Home Blog Page 1307

આજનું રાશિફળ 23 સપ્ટેમ્બર : સિંહ રાશિ માટે આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે, જાણો કેવો રહેશે તમારો દિવસ

Today’s Horoscope 23 September Gujarat Guardian

મેષ
આવકમાં વધારો થતો જણાય. આર્થિક પાસું મજબૂત બને. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. નવા રોકાણોથી લાભ શકય બને. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવના વધે.

વૃષભ
માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. ખર્ચના પ્રમાણમાં આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સાનુકુળતા. માતા સાથે મતભેદની શકયતા, અપચન, પેટની તકલીફ રહે.

મિથુન
મનોબળ મજબૂત બને. કરેલા કાર્ય સફળ થતા જણાય. આર્થિક બાબતોનું આયોજન સુંદર રીતે કરી શકાય. યશ, પ્રતિષ્‍ઠા વધે. સ્ત્રીવર્ગથી ફાયદો મળે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

કર્ક
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આવક વધતાં બેંક બેલેન્સ વધે. પરિવારમાં સુખ શાંતિ વર્તાય. શેર બજારથી લાભ. માતૃ પક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્ત થાય. ગળાના રોગોથી સાચવવું. નોકરી ધંધામાં ‌પ્રગતિ.

સિંહ
માનસિક શાંતિ રહેશે. નાણાંકીય વ્યવહારોમાં લાભ. આવક વધે. પરિવારમાં મોજ શોખમાં ખર્ચ રહે. સ્થાવર જંગમ મિલકતના વ્યવહારોમાં લાભ. માતા-પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ સારૂ.

કન્યા
વાણી દ્વારા કાર્યમાં સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. માતા સાથે મતભેદની શક્યતા તથા માતાની તબિયત સાચવવી. મિત્રોથી સાચવવું. મિત્રોની સલાહ ઉપર આંધળો ભરોસો ન કરવો.

તુલા
આનંદ-ઉત્સાહ વધતો જણાય. આર્થિક બાબતોમાં સફળતા મળે. પરિવારમાં અસંતોષ વધે. તથા ધાર્યા પ્રમાણે ના કાર્ય કરવામાં અસમર્થતા પેદા થાય. નવા રોકાણો ટાળવા. સરકારી કામકાજ સાવધાની રાખવી જરૂરી.

વૃશ્ચિક
મોજ શોખનું પ્રમાણ વધશે આથી વ્યસનમાં ન પડાય એનું ધ્યાન રાખવું. આવકનું સ્તર સામાન્ય રહેતું જણાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. આરોગ્ય સાચવવું. ચામડીના રોગોનો ઉપદ્રવ થાય.

ધન
દિવસ દરમ્યાન આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં ગુસ્સો ટાળી, શાંતિથી કામ લેવું. રોકાણો ક્ષેત્રે જૈસે થે ની સ્થિતિ સર્જાય. દામ્પત્ય જીવનમાં ગુસ્સા ભર્યું વાતાવરણ રહે.

મકર
માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાંની આવક રહેશે પરંતુ બગાડ અટકાવવો. ભાઇ-બહેન સાથે વિખવાદ થવાના યોગ ચે. વાહન સુખ મળશે. નવી મિલકત કે વાહનની ખરીદી શકય બને. સંતાનની પ્રગતિથી હર્ષ.

કુંભ
જો ગુસ્સા ઉપર કાબુ રાખી શકો, તો આત્મ વિશ્વાસમાં વધારાને કારણે અગત્યના કાર્યો કરી શકાય. આર્થિક બાબતો અંગે શુભફળ મળે. પરિવારમાં અત્યંત પ્રસન્નતાનો અનુભવ કરી શકશો. આરોગ્ય સાચવવું.

મીન
ઉદારતા તથા અન્ય ને મદદ કરી શકવાને કારણે મન માં શાંતિ રહે તથા યશ, પ્રતિષ્ઠા વધે. આવકમાં વૃદ્ધિ આવતી અનુભવી શકાય. સ્ત્રી વર્ગથી લાભ. નોકરીયાત ને શાંતિ તથા ધંધાર્થીને અસંતોષ રહે. પિતાની તબિયત સાચવવી.

