Home Blog Page 1404

એક નાનકડી સર્જરીનાં કારણે દેશની સૌથી સુંદર યુવતીએ ગુમાવ્યો જીવ, હકીકત જાણીને ચોંકી જશો

You will be shocked

  • ગ્લેસી કોરિયાનું એપ્રિલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશનના 5 દિવસ બાદ વધુ બ્લીડિંગ અને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર બાદ તે 2 મહિના સુધી કોમામાં જતી રહી હતી.

ટોન્સિલ્સને (Tonsils) હળવાશથી લેવું જીવલેણ સાબિત શકે છે અને થોડી પણ બેદરકારી તમારો જીવ લઈ શકે છે. આ સાથે જોડાયેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 20 જૂન, 2022 ના રોજ એક્સ મિસ બ્રાઝિલ ગ્લેસી કોરીઆનું અવસાન થયું હતું. ટોન્સિલ ઓપરેશન (Tonsil operation) પછી અતિશય રક્તસ્રાવ અને કાર્ડિયાક અરેસ્ટને (Bleeding and cardiac arrest) કારણે ગ્લેસી કોરીયાનું મોત નીપજ્યું હતું. દક્ષિણ-પૂર્વ બ્રાઝિલના મકાઇના રહેવાસી ગ્લેસી કોરિયાને ઓપરેશનના 5 દિવસ બાદ વધુ બ્લીડિંગ અને હાર્ટ એટેક (Heart attack) આવ્યો હતો. ત્યાર બાદ તે કોમામાં જતી રહી હતી. બે મહિનાથી વધુ સમય કોમામાં રહ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું.

પોસ્ટમોર્ટમ પછી મોતનું કારણ જાણી શકાશે :

ગ્લેસી કોરિયાએ એપ્રિલમાં એક ઓપરેશન કરાવ્યું હતું. ગ્લેસીના પરિવારને ઓળખતા પાદરી જેક અબ્રુએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે તેના સંબંધીઓનું માનવું છે કે તેના ટોન્સિલ્સના ઓપરેશન દરમિયાન ડોક્ટરોની ભૂલ થઇ હતી. આ કારણે તેની તબિયત લથડી હતી અને ગ્લેસીના મોત બાદ પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેકેની ફોરેન્સિક મેડિસિન ઇન્સ્ટિટ્યૂટમાં મોકલી આપ્યો છે. હવે તે રિપોર્ટ આવવાની રાહ જોઈ રહ્યા છે.

સુંદરતા અને સહાનુભૂતિ માટે હમેશા યાદ કરવામાં આવશે :

ગ્લેસી એક સોશિયલ મીડિયા સ્ટાર હતી અને ઇન્સ્ટાગ્રામ પર તેના 57,000થી વધુ ફોલોઅર્સ હતા. ગ્લેસીએ 2018 માં મિસ યુનાઇટેડ કોન્ટિનેન્ટ્સ બ્રાઝિલ અને મિસ કોસ્ટા દો સોલનો તાજ જીત્યો હતો. ગ્લીસીના મૃત્યુ પછી, મિસ બ્રાઝિલના અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે: “ગ્લેસીને તેની સુંદરતા, હાસ્ય અને સહાનુભૂતિ માટે હંમેશા યાદ કરવામાં આવશે.”

લોકોએ સોશિયલ મીડિયામાં શોક વ્યક્ત કર્યો :

મંગળવારે ગ્લેસી કોરિયાને પરિવાર અને મિત્રો દ્વારા દફનવિધિ કરવામાં આવી હતી. ગ્લેસીના ફોલોઅર્સે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સેંકડો શોક સંદેશાઓ મુક્યા  છે. તેના સોશિયલ મીડિયા પેજ પરની છેલ્લી પોસ્ટમાં હસતી ગ્લેસી કોરિયાનો ફોટો જોવા મળે છે. જેમાં તેઓએ ઈસુ ખ્રિસ્તને ગળે લગાવ્યા છે. કેપ્શનમાં તેણે લખ્યું, “મેં સારી લડત આપી છે, મેં રેસ પૂરી કરી છે, મેં વિશ્વાસ જાળવી રાખ્યો છે.”

આ પણ વાંચો –

 

ગરીબો કરતા પણ ખરાબ હાલતમાં જીવે છે ગુજરાતના આ પૂર્વ ધારાસભ્ય, બે ટંક ખાવાનુ મળે તો ભગવાનનો પાડ માને છે.

0

MLA of Gujarat lives

  • એક સમયે જે ધારાસભ્યએ લોકોની સેવા કરી, લોકોના આસું લૂછ્યા, આજે તેમને પૂછનાર કોઈ નથી. ઝૂંપડામાં રહે છે, પરંતુ સરકારની કોઈ સહાય તેમને મળતી નથી.

ખેડબ્રહ્મા ,

આપણા નજરમાં 21 મી સદીના નેતા, ધારાસભ્યો અને સાંસદો એટલે લાલ ગાડીમાં (Red carriage) સફેદ કપડા પહેરીને ફરતા લોકો. જેમનો રુઆબ જનતા કરતા અલગ હોય છે અને તેઓ જમીનથી ચાર વેંત ઉંચા ચાલતા હોય. નેતા એટલે રજવાડી ઠાઠ. આપણા મગજમાં નેતાની કંઈક આવી ઈમેજ છે. પરંતુ ધારાસભ્ય બનો એટલે વૈભવની છોળો ઉડે એ જરૂરી નથી. આજે વાત કરીએ ગુજરાતના (Gujarat) એક એવા પૂર્વ ધારાસભ્યની (Former MLA) જેઓ ગરીબો કરતા પણ બદતર હાલતમાં જીવે છે. બે ટંક ખાવાનુ મળે તો ભગવાનનો પાડ માને છે.

