Home Blog Page 1321

આજનું રાશિફળ 14 સપ્ટેમ્બર : ધનુ-કુંભ રાશિના જાતકોને આજે ધનલાભના યોગ, જાણો તમારું દૈનિક રાશિફળ

Today’s Horoscope 14th September Gujarat Guardian

મેષ :
શારીરીક અને માનસિક સ્વાસ્થ્ય જળવાય. છતાં સ્વભાવમાં થોડી ઉગ્રતા વર્તાય. બહેનો એ પતિના ગુસ્સાનો સામનો કરવો પડે. માતાનું આરોગ્ય સાચવવું. જમીન મિલકતના વ્યવહારોમાં સાવધાની જરૂરી.

વૃષભ :
આવકનું પ્રમાણ ઘટતું જણાય. પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહે. કાર્ય સફળતા દૂર ભાગતી જણાય. સંતાનની પ્રગતિ સંભવે. માતા સાથે મતભેદની શક્યતા. માતાની તબિયત સાચવવી.

મિથુન :
મનોબળ મજબૂત બને. થોડું અક્કડ વલણ રહેવા પામે. ધારેલી આવક આવવામાં મુશ્કેલી પડે. કાર્યક્ષેત્રે ધંધામાં સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. સ્વાસ્થ્ય સારૂ રહેશે. સોબતનું ધ્યાન રાખવું.

કર્ક :
મગજના રોગોથી સાચવવું. માથાના દુઃખાવાને નજર અંદાજ ન કરવો. વિશ્વાસઘાત થવાના યોગ છે. આવક વધતી જણાય. શેર બજાર ના રોકાણોમાં લાભ, દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય. સંતાનો તરફથી આનંદ.

સિંહ :
સફળતા માટે નકારાત્મક વિચારો ઉપર કાબુ જરૂરી. નાણાંકીય બાબતોમાં ફાયદો. પરિવારમાં આનંદ, મોજશોખમાં ખર્ચ વધે. શરદી-ખાંસી વધે. થાક લાગે. ભાગ્ય બળવાન. મિત્રોનો સહકાર મળે.

કન્યા :
કરેલા કાર્ય સફળતા થતા જણાય. જીવનમાં સરળતા વર્તાય. આંખની કાળજી જરૂરી. પડવા વાગવા અકસ્માતથી સાચવવું. સંતાનો સંબંધી પ્રશ્નો ઉકેલાય. ભાગ્યનો સાથ મળે. નાના યાત્રા પ્રવાસનું આયોજન થાય.

તુલા :
આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. દામ્પત્ય જીવનમાં માનસિક પરિતાપ વધતો જણાય. ધાર્મિક પ્રસંગનું આયોજન શકય બને. આરોગ્ય જળવાશે.

વૃશ્ચિક :
માનસિક પરિતાપ ચિંતા રહે. આવકનું પ્રમાણ ઘટે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય અંગે પણ સાવધાની જરૂરી. નસીબનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમ્યાન સાચવવાની સલાહ છે.

અમદાવાદમાં જિગ્નેશ મેવાણી બચી ગયા : જાહેર મંચ પર હુમલો થતો રહી ગયો, એક વ્યક્તિ સ્ટેજ પર ચઢી ગયો | Gujarat Guardian

ધન :
માનસિક અશાંતિ વધે. આવક જળવાય. સંતાન અંગેના પ્રશ્નો ઉદભવતા જણાય. સંતાનોનું આરોગ્ય કથળે. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. નોકરી ધંધામાં સારૂ. યશ પ્રતિષ્ઠામાં વધારો થાય.

મકર :
વિચારોમાં સ્થિરતા વધે. માન સન્માન વધતા જણાય. આર્થિક બાબતો અંગે સાનુકુળતા જણાય. પરોપકાર કરવામાં ખોટો ખર્ચ ટાળવો. માતાની તબિયત સાચવવી. નવા રોકાણો મુલતવી રાખવા. ડાબી છાતીની કાળજી રાખવી જરૂરી છે.

કુંભ :
આત્મવિશ્વાસમાં વધારો થાય. ઇચ્છા શક્તિ દૃઢ બનતી જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. એમની તબિયતની કાળજી જરૂરી. જમણા હાથની કાળજી રાખવી. માતૃસુખ વાહન સુખમાં વધારો.

મીન :
આવકમાં ઘટાડો થતો જણાય. નાના ભાઈ બહેનોની ચિંતા સતાવે છતાં પણ માનસિક સ્થિરતા બરકરાર રહે. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગ્યનો સાથ મળે. નોકરી ધંધામાં સામાન્ય.

આ પણ વાંચો :-

આ તે કેવી ભક્તિ ! સુરતમાં ગણેશ મંડપમાં ડાન્સરોએ કર્યો અશ્લીલ ડાન્સ, Video

0

What kind of devotion is this

  • ગણેશોત્સવ તહેવાર એ પરંપરા અને ભક્તિ સાથે જોડાયેલો છે. ગણેશ ઉત્સવ ઉજવવાનો હેતુ લોકોને એકઠા કરીને ઉત્સવ મનાવવાનો છે. પરંતુ સુરતના એક ગણેશ પંડાલમાં ભક્તિના નામે અશ્લીલતા જોવા મળી. 

