Home Blog Page 1382

૧૫ જુલાઈ ૨૦૨૨ : શુકવાર , આ રાશિના જાતકોને આજે નોકરી-ધંધામાં થોડી તકલીફનો સામનો કરવો પડી શકે છે

15 July 2022: Friday Gujarat Guardian

મેષઃ- માનસિક શાંતિ જળવાય. આવકનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા, નવી નોકરી અથવા બઢતી, બદલી શક્ય બને. નવા ધંધાની શરૂઆત કરી શકાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભફળ મળે. માતૃસુખ-પિતૃસુખ જળવાય. માન-સન્માન વધે.

વૃષભઃ- કોઇ મહત્વપૂર્ણ સમાચાર મળવાની શક્યતા છે. ભાવનાત્મક રૂપથી આપ ખૂબ સશક્ત રહેશો. અટવાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય. પતિ-પત્નિ વચ્ચે પ્રેમ જળવાય. વ્યવસાયિક ગતિવિધિઓમાં પ્રગતિ થતી જણાય.

મિથુનઃ- આજે ખાસ આવક આવવાની સંભાવના જણાતી નથી. જીવનસાથી સાથે સારો સમય પસાર થાય. કોઇકોઇ સમયે શરીરમાં થોડી નબળાઇનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેવા પામે.

કર્કઃ- દિવસભર વ્યસ્તતા બની રહેશે. ઉત્સાહના કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો સાથે ફરવા જવાના યોગ બને. દામ્પત્ય સુખમાં વૃધ્ધિ થતી જણાય. આરોગ્ય જળવાય. મિત્રોની મુલાકાત શક્ય બને.

સિંહઃ- માનસિક તણાવને કારણે આર્થિક ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં અસમર્થતા વર્તાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. જીવનસાથીને સમય આપી શકાશે નહીં. યશ-પ્રતિષ્‍ઠા વધે. શરદી-ખાંસી કફનો ઉપદ્રવ રહે.

કન્યાઃ- જીવનસાથી સાથે તણાવભર્યું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યો વચ્ચે વાદ વિવાદ ટાળવો. સંતાનની પ્રગતિથી આનંદ થાય. એમના પ્રશ્નો ઉકેલાતા જણાય. ગરમીને કારણે માથાનો દુઃખાવો સંભવે.

તુલાઃ- ભાવનાત્મકરૂપથી આપ ખૂબ જ લાગણીશીલ રહેશો. આપના કાર્યોને પૂરા કરવા માટે દીલથી મહેનત કરો, ઇશ્વર તમારો સાથ આપશે. આર્થિક ગતિવિધિઓ સામાન્ય રહેશે. ધંધાકીયક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય જળવાશે.

વૃશ્ચિકઃ- આજે દિવસ દરમ્યાન ધન, રોકાણ તથા પરિવારના કાર્યોમાં સમય પસાર થાય. વારસાગત સંપત્તિ સંબંધિત મામલા ઉકેલાઇ શકે છે. તમામ ક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. સ્વભાવમાં અકારણ ઉગ્રતા ટાળવી.

ધનઃ- માન-સન્માનમાં વૃધ્ધિ થતી જણાય. ધર્મ-કર્મ પ્રત્યે વિશેષ આસ્થા અને વિશ્વાસ જાગૃત થાય. આવકનું પ્રમાણ જળવાય. સંતાન સંબંધી સમસ્યાઓ ઉકેલાતી જણાય. જીવનસાથીનો સહયોગ તમને નિર્ણય લેવામાં મદદ કરશે.

મકરઃ- માનસિક સ્થિરતા રહે. દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. સીમેન્ટ, સેનેટરી, ચા.ખેતી તેમજ ઇલેકટ્રોનિક્સના ધંધામાં વિશેષ લાભ. જીવનસાથી સાથે વિવાદ ટાળશે તો આનંદ. માથાના દુઃખાવાની સમસ્યા રહે.

કુંભઃ- સંબંધમાં તણાઇને ખોટા નિર્ણય લેશો નહીં. ધંધાકીયક્ષેત્રે જોખમ ટાળવું. અગત્યના આર્થિક ધંધાકીય કાર્યો મુલતવી રાખવા. નાણાં ગુમાવવાના યોગ બને છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રાખવાથી સમસ્યા વધતી જણાય.

મીનઃ- પરિવારમાં કોઇપણ મુદ્દાને લઇને તણાવ ટાળવો.સ્વાભાવમાં ઉગ્રતા વર્તાય. મિત્રોના સહકારને લઇને કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. ધંધામાં લાભ. યશ-પ્રતિષ્‍ઠા વધે.

