Home Blog Page 1299

અમદાવાદીઓએ પીવી સિંધુને પણ લગાડ્યું ગરબાનું ઘેલું ! પાઘડી પહેરીને સિંધુ ઝૂમતા દેખાયા

0

The people of Ahmedabad also put the

  • ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે તો સાથે નવરાત્રીનો માહોલ પણ જામેલો છે. દેશભરમાંથી આવતા ખેલાડીઓ ગરબાનાં તાલે ઝૂમતા જોવા મળી રહ્યા છે.

બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ (Badminton star PV Sindhu) ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે નામ રોશન કર્યું છે. શટલ સાથે કમાલ કરનાર આ ખેલાડીએ હવે ગરબાનાં મેદાનમાં (Garba Plains) પણ કરતબ બતાવ્યું હતું. ગુજરાત મુલાકાત દરમિયાન સિંધુને હવે ગરબાનું ઘેલું લાગ્યું છે. સિંધુએ ગુરુવારે રાત્રે અમદાવાદ (Ahmedabad) મુલાકાત દરમિયાન ગરબા રમ્યા હતા.

ગુજરાતમાં નવરાત્રીનો માહોલ જામ્યો છે. આ સમયે દેશનો કોઈ પણ વ્યક્તિ ગુજરાતની મુલાકાત લે તો દેખીતી રીતે એ ગુજરાત અને ગરબાને પ્રેમ કરવા લાગે. બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ સાથે પણ એવું જ કઈંક બન્યું છે. હાલ તેઓ અમદાવાદની મુલાકાતે છે અને ગઈકાલે અમદાવાદીઓ સાથે તેઓ ગરબે ઘૂમ્યા હતા.

નીરજ ચોપરા વડોદરામાં રમ્યા હતા ગરબા :

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 36મા નેશનલ ગેમ્સનું આયોજન થઇ રહ્યું છે. દેશભરમાંથી એથ્લિટ્સ અને સ્પોર્ટ્સ જગતનાં ધુરંધરો ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ઓલિમ્પિક ગોલ્ડ મેડાલીસ્ટ ખેલાડી નીરજ ચોપરા વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે ગરબાનો આનંદ માન્યો હતો. સાથે તેમણે માતાજીની આરતી પણ કરી હતી.

PM મોદીનો રોડ શો : મોદીનો સુરતમાં માહોલ બદલવાનો પ્રયાસ, ભીડ જોઈને ભાજપ ખુશ પણ આપ અને કોંગ્રેસને લાગશે ઝટકો

તો હવે શટલર પીવી સિંધુ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ગઈ કાલે અમદાવાદમાં તેમણે અમદાવાદીઓ સાથે ગરબાની મજા લીધી હતી. તેઓની સાથે પૂર્વ ઓલિમ્પિયન ખેલાડી અંજુ બેબી જ્યોર્જ પણ જોડાયા હતા. તેઓનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. (His video went viral on social media)

આ પણ વાંચો :-

ફેસ્ટિવલ સીઝનમાં સોનાની શું છે કિંમત ? તહેવારની ખરીદી માટે બેંકો આપી રહી છે ખાસ ઓફર

0

What is the price of gold during the

  • દેશમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. આ અવસર પર બેંકોએ ગ્રાહકોને રીઝવવા માટે ઘણી ઓફર્સ શરૂ કરી છે. જેમાં દેશની તમામ મોટી અને નાની બેંકો સામેલ છે.

સોના અને ચાંદીમાં (Gold and silver) આજે મિશ્ર વલણ સાથે કારોબાર થઈ રહ્યો છે. રિટેઇલ માર્કેટમાં સોના ભાવ (Gold Price Today)માં તેજી જયારે હજુ પણ ચાંદીમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. વાયદા બજારમાં ચાંદીની કિંમત લગભગ 450 રૂપિયા સસ્તી થઈ રહી છે. વાયદા બજારમાં આજે સોનું અને ચાંદી મિશ્ર સંકેતો સાથે રહ્યા છે.

સોનાની કિંમતો સપાટ છે અને તે રૂ. 50000 પ્રતિ 10 ગ્રામના દરે ટ્રેડ થઈ રહી છે. આ સોનાના ભાવ તેના ઓક્ટોબર વાયદા માટે છે. ગઈકાલની જેમ ચાંદીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીનો ડિસેમ્બર વાયદો રૂ. 56,083 પર ટ્રેડ કરી રહ્યો હતો.

દેશમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. આ અવસર પર બેંકોએ ગ્રાહકોને રીઝવવા માટે ઘણી ઓફર્સ શરૂ કરી છે. જેમાં દેશની તમામ મોટી અને નાની બેંકો સામેલ છે. શોપિંગ પર ડિસ્કાઉન્ટ ઉપરાંત કાર્ડ, લોન, પ્રોસેસિંગ ફી માફી જેવી વિશેષ ઓફરો ચલાવવામાં આવી રહી છે. આ બેંકોમાં સ્ટેટ બેંક (SBI), પંજાબ નેશનલ બેંક, ICICI બેંક, યુનિયન બેંક અને સેન્ટ્રલ બેંકનો સમાવેશ થાય છે.

બીજી ઘણી બેંકો છે જે ગ્રાહકોને વિશેષ ઓફર્સનો લાભ આપી રહી છે. આ બેંકોએ અલગ-અલગ ઈ-કોમર્સ કંપનીઓ અને રિટેલ ચેઈન સાથે જોડાણ કર્યું છે. જેના હેઠળ શોપિંગ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આવો જાણીએ બેંકોની ઓફર્સ વિશે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા – SBI :

સ્ટેટ બેંકે નવરાત્રી પર ખાસ ઓફર શરૂ કરી છે. આમાં ગ્રાહકોને શોપિંગ પર 22.5% સુધીનું કેશબેક આપવામાં આવી રહ્યું છે. આ સિવાય કાર લોન, પર્સનલ લોન અને ગોલ્ડ લોન પર એક્સક્લુઝિવ ઓફર્સ આપવામાં આવી રહી છે.

PM મોદીનો રોડ શો : મોદીનો સુરતમાં માહોલ બદલવાનો પ્રયાસ, ભીડ જોઈને ભાજપ ખુશ પણ આપ અને કોંગ્રેસને લાગશે ઝટકો

આ માટે ગ્રાહક YONO એપ પર જઈ શકે છે અથવા OnlineSBI વેબસાઈટ પર લોગીન કરી શકે છે. SBI એ નવરાત્રી ઓફર હેઠળ ઝીરો પ્રોસેસિંગ ફીની જાહેરાત કરી છે. કાર લોનની ઈએમઆઈ 1551 રૂપિયાથી શરૂ થાય છે, પર્સનલ લોનની ઈએમઆઈ 1868 રૂપિયાથી અને ગોલ્ડ લોનની ઈએમઆઈ 3134 રૂપિયાથી શરૂ થાય છે.

યુનિયન બેંક – Union Bank :

યુનિયન બેંક દ્વારા તેની વિવિધ લોન પર સમાન ઓફર આપવામાં આવી રહી છે. યુનિયન હોમ (ટેકઓવર સહિત) અને યુનિયન માઈલ્સ સ્કીમ હેઠળ લોન લેવા માટે પ્રોસેસિંગ ફી માફ કરવામાં આવી છે. આ ઓફરનો લાભ ફક્ત તે લોકોને જ મળશે. જેઓ 8 ઓગસ્ટ 2022 થી 31 જાન્યુઆરી 2023 સુધી લોન લેશે.

પંજાબ નેશનલ બેંક – PNB

પંજાબ નેશનલ બેંકે તહેવારોની સીઝન ઓફરમાં પ્રોસેસિંગ ફી માફ કરી દીધી છે. ઉપરાંત, કોઈ દસ્તાવેજોની જરૂર પડશે નહીં. આ સુવિધા ગ્રાહકોને હોમ લોન, કાર લોન અને માય પ્રોપર્ટી લોન પર આપવામાં આવી રહી છે. ડિજિટલ માધ્યમથી હોમ લોન લેનારા ગ્રાહકોને 0.05 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જો હોમ લોન અન્ય બેંક પાસેથી લેવામાં આવી હોય તો PNB કાયદાકીય અને મૂલ્યાંકન ચાર્જને માફ કરી રહી છે.

