Home Blog Page 1326

એક સ્ત્રી બીજી સ્ત્રીની હત્યા કરાવી શકે ? માની શકાય નહીં પરંતુ વલસાડની ઘટના જીવંત પુરાવો

‘સોપારી’ આપીને ધંધાદારી હત્યારાઓ પાસે હત્યા કરાવવાની કોઈક ખૂંણામાં સ્ત્રીના મનમાં આકાર પામેલી ઘટનાને ઓળખવી જરૂરી

વલસાડની ગાયિકા વૈશાલી બલસારા અને બબીતા શર્મા બંને ગાઢ મિત્રો હતી અને છતાં બબીતાએ ‘સોપારી’ આપીને વૈશાલીની હત્યા કરાવી !

વૈશાલીએ મિત્રો હોવાના નાતે બબીતાને ૨૫ લાખની રકમ હાથ ઉછીની આપી હતી, બબીતા આ રકમ પરત કરી શકે તેમ નહોતી એટલે વૈશાલીની જ હત્યા કરાવી નાંખી !

વૈશાલીની હત્યાની ઘટનામાં સોશ્યિલ મીડિયાનું ભયાનક ‘ઉધાર’ પાસુ પણ સામે આવ્યું હતું, બબીતા ફેસબુક મિત્રોને વૈશાલીની હત્યાની સોશ્યિલ મીડિયા ઉપર જ સોપારી આપી હતી.

વેપાર, ધંધાની હરિફાઈમાં (Business competition) કે રાજકીય વેરની આગમાં કોઈની હત્યાનો સોદો કરીને હત્યા કરાવવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. કાયદામાં આકરી જોગવાઈ હોવા છતાં ગુનેગારના (Criminal) મનમાં આકાર લઈ રહેલી ગુનાખોરીને નાથવાનું હજુ સુધી શક્ય બન્યુ નથી, પરંતુ કોઈ એક સ્ત્રીની બીજી સ્ત્રી ‘‘સોપારી’’ (Betel nut) આપીને હત્યા કરાવી શકે આવી ઘટનાઓ ભાગ્યે જ બનવા પામતી હશે. અનૈતિક સંબંધોમાં હત્યાઓની ઘટના અવારનવાર બનતી આવી છે, પરંતુ માત્ર રૂપિયાની લેવડ દેવડમાં એક સ્ત્રી આયોજનબદ્ધ બીજી સ્ત્રીની હત્યા (Murder of a woman) કરાવી શકે એવું માની શકાય નહીં. પરંતુ થોડા દિવસ પહેલાં વલસાડમાં બનેલી ઘટનાએ પોલીસના પણ રૂવાડા ઊભા કરી દીધા હતા.

આખી ઘટના પાછળ માત્ર ૨૫ લાખની ઉછીની આપેલી રકમનો વિવાદ હતો. પરંતુ આ રકમ પરત ચૂકવવાનું અશક્ય લાગતા બબીતા શર્મા નામની મહિલાએ ધંધાદારી હત્યારાઓ સાથે સોદો (સોપારી) કરીને યુવાન અને હોનહાર ગાયિકા વૈશાલી બલસારાની ઠંડા કલેજે હત્યા કરાવી હતી ! કોઈ કલ્પના પણ કરી શકે નહીં કે એક સ્ત્રી બીજી સ્ત્રીની માત્ર રૂપિયા નહીં આપવા માટે હત્યા કરાવી શકે. પરંતુ પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતોએ ઘણું બધુ બેનકાબ કરવા સાથે નવ માસની સગર્ભા બબીતા શર્માને હત્યારીના પાંજરામાં ઊભી કરી દીધી હતી.
ગત તા.૨૮મી ઓગષ્ટની સવારે વલસાડ નજીકથી એક કારમાં વૈશાલી બલસારાની લાશ મળી આવી ત્યારે લોકોએ આખી ઘટનાને આપઘાતની ઘટના માની લીધી હતી. પોલીસે પણ નિયમ મુજબ લાશ અને કાર કબજે કરી વૈશાલી બલસારાની લાશ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિ.માં મોકલી આપી હતી.

અલબત્ત પોલીસ પણ હત્યાની થિયરી અંગે ગંભીર નહોતી, પરંતુ વૈશાલીની લાશનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબોએ વૈશાલીએ આપઘાત નહીં પરંતુ તેની હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો કરતાં પોલીસની પહેલી નજર ઘરકંકાસ તરફ ગઈ હતી, પરંતુ ઘરસંસારમાં સુખી અને સંપન્‍ન વૈશાલી બલસારાની હત્યાનો તાળો મેળવવા પોલીસે વૈશાલી બલસારાની આગલી રાતની પ્રવૃત્તિ જાણવાની દિશામાં પ્રયાસ કર્યો હતો. તબીબોએ હત્યાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુપ્રત કરતાં પોલીસે પણ હત્યાની દિશામાં તપાસનો દોર લંબાવ્યો હતો, પરંતુ વૈશાલીની ‘સોપારી’ આપીને એક સ્ત્રીએ જ હત્યા કરાવી હશે એવું પોલીસની કલ્પનાની પણ બહાર હતું.

ખેર, હત્યાના આગલા દિવસે વૈશાલી બલસારા તેની મહિલા મિત્ર બબીતા શર્માને ઊછીની આપેલી ૨૫ લાખની રકમ લેવા જઈ રહી હોવાનું કહીને ઘરેથી નીકળી હતી. પોલીસ તપાસને દિશા આપવા માટે વૈશાલી બલસારાના છેલ્લાં શબ્દો પુરતા હતા અને ત્યારબાદ વલસાડ શહેર અને હાઈ-વે ઉપર લાગેલા સી.સી. કેમેરાના દૃશ્યો તપાસતા પોલીસને એક મહિલાની હરકત શંકાસ્પદ લાગી હતી. પરંતુ આ મહિલા નવ માસની સગર્ભા હતી! મતલબ કે આ મહિલા સામે શંકા કરી શકાય એવું કંઈ જ નહોતું. પરંતુ પોલીસ તપાસની દિશા આ સગર્ભા તરફ દોરી જતી હતી અને આખરે પોલીસની તપાસમાં જે કંઈ બહાર આવ્યું એ પોલીસની સમજની પણ બહાર હતું.