આ પણ વાંચો –

ગુજરાતીઓ થઈ જાઓ સતર્ક, વધુ 2 દિવસ જોવા મળશે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ

0

Gujaratis, be alert

  •   રાજ્યમાં અત્યાર સુધીમાં 400 મીમી વરસાદ નોંધાયો છે અને સિઝનનો 80 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ (torrential rain) વરસી રહ્યો છે અને હવામાન વિભાગે વધુ 2 દિવસ અતિ ભારે વરસાદ (Very heavy rain) વરસશે તેવી આગાહી જાહેર કરી છે. આગાહી પ્રમાણે શુક્રવાર અને શનિવારના રોજ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) મેઘતાંડવ જોવા મળી શકે છે.

ગુજરાતીઓને આગામી 3 દિવસ સુધી વરસાદમાં કોઈ જ રાહત નહીં મળે અને અતિ ભારેથી પણ ભારે વરસાદનો માર સહન કરવો પડશે. અમદાવાદમાં પણ આગામી 3 દિવસ દરમિયાન હળવાથી ભારે વરસાદની આગાહી છે. જ્યારે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ અને જૂનાગઢમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે.

આગામી 48 કલાકમાં ગુજરાતના દરિયાઈ કાંઠા વિસ્તારમાં લો પ્રેશર સિસ્ટમ ક્રિકેટ થવાના કારણે ચોમાસુ વધુ તીવ્ર બની શકે છે. આ કારણે આવતીકાલે માછીમારો તથા બંદરો માટે પોર્ટ વોર્નિંગ બહાર પાડવામાં આવશે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 400 મીમી વરસાદ નોંધાયો છે અને સિઝનનો 80 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ ગાંધીનર અને અમદાવાદમાં પણ ભારે વરસાદી ઝાપટાની આગાહી જણાવી હતી.

આ પણ વાંચો –

નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ, મહારાષ્ટ્રથી આવતા વાહનોને વાપી પાસે જ રોકાયા

0

Traffic jam on National Highway

  • મુંબઈથી અમદાવાદ જતો નેશનલ હાઈવે નંબર 8 પર વાપી ચાર રસ્તા બ્રિજ ઉપર બેરીકેટર મૂકી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો.

ભારે વરસાદને (heavy rain) પગલે નવસારી અને વલસાડ (Navsari and Valsad) જિલ્લો જળમગ્ન થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે બંધ કરાયો છે. ભારે વરસાદને પગલે નવસારી-વલસાડ વચ્ચે હાઇવે બંધ કરાતા મુંબઈ તરફથી આવતા વાહનોને વાપી હાઇવે (Vapi Highway) પર જ રોકી દેવાયા છે. જેથી હાઈવે પર વાહનોનો કાફલો થંભી ગયો છે. લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. તેથી જો તમે કોઈ મહત્વના કામથી આજે નેશનલ હાઈવે પરથી જવાના હોય તો ખાસ ધ્યાન રાખજો, નહિ તો તમે પણ ટ્રાફિક જામનો શિકાર બની શકો છો.

મુંબઈથી અમદાવાદ જતો નેશનલ હાઈવે નંબર 8 પર વાપી ચાર રસ્તા બ્રિજ ઉપર બેરીકેટર મૂકી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો છે. વલસાડ અને ચીખલીની વચ્ચે નેશનલ હાઇવે 8 પર રોડ ઉપર ભારે પાણીનો જમાવો થતાં વાપીથી સુરત જતા રોડને બંધ કરાયો છે. વાપીના ચાર રસ્તા ઉપર આવેલ બ્રિજ ઉપર પોલીસે બેરીકેટ્સ મૂકી દીધા છે. પોલીસ બંદોબસ્ત ગોઠવી હાઈવે અવરજવર બંધ કરાઈ છે. ત્યારે રોડની એક બાજુ વાહનોની 5 કિલોમીટર લાંબી લાઈનો લાગી છે. વાહનો થંભી ગયા છે. જેથી ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિક જામના લીધે અનેક લોકો હાઈવે પર જ ફસાયા છે.

નવસારી જિલ્લામાં ભારે વરસાદથી 30 ટકા નવસારી પાણીમાં ગરકાવ થઈ ગયુ છે. વરસાદને પગલે નવસારની ત્રણ મહત્વની નદીઓમાં પૂર આવ્યા છે. તો પૂરને લઈ જિલ્લા તંત્ર હાઈ એલર્ટ પર મૂકાયું છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ નૅશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાવાને કારણે નવસારી જિલ્લા કલેકટરે નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ચીખલી આલીપોરથી વલસાડ સુધીનો હાઈ વે અવરજવર માટે બંધ કર્યો છે. સૌ નાગરિકોને પોતાની સલામતી માટે આ હાઇવે પરનો પ્રવાસ ટાળવાનો જિલ્લા કલેકટરે અનુરોધ કર્યો છે.

