Home Blog Page 1327

ચિત્તાઓની વચ્ચે જન્મદિવસ ઉજવશે PM મોદી : 1948માં લુપ્ત થયા બાદ હવે આફ્રિકાથી આવી રહ્યા છે ચિત્તા 

0

PM Modi to celebrate birthday among cheetahs

  • મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો પાલપુર નેશનલ પાર્કમાં 17 સપ્ટેમ્બરે જ આફ્રિકાથી ચિત્તા લાવવામાં આવી રહ્યા છે, નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશના પ્રવાસે

આગામી 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (Prime Minister Narendra Modi) જન્મ દિવસ છે. જોકે આ વખતે તેઓ પોતાના જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે કરવાના છે. વાત જાણે એમ છે કે, મધ્યપ્રદેશના (Madhya Pradesh) શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો પાલપુર નેશનલ પાર્કમાં (Kuno Palpur National Park) 17 સપ્ટેમ્બરે જ આફ્રિકાથી ચિત્તા લાવવામાં આવી રહ્યા છે.

લગભગ સિત્તેર વર્ષ બાદ ચિત્તા ભારત આવી રહ્યા છે અને આ ખાસ અવસર પર મોદી મધ્યપ્રદેશના પ્રવાસે હશે. તેઓ શ્યોપુરના કરહાટમાં મહિલા સ્વ-સહાય જૂથના સંમેલનને પણ સંબોધિત કરશે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો જન્મ દિવસ ચિત્તાઓની વચ્ચે ઉજવશે.

મધ્યપ્રદેશ કેબિનેટની બેઠક પહેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે માહિતી આપી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશમાં તેમનો જન્મદિવસ ઉજવવા આવશે. આ દિવસે દક્ષિણ આફ્રિકાથી ચિત્તા કુનો નેશનલ પાર્કમાં આવે છે.

તમને જણાવી દઈએ કે સિત્તેર વર્ષ પછી ભારતમાં ચિત્તાઓને વસાવવા માટે પ્રોજેક્ટ ચિતા બનાવવામાં આવ્યો છે. આ અંતર્ગત આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં સ્થાયી કરવામાં આવી રહ્યા છે.

MP : ઈન્દોરમાં યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતો પરેશાન, અનેક ક્વિન્ટલ લસણ નાળામાં ફેંકી દીધાં | Gujarat Guardian

ચિત્તા પ્રોજેક્ટ હેઠળ નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી ચિત્તા લાવવાના છે. પાંચ વર્ષમાં સમગ્ર દેશમાં પચાસ ચિતાઓને વસાવવાની યોજના છે. શરૂઆતમાં આઠ ચિત્તા આવવાના છે, જેને કુનો નેશનલ પાર્કમાં રાખવામાં આવશે. મહત્વનું છે કે, કુનો-પાલપુર નેશનલ પાર્ક 748 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે.

તે 6,800 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા ખુલ્લા જંગલ વિસ્તારનો એક ભાગ છે. એકવાર ચિત્તો લાવવામાં આવે, પછી તેમને નરમ પ્રકાશનમાં રાખવામાં આવશે. બે-ત્રણ મહિના સુધી એન્ક્લોઝરમાં રહેશે. જેથી તેઓ અહીંના વાતાવરણથી ટેવાઈ જાય. આનાથી તેમના પર વધુ સારી રીતે દેખરેખ રાખવાની પણ મંજૂરી મળશે.

ચારથી પાંચ ચોરસ કિ.મી.નું બિડાણ ચારે બાજુ ફેન્સીંગથી ઢંકાયેલું છે. ચિત્તાનું માથું નાનું, શરીર પાતળું અને પગ લાંબા હોય છે. તે તેને દોડવામાં ઝડપ મેળવવામાં મદદ કરે છે. ચિત્તા 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

આ પણ વાંચો :-

અમૂલ ડેરીના વાઇસ ચેરમેનની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્ર પરમારનો વિજય

0

Congress MLA Rajendra Parmar’s

  • વર્ષ 2020માં આણંદ અમૂલ ડેરીના વહીવટી માળખાના 13 સભ્યોની ચૂંટણી થઇ હતી. જે ચૂંટણી બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી.

