Home Blog Page 1392

 પિતા-પુત્રીની જોડીએ IAFમાં ઇતિહાસ રચ્યો, એક જ મિશન માટે એક જ ફાઇટર ફોર્મેશનમાં ઉડાન ભરી

0

Father-daughter duo make

પિતા-પુત્રીની જોડીએ IAFમાં ઇતિહાસ રચ્યો છે. દેશના ઇતિહાસમાં પહેલી વાર એક પિતા અને દીકરીએ ફાઇટર પ્લેનની એક સાથે ઉડાન ભરી છે. આ કોઇ ફિલ્મનું દર્શ્ય નથી પણ સૈનાનું જીવતું જાગતું ઉદાહરણ છે. અનન્યાના પિતા એર કોમોડોર સંજય શર્મા 1989માં IAF ના ફાઇટર સ્ટ્રીમમાં (Fighter stream) નિયુક્ત થયા હતા. તેમની પાસે મિગ-21 સ્ક્વૉડ્રન તેમજ ફ્રન્ટલાઇન ફાઇટર સ્ટેશનના (Frontline fighter station) કમાન્ડિંગ સાથે ફાઇટર ઓપરેશન્સનો બહોળો અનુભવ હતો.

એરફોર્સના ફાઈટર પાઈલટ સંજય શર્મા અને તેમની પુત્રી અનન્યાએ 30 મેના રોજ કર્ણાટકના બિદર એરબેઝ પર આ પરાક્રમ કર્યું છે. બંનેએ પોતપોતાના વિમાનોમાં ઉડાન ભરી અને આકાશમાં અનોખી રચના કરી. આ ફ્લાઈટ ત્યારે ચર્ચામાં આવી જ્યારે મંગળવારે તેની તસવીરો સામે આવી.

નાની અનન્યા જેમ જેમ મોટી થઇ રહી હતી તેમ, તેણે પોતાના પિતા અને ભારતીય વાયુસેના (IAF)માં ફાઇટર પાઇલટને તેમના સાથી સ્ક્વૉડ્રન પાઇલટ્સ સાથે આ ખૂબ જ ગાઢ સંબંધ થઇ ગયો. IAF માં ઉછર્યા પછી, એવો કોઇ બીજો વ્યવસાય નહોતો કે જેમાં તે જવાની કલ્પના પણ કરી શકે. અનન્યાએ 2016માં IAF ની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ તરીકે પ્રવેશ કર્યો આજે તેનું જીવનભરનું સપનું હવે સાકાર થયું છે. ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં બી ટેકનો અભ્યાસ પૂરો કર્યા પછી, તેણીને IAFની ફ્લાઇંગ શાખા માટે તાલીમ માટે પસંદ કરવામાં આવી હતી. તેને ડિસેમ્બર 2021 માં ફાઇટર પાઇલટ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી.
Father Daughter Duo Make History In Iaf Flying In The Same Fighter Formation For The Same Mission
પિતા-પુત્રીની જોડીએ 30 મે 2022ના રોજ એરફોર્સ સ્ટેશન, બિદર ખાતે હોક-132 એરક્રાફ્ટની સમાન ફોર્મેશનમાં ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો હતો, જ્યાં ફ્લાઇંગ ઓફિસર અનન્યા શર્મા IAFના ઝડપી અને વધુ શ્રેષ્ઠ ફાઇટર એરક્રાફ્ટમાં સ્નાતક થાય તે પહેલાં તેની તાલીમ લઇ રહી છે. IAFમાં અગાઉ એવો કોઇ દાખલો નથી કે જ્યાં પિતા અને તેની પુત્રી મિશન માટે સમાન ફાઇટર ફોર્મેશનનો હિસ્સો બન્યા હોય. આ એવું મિશન હતું જ્યાં એર કોમોડોર સંજય અને ફ્લાઇંગ ઓફિસર અનન્યા માત્ર પિતા અને પુત્રી કરતાં કંઇક વિશેષ સ્થિતિમાં હતા. તેઓ એવા કમાન્ડર હતા, જેમને સાથી વિંગમેનની જેમ એકબીજામાં પૂરો વિશ્વાસ હતો.
Father Daughter Duo Make History In Iaf Flying In The Same Fighter Formation For The Same Mission
એરફોર્સના ફાઈટર પાઈલટ સંજય શર્મા અને તેમની પુત્રી અનન્યાએ 30 મેના રોજ કર્ણાટકના બિદર એરબેઝ પર આ પરાક્રમ કર્યું હતું. ફાઈટર પાઈલટ પિતા-પુત્રીએ એકસાથે ઉડાન ભરીને ઈન્ડિયન એરફોર્સ (IAF)ના ઈતિહાસમાં પોતાનું નામ બનાવ્યું. એર કમાન્ડર સંજય શર્મા અને તેમની પુત્રી ફ્લાઈંગ ઓફિસર અનન્યા એરફોર્સમાં પ્રથમ પિતા-પુત્રીની જોડી બની છે જેણે એકસાથે ફાઈટર એરક્રાફ્ટ ઉડાડ્યું છે. શર્માએ તેમની પુત્રી સાથેની ટ્રેનીંગને તેમના જીવનનો “સૌથી મહત્ત્વનો દિવસ” ગણાવ્યો હતો.
આ પણ વાંચો –

પંજાબના CM ભગવંત માન ફરી કરશે લગ્ન, જાણો કોણ બનશે તેમના બીજા પત્ની ?