હત્યાનો ભોગ બનેલી વૈશાલી બલસારા જાણિતી ગાયિકા હતી. જ્યારે વૈશાલીની હત્યાની ‘સોપારી’ આપનાર બબીતા શર્મા ઘરેલુ વેપારી હોવા ઉપરાંત વૈશાલીની નજીકની મિત્ર હતી અને એટલે જ વૈશાલીએ ૨૫ લાખ જેવી મોટી રકમ બબીતા શર્માને ઉછીની આપી હતી. બસ આ ૨૫ લાખની રકમ આપવાની ઘટના જ ગોઝારી પુરવાર થઈ હતી. વૈશાલીને એ વાતની ખબર નહોતી કે, બબીતાને ૨૫ લાખની રકમ ઉછીની આપીને પોતાના મોતનો સોદો કરી રહી છે.

૨૫ લાખની રકમ આપ્યાના થોડા દિવસો બાદ નક્કી થયા પ્રમાણે વૈશાલીએ રૂપિયાની પરત માંગણી કરી હશે, પરંતુ મિત્ર હોવાના નાતે થોડા દિવસ વાયદા પણ થયા હશે. આ તરફ બબીતા શર્મા ૨૫ લાખની રકમ તત્કાળ પરત કરી શકવાની સ્થિતિમાં નહોતી. જ્યારે વૈશાલી સતત ઉઘરાણી કરી રહી હતી.

પોલીસ તપાસમાં બહાર આવેલી પ્રાથમિક વિગતો મુજબ વૈશાલીની સતત ઉઘરાણીથી કંટાળી ગયેલી અથવા કહો કે થાકી ગયેલી બબીતાના મનમાં ગુનાખોરીએ જન્મ લીધો હતો અને વૈશાલીનો કાંટો કાઢી નાંખવાનો ખતરનાક વિચાર આવ્યો હશે.

મનમાં ઘુમરાતા વિચારોનો અમલ કરવાનું નક્કી કરીને બબીતાએ ફેસબુક ઉપર મિત્ર બનેલા પંજાબના ટપોરીઓનો યંત્રવત સંપર્ક કર્યો હતો અને પોતાના ખતરનાક વિચારને પાર પાડવા ‘સોદો’ કર્યો હતો

અને એક દિવસ ધંધાદારી હત્યારાઓ અને બબીતાએ વૈશાલીની ઠંડા કલેજે હત્યા કરવાની ભયાનક યોજના પાર પાડી હતી. આયોજન મુજબ બબીતાએ વૈશાલીને થોડા રૂપિયા લેવા માટે બોલાવીને કાયમ માટે શાંત કરી દીધી હતી અને જાણે કંઈ જ બન્યું નથી એ રીતે પેટમાં ઉછરી રહેલ નવજાત બાળક સાથે ઘરે જઈને ઊંઘી ગઈ હતી!
વલસાડ પોલીસે ઝડપી પાડેલા પંજાબના ત્રિલોકસિંગ નામના ગુનેગારે કબૂલી લીધું હતું કે, વૈશાલી બલસારાની હત્યામાં સંડોવાયેલા ત્રણે ધંધાદારી હત્યારાએ એક બીજાના મિત્રો હોવા ઉપરાંત ઘણાં વર્ષોથી પરિચિત છે.

બબીતા શર્માએ વૈશાલી બલસારાની હત્યા કરવા માટે આઠ લાખમાં સોદો કર્યો હતો. બબીતાએ સોશ્યિલ મીડિયાના માધ્યમથી ‘સોપારી’ આપી હતી, વૈશાલીની હત્યાને અંજામ આપતા પહેલા હત્યારાઓ પંજાબથી સુરત આવ્યા હતા અને સુરતની હોટેલમાં રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે વલસાડ પહોંચ્યા હતા.

ત્રિલોકસિંગ નામના આરોપીએ પોલીસ સમક્ષ કરેલી પ્રાથમિક કબૂલાતમાં જણાવ્યું હતું કે, વૈશાલીની હત્યાનું સ્થળ નક્કી કરવા તેઓ બબીતા સાથે ફર્યા હતા અને આખરે વલસાડથી પારનેરા રોડ ઉપર આવેલા પશુ દવાખાના નજીકના તળાવ પાસેનું સ્થળ ફાઈનલ કરવામાં આવ્યું હતું અને નક્કી કરેલા ખતરનાક પ્લાન મુજબ બબીતા પાસે રૂપિયા લેવા આવેલી વૈશાલી બલસારા ફરી જીવતી પાછી ફરી નહોતી !

વલસાડ પોલીસની તપાસ પણ કાબીલેદાદ રહી હતી. કોઈ ક્રાઈમ થ્રીલર ફિલ્મની પટકથા જેવી ઘટનાનો એક એક તાર મેળવવા પોલીસે આઠ આઠ તપાસ ટીમ બનાવી હતી અને સૌપ્રથમ નવ માસની સગર્ભા બબીતા શર્માની ધરપકડ કર્યા બાદ આખી ઘટનાનો તાળો મેળવી દીધો હતો. નવ માસની સગર્ભાને ધરપકડ કરવાનું પોલીસ માટે આસાન નહોતું. પરંતુ વૈશાલી બલસારાની હત્યાના ષડયંત્રની શરૂઆત બબીતાના દિમાગમાંથી શરૂ થઈ હતી.