આ પણ વાંચો –

 

આ 5 ક્રિકેટર્સનું સ્પોર્ટ્સ એન્કર પર આવ્યું દિલ, લિસ્ટમાં એક ગુજરાતી પણ સામેલ

The heart of these 5 cricketers

  • આ સ્પોર્ટ્સ એન્કરે પોતાના દમ પર આખી દુનિયામાં ઓળખ બનાવી છે. આ ક્રિકેટર્સની પત્નીઓ સ્પોર્ટ્સ એન્કરિંગની દુનિયામાં જાણીતું નામ છે.

ક્રિકેટર્સની પત્નીઓ (Cricketers Wife) કોઇ સેલિબ્રિટીથી ઓછી નથી. તેમની પણ ઘણી ફેન-ફોલોઇંગ હોય છે. તેમની એક ઝલક માટે પ્રશંસકો આતુર હોય છે. આજે અમે 5 એવા ક્રિકેટર્સ (Cricketers) વિશે જણાવીશું જેમણે સ્પોર્ટ્સ એન્કર સાથે (Cricketers Married Anchors) લગ્ન કર્યા છે. આ સ્પોર્ટ્સ એન્કરે પોતાના દમ પર આખી દુનિયામાં ઓળખ બનાવી છે. આ ક્રિકેટર્સની પત્નીઓ સ્પોર્ટ્સ એન્કરિંગની દુનિયામાં જાણીતું નામ છે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટ્સને (Shane Watson) 2010માં લી ફરલોંગ (Lee Furlong) સાથે લગ્ન કર્યા હતા. લી ફરલોંગ સ્પોર્ટ્સ પ્રેઝન્ટર, રાઇટર, મોડલ અને બિઝસેનવુમન છે. લી ફરલોંગે માસ કમ્યૂનિકેશન અને જર્નાલિઝનમાં ગ્રેજ્યુએશન કર્યું છે. 2018માં તે લેખિકા બની અને બાળકો બુક લખી હતી.

 દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર મોર્ને મોર્કેલે (Morne Morkel)ડિસેમ્બર 2014માં પોતાની ગર્લફ્રેન્ડ રોઝ કેલી (Roz Kelly)સાથે લગ્ન કર્યા હતા. રોઝ કેલી પ્રખ્યાત એન્કર છે અને તે ચેનલ 9 સાથે જોડાયેલી છે.

દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર મોર્ને મોર્કેલે (Morne Morkel) ડિસેમ્બર 2014માં પોતાની ગર્લફ્રેન્ડ રોઝ કેલી (Roz Kelly) સાથે લગ્ન કર્યા હતા. રોઝ કેલી પ્રખ્યાત એન્કર છે અને તે ચેનલ 9 સાથે જોડાયેલી છે.

 ભારતના પૂર્વ ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીએ (Stuart Binny) લોકપ્રિય સ્પોર્ટ્સ એન્કર મયંતી લેંગર (Mayanti Langer)સાથે 2012માં લગ્ન કર્યા હતા. મયંતી લેંગર ભારતમાં સૌથી ફેવરિટ ફિમેલ એન્કર્સમાંથી એક છે. તે સતત ચર્ચામાં રહે છે. 2020માં મયંતીએ પુત્રને જન્મ આપ્યો હતો.

ભારતના પૂર્વ ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીએ (Stuart Binny) લોકપ્રિય સ્પોર્ટ્સ એન્કર મયંતી લેંગર (Mayanti Langer)સાથે 2012માં લગ્ન કર્યા હતા. મયંતી લેંગર ભારતમાં સૌથી ફેવરિટ ફિમેલ એન્કર્સમાંથી એક છે. તે સતત ચર્ચામાં રહે છે. 2020માં મયંતીએ પુત્રને જન્મ આપ્યો હતો.

આ પણ વાંચો –

ફરી આવ્યો જોકર વાયરસ, ગૂગલે બેન કરી દીધી આ 4 એપ્સ, તમે પણ ફોનમાંથી કરી દો ડિલીટ

Joker virus has come again

  • જોકર મેલવેયર વિશે તો તમને ખબર જ હશે. વર્ષ 2017મા તેની પહેલીવાર ઓળખ થઈ હતી.

