Home Blog Page 1317

22 સપ્ટેમ્બરે ST બસથી મુસાફરી કરવાના હોવ તો પહેલા જાણી લેજો આ સમાચાર, નિગમે લીધો છે મોટો નિર્ણય

0

If you want to travel by ST bus on September

  • ચૂંટણી પૂર્વે ગુજરાતમાં વધુ એક આંદોલનના ભણકારા વાગી રહ્યાં છે. એટલે કે આરોગ્યકર્મીઓ, ખેડૂતો અને પૂર્વ સૈનિકો બાદ હવે ST નિગમના કર્મચારીઓ આંદોલનના મૂડમાં.

ગુજરાતમાં આરોગ્યકર્મીઓ (Health workers), ખેડૂતો અને પૂર્વ સૈનિકોના આંદોલનના કારણે હાલ સમગ્ર રાજ્યનું વાતાવરણ ડહોળાયું છે. હાલમાં ગાંધીનગર (Gandhinagar) ખાતે વિધાનસભા ગેટ નંબર 1 નજીક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ત્યારે હવે રાજ્ય સરકાર (State Govt) સામે વઘુ એક આંદોલનના ભણકારા વાગી રહ્યાં છે.

રાજ્યની તમામ ST બસોના પૈડા 22 સપ્ટેમ્બરની મધરાતથી થંભી શકે :

રાજ્ય સરકાર સામે વધુ એક આંદોલનની તૈયારી શરૂ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ રાજ્યના ST નિગમને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એટલે કે ટૂંક સમયમાં ST નિગમના કર્મચારીઓ પણ રાજ્ય સરકાર વિરૂદ્ધ આંદોલન કરી શકે છે. આથી ST નિગમના કર્મચારીઓ જો આંદોલનના માર્ગ પર ઉતરશે તો રાજ્યની તમામ ST બસોના પૈડા 22 સપ્ટેમ્બરની મધરાતથી થંભી જશે.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

ST નિગમના ત્રણેય યુનિયનની બેઠકમાં આ પ્રકારે નિર્ણય લેવાયો :

ખેડૂતો, આરોગ્યકર્મીઓ અને પૂર્વ સૈનિકો બાદ હવે રાજ્યના ST નિગમના હજારો કર્મચારીઓ આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યાં છે. આ મુદ્દે ST નિગમના ત્રણેય યુનિયનની બેઠક પણ મળી ચૂકી છે. ત્રણેય યુનિયનની બેઠકમાં આ પ્રકારે નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં મોંઘવારી ભથ્થા સહિતના 20 મુદાને લઈને રજૂઆત કરાઈ હતી.

તમને જણાવી દઇએ કે મળતી માહિતી મુજબ ST નિગમના કર્મચારીઓ 22 સપ્ટેમ્બરની મધરાતથી જ માસ સીએલ પર ઉતરી જશે. જ્યાં સુધી પડતર પ્રશ્નોનો કોઇ નિકાલ નહીં થાય ત્યાં સુધી કર્મચારીઓ માસ સીએલ પર રહેશે એવું જાણવા મળી રહ્યું છે.

જાણો શું છે ST નિગમના કર્મચારીઓની માંગ ?

1. રાજ્યના તમામ કર્મચારીઓ ની જેમ ST ના કર્મચારીઓને 34 ટકા DA આપવાની માંગ
2. વર્ગ 4ના કર્મચારીઓને છેલ્લા 2 વર્ષથી નથી મળ્યું બોનસ તે તાત્કાલિક આપવા માંગ
3. ડ્રાઇવર અને કાંડક્ટરને 1900 ગ્રેડ પે આપવા માંગ
4. ફિક્સ પે ના કર્મચારીઓને 16,500 ની બદલે બીજા 19950 આપવા માંગ
5. છેલ્લા 25 વર્ષમાં ભાડા ભથ્થામાં નથી થયો વધારો, તાત્કાલિક વધારો કરવા માંગ
6. 2011 પહેલા ચાલુ નોકરીએ મરણ પામેલ કર્મચારીના વારસદારોને નોકરીની માંગ
7. રજાના પગારનું રોકડમાં ચુકવણી
8. નિવૃત કર્મચારીઓને રજા ના પગાર નું ચુકવણું કરવું
9. નિગમના મહિલા કર્મચારીઓને રેસ્ટ રૂમની અલગ વ્યવસ્થા કરવા માંગ
10. કામદાર વિરોધી 20/77 નો પરિપત્ર રદ્દ કરવા માંગ

આ પણ વાંચો :-

પિતા પુત્ર આમને સામને : જુનાગઢ ભાજપમાં પાયાનો પથ્થર ગણાતા જેઠાભાઈ પાનેરાના પુત્ર આપમાં જોડાયા

0

Father and son face each other: Son of Jethabhai Panera

  • પિતા ભાજપમાં અને પુત્રએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો, માણાવદરમાં વર્ષોથી ભાજપના પાયાના પથ્થર ગણાતા વ્યક્તિ ભાજપ અગ્રણી જેઠાભાઈ પાનેરાના પુત્ર સમીર પાનેરા આમ આદમી પાર્ટીમાં જોડાયા.

વિધાનસભા 2022 (Assembly 2022) ની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) જોરશોરથી પ્રચારમાં લાગી ગઈ છે. અનેક નેતાઓ અને લોકો આપમાં જોડાઈ રહ્યાં છે. પાર્ટી દ્વારા શહેર નગર અને ગામડે ગામડે જઈ દિલ્હીમાં (Delhi) કરેલા કામોનું સરવૈયું કરવામાં આવી રહ્યું છે. આવામાં જુનાગઢ (Junagadh) ભાજપને મોટો ફટકો પડ્યો છે.