આજે પણ બીપીએલ કાર્ડ પર જીવન વિતાવે છે :

ભારતમાં હવે નેતા ચૂંટાઈ આવતા જ કરોડપતિ બની જતા હોય છે. ચાર-પાંચ વર્ષોમાં તો તેમની કરોડોની સંપત્તિ ઉભી થઈ જતી હોય છે. પરંતુ એક સમય એવો પણ હતો, જેમાં નેતાઓ હકીકતમાં જનતાની સેવા કરવા માટે ચૂંટણી લડતા હતા, અને ચૂંટણી જીત્યા બાદ લોકોના કામ કરીને તેમના આર્શીવાદ મેળવીને જ તેમનુ પેટ ભરાઈ જતું. ખેડબ્રહ્મા-વિજયનગર બેઠક પરથી સ્વતંત્ર પક્ષના ઉમેદવાર રહીને ધારાસભ્ય બનેલા જેઠાભાઈ રાઠોડ આજે પણ બીપીએલ કાર્ડ ધરાવે છે અને ગરીબીમાં જીવન વિતાવે છે.

ઝૂંપડા જેવુ ઘર, દીકરાઓ મજૂરી કામ કરે છે :

ન તો જેઠાભાઈનું ઘર વૈભવી છે ન તો તેમના ઘરની બહાર ગાડી ઉભી છે. તેમનુ ઝૂંપડા જેવુ ઘર જોવુ હોય તો વિજયનગર તાલુકાના ટેબડા ગામમાં જવુ પડે. જ્યાં તેમને વડલાઓથી વારસામાં મળેલુ ઝૂંપડા જેવુ ઘર છે. તેમના પાંચ દીકરા આજે પણ મજૂરી કામ કરે છે. સાંજ પડ્યે એટલુ કામ મળી જાય છે કે ઘરમાં બે ટંકનુ ભોજન બને.

પાંચ વર્ષમા એકપણ રૂપિયો ભેગો ન કર્યો :

80 વર્ષની વય વટાવી ચૂકેલા જેઠાભાઈ ભરવાડ પોતાના સિદ્ધાંતો પર જીવન જીવ્યા છે. ખેડબ્રહ્મા-વિજયનગર બેઠક પરથી સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે 17 હજાર મતથી જીત્યા હતા. કોંગ્રેસના ઉમેદવારને 17,000થી વધુ મતોથી હરાવ્યા હતા. 1967થી 1971 સુધી આ વિસ્તારના ધારાસભ્ય રહ્યા હતા. પાંચ વર્ષની ટર્મ દરમ્યાન એમણે હરામનો એક રૂપિયો પણ ભેગો ન કર્યો. પ્રમાણિકતાથી જીવન જીવ્યા બાદ આજે પણ તેઓ બીપીએલ લાભાર્થી તરીકે જીવન જીવે છે.

આ પણ વાંચો –

નશામાં ધૂત યુવકે જૂતા પહેરીને શિવલિંગ પર કર્યો બિયરનો અભિષેક, સ્થાનિક લોકોએ કાર્યવાહીને કરી માંગણી 

0

Drunk youth anoints beer

  •  બજરંગ દળના કાર્યકરોના કહેવા પ્રમાણે જો આરોપીઓ સામે આકરા પગલા નહીં લેવામાં આવે તો તેઓ આ ઘટનાના વિરોધમાં પ્રદર્શનો કરશે.

ચંદીગઢ,

સોશિયલ મીડિયામાં (Social media) એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં 2 યુવકો નશાની (Intoxication) હાલતમાં શિવલિંગ સાથે ગેરવર્તણૂક કરતા જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બેકગ્રાઉન્ડમાં ‘ભોલે બાબા‘ વાગી રહ્યું છે અને નશામાં ધૂત 2 યુવકો હાથમાં બિયરના કેન (Cans of beer) સાથે કોઈ નદીના કિનારે શિવલિંગ પાસે બેઠેલા છે. તે બંને યુવાનોએ પગમાં જૂતા પણ પહેરેલા છે અને તેમાંથી એક યુવાન શિવલિંગ પર બિયર વડે અભિષેક કરવા લાગે છે. તે સમયે બાજુમાં બેઠેલો યુવાન બિયર પીતો દેખાય છે.

વીડિયો પરથી સ્પષ્ટપણે જણાઈ આવે છે કે, તે બંને યુવાનો નશામાં ચૂર છે અને તેમના કોઈ મિત્રએ જ આ વીડિયો ઉતારીને તેને સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. શિવલિંગ પર બિયરનો અભિષેક કરનારો યુવાન ત્યાર બાદ હસી રહ્યો હોય તેમ દેખાય છે.

આ ઘટના ચંદીગઢની હોવાનું કહેવાઈ રહ્યું છે અને વીડિયો વાયરલ થયા બાદ બજરંગ દળ તથા ભાજપના કાર્યકરોએ આ મામલે પોલીસ ફરિયાદ કરીને આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવાની માગણી કરી છે.

જાણવા મળ્યા મુજબ આરોપીનું નામ નરેશ ઉર્ફે કાલિયા છે અને તે ઈન્દિરા કોલોનીનો રહેવાસી છે. બજરંગ દળના કાર્યકરોના કહેવા પ્રમાણે જો આરોપીઓ સામે આકરા પગલા નહીં લેવામાં આવે તો તેઓ આ ઘટનાના વિરોધમાં પ્રદર્શનો કરશે.

આ પણ વાંચો –

‘કેદ કરીને રાખ્યા હતા’, બાગી જૂથમાંથી ઉદ્ધવ ઠાકરે પાસે પાછા ફરેલા બે ધારાસભ્યોએ જણાવી આપવીતી

0

two MLAs who returned

  • બાગી જૂથમાંથી ઉદ્ધવ ઠાકરે પાસે પાછા ફરેલા બે ધારાસભ્યોએ જણાવી આપવીતી. જાણો શું કહ્યું આ બે બે ધારાસભ્યોએ.

