Home Blog Page 1381

ગોધરાકાંડ બાદ કોના ઈશારે તિસ્તાને લાખો રૂપિયા મળ્યા, SITની એફિડેવિટમાં ખુલાસો, જાણો કોનું નામ સામે આવ્યું છે તે…

0

Teesta received lakhs of rupees

  • તિસ્તા સેતલવાડ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. ગુજરાત SIT એ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ વિરુદ્ધ પોતાના સોગંદનામામાં મોટો ખુલાસો કરીને ખળભળાટ મચાવ્યો છે.

તિસ્તા સેતલવાડ (Teesta Setalwad) કેસમાં એક મોટો ખુલાસો થયો છે. ગુજરાત SIT એ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ વિરુદ્ધ પોતાના સોગંદનામામાં મોટો ખુલાસો કરીને ખળભળાટ મચાવ્યો છે. તમને જણાવી દઈએ કે, સેતલવાડ, નિવૃત્ત ડીજીપી આરબી શ્રીકુમાર (Retired DGP RB Sreekumar) અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ (Former IPS officer Sanjeev Bhatt) પર 2002ના ગુજરાત રમખાણો સાથે જોડાયેલ કેસમાં બનાવટી પુરાવા અને કાવતરું ઘડવાનો આરોપ છે. ગુજરાત પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે. જ્યારે, 15 જુલાઈએ તિસ્તા સેતલવાડની જામીન અરજી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી SITની એફિડેવિટમાં એક મોટો ખુલાસો થયો છે.

તિસ્તા સેતલવાડની જામીન અરજીમાં SITની એફિડેવિટમાં મોટો ખુલાસો થયો છે. તિસ્તા સેતલવાડ અને પૂર્વ આઈપીએસ અધિકારી શ્રીકુમારે ખોટા કાગળ બનાવી કાયદા સાથે રમત કરવા બદલ ધરપકડ બાદ તિસ્તા દ્વારા અમદાવાદની સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી.

સોગંદનામામાં જણાવાયું છે કે સેતલવાડે કથિત રીતે આ કાવતરાના ભાગરૂપે શરૂઆતથી જ કામ કરવાનું શરૂ કર્યું હતું. કારણ કે ગોધરા ટ્રેનની ઘટનાના થોડા દિવસો બાદ જ તેણે સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાથે મીટિંગ કરી હતી અને પ્રથમ વખતમાં રૂ.5 લાખ લીધા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતાની સૂચના પર એક સાક્ષીએ તેમને પૈસા આપ્યા હતા. કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવાયું છે કે પટેલ અને સેતલવાડની ફરી મુલાકાત શાહીબાગમાં સરકારી સર્કિટ હાઉસમાં થઈ હતી, જેમાં સાક્ષીએ પટેલની સૂચના પર સેતલવાડને વધુ 25 લાખ રૂપિયા આપ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મીટિંગમાં આપવામાં આવેલી રોકડ કોઈ રાહત ફંડનો ભાગ નથી.

સોગંદનામામાં દાવો કરવામાં આવ્યો હતો કે સેતલવાડે કથિત રીતે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી સહિત ગુજરાત રાજ્યમાં અનેક અધિકારીઓ અને અન્ય નિર્દોષ વ્યક્તિઓને ફસાવવા અને તેમની સામે કાર્યવાહી કરવા રાજકીય પક્ષ પાસેથી નાણાકીય અને અન્ય વિવિધ લાભો મેળવ્યા હતા.

તમને જણાવી દઈએ કે આ વર્ષે 25 જૂને અમદાવાદમાં નોંધાયેલી એફઆઈઆરના સંદર્ભમાં સેતલવાડ, શ્રીકુમાર અને પૂર્વ આઈપીએસ અધિકારી ભટ્ટની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આના એક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે 2002ના રમખાણો સાથે સંબંધિત કેસમાં તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદી અને અન્યને આપવામાં આવેલી ક્લીનચીટ વિરુદ્ધની અરજીને ફગાવી દીધી હતી.

અહેમદ પટેલ પાસેથી બે વખત પૈસા લીધાનો આરોપ : 

આજે જામીન માટેની સુનાવણી દરમિયાન આ મામલાની તપાસ માટે રચાયેલી એસઆઈટીએ એફિડેવિટ દાખલ કરીને કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષાના સલાહકાર અહેમદ પટેલ પાસેથી બે વખત પૈસા લેવામાં આવ્યા છે. જેનો ઉલ્લેખ એફિડેવિટમાં કરાયો છે. આ એફિડેવિટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે આ પૈસાનો ઉપયોગ તિસ્તા દ્વારા સર્કિટ હાઉસના વ્યવહારો માટે કરવામાં આવ્યો હતો. જેના પુરાવા અને સાક્ષીનો પણ સોગંદનામામાં ઉલ્લેખ છે.

SITની તપાસ હજુ ચાલુ :

SITએ તિસ્તાને જામીન ન આપવા માટે એફિડેવિટ રજૂ કરી હતી. જ્યારે, SITએ દાવો કર્યો છે કે તિસ્તાના માધ્યમથી ગુજરાત અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીને બદનામ કરીને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તિસ્તા સેતલવાડ સામે SITની તપાસ હજુ ચાલુ છે, જેના કારણે તે સાક્ષીને ધમકી આપી શકે છે. અને પુરાવાને ટેમ્પર કરી શકે છે. જેના કારણે તિસ્તાને જામીન ન આપવા જોઈએ.

તિસ્તા સેતલવાડના નજીકના સાથી રઈસ ખાને તાજેતરમાં દાવો કર્યો હતો કે જ્યારે અમે તેમની સામે ફરિયાદ કરી હતી ત્યારે ધરપકડ અગાઉ થવી જોઈતી હતી. તેમણે કહ્યું હતું કે, તિસ્તા જેવા લોકો જેઓ વિક્ટિમના નામે પૈસા લાવે છે, ખાઈ જાય છે અને પોતાને સામાજિક કાર્યકર્તા કહે છે, વિક્ટિમ સાથે જે વિશ્વાસઘાત થયો છે તેને વિક્ટિમ માફ નહીં કરે. રઈસે વધુમાં જણાવ્યું હતું કે તિસ્તાએ પીડિતા સાથે છેતરપિંડી કરી હતી. આવા લોકોને માફ ન કરવા જોઈએ. તિસ્તાએ દેશ-વિદેશમાંથી ફંડ જમા કર્યું અને તેનો એક ટકા પણ પીડિતને આપ્યો નહીં.

આ પણ વાંચો –

તમે આવા કોલથી રહેજો દૂર, નહીં તો પાટણના ડોક્ટર જેવા થશે હાલ

Stay away from such calls

  • પાટણ શહેરમાં રહેતા ડોક્ટરના મોબાઇલ પર અજાણ્યા ઇસમોએ વીડિયો કોલ કરી વાતોમાં ભોળવી ડોક્ટરનો નગ્ન વીડિયો ઉતાર્યો હતો. ત્યાર બાદ ડોક્ટરને વોટ્સઅપ ઓડિયો કોલ કરી નગ્ન વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 5 લાખની માગણી કરી હતી.

પાટણ શહેરમાં (City of Patan) રહેતા ડોક્ટરના મોબાઈલ વોટ્સએપમાં અજાણ્યા ઈસમોએ વીડિયો કોલ કરી નગ્ન વિડિઓ ઉતારી સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 5 લાખની માગણી કરી હતી. આ અંગે ડોક્ટરે પાટણ સાયબરની ટીમને (Cyber team) હકીકત જણાવી પાટણ બી ડિવિઝન પોલીસ મથકે મોબાઈલ નંબર ધારક સામે બળજબરી પૂર્વક પૈસા કઢાવવાનો ગુનો નોંધાવ્યો હતો. જે અંગે તપાસ પાટણ એલસીબી પોલીસને સોંપતા પોલીસે છટકુ ગોઠવી ત્રણ ઈસમોને ઝડપી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

પાટણ શહેરમાં રહેતા ડોક્ટરના મોબાઇલ પર અજાણ્યા ઇસમોએ વીડિયો કોલ કરી વાતોમાં ભોળવી ડોક્ટરનો નગ્ન વીડિયો ઉતાર્યો હતો. ત્યાર બાદ ડોક્ટરને વોટ્સઅપ ઓડિયો કોલ કરી નગ્ન વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 5 લાખની માગણી કરી હતી. આ બાબતની જાણ પોલીસને કરી તો જાનથી મારી નાખવાની ધમકી ઈસમોએ આપી હતી.

ગભરાઈ ગયેલ ડોક્ટરે પાટણ જિલ્લા પોલીસ વિભાગના સાયબર ક્રાઈમ વિભાગનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ પાટણ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તેની તપાસ પાટણ એલસીબી પોલીસને સોંપવામાં આવી હતી. જે બાદ પોલીસે ટેક્નિકલ એનાલિસિસ દ્વારા તપાસ શરી કરી હતી.

પોલીસ તપાસમાં ત્રણ ઈસમો હોવાનું બહાર આવવા પામ્યું હતું અને છટકું ગોઠવી ત્રણે ઈસમોને પાટણ ખાતેથી પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાં ઠાકોર શિવપાલ, ઠાકોર વિશાલ, સાધુ લાભેશ ત્રણે રહે બનાસકાંઠા વાળાને ઝડપી પાડ્યા હતા. જેમાંથી ઠાકોર શિવપાલ બનાસકાંઠામાં લૂંટના ગુનાહમાં પણ અગાઉ ઝડપાયો હતો. ત્યારે હાલ તો પોલીસે ત્રણે ઈસમોની વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો –

‘ગુજરાત ગાર્ડિયન’એ એક દાયકો પુરો કર્યો, નવા સૂર્યોદયની આશા સાથે આજે બીજા દાયકામાં પ્રવેશ કરશે

  •  નોટબંધી, જીએસટી અને કોરોનાની મહામારીના ઘા હજુ રુઝાયા નથી પરંતુ કયાં સુધી રડતા રહીશું?
  • દેશના અન્ય વેપાર અને ઉદ્યોગની સાથે ‘ગુજરાત ગાર્ડિયન’એ પણ આર્થિક મોરચે ઘણાં ઘા સહન કરવા પડ્યા છે પરંતુ એક દિવસ ચોક્કસ સમય કરવટ બદલશે
‘ગુજરાત ગાર્ડિયન’ અખબારનો એક દાયકો પસાર થઈ ગયો. કમનસીબે આ દાયકામાં જ ઐતિહાસિક આફતો આવી હતી અને હજુ પણ આફતનો દોર ચાલું જ છે. પરંતુ આપણે બીજાની મુશ્કેલી તરફ નજર દોડાવીએ અથવા તો બીજાની મુશ્કેલીઓ સમજવાની થોડી કોશિષ કરીએ ત્યારે ચોક્કસ એવું લાગી આવે છે કે બીજા કરતા આપણી મુશ્કેલીઓ ઘણી ઓછી છે અને રડતા જ રહેવાથી મુશ્કેલીઓનો પાર નહીં આવે. ઘણી વખત શરીરમાં એવા રોગ કાયમ માટે પડાવ નાંખે છે ત્યારે એક વાત સમજી લેવી પડે છે કે હવે બીમારી સાથે જ જીવવાનું છે. મતલબ કે હવે ગરીબ, મધ્યમ, શ્રમજીવી વર્ગે એક વાત સમજી લેવી પડશે કે પડી ભાંગેલી દેશની અર્થવ્યવસ્થા નજીકના ભવિષ્યમાં સુધરવાની શક્યતા નથી.
નોટબંધી અને જીએસટી લાગુ પાડવામાં આવ્યા ત્યારે એમ લાગતું હતું કે ભારતમાં આર્થિક કટોકટી લાંબો સમય નહીં ચાલે ખરેખર તો નોટબંધી અને જીએસટી પેટ ચોળીને શૂળ ઉભું કરવા જેવી ઘટના હતી પરંતુ ઇતિહાસમાં નામ કરવા માટે સરકારને કોઇક બહાદુરી કરવાનું સૂઝયું અને બહાદુરી કરી પણ બતાવી અને સરકારે અર્થવ્યવસ્થા સાથે કરેલી છેડછાડ દેશના નાગરિકોને કેટલી મોંઘી પડી એ કદાચ શાસકોને નહીં સમજાય.
વળી વિરોધ કરવાનો પણ કોઇ મતલબ નહોતો કારણ કે સરકારે આંખ અને કાન બંધ કરી લીધા હતા. આ તરફ લાચાર પ્રજાએ સરકારના નિર્ણયને મનથી કે કમનથી માથે ચઢાવ્યા વગર છુટકો નહોતો. લોકોના મનમાં એવી ભ્રમણા હતી કે આવતીકાલે સારા દિવસો આવશે અને આવી આશામાં દિવસો કાપી રહ્યા હતા. કહેવાની જરૂર નથી કે નોટબંધી અને જીએસટીના દુષ્પરિણામ રૂપે કેટલાય લોકો કંગાળ થઈ ગયા અને અનેક લોકોએ આપઘાત કરી લીધા. આમ છતાં સરકાર હંમેશા એવું ઠરાવી રહી છે કે તેમના નિર્ણયો જ યથાયોગ્ય હતા, વળી સામે હરીફ પક્ષે કોંગ્રેસ સહિતના વિપક્ષો પણ સાવ ‘નમાલા’ પુરવાર થયા હતા. પ્રજાની વેદના સરકારને સાંભળવાની ફરજ થઈ પડે એવું કંઇપણ કરી શકયા નહોતા અને આખો દેશ ભાંગી પડેલા અર્થતંત્રની ખાઇમાંથી બચવા તરફડીયા મારી રહ્યો હતો.
પરંતુ નસીબ લઇને જન્મેલી સરકાર માટે કોરોનાની મહામારીએ ભાંગી પડેલા અર્થતંત્રની બધી જ વાતો ભુલાવી દીધી હતી. કોરોનાની મહામારી દેશ અને દુનિયા માટે કેટલી વિનાશક પુરવાર થઈ હતી એના માટે દાખલા આપવાની જરૂર નથી. કોરોનામાં અનેક લોકો બરબાદ થઈ ગયા. ઘણા પરિવારોએ સામૂહિક આપઘાત પણ કરી લીધા. અનેક કારખાના માલિકો શેઠ બનીને નોકર બની ગયા પરંતુ આ બધા માટે સરકારને દોષ આપી શકાય તેમ નથી કારણ આખું વિશ્વ આ કોરોના નામના દૈત્યનું ભોગ બન્યું હતું.
ખેર, હજુ પણ કોરોના સાવ સમાપ્ત થયો નથી. ભારત સરકારે કરોડો લોકોને વેક્સિન આપીને કોરોના સામે રક્ષણ આપવાનું સરાહનીય કામ કર્યું છે. ત્રણ ત્રણ વર્ષથી ૮૦ કરોડ લોકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સરકારના આ માનવીય અભિગમની અવગણના કરી શકાય તેમ નથી. પરંતુ વેપાર ઉદ્યોગને બેઠા કરવા અને કરોડો લોકોને રોજગારી આપવા આર્થિક ઉદારીકરણની નીતિથી સરકાર પીછેહઠ કરી રહી છે બલ્કે મોંઘવારીમાં સબડતા લોકો ઉપર ટેક્ષનું ભારણ વધારી રહી છે કોઇ એક ક્ષેત્ર એવું બચ્યું નથી કે જ્યા ટેક્ષ વસુલવામાં આવતો નહીં હોય. વેપાર, ધંધા કરતા લોકોને ઘણી વખત એવું લાગતું હશે કે તેઓ ટેક્ષના નાણા ભરવા માટે જ વેપાર ધંધા કરી રહ્યા છે. એ વળી ટેક્ષ ભરવામાં થોડો વિલંબ થાય તો સરકારી તંત્રોની ‘પઠાણી ઉઘરાણી’ શરૂ થઈ જાય છે. અને વિરોધ કરવામાં આવે તો સરકારી તપાસ એજન્સીઓ ઘરના દરવાજે જ ઉભી હોય છે.
આવી સ્થિતિ વચ્ચે દેશ આખો જીવી રહ્યો છે. વેપાર, ઉદ્યોગને આઝાદી મળવાની આશા સાવ ધૂંધળી બનતી જાય છે, જાણે ‘ગુલામ’ હોય એ રીતે લોકો ભાર વેંઢારી રહ્યા છે.
‘ગુજરાત ગાર્ડિયન’ પણ આવા અનેક વિકટ સંજોગોમાંથી પસાર થયું અને હજુ કેટલા વિકટ સંજોગો પાર કરવાના હશે તેનો દાવો કરી શકાય તેમ નથી.
પરંતુ એક વાતનો ચોક્કસ સંતોષ લઇ શકાય કે ‘ગુજરાત ગાર્ડિયન’ સાથે દિલથી નાતો ધરાવતા લોકો ખરેખર ‘ગાર્ડિયન’ બનીને ઉભા રહેતા આવ્યા છે અને આવા ‘ગાર્ડિયન’ના સહારે જ ‘ગુજરાત ગાર્ડિયન’ જીવી ગયું છે અને જીવતું રહ્યું છે. અનેક સંકટો આવ્યા અને પાર કરી ગયા.
દેશની કથળેલી આર્થિક અર્થવ્યવસ્થાની દરેક ક્ષેત્રોની માફક ‘ગુજરાત ગાર્ડિયન’ને પણ અસરો પહોંચી છે પરંતુ જ્યાં કુવામાં જ પાણી ન હોય તો અવેડામાં કેવી રીતે આવવાનું? સમગ્ર ઉદ્યોગ જગત આર્થિક સમસ્યા ભોગવી રહ્યું હોય ત્યારે ‘ગુજરાત ગાર્ડિયન’ જેવી સંસ્થાઓને પણ અસરો થવાની જ પરંતુ પરિસ્થિતિ સામે ઝૂકી જવા કરતા લડતા રહીશું તો એક દિવસની સવારે કરવટ બદલતો સૂર્યોદય ચોક્કસ થશે.
સદનસીબે ‘ગુજરાત ગાર્ડિયન’ને વફાદાર અને પ્રમાણિક ટીમ મળી હોવાથી સંકટના દિવસો પણ ઝડપથી પસાર થઈ રહ્યા છે. વફાદાર કર્મચારીઓ અને પ્રમાણિક મિત્ર વર્તુળોએ જ ‘ગુજરાત ગાર્ડિયન’ને ધબકતું રાખ્યું છે. અને આવનારા વર્ષોમાં પણ ધબકતું રાખશે એવો ચોક્કસ વિશ્વાસ છે.
વળી ‘ગુજરાત ગાર્ડિયન’ની પહેલી ઇંટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુકી હતી અને આ વાતનું પણ ‘ગુજરાત ગાર્ડિયન’ પરિવારને ગૌરવ છે.
આ પણ વાંચો –

આ ગુજરાતીનું લોહી સોના જેવુ ચમકતું નીકળ્યું, બન્યા દુનિયાના સૌથી દુર્લભ લોહી ધરાવતા શખ્સ

0

The blood of this Gujarati

  • ગુજરાતના શખ્સમાં જે EMM Negative મળ્યુ છે, તે દુનિયાનું 42 મું બ્લડ ગ્રૂપ માનવામાં આવે છે. દુર્લભ બ્લડ ગ્રૂપનો ભારતનો આ પહેલો કિસ્સો છે, જ્યારે સમગ્ર દુનિયામાં રક્તવાળા 10 લોકો જ છે.

અત્યાર સુધી આપણે A,B,O અને AB ચાર પ્રકારના બ્લડ ગ્રૂપ (Blood group) વિશે સાંભળ્યુ હશે, પરંતુ દેશમાં એક એવા બ્લડ ગ્રૂપની ઓળખ થઈ છે તે અત્યંત દુર્લભ છે. આ બ્લડ ગ્રૂપનું નામ છે ઈએમએમ નેગેટિવ (EMM Negative) ગ્રૂપ. ચોંકાવનારી હકીકત તો એ છે કે આ શખ્સ ગુજરાતના છે. 65 વર્ષીય ગુજરાતી શખ્સમાં આ બ્લડ ગ્રૂપ મળી આવ્યુ છે.

દુર્લભ બ્લડ ગ્રૂપનો ભારતનો આ પહેલો કિસ્સો છે, જ્યારે સમગ્ર દુનિયામાં રક્તવાળા 10 લોકો જ છે. વ્યક્તિના શરીરમાં કુલ 42 પ્રકાનરા અલગ અલગ બ્લડ સિસ્ટમ હાજર રહોય છે. જેમ કે, એ, બી, ઓ, આરએચ અને ડફી. પરંતુ સામાન્ય રીતે ચાર બ્લડ ગ્રૂપ જ ગણવામાં આવે છે. ગુજરાતના શખ્સમાં જે EMM Negative મળ્યુ છે, તે દુનિયાનું 42 મું બ્લડ ગ્રૂપ માનવામાં આવે છે.

એક્સપર્ટસની માનીએ તો, આ બ્લડ ગ્રૂપ એ લોકોમાં જોવા મળે છે, જેમાં ઈએમએમ હાઈ ફ્રિકવન્સી એન્ટીજનની અછત મળી આવે છે. EMM  બ્લડ ગ્રૂપવાળા શખાસ ન તો કોઈને રક્ત દાન કરી શકે છે, ન તો કોઈનુ રક્ત લઈ શકે છે.

જે વ્યક્તિમાં આ બ્લડ ગ્રૂપ મળી આવ્યુ છે તે રાજકોટની છે. જેમની આ બ્લડ ગ્રૂપની ઓળખ સુરતમાં થઈ. સુરતના સમર્પણ બ્લડ ડોનેશન સેન્ટરના ફિઝિશિયન ડોક્ટર સન્મુખ જોશનીએ કહ્યુ કે, 65 વર્ષીય વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો હતો. તેમના લોહીની તપાસ કરતા આ રેર બ્લડ ગ્રૂપ મળી આવ્યુ છે. અમે તપાસ કરી તો જાણવા મળ્યુ કે તેઓ દેશના પ્રથમ એવા શખ્સ છે જેઓ EMM Negative બ્લડ ગ્રૂપ ધરાવે છે. હાલ તેમને લોહીની જરૂર છે, જેથી તેમની હાર્ટ સર્જરી કરાવી શકાય. પરંતુ સર્જરી કરવા માટે નવુ EMM Negative લોહી અમારી પાસે નથી.

કેમ ગોલ્ડન કલરનું હોય છે આ લોહી :

આ રક્ત દુનિયાનું સૌથી દુર્લભ બ્લડ ટાઈપ ગોલ્ડન બ્લડ છે. ગોલ્ડન બ્લડ દુનિયામાં માત્ર 43 લોકોમાં મળી આવ્યુ છે. આ પ્રકારના લોકોને જો ક્યારેય રક્તની જરૂર પડે તો તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝને આ બ્લડ ગ્રૂપને ઈએમએમ નેગેટિવ એટલા માટે ગણાવ્યુ છે કે, તે રક્તમાં EMM એટલે કે લાલ રક્ત કોશિકાઓમાં એન્ટીજન મળી આવતુ નથી. આ રક્તને ગોલ્ડન બ્લડ પણ કહેવાય છે. આ રક્ત એ લોકોના શરીરમાં મળી આવે છે જેમનું Rh ફેક્ટર null હોય છે.

પહેલીવાર ક્યારે મળ્યું :

ગોલ્ડન બ્લડ પહેલીવાર 1961 માં તપાસમાં સામે આવ્યુ હતું. એક ઓસ્ટ્રેલિયન મહિલાના ગર્ભવતી દરમિયાન તેના ગોલ્ડન કલરના રક્ત વિશે જાણવા મળ્યુ હતું. ડોક્ટરને લાગ્યુ હતું કે, Rh-null ને કારણે તેનુ બાળક પેટમાં જ મરી જશે.

સૌથી પહેલી તપાસ :

સૌથી પહેલા 1901 માં ઓસ્ટ્રેલિયન ફિઝીશિયન કોર્લ લૈન્ડસ્ટીનરે રક્તના પ્રકાર વિશે રિસર્ચ શરૂ કર્યુ હતું. 1909 માં તેમણે બ્લડના 4 ભાગોમાં ડિવાઈડ કર્યા હતા. જેને આપણે સામાન્ય રીતે A,B,AB અને O નામથી ઓળખીએ છીએ. તેની તપાસ માટે 1930 માં તેમને નોબલ પુરસ્કાર મળ્યુ હતું.

આ પણ વાંચો –

 

16 જુલાઈ શનિવારના રોજ આ રાશિના જાતકો પર થશે દાદા હનુમાનની કૃપા, બસ આવી ભૂલો નહિ કરતા નહિતર…

zodiac sign on Saturday 16th July

મેષઃ
આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ વધે. કાર્યમાં સફળતા મળતી જણાય. સાસરાપક્ષ તરફથી લાભ મળવાના યોગ છે. નોકરી-ધંધામાં પ્રગતિ. જુની ઉઘરાણી છુટી થતી જણાય.

વૃષભઃ
આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનમેળ વધતો જણાય. અધૂરા કાર્યો પૂર્ણ કરી શકો. ધંધાકીયક્ષેત્રે સફળતા મળતી જણાય. વાણિજ્ય ક્ષેત્રે અભ્યાસ કરતા સંતાનોને સફળતા મળે. ભાગ્ય બળવાન છે.

મિથુનઃ
વકતૃત્વ શક્તિથી કાર્ય સફળતા વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. આરોગ્ય જળવાય. સંતાનની ચિંતા રહે. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાય.

કર્કઃ
સફળતાનો આધાર આપની મહેનત ઉપર રહેશે. વાણીવિલાસ સાચવીને કરવો. પિતૃપક્ષ તરફથી લાભ. પરિવારમાં એકરાગીતા જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. નવા રોકાણો યથાર્થ રીતે કરી શકાય.

સિંહઃ
નકારાત્મક વિચારો ઉપર કાબુ રાખવો. આવકનું પ્રમાણ જળવાશે. નોકરીમાં શાંતિ રહે. ધંધાકીય ક્ષેત્રે લાભ. કાપડ, સ્ત્રી શણગાર, કોસ્મેટીકસના ધંધામાં લાભ. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. આરોગ્ય જ‍ળવાય.

કન્યાઃ
મનોબળ મજબૂત રહે. શકિત અને સ્ફૂર્તિનો અનુભવ થાય. આર્થિક બાબતે શુભ ફળ મળે. પરિવારમાં ઉગ્રતા ભર્યુ વાતાવરણ રહે. જમીન-મકાન અંગેના કામમાં સાવધાની જરૂરી. સંતાન અંગેના પ્રશ્નો હલ થતા જણાય.

તુલાઃ
વારેવારે ખોટું લાગે એવા પ્રસંગો આકર લેતા જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નાવા આર્થિક રોકાણો મુલતવી રાખવા.

વૃશ્ચિકઃ
આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. નાનાભાઇ બહેન સાથે પ્રેમ જ‍ળવાય. પરિવારમાં વિખવાદ ટાળવો. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ સફળતા. ગળાના રોગોની કાળજી રાખવી.

ધનઃ
માનસિક પ્રસન્નતા વધે. પરોપકારની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા. રોકાણોમાંથી આવક મળતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં સ્નેહનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ
માનસિક અસ્વસ્થતા રહે. આવકનું પ્રમાણ વધે. કરેલા કાર્યોમાં સફળતા મળતી જણાય. ‌પરિવારમાં અસંતોષનું પ્રમાણ વધે. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આંખની કાળજી રાખવી. મિત્રોથી લાભ મળતો જણાય.

કુંભઃ
દિવસ દરમ્યાન મન આનંદમાં રહે. જુના શિક્ષકોને મળવાનો યોગ બને છે. બપોર બાદ આવકનું પ્રમાણ વધતું જણાય. અનાજ, એડમીનીસ્ટ્રેશન, સોની કામ તથા સરકારી કામમાં સંકળાયેલ વ્યક્તિઓને વિશેષ ફાયદો. ઉલટી-ઉબકાની સમસ્યા રહે.

મીનઃ
ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. આવક જળવાય તથા  બપોર બાદ વધતી જણાય. નવા રોકાણોનું આયોજન સફળતાપૂર્વક કરી શકાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. જીવનસાથી સાથે મતભેદ નિવારવા. આરોગ્ય સારૂં રહેશે.

આ પણ વાંચો –

ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ પત્નીનું અવસાન, ટ્રમ્પે કહ્યું- તે એક સુંદર અને…..

The death of Donald Trump

  • અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પત્ની ઈવાના ટ્રમ્પનું 73 વર્ષની ઉંમરે ન્યૂયોર્ક શહેરમાં નિધન થયું છે.

અમેરિકાના (America) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની (Former President Donald Trump) પ્રથમ પત્ની ઈવાના ટ્રમ્પનું અવસાન થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમની પ્રથમ પત્ની ઈવાના ટ્રમ્પના (Ivana Trump) અવસાનની જાણકારી આપતા લખ્યું હતું કે, ઈવાના ટ્રમ્પ એક અદ્ભુત અને સુંદર મહિલા હતી, તેમણે એક મહાન અને પ્રેરણાત્મક જીવન જીવ્યું છે.

ટ્રમ્પે પોતાનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કર્યું હતું કે, તેમની પ્રથમ પત્ની ઈવાના ટ્રમ્પનું ગુરૂવારે 73 વર્ષની વયે ન્યૂયોર્ક શહેરમાં અવસાન થયું હતું. ટ્રમ્પે પોસ્ટમાં લખ્યું છે કે, ઈવાના ટ્રમ્પના 3 બાળકો  ડોનાલ્ડ જુનિયર, ઈવાન્કા અને એરિકને તેમના પર ખૂબ ગર્વ છે. અમને બધાને ઈવાના પર ખૂબ ગર્વ હતો.

ઈવાના એક મોડલ હતી અને તેમણે 1977માં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લગ્ન કર્યા હતા. તેમના પ્રથમ બાળકનો જન્મ 1977ના અંતમાં થયો હતો. જ્યારે ઈવાન્કાનો જન્મ 1981માં થયો હતો અને એરિકનો જન્મ 1984માં થયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈવાના ટ્રમ્પે 90ના દાયકાની શરૂઆતમાં છૂટાછેડા લીધા હતા.

ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પે 1993માં અભિનેત્રી માર્લા મેપલ્સ સાથે લગ્ન કર્યા હતા. મેપલ્સ સાથે ટ્રમ્પનું લગ્નજીવન લાંબું ચાલી શક્યું નહીં અને 1999માં તેમણે છૂટાછેડા લીધા હતા. ટ્રમ્પે 2005માં મેલાનિયા ટ્રમ્પ સાથે લગ્ન કર્યા હતા.

તે જ સમયે એરિકા ટ્રમ્પે ઈન્ટાગ્રામ પર પોતાની માતાને શ્રદ્ધાંજલિ પોસ્ટ કરીને લખ્યું હતું કે, અમારી માતા એક અવિશ્વસનીય મહિલા હતી. વ્યવસાયમાં એક શક્તિ, વિશ્વ સ્તરે રમતવીર, તેજસ્વી સુંદરતા અને સંભાળ રાખતી માતા અને મિત્ર. તેમને ખૂબ જ યાદ કરવામાં આવશે.

આ પણ વાંચો –

 

અમદાવાદથી મુંબઈ જતાં તમામ માલવાહક વાહનો હાઈવે પર અટવાયા

0

All freight vehicles

  • વરસાદને કારણે નેશનલ હાઈવે પર વાહનોને કતાર. ભરૂચ પોલીસે વોટ્સ અપ પર મેસેજ પાઠવ્યો અમદાવાદથી મુંબઈ જતી ટ્રકોને રોકી લો, સુરત પણ નહિ પહોંચે.

અમદાવાદના (Ahmedabad) મેન્યુફેક્ચરર્સને મુંબઈને વેપારીઓ સાથે જોડતા નેશનલ હાઈવે-૮ વરસાદમાં ભરાયેલા પાણીને કારણે જામ થઈ જતાં અમદાવાદથી મુંબઈ (Ahmedabad to Mumbai) તરફ પાઠવવામાં આવેલા તમામ કન્સાઈનમેન્ટ રસ્તા વચ્ચે જ સલવાઈ ગયા છે. ભરૂચ પોલીસે તો અમદાવાદ મેસેજ મોકલી આપ્યો છે કે ભારે વરસાદને કારણએ ચીખલીથી વલસાડ (Valsad) તથા મહારાષ્ટ્ર જતો નેશનલ હાઈવે સંપૂર્ણ બંધ કરી દેવાયો હોવાથી ભરૂચથી આગળ વાહનો ન જવા દેવાની સૂચના આપી દીધી છે. આ જ મેસેજ અમદાવાદના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ પહોંચાડવામાં આવ્યો છે. કચ્છથી લિગ્નાઈટ (Lignite) લઈને આવતી ટ્રકો પણ અટકી પડી છે.

પરિણામે અમદાવાદથી મુંબઈ તરફ જતાં કેમિકલ, ફાર્માસ્યૂટિકલ્સ, ટેક્સટાઈલ્સ, ડેરી પ્રોડક્ટ્સ, એન્જિનિયરિંગ ઉદ્યોગની આઈટેમ્સ, કૃષિ ઉપજનો  મુંબઈ તરફ લઈ જવા ઉપડેલી હજારો ટ્રક્સ રસ્તામાં સલવાઈ ગઈ હોવાનું ટ્રાન્સપોર્ટર્સ એસોસિયેશનના મુકેસ દવેનું કહેવું છે. તેથી જ મુંબઈ અને વાપી તરફ જતાં તમામ વાહનોને રોકી દેવાની સૂચના આપવામાં આવી છે. સાપુતારા, વઘઈ અને ધરમપુરમાં ૧૧થી ૧૫ ઇંચ જેટલો વરસાદ પડતા સિલવાસા પાસેનો મધુબન ડેમ છલકાઈ ગયો છે.

તેના પાણી પણ આસપાસના રસ્તાઓ પર ફરી વળ્યા છે. તેથી પણ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.  બીજીતરફ કચ્છમાં ભારે વરસાદ પડતા કચ્છથી લિગ્નાઈટ લઈને ગુજરાતના જુદાં જુદાં વિસ્તારોમાં લિગ્નાઈટનો સપ્લાય પહોંચાડતી રોજ નીકળી ૧૫૦૦ જેટલી ટ્રકો નીકળી શકતી જ નથી. આમ કચ્છનો ગુજરાત સાથેનો વહેવાર પણ ભારે વરસાદને કારણે સીમિત થઈ ગયો છે.

બોડેલી, રાજપીપળા, નસવાડી અને ડભોઈના રસ્તાઓ પર પણ ભારે વરસાદને કારણે પાણી ભરાયા હોવાથી આ વિસ્તારોમાંથી પણ માલ લઈ જતી ટ્રકો ફસાઈ છે. તેમ જ વાહનોની અવરજવરમાં તકલીફ પડી રહી છે.

આ પણ વાંચો –

 

800 વર્ષથી ગુજરાતના આ શિવમંદિર પર છત નથી, જ્યારે જ્યારે છત બનાવી ત્યારે દુર્ઘટના બની

This Shiva temple in Gujarat

  • આપણા દેશમાં અનેક શિવ મંદિર છે, તમામનું મહત્વ પણ અલગ અલગ છે. પરંતુ ગુજરાતમાં એક એવું  શિવલિંગ છે જે અનોખું છે. કહેવાય છે કે 800 વર્ષથી આ મંદિરની છત બની નથી, જેની પાછળ અનેક લોકવાયકા છે.

ભગવાન શિવની શ્રાવણ મહિનો પ્રિય હોય છે. હવે અષાઢ મહિનો પૂરો થતા જ શ્રાવણ મહિનો (Sawan 2022) આવશે. જેથી શિવ મંદિરોમાં રોનક જોવા મળશે, શ્રાવણ મહિનો એટલે શિવભક્તિનો મહિનો. ગુજરાતમાં એક એવુ શિવ મંદિર આવેલુ છે જ્યાં સૂતેલા શિવ છે. આ મંદિરમાં વરસાદ આવે તો આકાશમાંથી પાણીનો અને બાકીના દિવસોમાં સૂર્ય કિરણનો સીધો અભિષેક શિવલિંગ પર થાય છે. તેની પાછળ એક ચોક્કસ કારણ છે. અનેક લોકવાયકા છે. કહેવાય છે કે આ મંદિરની છત ક્યારેય બની શકી નથી. તેથી આ મંદિરને છત નથી, અને તે બારેમાસ ખુલ્લુ રહે છે. જાણીએ આ પાછળનું રહસ્ય.

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અબ્રામા ગામ આવેલુ છે. અહી તાડકેશ્વર મહાદેવ મંદિર આવેલુ છે. માન્યતા છે કે આ મંદિર 800 વર્ષ જૂનુ છે. ભોલેનાથના આ મંદિર પર ક્યારેય શિખર બની શક્યુ નથી. તેથી સૂર્ય કિરણો તેને પર સીધો અભિષેક કરે છે.

મંદિર સાથે જોડાયેલી કથા :

કહેવાય છે કે, 800 વર્ષ જૂનુ આ મંદિર છે. અહીંનો સ્થાનિક ગોવાળિયો રોજ પોતાની ગાયોને જંગલમાં ચરાવવા લઈ જતો હતો. જંગલમાં ગયા પછી એક ગાય રોજ એક જ જગ્યાએ ઉભી રહેતી અને પોતાના દૂધની ધારાને પ્રવાહિત કરતી. ગોવાળિયાને આ વાત અજુગતી લાગી. તેથી તેણે તે જગ્યાએ જઈને જોયુ તો જમીનની અંદર એક શિવલિંગ હતું. તેના બાદથી ગોવાળિયાએ રોજ ત્યાં અભિષેક કરવાનુ શરૂ કર્યું. આવા સમયે શિવજીએ ગોવાળિયા પર પ્રસન્ન થઈને તેને સપનામાં આવીને આદેશ આપ્યો કે, ઘનઘોર વનમાં આવીને જે રીતે તુ મારી સેવા કરે છે, તેનાથી હુ પ્રસન્ન થયો છું. તુ મને સ્થાપિત કરે. ગોવાળિયાએ આ વાત ગામવાસીઓને કરી. ગામલોકોએ આવીને તે સ્થળે ખોદકામ કર્યુ તો તેમાંથી 7 ફૂટનું શિવલિંગ મળ્યું. ગામ લોકોએ આ પાવન શિલાને સ્થાપિત કરી. મંદિર બનાવીને પ્રાણપ્રતિષ્ઠા કરી.

આ મંદિરને તડકેશ્વર મંદિર નામ આપવામાં આવ્યું. ગામ લોકોએ મંદિર બનાવવાની શરૂઆત કરી. ચારે તરફ દીવાલ બનાવી અને ઉપર છાપરુ નાંખ્યું. પરંતુ થોડા સમયમાં છાપરુ બળી ગયુ હતું. આવુ વારંવાર થતુ ગયુ. જ્યારે જ્યારે ગામ લોકોએ છત બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ત્યારે કંઈને કંઈ થતુ ગયું. ત્યારે ભગવાને ગોવિળિયાને ફરીથી સપનામાં દર્શન આપ્યાં. ભગવાને કહ્યુ કે, હું તડકેશ્વર મહાદેવ છું, મારી ઉપર કોઈ છાપરું-આવરણ ન બનાવો.

સૂર્ય કિરણો કરે છે અભિષેક :

ભગવાનના આ આદેશ બાદ ગામલોકોએ મંદિરનુ શિખર ખુલ્લુ રાખ્યું. જેથી સૂર્યની કિરણો સીધી જ શિવલિંગ પર અભિષેક કરતી રહે. તડકાનો અભિપ્રયાસ તડકો છે, જે શિવજીને પસંદ છે. ત્યાર બાદ છેલ્લે 1994 માં આ મંદિરનું જીર્ણોદ્વાર થયુ હતું. ત્યારે ગોળાકાર આકૃતિમાં ખુલ્લામાં શિખર બનાવાયુ છે. શ્રાવણ મહિનામાં આ મંદિરનુ મહત્વ વધી જતુ હોય છે.

અહી શિવ આરામ ફરમાવે છે :

તડકેશ્વર મહાદેવ મંદિર સૂતેલી શિવલિંગ માટે પ્રખ્યાત છે. તડકેશ્વર મહાદેવ મંદિરમાં આકર્ષણનું કેન્દ્ર છે ભગવાન શિવનું શિવલિંગ સામાન્ય રીતે મહાદેવનાં મંદિરોમાં જે લિંગ ઉભું જોવા મળે છે એ અહી આડું એટલે કે ભગવાન આરામ કરતા હોય એ અવસ્થામાં જોવા મળે છે.

આ પણ વાંચો –

નવસારીમાં જળબંબાકાર : ભારે વરસાદીથી અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ, છાપરા ગામમાં પાણી ભરાતા 19 લોકોનું સ્થળાંતર કરાયું

0

Water Bombing in Navsari

  • દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની વચ્ચે મેઘતાંડવ જોવા મળ્યું છે. નવસારી જિલ્લામાં આકાશી આફત વરસતા સમગ્ર જિલ્લામાં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે.

અંબિકા નદીમાં (Ambika River) ત્રીજી વખત ઘોડાપુર આવતાં સમગ્ર નવસારી (Navsari) જિલ્લો જળમગ્ન બન્યો છે. વાત કરીએ અંબિકા નદી તો  તેની ભયજનક સપાટીથી ઉપર પર ગાંડીતૂર બનીને વહી રહી છે. જેનાં પગલે નવસારી જિલ્લાના છાપરા સહિત નદી કિનારાના અનેક ગામો બેટમાં ફેરવાયા છે.જેને લઈને છાપર ગામના લોકોની હાલત કફોડી બની જવા પામી હતી.

મોડી રાત્રે છાપર ગામના 19 લોકોનું સ્થળાંતર કરાયું :

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદથી તારાજી સર્જાઈ છે. અંબિકા નદીમાં ગાંડીતૂર બનતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ બની છે. વરસાદી માહોલે આફત સર્જી છે. જેને કારણે સીધી અસર લોકોના જનજીવન ઉપર પડી છે. આકાશમાંથી આફતરૂપી વરસતા વરસાદે જનજીવન અસ્ત વ્યસ્ત કરી નાખ્યું છે. અત્યાર સુધી અંબિકા નદીના આસપાસ વસેલા નીચાણવાળા વિસ્તારોમાં અને ઘરોમાં પાણી ભરાતા ચિંતાજનક વાતાવરણ ઊભું થયું છે.

જે ગામોમાં કદી પાણી ભરાતા ન હતા ત્યાં પણ હવે મુસીબત રૂપ પાણી જોવા મળી રહ્યુ છે. આમ અંબિકા નદી છાપર ગામ પાસે પોતાની ભયજનક સપાટીથી ઉપર રૌદ્રસ્વરૂપે વહેતાં સમગ્ર ગામમાં બેટમાં ફેરવાઈ ગયું હતું.જેને લઈને ગત મોડી રાત્રે 19 લોકોનું પોલીસ અને સ્થાનિક તરવૈયાની મદદથી સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

પોલીસ અને સ્થાનિક તરવૈયાઓએ કરી મદદ :

નવસારી જિલ્લાના છાપરા ગામે અંબિકા નદીના પાણી ગામના વિવિધ વિસ્તારોમાં ભરાતા લોકોને  ભારે હાલાંકી સામાનો કરવાનો વારો આવ્યો હતો. બીજી બાજુ નવસારીના છાપરા ગામમાંમાં પૂરની ભયાનક પરિસ્થિતિને પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર કામે લાગ્યું છે.ગત મોડી રાત્રે ગામના નીચાણ વાળા વિસ્તારોમાં પોલીસ અને સ્થાનિક તરવાયાની મદદથી 19 લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો –

 

રાજકોટના નબીરાઓની આવારાગીરી, ન્યારી ડેમમાં પૂરના પાણી વચ્ચે જીપ સ્ટંટ કર્યો

0

A jeep stunt amidst flood waters

  • રાજકોટમાં નબીરાઓની આવારાગીરીનો વીડિયો ચોંકાવનારો છે. યુવકોએ નદીની વચ્ચે જીપ લઈને સ્ટંટ કર્યા હતા. ન્યારી ડેમ પર તેઓએ જીપની બોનેટ પાણીમાં ડૂબી જાય ત્યાં સુધી ગાડી હંકારી

ગુજરાતના (Gujarat) નબીરાઓ હવે સ્ટંટના ખેલ કરવાના શોખમાં ચઢ્યા છે. ગઈકાલે અમદાવાદની (Ahmedabad) બે યુવતીઓના હવામાં હાથ અદ્ધ કરીને બાઈક ચલાવતા વીડિયો વાયરલ થયા હતા. જેના બાદ હવે રાજકોટના નબીરાઓનો સ્ટંટનો વીડિયો વાયરલ (The video went viral) થયો છે. ન્યારી ડેમમાં (Nyari Dam) પૂરના પાણી વચ્ચે યુવકોએ જીપ હંકારી હતી. હાલ પૂરના પાણીને પગલે નદીમાં જવાની મનાઈ છે, એક તરફ લોકો જીવ બચાવીને ત્યાંથી નીકળી રહ્યાં છે અને તંત્ર ફસાયેલા લોકોને રેસ્ક્યૂ (Rescue) કરવાની કામમાં જોડાયેલુ છે, ત્યાં આ નબીરાઓએ જીવની પરવાહ કર્યા વગર પૂરના પાણીમાં જીપ હંકારી હતી.

રાજકોટમાં નબીરાઓની આવારાગીરીનો વીડિયો ચોંકાવનારો છે. યુવકોએ નદીની વચ્ચે જીપ લઈને સ્ટંટ કર્યા હતા. ન્યારી ડેમ પર તેઓએ જીપની બોનેટ પાણીમાં ડૂબી જાય ત્યાં સુધી ગાડી હંકારી હતી. એટલુ જ નહિ, એક તરફ જ્યાં જીપ બિન્દાસ્તપણે હંકારવામાં આવી રહી હતી, ત્યાં બીજી તરફ બે યુવકો  જીપમાં બંને સાઇડ ઊભા રહી હાકલા-પડકારા કરતા હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઈ રહ્યો છે.

એક તરફ રાજકોટ મનપા દ્વારા વરસાદને પગલે નદી તેમજ ડેમ નજીક જવાની મનાઈ ફરવામાં આવી છે ત્યારે બીજી તરફ આ વીડિયોએ તંત્ર સામે અનેક સવાલો ઉભા કર્યાં છે. યુવકો દ્વારા નદીમાં જોખમી રીતે કાર ચલાવી સોશિયલ મીડિયામાં દબંગાઈ કરતો જોખમી વીડિયો બનાવ્યો છે. આ વીડિયો ન્યારી ડેમનો હોવાની આશંકા છે.

આ પણ વાંચો –