ગણેશોત્સવ (Ganesha Festival) તહેવાર એ પરંપરા અને ભક્તિ સાથે જોડાયેલો છે. ગણેશ ઉત્સવ ઉજવવાનો હેતુ લોકોને એકઠા કરીને ઉત્સવ મનાવવાનો છે. પરંતુ સુરતના એક ગણેશ પંડાલમાં (Ganesh Pandal) ભક્તિના નામે અશ્લીલતા (Obscenity) જોવા મળી.

સુરતની બેગમપુરા શેરીમાં ગણેશ પંડાલમાં ભગવાન ગણેશજીની સામે બાર ડાન્સરોને બોલાવીને અશ્લીલ ડાન્સ કરાયો હતો. એટલુ જ નહિ યુવકોએ નશામાં છાટકા બનીને બાર ડાન્સરો સાથે ડાન્સ કર્યો હતો. ત્યારે વીડિયો વાયરલ થતા પોલીસે કમિશનરે તપાસના આદેશ આપ્યા છે.

અમદાવાદમાં જિગ્નેશ મેવાણી બચી ગયા : જાહેર મંચ પર હુમલો થતો રહી ગયો, એક વ્યક્તિ સ્ટેજ પર ચઢી ગયો | Gujarat Guardian

તાજેતરમાં જ ગુજરાતભરમાં રંગેચંગે ગણપતિ મહોત્સવ ઉજવાયો. ત્યારે સુરતમાં ભક્તિના નામે એવી ઘટના બની જેણે સૌને ચોંકાવી દીધા. ગણપતિ મંડપમાં ડાન્સરોને બોલાવાયા હતા. ગણેશ પ્રતિમાની સામે સ્થાનિક યુવકોએ શરમ નેવે મૂકીને ડાન્સ કર્યો હતો. એટલુ જ નહિ, યુવાઓએ ડાન્સરો સાથે ઠુમકા માર્યા હતા.

તો બીજી તરફ, ગણેશ મંડપમાં બિયરની છોળો ઉડાડાઈ હતી. ડીજેના તાલે યુવાઓ મહિલા ડાન્સરો સાથે ઝૂમ્યા હતા. તો યુવાઓએ નશામાં છાટકા બનીને ડાન્સરો પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. ગણેશ વિસર્જનની આગલી રાત્રે તાયફાનો વીડિયો વાયરલ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે લોકોએ તે જોઈને ફિટકાર વરસાવી છે. વીડિયો સુરતની બેગમપુરા મપારા શેરીનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી.

સુરતમાં ગણપતિ પંડાલમાં અશ્લીલ ડાન્સનો વીડિયો વાયરલ થયા બાદ સુરત પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. ગણેશ પંડાલમાં કરેલા આ તાયફા સામે અનેક સવાલો ઉભા કરે છે કે, આસ્થાના નામે કરેલા જલસા કેટલા યોગ્ય છે.

આ પણ વાંચો :-

એક તરફ ભારત જોડો યાત્રા ત્યાં બીજી તરફ કોંગ્રેસમાં બે નેતાઓ વચ્ચે મોટો વિવાદ, કહ્યું મારા પર જૂતાં ફેંકાવીને CM…

0

On the one hand, join Bharat Yatra, on the other

  • રાજસ્થાનના રમતગમત રાજ્ય મંત્રી અશોક ચંદનાએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટને ખુલ્લી ધમકી આપી.

ચૂંટણી પહેલા હાલ કોંગ્રેસની ભારત જોડો યાત્રા (Connect India Journey) ચાલી રહી છે તેવામાં રાજસ્થાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનમાં (Rajasthan) બે જૂથોમાં વહેંચાયેલી કોંગ્રેસમાં હવે નવો વિવાદ સર્જાયો છે. રાજસ્થાનના રમતગમત રાજ્ય મંત્રી અશોક ચંદનાએ (Ashok Chandn) પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટને (Sachin Pilot) ખુલ્લી ધમકી આપી છે.

વાત જાણે એમ છે કે, સોમવાર 12 સપ્ટેમ્બરના રોજ જ્યારે અશોક ચંદના અજમેરમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યા હતા. ત્યારબાદ ઘણા લોકોએ મંત્રી પર જૂતા ફેંક્યા હતા. જે બાદમાં નારાજ અશોક ચંદનાએ મોદી રાત્રે ટ્વિટ કરી નારાજગી વ્યક્ત કરી હતી.

રાજસ્થાનના અજમેરમાં એક કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા અશોક ચંદના ભાષણ આપી રહ્યા હતા. આ દરમ્યાન અચાનક  કેટલાક લોકોએ મંત્રી પર જૂતા ફેંક્યા હતા. જે બાજુથી ચંપલ અને અન્ય વસ્તુઓ સ્ટેજ તરફ ફેંકવામાં આવી હતી. તે બાજુથી સચિન પાયલટ ઝિંદાબાદના નારા લાગ્યા હતા.