મુંબઈ :

મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધન તૂટવાના આરે છે, કેમ કે શિવસેનાના મોટાભાગના ધારાસભ્ય બાગી નેતા એકનાથ શિંદેની સાથે ચાલ્યા ગયા છે. આ દરમિયાન પહેલીવાર ધારાસભ્ય બનેલા શિવસેનાના (Shiv Sena) બે નેતા ગયા બુધવારે વિદ્રોહી જૂથમાંથી પાછા ફર્યા અને દાવો કર્યો કે તેઓ શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની સાથે છે. બાલાપુરના ધારાસભ્ય નીતિન દેશમુખ (MLA Nitin Deshmukh) અને ઉસ્માનાબાદના ધારાસભ્ય કૈલાશ પાટિલે (MLA Kailash Patil) પાછા ફરીને કહ્યુ કે વિદ્રોહી જૂથ તેમને જબરદસ્તી ગુજરાતમાં સુરત લઈ ગયા અને ત્યાં કેદ કરવાનો પ્રયાસ કર્યો હતો.

નાગપુર પાછા ફરીને નીતિન દેશમુખે દાવો કર્યો કે તેમને હાર્ટ એટેક ગણાવીને સુરતના એક હોસ્પિટલમાં જબરદસ્તી દાખલ કરાયા હતા અને જ્યારે તેઓ મહારાષ્ટ્ર પાછા ફરવા ઈચ્છતા હતા તો તેમની ઈચ્છા વિરુદ્ધ ઈન્જેક્શન લગાવવામાં આવ્યા હતા. તેમના મિત્ર દિલીપ બાવચેએ જણાવ્યુ કે તેમણે બુધવારે સવારે દેશમુખ અને અન્ય ધારાસભ્યોની સાથે ગુવાહાટી માટે ઉડાન ભરી. વિધાયકની પત્ની દ્વારા પોલીસમાં લાપતાની ફરિયાદ નોંધાયા બાદ બાવચે એક દિવસ પહેલા નીતિન દેશમુખને મળવા માટે એક અન્ય મિત્ર સાથે સુરત આવ્યા હતા. બાવચેએ દાવો કર્યો કે દેશમુખે ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી અને તમામ બાબત શેર કરી.

મારી વિષે ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યાં છે મને હાર્ટએટેક નથી આવ્યો : નીતિન દેશમુખ

નીતિન દેશમુખના જણાવ્યા અનુસાર હુ સવારે 3 વાગે હોટલથી નીકળ્યો અને ભાગવાનો પ્રયત્ન કર્યો. મેન રોડ પર આવ્યા બાદ હુ લિફ્ટ લેવા માટે વાહનની તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન લગભગ 100 પોલીસનુ દળ ઘટના સ્થળે આવ્યુ અને મને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો અને મને દાખલ કરવામાં આવ્યા. બાદમાં તેમણે એ સમાચાર ફેલાવ્યો કે મને હાર્ટ એટેક આવ્યો. મને હોસ્પિટલમાં બેભાન કરી દેવાયો જેથી હુ ત્યાંથી બચીને નીકળી ના શકુ.

નીતિન દેશમુખે શુક્રવારે જણાવ્યુ હુ હંમેશાથી બાળાસાહેબનો કટ્ટર શિવસૈનિક રહ્યો છુ. આજે હુ જે કંઈ પણ છુ તે પાર્ટીના કારણે છુ. એક નાના ગામમાંથી આવ્યા બાદ હુ ધારાસભ્ય બન્યો. લોકોએ મને વોટ આપ્યા અને શિવસેનાના કારણે મને ધારાસભ્ય બનાવ્યો. હુ જે પાર્ટીના કારણે આજે અહીં છુ, તે પાર્ટીને દગો કેવી રીતે આપુ. હુ જીવીશ ત્યાં સુધી પાર્ટી માટે નિસ્વાર્થ ભાવે કામ કરતો રહીશ. આ દરમિયાન કૈલાશ પાટીલે બુધવારે મુંબઈમાં ઠાકરે નિવાસ માતોશ્રી પાછા ફરીને આરોપ લગાવ્યો કે એકનાથ શિંદેના સહયોગીઓએ તેમને દગો આપીને કામમાં સુરત લઈ જવાનો પ્રયત્ન કર્યો.

હું લોકો અને બાઇકવાળા લોકો પાસે મદદ માંગી માંગીને મુંબઇ પહોંચ્યો છું : કૈલાશ પાટિલે

ધારાસભ્યએ દાવો કર્યો કે તેમને તેમનો ઈરાદો સમજાઈ ગયો અને તેઓ ફરાર થઈ ગયા. કૈલાશ પાટિલે દાવો કર્યો કે તેઓ ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ નજીક કારમાંથી ઉતર્યા અને રાતે અમુક કિલોમીટર સુધી પાછા મુંબઈ તરફ ચાલ્યા. તેઓ કથિત રીતે એક બાઈક અને બાદમાં એક ટ્રકમાં લિફ્ટ લઈને મુંબઈ પહોંચવામાં સફળ રહ્યા. ધારાસભ્યએ શુક્રવારે જણાવ્યુ કે તેમણે ઠાકરે પ્રત્યે પોતાની નિષ્ઠાનુ વચન આપ્યુ છે. તેમણે પાર્ટીના બીજા સહયોગીઓ પાસે પણ પાછા ફરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યુ, તે તમામે પાછા ફરવુ જોઈએ જેથી પાર્ટીને કોઈ નુકસાન ન થાય.

નીતિન દેશમુખ વિશે વધુ માહિતી :

નીતિન દેશમુખ અકોલાના ચિન્ની ગામના રહેવાસી છે. તેમણે ગામના સરપંચ પદથી પોતાના રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. તેઓ પંટૂર પંચાયત સમિતિના ઉપાધ્યક્ષ બન્યા અને ત્રણ વખત અકોલા જિલ્લા પરિષદના સભ્ય રહ્યા. દેશમુખે 2009માં બાલાપુરથી નિર્દળીય ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા

પરંતુ હારી ગયા. બાદમાં તેમને પાર્ટીના અકોલા જિલ્લા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા અને 2019માં શિવસેનાના ટિકિટ પર વિધાનસભા ચૂંટણી જીતી. તેમણે બહુજન ગઠબંધનના હરિભાઉ પુંડકરને હરાવ્યા. નીતિન દેશમુખને દક્ષિણ મુંબઈના શિવસેના સાંસદ અરવિંદ સાવંતના સમર્થક માનવામાં આવતા હતા પરંતુ તાજેતરમાં જ એકનાથ શિંદેના નજીક હોવાની વાત કહી હતી.

