‘કેદ કરીને રાખ્યા હતા’, બાગી જૂથમાંથી ઉદ્ધવ ઠાકરે પાસે પાછા ફરેલા બે ધારાસભ્યોએ જણાવી આપવીતી

Share this story

two MLAs who returned

  • બાગી જૂથમાંથી ઉદ્ધવ ઠાકરે પાસે પાછા ફરેલા બે ધારાસભ્યોએ જણાવી આપવીતી. જાણો શું કહ્યું આ બે બે ધારાસભ્યોએ.

મુંબઈ :

મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધન તૂટવાના આરે છે, કેમ કે શિવસેનાના મોટાભાગના ધારાસભ્ય બાગી નેતા એકનાથ શિંદેની સાથે ચાલ્યા ગયા છે. આ દરમિયાન પહેલીવાર ધારાસભ્ય બનેલા શિવસેનાના (Shiv Sena) બે નેતા ગયા બુધવારે વિદ્રોહી જૂથમાંથી પાછા ફર્યા અને દાવો કર્યો કે તેઓ શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની સાથે છે. બાલાપુરના ધારાસભ્ય નીતિન દેશમુખ (MLA Nitin Deshmukh) અને ઉસ્માનાબાદના ધારાસભ્ય કૈલાશ પાટિલે (MLA Kailash Patil) પાછા ફરીને કહ્યુ કે વિદ્રોહી જૂથ તેમને જબરદસ્તી ગુજરાતમાં સુરત લઈ ગયા અને ત્યાં કેદ કરવાનો પ્રયાસ કર્યો હતો.

નાગપુર પાછા ફરીને નીતિન દેશમુખે દાવો કર્યો કે તેમને હાર્ટ એટેક ગણાવીને સુરતના એક હોસ્પિટલમાં જબરદસ્તી દાખલ કરાયા હતા અને જ્યારે તેઓ મહારાષ્ટ્ર પાછા ફરવા ઈચ્છતા હતા તો તેમની ઈચ્છા વિરુદ્ધ ઈન્જેક્શન લગાવવામાં આવ્યા હતા. તેમના મિત્ર દિલીપ બાવચેએ જણાવ્યુ કે તેમણે બુધવારે સવારે દેશમુખ અને અન્ય ધારાસભ્યોની સાથે ગુવાહાટી માટે ઉડાન ભરી. વિધાયકની પત્ની દ્વારા પોલીસમાં લાપતાની ફરિયાદ નોંધાયા બાદ બાવચે એક દિવસ પહેલા નીતિન દેશમુખને મળવા માટે એક અન્ય મિત્ર સાથે સુરત આવ્યા હતા. બાવચેએ દાવો કર્યો કે દેશમુખે ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી અને તમામ બાબત શેર કરી.

મારી વિષે ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યાં છે મને હાર્ટએટેક નથી આવ્યો : નીતિન દેશમુખ

નીતિન દેશમુખના જણાવ્યા અનુસાર હુ સવારે 3 વાગે હોટલથી નીકળ્યો અને ભાગવાનો પ્રયત્ન કર્યો. મેન રોડ પર આવ્યા બાદ હુ લિફ્ટ લેવા માટે વાહનની તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન લગભગ 100 પોલીસનુ દળ ઘટના સ્થળે આવ્યુ અને મને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો અને મને દાખલ કરવામાં આવ્યા. બાદમાં તેમણે એ સમાચાર ફેલાવ્યો કે મને હાર્ટ એટેક આવ્યો. મને હોસ્પિટલમાં બેભાન કરી દેવાયો જેથી હુ ત્યાંથી બચીને નીકળી ના શકુ.