જોકર મેલવેયર (Joker malware) વિશે તો તમને ખબર જ હશે. વર્ષ 2017મા તેની પહેલીવાર ઓળખ થઈ હતી. ત્યાર પછી વર્ષ 2019માં ગૂગલે લોકોને ચેતવણી આપતા એક બ્લોગ પણ પોસ્ટ કરી હતી જે પોસ્ટમાં જોકર મેલવેયરથી બચવાના ઉપાયો જણાવવામાં આવ્યા હતા. હવે આ જોકર મેલવેયર ફરી પાછો આવી ગયો છે. આના પરત ફરવાથી ઘણી એવી એપ્સ જે આ વાયરસથી ઇફેકટેડ (Affected by a virus) છે અને તે ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પર હાજર હતી.

તેના કારણે આ ખતરનાક એપ્સને ઘણા લોકોએ ડાઉનલોડ પણ કરી લીધી છે. જેમાં જોકર વાયરસ મળી આવ્યો છે જે એન્ડ્રોઈડ યુઝર્સ (Android users) માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે સૌથી પહેલા જોકર વાયરસ વર્ષ 2017માં જોવા મળ્યો હતો. આ સાયબર ક્રિમિનલ્સ માટે ખૂબ જ પોપ્યુલર પસંદગી છે. જેના દ્વારા તે એન્ડ્રોઇડ યુઝર્સને ટાર્ગેટ કરે છે. સાયબર સિક્યોરિટી રિસર્ચરે આને લઈને ચેતવણી આપી છે.

એક રિપોર્ટ મુજબ, ગૂગલ પ્લે સ્ટોર પર ઘણી એપ્સમાં જોકર મેલવેયર જોવા મળ્યો છે. આને લઈને કહેવામાં આવ્યું છે કે આ એપ્સને 100,000થી વધુ વખત ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આને લઈને Pradeoએ રિપોર્ટ કર્યો છે.

SamMobileના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જોકર મેલવેયર ગૂગલ પ્લે સ્ટોર પર હાજર Smart SMS Messages, Blood Pressure Monitor, Voice Languages Translator  અને Quick Text SMS એપ્સમાં મળી આવ્યો છે. આ તમામ એપ્સ યુઝર્સના ફોન પર આવતા તમામ નોટિફિકેશન અને મેસેજને વાંચી રહ્યા હતા અને ડેટા સ્ટોર કરી રહ્યા હતા. સૌથી ખાસ વાત એ છે કે, આ મેલવેયર પોતાની ઓળખ ફોનમાં નથી છોડતા. આવામાં કોઈને ખબર પણ નથી પડતી કે તેમના ફોનમાં મેલવેયર છે.

આને લઈને રિસર્ચર ટીમે ગૂગલને જાણકારી આપી ત્યારપછી પ્લે સ્ટોર પરથી આ એપ્સને દૂર કરી દેવામાં આવી છે. રિમૂવલ પ્રોસેસ પહેલા જ આ એપ્સને 1 લાખથી વધુ વાર ડાઉનલોડ કરવામાં આવી છે. આનો મતલબ ઘણા લોકોના ડિવાઇસ જોખમમાં છે. જો તમે પણ આ એપ્સને ડાઉનલોડ કરી છે તો તમે તરત જ તેને ડિલીટ કરી દો. આ સિવાય તમે તમારા ફોનનો પાસવર્ડ પણ જરૂરથી બદલી નાખો.

આ પણ વાંચો –

RJ કૃણાલના પિતાએ કર્યો આપઘાત, રેલવેટ્રેક પાસેથી મળ્યો મૃતદેહ

0

RJ Krunal’s father committed suicide

  • RJ Kunal : આરજે કૃણાલના પિતા પહેલા પહેલી પત્ની ભૂમિ દેસાઇએ પણ લગ્નના બે મહિના બાદ જ આપઘાત કરી લીધો હતો. પિતાના આપઘાતમાં સોલા પોલીસે (Sola Police) અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

શહેરના જાણીતા રેડિયો જોકી કૃણાલના (RJ Krunal) પિતા  ઇશ્વરભાઇ વાલાભાઇ દેસાઇએ રેલવે ટ્રેક પર આપઘાત (RJ Krunal father suicide) કરીને જીવન ટૂંકાવી દીધું છે. એમની પાસેથી સ્યૂસાઇડ નોટ પણ મળી આવી હતી. ઇશ્વરભાઇની જનતા નગર રેલવે ક્રોસિંગ (Janta nagar Railway Crossing) પાસેથી મૃત હાલતમાં દેહ મળી આવ્યો હતો. સોલા પોલીસે (Sola Police) અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

સ્યૂસાઇડ નોટ મળી આવી :

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, અમદાવાદને મિર્ચી મુર્ગા નામે હસાવનાર રેડિયો જોકી RJ કૃણાલના પિતા ઈશ્વરભાઈ વાલાભાઈ દેસાઈએ રેલવે ટ્રેક પર આપઘાત કર્યો છે. તેમણે એક સ્યૂસાઇડ નોટ લખીને જીવન ટૂંકાવી લીધું છે. પિતાના આપઘાતના સમાચાર મળતા પોલીસ પહોંચી હતી. પોલીસ દ્વારા અકસ્માતે મોત નોંધવામાં આવ્યું છે.