જૂતા ફેંકવાથી નારાજ મંત્રી અશોક ચંદનાએ રાત્રે 10:05 વાગ્યે ટ્વિટ કરીને સચિન પાયલટને ધમકી આપી હતી. ચંદનાએ ટ્વીટ કરીને લખ્યું કે ‘જો સચિન પાયલોટ મારા પર જૂતું ફેંકીને મુખ્યમંત્રી બને છે, તો તે જલ્દી કરવું જોઈએ કારણ કે આજે મને લડવાનું મન નથી થતું. જે દિવસે હું લડવા આવીશ ત્યારે માત્ર એક જ બચશે અને મારે આ જોઈતું નથી.’ ચંદનાની આ ધમકીથી પાર્ટીમાં હવે નવો જંગ છેડાઈ ગયો છે.

શું હતો સમગ્ર મામલો ? 

12 સપ્ટેમ્બરના રોજ અજમેરમાં ગુર્જર સમાજના નેતા સ્વર્ગસ્થ કર્નલ કિરોરી સિંહ બૈંસલાના અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા, બીજેપી પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા, વિપક્ષના ઉપનેતા રાજેન્દ્ર રાઠોડ, અજમેરના સાંસદ ભગીરથ ચૌધરી, સીએમ અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત, આરટીડીસીના અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ રાઠોડ વગેરે હાજર હતા.

જેમાં ભાજપ ઓબીસી સેલના પ્રદેશ પ્રમુખ ઓમપ્રકાશ ભડાના, ધારાસભ્ય વાસુદેવ દેવનાની સામેલ થયા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેઓ આવી શક્યા ન હતા. જ્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સ્ટેજ પર ભાષણ આપી રહ્યા હતા ત્યારે ભીડમાં યુવાનોનું એક જૂથ સચિન પાયલટના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યું હતું.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા અને કેબિનેટ મંત્રી શકુંતલા રાવતના ભાષણ દરમિયાન પણ યુવાનોના એક જૂથે વિરોધ કર્યો હતો અને સચિન પાયલટ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. રાજ્યમંત્રી અશોક ચાંદના ભાષણ આપવા આવ્યા ત્યારે યુવાનોના એક જૂથે મંત્રી પર જૂતા, ખાલી બોટલો અને અન્ય વસ્તુઓ ફેંકી દીધી હતી. આનાથી નારાજ થઈને મંત્રીએ ભાષણ અધવચ્ચે જ છોડી દીધું હતું.

આ પણ વાંચો :-

અરવિંદ કેજરીવાલની વધુ એક ગેરેન્ટી, ગુજરાતમાં જેટલા પેપર ફૂટ્યા છે તેના આરોપીઓને જેલભેગા કરીશું

0

Another guarantee of Arvind Kejriwal

  • અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની ગેરેન્ટી આપી, જાણો શું કહ્યું…

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (Chief Minister Arvind Kejriwal) ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે તેમણે ગુજરાતની (Gujarat) જનતા માટે વધુ એક ગેરંટીની જાહેરાત કરશે. કેજરીવાલે આજે નેતાઓ અને કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. સાથે જ AAPમાં જોડાનાર નેતાઓ અને કાર્યકરોને આવકાર્યા હતા. ત્યારે કાર્યક્રમમાં તેમણે ગુજરાતની જનતા માટે વધુ એક ગેરેન્ટી આપી કે, ગુજરાતમાં આપની સરકાર (Your government) બનશે તો ભ્રષ્ટાચાર અને ભયમુક્ત શાસન આપીશું.

કેજરીવાલે સંબોધનમાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિશે કહ્યું કે, ગુજરાતમાં ચારેતરફ ભ્રષ્ટ્રાચાર છે. કોઇ પણ કામ કરાવવું હોય તો રૂપિયા આપવા પડે છે. નીચેથી લઇ ઉપર સુધી ભ્રષ્ટ્રાચાર છે. એમના વિશે કંઇ બોલો તો તેઓ ધમકાવવા પહોંચી જાય છે.

તેથી અમે ગેરંટી આપીએ છીએ કે ગુજરાતમાં આપની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર અને ભયમુક્ત શાસન આપીશું. અમારા મુખ્યમંત્રી, મંત્રી, કે કોઇ અધિકારી ભ્રષ્ટાચાર નહિ કરે. જો કોઇ કરશે તો સીધા જેલ ભેગા થશે. ભાજપે આજ સુધી તેના કોઇ મંત્રીને જેલ મોકલ્યો નથી.

આ ઉપરાંત કેજરીવાલે કહ્યું કે, સરકારના એક-એક પૈસાનો ઉપયોગ અમે પ્રજા માટે કરીશું. ગુજરાતના રૂપિયા સ્વીસ બેંકમાં નહી જાય. સરકારના પ્રજાના રૂપિયાનો ઉપયોગ ઉદ્યોગપતિઓ માટે નહી થાય. એવી વ્યવસ્થા ઉભી કરીશું કે કોઇએ સરકારી ઓફિસ નહી જવું પડે. અધિકારી તમારા ઘરે આવશે અને તમારું કામ થશે. દિલ્હી અને પંજાબમાં જે લાગુ પાડ્યું એ ગુજરાતમાં કરીશું.