અમૂલ ડેરીના (Amul Dairy) વાઇસ ચેરમેનની ચૂંટણીની મતગણતરી આજે હાથ ધરવામાં આવી હતી. હવે અમુલ ડેરીના વાઇસ ચેરમેન પદે કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્ર પરમારનો (Congress MLA Rajendra Parmar) વિજય થયો છે.

નોંધનીય છે કે, વર્ષ 2020માં અમુલમાં સરકાર દ્વારા મુકાયેલા સરકારી પ્રતિનિધિઓના મતના વિવાદ બાદ કાનૂની કાર્યવાહીને કારણે મત ગણતરી સ્થગિત કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટના (Gujarat High Court) નિર્ણય બાદ હવે સ્થગિત કરાયેલી મત ગણતરી કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે રાજેન્દ્રસિંહ પરમારને 9 મત મળ્યા છે. જ્યારે રાજેશ પાઠકને 6 મત મળ્યા છે. જેથી રાજેન્દ્રસિંહ પરમારનો 3 મતે વિજય થયો છે. છેલ્લી ત્રણ ટર્મથી વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમાર ચૂંટાઇ રહ્યા છે. 2020માં ચેરમેન વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજાઇ હતી. સરકારી પ્રતિનિધિની નિમણૂકથી મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.

આણંદ અમૂલની વર્ષ 2020માં યોજાયેલ સામાન્ય ચૂંટણી બાદ સરકારે અમૂલના વહીવટી માળખામાં ત્રણ સરકારી પ્રતિનિધિની નિમણૂંક કરી હતી.જેને લઇ કાયદાકીય વિવાદ ઉભો થયો હતો .જોકે લાંબી લડાઇ બાદ હાઇકોર્ટે સરકારે નિમણૂંક કરાયેલા ત્રણેય પ્રતિનિધિનું પ્રતિનિધિત્વ રદ્દ કરી નાંખ્યું છે અને તેમણે વાઇસ ચેરમેનની ચૂંટણી માટે આપેલા મત સિવાય ચૂંટાયેલા સભ્યોએ આપેલા મતની ગણતરી કરવા આદેશ કર્યો છે. જે સંદર્ભે મંગળવારના રોજ ચૂંટણી અધિકારીની હાજરીમાં મતગણતરી કરવામાં આવશે.

આણંદ અમૂલ ડેરીના 10 હજાર કરોડના ટર્નઓવર પર અંકુશ મેળવવા માટે છેલ્લા દસકાથી રાજકીય લડાઇ ચાલી રહી છે. આ લડાઇ વચ્ચે સરકાર દ્વારા પોતાના ત્રણ પ્રતિનિધિની નિમણૂંક કરવામાં આવી હતી. આ પ્રતિનિધિઓ દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં મતદાન કરવા સુધીનો મામલો પહોંચ્યો હતો.

MP : ઈન્દોરમાં યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતો પરેશાન, અનેક ક્વિન્ટલ લસણ નાળામાં ફેંકી દીધાં | Gujarat Guardian

વર્ષ 2020માં આણંદ અમૂલ ડેરીના વહીવટી માળખાના 13 સભ્યોની ચૂંટણી થઇ હતી. જે ચૂંટણી બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ચેરમેન તરીકે રામસિંહ પરમાર બિનહરીફ ચૂંટાયાં હતાં.

જોકે, વાઇસ ચેરમેનની ચૂંટણીમાં બોરસદના કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર અને બાલાસિનોરના ભાજપના આગેવાન રાજેશ પાઠક (પપ્પુ પાઠક) વચ્ચે કાંટાની ટક્કર હતી. જેમાં ચૂંટાયેલા 13 સભ્યો, રજીસ્ટ્રાર સહિત 15 વ્યક્તિ ઉપરાંત સરકારના ત્રણ પ્રતિનિધિ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

9મી સપ્ટેમ્બરે મેહુલ બોઘરા પર હુમલો કરનાર સાજન ભરવાડની જામીન અંગેનો ચુકાદો આવી શકે છે ! વકીલે કહ્યું કે……..

0

Bail verdict of Sajan Bharwad

  • સુરતમાં વકીલ મેહુલ બોઘરા પર હુમલો કરનાર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડને લઇ સરકારી વકીલે કહ્યું કે, ‘આરોપી હત્યાના પ્રયાસની માનસિકતા રાખતો હોય એવું જણાઈ આવે છે.’

સુરતમાં વકીલ મેહુલ બોઘરા (Mehul Boghra) પર હુમલા મામલે આરોપી સાજન ભરવાડ (Sajan Bharwad) તરફી જામીન અરજીની માંગ કરવામાં આવી. જેમાં મેહુલ તરફે સરકારી વકીલ નયન સુખડવાલા (Nayan Sukhdwala) દ્વારા કોર્ટમાં દલીલો કરાઈ.

TRB જવાન પાસે દંડો રાખવાની સત્તા નથી : સરકારી વકીલ

સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરતા કહ્યું કે, ‘સાજન ભરવાડ TRB જવાન છે. દંડ ઉઘરાવવાની કે દંડો રાખવાની સત્તા TRB જવાન પાસે નથી. સાજન ભરવાડે પોલીસની સારી કામગીરી પર પાણી ફેરવ્યું. આરોપી હત્યાના પ્રયાસની માનસિકતા રાખતો હોય એવું જણાઈ આવે છે.’

MP : ઈન્દોરમાં યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતો પરેશાન, અનેક ક્વિન્ટલ લસણ નાળામાં ફેંકી દીધાં | Gujarat Guardian

જણાવી દઇએ કે, સાજન તરફે વકીલ મિનેશ ઝવેરીએ કોર્ટમાં દલીલો કરી હતી. ત્યારે હવે સાજન ભરવાડની જામીન અંગેનો ચુકાદો આગામી તારીખ 9 સપ્ટેમ્બરના રોજ આવી શકે છે.

સાજન ભરવાડ તરફથી કેસ લડનાર વકીલને વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરી દેવાયા

ઉલ્લેખનીય છે કે, સુરતના વકીલ મેહુલ બોઘરા પર કરવામાં આવેલા હુમલાને લઇને સમગ્ર ગુજરાતમાં ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે આ ઘટનામાં વકીલ મંડળની મળેલી સામાન્ય સભામાં એવો નિર્ણય લેવાયો હતો કે સાજન ભરવાડ તરફથી કોઈ વકીલે કેસ ન લડવો.

પરંતુ મિનેશ ઝવેરીએ પોતાનો વકીલ ધર્મ બજાવતા તેઓ સાજન ભરવાડ તરફથી કેસ લડવા તૈયાર હતા. તેના પ્રત્યાઘાત રૂપે હવે એડ્વોકેટ મિનેશ ઝવેરીને વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરી દેવાયા છે.

આ પણ વાંચો :-

‘રોડ બનાવવા પૈસા છે પણ જગ્યા નથી, એટલો વિકાસ કર્યો છે,’ BJP MLAનો વાણીવિલાસ

0

There is money to build

  • વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે આપેલા એક નિવેદનના કારણે વિવાદનો મધપુડો છેડાયો છે. 

વિધાનસભાના (Assembly) નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય (MLA from Bharuch) દુષ્યંત પટેલે (Dushyant Patel) આપેલા એક નિવેદનના કારણે વિવાદનો મધપુડો છેડાયો છે. ભરૂચમાં એક કાર્યક્રમમાં ધારાસભ્યએ રોડ બનાવવા તેમની પાસે જગ્યા જ ન હોવાનું કહેતા તેઓ ટ્રોલ થઈ ગયા હતા.

ભરૂચના કાર્યક્રમમાં MLA દુષ્યંત પટેલ બોલ્યા :

એક કાર્યક્રમમાં હાજરી આપતા સમયે ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે કહ્યું કે, મને 10 કરોડ રૂપિયા સરકારે રોડ રસ્તા માટે આપ્યા છે. પણ મારી પાસે 5 કરોડ રૂપિયાના રોડ બનાવી શકાય એટલી જગ્યા જ નથી. એટલો વિકાસ આટલા દિવસમાં કર્યો છે. મારી પાસે એટલા રોડ જ નથી કે જ્યાં હું આ રોડ લખીને ટાઉન પ્લાનના કામોમાં આપી શકું.

રાજ્યભરમાં ખરાબ રસ્તાથી લોકો ત્રાહીમામ :

નોંધનીય છે કે તાજેતરમાં જ ભરુચ જિલ્લામાં બિસ્માર રસ્તાના કારણે અકસ્માતમાં બે માસુમ બાળકી અને દંપતિના મોત થયા હતા. એવામાં નાયબ મુખ્ય દંડકના આ નિવેદન બાદથી વિવાદનો મધપુડો છંછેડાયો છે.

રાજ્યભરમાં ચોમાસાની સીઝનમાં ઠેર-ઠેર રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ગામ-શહેર તમામ જગ્યાએ ડિસ્કો રસ્તાથી વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે ધારાસભ્યનું આ નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો :-

Vivo Y22 Launched : Vivoએ ગુપ્ત રીતે લોન્ચ કર્યો સસ્તો સ્માર્ટફોન, જાણો શાનદાર ફિચર્સ અને કિંમત

Vivo Y22 Launched

  • Vivoએ ગુપ્ત રીતે એક શાનદાર ડિઝાઇન સાથેનો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જેની કિંમત 13 હજાર રૂપિયાથી ઓછી છે. ફોનમાં પાવરફૂલ 5000mAh બેટરી અને 50MP કેમેરા છે. આવો જાણીએ Vivo Y22ના ફીચર્સ…

Vivoએ Vivo Y22 સ્માર્ટફોન ઈન્ડોનેશિયામાં (Indonesia) રજૂ કર્યો છે. ઉપકરણની આગળની બાજુએ ટિયરડ્રોપ નોચ ડિસ્પ્લે છે. તેમાં એક આકર્ષક પાછળનું શેલ છે. જે વિવો અનુસાર ફિંગરપ્રિન્ટ્સ અને સ્ક્રેચ સામે પ્રતિરોધક છે. Y22 ની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓમાં 90Hz ડિસ્પ્લે, Helio G85 ચિપસેટ અને 50-megapixel ટ્રિપલ રિયર કેમેરાનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ Vivo Y22 ની કિંમત (Vivo Y22 Price in India) અને ફીચર્સ…

Vivo Y22 ની ભારતમાં કિંમત :

Vivo Y22 ના બેઝ મોડલ (4 GB RAM + 64 GB સ્ટોરેજ) ની કિંમત ઇન્ડોનેશિયામાં IDR 2,399,000 (અંદાજે રૂ. 12,800) છે. 6GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત વિશે કોઈ માહિતી નથી, તે ટૂંક સમયમાં જ Starlit Blue, Summer Cyan અને Metaverse Green જેવા કલર વેરિઅન્ટમાં દેશમાં ખરીદી માટે ઉપલબ્ધ થશે.

Vivo Y22 સ્પેસિફિકેશન અને ફીચર્સ :

Vivo Y22 164.3 x 76.1 x 8.38 mm માપે છે અને તેનું વજન લગભગ 180 ગ્રામ છે. તેમાં 6.55-ઇંચની LCD પેનલ છે જે HD+ રિઝોલ્યુશન અને 90Hz રિફ્રેશ રેટ જનરેટ કરે છે. તે એન્ડ્રોઇડ 11 સાથે પ્રીલોડેડ આવે છે, જે FunTouchOS 12 UI સાથે ઓવરલેડ છે.

Vivo Y22 કેમેરા :

Vivo Y22માં ફ્રન્ટમાં 8-મેગાપિક્સલનો કેમેરો છે. બેક પેનલમાં 50-મેગાપિક્સલનો મુખ્ય કેમેરા છે, જે 2-મેગાપિક્સલનો મેક્રો કેમેરા અને LED ફ્લેશ સાથે છે. આ ડિવાઈસ નાઈટ મોડ (ફ્રન્ટ અને બેક), પોટ્રેટ મોડ, 50MP મોડ, બોકેહ, મેક્રો, પેનોરમા, ટાઈમ-લેપ્સ અને આઈ ઓટોફોકસ જેવી ફોટોગ્રાફી સુવિધાઓ પ્રદાન કરે છે.

Vivo Y22 બેટરી :

MediaTek Helio G85 Vivo Y22 ને પાવર આપે છે. ફોનમાં 4/6 GB RAM અને 64 GB/ 128 GB સ્ટોરેજ છે, ઉપકરણ 2 GB સુધી વધારી શકાય તેવી રેમને સપોર્ટ કરે છે. વધુ સ્ટોરેજ માટે, ઉપકરણ સમર્પિત માઇક્રોએસડી કાર્ડ સ્લોટથી સજ્જ છે. Y22 18W ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી પેક કરે છે.

અન્ય વિશેષતાઓમાં 4G VoLTE, Wi-Fi 802.11ac, બ્લૂટૂથ 5.0, GPS, એક USB-C પોર્ટ, 3.5mm ઓડિયો જેક, ફેસ અનલોક, સાઇડ-ફેસિંગ ફિંગરપ્રિન્ટ સ્કેનર અને IPX4/X5 રેટેડ વોટરપ્રૂફ અને ડસ્ટ રેઝિસ્ટન્ટ ચેસિસનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો :-

અરે ના હોય ! લલિત મોદી અને સુષ્મિતા સેનનું બ્રેકઅપ! બન્નેના સંબંધોના પૂર્ણ વિરામ પર જાણો શા માટે થઈ રહી છે ચર્ચા

0

Oh no! Lalit Modi and Sushmita Sen

  • લલિત મોદી અને સુષ્મિતા સેન વચ્ચે બધુ યોગ્ય ચાલી રહ્યું નથી એવી શક્યતા સેવાઈ રહી છે. આ વાત અમે નહીં, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યાં છે.

હકીકતમાં યુઝર્સે લલિત મોદીના (Lalit Modi) ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલમાં મોટો ફેરફાર જોયો છે, ત્યારબાદ મનાઈ રહ્યું છે કે સુષ્મિતા સેન (Sushmita Sen) સાથે તેનો સંબંધ સમાપ્ત થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે લલીત મોદી અને સુષ્મિતા સેન વચ્ચે બ્રેકઅપ થયાનું કારણ સુષ્મિતાનો એક્સ બોયફ્રેન્ડ રોહમન શૉલ (Rohman Shaul) છે.

જો કે, સુષ્મિતા સેન અને લલીત મોદીએ બ્રેકઅપ થયા અંગે કોઈ પણ વાતચીત હજી સુધી કરી નથી અને બંનેમાંથી કોઈએ આ અંગે પોસ્ટ પણ શેર કરી નથી. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સે લલિત મોદીના ઈન્સ્ટાગ્રામ પર અમુક મોટા ફેરફારને જોઈને આ નિષ્કર્ષ નિકાળ્યો છે કે બંને સાથે નથી. લલિતે તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પરથી સુષ્મિતાનું નામ તો હટાવી દીધું છે, પરંતુ બંનેનો સાથે ફોટો પણ બદલી નાખ્યો છે.

થોડા સમય પહેલા સુષ્મિતા સેન સાથેની તસ્વીર પ્રોફાઈલ પિક્ચર મુકી હતી :

લલિત મોદીએ થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર સુષ્મિતા સેન સાથેની તસ્વીર શેર કરી પોતાના સંબંધની જાહેરાત કરી હતી. આ દરમ્યાન લલિતે સુષ્મિતા સાથે ખેંચાવેલી તસ્વીરને પોતાની પ્રોફાઈલ પિક્ચર બનાવી હતી. તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલના બાયોમાં તેમણે સુષ્મિતાને પોતાના જીવનનો પ્રેમ જણાવ્યો હતો. તેમણે લખ્યું હતુ, હું પોતાની પાર્ટનરની સાથે નવા જીવનની શરૂઆત કરી રહ્યો છુ. મારો પ્રેમ સુષ્મિતા સેન.

હવે ઈન્સ્ટાગ્રામ પર લલિત મોદીએ કર્યો આ ફેરફાર :

હવે લલિત મોદીએ પોતાના પ્રોફાઈલ ફોટોને બદલી નાખ્યો છે, આ ઉપરાંત સુષ્મિતાના નામને પણ પોતાના બાયોમાંથી હટાવી દીધુ છે. હવે તેમના બાયોમાં માત્ર આઈપીએલ ફાઉન્ડર અને મૂન લખેલુ છે. જેને જોઈને યુઝર્સ ચોંકી ગયા છે.

આ પણ વાંચો :-

પાળતું શ્વાને લિફ્ટમાં બાળકને બચકું ભરી લીધું છતાં મહિલા બાળકની મદદે ન આવી, Video જોઈ હચમચી જશો

0

The pet dog carried the child in the lift

  • ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી અત્યંત ચોંકાવનારો એક વીડિયો સામે આવ્યો છે જે જોઈને દરેક માતા પિતાના રૂવાડાં ઊભા થઈ જશે. આ વીડિયો નંદગ્રામ પોલીસ સ્ટેશન હદના રાજનગર એક્સટેન્શન ચાર્મ્સ કાઉન્ટી સોસાયટીનો છે. 

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ગાઝિયાબાદથી અત્યંત ચોંકાવનારો એક વીડિયો સામે આવ્યો છે જે જોઈને દરેક માતા પિતાના રૂવાડાં ઊભા થઈ જશે. આ વીડિયો નંદગ્રામ પોલીસ સ્ટેશન (Nandgram Police Station) હદના રાજનગર એક્સટેન્શન ચાર્મ્સ કાઉન્ટી સોસાયટીનો છે. જેમાં એક મહિલા તેના પાલતું શ્વાનને (pet dog) લઈને લિફ્ટમાં જઈ રહી હતી.

MP: ઈન્દોરમાં યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતો પરેશાન, અનેક ક્વિન્ટલ લસણ નાળામાં ફેંકી દીધાં | Gujarat Guardian

તે લિફ્ટમાં એક નાનકડું બાળક પણ હતું. આ પાળતું કૂતરાએ લિફ્ટમાં જ બાળકને બચકું ભરી લીધુ. પરંતુ આમ છતાં તે કૂતરાની માલિકણે બાળક પર ધ્યાન ન આપ્યું અને ઉલ્ટું લુચ્ચું હાસ્ય રેલાવતી રહી. વીડિયો વાયરલ થયા બાદ હવે આ મામલે પોલીસે કેસ દાખલ કરી લીધો છે.

વીડિયો 5 સપ્ટેમ્બરનો સાંજનો 6 વાગ્યાનો છે. વીડિયોમાં લિફ્ટમાં મહિલા સાથે જઈ રહેલા પાળતું શ્વાને બાળકને કરડી લીધું. ચોંકાવનારી વાત એ જોવા મળી કે આમ છતાં મહિલાએ બાળક પ્રત્યે કોઈ દયા દેખાડી નહીં અને હસતી રહી.

બાળક દર્દથી પરેશાન થતું રહ્યું અને મહિલાએ એક નજર પણ બાળક પર ફેરવી નહીં. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો મહિલા પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

વાયરલ વીડિયોના આધારે પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે તથા તપાસ પણ શરૂ કરી દીધી છે. એવું કહેવાય છે કે આ કૂતરાથી સોસાયટીના લોકો ખુબ પરેશાન છે. લોકોએ અનેકવાર કૂતરાની ફરિયાદ મહિલાને કરી હતી. પરંતુ મહિલાએ ધ્યાન ન આપ્યું કે કોઈ પગલું પણ ન ભર્યું. હવે લિફ્ટમાં બાળકને કરડવાનો મામલો ચર્ચામાં છે.

આ પણ વાંચો :-

દેવાધિદેવ મહાદેવ પર વિવાદિત ટિપ્પણી કરનાર સ્વામીનારાયણ સંતે માંગી માફી

0

Swaminarayan Sant

  • ભગવાન મહાદેવ પર વિવાદીત ટિપ્પણી કરનારા આનંદસાગર સ્વામી આખરે માગી માફી… આનંદસાગર સ્વામીએ ભગવાન મહાદેવ અંગે વાણી વિલાસ કરતા પ્રબોધ સ્વામીએ સજા સ્વરૂપે મૌન પાળવા આદેશ કર્યો…

આનંદસાગર સ્વામીનો (Anandasagar Swami) ભગવાન શિવ પર વિવાદીત ટિપ્પણીનો (Controversial comment) મામલો હવે ટોકિંગ પોઈન્ટ બન્યો છે. ભગવાન શિવ વિશે અયોગ્ય ટિપ્પણી કર્યા બાદ આનંદસાગર સ્વામીને પોતાની ભૂલનું  ભાન થયું હતું અને તેમણે પોતાની ભુલનો સ્વીકાર કર્યો છે. એટલુ જ નહિ, પ્રબોધ સ્વામીએ (Prophet Swami) સજા સ્વરૂપે મૌન પાળવા અને સાત દિવસ ઉપવાસના આદેશ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે, આનંદસાગર સ્વામીએ હરિધામ સોખડાના પ્રબોધ સ્વામી ગ્રૂપના સ્વામી છે. તેમણે અમેરિકામાં આ પ્રકારનું પ્રવચન આપ્યું હતું જેનો વિવાદ થતા વીડિયો વાયરલ થયો હતો. તેમણે પ્રબોધ સ્વામીને મહાદેવ કરતા મોટા સ્વામી ગણાવ્યા હતા. આવી વાત જાહેર કરતા ભક્તોની લાગણી દુભાઈ હતી. આનંદસાગર સ્વામીએ નવો વીડિયો જાહેર કરીને માફી માંગી છે.

શિવ ભક્તોએ વિરોધ દર્શાવ્યો :

ગઈકાલે રાજકોટમાં આનંદસાગર સ્વામીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં આનંદસાગર સ્વામી દ્વારા ભગવાન શિવ વિશે અયોગ્ય ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો. ત્યારે આનંદસાગર સ્વામીનો આ વીડિયો વાયરલ થતા બ્રહ્મસમાજ દ્વારા આ નિવેદન પર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિવિધ જિલ્લાઓમાં આનંદસાગર સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાવાની ચીમકી ઉચ્ચારી હતી.

MP: ઈન્દોરમાં યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતો પરેશાન, અનેક ક્વિન્ટલ લસણ નાળામાં ફેંકી દીધાં | Gujarat Guardian

સનાતન ધર્મને બદનામ કરવાની અને શાસ્ત્રમાં ઉલ્લેખ ન હોય તે પ્રકારની વાત હોવાનું બ્રહ્મસમાજ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારે ભગવાન મહાદેવ પર વાણીવિલાફ કરનાર આનંદસાગર સ્વામીએ પ્રબોધ સ્વામીએ સજા સ્વરૂપે મૌન પાળવા આદેશ કર્યો છે.

પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી :

પોતાની ભૂલ સ્વીકરતા આનંદસાગર સ્વામીએ કહ્યું કે, આ અવસર થયો, ત્યારે પ્રબોધ સ્વામીએ કડક શબ્દોમાં સૂચન કર્યું અને શિબિર દરમિયાન મૌન આપ્યું છે. ત્યાર પછી મને સજારૂપે સાત દિવસના ઉપવાસ પણ આપ્યા છે. મારી વાણીથી ભક્તોની લાગણી દુભાઈ છે. તેથી હું સનાતત ધર્મના સમર્થકો, શિવભક્તોની અંતકરણથી હૃદયના સાચા ભાવથી માફી માંગુ છું.

આનંદસાગર સ્વામીએ ભગવાન શિવ વિશે શું કહ્યું હતું…

વીડિયોમાં આનંદસાગર સ્વામી કહી રહ્યા છે કે, નિશીથભાઈ મેઇન ગેટ જે ઝાંપો છે ત્યાં ગયા. ગેટ બંધ હતો અને ગેટની બહાર શિવજી ઊભા હતા. નિશીથભાઈએ વર્ણન કર્યું મને કે પિક્ચરમાં આપણે કેવી રીતે જોઇએ… એવી રીતે શિવજી જટાવાળા, નાગ વીંટેલો, ઋદ્રાક્ષ પહેરેલો, ત્રિશુલ હાથમાં બધી જ પ્રોપર્ટીની સાથે વ્યવસ્થિત ઊભા હતા. પછી નિશીથભાઈએ પ્રાર્થના કરી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો તો પ્રબોધ સ્વામીજીનાં આપને દર્શન થઈ જાય.

ત્યારે શિવજીએ એમને કહ્યું કે, પ્રબોધ સ્વામીનાં દર્શન મને થયા એવાં મારાં પુણ્ય જાગ્રત નથી થયાં પણ મને તમારાં દર્શન થઈ ગયાં એ મારાં અહોભાગ્ય છે. એટલું વાક્ય બોલી શિવજી યુવકને નિશીથભાઈના ચરણસ્પર્શ કરી અને ત્યાંથી જતા રહ્યાં. તો એવી પ્રાપ્તિ આણને સૌને થઈ છે.