આ પણ વાંચો :-

ગુજરાતના યુવાનો માટે અત્યાર સુધીનાં સૌથી મોટા સમાચાર : ભરતી માટેની ઉંમર મર્યાદામાં અપાઈ છૂટછાટ, જાણો કેટલી

0

Biggest news till date for Gujarat youth

  • કોવિડ મહામારીને કારણે ભરતી પાછી ઠેલાતા છૂટછાટ અપાઈ હતી. જેને 31 ઓગસ્ટ 2023 સુધી એટલે કે 1 વર્ષ સુધી વધુ લંબાવી દેવાઈ છે.

સરકારી પરીક્ષાની (Government Exam) તૈયારી કરી રહેલા યુવાનો માટે મોટા સમાચાર મળી રહ્યા છે. ભરતી માટેની ઉંમર મર્યાદાની છૂટછાટની મુદ્દત લંબાવી દેવામાં આવી છે. ઉમેદવારોની ઉપલી વયમર્યાદામાં (Age limit) એક વર્ષની છૂટછાટ ગુજરાત સરકારે આપી છે. અગાઉ કોવિડ મહામારીને કારણે ભરતી પાછી ઠેલાતા છૂટછાટ અપાઈ હતી.

જેણે ફરી લંબાવી દેવામાં આવી છે. 1 સપ્ટે 2022 થી એક વર્ષ સુધી ભરતીમાં નિયમ લાગુ પડશે. 31 ઓગસ્ટ 2023 સુધીની ભરતી માટે નિયમ લાગુ પડશે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે.

PM મોદીનો રોડ શો : મોદીનો સુરતમાં માહોલ બદલવાનો પ્રયાસ, ભીડ જોઈને ભાજપ ખુશ પણ આપ અને કોંગ્રેસને લાગશે ઝટકો

આ પણ વાંચો :-

ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર, સુરત પોલીસે 25 કરોડની નકલી નોટ પકડી, પરંતુ નીકળ્યું કંઈ બીજું

A mouse came out after digging a hill

  • સુરતમાં સંસ્થાનો સંચાલક 25 કરોડથી વધુની કિંમતની નકલી નોટ સાથે ઝડપાયો, પૂછપરછ કરતા મોટો ધડાકો કર્યો.

સુરતના કામરેજ પોલીસે (Kamrej Police) ડુંગર ખોદ્યો અને નીકળ્યો ઉંદર જેવા ઘાટ સર્જાયા છે. ભારતીય ચલણની નકલી નોટ (Counterfeit note) ઘુસાડાઈ રહી હોવાની બાતમીના આધારે નોટો તો ઝડપી પાડી પરંતુ આ નોટ સિનેમાના (Not cinema) ઉપયોગમાં લેવામાં આવતી નોટ નીકળતા પોલીસે અન્ય દિશામાં તપાસ શરૂ કરી છે. ગણતરી કરીયે તો 25 કરોડથી વધુની કિંમત થાય છે.

ગુરુવારે કામરેજ પોલીસને બાતમી મળતા નેશનલ હાઇવે 48 પર નવી પારડી ગામ પાસેથી એક એમ્બ્યુલન્સ ઝડપી પાડી હતી. દીકરી એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એમ્બ્યુલન્સમાં લોખંડની પેટીમાં અધધ 2000ના દરની ચલણી નોટો ભરેલી હતી. પોલીસે ગણતરી કરતા કુલ 1290 જેટલા બંડલ થતા હતા. જેની કુલ કિંમત 25.80 કરોડ થાય છે.

આ વિશે વધુ માહિતી આપતા સુરત ગ્રામ્યના પોલીસ વડા હિતેશ જોઇસરે કહ્યું કે, પોલીસે એમ્બ્યુલન્સના ડ્રાઈવર જામનગરના હિતેશ કોટડીયાની પૂછપરછ કરતા અને ચલણી નોટ ચેક કરતા આ નોટ સિનેમાના ઉપયોગમાં લેવા માટે માત્ર નોટપર લખાણ મળી આવ્યું હતું. ઉપરાંત રિઝર્વ બેંકના સ્થાને રિવર્સ બેંક લખાણ પણ મળી આવ્યું હતું. જોકે પોલીસે ઝડપી પાડેલી શંકાસ્પદ નકલી નોટ અને શંકાસ્પદ ઈસમ હિતેશ કોટડીયાની પૂછપરછ કરી રહી છે.