0

CM of Punjab Bhagwant Mann

  • પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. તેમના લગ્ન ગુરુવારે ચંડીગઢમાં થશે. ભગવંત માન ડો.ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. ભગવંત માનના લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ થશે.

પંજાબના (Punjab) મુખ્યમંત્રી ભગવંત માન (Hon’ble Chief Minister Bhagwant) લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. તેમના લગ્ન ગુરુવારે ચંડીગઢમાં (Chandigarh) થશે. ભગવંત માન ડો.ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. ભગવંત માનના લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Chief Minister Arvind Kejriwal) પણ સામેલ થશે.

અત્રે જણાવવાનું કે સીએમ ભગવંત માનના 6 વર્ષ પહેલા છૂટાછેડા થયેલા છે. તેમની પહેલી પત્ની અને બાળકો અમેરિકામાં રહે છે. બંને બાળકો તેમના પિતાના શપથગ્રહણ સમારોહમાં પણ સામેલ થયા હતા. તેમના માતાની ઈચ્છા હતી કે મુખ્યમંત્રી ભગવંત માન ફરીથી ઘર વસાવે. માતા અને બહેને જાતે જ છોકરીની પસંદગી કરી છે.

સીએમ ભગવંત માન ડોક્ટર ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન તેમના ઘરે એક નાના ખાનગી સમારોહમાં થશે. લગ્નમાં પરિવારના સભ્યો જ હાજરી આપશે. જો કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પોતે બંનેને આશીવાદ આપવા સમારોહમાં સામેલ થશે.

આ પણ વાંચો –

દિલ્હીમાં હાઈકમાન્ડે રઘુ શર્માને ખખડાવ્યા, કોંગ્રેસ છોડનારા નેતાઓ મુદ્દે ઉધડો લીધો 

0

Delhi High Command

  • રઘુ શર્માએ જ્યારથી ગુજરાતના પ્રભારી તરીકેનો કાર્યકાળ સંભાળ્યો છે, ત્યારથી સૌથી મોટો ફટકો દિગ્ગજ નેતાઓનુ પાર્ટી છોડવુ છે. દિલ્હીની બેઠકમાં હાઈકમાન્ડે આ મામલે નારાજગી વ્યક્ત કરી.

કોંગ્રેસ નેતૃત્વએ (Congress leadership) પોતાની ગુજરાત પ્રદેશ શાખાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પર વ્યક્તિગત હુમલા કરવાથી અંતર જાળવવાનું કહ્યું છે. આ સાથે જ કહેવાયું છે કે તેઓ લોકોના મુદ્દાને ઉઠાવે અને આ વર્ષના અંતમાં થનારી વિધાનસભા ચૂંટણી (Assembly elections) દરમિયાન ભાજપની નીતિઓ પર નિશાન સાધે. સાથે જ આ બેઠકમાં ગુજરાતના પ્રભારી રઘુ શર્માની (Raghu Sharma) ઝાટકણી કાઢવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યુ છે. તેમના પદગ્રહણ બાદ અનેક દિગ્ગજોએ પાર્ટીમાંથી વિદાય લીધી છે આ કારણે હાઈકમાન્ડે નારાજગી વ્યક્ત કરી છે.

ગુજરાતના નેતાઓને ખખડાવાયા :

કોંગ્રેસની ટાસ્ક ફોર્સે સોમવારે લગભગ 5 કલાક સુધી બેઠક કરી જેમાં ગુજરાતના નેતાઓને બોલાવવામાં આવ્યા અને તેમને વિધાનસભા ચૂંટણી માટે એકજૂથ થઈને તૈયારી કરવા જણાવ્યું. હાલ ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ પ્રવર્તી રહ્યો છે. જે અંગે બેઠકમાં હાઈકમાન્ડે નેતાઓને કહી દીધું છે કે, જૂથવાદ છોડી સામાન્ય જનતાને સ્પર્શે તેવા મુદ્દાઓ સાથે વિપક્ષની અસરકારક ભૂમિકા ભજવો.

રઘુ શર્માથી હાઈકમાન્ડ નારાજ :

રઘુ શર્માએ જ્યારથી ગુજરાતના પ્રભારી તરીકેનો કાર્યકાળ સંભાળ્યો છે, ત્યારથી ગુજરાત કોંગ્રેસમાં ભારે ઉથલપાથલ સર્જાઈ રહી છે. જેમાં સૌથી મોટો ફટકો દિગ્ગજ નેતાઓનુ પાર્ટી છોડવુ છે. ડો. રઘુ શર્માના કાર્યકાળ દરમિયાન પક્ષમાંથી અનેક દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને ભાજપ તથા આપમાં ગયા છે. જેમાં જયરાજસિંહ પરમાર, MLA અશ્વિન કોટવાલ, હાર્દિક પટેલ, દિનેશ શર્મા, અનિલ જોષિયારાના પુત્ર કેવલ જોષિયારા, ઈન્દ્રનીલ રાજ્યગુરુ, શ્વેતા બ્રહ્મભટ્ટ, દિનેશ શર્મા, કૈલાસ ગઢવી, દલપત વસાવા, મણિલાલ વાઘેલા, કોંગ્રેસના પૂર્વ પ્રધાન ખુમાનસિંહ વાંસિયા જેવા દિગ્ગજ નેતાઓ સામેલ છે. જેથી હાઈકમાન્ડે આ બાબતની પણ ગંભીર નોંધ લીધી છે.

