Home Blog Page 1327

દેવાધિદેવ મહાદેવ પર વિવાદિત ટિપ્પણી કરનાર સ્વામીનારાયણ સંતે માંગી માફી

0

Swaminarayan Sant

  • ભગવાન મહાદેવ પર વિવાદીત ટિપ્પણી કરનારા આનંદસાગર સ્વામી આખરે માગી માફી… આનંદસાગર સ્વામીએ ભગવાન મહાદેવ અંગે વાણી વિલાસ કરતા પ્રબોધ સ્વામીએ સજા સ્વરૂપે મૌન પાળવા આદેશ કર્યો…

આનંદસાગર સ્વામીનો (Anandasagar Swami) ભગવાન શિવ પર વિવાદીત ટિપ્પણીનો (Controversial comment) મામલો હવે ટોકિંગ પોઈન્ટ બન્યો છે. ભગવાન શિવ વિશે અયોગ્ય ટિપ્પણી કર્યા બાદ આનંદસાગર સ્વામીને પોતાની ભૂલનું  ભાન થયું હતું અને તેમણે પોતાની ભુલનો સ્વીકાર કર્યો છે. એટલુ જ નહિ, પ્રબોધ સ્વામીએ (Prophet Swami) સજા સ્વરૂપે મૌન પાળવા અને સાત દિવસ ઉપવાસના આદેશ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે, આનંદસાગર સ્વામીએ હરિધામ સોખડાના પ્રબોધ સ્વામી ગ્રૂપના સ્વામી છે. તેમણે અમેરિકામાં આ પ્રકારનું પ્રવચન આપ્યું હતું જેનો વિવાદ થતા વીડિયો વાયરલ થયો હતો. તેમણે પ્રબોધ સ્વામીને મહાદેવ કરતા મોટા સ્વામી ગણાવ્યા હતા. આવી વાત જાહેર કરતા ભક્તોની લાગણી દુભાઈ હતી. આનંદસાગર સ્વામીએ નવો વીડિયો જાહેર કરીને માફી માંગી છે.

શિવ ભક્તોએ વિરોધ દર્શાવ્યો :

ગઈકાલે રાજકોટમાં આનંદસાગર સ્વામીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં આનંદસાગર સ્વામી દ્વારા ભગવાન શિવ વિશે અયોગ્ય ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો. ત્યારે આનંદસાગર સ્વામીનો આ વીડિયો વાયરલ થતા બ્રહ્મસમાજ દ્વારા આ નિવેદન પર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિવિધ જિલ્લાઓમાં આનંદસાગર સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાવાની ચીમકી ઉચ્ચારી હતી.

MP: ઈન્દોરમાં યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતો પરેશાન, અનેક ક્વિન્ટલ લસણ નાળામાં ફેંકી દીધાં | Gujarat Guardian

સનાતન ધર્મને બદનામ કરવાની અને શાસ્ત્રમાં ઉલ્લેખ ન હોય તે પ્રકારની વાત હોવાનું બ્રહ્મસમાજ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારે ભગવાન મહાદેવ પર વાણીવિલાફ કરનાર આનંદસાગર સ્વામીએ પ્રબોધ સ્વામીએ સજા સ્વરૂપે મૌન પાળવા આદેશ કર્યો છે.

પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી :

પોતાની ભૂલ સ્વીકરતા આનંદસાગર સ્વામીએ કહ્યું કે, આ અવસર થયો, ત્યારે પ્રબોધ સ્વામીએ કડક શબ્દોમાં સૂચન કર્યું અને શિબિર દરમિયાન મૌન આપ્યું છે. ત્યાર પછી મને સજારૂપે સાત દિવસના ઉપવાસ પણ આપ્યા છે. મારી વાણીથી ભક્તોની લાગણી દુભાઈ છે. તેથી હું સનાતત ધર્મના સમર્થકો, શિવભક્તોની અંતકરણથી હૃદયના સાચા ભાવથી માફી માંગુ છું.

આનંદસાગર સ્વામીએ ભગવાન શિવ વિશે શું કહ્યું હતું…

વીડિયોમાં આનંદસાગર સ્વામી કહી રહ્યા છે કે, નિશીથભાઈ મેઇન ગેટ જે ઝાંપો છે ત્યાં ગયા. ગેટ બંધ હતો અને ગેટની બહાર શિવજી ઊભા હતા. નિશીથભાઈએ વર્ણન કર્યું મને કે પિક્ચરમાં આપણે કેવી રીતે જોઇએ… એવી રીતે શિવજી જટાવાળા, નાગ વીંટેલો, ઋદ્રાક્ષ પહેરેલો, ત્રિશુલ હાથમાં બધી જ પ્રોપર્ટીની સાથે વ્યવસ્થિત ઊભા હતા. પછી નિશીથભાઈએ પ્રાર્થના કરી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો તો પ્રબોધ સ્વામીજીનાં આપને દર્શન થઈ જાય.

ત્યારે શિવજીએ એમને કહ્યું કે, પ્રબોધ સ્વામીનાં દર્શન મને થયા એવાં મારાં પુણ્ય જાગ્રત નથી થયાં પણ મને તમારાં દર્શન થઈ ગયાં એ મારાં અહોભાગ્ય છે. એટલું વાક્ય બોલી શિવજી યુવકને નિશીથભાઈના ચરણસ્પર્શ કરી અને ત્યાંથી જતા રહ્યાં. તો એવી પ્રાપ્તિ આણને સૌને થઈ છે.