ચર્ચાઓએ જોર પકડ્યું :

હાલ સોલા હાઈકોર્ટ પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે હાલ સૂસાઈડ નોટ કબ્જે કરી છે. આત્મહત્યા અંગે કૃણાલની અગાઉની પત્ની ભૂમિ પંચાલના પરિવારજનો જવાબદાર હોવાની ચર્ચા થઇ રહી છે.

પ્રથમ પત્નીએ લગ્નના બે મહિના બાદ કર્યો હતો આપઘાત :

નોંધનીય છે કે વર્ષ 2016ની 21 જાન્યુઆરીએ આરજે કૃણાલની પહેલી પત્ની ભૂમિ દેસાઈએ આનંદનગરના 100 ફૂટ રોડ ઉપર આવેલા સચિન ટાવરના એચ બ્લોકના દસમા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. ભૂમિએ આપઘાત કરતાં પહેલાં તેના મિત્ર મિતેષ સોનીને SMS કર્યો હતો. BBAનો અભ્યાસ કરેલી અને ખાનગી કંપનીમાં મેનેજરના હોદ્દા ઉપર નોકરી કરી ચૂકેલી ભૂમિએ માત્ર બે મહિનાના લગ્નગાળામાં જ આત્મહત્યા કેમ કરી લીધી હતી.

પોલીસની તપાસમાં એવી વિગતો ખૂલી હતી કે, એક વર્ષ અગાઉ સંપર્કમાં આવ્યા પછી પ્રેમસંબંધ બંધાતાં પરિવારની સંમતિથી તા. 24-11-2015ના રોજ ભૂમિએ કૃણાલ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે મહિનામાં પતિ-પત્ની વચ્ચે અણબનાવ બનતાં ભૂમિએ આત્મહત્યા કરી લીધી હોવાની વિગતો ખૂલી હતી.

આ પણ વાંચો –

નવસારીની 3 નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, પૂરના પાણીએ આખેઆખા ગામ ડૂબાડ્યા

0

Navsari’s 3 rivers turn violent

  • નવસારીની કાવેરી, પૂર્ણા અને અંબિકામાં જળસ્તર વધતાં પૂરનો વધ્યો ખતરો… વલસાડમાં ઔરંગા નદીનું જળસ્તર વધતાં બરુડિયાવડમાંથી 350થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર.

નવસારીમાં (Navsari) સાંબેલાધાર વરસી રહેલા વરસાદથી હવે લોકો તોબા પોકારી ઉઠ્યા છે. કારણ છેલ્લા 4 દિવસોમાં નવસારી શહેરની લોકમાતા પૂર્ણા નદીમાં (Purna River) પુરની સ્થિતિ બનતા હજારો લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સતત ત્રીજા દિવસે ઝડપથી વધેલા પાણી અને વધુ પડતા પાણીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘરોમાં કેડસમાં દૂષિત પાણી હોવાથી રોગચાળો ફેલાવાની દહેશત વધી છે. મૂશળધાર વરસાદમાં નવસારીની નદીઓમાં પૂર જેવી સ્થિતિ ઉદભવી છે. પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં ભરાયા પાણી છે. તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે જવા અપીલ કરાઈ છે.

નદીની જળસપાટી વધતા નવસારીમાં પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. પૂર્ણા નદીની જળસપાટી 23 ફૂટે પહોંચતા એલર્ટ મૂકાયુ છે. કાવેરી અને અંબિકાની પણ એવી જ સ્થિતિ છે, બંનેની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નદીકાંઠાના વિસ્તારોમાંથી લોકોને ખસી જવા અને લોકોને આશ્રય સ્થાનોએ જવા કલેક્ટરે અપીલ કરી છે. નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિને પગલે તંત્ર અલર્ટ મોડમાં આવી ગયું છે.