જુનાગઢ ભાજપમાં પાયાનો પથ્થર ગણાતા અગ્રણી નેતા જેઠાભાઈ પાનેરાનો પુત્ર સમીર પાનેરા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ત્યારે પિતા વર્સિસ પુત્રનું રાજકારણ જૂનાગઢમાં હવે જોવા મળશે.

જૂનાગઢમાં માણાવદર તાલુકાના જે.એમ પાનેરા કોલેજના ટ્રસ્ટી અને વર્ષોથી ભાજપના પાયાના પથ્થર અને રાજકારણમાં અગ્રણી ગણાતા આહીર સમાજના જેઠાભાઈ પાનેરાના નાના દીકરા સમીર પાનેરા આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકારણમાં તર્ક વિતર્કો સર્જાયા છે. પિતા ભાજપમાં હોવા છતાં પુત્ર સમીર પાનેરાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.

થોડા સમય પહેલા જ માણાવદર ખાતે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ જેઠાભાઈ પાનેરાની કોલેજ ખાતે વાર્ષિક મહોત્સવમાં હાજરી આપી હતી. આ બાદ અચાનક સમીર પામેરા આપમાં જોડાયા સમાચાર મળતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

બીજી તરફ સમીર પાનેરા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, સમાજના સેવાકીય કાર્યો કરવાની પદ્ધતિને લઈ આમ આદમી પાર્ટીથી આકર્ષાઈને હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું. મારા પિતા ભાજપમાં વર્ષોથી છે. અમે લોકો સાથે ડિનર કરવા બેસીએ છીએ. પરંતુ એકબીજાના વિચારો અલગ હોય.

હું સમાજ સેવાના ભાવથી આમ આદમી પાર્ટીમાં જોડાયો છું અને આવનાર સમયમાં પણ આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે રહી લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવશે અને લોકોને સુખ સુવિધાઓ પૂરી પાડવા હંમેશા આગળ રહેશે.

આણ માણાવદરમાં વર્ષોથી ભાજપના પાયાના પથ્થર ગણાતા વ્યક્તિ ભાજપ અગ્રણી જેઠાભાઈ પાનેરાના પુત્ર સમીર પાનેરા આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય ગણગણાટ શરૂ થયો છે. સમીર પાનેરાએ પોતાના facebook આઇડીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો :-

ગેનીબેન ઠાકોરની પોલીસને ખુલ્લી ચેતવણી : ધરણાં પર બેસેલી આંગણવાડી બહેનોને આંગળી અડાડી તો…

0

Ganiben Thakor’s open warning to the police

  • આંગણવાડી બહેનોના વિરોધ કાર્યક્રમમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની પોલીસને ચેતવણી, ગેનીબેને કહ્યું બહેનોને આંગળી અડાડશો તો આંગળી કાપી નાખીશું, હક માગતા લોકો સામે અત્યાચાર કરવાની પોલીસની ડ્યુટી નથી.

આંગણવાડી બહેનોના (Anganwadi sisters) વિરોધ કાર્યક્રમમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની પોલીસને ખુલ્લી ચેતવણી આપી છે. ગેનીબેને કહ્યું કે, બહેનોને આંગળી અડાડશો તો આંગળી કાપી નાંખીશું, હક માગતા લોકો સામે અત્યાચાર કરવાની પોલીસની ડ્યુટી નથી.

તમે કાયદો અને વ્યવસ્થા (Law and order) જાળવવા બંધાયેલા છો. ન્યાય માટે હક માગતા લોકો સામે અત્યાચાર કરવાની ડ્યુટી નથી. વાવના ધારાસભ્ય ગેનીબેનનું (Legislator Ganiben) આ નિવેદન પોલીસને પડકાર ફેંકતું નિવેદન છે.

થરાદમાં આંદોલન કરી રહેલી આંગણવાડી અને તેડાગર બહેનોને ફરજ પર હાજર થવા ICDSએ નોટિસ આપી હતી. જેના પછી થરાદ આંગણવાડી બહેનોના ધરણા કાર્યક્રમમાં વાવ તાલુકાની બહેનો પણ જોડાતા સંખ્યાબળ વધ્યું છે. જેના કારણે વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર પણ આંગણવાડી બહેનોના સમર્થનમાં આવ્યા છે. થરાદમાં આંગણવાડી બહેનોના ધરણા કાર્યક્રમમાં પહોંચેલા વાવ ધારાસભ્યની પોલીસને ચેલેન્જ કરતું નિવેદન આપ્યું છે.

ધારાસભ્ય ગેનીબેને પોલીસ તરફ ઈશારો કરતા કહ્યું કે, જો આ બહેનોને આંગળી અડાડી છે તો આંગળી કાપી નાંખીશું. તમે કાયદો અને વ્યવસ્થા જાળવવા બંધાયેલા છો. ન્યાય માટે હક માંગતા અત્યાચાર કરવાની તમારી ડ્યુટી નથી. છતાં પણ કોઈ પોલીસ વહીવટી તંત્રના કહેવાથી તમને હેરાન કરતી હોય તો અમે તમારી સાથે છીએ.