ગુજરાતમાં ચાલતા કાળા કામ બંધ કરવામાં આવશે. મંત્રી, ધારાસભ્યો અને અધિકારીઓના કાળા ધંધા બંધ કરીશું. 10 વર્ષમાં જેટલા પેપર ફૂટ્યા છે તમામના માસ્ટર માઇન્ડ અને સરકારમાં બેઠેલા મળતીયાઓને જેલમાં નાંખીશું. વર્તમાન સરકારમાં જેટલા કૌભાંડ થયા તે તમામની તપાસ થશે અને તમામ પાસેથી રૂપિયા રીકવર કરવામાં આવશે.

તો ગઈકાલે સુરક્ષાના કારણોસર દિલ્હીના CM કેજરીવાલને રીક્ષામાં જતા અટકાવાયા હતા. ત્યારે આ મુદ્દે કેજરીવાલે જણાવ્યું કે, આ ચૂંટણી બાદ ગુજરાતમાંથી ભાજપ જઇ રહી છે અને આમ આદમી આવી રહી છે. પોલીસ મને સુરક્ષા નહોતી આપતી.

તેમનો ઇરાદો મને સુરક્ષા આપવાનો ન હતો. પરંતુ મને પ્રજા વચ્ચે જતા અટકાવવાનો હતો. શુ કોઇ મુખ્યમંત્રી રીક્ષામાં ન જઇ શકે? પોલીસ મને રીક્ષામાં સુરક્ષા ન આપી શકે. ઉલ્લેખનીય છે કે, સાંજે સફાઈ કર્મચારી સાથેના ટાઉનહોલ કાર્યક્રમમાં હાજરી આપશે. ટાઉનહોલ કાર્યક્રમ બાદ અરવિંદ કેજરીવાલ દિલ્હી જવા રવાના થશે.

આ પણ વાંચો :-

તું મારી ફિલિંગ્સ સમજ…: અમદાવાદમાં ચેટ કરી ફોસલાવતો શિક્ષક, યુવતીઓ બોલી…

0

You understand my fillings…: A teacher chats

  • સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના સ્પોર્ટ્સ શિક્ષકે ઈન્સ્ટાગ્રામ પર વિદ્યાર્થિનીઓને મેસેજ કરતા સ્ક્રિનશોટ્સ વાયરલ થયા છે. જે બાદ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 

અમદાવાદની (Ahmedabad) સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાંથી (St. Xavier’s Loyola School) શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થિનીઓ સાથે ઈન્સ્ટાગ્રામમાં (Instagram) ગંદી હરકત કરી છે.

સ્પોર્ટ્સના શિક્ષક ડૉ.રવિરાજ ચૌહાણે વિદ્યાર્થિઓની સાથે ગંદી હકત કરી છે. શિક્ષકે ઈન્સ્ટાગ્રામ પર વિદ્યાર્થિનીને ફોસલાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના સ્ક્રિનશોટ્સ વાયરલ થયા છે. જેથી વાલીઓએ શિક્ષક વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

શિક્ષક વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી કરવાની વિદ્યાર્થિનીઓની માંગ :

રીસેસના સમયે વિરોધ કરતી સ્કૂલની વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, ‘સ્પોર્ટ્સના શિક્ષકે સોશિયલ મીડિયા પર મેસેજ કર્યા છે, અને અમને એકલામાં મળવા બોલાવી. અમે ફક્ત અમારી માટે જ નહીં પણ પ્રાઈમરીમાંથી અનેક વિદ્યાર્થિનીઓ આવતા વર્ષે હાઈસ્કૂલમાં આવવાની છે. અમે તેમની સેફ્ટી માટે પણ આ વિરોધ કરી રહ્યા છીએ.’

વિદ્યાર્થિનીએ આક્ષેપ કરતા જણાવ્યું કે, ‘બધાનું કહેવું છે આ સ્કૂલના શિક્ષકે સ્કૂલને ઘણા એવોર્ડ અપાવ્યા છે. જેથી સ્કૂલ ફક્ત તેનો સ્વાર્થ જ જોવે છે, તેને વિદ્યાર્થિનીઓની સેફ્ટીની કંઈ પડી નથી. આ અંગે જ્યારે અમે સ્કૂલના પ્રિન્સિપાલને જણાવ્યું હતું. ત્યારે તેમણે અમને પૂરાવા લવવા કહ્યું હતું અને અમે ઘણા પૂરાવા આપ્યા.