કૈલાશ પાટીલ વિશે વધુ માહિતી ::

પહેલીવાર ધારાસભ્ય બનેલા કૈલાશ પાટીલ ઉસ્માનાબાદના સરોલા ગામના છે. તેઓ પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સાથે હતા અને 10 વર્ષ સુધી ગામના સરપંચ તરીકે કાર્ય કર્યુ પરંતુ 2017માં જિલ્લા પરિષદની ચૂંટણીમાં એનસીપીમાંથી ટિકિટ ના મળી તો તેઓ શિવસેનામાં જોડાયા. તેમણે પરિષદના સભ્ય તરીકે

ચૂંટાવા માટે પોતાની પૂર્વ પાર્ટીના ઉમેદવારને હરાવ્યા. તે વર્ષે તેમણે શિવસેનાના ઉસ્માનાબાદ જિલ્લા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા અને 2 વર્ષ તેમણે ઉસ્માનાબાદ ચૂંટણી વિસ્તારથી વિધાનસભા ચૂંટણી જીતી.

આ પણ વાંચો –

India vs Ireland : ટીમ ઈન્ડિયામાં 2 વિકેટ કીપર બેટ્સમેનનો સમાવેશ, હાર્દિક પંડ્યા તેને પ્રથમ મેચમાં આપશે તક !

0

India vs Ireland

  • India vs Ireland: ટીમ ઈન્ડિયામાં આયર્લેન્ડ પ્રવાસ માટે બે સ્ટાર વિકેટકીપર સામેલ છે. કેપ્ટન હાર્દિક પંડ્યા આમાંથી એકને તક આપી શકે છે. આ ખેલાડીઓ માત્ર થોડા જ બોલમાં મેચનો માર્ગ બદલી નાખે છે.

ટીમ ઈન્ડિયા (Team India) આયર્લેન્ડ પ્રવાસ પર બે T20 મેચોની શ્રેણી રમવાની છે. આ કારણે ટીમ ઈન્ડિયાની કમાન હાર્દિક પંડ્યાના (Hardik Pandya) હાથમાં છે. આ પ્રવાસ T20 વર્લ્ડ કપની તૈયારીઓના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પ્રવાસમાં ભારતીય ટીમમાં બે સ્ટાર વિકેટ કીપર (Two star wicket keeper) બેટ્સમેન સામેલ છે. આવી સ્થિતિમાં પ્રથમ ટી20 મેચમાં કેપ્ટન હાર્દિક હાર્દિક સ્ટાર ખેલાડીને તક આપી શકે છે.

આ બે વિકેટ કીપર ખેલાડીઓ ટીમમાં સામેલ છે :

આયર્લેન્ડ પ્રવાસ પર દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં શાનદાર રમત દેખાડનાર દિનેશ કાર્તિકને સ્થાન મળ્યું છે. તે જ સમયે, પસંદગીકારોએ લાંબા સમય પછી સંજુ સેમસનને ટીમ ઈન્ડિયામાં પાછો મેળવ્યો છે. આ બંને ખેલાડીઓ મેચને બદલવાની ક્ષમતા ધરાવે છે. હાર્દિક પંડ્યા સુપરસ્ટાર દિનેશ કાર્તિકને વિકેટકીપિંગની જવાબદારી સોંપી શકે છે. સાથે જ સંજુ સેમસનને મિડલ ઓર્ડરમાં ઉતારવામાં આવી શકે છે.

37 વર્ષનું પુનરાગમન :

જ્યારે બધા દિનેશ કાર્તિકની કારકિર્દી ખતમ થવાનું વિચારી રહ્યા હતા. ત્યારબાદ કાર્તિકે IPL 2022માં RCB ટીમ માટે તોફાની રમત બતાવીને બધાનું દિલ જીતી લીધું. તેણે RCB માટે 16 મેચમાં 330 રન બનાવ્યા હતા. તે ટીમ માટે ફિનિશર તરીકે ઉભરી આવ્યો હતો. આ કારણે તેને દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં ત્રણ વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં તક મળી.

ટીમ ઈન્ડિયા માટે બન્યો ફિનિશર :

દિનેશ કાર્તિકે ચોથી T20 મેચમાં 27 બોલમાં 55 રન બનાવ્યા હતા. કોચ રાહુલ દ્રવિડે પણ કહ્યું કે દિનેશ કાર્તિક ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ બની શકે છે. કાર્તિકની વિકેટકીપિંગ કુશળતા પણ અદભૂત છે. આવી સ્થિતિમાં તે આયર્લેન્ડ પ્રવાસ પર વિકેટકીપર તરીકે જોવા મળી શકે છે.

ફાઈનલમાં રાજસ્થાન પહોંચી હતી :

પસંદગીકારોએ સંજુ સેમસનને એટલી તક આપી ન હતી જેટલી તેઓએ રિષભ પંત અને ઈશાન કિશનને આપી હતી. સંજુએ હંમેશા પોતાની પ્રતિભાના જોરે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી છે. IPL 2022માં સંજુ સેમસને શાનદાર રમત બતાવી. તેણે IPL 2022ની 17 મેચમાં 458 રન બનાવ્યા હતા. સંજુ સેમસનની કપ્તાનીમાં રાજસ્થાન રોયલ્સે ફાઈનલ સુધીનો પ્રવાસ ખેડ્યો હતો. આવી સ્થિતિમાં તે ત્રીજા નંબર પર રમવાનો મોટો દાવેદાર છે.

યુવા ખેલાડીઓને તક મળી :

ટી20 વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ આયર્લેન્ડ પ્રવાસ પર ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપ્યું છે. જેમાં ઉમરાન મલિક અને અર્શદીપ સિંહનો સમાવેશ થાય છે. આ સાથે જ સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી શાનદાર રમત દેખાડનાર રાહુલ ત્રિપાઠીને તક મળી છે.