શંકાસ્પદ ડ્રાઈવર હિતેશ કોટડીયાએ આ નકલી ચલણી નોટો સુરતના એક ઈસમ પાસેથી જ લીધી હતી અને ત્યારબાદ દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની રાજકોટ ઓફિસ લઈ ગયો હતો અને ત્યાર બાદ ફરીથી સુરત લઈને આવી રહ્યો હતો. દરમ્યાન પોલીસને બાતમી મળતા શંકાને આધારે હાલ પોલીસે હિતેશની અટકાયત કરી હતી.

PM મોદીનો રોડ શો : મોદીનો સુરતમાં માહોલ બદલવાનો પ્રયાસ, ભીડ જોઈને ભાજપ ખુશ પણ આપ અને કોંગ્રેસને લાગશે ઝટકો

પોલીસ હાલ ઘટનાને લઇ અનેક દિશામાં તપાસ કરી રહી છે અને પોલીસના મનમાં પણ અનેક સવાલ થઈ રહ્યા છે. જેમ કે નોટો લાવવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો. બીજું કે આ રીતની ચલણી નોટો છાપી શકાય કે કેમ ? કોઈ સાથે છેતરપિંડી કરવા માટે તો નોટનો ઉપયોગ થવાનો હતો કે કેમ? જેવા અનેક મુદ્દાઓ પર પોલીસ હાલ તાપસ કરી રહી છે. ઉપરાંત પોલીસ દ્વારા રિઝર્વ બેંકમાં અધિકારીઓની પણ મદદ લેવામાં આવી રહી છે.

ડ્રાઈવર હિતેશ કોટડીયા દીકરી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટનો ટ્રસ્ટી અને સ્થાપક છે. વર્ષ 2017 માં તેણે આ ટ્રસ્ટ શરૂ કર્યું હતું. હિતેશ કોટડીયાના જણાવ્યા અનુસાર કોઈ વેબ સીરીઝના શુટિંગ માટે આ નોટ લાવવામાં આવી હતી. પરંતું વેબ સીરિઝના શૂટિંગ માટે કોઈ લોકેશન કે કોઈ પ્રોડ્યુસર ડાયરેક્ટર બાબતે તે જવાબ આપી શક્યો નથી. ત્યારે હાલ પોલીસ સમગ્ર મામલે સઘન તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

બે બાહુબલીઓ વચ્ચે ગોંડલ બેઠક પર ઘમાસાણ, જયંતિ ઢોલે આત્મહત્યાની આપી ચીમકી

0

Fight between two Baahubalis on Gondal

  • રાજકોટની ગોંડલ વિધાનસભાની સીટ પર બે બાહુબલીઓ વચ્ચે ઘમાસાણ સર્જાયું છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ કરેલા આક્ષેપોની સામે રીબડા જૂથ પણ મેદાને આવી ગયું છે. રીબડા જૂથના મુખ્ય ટેકેદાર જયંતિ ઢોલે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, જયરાજસિંહ જાડેજાના પરિવાર સિવાય કોઇપણને ટિકીટ મળવી જોઇએ.

રાજકોટની ગોંડલ વિધાનસભાની (Gondal Assembly) સીટ પર બે બાહુબલીઓ વચ્ચે ઘમાસાણ સર્જાયું છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ (Jayaraj Singh Jadeja) કરેલા આક્ષેપોની સામે રીબડા જૂથ પણ મેદાને આવી ગયું છે. રીબડા જૂથના મુખ્ય ટેકેદાર જયંતિ ઢોલે (Jayanti Dhole) મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે જયરાજસિંહ જાડેજાના પરિવાર સિવાય કોઇપણને ટિકીટ મળવી જોઇએ.

ગોંડલ વિધાનસભા બેઠક રીબડા પંથકના (Diocese of Ribda) ગ્રામ્ય વિસ્તારોની લીડના કારણે જીતે છે. અમે પાર્ટીમાં રજૂઆત કરીશું કે જયરાજસિંહના પરિવાર સિવાય અન્ય કોઇપણને ટિકીટ મળવી જોઇએ. સાથે જ જયંતિ ઢોલે આત્મહત્યાની (Suicide) પણ ચીમકી આપી છે.