તો બદલાઈ શકે છે પ્રભારી :

ગુજરાત કોંગ્રેસમાં જ્યારથી રઘુ શર્મા આવ્યા છે ત્યારથી જૂથવાદનો મુદ્દો સળગી રહ્યો છે. જેને લઈને નારાજગી જોવા મળી રહી છે. તેથી હાઈકમાન્ડ પણ આ બાબતને ધ્યાનમાં રાખીને તેમને હટાવી શકે છે. ત્યારે ગુજરાતના નવા પ્રભારીનુ સુકાન કોને સોંપવુ તે પણ ચર્ચાનો વિષય છે. પરંતુ હાલ હાઈકમાન્ડ રઘુ શર્માથી નારાજ ચાલે છે એ નક્કી. ત્યારે ડો. રઘુ શર્માની જગ્યાએ મુકુલ વાસનિકને ગુજરાતની જવાબદારી સોંપી શકે છે તેવી કાનાફૂસી શરૂ થઈ છે. સાથે જ ગુજરાતમાં ઓબ્ઝર્વરની નિમણૂંક પણ કરવામાં આવી શકે છે. તેમજ અન્ય રાજ્યો જ્યા કોંગ્રેસની સત્તા છે તેના મંત્રીઓને પણ ગુજરાતમાં બોલાવીને જવાબદારી સોંપાઈ શકે છે.

આ પણ વાંચો –

 

ફિલ્મ Kaali ને લઈને વધ્યો વિવાદ : દિલ્હી-UPમાં દાખલ થઈ FIR, ધાર્મિક ભાવનાઓ દુભાવવાનો આરોપ

Controversy erupts over film Kaali

  • ફિલ્મ ‘કાલી’ (Kaali)ને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. જેના વિરોધમાં દિલ્હી અને યુપીમાં ફિલ્મના ડાયરેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

ફિલ્મ ‘કાલી’ (Kaali)ને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. તો વળી ફિલ્મ નિર્માતા લીના મણિમેકલઈનો પણ ભારે વિરોધ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા (Social media) પર તેની ફિલ્મના પોસ્ટરને લઈને વિવાદ રોકાવાનું નામ નથી લેતો. હવે ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) પણ તેને લઈને ફરિયાદ નોંધાઈ છે.

યુપી પોલીસે હિન્દુ દેવતાઓના અપમાનજનક પોસ્ટરને લઈન ફરિયાદ નોંધી છે. આ ફરિયાદ સોમવારે નોંધાઈ છે. યુપીમાં ફિલ્મ ડાયરેક્ટર લીના મણિમેકલઈ વિરુદ્ધ ગુનાહિત ષડયંત્ર, પૂજા સ્થળ પર અપરાધ, અને જાણી જોઈને ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી શાંતિ ભંગ કરવાનો આરોપસર ફરિયાદ નોંધાઈ છે.

આ કલમ અંતર્ગત ફરિયાદ નોંધાઈ :

યુપી પોલીસે ફિલ્મ ડાયરેક્ટર લીના મણિમેકલઈ વિરુદ્ધ ફરિયાદ લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં નોંધી છે. તેમના વિરુદ્ધ કલમ 120 બી, 153 બી, 295, 295 એ, 298, 504, 501 (1) બી, 502 (2) અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત ડાયરેક્ટર પર આઈટી એક્ટની કલમ 66 અને 67 પણ લગાવામાં આવી છે. તો વળી દિલ્હી પોલીસની IFSOની એકમે પણ કાલી ફિલ્મથી સંબંધિત એક વિવાદાસ્પદ પોસ્ટરના સંબંધમાં આઈપીસીની કલમ 153એ અને 295એ અંતર્ગત ફરિયાદ નોંધી છે.

આપને જણાવી દઈએ કે, ફિલ્મ કાલીના પોસ્ટરને લઈને હાલમાં વિવાદ છંછેડાયેલો છે. એક બાજૂ સોશિયલ મીડિયા પર તેના ડાયરેક્ટર પર ટાર્ગેટ કરવામા આવી રહ્યો છે. લોકોનું કહેવુ છે કે, આ હિન્દુઓની આસ્થા અને ભાવનાને ઠેસ પહોંચાડે છે. ફિલ્મના જાહેર કરવામા આવેલા પોસ્ટરમાં એક મહિલાને કાળી માતાનું રૂપ આપવામાં આવ્યું છે, જેમને સિગારેટ પીતા બતાવ્યા છે, તથા તેમના હાથમાં ત્રિશૂલ પણ આપ્યું છે.