આ પણ વાંચો –

ખાખીને સેલ્યુટ ! એમ્બ્યુલન્સ ન આવી ત્યાં સુધી યુવાનનું હાર્ટ પંપીગ કરી બચાવ્યો જીવ,

0

Khaki salute

  • સુરત પોલીસનો માનવતાભર્યો ચહેરો, સુરત પોલીસની મદદથી યુવાનનો બચ્યો જીવ, રસ્તો ક્રોસ કરતી વખતે ઇજાગ્રસ્ત થતા પોલીસ દોડતી આવી ગઇ મદદે

સેવા, સુરક્ષા અને શાંતિ જાળવવાનું કાર્ય કરવું પોલીસની (Police) ફરજ છે. પોલીસ હંમેશા પોતાની ફરજોને લઇને કાર્યશીલ રહે છે. પરંતુ હા માનવતા ક્યારેય ભુલતા નથી. ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય પરંતુ માનવતારૂપી ફરજ નિભાવવાનું ક્યારેય ન ચૂકે. પછી તે કોરોનાની મહામારી હોય કે પછી સામાન્ય માણસની મુશ્કેલી. આપણે કોરોનાકાળમાં (Coronal period) પોલીસનો માનવતા ભર્યો ચહેરો જોયો જ છે. ભર ઉનાળો હોય કે કકડતી ઠંડી પોલીસ હંમેશા ખડેપગે રહે છે. ત્યારે સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો જ્યાં ખાખી વર્દીને સલામ કરવાનું મન થાય.

એમ્બ્યુલન્સ ન આવી ત્યાં સુધી પોલીસે કર્યુ હાર્ટપંપિંગ :

બન્યું એવું કે સુરતમાં રસ્તો ક્રોસ કરતી વખતે એક યુવાન પડી જતા ઇજાગ્રસ્ત થઇ ગયો.  જોત જોતામાં યુવાનને બચાવવા લોકો ભેગા થઇ ગયા. નજીક ઉભેલો લોકરક્ષક દળનો જવાન પણ તુરંત જ દોડી આવ્યો. યુવકની સ્થિતિ જોઇને તેણે યુવકને  સાઇ઼ડમાં લઇ જઇને હાર્ટ પંપિંગ કરવાનું શરૂ કર્યું.  એમ્બ્યુલન્સને પણ કોલ કર્યો અને જ્યાં સુધી એમબ્યુલન્સ આવી નહી ત્યા સુધી પોલીસ જવાને તે યુવકનું હાર્ટ પંપિંગ કર્યુ.

પોલીસે બચાવ્યો યુવકનો જીવ :

પોલીસ જવાનની આ કામગીરીનો વીડિયો સામે આવ્યો છે. લોકો આ કામગીરી બદલ પ્રશંસા કરી રહ્યા છે. યુવાનને સમયસર હોસ્પિટલ ખસેડાતા હાલ તેની તબિયત સ્થિર છે. ત્યારે અહીં ખાસ પોલીસ જવાનનો આભાર માનવો રહ્યો. તેમની સમયસૂચકતા અને મદદને કારણે યુવકનો જીવ બચી ગયો.

આ પણ વાંચો –

ગુજરાતમાં તક્ષશિલા જેવી ઘટના થતાં-થતાં બચી, 3 કૉન્સ્ટેબલોએ વિદ્યાર્થીઓને કૂદવાથી રોક્યા

0

Survivors like Takshashila

  • વડોદરામાં ફોનિક્સ સ્કૂલમાં લાગી આગ, શાળામાં ફાયર સેફ્ટીની સુવિધા હતી કે નહી તે એક સવાલ, તમામ વિદ્યાર્થીઓને સહી સલામત બહાર કઢાયા

વડોદરા, 24 જૂન 2022  શુક્રવાર .

ગુજરાતની (Gujarat) શાળાઓમાં ફાયર સેફ્ટીની (Fire Safety) સુવિધાને લઇને અવારનવાર ટકોર કરવામાં આવે છે. શાળામાં ફાયર સેફ્ટીના સાધનો હોવા અનિવાર્ય છે. આ અંગે જે તે શહેરનું તંત્ર કાળજી રાખે તે આવશ્યક થઇ પડે છે. પરંતુ હજી પણ એવી ઘણી શાળા છે જ્યાં વિદ્યાર્થીઓ જીવના જોખમે ભણે છે. કારણ કે ત્યાં ફાયર સેફ્ટીની સુવિધા નથી. ઠેર ઠેર સ્કૂલના નામે શરૂ થયેલી શિક્ષણની હાટડીઓમાં ફાયર સેફ્ટીને પ્રાધાન્ય આપવામાં આવતું નથી પરિણામે અગ્નિકાંડ (Fire) જેવી ઘટનાઓ બને છે. સુરતની ચકચારી ઘટના તક્ષશિલા અગ્નિકાંડ ભૂલાય એમ જ નથી ત્યારે વડોદરાની એક શાળામાં તક્ષશિલા જેવી જ ઘટના બનતા બનતા રહી ગઇ.

ફોનિક્સ સ્કૂલમાં આગ લાગતા દોડધામ :

વડોદરાની ફોનિક્સ સ્કૂલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. શાળામાં એકાએક શોટ સર્કિટને કારણે આગ લાગતા વિદ્યાર્થીઓ બેગ લઇને ભાગ્યા. ઘટનાને પગલે ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયરના જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા. આગને કાબૂમાં લઇને ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

16 દિવસની દીકરીને માના ખોળામાં સળગાવી દેવાઈ : ગોધરા કાંડ પર અમિત શાહે કર્યા મોટા ખુલાસા

0

16-day-old daughter burnt

  • SC એ PM મોદીને 2002 રમખાણોમાં કલીનચીટ મળવાનો મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