જે બાદ તેમણે શિક્ષકને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી નાખ્યા હતા. આ અગાઉ પણ તેમને ચેતવણી આપવામાં આવી હતી.’ વધુમાં જણાવ્યું કે, ‘સસ્પેન્ડ કરવાથી કોઈ મતલબ નથી કારણ કે તે બીજી સ્કૂલમાં જઈને ત્યાંની વિદ્યાર્થિનીઓ સાથે પણ આવું જ કરશે. અમારી માંગ છે કે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ‘

લંપટ શિક્ષકને સસ્પેન્ડ કર્યા હોવાનો સ્કૂલનો દાવો :

મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના સ્પોર્ટ્સ શિક્ષક રવિરાજ ચૌહાણે ઈન્સ્ટાગ્રામ પર વિદ્યાર્થિનીઓને મેસેજ કર્યા હતા. શિક્ષકે વિદ્યાર્થિનીઓના ફોટા મગાવ્યા હતા. ઉપરાંત વિદ્યાર્થિનીને મળવા માટે એકલા બોલાવી હતી. શિક્ષકના ઈન્સ્ટાગ્રામ પર આવા મેસેજ આવતા વિદ્યાર્થિનીઓ ગભરાઈ ગઈ હતી અને તેઓએ આ વાતની જાણ સ્કૂલના પ્રિન્સિપાલને કરી હતી.

જે બાદ પ્રિન્સિપાલે તપાસની ખાતરી આપી હતી. સ્કૂલના સ્પોર્ટ્સ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમજ તપાસ માટે ઈન્ટરનલ કમિટીની પણ રચના રવામાં આવી છે. આ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ મેનેજમેન્ટ આ મામલે વધુ કાર્યવાહી કરશે.

એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આ લંપટ શિક્ષક અગાઉ પણ ચર્ચામાં રહી ચૂક્યા છે. એ સમયે પણ આ શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, બાદમાં તેઓને ફરજ પર લઈ લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

પતિને હતો ટ્રાન્સજેન્ડર સાથે પ્રેમ, પત્નીને જાણ થતા જ રાજીખુશીથી બંનેના લગ્ન કરાવી દીધા, ઘરમાં રહેવાની પણ આપી મંજૂરી

0

The husband was in love with a transgender

  • ઓરિસ્સામાં એક અનોખા લગ્ન જોવા મળ્યા છે. અહીં એક પરણિત વ્યક્તિએ ટ્રાન્સજેન્ડર સાથે લગ્ન કર્યા અને તેના માટે તેની પત્નીએ જ તેને પરવાનગી આપી. આ ઘટના ઓરિસ્સાના કાલાહાંડીની છે.

ઓરિસ્સામાં (Orissa) એક અનોખા લગ્ન જોવા મળ્યા છે. અહીં એક પરણિત વ્યક્તિએ ટ્રાન્સજેન્ડર (Transgender) સાથે લગ્ન કર્યા અને તેના માટે તેની પત્નીએ જ તેને પરવાનગી આપી. આ ઘટના ઓરિસ્સાના (Orissa) કાલાહાંડીની છે. અહીં પત્નીએ પતિને ટ્રાન્સજેન્ડર (Transgender) સાથે પ્રેમ હોવાની વાતનો ખુલાસો થયા પછી લગ્ન તો કરવાની પરવાનગી આપી સાથે-સાથે, તેને ઘરમાં રહેવાની મંજૂરી આપીને મોટું મન કઈ રીતે રાખી શકાય તેનું પણ ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.

હિન્દુ લગ્નમાં પ્રથમ પત્ની હોય ત્યાં સુધી બીજા લગ્નની લીગલ માન્યતા નથી :

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ, પત્નીની પરવાનગી મળ્યા પછી ટ્રાન્સજેન્ડર સાથે લગ્ન કરનાર 32 વર્ષીય શખ્સ બે વર્ષના પુત્રનો પિતા છે. તે છેલ્લા એક વર્ષથી ટ્રાન્સજેન્ડર સાથે અફેરમાં હતો. જ્યારે પત્નીને આ વાતની ખબર પડી તો તેણે રાજીખુશીથી બંનેને લગ્ન કરીને સાથે રહેવાની પરવાનગી પણ આપી દીધી છે. જોકે હિન્દુ લગ્નમાં પ્રથમ પત્ની હોય ત્યાં સુધી બીજા લગ્નની લીગલ માન્યતા નથી.

સમુદ્ધ લગ્ન જીવન માટે પ્રાર્થના :

નારલાના એક મંદિરમાં ટ્રાન્સ-કમ્યુનિટીના ઘણા સભ્યોની હાજરીમાં આ લગ્ન થયા હતા. સેબકારી કિન્નર મહાસંધના અધ્યક્ષ કામિનીએ બંનેના લગ્નનું આયોજન કરવાનું બીડું ઝડપ્યું હતું. અહીં તે વ્યક્તિની પત્ની પણ હાજર હતી અને તેની નજર સામે જ આ લગ્ન કરવામાં આવ્યા હતા. મહાસંધ કામિનીએ જણાવ્યું કે અમે બધા બંનેના લગ્નથી ખુશ છીએ અને તેમના સમુદ્ધ જીવન માટે પ્રાર્થના કરીએ છીએ.

હિન્દુમાં છૂટાછેડા સિવાયના બીજા લગ્ન ગેરકાયદેસર :

તેમણે એ મુદ્દા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે હિન્દુ લગ્નમાં જ્યાં સુધી પ્રથમ પત્ની પાસેથી કાયદાકીય રીતે ડિવોર્સ લેતો નથી ત્યાં સુધી બીજા લગ્નને લીગલ ગણવામાં આવતા નથી. તેમણે કહ્યું કે આ બંનેની મરજી અને સહમતિ હતી અને તેમાં શખ્સની પત્નીની પણ પરવાનગી હતી.

ટ્રાન્સજેન્ડર સમુદાયે તેમને વિચારવા માટે સમય આપ્યો હતો. અમે પોલીસ સ્ટેશનમાં પણ ગયા અને લેખિતમાં માહિતી આપી હતી. જોકે તેમણે કહ્યું કે આ મામલામાં તેમને કોઈ જ લેવાદેવા નથી. જોકે પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે કહ્યું કે જો કોઈ વ્યક્તિ તરફથી તેમને ફરિયાદ મળશે તો તે કાયદાકીય કાર્યવાહી કરશે.

આ પણ વાંચો :-

‘હું ક્રિકેટ નહીં જોઉં’, કોંગ્રેસના મુસ્લિમ નેતાએ ટીમ ઈન્ડિયાની પસંદગી પર ઉઠાવ્યા સવાલ

‘I will not watch cricket’, Congress Muslim

  • કિશનગંજના બહાદુરગંજથી ધારાસભ્ય રહેલા તૌસીફ આલમે ફેસબુક પર લખ્યુ કે હું ત્યાં સુધી ક્રિકેટ નહીં જોઉં, જ્યાં સુધી ઈન્ડિયન ટીમમાં નિષ્પક્ષ પસંદગી ન થઈ જાય.

ટી20 વિશ્વકપમાં (T20 World Cup) ભારતીય ટીમની પસંદગીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કિશનગંજ જિલ્લાના બહાદુરગંજ વિધાનસભાથી પૂર્વ ધારાસભ્ય તૌસીફ આલમે (Former MLA Tauseef Alame) અલગ એંગલ આપ્યો છે. તેમણે પસંદગીકારો પર નારાજગી વ્યક્ત કરતી ટીમની પસંદગીને લઈને સવાલ ઉઠાવ્યા છે.

તૌસીફ આલમે ફેસબુક પર લખ્યુ છે કે હું ત્યાં સુધી ક્રિકેટ જોઈશ નહીં, જ્યાં સુધી ભારતીય ટીમમાં નિષ્પક્ષ પસંદગી ન થાય. તેમણે લખ્યું કે સોમવારે ટી20 વિશ્વકપ માટે ઈમ ઈન્ડિયાની પસંદગી થઈ. પસંદગીકારોના નિર્ણયથી હું હેરાન છું. તે આગળ લખે છે કે શમી, સિરાજ, ખલીલ જેવા ખેલાડીઓને બેસાડી દેવા આશ્ચર્ય લાગ્યું.

તેમણે ફેસબુક પોસ્ટ પર લખ્યુ કે, ક્રિકેટની દુનિયામાં હું ત્યાં સુધી ક્રિકેટ જોઈશ નહીં, જ્યાં સુધી ઈન્ડિયન ટીમમાં નિષ્પક્ષ સિલેક્શન ન થઈ જાય. આજે ટી20 વિશ્વકપના પસંદગીકારોથી હેરાન છું. મોહમ્મદ શમી, સિરાજ, ખલીલ જેવા ખેલાડીઓને બેસાડી દેવા આશ્ચર્ય લાગ્યું. આ ફેસબુક પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

પોસ્ટની કોમેન્ટમાં ઘણા લોકો નેતાનું સમર્થન કરી રહ્યાં છે. આ પહેલા તેમણે સ્વર કોકિલા ભારતરત્ન સ્વર્ગીય લતા મંગેશકરના નિધન બાદ શ્રદ્ધાંજલિ આપતી એક પોસ્ટ કરી હતી અને લખ્યું હતું- લતા મંગેશકર મુસ્લિમ બની ગયા હતા. આ પોસ્ટ પર પણ ખુબ વિવાદ થયો હતો.

Tauseef Alam

તેમણે એક વેબસાઇટ સાથે વાત કરતા કહ્યુ કે, ખોટી પસંદગી થઈ છે. શમી, સિરાજ અને ખલીલની સાથે ઘણા ખેલાડીઓ ટીમ ઈન્ડિયા હોવા જોઈતા હતા. આપણે લોકોને એશિયા કપમાં જે હાર મળી, તેમાંથી શીખવાનું હતું. કારણ કે ટી20 વિશ્વકપ છે અને ભારતની લડાઈ દુનિયા સામે છે. જો ભારતીય ટીમ હારે તો આપણે પણ હારીએ છીએ. અમને લાગ્યું કે ખોટું સિલેક્શન થયું, તેના પર વિચાર થવો જોઈએ.

ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ :

ઉલ્લેખનીય છે કે 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા આઈસીસી ટી20 વિશ્વકપ માટે ભારતે ટીમ જાહેર કરી દીધી છે. ટી20 વિશ્વકપ માટે ટીમ આ પ્રકારે છે. રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ અને અર્શદીપ સિંહ. રિઝર્વ ખેલાડીઓ- મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ, દીપક ચહર.