આ પણ વાંચો :-

CBI બાદ હવે EDનો સપાટો : દિલ્હીમાં દારૂ કૌભાંડ મામલે 30થી વધુ જગ્યા પર રેડ, વેપારીઓના છૂટ્યા પરસેવા

0

After CBI, now ED’s face

  • મંગળવારે EDએ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં 30 સ્થળો પર દરોડા પાડ્યા 

દિલ્હીના (Delhi) આજે દારૂ કૌભાંડમાં (Liquor scandal) દરોડાની પ્રક્રિયા ચાલી રહી છે. આજે એટલે કે મંગળવારે EDએ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જોકે મહત્વની વાત એ છે કે, હવે EDના દરોડામાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનું (Manish Sisodia) ઘર સામેલ નથી.

MP: ઈન્દોરમાં યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતો પરેશાન, અનેક ક્વિન્ટલ લસણ નાળામાં ફેંકી દીધાં | Gujarat Guardian

EDએ આજે મંગળવારે સવારે મેસર્સ ઈન્ડો સ્પિરિટ્સના એમડી સમીર મહેન્દ્રુના ઠેકાણા પર પણ દરોડા પાડ્યા છે. સમીર મહેન્દ્રુ દિલ્હીના જોરબાગ વિસ્તારમાં રહે છે. જોકે તેમના પર મેસર્સ રાધા ઇન્ડસ્ટ્રીઝના રાજેન્દ્ર પ્લેસ ખાતે યુકો બેંકના ખાતામાં રૂ. 1 કરોડ ટ્રાન્સફર કરવાનો આરોપ છે.

આ પણ વાંચો :-

મંગળવારે અમંગળ : લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં 3 લોકોને કાળ ભરખી ગયો

0

Amangal on Tuesday : 3 people died

  • લીંબડી અમદાવાદ હાઈવે મંગળવારે રક્તરંજિત થયો છે. કાનપરા પાટીયા પાસે અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. પેસેન્જર વાહન ડમ્પર પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. તો બીજી તરફ, આણંદના ધર્મજ તારાપુર હાઇવે પર લકઝરી બસ પલટી ખાતા બસમાં સવાર 25 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.

લીંબડી અમદાવાદ હાઈવે (Limbdi Ahmedabad Highway) મંગળવારે રક્તરંજિત થયો છે. કાનપરા પાટીયા પાસે અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. પેસેન્જર વાહન ડમ્પર (Vehicle dumper) પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. તો બીજી તરફ, આણંદના ધર્મજ તારાપુર હાઇવે (Tarapur Highway) પર લકઝરી બસ પલટી ખાતા બસમાં સવાર 25 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.

અકસ્માત-1 :

લીંબડી અમદાવાદ હાઈવે મંગળવારે રક્તરંજિત થયો છે. કાનપરા પાટીયા પાસે અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. તો 1 વ્યક્તિને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

MP : ઈન્દોરમાં યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતો પરેશાન, અનેક ક્વિન્ટલ લસણ નાળામાં ફેંકી દીધાં | Gujarat Guardian

અકસ્માત-2 :

તો અન્ય અકસ્માતના અપડેટ અનુસાર, આણંદના ધર્મજ તારાપુર હાઇવે પર લકઝરી બસ પલટી ગઈ હતી. હાઇવે પર સાઈન બોર્ડ સાથે લક્ઝરી બસ પલટી ખાઈને અથડાઈ હતી. આ સમયે લક્ઝરી બસમાં સવાર 25 થી વધુ મુસાફરો સવાર હતા, જેઓ ઘાયલ થયા છે. તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણ મુસાફરોની સ્થિતિ ગંભીર છે.

anand_bus_accident_zee.jpg

પ્રાપ્ત માહિતી અનુસાર, લક્ઝરી બસ સુરત કતારગામથી જેસર પાલિતાણા તરફ  જઈ રહી હતી. બસમાં કતારગામ અને તેની આસપાસના વિસ્તારના રહેવાસીઓ સવાર હતા. અકસ્માત બાદ ઘાયલ મુસાફરો માટે 108 એમ્બ્યુલન્સ દોડતી થઈ ગઈ હતી. કુલ આઠ એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને તારાપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માતને પગલે પેટલાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો :-

06 સપ્ટેમ્બર મંગળવારના રોજ આ રાશિના જાતકોને આજે કામકાજમાં સફળતા મળશે

On September 06, Tuesday, the native

મેષઃ
આવકનું પાસું જળવાય. હયાત રોકાણોમાંથી આવક આવતી અનુભવાય. નવા રોકાણોનું આયોજન યથાર્થ રીતે કરી શકાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય છે. આદ્યાત્મિકતાનું પ્રમાણ વધે. ચર્મરોગોથી સાવધાની રાખવી.

વૃષભ :
ધારેલી આવક અટકતી જણાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોને માનસિક ચિંતા રહે. મિત્રોનો સાથ સહકાર મળતાં કાર્યો પૂરા થતા જણાય.

મિથુન :
ગુસ્સાનું પ્રમાણ વધે. આવક જળવાય. નવા નાણાંકીય રોકાણોનું આયોજન ફાયદા કારક નીવડે. નોકરી કે ધંધાકીય ક્ષેત્રમાં મહેનત વધારે કરવી પડે. પત્નિ સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહે. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

કર્ક :
આવક અંગે મધ્યમ દિવસ છે. પરિવારમાં શાંતિ જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. મિત્ર વર્તુળમાં વધારો થાય. અધૂરા રહેલા કાર્યો પૂર્ણ થતા જણાય. તાવ, શરદી, ખાંસીથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

સિંહ :
સંતાન તરફથી સારા સમાચાર મળે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. સફેદ વસ્તુ, કાપડ, કરીયાણાના ધંધામાં લાભ મળતો જણાય. આરોગ્ય સારૂં રહેશે. નકારાત્મક વિચારો ઉપર કાબુ રાખવો જરૂરી.