અલબત્ત હજુ બે હત્યારાઓની ધરપકડ કરવાની બાકી છે. બીજી તરફ કોર્ટના કઠેરામાં પણ આખી ઘટના પુરાવા સહિત રજુ કરવા પોલીસે પહેલા જ દિવસથી એક-એક મુદ્દાને વણી લીધો છે.

વલસાડના પોલીસવડા રાજદિપસિંહ ઝાલા ગુનેગારોને પારખવાની ગજબની શક્તિ ધરાવે છે. વૈશાલી બલસારા હત્યા કેસમાં પકડાયેલા ત્રિલોકસિંગ નામના ગુનેગારને બબીતા શર્માની સામે સામે બેસાડીને આખી ઘટનાના તાર મેળવ્યા હતા અને ત્રિલોકસિંગે પણ ઠંડા કલેજે વૈશાલી બલસારાની હત્યાની આખી ઘટનાને શબ્દસહ રજૂ કરી હતી. ત્રિલોકસિંગની એક એક કબૂલાતનો બબીતા ઈન્કાર કરી શકી નહોતી.

અલબત્ત તપાસનો દોર હજુ ખતમ થયો નથી. હજુ બે ગુનેગારો પકડવાના બાકી હોવા ઉપરાંત ગુનેગારોનું સુરતમાં રોકાણ ઉપરાંત ગુનેગારોનો ભૂતકાળ અને બબીતાના ભૂતકાળને પણ ઉકેલવા પોલીસવડા રાજદિપસિંહ ઝાલા અને તેમની ટીમ તપાસ કરી રહી છે.

આપણે ત્યાં કહેવત છે કે, ‘‘જર, જોરૂ અને જમીન ત્રણે કજીયાના છોરું’’ મતલબ આ ત્રણે માટે હત્યાઓ થવી નવાઈની વાત નથી. જમીન અને જોરૂ એટલે કે મહિલા માટે ધંધાદારી હત્યારાઓ સાથે સોદો કરીને હત્યા કરાવવામાં આવી હોવાની અસંખ્ય ઘટનાઓ બનવા પામી હશે અને બનતી પણ રહેશે, પરંતુ એક સ્ત્રી બીજી સ્ત્રીની ‘સોપારી’ આપીને હત્યા કરાવે ત્યારે ચોક્કસ આઘાત લાગે. સૌમ્ય, સહનશીલ અને શાંત ગણાતી સ્ત્રી બીજી સ્ત્રીની હત્યાના લોહીથી હાથ રંગી શકે એવું વલસાડની ઘટના પછી ઈન્કાર કરી શકાય તેમ નથી.

આ પણ વાંચો :-

06 સપ્ટેમ્બર 2022 રાશિભવિષ્ય બુધવારનું – આ રાશિના જાતકોને થઇ શકે છે ધનલાભ, બસ આ વાતનું રાખજો ધ્યાન

06 September 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
આર્થિક ક્ષેત્રે શુભ ફળ પ્રાપ્‍ત થતું જણાય છે. નોકરીમાં શાંતિ. હયાત ધંધામાંથી લાભ મેળવી શકાય તથા નવા ધંધાની શરૂઆતના યોગ બને છે. માતૃસુખ, પિતૃસુખ તથા વાહન સુખમાં વધારો થાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃષભઃ
દિવસની શરૂઆત સુંદર રીતે થાય. આવક જળવાય. કરેલા કાર્યમાં સફળતા પ્રાપ્‍ત થાય. ભાગ્ય બળવાન બને છે. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. ધાર્મિક ભાવના વધતી જણાય. જમણા હાથની કાળજી રાખવી જરૂરી.

મિથુનઃ
જીવનસાથી સાથે પ્રેમ જળવાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. આવક બાબતમાં સામાન્ય સ્થિતિ બની રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. સ્થાવર જંગમ મિલકતથી લાભ. પિતાની તબિયત સાચવવી.

કર્કઃ
માનસિક આનંદ જળવાય. નાણાંકીય પાસુ મજબુત બને. પરિવારમાં આનંદ જળવાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાય. મિત્રોનો સાથ સહકાર મળે. આરોગ્ય જળવાય.

સિંહઃ
સંતાનની પ્રગતિથી હર્ષ, વિદ્યાર્થી વર્ગને સફળતા. આદ્યાત્મિક બાબતોમાં રૂચિ વધે. સેવાકાર્યમાં સમય વ્યતીત થાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. શરદી, ખાંસી, કફની સમસ્યાનો સામનો કરવો પડે.

કન્યાઃ
જીવનસાથી સાથે વાદ વિવાદ ટાળવો. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય સંતાન તરફથી સારા સમાચાર મળે. એકાઉન્ટીંગ, બેંક, વીમા, એડવોકેટ જેવા વ્યવસાયમાં લાભ. માથાના દુઃખાવાથી પરેશાની રહે.

તુલાઃ
કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા રોકાણોનું યોગ્ય રીતે આયોજન કરી શકાય. પરિવારમાં પરસ્પર પ્રેમનું વાતાવરણ જળવાય. માતૃસુખ, વાહનસુખમાં વધારો થાય. સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃશ્ચિકઃ
બેંક બેલેન્સ વધતું જણાય. પરિવારમાં મિશ્રફળ અનુભવાય. સંતાન અંગેની ચિંતા સતાવે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય. ચામડીના રોગોની કાળજી રાખવી.

ધનઃ
આવક બાબતમાં થોડો અસંતોષ રહે. સામાજીક કાર્યોમાં ખર્ચ થાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે. આરોગ્ય જળવાય.