નવી દિલ્હી , 25 જૂન 2022 , શનિવાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ શનિવારે ન્યૂઝ એજન્સી એનઆઈને આપેલા ઈન્ટરવ્યુંમાં 2002માં ગુજરાતમાં થયેલા રમખાણોને પોતાની પ્રતિક્રિઆપતાં જણાવ્યું હતું કે, પીએમ મોદી પર લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા સાબિત થયા.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) કહ્યું હતું કે, 2002 રમખાણોને લઈને ખૂબ મોટા સ્તરે PM મોદી પર આરોપો લગાવાયા હતો અને ખૂબ પ્રચાર કરાયો હતો. 18-19 વર્ષની લડાઈ, દેશના આવા મહાન નેતાએ એક પણ શબ્દ બોલ્યા વિના ભગવાન શંકરની (Lord Shankar) જેમ ઝેરની ગળામાં લઈને તમામ દુ:ખો સામે લડતા રહ્યા અને આજે જ્યારે સત્ય સોનાની જેમ ઝળકી રહ્યું છે. હવે આનંદ આવી રહ્યો છે

PM મોદીને દુ:ખ સહન કરતા મે ઘણા નજીકથી જોયા છે – શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, ગુજરાત રમખાણોને રાજકીય ચશ્માથી જોવાયા છે. PM મોદીએ બંધારણનું સન્માન કર્યુ છે. મેં મોદીજીને નજીકથી આ પીડાઓનો સામનો કરતા જોયા છે કારણ કે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી હતી.બધું સત્ય હોવા છતાં પણ અમે  કંઈ કહીશું નહીં.રમખાણોના મામલે મારી પણ પૂછપરછ થઈ હતી. અમિતશાહે વિપક્ષોના આડે હાથ લેતાં જણાવ્યું હતું કે, અમે દેશભરમાંથી કાર્યકર્તાઓને બોલાવી પ્રદર્શન નહોતા કર્યા .જે લોકોએ મોદીજી પર આરોપ લગાવ્યા છે. તેઓની અંતરઆત્મા છે.તો તેમણે મોદીજીને અને બીજેપીના નેતાઓ પાસે માફી માંગવી જોઈએ.

જે દિવસે ગુજરાત બંધનું એલાન કરાયું હતું તે જ દિવસે અમે સેના બોલાવી લીધી હતી – શાહ

2002 ગુજરાત રમખાણો પર ગૃહમંત્રી અમિત શાહના ખુલાસા આપતાં જણાવ્યું હતું કે, જે દિવસે ગુજરાત બંધનું એલાન કરાયું હતું તે જ દિવસે અમે સેના બોલાવી લીધી હતી. જનતાએ ક્યારેય આરોપોને સ્વીકાર્યા નથી, અમે ક્યારેય ચૂંટણી હાર્યા નથી, હવે તો સુપ્રીમ કોર્ટે પણ આ માન્યું છે. તમેણે ઉમેર્યું હતું કે, તે સમયે એવી વાતો ફેલાવવામાં આવી કે ફાયરિંગ માત્ર મુસ્લિમો માર્યા ગયા, પણ હવે કોર્ટે સ્વીકાર્યું છે કે આવું નથી થયું તમણે વધુમાં ઉમેર્યુ હતું કે, લોકોને ટ્રેનમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા પણ તે સમયે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈએ ઘટનાની ટીકા પણ ન કરી તેમણે કોંગ્રેસ પાર્ટી પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, મોદીજીને ટાર્ગેટ કરવા માટે તિસ્તા સિતલવાડને કેન્દ્ર સરકારે મદદ કરી હતી.

આ પણ વાંચો –

રાહુલ, સોનિયા સામેની તપાસથી હોબાળો શા માટે? નરેન્દ્ર મોદીએ પણ તપાસનો સામનો કર્યો હતો

ગુજરાતના કોમી રમખાણો સંદર્ભે નરેન્દ્ર મોદીને ૬૦થી વધુ તપાસપંચો, સરકારી, બિનસરકારી તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સુપ્રીમકોર્ટ દ્વારા નિયુક્ત તપાસ એજન્સીએ પણ કિલનચીટ આપી હતી ઉપરાંત સુપ્રીમે વધુ એક અરજી ફગાવી દઈને નરેન્દ્ર મોદીને વધુ એક વખત કિલનચીટ આપી
 
એક રાજ્યના મુખ્યમંત્રીને તપાસ એજન્સી સામે ઊભા રહેવું પડે એ નાની ઘટના નથી અને છતા નરેન્દ્ર મોદી આવી ઘટનાઓમાંથી પસાર  થયા હતા
 
રાહુલ અને સોનિયા ગાંધી સામે માત્ર કહેવાતી આર્થિક ગેરરીતિની શંકા છે છતાં ડર શા માટે?, જાહેર જીવનમા આવી ઘટનાઓ બનતી જ રહેવાની, અમેરિકા સહિત વિશ્વના નેતાઓ સામે તપાસ અને આક્ષેપ થતા રહ્યા છે
 