કન્યા :
ગઇકાલની જેમ આજે પણ નોકરીમાં બઢતી, બદલી અને ધંધાકીય ક્ષેત્રે સફળતાના યોગ બને છે. આવકનું પ્રમાણ પણ જળવાશે. માતા-પિતાનું સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખની તકલીફ અને માથાના દુઃખાવાથી સાવધાની જરૂરી.

તુલા :
આવકનું પ્રમામ જળવાતા, માનસિક આનંદ વધે. કુટુંબના સભ્યો સાથે સારો સમય પસાર થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. પ્રેમી પાત્રનું મિલન શકય બને.

વૃશ્ચિક :
ગઇકાલની જેમ આજે પણ આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં આનંદ વધતો જણાય. બેંક બેલેન્સમાં વધારો થાય. સંતાનમાં ગુસ્સાનું પ્રમાણ વધે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય સારૂં રહે.

ધન :
આત્મબળમાં વધારો થાય. માનસિક સ્થિરતા જળવાય. સંગીતનો શોખ રહે. પેટ્રોલ, દૂધ, રબ્બર, રેડીયો, ટી.વી. જેવા ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિને વિશેષ લાભ મળે. પીઠનો દુઃખાવો તથા મૂત્રાશય સંબંધી રોગોથી સાચવવું.

મકર :
આવશ્યક કાર્યો પૂરા કરી શકાશે. આવક સામાન્ય રહેશે. પણ વખતસર નાણાંની સગવડ થઈ જશે. દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. વાયુનું પ્રમાણ વધે. સાંધાના દુઃખાવા તથા ગેસટ્રબલ અને ખાંસીથી પરેશાની રહે.

કુંભ :
શેરબજાર, સ્ત્રી શણગાર, ટ્રાવેલિંગજેવા ક્ષેત્રમાં લાભ, આવકનું પ્રમાણ વધતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. જુના મિત્રોને મળવાનું શક્ય બને. તેમનો સાથ સહકાર મળતો જણાય.

મીન :
આત્મવિશ્વાસ જળવાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. માતાનું સ્વાસ્થ્ય જળવાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. સામાજીક કાર્યોમાં સમય પસાર થાય. આંખ, હાડકા અને કરોડરજ્જુના દુઃખાવાની સમસ્યા રહે.

આ પણ વાંચો :-

દારૂ નીતિમાં ખેલ કરીને કેવી રીતે કરી તગડી કમાણી ? BJP એ કર્યું સ્ટિંગ ઓપરેશન

How to make a lot of money by

  • દિલ્હીની નવી આબકારી નીતિ દ્વારા આમ આદમી પાર્ટી અને ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા પર કૌભાંડનો આરોપ લગાવતા ભાજપે કુલવિંદર મારવાહના સ્ટિંગ ઓપરેશનનો એક વીડિયો બહાર પાડ્યો છે. ભાજપના દાવા મુજબ કુલવિંદર મારવાહ, સની મારવાહના પિતા છે. સની મારવાહ દારૂ કૌભાંડમાં આરોપી નંબર 13 છે.

દિલ્હીની (Delhi) નવી આબકારી નીતિ (New Excise Policy) દ્વારા આમ આદમી પાર્ટી અને ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા પર કૌભાંડનો આરોપ લગાવતા ભાજપે કુલવિંદર મારવાહના (Kulwinder Marwah) સ્ટિંગ ઓપરેશનનો એક વીડિયો બહાર પાડ્યો છે. ભાજપના દાવા મુજબ કુલવિંદર મારવાહ, સની મારવાહના પિતા છે. સની મારવાહ દારૂ કૌભાંડમાં (Liquor scandal) આરોપી નંબર 13 છે. ભાજપનો આરોપ છે કે કુલવિંદર મારવાહ એ વ્યક્તિ છે જે મનિષ સિસોદિયાના (Manish Sisodia) હાથમાં પોતે પૈસા પકડાવે છે.

કુલવિંદર મારવાહનું સ્ટિંગ ઓપરેશન :

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે જે દેખાડવાના છીએ તેમાં સ્ટિંગ માસ્ટરનું સ્ટિંગ થઈ ગયું છે. અરવિંદ કેજરીવાલ જ્યારે મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે જો કોઈ ભ્રષ્ટાચાર કરે તો તમે તેનું સ્ટિંગ કરજો, તેનું રેકોર્ડિંગ કરી લેજો અને અમને મોકલી દેજો.

ભાજપને ઝટકો, અમરેલીના સાંસદે કોંગ્રેસ ધારાસભ્યના ભરપેટ કર્યા વખાણ | Gujarat Guardian

અમે સત્ય દેખાડી દઈશું. ભાજપે કુલવિંદર મારવાહના સ્ટિંગ ઓપરેશનનો વીડિયો બહાર પાડ્યો છે. ઝી મીડિયા સ્ટિંગ ઓપરેશનના આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. તે ભાજપ તરફથી બહાર પાડવામાં આવ્યું છે.