મકરઃ
વિચારશીલતા તથા નવું શીખવાની ભાવના વધતી જણાય. જ્યોતિષનો શોખ રહે. ડૉક્ટર, શિક્ષણ, બાંધકામ તથા સરકારી ખાતામાં કામ કરતા વ્યક્તિઓને વિશેષ લાભ. પિતા કે વડીલ સાથે મતભેદ ટાળવા.

કુંભઃ
ધંધામાં મોટું નાણાંકીય જોખમ લેવાથી દૂર રહેવું. નાણાં છીના આપવા કે લેવા નહીં. અન્યથા નાણાં ફસાઈ જવાની શક્યતા છે. આવક જળવાય. મિત્રોથી લાભ. સંતાન સુખમાં વધારો થાય. શરદી, ખાંસીનો ઉપદ્રવ રહે.

મીનઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવક જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં આનંદ વર્તાય. રોકાણોમાંથી યોગ્ય આવક મળતી જણાય. મિત્રોથી લાભ. યશ-પ્રતિષ્‍ઠા વધે. આરોગ્ય જળવાય.

આ પણ વાંચો :-

 

અજાયબી : એક વ્યક્તિ જે કોઈ કામ નહિ કરવા છતાં કમાણી કરે છે !

Aajibi: A person who earns money

  • જાપાનમાં એક વ્યક્તિ હકીકતમાં આવુ કંઈ કરી રહ્યા છે. 38 વર્ષીય ટોક્યોના રહેવાસી શોજી મોરિમોટો કંઈ પણ ન કરવા માટે પોતાને ભાડે આપે છે.

આપણામાંથી મોટાભાગના લોકો એક સ્થિર આજીવિકા (Livelihood) માટે જીવનભર ખૂબ મહેનત કરે છે. આપણે તે વ્યવસાયમાં પોતાનુ સર્વશ્રેષ્ઠ આપીએ છીએ જેમાં આપણને એક સ્થિર આવક મળતી રહે જેથી આપણે આર્થિક રીતે સ્થિર રહીએ પરંતુ આવુ કરતા પણ તમે પોતાના જીવનમાં એકવાર તો એવુ વિચારતા જ હશો કે કદાચ આ રૂપિયા તમે કંઈ ન કરીને કે પછી ખૂબ નાના કામ કરીને કમાઈ શકો જ્યારે આ આપણામાંથી મોટાભાગના માટે માત્ર એક વિચાર જ છે.

જોકે જાપાનમાં એક વ્યક્તિ હકીકતમાં આવુ કંઈ કરી રહ્યા છે. 38 વર્ષીય ટોક્યોના રહેવાસી શોજી મોરિમોટો કંઈ પણ ન કરવા માટે પોતાને ભાડે આપે છે. તેઓ 10,000 યેન ($71) પ્રતિ કલાક ચાર્જ કરે છે. તેમણે જણાવ્યુ કે હુ કંઈ પણ ના કરીને પોતાને ઉધાર આપું છુ.

શોજી મોરિમોટોએ હજારો ગ્રાહકોને એકઠા કર્યા છે જે તેમને નાના કાર્યો માટે ચૂકવણી કરે છે, જે માટે તે પોતાને ભાડે આપે છે. તેમના મોટાભાગના ગ્રાહક કોઈ એવા વ્યક્તિને ઈચ્છે છે જેની સાથે તે વાત કરવા ઈચ્છે. મોરિમોટોએ હત્યાની કબૂલાત પણ સાંભળી છે.

મોરિમોટો એક વ્યક્તિ સાથે પાર્કમાં પતંગિયા પકડવા પણ ગયા છે. તેમણે ચૂપચાપ કોઈની સાથે કોફી પણ પીધી છે, લોકોની સાથે દુકાન અને રેસ્ટોરાંમાં તેમજ તેઓ ગ્રાહકની સાથે ઝૂલા પર પણ બેસેલા છે.

મોરિમોટો તમામ નોકરીઓ માટે હા પાડતા નથી. તેમણે ન્યૂડ પોઝ આપવા, ઘરની સ્વચ્છતા, કપડા ધોવા કે કોઈના મિત્ર બનવા જેવા કાર્યને ઠુકરાવ્યા છે. તેઓ કહે છે કે તેમને કોઈના મિત્ર કે પરિચિત બનવુ ગમતુ નથી. મોરિમોટોએ 3,000 કરતા વધારે બુકિંગ પૂરી કરી છે.

મોરિમોટોએ 2018માં બેરોજગાર હોવાથી પોતાની સર્વિસ શરૂ કરી હતી. તેમણે ડૂ નથિંગ રેન્ટ-એ-મેન નામથી એક ટ્વીટર એકાઉન્ટ ખોલ્યુ અને લોકોને પોતાનો સહયોગ આપવાનુ શરૂ કર્યુ. તેમના ફોલોઅર્સ પણ વધી ગયા છે.

આ પણ વાંચો :-    

ચિત્તાઓની વચ્ચે જન્મદિવસ ઉજવશે PM મોદી : 1948માં લુપ્ત થયા બાદ હવે આફ્રિકાથી આવી રહ્યા છે ચિત્તા 

0

PM Modi to celebrate birthday among cheetahs

  • મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો પાલપુર નેશનલ પાર્કમાં 17 સપ્ટેમ્બરે જ આફ્રિકાથી ચિત્તા લાવવામાં આવી રહ્યા છે, નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશના પ્રવાસે

આગામી 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (Prime Minister Narendra Modi) જન્મ દિવસ છે. જોકે આ વખતે તેઓ પોતાના જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે કરવાના છે. વાત જાણે એમ છે કે, મધ્યપ્રદેશના (Madhya Pradesh) શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો પાલપુર નેશનલ પાર્કમાં (Kuno Palpur National Park) 17 સપ્ટેમ્બરે જ આફ્રિકાથી ચિત્તા લાવવામાં આવી રહ્યા છે.