ચાર દિવસથી પાણી ચઢે-ઉતરે છે :

ડાંગ અને સુરત જિલ્લામાં પડી રહેલા અનરાધાર વરસાદની સીધી અસરથી નદીઓના જળસ્તરમાં વધારો થાય છે અને પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ ભોવાવવું પડે છે. પૂર્ણા નદીમાં રાત્રે પાણી વધતા લોકોએ પોતાની ઘરવખરી તેમજ કિંમતી સુરક્ષિત સ્થળે લઈ જવા સાથે પોતાને પણ સલામત રાખવા પડે છે. લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘણા રાતે ઘર નજીક જ બેસીને ઉજાગરો કરી રહ્યાં છે, જ્યારે સવારે પાણી ઉતરતા લોકો ઘરની સફાઈ કરીને થાકે છે.

જ્યારે ફરી રાતે વરસાદની ધમાકેદાર બેટીંગને કારણે રાત્રે ફરી સામાન ખસેડવો પડે છે અને ઉજાગરો પણ કરવો પડી રહ્યો છે. ત્યારે ત્રીજા દિવસે ઝડપથી વધેલા પાણી અને વધુ પડતા પાણીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘરોમાં કેડ સમા પાણી દૂષિત હોવાથી એમાં પલડવાને કારણે રોગચાળો ફેલાવાની દહેશત વધી છે. જ્યારે પાણી ઓસરતા હવે પાણી ઓસર્યા બાદ સફાઇ વહેલી થાય એવી માંગ પણ અસરગ્રસ્તો કરી રહ્યા છે.

આ પણ વાંચો –

 

એક રિક્ષામાં સવાર હતા 27 લોકો, જોઈને હેરાન રહી ગઈ પોલીસ, જુઓ સંપૂર્ણ વીડિયો

0

27 people were riding in a rickshaw

  • ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાંથી એક હેરાન કરનારો વીડિયો સામે આવ્યો છે. અહીં રોડ પર જઈ રહેલી એક ઓટો રિક્ષાને જ્યારે પોલીસે રોકી તો તેમાં સવાર લોકોને જોયા બાદ પોલીસ હેરાન રહી ગઈ.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ફતેહપુર જિલ્લામાંથી એક હેરાન કરનારો વીડિયો સામે આવ્યો છે. અહીં રોડ પર જઈ રહેલી એક ઓટો રિક્ષાને (Auto rickshaw) જ્યારે પોલીસે રોકી તો તેમાં સવાર લોકોને જોયા બાદ પોલીસ હેરાન રહી ગઈ. ઓટો રિક્ષામાં ચાલક સિવાય 27 લોકો સવાર હતા. પોલીસે જ્યારે એક એક કરીને ગણતરી કરીને બધા લોકોને ઉતાર્યા તો આ સંખ્યા 27 થઈ. રિપોર્ટ્સ મુજબ, ઉત્તર પ્રદેશના ફતેહપુર (Fatehpur) જિલ્લાની બિન્દકી પોલીસ સ્ટેશન (Bindaki Police Station) વિસ્તારમાં કેટલાક લોકો એક ઓટો રિક્ષામાં સવાર હતા.

બિન્દકી વિસ્તારની લાલોલી ચોકડી પર પોલીસે જોયું કે, ઓટો રિક્ષા ડ્રાઈવર ખૂબ જ ઝડપથી રિક્ષા ચલાવી રહ્યો હતો. પોલીસે દોડીને રિક્ષાને રોકી લીધી. ત્યારબાદ પોલીસે એક એક કરીને બાળકો અને મોટા લોકોને બહાર કાઢ્યા. પોલીસે ગણતરી કરી તો 27 લોકો ઓટો રિક્ષામાંથી નીકળ્યા. પોલીસે આ બાબતે કાર્યવાહી કરતા ઓટો રિક્ષા સીઝ કરી દીધી છે. જ્યારે પોલીસ ઓટો રિક્ષામાંથી લોકોને ઉતારી રહી હતી, એ દરમિયાન કોઈને આ બાબતનો વીડિયો ઉતારી લીધો.

આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે, આખરે એક ઓટો રિક્ષામાં 27 લોકોને કઈ રીતે બેસાડ્યા હશે? આ વીડિયો જોયા બાદ મોટા ભાગના લોકો એમ જ કહી રહ્યા છે કે તેનાથી ન માત્ર ગાડી ચલાવનારનો, પરંતુ તેમાં બેઠા બધા લોકોના જીવ જોખમમાં છે અને રોડ એક્સિડેન્ટ માટે એવી જ ભૂલો જવાબદાર હોય છે. આ હેરાન કરી દેનારો વીડિયોને ટ્વીટર પર આનંદ કાલરા નામના એક યુઝરે શેર કર્યો છે. જેને અત્યાર સુધી હજારો લાઇક્સ અને વ્યૂઝ મળી ચૂક્યા છે.