ભાજપના ગંભીર આરોપ :

દારૂ કૌભાંડ મામલે ભાજપે આરોપ લગાવ્યો કે આપ સરકારે નવી આબકારી નીતિમાં કમિશન વધાર્યું. બધુ કમિશન દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા પાસે ગયું. આમ આદમી પાર્ટી કટ્ટર ભ્રષ્ટાચારી પાર્ટી છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીની જનતાને દગો કર્યો છે. AAP એ દારૂ માફિયાઓના 144 કરોડ રૂપિયા માફ કર્યા.

આ પણ વાંચો :-

કોંગ્રેસમાં ‘ઓટ’, ભાજપમાં ‘ભરતી’ : રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ ટાણે જ ઝટકો, યુથ કોંગ્રેસના પ્રમુખ બાદ હવે મહામંત્રીનું રાજીનામું

0

‘Oat’ in Congress, ‘Bharti’ in BJP:

  • વિશ્વનાથ વાઘેલા બાદ હવે આજે યુથ કોંગ્રેસના મહામંત્રીએ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ ટાણે જ રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં હડકંપ.

ગુજરાતમાં (Gujarat) રાહુલ ગાંધીના (Rahul Gandhi) ગુજરાત પ્રવાસ વખતે જ રાજીનામાનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે. ત્યારે ગઇ કાલે વિશ્વનાથ વાઘેલાએ (Vishwanath Vaghela) ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ આજે યુથ કોંગ્રેસના મહામંત્રી વિનયસિંહ તોમરે (Vinaysingh Tomere) રાજીનામું આપતા ગુજરાતના રાજકારણમાં ભારે હડકંપ મચી ગયો છે.

આવતીકાલે યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓ ભાજપમાં જોડાશે :

અત્રે નોંધનીય છે કે, ગઇકાલે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યાં તો આજે વધુ એક દિગ્ગજે રાજીનામું ધરી દેતા કોંગ્રેસને ફરી મોટો ઝટકો લાગ્યો છે. એ સિવાય આવતીકાલે યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓ પણ હવે ભાજપમાં જોડાશે.

આવતી કાલે CR પાટીલની હાજરીમાં કેસરિયા કરશે  :

વિધાનસભા ચૂંટણી પહેલા અને રાહુલ ગાંધીના અમદાવાદ આગમન સમયે જ કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓ હવે ભાજપમાં જોડાશે. યુથ કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી જીગર માળી ભાજપમાં જોડાશે. તો NSUI પ્રદેશ ઉપ પ્રમુખ પાર્થ દેસાઈ ભાજપમાં જોડાશે.

એ સિવાય વિશાલ ઠાકોર અને માલારામ ભાવરી પણ ભાજપમાં જોડાશે. એટલે કે આવતીકાલે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે આ તમામ ભાજપમાં જોડાશે. આવતી કાલે CR પાટીલની હાજરીમાં યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓ કેસરિયા કરશે.

ગઇકાલે જ ભરૂચ કોંગ્રેસમાં પણ ભંગાણ પડ્યું :

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગઇકાલે ભરૂચ કોંગ્રેસમાં પણ ભંગાણ પડ્યું હતું. શહેર કોંગ્રેસના પ્રમુખ વિકી શોખી સહિત 400 જેટલા આગેવાન વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસ નેતાથી નારાજ થઈ ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, પ્રદેશ કોંગ્રેસ યુવા હોદ્દેદાર નિકુલ મિસ્ત્રી, વાગરા અને શહેર તેમજ તાલુકાના 7 હોદેદારોએ રાજીનામાં આપ્યા હતા.

ભાજપને ઝટકો, અમરેલીના સાંસદે કોંગ્રેસ ધારાસભ્યના ભરપેટ કર્યા વખાણ | Gujarat Guardian

ભરૂચ ડિસ્ટ્રીકટ સહકારી બેંક ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનની ઉપસ્થિતિમાં કોંગ્રેસના 400 જેટલા હોદેદારો અને કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીના 2 હોદેદારોને ભાજપમાં આવકાર આપી કેસરિયો ખેસ પહેરાવાયો હતો.

આ પણ વાંચો :-

કરોડપતિ સ્વીપરનું ટીબીથી મોત : ન લગ્ન કર્યા, ન કોઈ શોખ રાખ્યો, ખાતામાં રહી ગયા 70 લાખ રૂપિયા

0

Millionaire sweeper dies of TB

  • ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી એક એવી ઘટના સામે આવી છે, જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. આ કહાની એક એવા વ્યક્તિની છે જેણે ક્યારેય પોતાના ખાતામાંથી પૈસા પણ ઉપાડ્યા નહીં. પિતા બાદ હવે તેનું પણ મોત થઈ ગયું છે.

ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) પ્રયાગરાજથી (Prayagraj) એક એવો મામલો સામે આવ્યો છે, જેને સાંભળીને તમે પણ વિચારતા થઈ જશો. આ કહાની એવા વ્યક્તિની છે જેણે ક્યારેય ખાતામાંથી પગારના પૈસા ઉપાડ્યા (Money withdrawn) નથી. પિતાના પગલા પર પુત્ર પણ ચાલતો રહ્યો. નોકરી હોવા છતાં લોકો પાસે પૈસા માંગી ઘર ચલાવતો હતો.

તેને ગંભીર બીમારીએ ઝકડી લીધો હતો. આ બીમારી હતી ટીબીની. બેન્ક એકાઉન્ટમાં 70 લાખ રૂપિયા હતા પરંતુ તે સારવાર કરાવી શક્યો નહીં. શનિવારે મોડી રાત્રે ટીબીને કારણે તેનું નિધન થઈ ગયું. ઘરમાં હવે તેના 80 વર્ષના માતા છે.