લગભગ સિત્તેર વર્ષ બાદ ચિત્તા ભારત આવી રહ્યા છે અને આ ખાસ અવસર પર મોદી મધ્યપ્રદેશના પ્રવાસે હશે. તેઓ શ્યોપુરના કરહાટમાં મહિલા સ્વ-સહાય જૂથના સંમેલનને પણ સંબોધિત કરશે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો જન્મ દિવસ ચિત્તાઓની વચ્ચે ઉજવશે.

મધ્યપ્રદેશ કેબિનેટની બેઠક પહેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે માહિતી આપી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશમાં તેમનો જન્મદિવસ ઉજવવા આવશે. આ દિવસે દક્ષિણ આફ્રિકાથી ચિત્તા કુનો નેશનલ પાર્કમાં આવે છે.

તમને જણાવી દઈએ કે સિત્તેર વર્ષ પછી ભારતમાં ચિત્તાઓને વસાવવા માટે પ્રોજેક્ટ ચિતા બનાવવામાં આવ્યો છે. આ અંતર્ગત આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં સ્થાયી કરવામાં આવી રહ્યા છે.

MP : ઈન્દોરમાં યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતો પરેશાન, અનેક ક્વિન્ટલ લસણ નાળામાં ફેંકી દીધાં | Gujarat Guardian

ચિત્તા પ્રોજેક્ટ હેઠળ નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી ચિત્તા લાવવાના છે. પાંચ વર્ષમાં સમગ્ર દેશમાં પચાસ ચિતાઓને વસાવવાની યોજના છે. શરૂઆતમાં આઠ ચિત્તા આવવાના છે, જેને કુનો નેશનલ પાર્કમાં રાખવામાં આવશે. મહત્વનું છે કે, કુનો-પાલપુર નેશનલ પાર્ક 748 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે.

તે 6,800 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા ખુલ્લા જંગલ વિસ્તારનો એક ભાગ છે. એકવાર ચિત્તો લાવવામાં આવે, પછી તેમને નરમ પ્રકાશનમાં રાખવામાં આવશે. બે-ત્રણ મહિના સુધી એન્ક્લોઝરમાં રહેશે. જેથી તેઓ અહીંના વાતાવરણથી ટેવાઈ જાય. આનાથી તેમના પર વધુ સારી રીતે દેખરેખ રાખવાની પણ મંજૂરી મળશે.

ચારથી પાંચ ચોરસ કિ.મી.નું બિડાણ ચારે બાજુ ફેન્સીંગથી ઢંકાયેલું છે. ચિત્તાનું માથું નાનું, શરીર પાતળું અને પગ લાંબા હોય છે. તે તેને દોડવામાં ઝડપ મેળવવામાં મદદ કરે છે. ચિત્તા 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

આ પણ વાંચો :-

અમૂલ ડેરીના વાઇસ ચેરમેનની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્ર પરમારનો વિજય

0

Congress MLA Rajendra Parmar’s

  • વર્ષ 2020માં આણંદ અમૂલ ડેરીના વહીવટી માળખાના 13 સભ્યોની ચૂંટણી થઇ હતી. જે ચૂંટણી બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી.

અમૂલ ડેરીના (Amul Dairy) વાઇસ ચેરમેનની ચૂંટણીની મતગણતરી આજે હાથ ધરવામાં આવી હતી. હવે અમુલ ડેરીના વાઇસ ચેરમેન પદે કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્ર પરમારનો (Congress MLA Rajendra Parmar) વિજય થયો છે.

નોંધનીય છે કે, વર્ષ 2020માં અમુલમાં સરકાર દ્વારા મુકાયેલા સરકારી પ્રતિનિધિઓના મતના વિવાદ બાદ કાનૂની કાર્યવાહીને કારણે મત ગણતરી સ્થગિત કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટના (Gujarat High Court) નિર્ણય બાદ હવે સ્થગિત કરાયેલી મત ગણતરી કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે રાજેન્દ્રસિંહ પરમારને 9 મત મળ્યા છે. જ્યારે રાજેશ પાઠકને 6 મત મળ્યા છે. જેથી રાજેન્દ્રસિંહ પરમારનો 3 મતે વિજય થયો છે. છેલ્લી ત્રણ ટર્મથી વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમાર ચૂંટાઇ રહ્યા છે. 2020માં ચેરમેન વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજાઇ હતી. સરકારી પ્રતિનિધિની નિમણૂકથી મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.

આણંદ અમૂલની વર્ષ 2020માં યોજાયેલ સામાન્ય ચૂંટણી બાદ સરકારે અમૂલના વહીવટી માળખામાં ત્રણ સરકારી પ્રતિનિધિની નિમણૂંક કરી હતી.જેને લઇ કાયદાકીય વિવાદ ઉભો થયો હતો .જોકે લાંબી લડાઇ બાદ હાઇકોર્ટે સરકારે નિમણૂંક કરાયેલા ત્રણેય પ્રતિનિધિનું પ્રતિનિધિત્વ રદ્દ કરી નાંખ્યું છે અને તેમણે વાઇસ ચેરમેનની ચૂંટણી માટે આપેલા મત સિવાય ચૂંટાયેલા સભ્યોએ આપેલા મતની ગણતરી કરવા આદેશ કર્યો છે. જે સંદર્ભે મંગળવારના રોજ ચૂંટણી અધિકારીની હાજરીમાં મતગણતરી કરવામાં આવશે.

આણંદ અમૂલ ડેરીના 10 હજાર કરોડના ટર્નઓવર પર અંકુશ મેળવવા માટે છેલ્લા દસકાથી રાજકીય લડાઇ ચાલી રહી છે. આ લડાઇ વચ્ચે સરકાર દ્વારા પોતાના ત્રણ પ્રતિનિધિની નિમણૂંક કરવામાં આવી હતી. આ પ્રતિનિધિઓ દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં મતદાન કરવા સુધીનો મામલો પહોંચ્યો હતો.