આ પણ વાંચો

પડતા પર પાટું જેવી ! રાંધણ ગેસના બાટલામાં કમરતોડ વધારો, જાણો નવા ભાવ

0

Like a bandage on the fall ! Increase the waistline in the cooking gas bottle

  • એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઓઈલ કંપનીઓ તરફથી કમરતોડ વધારો કરવામાં આવ્યો છે. કંપનીઓએ 6 જુલાઈની સવારે ઘરેલુ ગેસ સિલિન્ડર 50 રૂપિયા મોંઘુ કરી દીધુ છે. આ સાથે જ દિલ્હીમાં ગેસ સિલિન્ડરની કિંમત વધીને 1053 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત કોલકાતામાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 1079, મુંબઈમાં 1052.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1068.50 રૂપિયા થઈ ગઈ છે.

એલપીજી સિલિન્ડરની (LPG cylinder) કિંમતમાં ઓઈલ કંપનીઓ (Oil company) તરફથી કમરતોડ વધારો કરવામાં આવ્યો છે. કંપનીઓએ 6 જુલાઈની સવારે ઘરેલુ ગેસ સિલિન્ડર (Domestic gas cylinder) 50 રૂપિયા મોંઘુ કરી દીધુ છે. આ સાથે જ દિલ્હીમાં ગેસ સિલિન્ડરની કિંમત વધીને 1053 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત કોલકાતામાં (Kolkata) ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 1079, મુંબઈમાં 1052.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1068.50 રૂપિયા થઈ ગઈ છે. ગુજરાતમાં 14.2 કિલો સિલિન્ડરના હવે 1050 રૂપિયા ચૂકવવા પડશે.

સસ્તો થયો કોમર્શિયલ સિલિન્ડર :

એકબાજુ ઘરેલુ રાંધણ ગેસનો બાટલો મોંઘો થયો તો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. આ અગાઉ પણ એક જુલાઈના રોજ ઓઈલ કંપનીઓ તરફથી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 198 રૂપિયાનો મસમોટો ઘટાડો કરાયો હતો. ત્યારબાદ આશા સેવાઈ રહી હતી કે આવનારા સમયમમાં ઘરેલુ ગેસ સિલિન્ડર પણ સસ્તો થશે. પરંતુ હવે કંપનીઓએ કિંમત વધારીને જનતાને ઝટકો આપ્યો છે.

1 જુલાઈના રોજ દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ઘટીને 2021 રૂપિયા થયા હતા. હવે આજે 8.50 રૂપિયાનો ફરીથી ઘટાડો થતા ભાવ 2012.50 રૂપિયા થઈ ગયો છે. એ જ રીતે કોલકાતામાં 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર 2132 રૂપિયામાં મળશે. મુંબઈમાં 1972.50 રૂપિયા અને ચેન્નાઈમાં 2177.50 રૂપિયા ભાવ થઈ ગયો છે. આ અગાઉ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લે 19 મેના રોજ ફેરફાર થયો હતો.

એક જુલાઈ પહેલા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પહેલી જૂનના રોજ 135 રૂપિયાનો ઘટાડો કરાયો હતો. આ જ રીતે છેલ્લા 35 દિવસ દરમિયાન કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 300 રૂપિયા કરતા પણ વધુનો ઘટાડો થયો છે. (મે મહિનામાં સિલિન્ડરના ભાવ વધીને 2354 રૂપિયા થઈ ગયા હતા.)

તાજેતરમાં સરકારે જનતાને મોંઘવારીમાંથી રાહત આપવા માટે ઉજ્જવલા યોજના હેઠળ 200 રૂપિયા પ્રતિ સિલિન્ડરની સબસિડી આપવાની જાહેરાત કરી હતી. આ સબસિડી વાર્ષિક 12 સિલિન્ડર સુધી જ મળશે. સરકારના આ પગલાંથી 9 કરોડથી વધુ ગ્રાહકોને ફાયદો થયો છે.

આ પણ વાંચો –

અજમેરના હિસ્ટ્રીશીટરે નુપુર શર્માનું માથું વાઢી નાખવાની ધમકી આપી, વીડિયો વાયરલ થતા હડકંપ

Ajmer historian threatens

  • રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યાનો મામલો હજુ શાંત નહતો પડ્યો ત્યાં તો વધુ એક વીડિયોએ પ્રશાસનની ઊંઘ ઉડાવી દીધી છે.

રાજસ્થાનના (Rajasthan) ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યાનો (Kanhaiyalal murder) મામલો હજુ શાંત નહતો પડ્યો ત્યાં તો વધુ એક વીડિયોએ પ્રશાસનની ઊંઘ ઉડાવી દીધી છે. અજમેર દરગાહના (Ajmer Dargah) હિસ્ટ્રીશીટર સલમાન ચિશ્તિએ (Salman Chishti) ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માને (Nupur Sharma) મારી નાખવાની ધમકી આપી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં સલમાન ચિશ્તિ નુપુર શર્માનું માથું વાઢી નાખનારાને પોતાનું મકાન આપવાની વાત કરી રહ્યો છે.

વીડિયો વાયરલ થયા બાદ પ્રશાસન અલર્ટ મોડમાં છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં સલમાન ચિશ્તિ નુપુર શર્માને ગોળી મારવાની કે મારી નાખવાની વાત કરી રહ્યો છે. આ સાથે જ વીડિયોમાં તે એવું પણ કહેતો જોવા મળી રહ્યો છે કે જે પણ વ્યક્તિ નુપુર શર્માને મારી નાખશે તેને તે ઈનામ તરીકે પૈસા અને પોતાનું મકાન આપશે.

વીડિયો વાયરલ થયા બાદ ASP વિકાસ સાંગવાનનું નિવેદન સામે આવ્યું છે. સાંગવાને કહ્યું કે વોટ્સએપના માધ્યમથી તેને પણ આ વીડિયો મળ્યો છે. તેમણે કહ્યું કે વીડિયો અંગે પોલીસ પ્રશાસનનું વલણ એકદમ કડક છે. વીડિયોમાં સલમાન ચિશ્તિ નશાની હાલતમાં જોવા મળી રહ્યો છે. આ અંગે પોલીસે દરગાહના અધિકારીઓ સાથે પણ વાત કરી છે અને જેમ બને તેમ જલદી વીડિયોને વાયરલ થતો રોકવાના નિર્દેશ આપ્યા છે.

સાંગવાને ન્યૂઝ એજન્સી ANI ને જણાવ્યું કે આરોપી સલમાન ચિશ્તિ દરગાહ પોલીસ મથક વિસ્તારનો રહીશ છે. પોલીસ સલમાનની શોધ કરી રહી છે. તેને જલદી પકડી લેવાશે અને તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો –

લાલુ પ્રસાદ યાદવને એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લઇ જવાશે, AIIMS માં દાખલ કરવામાં આવશે

0

Lalu Prasad Yadav

  • પટનામાં રાબડી દેવીના ઘરમાં પડી જવાને કારણે તેમના ખભામાં ફ્રેક્ચર થયું હતું. તેમને પગ અને કમરમાં પણ ઈજાઓ થઈ હતી. તેઓ કિડનીની બીમારી સહિત અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ પીડાઈ રહ્યા છે.

રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) હાલમાં અસ્વસ્થ અને બીમાર છે. લાલુ યાદવને સારવાર માટે દિલ્હી એરલિફ્ટ (Lalu Yadav Hospitalized)કરવામાં આવશે. તેમને દિલ્હીમાં એઇમ્સમાં (AIIMS)ભરતી કરાવવાની તૈયારી છે. બતાવવામાં આવી રહ્યું છે કે આરજેડી ચીફને એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લઇ જવામાં આવશે. પહેલા પણ લાલુ પ્રસાદ યાદવની એઇમ્સમાં સારવાર ચાલી રહી હતી. એઇમ્સના ડોક્ટર તેમની કિડનીની સારવાર કરી રહ્યા છે. હાલ તેમને પટનાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

પટનામાં રાબડી દેવીના ઘર (Rabri Devi House)માં પડી જવાને કારણે તેમના ખભામાં ફ્રેક્ચર થયું હતું. તેમને પગ અને કમરમાં પણ ઈજાઓ થઈ હતી. તેઓ કિડનીની બીમારી સહિત અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ પીડાઈ રહ્યા છે. ગત સવારે અચાનક તેમની તબિયત બગડતાં તેમને પટનાની હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેની પ્રથમ તસવીર સામે આવી છે, જેમાં તે ગંભીર હાલતમાં જોવા મળી રહ્યાં છે. આ તસવીર તેમની પુત્રી રોહિણી આચાર્ય (Rohini Acharya)એ ટ્વીટ કરી હતી.

દીકરી રોહિણીએ હોસ્પિટલમાંથી તસવીર ટ્વિટ કરી :

લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ મંગળવારે તેમના ટ્વિટમાં હોસ્પિટલમાં દાખલ પિતાની તસવીર પોસ્ટ કરી હતી. તેમના માટે લખ્યું કે તેમણે તમામ અડચણોને પાર કરી છે, તેમની શક્તિ કરોડો લોકોના આશીર્વાદ છે. તસવીરની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે આ હોસ્પિટલના ICUમાં લાલુની હાલની જ તસવીર છે.

પડી જવાથી ખભાનું હાડકું તૂટી ગયું, શરીરમાં ઈજા :

લાલુ યાદવ પટનામાં રવિવારે તેમની પત્ની રાબડી દેવીના સરકારી નિવાસ સ્થાને પડ્યા હતા. જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાં તેમના ખભાનું હાડકું પણ તૂટી ગયું હતું. સાથે જ શરીરના વિવિધ ભાગોમાં ઇજાઓ થઈ છે. રવિવારે મોડી રાત્રે તેમની તબિયત અચાનક લથડતા તેમને પટનાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેજસ્વી યાદવ જાતે ડ્રાઈવ કરી લઈ ગયા :

પુત્ર તેજસ્વી યાદવે પોતે કાર ચલાવી અને લાલુ યાદવને હોસ્પિટલ લઈ ગયા હતા. દીકરી મીસા ભારતી તરત જ દિલ્હીથી પટના પહોંચી હતી. પિતાની હાલત જાણવા પુત્રી રોહિણીએ વીડિયો કોલ પણ કર્યો હતો. આ પછી તેણે લાલુની હોસ્પિટલની તસવીર પોસ્ટ કરી છે.

આ પણ વાંચો –

રેલવે સ્ટેશનની નીચે મળી એક એવી સુરંગ, છોકરાએ શેર કર્યો વીડિયો, દંગ રહી ગયા લોકો !

A tunnel found under

  • ઇન્ટરનેટ પર એક વીડિયો ખૂબ ધમાલ મચાવી રહ્યો છે. આ વીડિયો જોઇને લોકો ખૂબ કંદ્યૂઝ જોવા મળી રહ્યા છે. જોકે એક વ્યક્તિએ ટિકટોક પર એક એવો વીડિયો શેર કર્યો છે. જેને જોઇને બધાનાં હોશ ઉડી ગયા છે.

ઇન્ટરનેટ પર એક વીડિયો ખૂબ ધમાલ મચાવી રહ્યો છે. આ વીડિયો જોઇને લોકો ખૂબ કંદ્યૂઝ જોવા મળી રહ્યા છે. જોકે એક વ્યક્તિએ ટિકટોક પર એક એવો વીડિયો શેર કર્યો છે. જેને જોઇને બધના હોશ ઉડી ગયા છે. આ છોકરાએ દાવો કર્યો છે કે વીડિયોમાં બતાવવામાં આવેલા રેલવે સ્ટેશનની (Railway station) નીચે એક સુરંગ મળી છે. તેણે પોતાના મિત્રોની સાથે રેલવે સ્ટેશનની સીડીઓ નીચે આ સુરંગની (Mine) શોધ કરી. આ વીડિયોને જોઇને લોકો પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી.

સુરંગ સાથે છે દરવાજો ? 

‘ધ સન’માં છપાયેલા એક રિપોર્ટ અનુસાર છોકરાએ જણાવ્યું કે સુરંગ એક સીક્રેટ દરવાજાની તરફ લઇ જાય છે. તમને જણાવી દઇએ કે આ ઘટના બ્રિટનની છે. દાવો કરનાર 23 વર્ષના છોકરાનું નામ લ્યૂક ડૌથવેટ બતાવવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં છોકરાને તેના મિત્રો સાથે રેલવે સ્ટેશનની સીઢીઓ પર ઉભેલા જોઇ શકાય છે.

આ રીતે જોવા મળી સુરંગ :

આ વીડિયોમાં જોવા મળ્યું કે છોકરાએ સીઢીની નીચે મેટલના લેયરને હટાવ્યું અને જણાવ્યું કે લેયર હટાવ્યા બાદ એક ટનલ જોવા મળી. છોકરાના અનુસાર આ સુરંગને મેટલની લેયરથી છુપાવવામાં આવ્યા હતા. છોકરાને લોકોને પ્રશ્નો કરતાં કહ્યું કે તમે પોતે જ વિચારો કે આ સુરંગ ક્યારે અને કેમ બનાવવામાં આવી હતી.

ખૂબ મળ્યું અટેંશન :

આ કિસ્સાને ખાસ અટેંશન પણ મળી રહ્યું છે. તમને જાણીને આશ્વર્ય થશે કે છોકરાના આ વીડિયોને ખૂબ વ્યૂઝ અને લાઇક્સ મળ્યા. એટલું જ નહી ઘણા યૂઝર્સ તેના પર પોતાની અલગ-અલગ પ્રતિક્રિયા આપતાં જોવા મળ્યા. ઘણાં  લોકો અલગ-અલગ અનુમાન લગાવતાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો –

દ્વારકામાં ભારે વરસાદથી જગત મંદિરની ધજા અડધી કાઠીએ ફરકાવાઈ, કલ્યાણપુરમાં સૌથી વધુ 6.6 ઈંચ

0

Due to heavy rains in Dwarka

  •  દ્વારકાના કલ્યાણપુર પંથકમાં મેઘરાજાએ મન મૂકીને વરસ્યા… સાડા 6 ઈંચ વરસાદથી સર્વત્ર પાણી-પાણી… ભારે વરસાદથી નદી-નાળા છલકાયા…

દ્વારકામાં (Dwarka) મુશળધાર વરસાદ તૂટી પડ્યો છે. જેમાં સૌથી વધુ કલ્યાણપુરમાં (Kalyanpur) 6.6 ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે સમગ્ર દ્વારકા જિલ્લો પાણી પાણી થઈ ગયો છે. જેને કારણે દ્વારકામાં જગત મંદિરનાં શિખરે અડધી કાઠીએ (Half saddle) ધજા ફરકાવાઈ છે. અબોટી બ્રાહ્મણ પરિવારની (Aboti Brahmin family) સુરક્ષા માટે આ નિર્ણય લીધો હતો. વાતાવરણ યોગ્ય ન થાય ત્યાં સુધી અડધી કાઠીએ ધજા ફરકાવાશે.