પ્રયાગરાજનો કરોડપતિ સ્વીપર કહેવાતો ધીરજ જિલ્લા રક્તપિત્ત વિભાગમાં સ્વીપરની નોકરી કરતો હતો. તે કરોડપતિ છે. આ વાતનો ખુલાસો મે મહિનામાં ત્યારે થયો જ્યારે બેન્કવાળા ધીરજને શોધતા રક્તપિત્ત વિભાગમાં પહોંચ્યા હતા.

ત્યારબાદ ધીરજને લોકો કરોડપતિ સ્વીપર કહીને બોલાવવા લાગ્યા હતા. ધીરજના પિતા સુરેશ ચંદ્ર જિલ્લા રક્તપિત્ત રોગ વિભાગમાં સ્વીપરના પદ પર કાર્યરત હતા. નોકરીમાં રહેતા તેમનું નિધન થયું હતું. ત્યારબાદ ડિસેમ્બર 2012માં તેમના પિતાની નોકરી ધીરજને મળી ગઈ હતી.

ભાજપને ઝટકો, અમરેલીના સાંસદે કોંગ્રેસ ધારાસભ્યના ભરપેટ કર્યા વખાણ | Gujarat Guardian

ધીરજના પિતાએ ક્યારેય ખાતામાંથી પૈસા ઉપાડ્યા નહીં :

ધીરજ પોતાના પિતાના પગલે ચાલતો હતો. નોકરીમાં રહેતા ધીરજના પિતાએ ક્યારેય બેન્ક એકાઉન્ટમાંથી પોતાના પગારના પૈસા ઉપાડ્યા નહીં. આ સ્થિતિ ધીરજની હતી. પિતાની જગ્યાએ નોકરીમાં લાગેલા પુત્રએ ક્યારેય ખાતામાંથી પૈસા કાઢ્યા નહીં.

ઘરનો ખર્ચ ચલાવવા માટે ધીરજ પિતાની જેમ રસ્તે ચાલતા લોકો અને સાથે કામ કરતા લોકો પાસેથી પૈસા માંગતો હતો. ધીરજના માતાને પેન્શન મળે છે, તેનાથી ધીરજનું ઘર ચાલતું હતું પરંતુ તે ક્યારે પૈસા ઉપાડવા ગયો નહીં. પરંતુ ધીરજ દર વર્ષે સરકારને ઇનકમ ટેક્સ આપતો હતો.

ન લગ્ન કર્યા, ન કોઈ શોખ :

ધીરજ હોસ્પિટલ કેમ્પસમાં પોતાના માતા અને બહેન સાથે રહેતો હતો. લગ્નની વાત કરતા પર તે ભાગી જતો હતો. તેને ડર હતો કે તેના પૈસા કોઈ ઉપાડી ન લે. રક્તપિત વિભાગના એક કર્મચારીએ જણાવ્યું કે ધીરજ મગજથી નબળો હતો, પરંતુ ડ્યૂટી દરમિયાન તે મહેનત કરતો હતો. ખાસ વાત છે કે તેણે ક્યારેય રજા પણ લીધી નથી.

લોકો પાસે પૈસા માંગતો હતો :

ધીરજની સાથે કામ કરનારા એક વ્યક્તિએ કહ્યું, તે સમય પર ડ્યૂટી આવતો અને જતો હતો. તે કામ ઈમાનદારીથી કરતો હતો. રસ્તામાં જ્યારે અમને લોકોને મળતો હતો તો કહેતો હતો ભાઈ પૈસા આપો. તેણે ક્યારેય બેન્કમાંથી પૈસા ઉપાડ્યા નહીં. થોડા સમય પહેલા બેન્કના અધિકારી આવ્યા હતા.

અધિકારીઓએ પૂછ્યું કે ધીરજ પૈસા કેમ ઉપાડતો નથી, તારો ખર્ચો કેમ ચાલે છે. તે સમયે લોકોએ કહ્યું કે ધીરજ અમારી જેવા લોકો પાસેથી પૈસા લઈને ઘર ચલાવે છે.

આ પણ વાંચો :-

ચેતવા જેવો કિસ્સો : અમદાવાદમાં લૂંટેરી દુલ્હનનો સપાટો, દિવ્યાંગ યુવકને 3.88 લાખ રૂપિયામાં નવડાવ્યો !

A cautionary case Robber bride caught in Ahmedabad

  • સુમિત્રા નામની યુવતીએ યુવકને ફોન કરી જણાવ્યું કે, હું દિવાળી પછી આવું છું, તમે મને કપડાં ખરીદવા અને જ્વેલરી ખરીદવા પૈસા આપો. જેથી યુવકે પૈસા આપ્યા હતા. જોકે, યુવતી આવી ન્હોતી અને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.