સિકંદરાબાદમાં ઈલેક્ટ્રિક બાઈક ચાર્જ કરતી વખતે શોરૂમમાં આગ લાગતાં 6ના મોત

0

6 killed in fire in showroom

  • તેલંગાણાની રાજધાની હૈદરાબાદની નજીક આવેલા સિકંદરબાદમાં ઈલેક્ટ્રિક બાઈકના શોરૂમમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ આગને કાબુમાં લઈ લીધી છે. 

તેલંગાણાની (Telangana) રાજધાની હૈદરાબાદની (Hyderabad) નજીક આવેલા સિકંદરબાદમાં ઈલેક્ટ્રિક બાઈકના શોરૂમમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની (Fire Brigade) બે ગાડીઓએ આગને કાબુમાં લઈ લીધી છે. મોડી રાતે થયેલી આ ઘટનામાં 6 લોકોના મૃત્યુ થયા છે. બાકીના લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

હૈદરાબાદના નોર્થ ઝોનની ઉપર ડીએસપીએ જણાવ્યું કે શોર્ટ સર્કિટના કારણે સિકંદરાબાદમાં પાસપોર્ટ ઓફિસની પાસે ઈલેક્ટ્રિક બાઈકના શોરૂમમાં આગ લાગી છે. શોરૂમની ઉપર લોજ છે, જેમાં ઘણા લોકો ફંસાયા હતા. અપર ડીએસપીના જણાવ્યા મુજબ, હાલ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

તામિલનાડુમાં પણ બની હતી આવી ઘટના :

આ પહેલા એપ્રિલ મહીનામાં પણ તમિલનાડુમાં આવી જ એક ઘટના બની હતી. અહીં પોરુર-કુંદરા સ્થિત શોરૂમમાં એક કસ્ટમરે તેની ઈ-બાઈકની બેટરીને ચાર્જિંગ માટે મુકી હતી. એટલામાં જ થોડીવાર જ આગ લાગી ગઈ હતી. ધીરે-ધીરે આખા શોરૂમમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં 5 નવા ઈલેક્ટ્રિક સ્કુટર અને સર્વિસિંગ માટે આવેલા 12 જૂના ઈલેકટ્રિક સ્કુટર સળગી ગયા હતા.

બળીને રાખ થઈ ગયો હતો આખો શોરૂમ :

આગ લાગ્યા પછી શોરૂમમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેને જોઈને લોકો ગભરાઈ ગયા હતા. આ ઘટના પછી વિસ્તારમાં લોકો મોટા પ્રમાણમાં ટોળે વળ્યા હતા. તેના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો. બાદમાં પોલીસની મદદથી ભીડને હટાવવામાં આવી હતી.

જોકે તમિલનાડુની આ ઘટનામાં કોઈ માણસને નુકસાન થયું નહોતું. સ્થાનિક લોકોની મદદથી આગ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું હતું. જોકે તે પહેલા જ શોરૂમ સળગીને રાખ થઈ ગયો હતો.

આ પણ વાંચો :-

આતુરતાનો અંત આવ્યો ! મળી ગયા નવા મહેતા સાહેબ, આ એક્ટર બનશે હવે જેઠાલાલના ફાયરબ્રિગેડ

End of eagerness! New Mehta sahib has

  • છેલ્લા ઘણા સમયથી દર્શકો નવા તારક મહેતાની રાહ જોઈ રહ્યા હતા. હવે દર્શકોની આતુરતાનો અંત આવ્યો છે અને શો ને નવા તારક મહેતા મળી ગયા છે.

ટીવી સિરિયલોમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતો શો એટલે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન (Entertainment) કરી રહ્યું છે. આ શોમાં જોવા મળતા તમામ કલાકારો ખૂબ જ ખાસ છે. આ શોના કારણે તેની સ્ટારકાસ્ટે ઘર ઘરમાં અલગ ઓળખ મેળવી છે.

થોડા દિવસ પહેલા જ શોમાં તારક મેહતાનું પાત્ર નિભાવનારા શૈલેશ લોઢા એ શો છોડી દીધો હતો. છેલ્લા ઘણા સમયથી દર્શકો નવા તારક મહેતાની રાહ જોઈ રહ્યા હતા. હવે દર્શકોની આતુરતાનો અંત આવ્યો છે અને શો ને નવા તારક મહેતા મળી ગયા છે.

આ એક્ટર બનશે જેઠાલાલના ફાયરબ્રિગેડ :

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ચાહકો લાંબા સમયથી તારક મહેતાની રાહ જોઈ રહ્યા હતા કારણ કે શોના મુખ્ય કલાકાર શૈલેષ લોઢાએ શોનું શૂટિંગ બંધ કરી દીધું હતું. એ પછી ચાહકોને આશા હતી કે મેકર્સ શૈલેષ લોઢા શોમાં પાછા લાવશે પણ હવે શૈલેષ લોઢાના કમબેકના સમાચાર પર પૂર્ણવિરામ લાગી ગયું છે.