નીતિન દેશમુખે શુક્રવારે જણાવ્યુ હુ હંમેશાથી બાળાસાહેબનો કટ્ટર શિવસૈનિક રહ્યો છુ. આજે હુ જે કંઈ પણ છુ તે પાર્ટીના કારણે છુ. એક નાના ગામમાંથી આવ્યા બાદ હુ ધારાસભ્ય બન્યો. લોકોએ મને વોટ આપ્યા અને શિવસેનાના કારણે મને ધારાસભ્ય બનાવ્યો. હુ જે પાર્ટીના કારણે આજે અહીં છુ, તે પાર્ટીને દગો કેવી રીતે આપુ. હુ જીવીશ ત્યાં સુધી પાર્ટી માટે નિસ્વાર્થ ભાવે કામ કરતો રહીશ. આ દરમિયાન કૈલાશ પાટીલે બુધવારે મુંબઈમાં ઠાકરે નિવાસ માતોશ્રી પાછા ફરીને આરોપ લગાવ્યો કે એકનાથ શિંદેના સહયોગીઓએ તેમને દગો આપીને કામમાં સુરત લઈ જવાનો પ્રયત્ન કર્યો.

હું લોકો અને બાઇકવાળા લોકો પાસે મદદ માંગી માંગીને મુંબઇ પહોંચ્યો છું : કૈલાશ પાટિલે

ધારાસભ્યએ દાવો કર્યો કે તેમને તેમનો ઈરાદો સમજાઈ ગયો અને તેઓ ફરાર થઈ ગયા. કૈલાશ પાટિલે દાવો કર્યો કે તેઓ ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ નજીક કારમાંથી ઉતર્યા અને રાતે અમુક કિલોમીટર સુધી પાછા મુંબઈ તરફ ચાલ્યા. તેઓ કથિત રીતે એક બાઈક અને બાદમાં એક ટ્રકમાં લિફ્ટ લઈને મુંબઈ પહોંચવામાં સફળ રહ્યા. ધારાસભ્યએ શુક્રવારે જણાવ્યુ કે તેમણે ઠાકરે પ્રત્યે પોતાની નિષ્ઠાનુ વચન આપ્યુ છે. તેમણે પાર્ટીના બીજા સહયોગીઓ પાસે પણ પાછા ફરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યુ, તે તમામે પાછા ફરવુ જોઈએ જેથી પાર્ટીને કોઈ નુકસાન ન થાય.

નીતિન દેશમુખ વિશે વધુ માહિતી :

નીતિન દેશમુખ અકોલાના ચિન્ની ગામના રહેવાસી છે. તેમણે ગામના સરપંચ પદથી પોતાના રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. તેઓ પંટૂર પંચાયત સમિતિના ઉપાધ્યક્ષ બન્યા અને ત્રણ વખત અકોલા જિલ્લા પરિષદના સભ્ય રહ્યા. દેશમુખે 2009માં બાલાપુરથી નિર્દળીય ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા

પરંતુ હારી ગયા. બાદમાં તેમને પાર્ટીના અકોલા જિલ્લા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા અને 2019માં શિવસેનાના ટિકિટ પર વિધાનસભા ચૂંટણી જીતી. તેમણે બહુજન ગઠબંધનના હરિભાઉ પુંડકરને હરાવ્યા. નીતિન દેશમુખને દક્ષિણ મુંબઈના શિવસેના સાંસદ અરવિંદ સાવંતના સમર્થક માનવામાં આવતા હતા પરંતુ તાજેતરમાં જ એકનાથ શિંદેના નજીક હોવાની વાત કહી હતી.

કૈલાશ પાટીલ વિશે વધુ માહિતી ::

પહેલીવાર ધારાસભ્ય બનેલા કૈલાશ પાટીલ ઉસ્માનાબાદના સરોલા ગામના છે. તેઓ પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સાથે હતા અને 10 વર્ષ સુધી ગામના સરપંચ તરીકે કાર્ય કર્યુ પરંતુ 2017માં જિલ્લા પરિષદની ચૂંટણીમાં એનસીપીમાંથી ટિકિટ ના મળી તો તેઓ શિવસેનામાં જોડાયા. તેમણે પરિષદના સભ્ય તરીકે

ચૂંટાવા માટે પોતાની પૂર્વ પાર્ટીના ઉમેદવારને હરાવ્યા. તે વર્ષે તેમણે શિવસેનાના ઉસ્માનાબાદ જિલ્લા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા અને 2 વર્ષ તેમણે ઉસ્માનાબાદ ચૂંટણી વિસ્તારથી વિધાનસભા ચૂંટણી જીતી.

આ પણ વાંચો –