જો તમે લગ્ન ઇચ્છુક (Wanted to get married) હોવ અને કોઈ પરિચિત વ્યક્તિઓ પાસેથી અજાણી વ્યક્તિઓનો સંપર્ક કરાવવામાં આવે તો ચેતી જજો. કારણ કે ફરી એક વખત અમદાવાદ (Ahmedabad) શહેરમાં લુટેરી દુલ્હન અને તેની ગેંગનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકે ત્રણ લાખથી વધારે રૂપિયા ખર્ચ્યા હોવા છતાં પણ યુવતીએ તેની સાથે લગ્ન કર્યા ન હતા અને આ ગેંગના સભ્યો રૂપિયા લઇ ફરાર થઈ ગયા હતા. એટલું જ નહીં યુવકને મારી નાખવાની (To kill) ધમકી પણ આપી હતી. જેને લઈને યુવકે પોલીસ ફરિયાદ (Police complaint) કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મૂળ રાજસ્થાનનો અને અગાઉ અમદાવાદમાં રહેતો અને હાલ મુંબઈમાં રહેતો 29 વર્ષીય યુવક કોપરની બંગડી બનાવવાનું કામકાજ કરે છે અને તે અપંગ છે. બે વર્ષ પહેલાં અમદાવાદ શહેરના ઇસનપુર ખાતે યુવક છૂટકમાં કટલરીનો વેપાર કરતો હતો. તે સમય દરમિયાન અમરાઇવાડી ખાતે રહેતા વિશ્વનાથ નામના વ્યક્તિ સાથે તે પરિચયમાં આવ્યો હતો.

વિશ્વનાથે યુવકને લગ્ન કરવાની સલાહ આપી હતી. બાદમાં લગ્ન કરાવનાર સુરેશભાઈ કે જે બાપુનગરનો રહેવાસી છે તેની સાથે મુલાકાત કરાવી હતી. ગત 12 ઓગસ્ટ 2020માં આ યુવક અને વિશ્વનાથ બંને સુરેશભાઈના ઘરે બાપુનગર ખાતે ગયા હતા. ત્યાં સુરેશભાઈએ તેમના ઘર પાસે રહેતા હરીદાસ તથા રાજુ તથા દિલીપ નામના વ્યક્તિઓ સાથે મુલાકાત કરાવી હતી અને લગ્ન બાબતે વાતચીત થઈ હતી.

બાદમાં રાજુભાઈએ યુવકને મહારાષ્ટ્રમાં અકોલા ખાતે એક છોકરી છે તેમ જણાવતા યુવકે લગ્નનો ખર્ચ પૂછ્યો હતો. જેથી રાજુ નામના વ્યક્તિએ લગ્ન થઈ જાય અને છોકરી તમારા ઘરે આવે ત્યાં સુધી 2.30 લાખ જેટલો ખર્ચ થશે અને છોકરી અમદાવાદ આવી જાય પછી પૈસા આપવાના રહેશે તેવું જણાવ્યું હતું. બાદમાં રાજુભાઈએ દિલીપભાઈની ગાડી ભાડે લઈ આ યુવક અને વિશ્વનાથ, સુરેશભાઈ, હરિદાસભાઈ, રાજુભાઈ તથા દિલીપભાઈ એક સાથે અકોલા ખાતે ગયા હતા.

બીજા દિવસે ત્યાં પહોંચી રાજુભાઈએ તેમના ઓળખીતા નરેશભાઈને ફોન કરી બોલાવ્યા હતા અને નરેશભાઈએ છોકરીને બતાવતા પહેલા રૂપિયા 11,000 શુકન પેટે આપો તો જ છોકરી બતાવીશું નહીં તેમ કહ્યું હતું. જેથી ફરિયાદી યુવકે નરેશભાઈને પૈસા આપ્યા હતા.

ભાજપને ઝટકો, અમરેલીના સાંસદે કોંગ્રેસ ધારાસભ્યના ભરપેટ કર્યા વખાણ | Gujarat Guardian

બાદમાં રાજુભાઈ નરેશભાઈના ઘરે લઈ ગયા હતા. ત્યાં નરેશભાઈ વિમળા માસી, સંજય, સુરજ પાટીલ તથા સુમિત્રા પાટીલ તથા સંજય તથા કલ્યાણીબેન સાથે મુલાકાત કરાવી હતી. સંજય સુમિત્રાનો બનેવી થતો હતો અને કલ્યાણીબેન સુમિત્રાની બહેન થતી હતી.

બાદમાં યુવકે સુમિત્રા પાટીલ સાથે મુલાકાત કરી પોતે અપંગ છે અને કટલરીનો વેપાર કરે છે તેવું જણાવતા સુમિત્રાએ હું મારી મરજીથી તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું તેમ કહ્યું હતું. તે સમયે નરેશભાઈએ છોકરીના હાથમાં 1,100 આપવાનું કહેતા યુવકે પૈસા આપ્યા હતા અને અમદાવાદ પરત આવી ગયા હતા. બાદમાં બીજા દિવસે આ તમામ લોકો બાપુનગર આવ્યા હતા અને પૈસાની વાત કરી હતી.

જેથી યુવકે બાપુનગર ચાર રસ્તા ખાતે 20,000 રૂપિયા રોકડા આપ્યા હતા. બાદમાં ફોટો કોપી કઢાવી પછી કોર્ટમાં લગ્ન કરવા જઈએ તેમ કહી સામેવાળાઓએ 2.20 લાખ લઈ લીધા હતા અને ભાગી ગયા હતા અને ફોન બંધ કરી દીધો હતો.

બાદમાં આ શખ્સોએ ફોન ઉપાડી 30,000 રૂપિયા ખાતામાં નાખો તો અમે છોકરીને લઈને ફરીથી આવીશું તેમ કહ્યું હતું. બાદમાં આ યુવક મહારાષ્ટ્ર ખાતે ગયો હતો જ્યાં તેની પાસે વધુ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને યુવતીને 15 દિવસ પછી તમારી સાથે મોકલીશું તેમ કહી ભરોસો અને વિશ્વાસ આપ્યો હતો. સાથે જણાવ્યું હતું કે, લગ્ન ન થાય તો તમારા પૂરેપૂરા પૈસા તમને પાછા આપી દઈશું.