આ પણ વાંચો :-

ફરી ખેલૈયાઓ માટે મોટા સમાચાર : ગરબા અને લાઉડસ્પીકર અંગે ફરી લેવાયો મોટો નિર્ણય

0

Big news for gamers again :

  • ગૃહ વિભાગે રાજ્યના તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા મેજીસ્ટ્રેટને કરેલા પરીપત્ર મુજબ નવરાત્રીના 9 દિવસ દરમિયાન રાત્રીના 10 થી રાત્રીના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર સાઉન્ડ વગાડી શકાશે.

કોરોના મહામારીના બે વર્ષ બાદ ગુજરાતમાં આ વર્ષે નવરાત્રીનો (Navratri 2022) તહેવાર ધામધૂમથી ઉજવવા જઈ રહ્યો છે. પરંતુ તે પહેલા એક ગ્રહણ લાગ્યું છે. રાજ્ય સરકારે નવરાત્રિમાં રાત્રિના 12 વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરી આપી છે. આ સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Minister of State for Home Harsh Sanghvi) ટ્વીટ કરીને જાણકારી આપી છે. જેમાં રાત્રિના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે.

રાજ્યના ગૃહ વિભાગે નવરાત્રી અને દશેરામાં રાત્રીના સમયે ચાલુ રખાતાં લાઉડ સ્પીકરના સમય અંગે પરીપત્ર જાહેર કર્યો છે. ગૃહ વિભાગે રાજ્યના તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા મેજીસ્ટ્રેટને કરેલા પરીપત્ર મુજબ નવરાત્રીના 9 દિવસ દરમિયાન રાત્રીના 10 થી રાત્રીના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર સાઉન્ડ વગાડી શકાશે.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

12 વાગ્યા સુધી બોલાશે રમઝટ :

એટલું જ નહીં દશેરાના દિવસે પણ રાત્રે 10 થી 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે. જો કે, આ પરીપત્રમાં કહેવાયું છે કે આ જાહેરનામાં પ્રમાણે હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને અદાલતોની આસપાસનો 100 મીટર કે તેથી વધુનો વિસ્તાર સાયલન્સ ઝોન જાહેર કરી શકાશે. ઉલ્લેખનીય છે કે આગામી તા. 26 સપ્ટેમ્બરથી માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે.

આ પણ વાંચો :-

 

‘જેટલો દારૂ પીવાય એટલે પીવો, દેશભરમાં છુટ છે એટલે સાબિત થાય છે કે દારૂ ખરાબ નથી’ : જગમલ વાળા

0

Drink as much alcohol as you want,

  • દિલ્હી અને અમદાવાદના વેજલપુર બાદ આમ આદમી પાર્ટીનો વધુ એક વિડિયો વાયરલ થયો છે. ગાંધીના ગુજરાતમાં દારૂ મામલે આપના દિગ્ગજ નેતા જગમલ વાળાનો બેફામ વાણી વિલાસનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણી ટાણે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એક્શનમાં આવીને નિવેદનબાજી કરી રહ્યા છે. પરંતુ ક્યારેક જનતા વચ્ચે ઉમેદવારો (Candidates) ઉત્સાહમાં બફાટ પણ કરે છે, જેના કારણે તેમણે વિવાદનું કારણ બનવું પડે છે. હાલ ગુજરાતમાં દારૂબંધીને લઈને અનેક નિવેદનબાજી થઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) વધુ એક ઉમેદવારે વહેતી ગંગામાં હાથ ધોયા છે. એટલે ગુજરાત અને દારૂ મામલે આમ આદમી પાર્ટીના વધુ એક ઉમેદવારે બફાટ કરીને ચારેબાજુ ચર્ચાનો વિષય બનાવ્યો છે.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

દિલ્હી અને અમદાવાદના વેજલપુર બાદ આમ આદમી પાર્ટીનો વધુ એક વિડિયો વાયરલ થયો છે. ગાંધીના ગુજરાતમાં દારૂ મામલે આપના દિગ્ગજ નેતા જગમલ વાળાનો બેફામ વાણી વિલાસનો વીડિયો વાયરલ થયો છે. તમને જણાવી દઈએ કે જગમલ વાળા ગીર સોમનાથના આપના ઉમેદવાર છે, જેમનો વિડિયો વાયરલ થયો છે.

જગમલ વાળાના વાયરલ વીડિયોમાં શું કહ્યું ?