રાજકોટ-ગોંડલ વિધાનસભા સીટ પર બે બાહુબલીઓની લડાઇ ચાલી રહી છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ કરેલા આક્ષેપોની સામે રીબડા જૂથ પણ મેદાને છે. જયરાજ સિંહે કરેલા એક એક આક્ષેપોના જવાબ રીબડા જૂથે આપ્યા છે. રીબડા જુથના મુખ્ય ટેકેદાર અને પાટીદાર સમાજના અગ્રણી જયંતિ ઢોલે કહ્યું કે, જયરાજસિંહ જાડેજાના પરિવાર સિવાય કોઇપણને ટિકીટ મળવી જોઈએ.

ગોંડલ વિધાનસભા બેઠક રીબડા પંથકના ગ્રામ્ય વિસ્તારોની લીડના કારણે જીતે છે, અમે પાર્ટીમાં રજૂઆત કરીશું કે જયરાજસિંહના પરિવાર સિવાય કોઇપણને ટિકીટ મળવી જોઇએ. જો અન્ય વ્યક્તિને ટિકીટ મળી અને ન જીતાડી શકું તો માંડવી ચોકમાં આત્મહત્યા કરી લઇશ.

જયંતિ ઢોલે આગળ કહ્યું કે જ્યાં ભાજપને પોતાના ગામમાં કોઈ ઘૂસવા નહોતું દેતું. ત્યાં જઈ મેં ભાજપનો પ્રચાર પ્રસાર કર્યો છે. હું છેલ્લા 40 વર્ષથી ભાજપ માટે કામ કરું છું. જો જયરાજ સિંહ તેમજ તેમના પરિવાર સિવાયના લોકોને ટિકિટ આપવામાં આવશે તો તેને જીતાડવાની જવાબદારી મારી રહેશે. જો હું જીતાડું નહિ તો માંડવી ચોકમાં આવેલ માતાજીના મંદિરે આપઘાત કરીશ.

PM મોદીનો રોડ શો : મોદીનો સુરતમાં માહોલ બદલવાનો પ્રયાસ, ભીડ જોઈને ભાજપ ખુશ પણ આપ અને કોંગ્રેસને લાગશે ઝટકો

તો બીજી તરફ ટિકિટ મુદ્દે ગોંડલમાં રાજકારણ ગરમાયું છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું કે ભાજપમાંથી ટિકિટ મળશે તો જ પ્રચાર કરીશું. ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષ ટિકિટ આપશે તો લડશું નહિ. ભાજપ જયરાજસિંહ જાડેજાના પરિવારને ટિકિટ આપશે તો પણ અમે ભાજપ માટે જે કામ કરીશું. પણ ગોંડલ માટે કામ કરશે કે કેમ તે મુદ્દે કોઈ સ્પષ્ટતા નહિ.

રીબડા ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું કે અમારી પર રીબડા પરિવારનું કોઇ દબાણ નથી. રીબડા પરિવારને કારણે અમારી ઈન્ડસ્ટ્રીઝ સુરક્ષિત છે. જમીન વેચાણમાં પણ કોઇ દલાલી કે કંઇ આપવું પડ્યુ નથી.

આ પણ વાંચો :-

માનો જોરદાર ભક્ત કરે છે અનોખી સાધના : એક પગે ઊભો રહી કરે છે માની ઉપાસના

0

An ardent devotee of Mano

  • નવ દિવસ એક પગે ઉભા રહીને નકરોડા ઉપવાસ કરવા છતાં પણ સુરેશભાઈમાં તાજગી અને જોશ જોવા મળી રહ્યો છે. આ ભક્તની આવી આકરી આરાધનાના કારણે અનેક લોકો તેમના ઘરે આવીને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

નવરાત્રી (Navratri 2022) એટલે શક્તિની ભક્તિનું પર્વ નવરાત્રી એટલે માં નવદુર્ગાની (Navadurga in) પૂજા આરાધના અને અર્ચનાનું પર્વ નવરાત્રી દરમિયાન અનેક લોકો અલગ અલગ રીતે માતાજી ની પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે બનાસકાંઠાના (Banaskantha) એક યુવાન દ્વારા માતાજીની અનોખી રીતે આરાધના કરવામાં આવી રહી છે. પાલનપુર (Palanpur) તાલુકાના દલવાડા ગામના સુરેશભાઈ ચૌહાણ નામના ભકત દ્વારા નવરાત્રી દરમિયાન ઝાડ ઉપર દોરડું બાંધીને (Tie a rope) નવ દિવસ એક પગે ઉભા રહીને માતાજીની આરાધના કરવામાં આવી રહી છે.