MP : ઈન્દોરમાં યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતો પરેશાન, અનેક ક્વિન્ટલ લસણ નાળામાં ફેંકી દીધાં | Gujarat Guardian

વર્ષ 2020માં આણંદ અમૂલ ડેરીના વહીવટી માળખાના 13 સભ્યોની ચૂંટણી થઇ હતી. જે ચૂંટણી બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ચેરમેન તરીકે રામસિંહ પરમાર બિનહરીફ ચૂંટાયાં હતાં.

જોકે, વાઇસ ચેરમેનની ચૂંટણીમાં બોરસદના કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર અને બાલાસિનોરના ભાજપના આગેવાન રાજેશ પાઠક (પપ્પુ પાઠક) વચ્ચે કાંટાની ટક્કર હતી. જેમાં ચૂંટાયેલા 13 સભ્યો, રજીસ્ટ્રાર સહિત 15 વ્યક્તિ ઉપરાંત સરકારના ત્રણ પ્રતિનિધિ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

9મી સપ્ટેમ્બરે મેહુલ બોઘરા પર હુમલો કરનાર સાજન ભરવાડની જામીન અંગેનો ચુકાદો આવી શકે છે ! વકીલે કહ્યું કે……..

0

Bail verdict of Sajan Bharwad

  • સુરતમાં વકીલ મેહુલ બોઘરા પર હુમલો કરનાર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડને લઇ સરકારી વકીલે કહ્યું કે, ‘આરોપી હત્યાના પ્રયાસની માનસિકતા રાખતો હોય એવું જણાઈ આવે છે.’

સુરતમાં વકીલ મેહુલ બોઘરા (Mehul Boghra) પર હુમલા મામલે આરોપી સાજન ભરવાડ (Sajan Bharwad) તરફી જામીન અરજીની માંગ કરવામાં આવી. જેમાં મેહુલ તરફે સરકારી વકીલ નયન સુખડવાલા (Nayan Sukhdwala) દ્વારા કોર્ટમાં દલીલો કરાઈ.

TRB જવાન પાસે દંડો રાખવાની સત્તા નથી : સરકારી વકીલ

સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરતા કહ્યું કે, ‘સાજન ભરવાડ TRB જવાન છે. દંડ ઉઘરાવવાની કે દંડો રાખવાની સત્તા TRB જવાન પાસે નથી. સાજન ભરવાડે પોલીસની સારી કામગીરી પર પાણી ફેરવ્યું. આરોપી હત્યાના પ્રયાસની માનસિકતા રાખતો હોય એવું જણાઈ આવે છે.’

MP : ઈન્દોરમાં યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતો પરેશાન, અનેક ક્વિન્ટલ લસણ નાળામાં ફેંકી દીધાં | Gujarat Guardian

જણાવી દઇએ કે, સાજન તરફે વકીલ મિનેશ ઝવેરીએ કોર્ટમાં દલીલો કરી હતી. ત્યારે હવે સાજન ભરવાડની જામીન અંગેનો ચુકાદો આગામી તારીખ 9 સપ્ટેમ્બરના રોજ આવી શકે છે.

સાજન ભરવાડ તરફથી કેસ લડનાર વકીલને વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરી દેવાયા

ઉલ્લેખનીય છે કે, સુરતના વકીલ મેહુલ બોઘરા પર કરવામાં આવેલા હુમલાને લઇને સમગ્ર ગુજરાતમાં ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે આ ઘટનામાં વકીલ મંડળની મળેલી સામાન્ય સભામાં એવો નિર્ણય લેવાયો હતો કે સાજન ભરવાડ તરફથી કોઈ વકીલે કેસ ન લડવો.

પરંતુ મિનેશ ઝવેરીએ પોતાનો વકીલ ધર્મ બજાવતા તેઓ સાજન ભરવાડ તરફથી કેસ લડવા તૈયાર હતા. તેના પ્રત્યાઘાત રૂપે હવે એડ્વોકેટ મિનેશ ઝવેરીને વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરી દેવાયા છે.

આ પણ વાંચો :-

‘રોડ બનાવવા પૈસા છે પણ જગ્યા નથી, એટલો વિકાસ કર્યો છે,’ BJP MLAનો વાણીવિલાસ

0

There is money to build

  • વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે આપેલા એક નિવેદનના કારણે વિવાદનો મધપુડો છેડાયો છે. 

વિધાનસભાના (Assembly) નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય (MLA from Bharuch) દુષ્યંત પટેલે (Dushyant Patel) આપેલા એક નિવેદનના કારણે વિવાદનો મધપુડો છેડાયો છે. ભરૂચમાં એક કાર્યક્રમમાં ધારાસભ્યએ રોડ બનાવવા તેમની પાસે જગ્યા જ ન હોવાનું કહેતા તેઓ ટ્રોલ થઈ ગયા હતા.

ભરૂચના કાર્યક્રમમાં MLA દુષ્યંત પટેલ બોલ્યા :

એક કાર્યક્રમમાં હાજરી આપતા સમયે ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે કહ્યું કે, મને 10 કરોડ રૂપિયા સરકારે રોડ રસ્તા માટે આપ્યા છે. પણ મારી પાસે 5 કરોડ રૂપિયાના રોડ બનાવી શકાય એટલી જગ્યા જ નથી. એટલો વિકાસ આટલા દિવસમાં કર્યો છે. મારી પાસે એટલા રોડ જ નથી કે જ્યાં હું આ રોડ લખીને ટાઉન પ્લાનના કામોમાં આપી શકું.