આપના દિગ્ગજ નેતા જગમલ વાળાનો દારૂ મામલે બેફામ વાણી વિલાસમાં તેઓ ચૂંટણી પ્રચારમાં જ દારૂ પીવાનો પરવાનો આપી રહ્યા છે. દિલ્હીની લીકર પોલિસી અને વેજલપુરના ઉમેદવાર કલ્પેશ પટેલના વિવાદ બાદ આ દિગ્ગજ નેતાનો નવો વિવાદથી ખળભળાટ મચ્યો છે. તેઓ જાહેરમાં કહી રહ્યા છે કે, ચૂંટણીમાં જેટલો દારૂ પીવાય એટલે પીવો. દુનિયા ભરના દેશોમાં દારૂ પીવાય છે.

મોટા ડોકટરો અને Ips, ias અધિકારીઓ પણ દારૂ પીવે છે. ભારતમાં પણ ગુજરાત સિવાય બધા રાજ્યોમાં દારૂની છૂટ છે. વિશ્વના 196 દેશોમાં દારૂ પીવાય છે. ગુજરાત સિવાય દેશ ભરમાં દારૂની છુટ છે એટલે સાબિત થાય છે કે દારૂ ખરાબ નથી.

કોંગ્રેસની પ્રતિક્રિયા :

ગીર સોમનાથના આપના ઉમેદવારના વાઇરલ વીડિયો મામલે ગુજરાત કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં પ્રદેશ મીડિયા સેલ કન્વીનર હેમાંગ રાવલે આપ પર આકરા પ્રહારો કર્યા છે. હેમાંગ રાવલે જણાવ્યું કે, આપના ઉમેદવારનો આ વાણી વિલાસ તેમનું ચાલ અને ચરિત્ર દર્શાવે છે. તેમના મનીષ સીસોદીયા પણ લિકર પોલિસી અને વેજલપુરના ઉમેદવાર પણ વિવાદમાં આવી ચુક્યા છે. આપના આ ઉમેદવારના બફાટથી ગાંધીના ગુજરાતમાં યુવાઓનું ભવિષ્ય અંધકારમાં છે.

આ પણ વાંચો :-

વલસાડમાં બની મોહાલીવાળી ઘટના, રસોઈયાએ વિદ્યાર્થીનીઓના ન્હાતા વીડિયો બનાવ્યા, ગંદી વાતો કરી

0

Mohali incident happened in Valsad

  • ગરીબ આદિવાસી બાળકોની કોઈક બહારના રસોઇયાઓ દ્વારા માનસિક રીતે હેરાનગતિ કરવામાં આવી રહી હોવાની ફરિયાદ ઉઠી, વાલીઓ તથા વિદ્યાર્થીનીઓએ સ્કૂલ સામે મોરચો માંડ્યો.

દક્ષિણ ગુજરાતના (South Gujarat) વલસાડ જિલ્લામાં પંજાબના (Punjab) મોહાલીવાળી ઘટના બની છે. વલસાડના ધરમપુરની (Dharampur) એક શાળાની વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરે કે રસોઈયો વિદ્યાર્થિનીઓના ન્હાતા ફોટો, વીડિયો બનાવે છે. એટલુ જ નહિ, આ રસોઈયો વિદ્યાર્થિનીઓને (Student) અસભ્ય વાતો કહેતો હોવાનો પણ આક્ષેપ ઉઠ્યો છે.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

ત્યારે વાલીઓ અને વિધાર્થીઓ શાળાએ ભેગા થઈને આ મામલે હોબાળો કર્યો હતો. વિધાર્થીનીઓને રસોઈયો હેરાન કરતો હોવાની ધરમપુર PSI ને લેખિત ફરિયાદ કરાઈ છે. આ મામલાની ગંભીરતા જોઈ જિલ્લા પોલીસ વડા તપાસના આદેશ આપ્યા છે. વિદ્યાર્થીનીઓ તથા વાલીઓએ ગૃહમાતા અને રસોઇયાને હટાવવાની માંગ કરી છે. ત્યારે ગુજરાતની એક શાળાની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે.

ધરમપુરના ઓઝરપાડા સ્થિત કન્યા સાક્ષરતા નિવાસી શાળા, કરચોંડ તથા ધરમપુરમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ગઈકાલે હોબાળો મચાવ્યો હતો. તેઓએ શાળાના મેનુ મુજબના ભોજન નહીં મળતું હોવાની ફરિયાદ કરી. તેમજ શાળાનો રસોઈયો વિદ્યાર્થીનીઓ સાથે અભદ્ર વર્તન કરતો હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીનીઓએ કહ્યું કે, અમારા જમવામાં પણ કેટલીક વખત ઈયળો નીકળે છે.