નવ દિવસ એક પગે ઉભા રહીને નકરોડા ઉપવાસ કરવા છતાં પણ સુરેશભાઈમાં તાજગી અને જોશ જોવા મળી રહ્યો છે. આ ભક્તની આવી આકરી આરાધનાના કારણે અનેક લોકો તેમના ઘરે આવીને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

આધુનિક યુગમાં નવરાત્રીની ઉજવણી લોકો ડીજેના તાલે ગરબા ઘૂમી કરતા હોય છે. પરંતુ આજે અમે આપને એક એવા અનોખા ભક્ત બતાવીશું કે જે છેલ્લા 17 વર્ષથી નવરાત્રીના નવે નવ દિવસ એક પગે ઉભા રહીને પોતાનીમાં પ્રત્યેની અતૂટ આસ્થા બતાવી રહ્યા છે.

No description available.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના દલવાડા ગામનો હાથમાં માળા, ચહેરા પર તેજ અને એક પગે નવ દિવસ, 24 કલાક સુધી અડીખમ ઉભો રહેતો આ વ્યક્તિનું નામ છે સુરેશભાઈ ચૌહાણ. સુરેશભાઈના માતા પિતાને માતાજી પ્રત્યે ગઝબની આસ્થા હતી.

તેઓના આ ધાર્મિક સંસ્કાર સુરેશભાઈમાં ઉતર્યા હોવાથી તેઓ છેલ્લા પંદર વરસોથી નવરાત્રીના નવે નવ દિવસ એક પગે ઉભા રહી આરાધના કરે છે. તેઓનું માનવું છે કે આમ એક પગે ઉભા રહેવાથી તેમનું મનોબળ મજબૂત બને છે.

સુરેશભાઈના માતાપિતાએ તેમના બન્ને સંતાનોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યું હોવાથી સુરેશભાઈ 18 વર્ષના હતા. ત્યારથી જ પોતાના ઘરમાં નવરાત્રીના નવે નવ દિવસ 24 કલાક ઝાડ પર દોરડું બાંધીને એક પગે ઉભા રહે છે. તેમના પરિવારના તમામ સભ્યો 24 કલાક તેમની સેવા માટે હાજર રહે છે.

No description available.

એક પગે ઉભા રહેવાની સાથે તેઓ નવ દિવસ ઉપવાસ પણ કરતા હોવાથી પરિવારજનો તેમની ખુબ જ કાળજી રાખે છે. પરિવારજનો પણ માં માતાજીની આરતી ઉતારી નવરાત્રીનું વાતાવરણ ભક્તિમય બનાવી દે છે. સુરેશભાઈની આ સાધના નજરે નિહાળવા અનેક લોકો તેમના ઘરે આવતા જતાં રહે છે.

સુરેશભાઇની પત્ની મધુબેન ચૌહાણે જણાવ્યું હતું કે, હું મારા પતિની ભક્તિના કારણે હું ધન્યતા અનુભવું છું. જ્યારે ગામના એક સ્થાનિકે જણાવ્યું કે, સુરેશભાઈની આવી આકરી તપસ્યા જોઈને ગામના લોકો અહીં આવે છે અને માતાજીની પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવે છે.

આ પણ વાંચો :-

તમારી જાણ બહાર તમારા મોબાઇલનો ઉપયોગ થઇ રહ્યો છે ? આ ચકાસવા માટે 4 સ્ટેપ જાણો

Is your mobile being used without

  • આજના સમયે જો આપણે ઘરમાં બેસીને કંઇ કામ કરવું હોય તો તેના માટે મોબાઇલનો ઉપયોગ આવશ્યક બની ગયો છે. ઘરમાં બેસીને મૂવી જોવી હોય કે બેંક અંગે ટ્રાન્ઝીશન કરવા હોય.

સ્ટેપ 1

જો તમને એવી શંકા છે કે તમારી પીઠ પાછળ કોઇ તમારો ફોન ચોરી છૂપીથી વાપરી રહ્યું છે તો તેના વિષે તમે એક સિક્રેટ કોડ દ્વારા જાણી શકો છો.

સ્ટેપ 2

સૌથી પહેલાં તમને તમારા સ્માર્ટફોનના ડાયલપેડ પર જવાનું છે. અને ત્યાં કીપેડ પર *#*#4636#*#* નંબર ડાયલ કરવાનું છે. ત્યારબાદ તમારી સામે એક મેનૂ ખૂલશે.

સ્ટેપ 3 
હવે તમારે અહીં તમારે આ સેટિંગનો ઉપયોગ કરીને સાંખ્યિક એટલે કે usage statics પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમને એક લિસ્ટ દેખાશે. અહીં તમને એ જ એપ દેખાડશે જે તમારા ફોન પર ઉપયોગમાં લેવાયા છે.

PM મોદીનો રોડ શો : મોદીનો સુરતમાં માહોલ બદલવાનો પ્રયાસ, ભીડ જોઈને ભાજપ ખુશ પણ આપ અને કોંગ્રેસને લાગશે ઝટકો

સ્ટેપ 4
ત્યારબાદ તમને અહીં શોર્ટલિસ્ટ કરી અને લાસ્ટ ટાઇમ યૂઝ્ડ એપ કરીને જોવાનું છે. હવે તમને ખબર પડી જશે કે કઇ એપ છેલ્લે વાપરવામાં આવી હતી અને કેટલીવાર સુધી તેનો ઉપયોગ થયો હતો.

જો તમે આ એપ વાપરી છે તો બરાબર છે પરંતુ જો તમે આ એપનો ઉપયોગ કર્યો નથી તો તમારી પીઠ પાછળ કોઇ તમારો ફોન વાપરી રહ્યો છે. સિક્યોરિટી માટે તમે તમારા ફોનનો પાસવર્ડ પણ બદલી શકો છો.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ 30 સપ્ટેમ્બર ધર્મજ્યોતિષ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ ??

Today’s Horoscope 30 September Gujarat Guardian

મેષઃ ધારેલી આવક અટકતી જણાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવા ભાગ્ય સારૂં છે. નોકરી-ધંધામાં વિદસ શાંતિથી પસાર કરી દેવો.

વૃષભઃ આવક જળવાય. ધંધામાં ભાગીદારો સાથે આાનંદ વર્તાય. જીવનસાથી સાથે પ્રેમ વધે. પ્રેમ પાત્રનું મિલન શક્ય બને છે. રોમાંસનો અનુભવ થાય. અપચન, પેટની તકલીફો રહે. મિત્રોનો સાથ મળતો જણાય.

મિથુનઃ આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઇ, બહેનોથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફલતા મળતી જણાય. નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. દામ્પત્ય ક્ષેત્રે આનંદ

કર્કઃ આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. જૂના રોકાણો ફળદાયી નીવડે તથા નવા રોકાણો ફાયદાકારક સાબિત થતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ, સ્નાયુના દુઃખાવા, જ્ઞાનતંતુની સમસ્યાથી સાચવવું

સિંહઃ વિચારોમાં નકારાત્મકતા ટાળવી. આવક જળવાય. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. નવા રોકાણો ફાયદાકારક નીવડતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ, કાર્યક્ષેત્રે સફળતા.

કન્યાઃ આવક વધતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા દૂર થતી જણાય. પરિવારમાં સ્નેહનું વાતાવરણ પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અગત્યના કાર્યની શરૂઆત કરી શકો. આરોગ્ય જળવાય. ધંધામાં વિવાદ ટાળવો.

તુલાઃ માન-સન્માનમાં વધારો થતો જણાય. સ્ત્રી શણગાર તથા આઇસક્રીમનું ઠંડા પીણાના વ્યાપારમાં વિશેષ લાભ આવકનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની પ્રગતિ શક્ય બને. કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. સ્વસ્થ્ય સારૂં રહેશે.

વૃશ્ચિકઃ સંગીત પ્રત્યેનો પ્રેમ તથા વિજાતિય વ્યક્તિ તરફનં આકર્ષણ વધે. ઉન, વાળ, ધાતુને લગતા ધંધા અને શિક્ષક, જ્યોતિષ, મેનેજર જેવા વ્યવસાયમાં વિશેષ લાભ. પેટના રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

ધનઃ સેવાકીય પ્રવૃત્તિને યશ, પ્રતિષ્‍ઠા વધતી જણાય. આવક મર્યાદીત રહે. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક યાત્રા-પ્રવાસનું શક્ય બને. માનસિક રોગોની કાળજી રાખવી.

મકરઃ મિત્રોથી લાભ, જૂના મિત્રોની મુલાકાત થાય. નવી મિત્રતા શુભ ફળદાયી નીવડે લક્ષ્મીની વખતમાં હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વૃદ્ધિ થાય. વિદ્યાર્થી મિત્રો માટે શુભ. હાડકાના રોગોથી સાચવવું

કુંભઃ નકારાત્મકતા વિચારો લાગવા. નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. નવી નોકરી કરે ધંધાની શરૂઆત શક્ય બને. હાલના નોકરી-ધંધામાં આનંદ વર્તાય. માતા-પિતાનું આરોગ્ય જળવાય. પત્ની સાથે વાદ-વિવાદ ટાળવો.

મીનઃ આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યના બળે ઓછી મહેનતે વધુ કામ કરી શકાય. આવક જળવાય, પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પ્રિન્ટીંગ, સ્ટેશનરી, એક્સપોર્ટ, ઇમ્પોર્ટના ધંધામાં લાભ-આંખની કાળજી રાખવી

આ પણ વાંચો :-

ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડા વડોદરામાં ગરબે ઘૂમ્યા, ખુશ થઈને જાણો શું કહ્યું ?

0

Olympic gold medalist Neeraj Chopra

  • ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનારા એથલીટ નીરજ ચોપડા ગઈ કાલે વડોદરાના મહેમાન બન્યા. અહીં તેમણે ગરબા મહોત્સવમાં ભાગ લીધો અને લોકો સાથે ગરબે પણ ઘૂમ્યા. માતાજીની આરતી પણ કરી.

ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) ભાલા ફેંકમાં (javelin throw) ગોલ્ડ મેડલ જીતનારા એથલીટ નીરજ ચોપડા (Athlete Neeraj Chopra) ગઈ કાલે વડોદરાના (Vadodara) મહેમાન બન્યા. અહીં તેમણે ગરબા મહોત્સવમાં ભાગ લીધો અને લોકો સાથે ગરબે પણ ઘૂમ્યા. માતાજીની આરતી પણ કરી. વડોદરાના ગરબા નિહાળી નીરજ ચોપડા ખુશ થઈ ગયા. શહેરના નવલખી મેદાનમાં આયોજિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં (Vadodara Navratri Festival) નીરજ ચોપડાએ ભાગ લીધો હતો.

નીરજ ચોપડાએ ગુજરાતનું ગૌરવ એવા ગરબાનો આનંદ માણ્યો હતો. ગરબે ઘૂમ્યા બાદ નીરજ ચોપડાએ કહ્યું કે, આટલી મોટી સંખ્યામાં એકસાથે ભેગા થઈ રમતા લોકોને પહેલીવાર જોયા. આ ઉપરાંત તેમણે આવનાર નેશનલ સ્પોર્ટ્સ ગેમના સ્પર્ધકોને શુભકામના પણ પાઠવી. નીરજ ચોપડાએએ કહ્યું કે દેશમાં સ્પોર્ટ્સનું ભાવિ ઉજ્જવળ છે. દેશમાં ખેલને વધુ પ્રોત્સાહન મળે તે માટે પીએમ મોદી સાથે મળવાની પણ વાત તેમણે કરી.

નીરજ ચોપડાનો ગરબે ઘૂમતો વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતના ગરબા વર્લ્ડ ફેમસ છે ત્યારે નીરજ ચોપડા પોતે પણ આ અવસરે ગુજરાત આવ્યા તો પોતાની જાતને ગરબા રમતા રોકી શક્યા નહીં.

અત્રે જણાવવાનું કે નીરજ ચોપડા નેશનલ ગેમ્સ અર્થે ગુજરાતમાં છે. ગુજરાતના 6 શહેરોમાં થનારા નેશનલ ગેમ્સનું આજે પીએમ મોદી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉદ્ધાટન કરશે. 7 વર્ષના લાંબા સમયગાળા બાદ નેશનલ ગેમ્સ થઈ રહી છે. છેલ્લા 2015માં કેરળમાં તેનું આયોજન થયું હતું. આ વખતે 7000થી વધુ એથલીટ 36 અલગ અલગ સ્પોર્ટિંગ ઈવેન્ટમાં ભાગ લેશે.

આ પણ વાંચો :-