એ સિવાય ઘણા લોકોએ કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે વીડિયો પર મજા લેતા કહ્યું કે, આ ઓટોને જિલ્લો જાહેર કરી દેવો જોઈએ. તો અન્ય એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું કે, ડ્રાઈવર પાસે મેનેજમેન્ટ શીખવા યોગ્ય છે, નોટ-મંજુરીથી વધારે લોકોને બેસાડવું નિયમ વિરુદ્ધ છે. ત્રીજા યુઝરે લખ્યું કે, આ ટેમ્પોવાળાને જેટલી યાતનાઓ આપવામાં આવે ઓછી છે કેમ કે, એક સાથે જ આટલા લોકોને મારવાનું કાવતરું રચ્યું. એક અન્ય યુઝરે લખ્યું કે, આપણે ભારતીય એડજસ્ટિંગ હોઈએ છીએ.

આ પણ વાંચો –

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 ધસમસતા પ્રવાહને કારણે કરાયો બંધ, જુઓ તસવીરો

0

Ahmedabad-Mumbai National Highway

  •  આ સાથે સુરત-મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પણ બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ પર પાણી ભરાતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે. ધસમસતા પ્રવાહને કારણે માર્ગ પર બેરિકેટ મૂકી પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) મેઘરાજાની અવિરત બેટિંગ ચાલી રહી છે. ત્યારે નેશનવ હાઇવે નંબર 48 (Mumbai national highway 48) વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. હાલ આ રસ્તા પર પાણી ભરાયા છે. જેના કારણે અનેક વાહનો રસ્તા પર જ અટવાયા છે. દક્ષિણ ગુજરાતનાં (South Gujarat Rain) સુરત, વલસાડ, નવસારી અને ડાંગ સહિતના જિલ્લાઓમાં નદી-નાળા છલકાયા છે. સુરતની પૂર્ણા નદી (Purna river flood)ના પાણી મહુવા શહેરમાં (Mahua City) ઘૂસી ગયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીના પાણી શહેરમાં દાખલ થયા છે.

નવસારીમાં સતત વરસતા વરસાદને કારણે સંકટ વધી રહ્યુ છે. આ વિસ્તારની નદીઓ તોફાની બની છે. મુંબઇ- અમદાવાદ નેશનલ હાઇવે 48 બંધ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં 40 હજાર લોકો અસરગ્રસ્ત છે જ્યારે 14 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમે કુલ 21 લોકોનું રેસ્ક્યૂ કર્યું છે. આ સાથે સુરત-મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પણ બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ પર પાણી ભરાતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે. ધસમસતા પ્રવાહને કારણે માર્ગ પર બેરિકેટ મૂકી પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

 નવસારીમાં સતત વરસતા વરસાદને કારણે સંકટ વધી રહ્યુ છે. આ વિસ્તારની નદીઓ તોફાની બની છે. મુંબઇ- અમદાવાદ નેશનલ હાઇવે 48 બંધ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં 40 હજાર લોકો અસરગ્રસ્ત છે જ્યારે 14 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમે કુલ 21 લોકોનું રેસ્ક્યૂ કર્યું છે. આ સાથે સુરત-મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પણ બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ પર પાણી ભરાતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે. ધસમસતા પ્રવાહને કારણે માર્ગ પર બેરિકેટ મૂકી પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

નવસારીના નીચાણવાળા વિસ્તારના જૂનાથાણાનો નવો મહોલ્લો પાણીમાં ગરક થયો છે. પાલિકા તેમજ વહીવટી તંત્રએ તમામ લોકોને રાત્રિ દરમિયાન સલામ સ્થળે ખસેડ્યા છે. ચોથી વખત પૂર્ણાં નદીમાં પૂર આવતા અસરગ્રસ્તો ત્રાહિમામ થઈ ગયા છે.

શહેરમાં આવેલા રામજી મંદિરમાં 10 હજારથી વધુ લોકો માટે બે ટાઈમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગુરુવારે વહેલી સવારથી જ પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂટ પેકેટ પહોંચાડવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. વરસાદી આંકડા પ્રમાણે, રાજ્યનાં કુલ 164 તાલુકમાં વરસાદ વરસ્યો છે. આ સાથે વલસાડ કપરાડામાં 11 ઇંચ, ડાંગના સુબીરમાં 9.44 ઇંચ, પારડીમાં 9 ઇંચ, ધરમપુરમાં 8.52 ઇંચ, નવસારીમાં ખેરગામમાં 7.56, વડોદરાના ડભોઇમાં 8 ઇંચ, વાસંદામાં 6.88, વલસાડમાં વાપી 6.88 ઇંચ, નર્મદાના નાંદોદમાં 7 ઇંચ, ડાંગના આહવામાં 6.08 ઇંચ, ડાંગ વઘઇમાં 5.56 ઇંચ, કરજણમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે.