રાજ્યભરમાં ખરાબ રસ્તાથી લોકો ત્રાહીમામ :

નોંધનીય છે કે તાજેતરમાં જ ભરુચ જિલ્લામાં બિસ્માર રસ્તાના કારણે અકસ્માતમાં બે માસુમ બાળકી અને દંપતિના મોત થયા હતા. એવામાં નાયબ મુખ્ય દંડકના આ નિવેદન બાદથી વિવાદનો મધપુડો છંછેડાયો છે.

રાજ્યભરમાં ચોમાસાની સીઝનમાં ઠેર-ઠેર રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ગામ-શહેર તમામ જગ્યાએ ડિસ્કો રસ્તાથી વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે ધારાસભ્યનું આ નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો :-

Vivo Y22 Launched : Vivoએ ગુપ્ત રીતે લોન્ચ કર્યો સસ્તો સ્માર્ટફોન, જાણો શાનદાર ફિચર્સ અને કિંમત

Vivo Y22 Launched

  • Vivoએ ગુપ્ત રીતે એક શાનદાર ડિઝાઇન સાથેનો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જેની કિંમત 13 હજાર રૂપિયાથી ઓછી છે. ફોનમાં પાવરફૂલ 5000mAh બેટરી અને 50MP કેમેરા છે. આવો જાણીએ Vivo Y22ના ફીચર્સ…

Vivoએ Vivo Y22 સ્માર્ટફોન ઈન્ડોનેશિયામાં (Indonesia) રજૂ કર્યો છે. ઉપકરણની આગળની બાજુએ ટિયરડ્રોપ નોચ ડિસ્પ્લે છે. તેમાં એક આકર્ષક પાછળનું શેલ છે. જે વિવો અનુસાર ફિંગરપ્રિન્ટ્સ અને સ્ક્રેચ સામે પ્રતિરોધક છે. Y22 ની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓમાં 90Hz ડિસ્પ્લે, Helio G85 ચિપસેટ અને 50-megapixel ટ્રિપલ રિયર કેમેરાનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ Vivo Y22 ની કિંમત (Vivo Y22 Price in India) અને ફીચર્સ…

Vivo Y22 ની ભારતમાં કિંમત :

Vivo Y22 ના બેઝ મોડલ (4 GB RAM + 64 GB સ્ટોરેજ) ની કિંમત ઇન્ડોનેશિયામાં IDR 2,399,000 (અંદાજે રૂ. 12,800) છે. 6GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત વિશે કોઈ માહિતી નથી, તે ટૂંક સમયમાં જ Starlit Blue, Summer Cyan અને Metaverse Green જેવા કલર વેરિઅન્ટમાં દેશમાં ખરીદી માટે ઉપલબ્ધ થશે.

Vivo Y22 સ્પેસિફિકેશન અને ફીચર્સ :

Vivo Y22 164.3 x 76.1 x 8.38 mm માપે છે અને તેનું વજન લગભગ 180 ગ્રામ છે. તેમાં 6.55-ઇંચની LCD પેનલ છે જે HD+ રિઝોલ્યુશન અને 90Hz રિફ્રેશ રેટ જનરેટ કરે છે. તે એન્ડ્રોઇડ 11 સાથે પ્રીલોડેડ આવે છે, જે FunTouchOS 12 UI સાથે ઓવરલેડ છે.

Vivo Y22 કેમેરા :

Vivo Y22માં ફ્રન્ટમાં 8-મેગાપિક્સલનો કેમેરો છે. બેક પેનલમાં 50-મેગાપિક્સલનો મુખ્ય કેમેરા છે, જે 2-મેગાપિક્સલનો મેક્રો કેમેરા અને LED ફ્લેશ સાથે છે. આ ડિવાઈસ નાઈટ મોડ (ફ્રન્ટ અને બેક), પોટ્રેટ મોડ, 50MP મોડ, બોકેહ, મેક્રો, પેનોરમા, ટાઈમ-લેપ્સ અને આઈ ઓટોફોકસ જેવી ફોટોગ્રાફી સુવિધાઓ પ્રદાન કરે છે.

Vivo Y22 બેટરી :

MediaTek Helio G85 Vivo Y22 ને પાવર આપે છે. ફોનમાં 4/6 GB RAM અને 64 GB/ 128 GB સ્ટોરેજ છે, ઉપકરણ 2 GB સુધી વધારી શકાય તેવી રેમને સપોર્ટ કરે છે. વધુ સ્ટોરેજ માટે, ઉપકરણ સમર્પિત માઇક્રોએસડી કાર્ડ સ્લોટથી સજ્જ છે. Y22 18W ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી પેક કરે છે.

અન્ય વિશેષતાઓમાં 4G VoLTE, Wi-Fi 802.11ac, બ્લૂટૂથ 5.0, GPS, એક USB-C પોર્ટ, 3.5mm ઓડિયો જેક, ફેસ અનલોક, સાઇડ-ફેસિંગ ફિંગરપ્રિન્ટ સ્કેનર અને IPX4/X5 રેટેડ વોટરપ્રૂફ અને ડસ્ટ રેઝિસ્ટન્ટ ચેસિસનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો :-

અરે ના હોય ! લલિત મોદી અને સુષ્મિતા સેનનું બ્રેકઅપ! બન્નેના સંબંધોના પૂર્ણ વિરામ પર જાણો શા માટે થઈ રહી છે ચર્ચા

0

Oh no! Lalit Modi and Sushmita Sen

  • લલિત મોદી અને સુષ્મિતા સેન વચ્ચે બધુ યોગ્ય ચાલી રહ્યું નથી એવી શક્યતા સેવાઈ રહી છે. આ વાત અમે નહીં, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યાં છે.