થરાદમાં આંદોલનકરી આંગણવાડી અને તેડાગર બહેનોને ફરજ પર હાજર થવા આઇસીડીએસએ પાઠવેલી નોટિસોની પણ અવગણના કરવામા આવી છે. તંત્રની નોટિસો બાદ થરાદ આંગણવાડી બહેનોના ધરણા કાર્યક્રમમાં વાવ તાલુકાની બહેનો પણ જોડાઈ છે. જેથી વિરોધ પ્રદર્શનમાં સંખ્યાબળ વધ્યું છે.

રાજેન્દ્ર ત્રિવેદી બાસ્કેટબોલ રમ્યા પણ ગોલ ન કરી શક્યા, જુઓ વિડીયો | Gujarat Guardian

તો બીજી તરફ, ગાંધીનગરમાં ચાલતા આંદોલનને લઈ સરકાર એકશનમાં આવી છે. આરોગ્ય કર્મચારીઓ સાથે આજે સરકારના મંત્રીઓ બંધબારણે બેઠક કરશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 41 દિવસથી ગુજરાતના આરોગ્ય કર્મીઓ હડતાળ પર છે, જેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.

ત્યારે ગાંધીનગરમાં વધી રહેલા વિરોધ પ્રદર્શનોને જોતા સરકાર હવે આંદોલનો સમેટવાના મૂડમાં છે, કારણ હવે ચૂંટણી આવી રહી છે. આ આંદોલનોની સીધી અસર ચૂંટણી પર થશે. આ માટે સરકારે કમિટીના સભ્યોને બેઠક માટે બોલાવ્યા છે. જોકે, આરોગ્ય કર્મચારીઓ સાથે મંત્રીઓની આ વધુ એક બેઠક છે. આ અગાઉ પણ અનેક વખત બેઠકો યોજી ચુક્યા છે, પરંતુ આરોગ્ય કર્મચારીઓની સમસ્યાઓનો કોઈ ઉકેલ આવતો નથી.

આ પણ વાંચો :-

iPhone બનાવવામાં હવે TATA નો પણ હશે મોટો રોલ ? ડીલ માટે ચાલી રહી છે ચર્ચા

TATA will also have a big role in making

  • ભારતમાં iPhone મેન્યુફેક્ચરિંગ માટે ટાટા ગ્રુપ અને તાઈવાનની Wistron Corp વચ્ચે વાતચીત ચાલી રહી છે.

ભારતમાં iPhone મેન્યુફેક્ચરિંગ માટે ટાટા ગ્રુપ અને તાઈવાનની Wistron Corp વચ્ચે વાતચીત ચાલી રહી છે. બંને કંપનીઓ મળીને જોઇન્ટ વેન્ચર સ્થાપિત કરી શકે છે, જ્યાં Apple iPhone એસેમ્બલ કરવામાં આવશે. આ જાણકારી બ્લૂબર્ગે (Blauber) શુક્રવારે આપી છે.

શું છે પ્લાન ?

મામલા સાથે જોડાયેલ એક વ્યક્તિએ જણાવ્યું કે આ વેન્ચર ટાટા ગ્રુપની ટેકનોલોજી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમા નવી કોશિશ હશે. ભારતમા Apple iPhoneની એસેમ્બલિંગ વર્ષ 2017મા શરૂ થઈ હતી. ભારતમા Foxconn અને Wistron બંને આઇફોન એસેમ્બલ કરે છે.

રાજેન્દ્ર ત્રિવેદી બાસ્કેટબોલ રમ્યા પણ ગોલ ન કરી શક્યા, જુઓ વિડીયો | Gujarat Guardian

એપલ ચીન અને તાઇવાન બહાર હવે ભારતમા એસેમ્બલી યૂનિટ્સ તૈયાર કરી રહ્યું છે. જો કે ટાટા અને Wistron વચ્ચે ચાલી રહેલી વાતચીતમાં એપલ સામેલ છે કે નહીં એ જાણકારી મળી નથી.

હાલમાં જ iPhone 14 લોન્ચ થયો :

આ પ્લાનને પૂરો કરવા માટે બે રસ્તા છે. ટાટા ગ્રુપ Wistronનાં ઈન્ડિયા ઓપરેશનમાં ઇક્વિટી ખરીદી શકે છે અથવા બંને કંપનીઓ મળીને એક નવો એસેમ્બલી પ્લાન્ટ શરૂ કરી શકે છે. ડીલ સાથે જોડાયેલ બધી જ ડિટેલ્સ હજુ ફાઇનલ નથી થઈ. આ મામલામાં એપલ, ટાટા ગ્રુપ અને Wistron કોઈએ ટિપ્પણી કરી નથી.

આ પણ વાંચો :-

તમે તમારી ગાડી ભાડે આપી હોય તો ખાસ જોજો, સામે આવ્યું રાજ્ય વ્યાપી છેતરપીંડીનું કૌભાંડ

Watch out if you’ve rented your car

  • અમદાવાદના ગોતા વિસ્તારમાંથી પણ આરોપીઓએ ગાડી હર્ષદ પરમાર અને પાર્થ શાહને ભાડ લીધી હતી. પરંતુ આરોપીઓએ આ ગાડી અન્ય વ્યક્તિને ગીરવે આપી અને ઉંચી કિંમત મેળવી હતી.

અમદાવાદમાં (Ahmedabad) ફોરવ્હીલ ગાડી ભાડે રાખીને તેને ગીરવે મૂકવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) રૂપિયા 1.54 કરોડના કૌભાંડ કેસમાં બે આરોપીની ધરપકડ કરી છે.

ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરેલ બન્ને આરોપીઓના નામ હર્ષદ પરમાર અને પાર્થ ઉર્ફે જય શાહ છે. જેમની પર 1.54 કરોડનું કૌભાંડ આચરવાનો આરોપ છે. આ રાજ્ય વ્યાપી કૌભાંડમાં આરોપીઓએ ફોરવ્હીલ ગાડીઓ ભાડે લઈ બારોબાર અન્ય વ્યક્તિઓને મોટી રકમ મેળવી ગીરવે મૂકી દીધી.

અમદાવાદના ગોતા વિસ્તારમાંથી પણ આરોપીઓએ ગાડી હર્ષદ પરમાર અને પાર્થ શાહને ભાડ લીધી હતી. પરંતુ આરોપીઓએ આ ગાડી અન્ય વ્યક્તિને ગીરવે આપી અને ઉંચી કિંમત મેળવી હતી. જેની જાણ ફરિયાદી વિપુલભાઈને થતા તેમણે ક્રાઈમ બ્રાન્ચને જાણ કરી હતી. તપાસ કરતા ફોરવહીલ ગાડીનું કૌભાંડ સામે આવતા પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી લીધી છે.

રાજેન્દ્ર ત્રિવેદી બાસ્કેટબોલ રમ્યા પણ ગોલ ન કરી શક્યા, જુઓ વિડીયો | Gujarat Guardian

પકડાયેલા આરોપીઓ છેલ્લા એક વર્ષથી ગાડીઓ ભાડે લઈને ગીરવે આપીને ઠગાઈ કરતા હતા. બંને આરોપીઓને ટૂંક સમયમાં વધુ પૈસા કમાવાની લાલચ હતી. જેથી તેમને છેતરપીંડીનો ધંધો શરૂ કર્યો. આ આરોપીઓ સૌ પ્રથમ ગાડીઓના માલિકનો સંપર્ક કરતા હતા. તેમની સાથે પરિચય કેળવીને વિશ્વાસમાં લઈને તેઓને ટાર્ગેટ કરતા હતા. જેમાં ગાડી માલિકોને ઊંચું ભાડું ચૂકવવાની લાલચ આપીને ગાડીના માલિકને વિશ્વાસમાં લેતા હતા.

No description available.

થોડા સમય માટે તેઓ નિયમિત ભાડું ચૂકવતા હતા અને ત્યારબાદ ગાડી બારોબાર અન્ય વ્યક્તિને ગિરવે આપીને ઊંચી કિંમત મેળવી લઈ ફરાર થઈ જતા હતા. આ પ્રકારે અસંખ્ય ગાડીઓના માલિકને ટાર્ગેટ કરીને રૂપિયા 1.54 કરોડનું કૌભાંડ આચર્યું હતું.

ગાડીઓને ગીરવે આપવાના કૌભાંડ મામલે ક્રાઈમ બ્રાન્ચ બંને આરોપી હર્ષદ પરમાર અને પાર્થ શાહની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીઓ સાથે અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તે મુદ્દે પણ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં AAP મોટો દાવ રમવાની તૈયારીમાં, આ લોકપ્રિય નેતાને આપશે મોટી જવાબદારી

0

As AAP prepares to make a big bet in Gujarat

  • ગુજરાતના લોકો આવા ભરોસાપાત્ર ચહેરા પર વિશ્વાસ જીતવા માંગે છે, જે ખુદ સક્ષમ હોય. તેમજ બાકીની પાર્ટીના રિમોટ કન્ટ્રોલ્ડ નેતાઓની જેમ ઈશારા પર ચાલનારો ન હોય. તેથી આમ આદમી પાર્ટી એવા નેતાને લાવી રહી છે જે યુવાઓમા લોકપ્રિય છે.

આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ગુજરાતના પંજાબની તર્જ પર ચૂંટણી જીતવા માંગે છે. તે માટે હવે તે ગુજરાતમાં મોટો દાવ ખેલવા જઈ રહી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીના મોટા ગજાના નેતાની ગુજરાતમા નિમણૂંક થવા જઈ રહી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત જે નેતાને કારણે થઈ અને પંજાબમાં સહપ્રભારી રહેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને (Rajya Sabha MP Raghav Chadha) ગુજરાતમાં મોટી જવાબદારી મળવા જઈ રહી છે.

યુવા નેતા રાઘવ ચઢ્ઢા યુવાઓની વચ્ચે ભારે લોકપ્રિય છે. આ પહેલા તેઓ દિલ્હી અને પંજાબમાં મહત્વની જવાબદારી નિભાવી ચૂક્યા છે. ત્યારે હવે આપ તેમને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપવા જઈ રહ્યું છે.

ગુજરાતમાં AAP રમશે મોટો દાવ :

ઉલ્લેખનીય છે કે, રાઘવ ચઢ્ઢા કુશળ રાજકીય નેતા અને ચૂંટણી મેનેજમેન્ટમાં એક્સપર્ટ ગણાય છે. રાઘવ ચઢ્ઢાની એન્ટ્રી બાદ ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારો અને યુવાઓની વચ્ચે આમ આદમી પાર્ટી જોરશોરથી ઉતરવાની તૈયારી કરી રહી છે.

Gujarat Elections 2022: गुजरात में AAP खेलने जा रही बड़ा दांव, राघव चड्ढा को मिल सकती है अहम जिम्मेदारी

સૂત્રોનું કહેવુ છે કે, ગુજરાતને આમ આદમી પાર્ટીને સારો ફીડબેક મળી રહ્યો છે. ગુજરાતના લોકો આવા ભરોસાપાત્ર ચહેરા પર વિશ્વાસ જીતવા માંગે છે જે ખુદ સક્ષમ હોય. તેમજ બાકીની પાર્ટીના રિમોટ કન્ટ્રોલ્ડ નેતાઓની જેમ ઈશારા પર ચાલનારો ન હોય.

ગુજરાતમાં સક્રિય છે રાઘવ ચઢ્ઢા :

રાઘવ ચઢ્ઢા સતત ગુજરાતમા એક્ટિવ છે અને ટ્વિટર પર તેઓ સક્રિય રહે છે. આ વચ્ચે તેઓ ગુજરાતની મુલાકાત પણ કરતા રહે છે અને ઈલેક્શને લઈને ગુજરાતના નેતાઓ સાથે બેઠકો પણ યોજે છે.

રાજેન્દ્ર ત્રિવેદી બાસ્કેટબોલ રમ્યા પણ ગોલ ન કરી શક્યા, જુઓ વિડીયો | Gujarat Guardian

તેઓ પંદર દિવસ પહેલા પણ ગુજરાત આવ્યા હતા અને બીજેપીને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીની લડાઈ ભાજપ પાર્ટીના નકલી ગુજરાત મોડલ અને કેજરીવાલના અસલી શાસનની વચ્ચે હશે.

ગુજરાત ભાજપ પર વાર :

આ પહેલા ગુજરાત આપના મહાસચિવ મનોજ સોરઠિયા પર સુરતમાં અંદાજે 10 લોકોના ગ્રૂપે હુમલો કર્યો હતો. ત્યારે રાઘવ ચઢ્ઢાએ બીજેપીને આડે હાથ લીધા હતા. તેઓ સતત ગુજરાતની રાજકીય સ્થિતિ પર નજર બનાવી રહ્યાં છે અને ગુજરાતને લઈને ટ્વીટ પણ કરી રહ્યાં છે.

આ પણ વાંચો :-

ઝટકો ! આવતા મહિને આવા ફોનમાં બંધ થઈ જશે WhatsApp, જુઓ આખું લિસ્ટ

Shake! Next month, WhatsApp will

  • વોટ્સએપ યુઝર્સને ઝટકો લાગ્યો છે. કંપની ટૂંક સમયમાં ઘણી ડિવાઈસ પરથી પોતાનો સપોર્ટ હટાવવાની છે. 

વોટ્સએપ (WhatsApp) સમય પ્રમાણે જૂની ડિવાઈસ માટે તેને બંધ કરતુ રહે છે. હવે એક વખત ફરીથી વોટ્સએપનો સપોર્ટ જૂની ડિવાઈસ માટે ખત્મ કરી શકાય છે. એટલે કે જૂની ડિવાઈસ (Old device) પર વોટ્સએપનો ઉપયોગ કરી શકાય નહીં. વોટ્સએપ (WhatsApp) ઘણા જૂના આઈફોન પર કામ નહીં કરે.

આ iOS 10 અને iOS 11 વર્ઝન પર કામ કરનારા આઈફોન પર 24 ઓક્ટોબર 2022થી કામ કરશે નહીં. એટલેકે એવા આઈફોન જે iOS 12 અથવા તેનાથી ઉપરના વર્ઝનને સપોર્ટ કરતા નથી તો તેની પર વોટ્સએપ કામ નહીં કરે.

આઈફોનને લેટેસ્ટ ઓપરેટીંગ સિસ્ટમ પર અપડેટ કરાવવાની જરૂર :

iPhone 5 અને iPhone 5cને લેટેસ્ટ સૉફ્ટવેર વર્ઝન પર અપડેટ કરી શકાય નહીં. જેના કારણે વોટ્સએપ આ ડિવાઈસ પર કામ નહીં કરે. જેને લઇને વોટ્સએપના લેટેસ્ટ ફીચર્સ પર નજર રાખનારી સાઈટ WABetaInfoએ રિપોર્ટ કર્યો છે.

એવામાં જો તમારો જૂનો આઈફોન જૂની ઓપરેટીંગ સિસ્ટમ પર કામ કરે છે તો તમારે તેને લેટેસ્ટ ઓપરેટીંગ સિસ્ટમ પર અપડેટ કરાવવાની જરૂર છે. જેના માટે તમારે મોબાઈલની સેટીંગમાં જઇને Generalના ઓપ્શનમાં જવુ પડશે. ત્યારબાદ સોફ્ટવેર અપડેટ પર ક્લિક કરીને તમે લેટેસ્ટ iOS વર્ઝનને ઈન્સ્ટોલ કરી શકો છો.

Apple આ વર્ષે iOS 16 રિલીઝ કરશે :

નવા અપડેટથી સિક્યોરીટી બગ્સને ફિક્સ કરી શકાય છે. આ અપડેટ નવા ફીચર્સની સાથે પણ આવે છે. Apple આ વર્ષે iOS 16 રિલીઝ કરવાનુ છે. અત્યારે iOS 15.6 અપડેટ આઈફોન યુઝર્સ માટે જાહેર કરવામાં આવ્યું છે. એક રિપોર્ટ મુજબ, લગભગ 72 ટકા iPhones લેટેસ્ટ iOS પર કામ કરી રહ્યાં છે.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ 16 સપ્ટેમ્બર : મેષ-કર્ક રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે, જાણો તમારું દૈનિક રાશિફળ

Today’s Horoscope 16 September :

મેષ
શારીરીક અને માનસિક સ્વાસ્થ્ય જળવાય. છતાં સ્વભાવમાં થોડી ઉગ્રતા વર્તાય. બહેનો એ પતિના ગુસ્સાનો સામનો કરવો પડે. માતાનું આરોગ્ય સાચવવું. જમીન મિલકતના વ્યવહારોમાં સાવધાની જરૂરી.

વૃષભ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહે. કાર્ય સફળતા દૂર ભાગતી જણાય. સંતાનની પ્રગતિ સંભવે. માતા સાથે મતભેદની શક્યતા. માતાની તબિયત સાચવવી.

મિથુન
મનોબળ મજબૂત બને. થોડું અક્કડ વલણ રહેવા પામે. ધારેલી આવક આવવામાં મુશ્કેલી પડે. કાર્યક્ષેત્રે ધંધામાં સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. સ્વાસ્થ્ય સારૂ રહેશે. સોબતનું ધ્યાન રાખવું.

કર્ક
મગજના રોગોથી સાચવવું. માથાના દુઃખાવાને નજર અંદાજ ન કરવો. વિશ્વાસઘાત થવાના યોગ છે. આવક વધતી જણાય. શેર બજાર ના રોકાણોમાં લાભ, દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય. સંતાનો તરફથી આનંદ.

સિંહ
સફળતા માટે નકારાત્મક વિચારો ઉપર કાબુ જરૂરી. નાણાંકીય બાબતોમાં ફાયદો. પરિવારમાં આનંદ, મોજશોખમાં ખર્ચ વધે. શરદી-ખાંસી વધે. થાક લાગે. ભાગ્ય બળવાન. મિત્રોનો સહકાર મળે.

કન્યા
કરેલા કાર્ય સફળતા થતા જણાય. જીવનમાં સરળતા વર્તાય. આંખની કાળજી જરૂરી. પડવા વાગવા અકસ્માતથી સાચવવું. સંતાનો સંબંધી પ્રશ્નો ઉકેલાય. ભાગ્યનો સાથ મળે. નાના યાત્રા પ્રવાસનું આયોજન થાય.

તુલા
આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. દામ્પત્ય જીવનમાં માનસિક પરિતાપ વધતો જણાય. ધાર્મિક પ્રસંગનું આયોજન શકય બને. આરોગ્ય જળવાશે.

વૃશ્ચિક
માનસિક પરિતાપ ચિંતા રહે. આવકનું પ્રમાણ ઘટે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય અંગે પણ સાવધાની જરૂરી. નસીબનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમ્યાન સાચવવાની સલાહ છે.

ધન
માનસિક અશાંતિ વધે. આવક જળવાય. સંતાન અંગેના પ્રશ્નો ઉદભવતા જણાય. સંતાનોનું આરોગ્ય કથળે. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. નોકરી ધંધામાં સારૂ. યશ પ્રતિષ્ઠામાં વધારો થાય.

મકર
વિચારોમાં સ્થિરતા વધે. માન સન્માન વધતા જણાય. આર્થિક બાબતો અંગે સાનુકુળતા જણાય. પરોપકાર કરવામાં ખોટો ખર્ચ ટાળવો. માતાની તબિયત સાચવવી. નવા રોકાણો મુલતવી રાખવા. ડાબી છાતીની કાળજી રાખવી જરૂરી છે.

કુંભ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ઇચ્છા શક્તિ દૃઢ બનતી જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. એમની તબિયતની કાળજી જરૂરી. જમણા હાથની કાળજી રાખવી. માતૃસુખ વાહન સુખમાં વધારો.

મીન
આવકમાં ઘટાડો થતો જણાય. નાના ભાઈ બહેનોની ચિંતા સતાવે છતાં પણ માનસિક સ્થિરતા બરકરાર રહે. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગ્યનો સાથ મળે. નોકરી ધંધામાં સામાન્ય.

આ પણ વાંચો :-

TMKOC ના જેઠાલાલ કેમ પહોંચ્યા કેલિફોર્નિયા ? શું હંમેશા માટે USA માં સેટ થવાનો છે પ્લાન ?

Why did TMKOC’s Jethalal reach California

  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ ઘણા દિવસોથી મોટા ઉતાર-ચઢાવની સાક્ષી બની રહી છે. શોમાં થઈ રહેલા બદલાવથી ફેન્સ નારાજ થઈ ગયા છે. જો કે ઘણા કલાકારોએ શોમાંથી અલવિદા કહી દીધું છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Oolta Chashma) સિરીયલ ઘરેઘરે ફેમસ છે. ખાસ કરીને તેમનાં દર્શાવવામાં આવેલાં ગુજરાતી કેરેક્ટર્સ (Gujarati characters) ખુબ જ લોકપ્રિય બન્યા છે. જેઠાલાલા હોય કે દયાભાભી (Dayabhabhi) તારક મહેતાના બધા જ કેરેક્ટર્સ એક અલગ છાપ ધરાવે છે. ચાહકોને ડર લાગવા લાગ્યો છે કે નિર્માતાઓ દિલીપ જોશીને (Dilip Joshi) પણ બદલવાના મૂડમાં તો નથીને?.