કલ્યાણપુર 6.6 ઈંચ વરસાદ :

કલ્યાણપુરમાં સાડા છ ઈંચ વરસાદથી પાણી પાણી બની ગયુ છે. તો દ્વારકામાં 4 અને ખંભાળિયામાં 3 ઈંચ વરસાદ તૂટી પડ્યો છે. મૂશળધાર વરસાદથી દ્વારકા જિલ્લામાં સર્વત્ર પાણી પાણી થઈ ગયુ છે. દ્વારકામાં અનેક જગ્યાએ રસ્તાઓ બંધ થયા થયા છે. રાવલ-સુર્યાવદર વચ્ચેનો રસ્તો પાણીમાં ગરકાવ થતા બંધ થયો છે. સાની નદીમાં પૂર આવતા રસ્તાઓ બંધ થયા છે.

લોકો જીવના જોખમે રસ્તાઓ પાર કરી રહ્યા છે. ભારે વરસાદથી જિલ્લાના નદી, નાળા અને ચેકડેમો છલકાયા છે. તો બીજી તરફ સીમાની કાલાવડથી બારા તરફ જતાં માર્ગ પર પુલ પર પાણી ફરી વળતા લોકોને જીવના જોખમે દોરડા વડે પુલ પાર કરવાનો વારો આવ્યો છે.

ધજા અડધી કાઠીએ ફરકાવાઈ :

દ્વારકામાં જગત મંદિરનાં શિખરે ધજા અડધી કાઠીએ ફરકાવાઈ છે. અબોટી બ્રાહ્મણ પરિવારની સુરક્ષા માટે આ નિર્ણય લેવાયો છે. ખરાબ હવામાન વરસાદની આગાહીને પગલે વાતાવરણ યોગ્ય ન થાય ત્યાં સુધી ધજા અડધી કાઠીએ ફરકાવાશે. મહત્વનું છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.. હાલમાં સતત ભારે વરસાદ પણ વરસી રહ્યો છે.  જેના પગલે સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિરના શિખર પર ફરકાવવામાં આવતી ધજાને અડધી કાઠીએ ફરકાવવામાં આવી છે.

આ પણ વાંચો –

વડોદરાના કરોડપતિ પિતાની હૈયાવરાળ ! ‘વિધર્મી યુવાને દીકરીને ફસાવી શરીર પર બ્લેડના 500થી વધુ ઘા મરાવ્યાં’

Vadodara millionaire father

  • દીકરીના પિતા એટલા આહત થયા હતા કે તેમણે આ અંગે વડાપ્રધાન કાર્યાલયમાં અરજી આપી હતી. વડાપ્રધાન કાર્યાલયથી પણ અમને યોગ્ય ન્યાય મળે એ દિશામાં કાર્યવાહી થશે એવો પ્રત્યુત્તર મળ્યો હતો.

શહેરનો (Vadodara) હચમચાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિધર્મી (christian) દસમું પાસ યુવક સેલ્વિન પરમારે એમ.એસ યુનિવર્સિટીમાં (MS University) એલએલબીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને એ હદે બ્લેકમેઇલ કરી કે, તે ડિપ્રેશનનો શિકાર બની ગઇ હતી. યુવકે યુવતીને વર્ષ 2019માં ફસાવી હતી. તેણે અંગત પળોનો (Personal moments) વીડિયો બનાવીને યુવતીને શરીર પર બ્લેડના 500 જેટલા ઘા મારવા મજબૂર કરી હતી. જે બાદ આ યુવક યુવતીને સપ્ટેમ્બર 2019માં ભગાડી પણ ગયો હતો. તેણે આણંદ (Anand) જઇને યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.

પરિવારે દીકરીને પાછી લાવવા માટે પોલીસની મદદ લીધી હતી અને પોલીસ કર્મીઓ પણ યુવાન સાથે મળેલા હોવાના જણાયું હતુ. આ સાથએ પોલીસકર્મીઓએ લાંચ પણ માંગી હતી. હાલ આ યુવતી અમેરિકામાં સેટલ થઇ છે. ત્યારે પરિવારે અન્ય લોકો સાથે આવો અમાનુષી અત્યાચાર ન થાય તે માટે સામે આવ્યા છે. હવે, આ અંગે યુવતીના ચેટિંગના આધીરે ફરિયાદ નોંધાતા છાણી પોલીસે સેલ્વિનની અટકાયત કરી છે.

કરોડપતિ પિતાની હૈયાવરાળ :

શહેરના કરોડપતિ બિલ્ડર પિતાએ આ અત્યાચાર અંગે પોતાનો અવાજ ઊંચો કર્યો છે. તેમણે મીડિયામાં સામે આવીને પોતાની આપવીતી જણાવતા રડી પડ્યા હતા. તેમણે જણાવ્યું કે, મારી દીકરી 2019માં એમ.એસ યુનિવર્સિટીમાં LLBમાં ભણતી હતી. એ સમયે 10મું ફેઇલ વિધર્મી યુવક સેલ્વિન પાઉલ પરમારે તેને પ્રેમજાળમાં ફસાવી. સેલ્વિનને મારી દીકરીને ફસાવીને જણાવ્યું હતુ કે, તે પોતે 250 કરોડની સંપત્તિનો માલિક છે અને ફેક્ટરી, રેતીની લીઝ, પેટ્રોલ પંપ છે.