હકીકતમાં યુઝર્સે લલિત મોદીના (Lalit Modi) ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલમાં મોટો ફેરફાર જોયો છે, ત્યારબાદ મનાઈ રહ્યું છે કે સુષ્મિતા સેન (Sushmita Sen) સાથે તેનો સંબંધ સમાપ્ત થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે લલીત મોદી અને સુષ્મિતા સેન વચ્ચે બ્રેકઅપ થયાનું કારણ સુષ્મિતાનો એક્સ બોયફ્રેન્ડ રોહમન શૉલ (Rohman Shaul) છે.

જો કે, સુષ્મિતા સેન અને લલીત મોદીએ બ્રેકઅપ થયા અંગે કોઈ પણ વાતચીત હજી સુધી કરી નથી અને બંનેમાંથી કોઈએ આ અંગે પોસ્ટ પણ શેર કરી નથી. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સે લલિત મોદીના ઈન્સ્ટાગ્રામ પર અમુક મોટા ફેરફારને જોઈને આ નિષ્કર્ષ નિકાળ્યો છે કે બંને સાથે નથી. લલિતે તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પરથી સુષ્મિતાનું નામ તો હટાવી દીધું છે, પરંતુ બંનેનો સાથે ફોટો પણ બદલી નાખ્યો છે.

થોડા સમય પહેલા સુષ્મિતા સેન સાથેની તસ્વીર પ્રોફાઈલ પિક્ચર મુકી હતી :

લલિત મોદીએ થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર સુષ્મિતા સેન સાથેની તસ્વીર શેર કરી પોતાના સંબંધની જાહેરાત કરી હતી. આ દરમ્યાન લલિતે સુષ્મિતા સાથે ખેંચાવેલી તસ્વીરને પોતાની પ્રોફાઈલ પિક્ચર બનાવી હતી. તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલના બાયોમાં તેમણે સુષ્મિતાને પોતાના જીવનનો પ્રેમ જણાવ્યો હતો. તેમણે લખ્યું હતુ, હું પોતાની પાર્ટનરની સાથે નવા જીવનની શરૂઆત કરી રહ્યો છુ. મારો પ્રેમ સુષ્મિતા સેન.

હવે ઈન્સ્ટાગ્રામ પર લલિત મોદીએ કર્યો આ ફેરફાર :

હવે લલિત મોદીએ પોતાના પ્રોફાઈલ ફોટોને બદલી નાખ્યો છે, આ ઉપરાંત સુષ્મિતાના નામને પણ પોતાના બાયોમાંથી હટાવી દીધુ છે. હવે તેમના બાયોમાં માત્ર આઈપીએલ ફાઉન્ડર અને મૂન લખેલુ છે. જેને જોઈને યુઝર્સ ચોંકી ગયા છે.

આ પણ વાંચો :-

પાળતું શ્વાને લિફ્ટમાં બાળકને બચકું ભરી લીધું છતાં મહિલા બાળકની મદદે ન આવી, Video જોઈ હચમચી જશો

0

The pet dog carried the child in the lift

  • ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી અત્યંત ચોંકાવનારો એક વીડિયો સામે આવ્યો છે જે જોઈને દરેક માતા પિતાના રૂવાડાં ઊભા થઈ જશે. આ વીડિયો નંદગ્રામ પોલીસ સ્ટેશન હદના રાજનગર એક્સટેન્શન ચાર્મ્સ કાઉન્ટી સોસાયટીનો છે. 

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ગાઝિયાબાદથી અત્યંત ચોંકાવનારો એક વીડિયો સામે આવ્યો છે જે જોઈને દરેક માતા પિતાના રૂવાડાં ઊભા થઈ જશે. આ વીડિયો નંદગ્રામ પોલીસ સ્ટેશન (Nandgram Police Station) હદના રાજનગર એક્સટેન્શન ચાર્મ્સ કાઉન્ટી સોસાયટીનો છે. જેમાં એક મહિલા તેના પાલતું શ્વાનને (pet dog) લઈને લિફ્ટમાં જઈ રહી હતી.

MP: ઈન્દોરમાં યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતો પરેશાન, અનેક ક્વિન્ટલ લસણ નાળામાં ફેંકી દીધાં | Gujarat Guardian

તે લિફ્ટમાં એક નાનકડું બાળક પણ હતું. આ પાળતું કૂતરાએ લિફ્ટમાં જ બાળકને બચકું ભરી લીધુ. પરંતુ આમ છતાં તે કૂતરાની માલિકણે બાળક પર ધ્યાન ન આપ્યું અને ઉલ્ટું લુચ્ચું હાસ્ય રેલાવતી રહી. વીડિયો વાયરલ થયા બાદ હવે આ મામલે પોલીસે કેસ દાખલ કરી લીધો છે.

વીડિયો 5 સપ્ટેમ્બરનો સાંજનો 6 વાગ્યાનો છે. વીડિયોમાં લિફ્ટમાં મહિલા સાથે જઈ રહેલા પાળતું શ્વાને બાળકને કરડી લીધું. ચોંકાવનારી વાત એ જોવા મળી કે આમ છતાં મહિલાએ બાળક પ્રત્યે કોઈ દયા દેખાડી નહીં અને હસતી રહી.

બાળક દર્દથી પરેશાન થતું રહ્યું અને મહિલાએ એક નજર પણ બાળક પર ફેરવી નહીં. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો મહિલા પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

વાયરલ વીડિયોના આધારે પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે તથા તપાસ પણ શરૂ કરી દીધી છે. એવું કહેવાય છે કે આ કૂતરાથી સોસાયટીના લોકો ખુબ પરેશાન છે. લોકોએ અનેકવાર કૂતરાની ફરિયાદ મહિલાને કરી હતી. પરંતુ મહિલાએ ધ્યાન ન આપ્યું કે કોઈ પગલું પણ ન ભર્યું. હવે લિફ્ટમાં બાળકને કરડવાનો મામલો ચર્ચામાં છે.

આ પણ વાંચો :-