Sachin Shroff on his role in 'Ghum Hai Kisikey Pyaar Meiin' - Times of India

મળતી જાણકારી અનુસાર ટીવી એક્ટર સચિન શ્રોફ હવે તારક મહેતા શોમાં શૈલેષ લોઢાની જગ્યાએ દેખાશે. જણાવી દઈએ કે સચિને તારક મહેતાના શોનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. ખાસ વાત એ છે કે આ કોઈ અફવા નથી, શોમાં સચિન શ્રોફની એન્ટ્રીની પુષ્ટિ નિર્માતા અસિત મોદીએ કરી છે.

નવા તારક મહેતા માટે શું બોલ્યા અસિત મોદી ? 

અસિત મોદીએ આ વિશે જણાવતા કહ્યું હતું કે, ‘અમે શોમાં સચિન શ્રોફને કાસ્ટ કર્યો છે. શૈલેષ લોઢાની જગ્યાએ સચિન હવે તારક મહેતાની ભૂમિકા નિભાવશે અને સચિને શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. શૈલેષ સાથે અમે ઘણી કોશિશ કરી કે કોઈ વચ્ચેનો રસ્તો નીકળી આવે પણ તેને શો છોડી દીધો. હવે આ બધી વાતોમાં દર્શકોને રોકીને ન રાખી શકાય. મારે તેના માટે શોમાં કોઈને લાવવું જ પડે.’

આગળ એમને કહ્યું હતું કે, ‘ ભગવાનને પ્રાર્થના છે કે સચિનને​દર્શકો તરફથી એવો જ પ્રેમ મળે જેટલો શોને છેલ્લા 15 વર્ષમાં મળ્યો છે. શોમાં આવા ઉતાર-ચઢાવ આવતા જ રહેશે પણ અંતમાં મારા દર્શકો મારી પ્રાથમિકતા છે. હું તેમને નિરાશ કરવા માંગતો નથી. અમારી પાસે સારા લેખકો અને દિગ્દર્શનની ટીમ છે અને હવે સચિન તારક મહેતાનો રોલમાં દેખાશે.’

આ પણ વાંચો :-

નવી ચણિયાચોળી ખરીદવાના હોય તો આ વાંચી લેજો, કારણ કે નવરાત્રિના નોરતા બગાડશે ચોમાસું

0

Read this if you want to buy a new

  • ગુજરાતમાંથી ચોમાસું હજી ગયુ નથી, તેમજ આ વર્ષે વરસાદ મન મૂકીને વરસ્યો છે. આવામાં આ વર્ષે વરસાદ નવરાત્રિના રંગમાં ભંગ પાડી શકે છે.

હાલ ભાદરવામાં (Bhadrawa) વરસાદ મહેમાન બનીને ત્રાટકી પડ્યો છે. ગુજરાતના દરેક જિલ્લામાં હાલ વરસાદની આગાહી છે. તો અમદાવાદ (Ahmedabad) સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે ભાદરવો ભલે ભરપૂર વરસે પણ નવરાત્રિમાં (Navratri) વરસાદ ન આવે તેવું દરેક ગુજરાતી ઈચ્છે છે.

પરંતુ આ વર્ષે પણ ખેલૈયાઓના મનની મુરાદ પૂરી નહિ થાય. કારણ કે, નવરાત્રિમાં વરસાદની આગાહી કરવામા આવી છે. ભારે વરસાદને કારણે આ વર્ષે પણ નવરાત્રિમાં ઘરે જ બેસવુ પડશે.

બે વર્ષના કોરોનાકાળ બાદ માંડ આ વર્ષે ખેલૈયાઓને નવરાત્રિ સારી જશે તેવી આશા છે. બે વર્ષ કોરોનાએ લોકોને નવરાત્રિમાં પણ ઘરમાં પૂરી રાખ્યા ત્યારે હવે આ વર્ષે માંડ નવરાત્રિ માણવાનો અવસર આવ્યો છે. પરંતું આવામાં વરસાદ કાળ બનીને ત્રાટકી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આ વર્ષે ચોમાસું નવરાત્રિ બગાડશે. આ નવરાત્રિએ વરસાદ વિધ્ન બની શકે છે.

ગુજરાતમાંથી ચોમાસું હજી ગયું નથી, તેમજ આ વર્ષે વરસાદ મન મૂકીને વરસ્યો છે. આવામાં આ વર્ષે વરસાદ નવરાત્રિના રંગમાં ભંગ પાડી શકે છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં નવરાત્રિ બેસવાની છે. પરંતુ આ વર્ષે ચોમાસું મોડુ બેસ્યું છે, તેથી ચોમાસું વધુ 15 દિવસ આગળ ખેંચાઈ શકે છે. આવામા નવરાત્રિના નોરતાઓમાં વરસાદ આવી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી :

ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં સપ્ટેમ્બરની શરુઆત અને મધ્યમાં વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન 12 અને 13 તારીખે તથા 17થી 22 દરમિયાન પણ વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં હર્ષો ઉલ્લાસ સાથે નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરુ થઈ રહી છે જો આ સમય દરમિયાન વરસાદ થયો તો ખેલૈયાના રંગમાં ભંગ પડી શકે છે.

આ પણ વાંચો :-