આ પણ વાંચો :-

 

ધારાસભ્યોના નિવાસસ્થાને પહોંચેલા કિસાન સંઘના આગેવાનોની અટકાયત, અનેક આંદોલનોથી ગાંધીનગર ગૂંજ્યું

0

Detention of Kisan Sangh leaders who reached

  • પોતાની માંગણીઓને સમર્થન આપે તે હેતુસર આજે ભારતીય કિસાન સંઘ ગાંધીનગર ધારાસભ્યોના નિવાસસ્થાને પહોંચ્યો. જ્યાં આગેવાનોની અટકાયત કરાઇ.

ભારતીય કિસાન સંઘ (Bharatiya Kisan Sangh) દ્વારા આજે ગાંધીનગર (Gandhinagar) ખાતે અનોખો વિરોધ કરવામાં આવ્યો. કિસાન સંઘ આજે ગાંધીનગરમાં ધારાસભ્યોના નિવાસસ્થાને પહોંચ્યો હતો. જ્યાં તેઓએ ધારાસભ્યોનું સમર્થન માંગ્યુ હતું. કિસાન સંઘના (Kisan Sangh) આગેવાનો પોતાની માંગો લઇને પહોંચ્યા હતા.

કિસાન સંઘ દ્વારા પોતાની માંગણીઓમાં ધારાસભ્યો પણ સાથ આપે તે માટે સમર્થન માંગવામાં આવ્યું. જો કે ધારાસભ્યોનું સમર્થન માંગવા આવેલા કિસાન સંઘના આગેવાનોની અટકાયત કરી લેવાઇ હતી.

કિસાન સંઘના આગેવાનો ધારાસભ્યોને મળ્યા હતા :

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કિસાન સંઘના આગેવાનો દ્વારા સરકારે બનાવેલી કમિટીના સભ્યો એવા મંત્રીઓના નિવાસસ્થાનને ઘેરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે કિસાન સંઘના આગેવાનો આજે ધારાસભ્યોને મળ્યા હતા અને વિધાનસભામાં તેઓની માંગણી ઉઠાવવાની માંગ કરી હતી.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યભરના 500થી વધુ લોકોનું શ્રમિક સંમેલન :

મહત્વનું છે કે છેલ્લા કેટલાય દિવસથી ગાંધીનગરમાં વિવિધ કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે બીજી બાજુ આજે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યભરના 500થી વધુ લોકોનું શ્રમિક સંમેલન પણ યોજાયું છે. 18 જેટલી માંગણીઓ લઈને આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર સમક્ષ શ્રમિકો માટે આવાસ અને ટોયલેટ જેવી સુવિધાની તેઓ માંગ કરી રહ્યાં છે. વારંવાર થતા અકસ્માત અંગે સરકાર પોલિસી બનાવે તેવી તેઓ માંગ કરી રહ્યાં છે.

આ પણ વાંચો :-

 

વડોદરા સેન્ટ્રલ જેલમાં એક સાથે 7 કેદીઓએ પીધું ઝેરી પ્રવાહી, કારણ જાણીને પોલીસ ચોંકી   

0

In Vadodara Central Jail, 7 prisoners

  • ટિફિન બાબતે મનદુઃખ થતા વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદીઓએ ફિનાઈલ પી લીધું હતું અને જેલ સત્તાધિશો ત્રાસ આપતા હોવાની ફરિયાદ પણ કરી હતી.

વડોદરાની સેન્ટ્રલ જેલમાં (Vadodara Central Jail) 7 કાચા કામના કેદીઓએ ફીનાઇલ ગટગટાવી લેતા હાહાકાર મચી ગયો છે. જેલ પ્રશાસનના (Jail Administration) ત્રાસને પગલે કેદીઓએ ફિનાઈલ (Drink) પીધુ હોવાની રાવ ઉઠતાં ચકચાર મચી જવા પામી છે. જેને લઈને કેદીઓને ગંભીર હાલતમાં સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જેમાં તમામની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે.

7 કાચા કામના કેદીઓએ ફિનાઈલ પી કર્યો આપઘાતનો પ્રયાસ :

આજે સાંજે વડોદરાની સેન્ટ્રલ જેલમાં 7 કાચા કામના કેદીઓએ ફિનાઇલ પીધાની ઘટના સામે આવી છે.  નોકરી મામલે છેતરપિંડીના ગુન્હામાં હર્ષિલ લિંબાચીયા અને પાદરામાં મર્ડર કેસમાં ચર્ચાતું નામ અભી ઝા સહિત 7 કાચા કામના કેદીઓએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જેને પગલે એસએસજી હોસ્પિટલ ખાતે તમાંમની સારવાર ચાલી રહી છે.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

જ્યાં સારવાર દરમિયાન હર્ષિલે હોસ્પિટલમાં જેલ તંત્ર પર ત્રાસ આપવા સહીત હાઈ સિક્યોરિટીમાંથી બહાર કાઢવા રૂપિયાની માંગ કરવામા આવતી હોવાના આરોપ લગાવ્યા હતા. રૂમ બહાર ન નીકળવા દેતા હોવા ઉપરાંતની અનેક ધગધગતી રાવ કરાઇ છે.

કેદીઓની તબિયત હાલ સ્થિર  :

બીજી તરફ આ ઘટનાને પગલે તાત્કાલિક ડીસીપી ઝોન 2નાં અભય સોની તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સયાજી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જયા ફરિયાદ નોંધવા સહીતની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેલ સંકુલમાં હાહાકાર મચાવતી આ ઘટના અંગે જેલમાં ફિનાઈલ કેદીઓ સુધી કોણે પહોંચાડ્યું તે સહીતની દિશામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.  આ મામલે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ કેદીઓની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ તપાસ બાદ વધુ માહિતી બહાર આવશે.

આ પણ વાંચો :-

પરંપરા હજી પણ જીવે છે, આધુનિકતામાં પણ કુંભારના હાથે બનેલા માટીના ગરબાની માંગ છે

0

The tradition still lives on, even in

  • નવરાત્રી દરમ્યાન અખંડ દીવા અને આદતી માટે ચાલતી આવેલી પ્રાચીન માટીના ગરબાની પરંપરા હજુ ગ્રામ્ય વિસ્તારમાં જળવાઈ રહી છે. કુંભારના ચાકડા પર આકાર પામીને નિભાંડામા પાકેલા માટીના ગરબાની માંગ છે.

નવરાત્રિને (Navratri) આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આ તહેવારની ઉજવણી માટે વિવિધ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અત્યારના સમયમાં અલગ-અલગ પ્રકારના આધુનિક ગરબા જોવા મળે છે. આધુનિક સમયમાં હવે માટીના ગરબાની (Garba of clay) જૂની પરંપરા લુપ્ત થઈ રહી છે. પરંતુ બોટાદના ગઢડામાં આજેપણ માટીના ગરબાની પરંપરા જોવા મળે છે.

ગઢડામાં કુંભાર પરિવાર દ્વારા ચાકડા ઉપર માટીના ગરબા બનાવવામાં આવે છે. હવેના આધુનિક યુગમાં ચિનાઈ માટીના અલગ-અલગ ડિઝાઈન અને રંગબેરંગી ગરબા બજારમાં જોવા મળે છે. જેણે પરંપરાગત ગરબીઓના ક્રેઝને ઘટાડી દીધો છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ લોકો જૂની પરંપરા પ્રમાણે માટીના ગરબાની ખરીદી કરીને જૂની પરંપરાને જીવંત રાખી રહ્યા છે. જેથી માટીનું કામ કરતા પરિવારને રોજીરોટી મળી રહે. ગઢડામાં લોકો માટીના ગરબા ખરીદવા આવતાં કુંભાર પરિવારમાં પણ આનંદની લાગણી જોવા મળી છે.

નવરાત્રિને હવે ગણત્રરીના દિવસો બાકી છે ત્યારે આધુનિક યુગમાં હવે અલગ અલગ પ્રકારના આધુનિક ગરબા જોવા મળે છે અને માટીના ગરબાની જુની પરંપરા લુપ્ત થઈ રહી છે. ત્યારે નવરાત્રી દરમ્યાન અખંડ દીવા અને આદતી માટે ચાલતી આવેલી પ્રાચીન માટીના ગરબાની પરંપરા હજુ ગ્રામ્ય વિસ્તારમાં જળવાઈ રહી છે. કુંભારના ચાકડા પર આકાર પામીને નિભાંડામા પાકેલા માટીના ગરબાની માંગ જોવા મળે છે.

 વિશ્વનો સૌથી લાંબો તહેવાર એટલે નવરાત્રિ. દરેક ગુજરાતી નવરાત્રિની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યો હોય છે. તેમાં પણ કોરોના જેવા કપરા કાળ બાદ નવરાત્રિની હવે ઘડીઓ ગણાઇ રહી હોય ત્યારે દરેક ગુજરાતી ગરબે ઘુમવા થનગની રહ્યો છે. નવરાત્રિ શક્તિની ઉપાસનાનો તહેવાર છે, સાથે ગુજરાતીઓના લોહીમાં નવરાત્રીનો તહેવાર એવો સમાઇ ગયો છે કે જ્યાં ગુજરાતી વસતા હોય ત્યાં નવરાત્રીનો તહેવાર તો ઉજવાય જ. આસો સુદ એકમથી નવરાત્રીનો પ્રારંભની સાથે જ વાતાવરણમાં દિવ્યતાનો અણસાર પથરાઇ જશે.

ગરબીની પ્રથાને જાળવી રાખતા કુંભાર મેરામભાઈ જણાવે છે કે, આધુનિક યુગમાં હવે ગરબા પણ અલગ અલગ પ્રકારના બજારમાં જોવા મળી રહ્યા છે અને માટીના ગરબાની પરંપરા થોડી લુપ્ત થઈ રહી છે, ત્યારે ગ્રામ વિસ્તારોમાં માટીના ગરબાની પરંપરા જોવા મળે છે.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં કુંભાર પરિવાર દ્વારા ચાકડા ઉપર આકાર પામેલા માટીના ગરબા બનાવવામાં આવી રહ્યા છે. હવેના આધુનિક યુગમાં હવે અલગ અલગ ડિઝાઈન અને રંગબેરંગી ગરબા બજારમાં જોવા મળે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારના લોકો જુની પરંપરા મુજબ પ્રાચીન માટીના ગરબાની ખરીદી કરીને જુની પરંપરાને જીવંત રાખી રહ્યા છે. જેથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રાચીન માટીના ગરબાની માંગ થઈ રહી છે.

આધુનિક યુગમાં માટીના ગરબાની પરંપરા લુપ્ત થઈ રહી છે, ત્યારે ગ્રામ વિસ્તારોમાં લોકો માટીના ગરબાની માંગ કરી રહ્યા છે. જેથી માટીકામ કરતા પરીવારોને રોજીરોટી મળી રહે છે. હાલ માટીના ગરબાની માંગ છે ત્યારે ગઢડામા માટીના ગરબા બનાવતા કુંભાર પરીવારમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. કારણ કે તેમની આવકમાં વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

 

ઉડતા નહિ, પણ ડ્રગ્સ પકડતા ગુજરાત : હર્ષ સંઘવીએ ગૃહમાં કોંગ્રેસને એવું તતડાવ્યું કે…

0

Gujarat, not flying, but catching drugs

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં છેલ્લા એક વર્ષમાં રૂ. 6,500 કરોડના ડ્રગ્સ સાથે 750 ગુનેગારોને જેલના હવાલે કરવામાં આવ્યાં છે. એટલું જ નહિ પણ તેમાંથી એક પણ ગુનેગારને આજ સુધી જામીન મળ્યા નથી.

ગુજરાતમાં (Gujarat) ડ્રગ્સ પકડવામાં ‘ડ્રગ્સ રીવોર્ડ પોલિસી (Drugs Reward Policy)’ ખૂબ મહત્વની સાબિત થઈ છે. ગૃહ રાજયમંત્રી હર્ષ સંધવીએ (Minister of State for Home Harsh Sandhvi) વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે આ ઉડતું નહિ, પણ ડ્રગ્સ પકડતું ગુજરાત છે. ગુજરાતમાં ડ્રગ્સ પકડાયું નથી. પણ ગુજરાત પોલીસની (Gujarat Police) સતર્કતાથી ગુજરાતમાં ડ્રગ્સ અને ડ્રગ્સ માફિયાઓને પકડવામાં આવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં છેલ્લા એક વર્ષમાં રૂ. 6,500 કરોડના ડ્રગ્સ સાથે 750 ગુનેગારોને જેલના હવાલે કરવામાં આવ્યાં છે. એટલું જ નહિ પણ તેમાંથી એક પણ ગુનેગારને આજ સુધી જામીન મળ્યા નથી. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ડ્રગ્સ પકડવા માટે અમલમાં મૂકાયેલી ઐતિહાસિક ‘ડ્રગ્સ રીવોર્ડ પોલિસી‘ની ભૂમિકા ખૂબ જ મહત્વની સાબિત થઈ છે.

