RJ કૃણાલના પિતાએ કર્યો આપઘાત, રેલવેટ્રેક પાસેથી મળ્યો મૃતદેહ

Share this story

RJ Krunal’s father committed suicide

  • RJ Kunal : આરજે કૃણાલના પિતા પહેલા પહેલી પત્ની ભૂમિ દેસાઇએ પણ લગ્નના બે મહિના બાદ જ આપઘાત કરી લીધો હતો. પિતાના આપઘાતમાં સોલા પોલીસે (Sola Police) અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

શહેરના જાણીતા રેડિયો જોકી કૃણાલના (RJ Krunal) પિતા  ઇશ્વરભાઇ વાલાભાઇ દેસાઇએ રેલવે ટ્રેક પર આપઘાત (RJ Krunal father suicide) કરીને જીવન ટૂંકાવી દીધું છે. એમની પાસેથી સ્યૂસાઇડ નોટ પણ મળી આવી હતી. ઇશ્વરભાઇની જનતા નગર રેલવે ક્રોસિંગ (Janta nagar Railway Crossing) પાસેથી મૃત હાલતમાં દેહ મળી આવ્યો હતો. સોલા પોલીસે (Sola Police) અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

સ્યૂસાઇડ નોટ મળી આવી :

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, અમદાવાદને મિર્ચી મુર્ગા નામે હસાવનાર રેડિયો જોકી RJ કૃણાલના પિતા ઈશ્વરભાઈ વાલાભાઈ દેસાઈએ રેલવે ટ્રેક પર આપઘાત કર્યો છે. તેમણે એક સ્યૂસાઇડ નોટ લખીને જીવન ટૂંકાવી લીધું છે. પિતાના આપઘાતના સમાચાર મળતા પોલીસ પહોંચી હતી. પોલીસ દ્વારા અકસ્માતે મોત નોંધવામાં આવ્યું છે.

ચર્ચાઓએ જોર પકડ્યું :

હાલ સોલા હાઈકોર્ટ પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે હાલ સૂસાઈડ નોટ કબ્જે કરી છે. આત્મહત્યા અંગે કૃણાલની અગાઉની પત્ની ભૂમિ પંચાલના પરિવારજનો જવાબદાર હોવાની ચર્ચા થઇ રહી છે.

પ્રથમ પત્નીએ લગ્નના બે મહિના બાદ કર્યો હતો આપઘાત :

નોંધનીય છે કે વર્ષ 2016ની 21 જાન્યુઆરીએ આરજે કૃણાલની પહેલી પત્ની ભૂમિ દેસાઈએ આનંદનગરના 100 ફૂટ રોડ ઉપર આવેલા સચિન ટાવરના એચ બ્લોકના દસમા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. ભૂમિએ આપઘાત કરતાં પહેલાં તેના મિત્ર મિતેષ સોનીને SMS કર્યો હતો. BBAનો અભ્યાસ કરેલી અને ખાનગી કંપનીમાં મેનેજરના હોદ્દા ઉપર નોકરી કરી ચૂકેલી ભૂમિએ માત્ર બે મહિનાના લગ્નગાળામાં જ આત્મહત્યા કેમ કરી લીધી હતી.

પોલીસની તપાસમાં એવી વિગતો ખૂલી હતી કે, એક વર્ષ અગાઉ સંપર્કમાં આવ્યા પછી પ્રેમસંબંધ બંધાતાં પરિવારની સંમતિથી તા. 24-11-2015ના રોજ ભૂમિએ કૃણાલ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે મહિનામાં પતિ-પત્ની વચ્ચે અણબનાવ બનતાં ભૂમિએ આત્મહત્યા કરી લીધી હોવાની વિગતો ખૂલી હતી.

આ પણ વાંચો –