જેથી યુવકે લગ્ન કરવાના ઇરાદે આ તમામ નાણા એટલે કે કુલ 3.88 લાખ રૂપિયા આ શખ્સોને ચૂકવ્યા હતા. બાદમાં સુમિત્રા નામની યુવતીએ યુવકને ફોન કરી જણાવ્યું કે હું દિવાળી પછી આવું છું, તમે મને કપડાં ખરીદવા અને જ્વેલરી ખરીદવા પૈસા આપો. જેથી યુવકે પૈસા આપ્યા હતા. જોકે, યુવતી આવી ન્હોતી અને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.

યુવતી ઘરે ન આવતા યુવકે પૈસા પરત માંગતા આ શખ્સોએ ફોન ઉપર ગાળો બોલી જાનથી મારવા મારી નાખવાની ધમકી આપી હતી. સાથે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં પગ મૂકીશ તો તને મારી નાખીશું. આ મામલે યુવકે મલકાપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જ્યાં યુવતીએ 15 દિવસ પછી આવી જઈશ તેવું કહેતા અંદરો અંદર સમાધાન થયું હતું.

પરંતુ અનેક દિવસો સુધી રાહ જોવા છતાં પણ આ યુવતી ન આવતા આરોપી નરેશ, કલ્યાણીબહેન, સુમિત્રા પાટીલ અને તેનો બનેવી સંજય, વિમળા માસી અને સંજય અકોલા વાળો નામના શખ્સોએ 3.88 લાખ પડાવી લગ્ન ન કરી છેતરપિંડી આચરતા બાપુનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.

આ પણ વાંચો :-

સાયરસ મિસ્ત્રી મોત કેસમાં પ્રાથમિક તપાસમાં થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો

0

Cyrus Mistry death case

  • સાયરસ મિસ્ત્રી મોત કેસ : જે મહિલા ગાડી ચલાવી રહ્યા હતા તે કોણ હતા અને પોલીસના પ્રાથમિક તપાસ રિપોર્ટથી થયેલા મોટા ખુલાસા વિશે પણ જાણો. પોલીસ રિપોર્ટ મુજબ જે સમયે આ ઘટના ઘટી ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાઈરસ મિસ્ત્રીની લક્ઝરી કાર અનાહિતા પંડોલે ચલાવી રહ્યા હતા.

ટાટા સન્સના (Tata Sons) પૂર્વ ચેરમેન સાઈરસ મિસ્ત્રીનું (Cyrus Mistry) ગઈ કાલે રોડ અકસ્માતમાં નિધન થઈ ગયું. પોલીસની પ્રાથમિક તપાસમાં એ વાતનો ખુલાસો થયો છે કે ડિવાઈડર સાથે ટકરાયા પહેલા તેમની લક્ઝરી કાર પૂરપાટ ઝડપે દોડી રહી હતી. એટલું જ નહીં પાછળની સીટ પર બેઠેલા બંને વ્યક્તિઓએ સીટ બેલ્ટ પહેર્યો નહતો.

પોલીસ રિપોર્ટ મુજબ પાલઘરમાં ચારોટી ચેક પોસ્ટ પાર કર્યા બાદ તેમની કારે ફક્ત 9 મિનિટમાં 20 કિમીનું અંતર કાપ્યું હતું. પોલીસનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજમાં તેમની કાર બપોરે લગભગ 2.21ની આજુબાજુ ચોકી પાસે જોવા મળી હતી. દુર્ઘટના બપોરે લગભગ 2.30 વાગ્યાની આજુબાજુ સૂર્યા નદી પર બનેલા પૂલ પર ઘટી. જે ચેકપોસ્ટથી 20 કિમી દૂર છે.

ભાજપને ઝટકો, અમરેલીના સાંસદે કોંગ્રેસ ધારાસભ્યના ભરપેટ કર્યા વખાણ | Gujarat Guardian 

પોલીસ રિપોર્ટ મુજબ જે સમયે આ ઘટના ઘટી ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાઈરસ મિસ્ત્રીની લક્ઝરી કાર અનાહિતા પંડોલે ચલાવી રહ્યા હતા. આ દુર્ઘટનામાં જાણીતા સ્ત્રી રોગ વિશેષજ્ઞ અનાહિતા પંડોલે અને તેમના પતિ ડેરિયસ પંડોલેના જીવ બચી ગયા. જ્યારે મિસ્ત્રી અને ડેરિયસના ભાઈ જહાંગીર પંડોલેનું મોત થઈ ગયું. આ દુર્ઘટના મુંબઈથી લગભગ 120 કિમી દૂર ઘટી.

કાર દુર્ઘટનાની પ્રાથમિક તપાસમાંથી નીકળેલી ચોંકાવનારી વાતો :

1. દુર્ઘટના બાદ સાઈરસ મિસ્ત્રીને જ્યારે હોસ્પિટલ લઈ જવાયા ત્યારે તેમનું મોત થઈ ચૂક્યું હતું. જહાંગીર દિનશા પંડોલનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસે ડોક્ટરના હવાલે આ જાણકારી આપી છે.

2. સાઈરસ મિસ્ત્રીના માથામાં ઈજા થઈ હતી અને અનાહિતા પંડોલેના ભાઈ જહાંગીર દિનશાને પગ અને માથામાં ઈજા થઈ હતી.

3. સાઈરસ અને જહાંગીર કારની પાછળની સીટ પર બેઠા હતા. મોટર વ્હીકલ એક્ટ મુજબ સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે. બંનેમાંથી કોઈએ સીટ બેટ પહેર્યો નહતો.