એમ જણાવી હર્ષ સંધવીએ વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે રાત-દિવસ જીવના જોખમે ફરજ બજાવીને ડ્રગ્સ પકડતી ગુજરાત પોલીસનું મનોબળ તોડવાનું કોંગ્રેસ બંધ કરે. રાજ્યના યુવા ધનના હિતમાં ચાલી રહેલા ગુજરાત પોલીસના ડ્રગ્સ નાબૂદી અભિયાન વિરુદ્ધ કોંગ્રેસે રાજનીતિ ન કરવી જોઈએ.

એટલું જ નહિ ગુજરાત પોલીસે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને ભારત-પાકિસ્તાન બોર્ડર, મહારાષ્ટ્ર, પંજાબ, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને દિલ્હી જેવા રાજ્યોમાંથી ડ્રગ્સ અને ડ્રગ્સ માફિયાઓને પકડ્યા છે. વિવિધ રાજ્યોમાંથી પકડાયેલા ડ્રગ્સના તાર પંજાબની જેલ સુ઼ધી જાય છે.

હર્ષ સંધવીએ ગૃહને આહવાન કર્યું હતું કે, ડ્રગ્સ સામેનો આ જંગ સૌ સાથે મળીને જીતવાનો છે અને ભાવિ પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું છે. પશ્ચિમી દેશોમાં ડ્રગ્સનું સેવન એ ફેશન સ્ટેટસ બની ગયું છે. ગુજરાના યુવાનોમાં આ દૂષણ ન ફેલાય તે જોવાનું કામ આપણા સૌનું છે.

આ પણ વાંચો :-

 

ભાજપ માટે નવાજુનીના એંધાણ ! ચૂંટણી પૂર્વે કોળી સમાજનું સંમેલન યોજાયું, કઈ 9 માંગ મુદ્દે થઈ ચર્ચા ?

0

New ideas for BJP! A convention of Koli

  • જસદણ વિછિયા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કોળી સમાજ ઉમટી પડ્યા હતા. આ સંમેલન કોળી સમાજના પ્રમુખ શામજીભાઇ ડાંગરના અધ્યક્ષ સ્થાને યોજ્યું હતું.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચુંટણી નજીક આવી રહી છે ત્યારે વિવિધ સમાજો (Different societies) પોતાની વિવિધ માંગ લઈને સંમેલનો કરી રહી છે અને પોતાનું વર્ચસ્વ બતાવવા પ્રયાસ કરવા સાથે દરેક પક્ષ તેની નોંધ લે તેવો પ્રયાસ કરી રહી છે. ત્યારે રાજકોટ (Rajkot) જિલ્લાના જસદણના (Jasdan) બાખલવડ ગામે કોળી સમાજનું (Koli society) મહા સમેલન યોજાયું હતું.

જસદણ વિછિયા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કોળી સમાજ ઉમટી પડ્યા હતા. આ સંમેલન કોળી સમાજના પ્રમુખ શામજીભાઇ ડાંગરના અધ્યક્ષ સ્થાને યોજ્યું હતું. જેમાં કોળી સમાજ ઉપર હજુ પણ અત્યાચાર અને અન્યાય થઈ રહ્યાના આરોપો કરવામાં આવ્યા હતા.

આ સંમેલનમાં કોળી સમાજને થઈ રહેલ અન્યાય માટે ચિંતન કરવાં આવ્યું હતું. જેમાં કોળી સમાજને તેની વસ્તીને લઈને અનામતની માંગ કરવામાં આવી હતી અને દરેક જિલ્લમાં કોળી સમાજની છાત્રાલય હોય સાથે કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર બજેટ આપે તેવા 9 જેટલા પ્રશ્નોની માંગ સાથે અહી કોળી સમેલન કરવામાં આવ્યું હતું.

સાથે સાથે કોળી સમાજના આગેવાનો હવે રાજકીય પ્રવેશ કરે તેવી માંગ કોળી સમાજ દ્વારા કહેવામાં આવ્યું હતું. ખાસ કરીને જસદણના કોળી સમાજના પ્રમુખ એવા શામજીભાઇ ડાંગર હવે રાજકીય પ્રવેશ કરે તેવી આ સંમેલનમાં પ્રમુખને આહ્વાન કર્યું હતું સાથે સાથે કોળી સમાજના શિક્ષત યુવકો હવે રાજકારણમાં પ્રવેશે અને કોળી સમાજને થતાં અન્યાય સામે લડે વગેરે મુદ્દે આજે આ ચિંતન શિબિરના મહત્વના મુદ્દા રહ્યા હતા. સાથે સાથે કોળી સમાજ પોતાનું રાજકીય મહત્વ સાબિત કરવા પણ મથામણ થતી હોય તેવું સ્પસ્ટ જોવા મળ્યું હતું.

આ પણ વાંચો :-

મધર ડેરીની જાહેરાત : ફરીથી વધશે દૂધના ભાવ, ભાવ વધારા પાછળનું કારણ પણ જણાવ્યું

0

Mother Dairy Announcement :

  • ડેરી પ્રોડક્ટનો બિઝનેસ કરનારી કંપની મદર ડેરી આગામી થોડા મહિનામાં દૂધ-દહીંના ભાવ વધારી શકે છે.

ડેરી પ્રોડક્ટનો (Dairy product) બિઝનેસ કરનારી કંપની મધર ડેરી આગામી થોડા મહિનામાં દૂધ-દહીંના (Milk-Curd) ભાવ વધારી શકે છે. એવા સંકેત કંપનીના અધિકારી તરફથી આપવામાં આવ્યા છે. મધર ડેરીએ હાલમાં જ દૂધ-દહીં, છાશ વગેરેના રેટ વધારી દીધા હતા. તેની પાછળ ખર્ચા વધ્યા (Costs increased) હોવાનો હવાલો આપ્યો હતો.

એવું પણ કહ્યું છે કે ડીઝલના ભાવ વધવા માલની હેરફેરનો ખર્ચ વધ્યો છે. તેથી રેટ વધારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. કંપનીએ એવું પણ કહ્યું કે દૂધ દહીં જેવી ડેરી પ્રોડક્ટના ભાવમાં વધારાનો ફાયદો ખેડૂતોને પણ થાય છે. જે મધર ડેરીમાં પોતાનો માલ વેચે છે.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

તેની સાથે જ મધર ડેરીએ આશા વ્યક્ત કરી છે કે હાલના નાણાકીય વર્ષમાં તેમના વેચાણમાં 20 ટકા સુધી વધારો થઈ શકે છે. અને ટર્નઓવર 15,000 કરોડ રૂપિયા સુધી જઈ શકશે. મધર ડેરી દૂધ અને ડેરી પ્રોડક્ટ ઉપરાંત ફળો અને શાકભાજીનો બિઝનેસ પણ કરે છે.

વેચાણ વધવાની આશા :

મધર ડેરીના મેનેજમેન્ટ ડિરેક્ટર મનીષ બંડલીશ વેચાણમાં વધારા વિશે કહે છે કે હાલના નાણાકીય વર્ષમાં દૂધ અને ડેરી પ્રોડક્ટની માગમાં 15 ટકાથી વધારે ઉજાળો જોવા મળી રહ્યો છે. જેનો ફાયદો મદર ડેરીને મળશે. મદર ડેરીનો 70 ટકા કારોબાર દૂધ અને ડેરી પ્રોડક્ટનો જ હોય છે.

બંડલીશ કહે છે કે, આ વર્ષે આઈસ્ક્રીમના વેચાણ પણ બંપર રહેવાની આશા છે કારણ કે કોરોનામાં તેનો બિઝનેસ બિલ્કુલ ઠપ હતો. તબિયત બગડવાના ડરથી લોકોએ આઈસ્ક્રીમ ખરીદવાનું બંધ કર્યું હતું. જેથી છેલ્લા બે વર્ષમાં તેનું વેચાણ ઘટી ગયું હતું.

મધર ડેરીના એમડીના જણાવ્યા અનુસાર ફળ, શાકભાજી અને ખાદ્ય તેલના બિઝનેસમાં 30 ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. તેઓ માને છે કે ઈ કોમર્સ કંપનીઓથી મધર ડેરીને મોટી ટક્કર છે અને કેટલાય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધી બાબતો હોવા છતાં ફળ, શાકભાજી અને ખાદ્યતેલનો બિઝનેસ દમદાર રહ્યો છે.

આ પણ વાંચો :-