 <br />વરસાદી આંકડા પ્રમાણે, રાજ્યનાં કુલ 164 તાલુકમાં વરસાદ વરસ્યો છે. આ સાથે વલસાડ કપરાડામાં 11 ઇંચ, ડાંગના સુબીરમાં 9.44 ઇંચ, પારડીમાં 9 ઇંચ, ધરમપુરમાં 8.52 ઇંચ, નવસારીમાં ખેરગામમાં 7.56, વડોદરાના ડભોઇમાં 8 ઇંચ, વાસંદામાં 6.88, વલસાડમાં વાપી 6.88 ઇંચ, નર્મદાના નાંદોદમાં 7 ઇંચ, ડાંગના આહવામાં 6.08 ઇંચ, ડાંગ વઘઇમાં 5.56 ઇંચ, કરજણમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે.<br />બીજી તરફ આગામી પાંચ દિવસ હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી (Gujarat rain forecast) હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં (Gujarat Monsoon) સરેરાશ 46.70 % વરસાદ નોંધાયો છે, કચ્છમાં 97.54 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 26.25 ટકા વરસાદ નોંધાયો છે, પૂર્વ મધ્ય ગુજરાતમાં 37.92 % વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 47.23 % વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 57.36 ટકા વરસાદ નોંધાયો.

બીજી તરફ આગામી પાંચ દિવસ હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી (Gujarat rain forecast) હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં (Gujarat Monsoon) સરેરાશ 46.70 % વરસાદ નોંધાયો છે, કચ્છમાં 97.54 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 26.25 ટકા વરસાદ નોંધાયો છે, પૂર્વ મધ્ય ગુજરાતમાં 37.92 % વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 47.23 % વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 57.36 ટકા વરસાદ નોંધાયો.

આ પણ વાંચો –

 

દેશમાં ચોથી લહેરની આહટ ! એક દિવસમાં આવ્યા આટલા કેસ; અહીં ફરીથી સ્કૂલો બંધ

The sound of the fourth wave

  • દેશમાં કોરોના વાયરસના કેસે ફરી એકવાર લોકોની ચિંતા વધારી છે. છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ કોવિડ કેસ નોંધાયા છે. કોવિડના વધતા કેસને જોતા એક રાજ્યમાં તો સ્કૂલોમાં રજાઓ આપી દેવામાં આવી છે.

દેશમાં કોરોના વાયરસની (Corona virus) રફતાર સતત તેજ થઈ રહી છે. કોવિડ 19 ના નવા કેસમાં 19 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 20,139 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 38 લોકોના મોત પણ થયા છે. આ સાથે દેશભરમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1,36,076 થઈ ગઈ છે.

એક દિવસમાં 20 હજારને પાર કોરોના કેસ :

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં એક દિવસમાં કોવિડ 19 ના 20,139 નવા કેસ સામે આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 4,36,89,989 થઈ છે. ત્યારે મૃતકોની સંખ્યા 5,25,557 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડથી 16,482 લોકો રિકવર થયા છે. દેશમાં કોરોનાથી સાજા થતા લોકોની સંખ્યા વધીને 4,30,28,356 થઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં આવ્યા 2575 નવા કેસ :

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં બુધવારના કોરોના વાયરસના સંક્રમિત 2575 વધુ દર્દીઓ મળી આવ્યા તથા 10 સંક્રમિતોના મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 80,10,223 થઈ ગઈ છે. જ્યારે મૃતકોની સંખઅયા 1,48,001 થઈ ગઈ છે.

દિલ્હીમાં આ છે કોરોના સ્થિતિ :

ત્યારે રાજધાની દિલ્હીમાં એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 490 નવા કેસ સામે આવ્યા છે જ્યારે ત્રણ દર્દીઓના સંક્રમણથી મોત થયા છે. સંક્રમણ દર 3.16 ટકા નોંદાયો છે. નવા કેસ સામે આવ્યા બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણના કેસ વધીને 19,41,905 થઈ ગયા. ત્યારે મૃતકોની સંખ્યા 26,288 થઈ ગઈ છે.

મણિપુરમાં બંધ કરી સ્કૂલો :

કોરોનાના વધતા કેસે ફરી એકવાર લોકોની ચિંતા વધારી દીધી છે. મણિપુર સરકારે રાજ્યમાં તાજેતરમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખી આગામી સપ્તાહ સુધી તમામ સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ સત્તાવાર આદેશ મંગળવારના જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો –