9મી સપ્ટેમ્બરે મેહુલ બોઘરા પર હુમલો કરનાર સાજન ભરવાડની જામીન અંગેનો ચુકાદો આવી શકે છે ! વકીલે કહ્યું કે……..

Share this story

Bail verdict of Sajan Bharwad

  • સુરતમાં વકીલ મેહુલ બોઘરા પર હુમલો કરનાર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડને લઇ સરકારી વકીલે કહ્યું કે, ‘આરોપી હત્યાના પ્રયાસની માનસિકતા રાખતો હોય એવું જણાઈ આવે છે.’

સુરતમાં વકીલ મેહુલ બોઘરા (Mehul Boghra) પર હુમલા મામલે આરોપી સાજન ભરવાડ (Sajan Bharwad) તરફી જામીન અરજીની માંગ કરવામાં આવી. જેમાં મેહુલ તરફે સરકારી વકીલ નયન સુખડવાલા (Nayan Sukhdwala) દ્વારા કોર્ટમાં દલીલો કરાઈ.

TRB જવાન પાસે દંડો રાખવાની સત્તા નથી : સરકારી વકીલ

સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરતા કહ્યું કે, ‘સાજન ભરવાડ TRB જવાન છે. દંડ ઉઘરાવવાની કે દંડો રાખવાની સત્તા TRB જવાન પાસે નથી. સાજન ભરવાડે પોલીસની સારી કામગીરી પર પાણી ફેરવ્યું. આરોપી હત્યાના પ્રયાસની માનસિકતા રાખતો હોય એવું જણાઈ આવે છે.’

MP : ઈન્દોરમાં યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતો પરેશાન, અનેક ક્વિન્ટલ લસણ નાળામાં ફેંકી દીધાં | Gujarat Guardian

જણાવી દઇએ કે, સાજન તરફે વકીલ મિનેશ ઝવેરીએ કોર્ટમાં દલીલો કરી હતી. ત્યારે હવે સાજન ભરવાડની જામીન અંગેનો ચુકાદો આગામી તારીખ 9 સપ્ટેમ્બરના રોજ આવી શકે છે.

સાજન ભરવાડ તરફથી કેસ લડનાર વકીલને વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરી દેવાયા

ઉલ્લેખનીય છે કે, સુરતના વકીલ મેહુલ બોઘરા પર કરવામાં આવેલા હુમલાને લઇને સમગ્ર ગુજરાતમાં ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે આ ઘટનામાં વકીલ મંડળની મળેલી સામાન્ય સભામાં એવો નિર્ણય લેવાયો હતો કે સાજન ભરવાડ તરફથી કોઈ વકીલે કેસ ન લડવો.

પરંતુ મિનેશ ઝવેરીએ પોતાનો વકીલ ધર્મ બજાવતા તેઓ સાજન ભરવાડ તરફથી કેસ લડવા તૈયાર હતા. તેના પ્રત્યાઘાત રૂપે હવે એડ્વોકેટ મિનેશ ઝવેરીને વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરી દેવાયા છે.

આ પણ વાંચો :-