 
૨૬ માર્ચ ૨૦૧૦ના એ દિવસે ગુજરાતભરમાં સન્‍નાટો હતો, દેશના અન્ય રાજ્યોની નજર પણ ગુજરાત ઉપર હતી, પ્રચાર માધ્યમોમાં પણ નરેન્દ્ર મોદી છવાયેલા હતા. એક એક પળની ઘટનાથી વાકેફ થવા લોકો કાન સરવા કરીને બેઠા હતા. કારણ કે, ગુજરાતના કોમી રમખાણોની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ ‘સીટ’ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પૂછપરછ કરી રહી હતી.
જે રીતે સમાચારો વહી રહ્યા હતા એ જોતા ‘સીટ’ નરેન્દ્ર મોદીને ચોક્કસ દોષિત ઠેરવશે એવું લાગતું હતું. ઘણાં લોકો તો ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ હશે? તેની ગણતરીઓ મુકી રહ્યાં હતા. ‘સીટ’ના અધિકારીઓએ સતત બે દિવસ ગુજરાતના મુખ્યમંત્રીની આકરી પૂછપરછ કરી પરંતુ પરિણામ કંઈ જ મળ્યું નહીં. મોદી વિરોધી છાવણીમાં પક્ષના અને વિપક્ષનાં લોકો હાથ મસળીને ઊભા રહી ગયા.
મામલો ગુજરાતના કોમી રમખાણોનો હતો અને કોમી રમખાણોની ઘટનામાં કોઈ રાજ્યના મુખ્યમંત્રીને સરકારી તપાસ એજન્સીનો સામનો કરવો પડ્યો હોવાની કદાચ આ પહેલી ઘટના હતી. આ અગાઉ બિહારના મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવ સામે ઘાસચારા કૌભાંડનો પુરાવા આધારિત કેસ હતો અને લાલુને કોર્ટના કઠેરામાં દોષિત ઠેરવવા ઉપરાંત સજા પણ કરવામાં આવી હતી. પરંતુ નરેન્દ્ર મોદીએ કોમી રમખાણ કરાવ્યાના કોઈ સજ્જડ પુરાવા નહોતા, છતાં તેમની સામે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો.
કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. કોંગ્રેસ સરકારના સલાહકારો ખોટા હતા અથવા તો કોંગ્રેસ નેતાગીરીએ કોઈની સલાહ લીધી નહોતી. અન્યથા એક રાજ્યના મુખ્યમંત્રીને આરોપીના પીંજરામાં ઊભા કરવાની ભૂલ કરી ન હોત.
ગુજરાતમાં અનેક સ્થળોએ કોમી રમખાણો થયા હતા. આ રમખાણોમાં ખરેખર કેટલાં લોકો હોમાઈ ગયા હતા તેનો કદાચ આજે પણ સાચો અંદાજ નહીં હોય. કોમી રમખાણોની અનેક ઘટનાઓ પૈકીની અમદાવાદની એક ઘટનામાં કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરી સહિત ૬૩ લોકોને મારી નાંખવામાં આવ્યા હતા. ઘટના અત્યંત હૃદયદ્રાવક હતી. લોકોને ઘરમાં કેદ કરીને સળગાવી દેવાયા હતા. આ ઘટના માનવતાના નામે કલંક હતી. કોઈ પણ ઘટનાની ન્યાયિક તપાસ થવી જ જોઈએ, પરંતુ કોઈ ચોક્કસ વ્યક્તિને કેન્દ્રમાં રાખીને તપાસ કરવામાં આવે તો અપે‌‌િક્ષત પરિણામો મળતા નથી.
અમદાવાદના જુહાપુરાની ઘટનામાં એક નહીં ૬૩ લોકો બેમોત માર્યા ગયા હતા. પરંતુ આ ઘટનાના મૂળમાં ખરેખર કોણ જવાબદાર હતું તે હજુ સુધી સો ટકા પ્રમાણભૂત થયું નથી. ઘટનાની તપાસ માટે નિયુક્ત કરવામાં આવેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ ‘સીટ’એ તપાસનો દોર શરૂ કર્યો અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની બબ્બે દિવસ પૂછપરછ કરવામાં આવતાં જાત જાતની અટકળો શરૂ થઈ ગઈ હતી. આમ પણ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને ગુજરાતમાં ભાજપની સરકાર હતી એટલે લોકોએ તર્કનો મારો ચલાવ્યો હતો. પરંતુ કોઈપણ લોકો અપે‌િક્ષત ઈચ્છા કે ધારણા સુધી પહોંચી શક્યા નહોતા.
અલબત દેશમાં અને વિદેશમાં નરેન્દ્ર મોદી માટે જાત જાતની અટકળો વહેતી થઈ હતી, પરંતુ લાંબી તપાસમાં તપાસ એજન્સી એક પણ પુરાવો કે આરોપ મુકી શકી નહોતી.
નરેન્દ્ર મોદીને અગાઉ વારંવાર કિલનચીટ મળી ચૂકી હોવા છતા સુપ્રીમકોર્ટમાં વધુ એક અરજી કરવામાં આવી હતી. પરંતુ સુપ્રીમકોર્ટે ઝાકિયા ઝાફરીની અરજી ફગાવી દીધી અને કોર્ટે એવી ટીપ્પણી કરી હતી કે પાછલા ૧૬ વર્ષથી માત્ર આ વિષયને જીવતો રાખવા આવી અરજીઓ કરવામાં આવે છે ખરેખર તેનો હેતુ સ્પષ્ટ નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે ૬૦થી વધુ તપાસપંચો, સરકારી અને બિનસરકારી તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા અને સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુંક્ત કરાયેલી સ્પેશ્યલ ‌ઇન્સ્વેટીંગેશન એજન્સી ‘સીટ’ની તપાસમાં પણ નરેન્દ્ર મોદીને કિલનચિટ આપવામાં આવી હતી.
સુપ્રીમકોર્ટે તો ત્યાં સુધી કહ્યું હતું કે કોર્ટની પ્રક્રિયાનો દુરઉપયોગ કરનારાઓ તમામ કોર્ટના કઠેડામાં હોવા જોઇએ.
સુપ્રીમ કોર્ટનો આજનો ચુકાદો આયોજન પૂર્વક નહોતો પરંતુ ‘નેશનલ હેરલ્ડ’ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની કરવામાં આવી રહેલી પુછપરછના સમયે જ આવતા કોંગ્રેસ અને મોદી વિરોધીઓ માટે લપડાક બરાબર ગણી શકાય.
એ વાત અલગ છે કે, ત્યાર પછીના વર્ષોમાં દિલ્હીમાં પણ રાજકીય સમીકરણો બદલાયા હતા, પરંતુ પાછલાં કેટલાક દિવસોથી કોંગ્રેસના નેતા રાહુલ અને સોનિયા ગાંધી સામે ‘નેશનલ હેરાલ્ડ’ નામના અખબારની મિલકતોનાં પ્રકરણમાં ચાલી રહેલી ઈડીની તપાસનું શું પરિણામ આવશે એ આજે કહેવું વહેલુ ગણાશે. કારણ કે, મામલો વર્ષો જુનો છે. વળી આખી ઘટનામાં કંઈ થયું હશે તો પણ આર્થિક ગેરરીતિ થઈ હશે. ફોજદારી ધારાનો ભંગ કરાયો હશે કે કેમ એ હવે પછીની તપાસનો દોર કહી શકે.
પરંતુ બંધ થઈ ગયેલા ‘નેશનલ હેરાલ્ડ’ના નામે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે તપાસનો દોર અને તપાસ એજન્સી ‘ઈડી’ સમક્ષ હાજર કરવાની ઘટના દેશભરમાં ચર્ચાનો વિષય છે. ઘણાં લોકો આ ઘટના રાજકીય નજરથી મુલવી રહ્યાં છે, તો ઘણાં લોકો માટે ઈડીની ઈન્કવાયરી એક પ્રક્રિયાનો ભાગ છે. કારણ કે, આખી ઘટનામાં ખરેખર શું થયું હતું તેનાથી લોકો અજાણ છે.
ગુજરાતનાં રમખાણો અને ગુજરાતના જે તે સમયનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પૂછપરછને આ ઘટના સાથે કોઈ નિસ્બત નથી પરંતુ જાહેર અને રાજકીય જીવનમાં સત્તા સ્થાને બેઠેલી વ્યક્તિની કોઈ સરકારી એજન્સી પૂછપરછ કરે ત્યારે સ્વભાવિક અપમાનનો ભાવ પેદા થાય.
હાલમાં કોંગ્રેસના નેતાઓ પણ આવી જ ભાવનામાંથી પસાર થતા હશે, પરંતુ સમયની સાથે સાથે ઘણું બધુ ભુલાઈ જતુ હોય છે. આ ઘટના પણ આવતીકાલે ભુલાઈ જશે, પરંતુ રાજકીય શતરંજમાં આવતીકાલે બીજો નવો દાવ રમવામા નહીં આવે એવું કોઈ જ કહી શકાય તેમ નથી.
આ પણ વાંચો –