શોના પ્રશંસકોએ નિર્માતાઓને ધમકી પણ આપી દીધી છે કે જેઠાલાલ બદલાવા ન જોઈએ. આપને જણાવી દઈએ કે દિલીપ જોશી શો છોડી રહ્યા નથી. તેઓ હરવા ફરવા માટે કેલિફોર્નિયા ગયા છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ ઘણા દિવસોથી મોટા ઉતાર-ચઢાવની સાક્ષી બની રહી છે. શોમાં થઈ રહેલા બદલાવથી ફેન્સ નારાજ થઈ ગયા છે. જો કે ઘણા કલાકારોએ શોમાંથી અલવિદા કહી દીધું છે, પરંતુ તાજેતરમાં શૈલેષ લોઢાની વિદાયથી ચાહકોને આઘાત લાગ્યો છે. તે જ સમયે, દિલીપ જોશી એટલે કે જેઠાલાલ પણ થોડા દિવસોથી ગુમ છે.

ચાહકોને ડર લાગવા લાગ્યો છે કે નિર્માતાઓ દિલીપ જોશીને પણ બદલવાના મૂડમાં તો નથીને?. શોના પ્રશંસકોએ નિર્માતાઓને ધમકી પણ આપી હતી કે જેઠાલાલની બદલી ન થવી જોઈએ. જો કે આપને જણાવી દઈએ કે દિલીપ જોશી શો છોડી રહ્યા નથી. તેઓ હરવા ફરવા માટે હાલ કેલિફોર્નિયાના પ્રવાસે છે.

જેઠાલાલ ચાલ્યા અમેરિકા-

શોના તાજેતરના એપિસોડમાં બતાવવામાં આવ્યું હતું કે જેઠાલાલ અમેરિકા ગયા છે. જેઠાલાલને બેસ્ટ ડીલર તરીકે પસંદ કરવામાં આવ્યા છે, તેથી તેમને આ તક મળી છે. ઘણા એપિસોડમાં જેઠાલાલને ન જોઈને ચાહકો ગભરાઈ ગયા હતા. પણ જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ખરેખર કેલિફોર્નિયામાં ફરે છે.

તેમણે ખુદ તેના ઈન્સ્ટાગ્રામ પર તેનો ફોટો શેર કર્યો છે. સેક્વોઇયા નેશનલ પાર્કની આસપાસ ફરતા દિલીપ જોશીએ ફોટો શેર કર્યો અને કેપ્શન લખ્યું – “મૂળથી શીખવાનો પ્રયાસ કરી રહ્યો છું. સેક્વોઇયાએ ઘણું શીખવ્યું છે.

દિલીપ કંઈક નવું કરી રહ્યો છે તે જોવું ચાહકોને ગમે છે. શોમાંથી બ્રેક લઈને તે ફરવા ગયો છે. યુઝર્સે કોમેન્ટ કરીને દિલીપ જોશીના બ્રેકની જોરદાર પ્રશંસા કરી. સાથે જ કેટલાક લોકોએ પરત આવવાની પણ માંગ કરી હતી. એક યુઝરે લખ્યું કે – ‘જેઠાલાલને પણ બ્રેકની જરૂર છે’.

તે જ સમયે, એક ચાહકે લખ્યું – ‘સર પાછા આવો તમારા વિના શોમાં કોઈ મજા નથી’. તે જ સમયે એકે લખ્યું- ‘તમારી ફાયર બ્રિગેડ હવે પાછી આવી ગઈ છે…’

ચાહકો શૈલેષને પરત લાવવાની માંગ કરી રહ્યા છે-

કેટલાક લોકો દિલીપ પાસે શૈલેષ લોઢાની વાપસીની માંગ કરી રહ્યા છે. શૈલેષ લોઢાની જગ્યાએ સચિન શ્રોફને શોમાં લેવામાં આવ્યા છે. શોના ચાહકો પણ આ વાતથી ખૂબ નારાજ છે. લોકો કોમેન્ટ કરી રહ્યા છે અને શૈલેષને પાછા લાવવાની માંગ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું- ‘દિલીપ સર, તમે શૈલેષ સરને પાછા બોલાવો, તમે કંઈક કરો.’ તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું – ‘નવી પાસે તે વસ્તુ નથી, શું જૂની પાછી મળી શકે છે?’

મંગળવારના એપિસોડમાં, સચિન શ્રોફને નવા તારક મહેતા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. શોના નિર્માતા અસિત કુમાર મોદીએ કહ્યું હતું કે મને આશા છે કે લોકો સચિનને ​​એટલો જ પ્રેમ આપશે જેટલો તારક મહેતા તરીકે શૈલેષ લોઢાને મળ્યો હતો. સચિને શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે.

શૈલેષ સાથે, અમે વચ્ચેનું મેદાન શોધવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. જે બાદ અમે સચિનને ​​કાસ્ટ કર્યો. શોના દર્શકો કોઈના માટે રોકાશે નહીં. આપણે કોઈને લાવવો પડશે.

આ પણ વાંચો :-

શું જય શાહ બનશે બીસીસીઆઇના આગામી અધ્યક્ષ ?

0

Will Jai Shah become the next president

  • ઘણા સભ્યોને લાગ્યું કે જય શાહના પ્રયત્નોને કારણે જ કોવિડ -19 મહામારી દરમિયાન ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શક્ય બની હતી. આ સાથે જ જય શાહ જ એકમાત્ર કારણ છે કે આઇપીએલને 48,390 કરોડ રૂપિયાના મીડિયા રાઇટ્સ મળી શક્યા છે.

સુપ્રીમ કોર્ટે (Supreme Court) બુધવારે એટલે કે 14 સપ્ટેમ્બરના રોજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના બંધારણમાં સુધારાને મંજૂરી આપી દીધી છે, જેના કારણે તેના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Saurav Ganguly) અને સચિવ જય શાહ (Jay Shah) માટે ફરજિયાત બ્રેક (કૂલિંગ-ઓફ પીરિયડ) પર ગયા વિના પદ પર બન્યા રહેવાનો માર્ગ મોકળો થયો છે.

બીસીસીઆઇએ તેના સૂચિત સુધારામાં તેના હોદ્દેદારો માટે ફરજિયાત બ્રેકમાં છૂટછાટ આપવાની માંગ કરી હતી. જેના કારણે ગાંગુલી અને શાહને આગામી 30મી સપ્ટેમ્બર, 2022 પછીની આગામી ત્રણ વર્ષની ટર્મ માટે પ્રમુખ અને સેક્રેટરી તરીકે જારી રહેવાની છૂટ આપવામાં આવી હતી.

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને શાહ ઓક્ટોબર 2019થી બીસીસીઆઇમાં ટોચના હોદ્દા પર છે. પરંતુ જય શાહ બીસીસીઆઇના આગામી પ્રમુખ (Next BCCI President) બને તેવી અટકળો ચાલી રહી છે.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, 15 રાજ્ય સંઘોએ જય શાહને બીસીસીઆઇના અધ્યક્ષ તરીકે સમર્થન આપ્યું છે. ઘણા સભ્યોને લાગ્યું કે જય શાહના પ્રયત્નોને કારણે જ કોવિડ -19 મહામારી દરમિયાન ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શક્ય બની હતી.

આવ કાપવા તને ખબર પાડું, અધિકારીઓ વીજળી કાપવા આવ્યા તો મકાન માલિક ઘરમાંથી બંદુક લઈને નીકળ્યો | GujaratGuardian

આ સાથે જ જય શાહ જ એકમાત્ર કારણ છે કે આઇપીએલને 48,390 કરોડ રૂપિયાના મીડિયા રાઇટ્સ મળી શક્યા છે. જેના કારણે બોર્ડની તિજોરીમાં મોટો વધારો થયો છે. જો આમ થશે તો 33 વર્ષીય જય શાહ બીસીસીઆઇના સૌથી યુવા પ્રમુખ હશે.

એક પદાધિકારીનો કાર્યકાળ સતત 12 વર્ષ :

જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડ અને હેમા કોહલીની બેન્ચે જણાવ્યું કે, કોઈ પદાધિકારીનો સતત 12 વર્ષનો કાર્યકાળ હોઈ શકે છે, જેમાં સ્ટેટ એસોસિએશનમાં છ વર્ષ અને બીસીસીઆઈમાં છ વર્ષનો કાર્યકાળ સામેલ છે, પરંતુ તે પછી તેને ત્રણ વર્ષના બ્રેક પર જવું પડશે. બેન્ચે કહ્યું કે, કોઈ પણ પદાધિકારી બીસીસીઆઇ અને સ્ટેટ એસોસિએશન એમ બંને સ્તરે સતત બે ટર્મ સુધી કોઈ ચોક્કસ હોદ્દા પર રહી શકે છે. જે બાદ તેણે ત્રણ વર્ષનો બ્રેક લેવો પડશે.

શા માટે રાખવામાં આવે છે બ્રેક ?

ખંડપીઠે જણાવ્યું હતું કે, “બ્રેકના સમયગાળાનો હેતુ અનિચ્છનીય એકાધિકારને રચવા દેવાનો નથી.” અગાઉ જસ્ટીસ આરએમ લોઢાની આગેવાની હેઠળની સમિતિએ બીસીસીઆઇમાં સુધારાની ભલામણ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી હતી. આમાં સુપ્રીમ કોર્ટે મંજૂર કરેલા બીસીસીઆઇના બંધારણ અનુસાર કોઈ પણ વ્યક્તિ માટે સ્ટેટ ક્રિકેટ એસોસિએશન કે બીસીસીઆઇમાં સતત બે વર્ષની ત્રણ ટર્મ બાદ ત્રણ વર્ષના બ્રેક પર જવું ફરજીયાત હતું.

શું ગાંગુલી અધ્યક્ષ પદે યથાવત રહેશે ? 

જ્યાં ગાંગુલી ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળમાં પદાધિકારી હતા, તો શાહ ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા હતા. આ નિર્ણય બાદ બોર્ડની અંદર ઘણા મુદ્દાઓ પર ચર્ચા શરૂ થઇ ગઇ છે. સૌથી મહત્વની બાબત એ છે કે શું ગાંગુલી બીસીસીઆઈના અધ્યક્ષ તરીકે યથાવત રહેશે? કે પછી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના પ્રમુખ પદ માટે દાવો કરશે? તો શું જય શાહને બીસીસીઆઈના સભ્ય તરીકે પ્રમોશન અપાશે ?

બીસીસીઆઇની અંદર એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, ટૂંક સમયમાં જ ચૂંટણી યોજાઈ શકે છે. “બોર્ડમાં એજીએમ (વાર્ષિક સામાન્ય સભા) પછી સ્થિતિ બદલાઈ શકે છે. જ્યાં સુધી ઉમેદવારી પત્ર ન ભરાય ત્યાં સુધી તમે કશું કહી શકતા નથી. એજીએમ પછી શું થશે તે કહેવું ખૂબ જ વહેલું છે. જોકે, કોર્ટનો નિર્ણય હાલના પદાધિકારીઓની તરફેણમાં છે.”

આ પણ વાંચો :-