‘બ્લેડના ઘા ફોટામાં ગણતો’

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, સેલ્વિને મારી દીકરીને ખોટી વાતો કરીને ફસાવી હતી. થોડી મુલાકાતો કરીને તે મારી દીકરીને હોટલમાં લઇ ગયો હતો અને ત્યાં જ અંગતપળોની ક્લિપો બનાવી હતી. મારી દીકરીની અંગતપળોની ક્લિપિંગ ઉતારીને તેને બ્લેકમેઇલ કરતો હતો. આ ક્લિપિંગ અમારી પાસે આવી પરંતુ તે અંગેનું હું બાપ તરીકે વર્ણન નથી કરી શકતો. એ સેલ્વિન મારી દીકરીને ધમકાવતો હતો કે, તારા શરીર પર 40 બ્લેડના ઘા મારીને મોકલ નહીં તો આ ક્લિપ વાયરલ કરી દઇશ. તો મારી દીકરી તે પણ કરતી અને ફોટા પાડીને મોકલતી. ત્યારે આ યુવાન કહેતો કે આ 40 નહીં 38 છે તો હવે બીજા 80 બ્લેડના ઘા મારીને મોકલ. મારી દીકરી તેને આજીજી કરતી કે હું હવે આ રીતે મરી જઇશ.

‘ભગાડીને લગ્ન કરી લીધા હતા’ :

પિતાએ આપવીતી જણાવતા કહ્યુ કે, સેલ્વિન પ્રિયંકાને સપ્ટેમ્બર 2019માં ભગાડી ગયો અને આણંદ લઇ જઇ લગ્ન કરી લીધા હતા. સેલ્વિન જ્યારે અમારી દીકરીને ભગાડી ગયો ત્યારે અમે ઘરમાં એક શુભ પ્રસંગ લઇને બેઠા હતા, જેથી અમે તેની સામે તાત્કાલિક ફરિયાદ પણ કરી શક્યા ન હતા. પ્રસંગ પૂર્ણ થયા બાદ અને સેલ્વિન-પ્રિયંકાના લવ-મેરેજના થોડા મહિના બાદ અમને તેમના પાડોશીઓ દ્વારા જાણવા મળ્યું હતું કે, પ્રિયંકા સાથે મારઝૂડ થાય છે અને માંસાહાર કરવા દબાણ કરવામાં આવે છે તેમજ મજૂરની જેમ કામ કરાવવામાં આવે છે. જે દીકરીને અમે આખી જિંદગી હાથ પણ અડાવ્યો ન હતો તેની આવી હાલત અમારાથી ન જોઇ શકાઇ અને અમે સી ટીમનો (She team) સંપર્ક કર્યો હતો.

પોલીસકર્મીઓ પણ યુવાનને અમારી વાતો કરતા હતા’ :

તેમણે વધુમાં જણાવ્યું કે, જે બાદ છાણી પોલીસ સ્ટેશનથી SHE ટીમ આવી હતી. આ ટીમમાં નોયલ સોલંકી નામનો પોલીસકર્મી પણ હતો. નોયલે અમારી સાથે વાતચીત કર્યા બાદ દૂર જઇને સામેના યુવક સાથે ફોન પર વાત કરી હતી. એ પછી નોયલે અમારી સાથે ચર્ચા દરમિયાન મને પૂછ્યું કે, તમારી દીકરીને તમારે ઘરે પાછી લાવીને તમે શું કરવા માગો છો? સી ટીમમાં મહિલાઓ પણ હતી પરંતુ બધી વાતચીત આ વ્યક્તિ જ કર્યો હતો. નોયલે તે રાત્રે અમારી સાથે વાત કરી અને ચર્ચા દરમિયાન તેણે હાથના ઇશારાથી પાંચ હજાર પણ માગ્યા. હું આ ઈશારો સમજી જતાં પોલીસ જીપની પાસે જઇ તેને આપ્યા અને તેણે રૂપિયા ગાડીમાં મૂકવા ઇશારો કર્યો.

મેં રૂપિયા ગાડીની સીટ પર મૂક્યા હતા. ગાડીમાં આ રૂપિયા મૂક્યા એના CCTV પણ અમારી પાસે છે. જે જેતે વખતે અમે પોલીસ કમિશ્નરને પણ આપ્યા હતા. નોયલની કામગીરી પર શંકા ઊપજી જેથી અમે SHE ટીમના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. તેમણે મારી દીકરીનું કાઉન્સેલિંગ કરાવ્યું. આખરે દીકરી અમારા ઘરે પરત આવી હતી અને સેલ્વિને ગુજારેલા અત્યાચારની વાત કરી. એ અંગે તેની વિરુદ્ધ સપ્ટેમ્બર 2021માં છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

યુવાનની અટકાયત :

છાણી પોલીસે આ અંગે સેલ્વિન પાઉલ પરમાર, તેના પિતા પાઉલ પરમાર અને બહેન શ્વેતા પરમાર (તમામના રહે. માંગલ્ય સોસાયટી, છાણી કેનાલ પાસે, છાણી) સામે ગુનો નોંધી સેલ્વિનની અટકાયત કરી છે.

આ પણ વાંચો –