25 જુન 2022, રાશિફળ : આ રાશિના જાતકો પર રામદેવપીર વરસાવશે કૃપાવર્ષા, દરેક મનોકામના થશે પૂરી

June 25, 2022, Horoscope Gujarat Guardian

મેષઃ- આવક વધતાં આનંદની અનૂભુતી વધતી જણાય. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધે. શેર બજીરમાં રોકાણ ટાળવું. અન્યથા નુકશાનનો સંભવ છે. પરિવારમાં મતભેદ સંભવે. આરોગ્ય સારૂં રહેશે. નોકરી ધંધામં રાહત રહેશે.

વૃષભઃ- દિવસ દરમ્યાન આનંદમાં વૃદ્ધિ થાય. મોજ શોખમાં ખર્ચ વધે. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. શેરબજારમાં સાચવવું. ઉછીના આપેલા નાણાં ફસાઇ જાય. દામ્પત્ય સુખ તથા નોકરી ધંધા માટે ઉત્તમ દિવસ.

મિથુનઃ- આકસ્મિક ખર્ચ આવી પડે. માનસીક અશાંતિનો અનુભવ કરવો પડે. પરિવારમાં મનમેળ જળવાય. માતાની તબિયત સારી રહે. માતૃપક્ષ તરફથી સહકાર મળતો જણાય. સંતાન સુખ સારૂં મળે. નવી વિદ્યા શીખવાના યોગ બને છે.

કર્કઃ- નાણાંનો લાભ મળતો જણાય. મિત્રો તરફથી સહકાર મળે. જુના મિત્રો ને મળવાનું થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. વાહન સુખ સારૂં. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય સાચવવું. ગળાના રોગોથી સાવચેતી જરૂરી.

સિંહઃ- નવી નોકરી, બદલી અથવા બઢતી મળે. નવા ધંધાની શરૂઆત શક્ય બને. માન-સન્માન વધતા જણાય. માતા-પિતા તરફથી સ્નેહ વધતો જણાય. મિત્ર વર્ગની ચિંતા રહે. વિદેશ અંગેના કાર્યો સંબંધોમાં લાભ.

કન્યાઃ- ધરમાં આદ્યાત્મિક વાતાવરણ બને . પૂજન અર્ચન શક્ય બને. તમામ કાર્યોમાં ભાગ્ય સાથ આપતું જણાય. લક્ષ્મી ની પ્રાપ્તિ થાય. પરિવારમાં શાંતિ વધે. માતાની તબિયત સાચવવી. સંતાન તરફથી સંતોષ.

તુલાઃ- ધનહાનિ નો યોગ બને છે. આથી તમામ નાણાંકીય વ્યવહારો માં સાવઘાની રાખવી. પેટમાં ગેસ, ઝાડા થઇ શકે છે. પત્નિ સાથે પ્રેમ જળવાશે. દિવસ દરમ્યાન મિશ્ર ફળનો અનુભવ થશે.

વૃશ્ચિકઃ- ભાગીદારી તથા પત્નિસુખ માં વૃદ્ધિ થતી જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કરેલા રોકાણોથી લાભ મળે. નવા રોકાણ કરવા માટે સારો દિવસ છે.
ધનઃ- દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. આવક-જાવક નું પાતું સરભર તતું જણાય. પરિવારના સભ્યો સાથે સંધર્ષ ટાળવો. જીવનસાથીની તબિયતના પ્રશ્નો ઉદભવતા જણાય. આરોગ્ય જળવાય.

મકરઃ- દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહ નું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ વઘતું જણાય. પરિવારમાં મનમેળ રહે. સંતાન ની અણધારેલી પ્રગતિ થી આનંદ થાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખ, હાડકા નબળા થતા જણાય.

કુંભઃ- સાહસ કરવાની ભવના વધે. થોડો ગુસ્સો રહે. આર્થિક દ્રષ્ટિએ સારો દિવસ. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. પિતા તરફથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

મીનઃ- પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થાય. કરેલા કાર્યોમાં સફળતા મળે. નવું કાર્ય શરૂ કરવા માટે સારો દિવસ. મિત્રો તરફથી સારા સમાચાર મળે દિવસ દરમ્યાન આરોગ્ય જળવાશે. ઉત્તમ દિવસ.

આ પણ વાંચો –