આ પણ વાંચો :-

CBI બાદ હવે EDનો સપાટો : દિલ્હીમાં દારૂ કૌભાંડ મામલે 30થી વધુ જગ્યા પર રેડ, વેપારીઓના છૂટ્યા પરસેવા

0

After CBI, now ED’s face

  • મંગળવારે EDએ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં 30 સ્થળો પર દરોડા પાડ્યા 

દિલ્હીના (Delhi) આજે દારૂ કૌભાંડમાં (Liquor scandal) દરોડાની પ્રક્રિયા ચાલી રહી છે. આજે એટલે કે મંગળવારે EDએ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જોકે મહત્વની વાત એ છે કે, હવે EDના દરોડામાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનું (Manish Sisodia) ઘર સામેલ નથી.

MP: ઈન્દોરમાં યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતો પરેશાન, અનેક ક્વિન્ટલ લસણ નાળામાં ફેંકી દીધાં | Gujarat Guardian

EDએ આજે મંગળવારે સવારે મેસર્સ ઈન્ડો સ્પિરિટ્સના એમડી સમીર મહેન્દ્રુના ઠેકાણા પર પણ દરોડા પાડ્યા છે. સમીર મહેન્દ્રુ દિલ્હીના જોરબાગ વિસ્તારમાં રહે છે. જોકે તેમના પર મેસર્સ રાધા ઇન્ડસ્ટ્રીઝના રાજેન્દ્ર પ્લેસ ખાતે યુકો બેંકના ખાતામાં રૂ. 1 કરોડ ટ્રાન્સફર કરવાનો આરોપ છે.

આ પણ વાંચો :-

મંગળવારે અમંગળ : લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં 3 લોકોને કાળ ભરખી ગયો

0

Amangal on Tuesday : 3 people died

  • લીંબડી અમદાવાદ હાઈવે મંગળવારે રક્તરંજિત થયો છે. કાનપરા પાટીયા પાસે અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. પેસેન્જર વાહન ડમ્પર પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. તો બીજી તરફ, આણંદના ધર્મજ તારાપુર હાઇવે પર લકઝરી બસ પલટી ખાતા બસમાં સવાર 25 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.

લીંબડી અમદાવાદ હાઈવે (Limbdi Ahmedabad Highway) મંગળવારે રક્તરંજિત થયો છે. કાનપરા પાટીયા પાસે અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. પેસેન્જર વાહન ડમ્પર (Vehicle dumper) પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. તો બીજી તરફ, આણંદના ધર્મજ તારાપુર હાઇવે (Tarapur Highway) પર લકઝરી બસ પલટી ખાતા બસમાં સવાર 25 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.

અકસ્માત-1 :

લીંબડી અમદાવાદ હાઈવે મંગળવારે રક્તરંજિત થયો છે. કાનપરા પાટીયા પાસે અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. તો 1 વ્યક્તિને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

MP : ઈન્દોરમાં યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતો પરેશાન, અનેક ક્વિન્ટલ લસણ નાળામાં ફેંકી દીધાં | Gujarat Guardian

અકસ્માત-2 :

તો અન્ય અકસ્માતના અપડેટ અનુસાર, આણંદના ધર્મજ તારાપુર હાઇવે પર લકઝરી બસ પલટી ગઈ હતી. હાઇવે પર સાઈન બોર્ડ સાથે લક્ઝરી બસ પલટી ખાઈને અથડાઈ હતી. આ સમયે લક્ઝરી બસમાં સવાર 25 થી વધુ મુસાફરો સવાર હતા, જેઓ ઘાયલ થયા છે. તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણ મુસાફરોની સ્થિતિ ગંભીર છે.

anand_bus_accident_zee.jpg

પ્રાપ્ત માહિતી અનુસાર, લક્ઝરી બસ સુરત કતારગામથી જેસર પાલિતાણા તરફ  જઈ રહી હતી. બસમાં કતારગામ અને તેની આસપાસના વિસ્તારના રહેવાસીઓ સવાર હતા. અકસ્માત બાદ ઘાયલ મુસાફરો માટે 108 એમ્બ્યુલન્સ દોડતી થઈ ગઈ હતી. કુલ આઠ એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને તારાપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માતને પગલે પેટલાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો :-