની આશંકા :

બાદમાં પોલીસે બે હજારની ચલણી નોટો કબજે કરી તેની તપાસ કરાવતા તે સાચી હોવાનું જણાયું હતું. સાથે આ ચલણી નોટો રૂ. 5.30 લાખની હોવાનું સામે આવ્યું હતું. કમલાનગર તળાવ પાસે બે હજારની ચલણી નોટો કોણ બિનવારસી નાખી ગયું તે અંગે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે, પોલીસનું એમ માનવું છે કે, કદાચ ઇન્કમટેક્સની રેડ પડે તો ચલણી નોટો ના પકડાઇ જાય એવા ડરથી આ નોટોનો બારોબાર નિકાલ કર્યો હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.

મહારાષ્ટ્ર રાજકીય સંકટ / કોંગ્રેસ અને NCPએ એકનાથ શિંદેને CM બનાવવાની ઉદ્ધવ ઠાકરેને આપી સલાહ, આજે ધારાસભ્ય દળની બેઠક : સૂત્ર

0

Maharashtra political crisis / Congress and NCP advise Uddhav Thackeray to make Eknath Shinde CM, MLAs meet today: Sutra

  • મહારાષ્ટ્રમાં શિવસેનામાં મોટી ઉથલપાથલના એંધાણની શક્યતાઓ નજરે પડી રહી છે. એકનાથ શિંદે શિવસેનાના કેટલાક નારાજ ધારાસભ્યોને લઇને ગુવાહાટી પહોંચી ગયા છે. આ વચ્ચે વધુ એક માહિતી સામે આવી રહી છે.

મહારાષ્ટ્રની (Maharashtra) રાજનીતિને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે, તેમણે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) સાથે મુલાકાત કરીને નવી ફોર્મૂલા આપી. માનવામાં આવી રહ્યું છે કે, પવારે કહ્યું કે એકનાથ શિંદેને (Eknath Shinde) મુખ્યમંત્રીબનાવી દેવામાં આવે તો આના પર કોઈ વાંધો નથી. શરદ પવાર અને કોંગ્રેસે એકનાથ શિંદેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી (Chief Minister of Maharashtra) બનાવવાની સલાહ આપી છે.

સૂત્રોનું કહેવું છે કે, એનસીપી અને કોંગ્રેસે કહ્યું છે કે, એકનાથ શિંદેને જો મુખ્યમંત્રી બનાવવામાં આવે તો તેમને કોઇ વાંધો નથી. જોકે, નિર્ણય ઉદ્ધવ ઠાકરેને કરવાનો છે. એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે, ગુવાહાટી ગયેલા શિવસેનાના કેટલાક ધારાસભ્યો પરત આવવા તૈયાર છે. તેઓ NCP, કોંગ્રેસ અને શિવસેનાના નેતાઓના સંપર્કમાં છે.

એકનાથ શિંદે આજે કરી શકે છે દાવો : સૂત્ર

એકનાથ શિંદે પાસે કુલ 49 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો છે. શિવસેના અને અપક્ષ સહિત કુલ 49 ધારાસભ્યોનું શિંદેને સમર્થન છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, એકનાથ શિંદે આજે દાવો કરી શકે છે. શિવસેનાના 17 સાંસદ પણ શિંદેના સંપર્કમાં છે.

રાજકીય ઘમાસાણ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ બોલાવી બેઠક :

ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોની બેઠક 11 વાગ્યે બોલાવી છે. સૂત્રોથી મળતી માહિતી અનુસાર, ઉદ્ધવ ઠાકરેના વલણ સામે NCP નારાજ છે. ઉદ્ધવે સરકારી આવાસ છોડતા NCP નારાજ થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શિવસેનાના મોટા નેતાની સમગ્ર મામલામાં સંડોવણીની NCPને આશંકા છે.

ગઈકાલે સુરત પહોંચેલા 4 ધારાસભ્યો પણ પહોંચી ચૂક્યા છે ગુવાહાટી :

આ વચ્ચે શિવસેનાના વધુ 3 ધારાસભ્ય અને એક અપક્ષના ધારાસભ્ય ગુવાહાટી પહોંચ્યા છે. તેમાંથી એક યોગેશ કદમ છે, જે દપોલી બેઠકથી શિવસેના ધારાસભ્ય છે. તેઓ રામદાસ કદમના દીકરા છે. જ્યારે અપક્ષના ધારાસભ્યનું નામ ચંદ્રકાંત નિંબા પાટિલ છે, જે જલગાંવથી ધારાસભ્ય છે. ગુવાહાટી પહોંચેલા શિવસેનાના ધારાસભ્યોમાં ગુલાબરાવ પાટીલ અને યોગેશ કદમ પણ સામેલ છે. વધુ ધારાસભ્યો ગુવાહાટી પહોંચતા શિવસેનાની મુશ્કેલીઓ હજુ વધી ગઈ છે.

વધુ ત્રણ બળવાખોર ધારાસભ્યો સુરતથી ગુવાહાટી જશે :

આજે કુર્લાના ધારાસભ્ય મંગેશ કુદાલકર અને દાદરના ધારાસભ્ય સદા સરવાનકર પણ શિંદે કેમ્પમાં પહોંચી શકે છે. જણાવાય રહ્યું છે કે, મુંબઈમાં પણ શિંદેના સમર્થક 3 ધારાસભ્ય હાજર છે. જો દાવા અનુસાર, આ ધારાસભ્ય શિંદેના પક્ષમાં જાય છે તો શિંદેની સાથે શિવસેનાના ધારાસભ્યોની સંખ્યા 36 પર પહોંચી જશે જ્યારે અન્ય 13 ધારાસભ્યો પણ શિંદેની સાથે હોવાનું મનાઇ રહ્યું છે. મહત્વનું છે કે,  ગુવાહાટીની Radisson Blu હોટલમાં એકનાથ શિંદે બળવાખોર ધારાસભ્યો સાથે રોકાયા છે.

ધારાસભ્યો સાથેની શિંદેની ચર્ચાનો વીડિયો આવ્યો સામે :

મહારાષ્ટ્ર શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ગુવાહાટીમાં રોકાયા છે. ત્યારે એકનાથ શિંદે હોટલમાં ધારાસભ્યો સાથે સતત બેઠક કરી રહ્યાં છે. તેવામાં હવે ધારાસભ્યો સાથેની શિંદેની ચર્ચાનો વીડિયો આવ્યો સામે છે.

WhatsApp Group માં હવે 256થી વધારે લોકોને એડ કરી શકાશે, જાણો કેટલા લોકોને ઉમેરી શકશો 

More than 256 people

  • એક રિપોર્ટ અનુસાર વોટ્સએપ એક એવુ ફિચર લઈને આવી રહ્યું છે જેની મદદથી યુઝર્સ ગ્રુપ ચેટમાં 512 સદસ્યોને જોડી શકશે. હાલ એક ગ્રુપમાં 256 લોકો જ જોડાઈ શકે છે.

વોટ્સએપ (WhatsApp) કથિત રીતે એક નવું ફિચર લઈને આવી રહ્યું છે. આ ફિચરની મદદથી યુઝર્સ ગ્રુપ (Users group) ચેટમાં 512 સદસ્યોને જોડી શકે છે. હાલમાં એક ગ્રુપમાં 256 લોકોને જોડી શકાય છે. તે ઉપરાંત મેસેજિંગ પ્લેટફોર્મ (Messaging platform) ઘણા અન્ય ફિચર્સ પણ લાવી રહ્યું છે. જેમાં 2GB સુધી ફાઈલને શેર કરવી અને મેસેજ પર ઈમોજી રિએક્શન આપવું શામેલ છે.

એક રિપોર્ટ અનુસાર વોટ્સએપના લેટેસ્ટ સ્ટેબલ અપડેટને દરેક યુઝર્સ માટે એક ફિચર શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલ અમુક યુઝર્સને પોતાના વોટ્સએપ પર આ ફિચરનો ઉપયોગ કરવા માટે 24 કલાકની વધુ રાહ જોવી પડી શકે છે. રિપોર્ટમાં ગ્રુપ ચેટમાં 512 પાર્ટિસિપેન્ટ્સના રોલઆઉટની પુષ્ટી કરવામાં આવી છે.

2GB સુધીની ફાઈલ કરી શકશો શેર  :

વોટ્સએપ 2GB સુધી ફાઈલને શેર કરવા માટે એક ફિચર પર કામ કરી રહ્યું છે. હાલ વોટ્સએપ પર 100MB સુધી ફાઈલને જ શેર કરી શકાય છે. મેટાની કંપની વોટ્સએપે હાલમાં જ ઈમોજી રિએક્શન ફિચર લોન્ચ કર્યું છે. જેથી લોકો ટેક્સની જગ્યા પર ઈમોજીના માધ્યમથી પોતાનું રિએક્શન આપી શકે.

મેસેજ કરી શકશો એડિટ  :

વોટ્સએપ કથિત રીતે ડિલિટ કરવામાં આવેલા મેસેજ માટે એક નવુ ફિચર ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફિચર તે સમયે ઉપયોગ થશે જ્યારે યુઝર ભુલથી ‘ડિલિટ ફોર એવરિવન’ની જગ્યા પર ‘ડિલિટ ફોર મી‘ વિકલ્પનો પસંદ કરે છે.

આ ઉપરાંત વોટ્સએપ મોકલવામાં આવેલા મેસેજને એડિટ કરવા માટે પણ એક વિકલ્પ એડ કરી રહ્યું છે. આ ફિચર યુઝર્સને પોતાના મેસેજમાં ટાઈપિંગ વખતે થયેલી ભૂલોને સુધારવામાં મદદ કરશે. તેના માટે તેમણે જુનો મેસેજ ડિલિટ પણ નહીં કરવી પડે અને નવો ટેક્સ મેસેજ લખવો પણ નહીં પડે. જુના મેસેજને જ તે એડિટ કરી શકશે.

23 જુન 2022, રાશિફળ : વિષ્ણુ ભગવાનની કૃપાથી આ રાશિના જાતકોના ખુલી જશે ભાગ્યના દરવાજા

June 23, 2022, Horoscope Gujarat Guardian

મેષઃ- આપને માનસિક શાંતિ મળશે. કામકાજ અંગે યોગ્ય અને જરૂરી નિર્ણય લઇ શકાશો. પરિવાર ના સભ્યો સાથે આનંદ અનુભવી શકાશે. કરેલા રોકાણો ના સારા ફળ મળતા જણાશે. સુખશાંતિમાં વધારો થતો અનુભવાશે.

વૃષભઃ- ધનથી સંકળાયેલ બાબતો માટે સાનચેતી જરૂરી છે. ખર્ચ ઓછો થાય. એવા પ્રયત્નો કરવા અને નાણાંનું યોગ્ય આયોજન કરવું. વિદેશી કંપની ઓમાં કાર્ય કરતી વ્યકિત માટે શુભ. દામ્પત્ય જીવનમાાં આનંદ અનુભવાશે.

મિથુનઃ- નાણાંની વખતસર હેરફેર થતી જણાશે. દરેક કાર્યમાં મિત્રોનો સાથ સહકાર મળતો જણાશે. સંતાનો તરફથી હર્ષ. સાંસારીક સંબંધોમાં તણાવ વધતો જણાય. આરોગ્ય સારૂં જળવાશે. ભાગ્ય વૃદ્ધિ તથા આકસ્મિક ધનલાભ મળતો જણાય.

કર્કઃ- માનસિક સ્વાસ્થ્ય ખૂબ સારૂ રહેશે. નોકરી ધંધા માંથી સારા સમાચાર. પ્રગતિ થતી જણાય. માતા-પિતાની તબિયત સારી રહેશે. તથા તેમની મદદ મળતી જણાશે. સ્નાયુના રોગો થવાની શક્યતા છે. દામ્પત્ય જીવનમાં આનંદનો અનુભવ થશે.

સિંહઃ- આકસ્મિક દન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. ભાગ્યના બળે ફસાયેલા નાણાં છુટા થાય. પરિવારમાં આનંદ કરેલા રોકાણોમાંથી આવક આવતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. દામ્પત્ય સુખમાં ગુસ્સો ચિંતાનું કારણ બની શકે.

કન્યાઃ- દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહેશે. આવકનું  પ્રમાણ ધટતું જણાશે. નોકરી ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો. સંતાનોની પ્રગતિથી થોડો માનસિક સંતોષ મળશે. આરોગ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે .

તુલાઃ- જીવનસાથી સાથે આનંદની અનુભૂ‌િત કરવાનો દિવસ છે. પ્રિય મિત્ર સાથે ઉત્તમ પ્રેમ જમવાશે. ભાગીદારી સંબંધોમાં પણ ફાયદો થતો જણાય. આરોગ્ય જળવાશે. ભાગ્યમાં વૃદ્ધિ અન‌ુભવી શકાશે.

વૃશ્ચિકઃ- આજે આરોગ્યની કાળજી રાખવી. શરદી-ખાંસી ની સમસ્યા વધતી જણાય. પરિવાર માટે સામાન્ય દિવસ જણાય. નવા રોકાણો કરવાની શકયતા વધતી જણાય. નોકરી-ધંધા માં પ્રગતિનો અનુભવ થાય.

ધનઃ- થોડી માનસિક અશાંતિ જણાય. પરંતુ સંતાન ની પ્રગતિથી આનંદમાં વધારાની અનુભૂતી કરી શકાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આદ્યાત્મિક પ્રગતિ શક્ય બને. માન-સન્માન માં વધારો થતો અનુભવાય.

મકરઃ- માતૃપક્ષની સારા સમાચાર મળે. જમીન, મકાન, વહાન સુખમાં વધારો થાય. ધંધાકીય રીતે દિવસ સારો પસાર થાય. સાંધાના દુઃખાવાથી સાચવવું. આદ્યાત્મિક પ્રગતિ થી આનંદ થાય. આવક વધતી જણાય.

કુંભઃ- પરિવારમાં વિખવાદને કારણે માનસિક અશાંતિ રહે. યાત્રા-પ્રવાસ ટાળવા. ભાગ્ય બે પગલા પાછળ ચાલતું જણાય. મેહનત વધારે કરવી પડે. માન-સન્માન હણાતું જણાય. અગત્યના રોકાણો ટાળવા. સરકારી સામકાજમાં સાવધાની રાખવી.

મીનઃ- દિવસ દરમ્યાન નાણાંની છુટ વર્તાય. ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. હ્રદયમાં અકારણ અજંપો રહે. સંતાનો સાથે સ્નેહ જળવાય. વાયુના રોગોથી સાવચેતી રાખવી.

શરીરના આ લક્ષણોને ઈગ્નોર કરવા પડી શકે છે મોંઘા, હોઈ શકે છે આ ગંભીર બિમારીના સંકેત

These symptoms

  • ભારતમાં મોતનું એક મોટું કારણ છે હાર્ટ એટેક. લગભગ દરેક પરિવારમાં હાર્ટના દર્દી મળી જશે. ભલે યુવાનોમાં હાર્ટ એટેકના શિકાર થવાની સંખ્યા ઓછી છે. પરંતુ કોઈ આધેડની સ્થિતિ જોઈને દહેશતમાં આવવુ સ્વાભાવિક છે. તેથી જરૂરી છે કે હાર્ટ એટેક આવતા પહેલા તમે સંતર્ક થઇ જાઓ અને તેનાથી બચવાના ઉપાય શોધી લો.

હાર્ટની બિમારી ખૂબ ગંભીર હોય  છે, તેથી જો તમારા શરીરમાં કેટલાંક ખાસ ફેરફાર જોવા મળે તો તેને વોર્નિગ સાઈન સમજી લો અને નજરઅંદાજ કરવાની ભૂલ જરા પણ કરશો નહીં. નહીંતર તમે તકલીફમાં મુકાઈ જશો.

હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં થાય છે આ ફેરફાર :

હાર્ટ એટેક આવતા પહેલા છાતીમાં સામાન્ય દુ:ખાવો અને બેચેની થવા લાગે છે. જો કે, છાતીનો દુ:ખાવો અન્ય કારણોને  લીધે પણ ઉભો થઇ શકે છે, પરંતુ તેનો હાર્ટ એટેકના લક્ષણોમાં સમાવેશ કરાય છે.  જો તમને પણ આવી પરેશાની થાય છે તો તાત્કાલિક ચેકઅપ કરાવવુ જોઈએ. તમે વારંવાર જોયુ હશે કે કેટલાંક લોકોને ફૂલ એસી રૂમમાં પણ પરસેવો થાય છે. હકીકતમાં આ મોટી બિમારી તરફ ઈશારો કરે છે. સામાન્ય રીતે હાર્ટ એટેક આવતા પહેલા આવી પરેશાની થાય છે, તેથી તમારા આરોગ્ય વિશે સંતર્ક થઇ જાઓ.

વધારે સ્ટ્રેસ ના લેશો :

જ્યારે શરીરમાં હાર્ટ એટેકનુ જોખમ વધે છે ત્યારે ઓછુ કામ કરવાથી પણ વધારે થાક અનુભવાય છે. અનિંદ્રા પણ થાકનુ કારણ હોઇ શકે છે. પરંતુ જો આવુ ના હોય તો તમારે ડૉકટરની પાસે તાત્કાલિક જવુ જોઈએ. જો તમારી માનસિક સ્થિતિ સારી રહેશે નહીં તો શરીરના બાકીના ભાગમાં પણ મુશ્કેલી ઉભી થઇ શકે છે. હાર્ટ એટેક આવતા પહેલા સ્ટ્રેસ આવે છે, આ જ કારણ છે કે આ લક્ષણોને ઈગ્નોર કરવા ઘાતક સાબિત થઇ શકે છે. જેટલુ બની શકે તેટલુ ટેન્શન ફ્રી રહેવાનો પ્રયાસ કરો.

ચાલી રહ્યું હતું ખોદકામ, અચાનક જ એવું શું નીકળ્યું કે, દર્શન કરવા ઉમટી પડી હિન્દુઓની મોટી ભીડ

0

Excavation was going

  • તળાવનું ખોદકામ કરતાં અચાનક એવી પ્રતિકૃતિ નીકળતા લોકો તળાવમાં દર્શન કરવા લોકોની ભીડ જામી.

આણંદ (Anand) જિલ્લાના બોરસદ (Borsad) તાલુકાના અભેટાપુરા (Abhetapura)માં ખોદકામ દરમિયાન શિવલિંગ (Lingam) જેવી પ્રતિકૃતિ મળી આવતા જોવા માટે લોકોની મોટી ભીડ ઉમટી પડી હતી. આણંદના બોરસદ પાસે અભેટાપુરામાં તળાવમાં ખોદકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન રેલવે દ્વારા જેસીબી મારફતે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે તળાવમાંથી શિવલિંગ (Shivling) આકારની પ્રતિકૃતિ મળી આવતા ત્યાં રહેલા લોકોમાં કુતુહલ સર્જાયું હતું.

ત્યારબાદ આ બાબતે આજુબાજુના લોકોને પણ જાણ થતાં લોકોના ટોળેટોળા શિવલિંગ હોવાના દાવા સાથે દર્શન કરવા ઉમટી પડ્યા હતા. આ મામલા અંગેની જાણ થતાં મામલતદાર અને પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અભેટાપુરાના તળાવમાં રેલવેની કામગીરીને કારણે ખોદકામ દરમિયાન શિવલિંગ જેવી પ્રતિકૃતિ મળી આવતા લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યાં હતાં અને શિવલિંગની પ્રતિકૃતિના દર્શન કરવા માટે આતુર બન્યા હતા. આ તળાવમાં ખોદકામ સમયે વૃક્ષના થડ જેવો આકાર જોવા મળ્યો હતો અને લોકો ઝાડનું થડ સમજી રહ્યા હતા. પણ આ 2 દિવસ દરમિયાન વરસાદી ઝાપટાં પડવાને કારણે થડ જેવી દેખાઈ રહેલી પ્રતિકૃતિ પરથી પાણી વહેવાને કારણે ત્યાં શિવલિંગ જેવો આકાર જોવા મળ્યો હતો.

આ મામલા અંગે જાણ આસપાસના ગામોમાં વાયુવેગે પ્રસરતા લોકોના ટોળેટોળા જોવા માટે ઉમટી પડ્યાં હતાં અને બીજી બાજુ ભેખડ ધસી પડવાની શક્યતા હોવાને કારને સ્થાનિક તંત્ર દ્વારા લોકોને અહીંથી દૂર રહેવાની પણ અપીલ કરવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા પણ તળાવમાંથી લોકોને બહાર કાઢતા આ જોખમી જગ્યા હોવાથી દૂર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું.

હાલ આજુબાજુના ગામડાના લોકો પણ અહીં મોટી સંખ્યામાં શિવલિંગના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. આ સમગ્ર બાબતે ત્યાંના મામલતદારે જણાવતા કહ્યું હતું કે, આ અંગે પુરાતત્વ વિભાગને જાણ કરવામાં આવ્સ્ગે. કારણકે, આ  વિષય પુરાતત્વ વિભાગનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અભેટાપુરાના તળાવમાં અંદાજે 20 થી 25 ફૂટ ઊંડું ખોદકામ કરવામાં આવ્યું છે.