4. મુંબઈના સ્ત્રીરોગ વિશેષજ્ઞ અનાહિતા પંડોલે કાર ચલાવી રહ્યા હતા. જ્યારે સૂર્યા નદી પર બનેલા પુલ પર રોડના ડિવાઈડર સાથે કાર ટકરાઈ ત્યારે પૂરપાટ ઝડપે હતી. એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે કાર ડાબી બાજુથી એક અન્ય વાહનને ઓવરટેક કરવાની કોશિશ કરી રહી હતી તે દરમિયાન કાબૂ ગૂમાવી બેઠી.

5. અનાહિતા અને તેમના પતિ ડેરિયસ બંને કારમાં આગળની સીટ પર બેઠા હતા. બંને ગંભીર રીતે ઘાયલ થયા અને હાલ સારવાર હેઠળ છે.

6. અનાહિતા અને ડેરિયસને આજે મુંબઈની એક હોસ્પિટલમાં રેફર કરાય તેવી શક્યતા છે. અકસ્માત બાદ તેમને ગુજરાતના વાપીની એક પ્રાઈવેટ હોસ્પિટલ લઈ જવાયા હતા.

7. એવું માનવામાં આવી રહ્યું છે કે આગળની સીટ પર બેઠેલા બંને લોકોના જીવ એરબેગના કારણે બચી ગયા.

8. અકસ્માત બાદ મર્સિડિઝ ગાડીની તસવીરોથી જાણવા મળે છે કે કારનો પાછળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો નહતો.

આ પણ વાંચો :-

 

વિશ્વનાથસિંહ વાઘેલા આજે કરશે કેસરિયા : CR પાટીલ-હર્ષ સંઘવી સાથે કરી હતી મુલાકાત

0

Vishwanath Singh Vaghela will do Kesaria

  • ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી એકાએક રાજીનામું આપી કોંગ્રેસને ઝટકો દેનાર વિશ્વનાથસિંહ વાઘેલા આજે ભાજપમાં જોડાશે.

ગઇકાલે ગુજરાત યુથ કોંગ્રેસના (Gujarat Youth Congress) પ્રમુખ પદેથી રાજીનામું આપનાર વિશ્વનાથસિંહ વાઘેલા (Vishwanath Singh Vaghela) આજે કેસરિયો ધારણ કરશે એટલે કે ભાજપમાં જોડાશે. તેઓએ CR પાટીલ અને હર્ષ સંઘવી સાથે મુલાકાત પણ કરી હતી. દરમ્યાન અનુરાગ ઠાકુર (Anurag Thakur) અને પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પણ હાજર રહ્યાં હતા.

વિશ્વનાથસિંહના રાજીનામા બાદ તાત્કાલિક નવા પ્રમુખની નિમણૂંક કરી દેવાઇ :

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ સર્જાતી રહે છે. ત્યારે ગઇકાલે રાહુલ ગાંધીના પ્રવાસ પહેલા જ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાએ રાજીનામું આપી દેતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો.

જો કે વિશ્વનાથસિંહના રાજીનામા બાદ તાત્કાલિક ધોરણે પ્રદેશ યુથ કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂંક કરી દેવાઇ હતી. ગઇકાલે ગુજરાત યુથ કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે હરપાલસિંહ ચુડાસમાની નિમણૂંક કરી દેવાઇ હતી. નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ સાથે વિશ્વનાથ વાઘેલાનો આંતરિક કકળાટ ચાલતો હતો.

યુવાનો કોંગ્રેસમાં સમય વેડફી રહ્યાં છે : વિશ્વનાથસિંહ વાઘેલા

વિશ્વનાથસિંહ વાઘેલાએ ગાંધી-નેહરુ પરિવાર પર આક્ષેપ લગાવતા કહ્યું કે, ‘હું પ્રદેશ પ્રમુખ પદેથી મારું રાજીનામું આપી રહ્યો છું. કોંગ્રેસના સનિયર નેતાઓના આંતરિક જુથવાદનો હું ભોગ બન્યો. મને કામ કરવામાં અડચણો ઉભી કરવામાં આવતી. કોંગ્રેસ સંગઠનને નિષ્ફળ બનાવવા કાવતરા કરાયા. કોંગ્રેસ પક્ષ ચાપલુસોથી ઘેરાયેલો છે. કોંગ્રેસમાં યુવાનનો દુરુપયોગ જ થાય છે.

ભાજપને ઝટકો, અમરેલીના સાંસદે કોંગ્રેસ ધારાસભ્યના ભરપેટ કર્યા વખાણ | Gujarat Guardian

યુવાનો કોંગ્રેસ પક્ષમાં દેશનું ભવિષ્ય નથી જોતા. કોંગ્રેસ પક્ષ એકપણ રીતે યોગ્ય નથી લાગતો. યુવાનો કોંગ્રેસમાં સમય વેડફી રહ્યાં છે. આંતરિક જૂથવાદથી પક્ષમાં દુશ્મનો ઉભા થાય છે. દેશની સત્તા માટે જનતાએ કોંગ્રેસને ખૂબ તકો આપી. કોંગ્રેસ પોતોના જ કાર્યકરોને શંકાની નજરે જુએ છે.

કોંગ્રેસમાં વડીલો કે યુવાનોને સન્માન નથી મળતું. કોંગ્રેસે ભારત જોડવા અત્યાર સુધીમાં શું કર્યું? ભારત જોડો યાત્રા કરતા કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ.’

આ પણ વાંચો :-