Home Blog Page 1295

Irani Cup 2022 : મયંક અગ્રવાલને માથામાં બોલ વાગતાં પહોંચી ઈજા, હોસ્પિટલ લઇ જવાયા

0

Irani Cup 2022: Mayank Agarwal injured

  • સૌરાષ્ટ્રની બીજી ઇનિંગની શરૂઆતના ઠીક પહેલાં મયંકના માથા પર થ્રો વાગ્યા બાદ તેમને સાવધાનીના ભાગરૂપે સિટી સ્કેન માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

ભારતીય બેટ્સમેન (Indian batsman) મયંક અગ્રવાલને (Mayank Aggarwal) માથા પર બોલ વાગ્યા બાદ રવિવારે તેમને હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ ઘટના રાજકોટમાં સૌરાષ્ટ્ર (Saurashtra) વિરૂદ્ધ ચાલી રહેલી ઇરાની ટ્રોફી મેચના બીજા દિવસની છે. ઇરાની કપ રણજી ટ્રોફી (Ranji Trophy) વિજેતાઓ અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે રમાય છે.

રાજકોટમાં રેસ્ટ ઓફ ઈન્ડિયા અને 2019-20 રણજી ટ્રોફી ચેમ્પિયન સૌરાષ્ટ્ર વચ્ચે એકતરફી મેચ ચાલી રહી છે. તમને જણાવી દઇએ કે સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઈન્ડિયા (Rest of India) વચ્ચે મેચ 2020 માં કોવિડ 19ના કારણે ઇરાની કપ સ્થગિત કરવામાં આવ્યો હતો.

સ્પોર્ટ્સ્ટારના અહેવાલ અનુસાર સૌરાષ્ટ્રની બીજી ઇનિંગની શરૂઆતના ઠીક પહેલાં મયંકના માથા પર થ્રો વાગ્યા બાદ તેમને સાવધાનીના ભાગરૂપે સિટી સ્કેન માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. સરફરાજે પોતાની બેટીંગનું પ્રદર્શન કરતાં પહેલાં 31 વર્ષીય મયંકને શનિવારે 14 બોલમાં રન બનાવ્યા હતા.

રેસ્ટ ઓફ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રેસ્ટ ઓફ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મુકેશ કુમાર, ઉમરાન મલિક અને કુલદીપ સેને સૌરાષ્ટ્રની બેટીંગ એકમને ફક્ત 98 રન પર સમેટી દીધી. મુકેશે પહેલી ઇનિંગમાં 4 વિકેટ પ્રાપ્ત કરી. જ્યારે ઉમરાન મલિક અને કુલદીપે ત્રણ-ત્રણ વિકેટ પ્રાપ્ત કરી છે.

પોતાની પહેલી ઇનિંગમાં રેસ્ટ ઓફ ઈન્ડિયાએ ઘરેલૂ ક્રિકેટમાં આ ફોર્મ સરફાજ ખાનની વધુ એક સદી અને કેપ્ટન હનુમા વિહારી 82 રનોની ભાગીદારી ઇનિંગની મદદથી 374 રન બનાવ્યા. બીજા દિવસે રમત પુરી થયા બાદ સૌરાષ્ટ્રનો સ્કોર 49/2 હતો.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

સરફરાજે 178 બોલમાં 77.52 ના સ્ટ્રાઇક રેટ સથે 20 ચોગ્ગા અને 2 સિક્સરની મદદથી 178 રનની ઇનિંગ રમી. રેસ્ટ ઓફ ઈન્ડિયાએ પહેલી ઇનિંગમાં 276 રનની લીડ લીધી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રની શરૂઆત ખરાબ રહી. જયદેવ ઉનડકટની ટીમના ઓપનર બેટ્સમેઅન હાર્વિક દેસાઇ 20 અને સ્નેહલ પટેલ 16 રન બનાવીને 15 ઓવરની અંદર જ પેવેલિયન પરત ફર્યા હતા. બીજા દિવસની રમત પુરી થાય ત્યાં સુધી સૌરાષ્ટ્ર 227 રનની ઈનિંગથી પાછળ રહી.

આ પણ વાંચો :-

અલ્પેશ ઠાકોરની ચૂંટણી લડવાની ઈચ્છા, રાધનપુરમાં કહ્યું- મારે અહીં પરણવું છે, તમારે મને પરણાવવાનો છે

0

Alpesh Thakor wants to contest, says in

  • ગુજરાતમાં ડિસેમ્બર મહિનાના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે નેતાઓએ તૈયારી શરૂ કરી દીધી છે. હવે ભાજપ નેતા અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે.

પાટણના રાધનપુરથી (Radhanpur of Patan) અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) પોતાની રાજકીય જાન જોડવાની તૈયારી કરી રહ્યા છે. અલ્પેશ ઠાકોર પોતે પરણવા માગે છે અને પોતાની જાનમાં રાધનપુરની (Radhanpur) જનતાને લઈ જવા માગે છે. આ પ્રકારનું અલ્પેશ ઠાકોરનું નિવેદન હાલ ચર્ચામાં છે.. જુઓ શું છે અલ્પેશ ઠાકોરનું રાજકીય જાન જોડવાનું સપનું.

આ નિવેદન છે OBC નેતા અલ્પેશ ઠાકોરનું.. 

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પાટણના રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ફરી એકવાર પોતાની રાજકીય જાન જોડવા માગે છે. એટલા માટે તેઓ રાધનપુરની જનતાને અપીલ કરી રહ્યા છે. એટલે કે અલ્પેશ ઠાકોરની રાધનપુરથી ચૂંટણી લડવાની ઈચ્છા છે.

રાધનપુર ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની અધ્યક્ષતામાં દૂધ દિવસ અને મહિલા જાગૃતિ કાર્યકમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં દુધ ઉત્પાદકો અને મહિલાઓ ઊપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય લવિંગજી સોલંકી, ડો.દેવજીભાઈ પટેલ, લેબાજી ઠાકોર અને ભાજપના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું. એટલું જ નહીં ઈશારામાં અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરી વિશે પણ જાહેરાત કરી દીધી.

વર્ષ 2017માં ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સેના ઊભી કરી દારૂબંધી, વ્યસન મુક્તિ સાથે અલ્પેશ ઠાકોર મેદાન ઉતર્યા હતા અને ઓબીસી સમાજની અંદર હીરો થયા હતા. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતાની સાથે જ વર્ષ 2017માં અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા. ગુજરાત કોંગ્રેસે વર્ષ 2017માં અલ્પેશ ઠાકોરને રાધનપુર વિધાનસભા બેઠક પર ચૂંટણી લડાવી હતી.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પરથી ધારાસભ્ય બન્યા પરંતુ અલ્પેશ ઠાકોરની કોંગ્રેસ સાથેની દોસ્તી ખૂબ લાંબો સમય ચાલી ન હતી. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી બાદ અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા. ત્યારબાદ રાધનપુર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર પણ બન્યા. જો કે અલ્પેશ ઠાકોર ચૂંટણી હારી ગયા હતા. પરંતુ હવે ફરી એકવાર રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડવા માટે અલ્પેશ ઠાકોર મથામણ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

પિઝા ડિલિવરી બોય બન્યો 6000 કરોડનો માલિક, દુનિયામાં જોવા મળ્યો બ્રાન્ડનો ઝલવો

The pizza delivery boy became the owner

  • પિઝા ડિલિવરી બોય બન્યો 6000 કરોડનો માલિક, દુનિયામાં જોવા મળ્યો બ્રાન્ડનો જલવો ફર્શથી અર્શ સુધી પહોંચી ગયો છે. આજે દુનિયામાં આ યુવા કારોબારીની ચર્ચા છે. તેની બ્રાન્ડનો જલવો ન માત્ર અમેરિકા અને યુરોપ પરંતુ ધરતીના દરેક ખુણામાં જોવા મળ્યો છે.

ચોંકાવનારી વાત છે કે આ યુવા એક સમયે પિઝાની ડિલિવરી (Pizza delivery) કરતો હતો. આજે તેની નેટવર્થ 6000 કરોડ રૂપિયાથી વધુ છે. તેનું નામ ફોર્બ્સના લિસ્ટમાં (Forbes list) પણ સામેલ થઈ ચુક્યુ છે. અસંભવને સંભવ કરી દેખાડનાર આ બિઝનેસમેનનું નામ છે બેન ફ્રાન્સિસ (Ben Francis). જેણે 30 વર્ષની ઉંમરમાં તે મેળવી લીધું જે ઘણા લોકો 100 વર્ષ જીવ્યા બાદ પણ મેળવી શકતા નથી. આવો જાણીએ બેન ફ્રાન્સિસની (Ben Francis) સક્સેસ સ્ટોરી.

દિલ્હીના સરોજની નગર કે જનપથની જેમ યુરોપની કોઈ બજારમાં ક્યારેક પોતાના પિતાની નાની કપડાની દુકાન ચલાવનાર બેન ફ્રાન્સિસે જે ચમત્કાર કર્યો આજે દુનિયા તેને નમસ્કાર કરી રહી છે. ‘ધ સન’માં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે યુકેમાં રહેનાર બેન ફ્રાન્સિસને જિમનો ખુબ શોખ હતો. પરંતુ તેને પોતાની પસંદના જિમ લાયક કપડા મળી રહ્યાં નહોતા.

ત્યારે અચાનક એક દિવસ તેના મગજમાં એવો આઈડિયો આવ્યો કે તેણે ખુદના કપડા બનાવવાનો નિર્ણય કરી લીધો. આ દરમિયાન બેન બર્મિંધમની એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની સાથે સામાન પહોંચાડનાર ડિલીવરી બોયની નોકરી કરી ખુદનો ખર્ચ કાઢતો હતો.

બેન જિમમાં કલાકોનો સમય પસાર કરે છે. જિમ કરવાની સાથે તેણે એક ગેરેજમાં પોતાની નાની કપડાની દુકાન લગાવી હતી. જ્યાં તે પોતાની પસંદના કપડા બનાવી વેચતો હતો. શરૂઆતમાં તેને પોતાના ડિઝાઇનર કપડાથી મોટો ફાયદો થયો. આગળ ચાલીને તેણે પોતાના જિમ વિયર્સના બિઝનેસને Gymsharkનું નામ આવ્યું અને એક નાની કંપની બનાવી લીધી.

યુરોપમાં સોશિયલ મીડિયાની સફળતાના કિસ્સા ભારત પહેલા શરૂ થઈ ગયા હતા. ઈન્ટરનેટે યુવાઓને જે તાકાત આપી તેનો સાચો ઉપયોબ બેને પોતાની નાની કંપનીને એક મોટી બ્રાન્ડ બનાવવા માટે કર્યો. તેના કપડા એવા હતા કે થોડા સમયમાં બ્રિટનમાં Gymshark નો દબદબો બની ગયો.

બેન ફ્રાન્સિસનું નામ ફોર્બ્સના લિસ્ટમાં પણ સામેલ થઈ ચુક્યુ છે. તેણે 2012માં પોતાના માતા-પિતાના ગેરેજમાં એક નાની કપડાની દુકાન ચાલુ કરી હતી. તે શોપ દુનિયામાં એક મોટી બ્રાન્ડ બની ચુકી છે. આ બ્રાન્ડની પોપ્યુલારિટીએ 5 વર્ષમાં સફળતાનો નવો ઈતિહાસ રચી દીધો છે.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

આજે જિમશાર્કના માલિક બેન ફ્રાન્સિસની કંપનીમાં 70 ટકાથી વધુ ભાગીદારી છે. પાછલા વર્ષમાં તેની નેટ વર્થ 700 મિલિયન પાઉન્ડ (6371 કરોડ રૂપિયા) હતી. બેન જલદી જુડવા બાળકોનો પિતા બનવાનો છે. આજે તેની પાસે લગ્ઝરી કારનો કાફલો છે. તે સોશિયલ મીડિયા પર પોતાની શાહી જિંદગીની તસવીરો શેર કરતો રહે છે.

આ પણ વાંચો :-

Tata Motorsનું મોટું એલાન : Electric Car ખરીદનારાઓ થઈ જશે ખુશખુશાલ, જાણો વિગત

Big announcement of Tata Motors

  • ટાટા મોટર્સ દેશની સૌથી વધુ ઈલેક્ટ્રીક કાર વેચનારી કંપની છે. કંપની સતત પોતાના ઈલેક્ટ્રીક પોર્ટફોલિયોને અપડેટ કરી રહી છે અને તેમાં નવા મોડલ્સ જોડી રહી છે.

ટાટા મોટર્સે (Tata Motors) કહ્યું છે કે કંપની પોતાની ઈલેક્ટ્રીક એસયુવી (Electric SUV) વાહનોમાં 4 વ્હીલ ડ્રાઈવ ટેકનિક આપવા પર વિચાર કરી રહી છે. કંપની હાલમાં પોતાના કોઈ પણ ઈલેક્ટ્રીક મૉડલમાં (Electric model) આ ફીચરને ઑફર કરી રહી નથી. કંપનીએ વર્ષ 2025 સુધી 10 ઈલેક્ટ્રીક વેહીકલ્સનો પોર્ટફોલિયો (portfolio) બનાવવાનો ટાર્ગેટ રાખ્યો છે. જેમાં હાલના મૉડલ અને નવા મૉડલનો સમાવેશ થશે.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

ટાટા મોટર્સ નેકસૉન પરથી સેગ્મેન્ટવાળા વાહનોમાં 4*4 અથવા ચાર પૈડાવાળી ડ્રાઈવ ટેકનિક આપવા પર વિચાર કરી રહ્યાં છે. ટાટા મોટર્સના મેનેજિંગ ડાયરેક્ટર શૈલેષ ચંદ્રએ કહ્યું કે શું કંપની પોતાની એસયુવી સિરીઝમાં ફોર વ્હીલ ડ્રાઈવના વર્જન પર પણ વિચાર કરી રહી છે. તેમણે કહ્યું અમે ઈલેક્ટ્રીક વાહનોમાં આ કરવા વિશે ધ્યાન આપીશુ. અમે અમારી ભાવિ એસયુવીના ઈલેક્ટ્રીક વર્જનમાં તેના પર કામ કરવા જઇ રહ્યાં છે.

શું કરે છે 4 વ્હીલ ડ્રાઈવ ફીચર :

ખરેખર કોઈ પણ કારમાં મળતા 4 વ્હીલ ડ્રાઈવ ફીચર કારના ચાર પૈડાને પાવર આપવાનુ કામ કરે છે. જેની મદદથી તમે મુશ્કેલીભર્યા રસ્તા જેમકે ખાડા, કીચડ અથવા બરફમાંથી પણ પોતાની કારને નિકાળી શકો છો. ઉલ્લેખનીય છે કે મહિન્દ્રા પોતાની ચાર કાર- થાર, એક્સયુવી 700, સ્કોર્પિયો-એન અને અલ્ટુરાસ જી4માં આ ફીચરને આપે છે.

આ પણ વાંચો :-

04 ઓકટોબર 2022, આજનું રાશિફળ : માતા સિદ્ધિદાત્રી આ રાશિના લોકોની પૂરી કરશે દરેક મનોકામના

04 October 2022, Today’s Horoscope: Mata Siddhidatri will fulfill all the wishes of

મેષ :
તમારો આજનો દિવસ સારો રહેશે. આજે તમારા જીવનસાથીને વ્યવસાયને આગળ વધારવામાં મદદ મળશે. આજે તમે નવા પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે તૈયાર રહેશો. પ્રોફેસરો માટે આજનો દિવસ શાનદાર રહેવાનો છે. આજે સ્વાસ્થ્ય પહેલા કરતા ઘણું સારું રહેશે. માતાના આશીર્વાદ લો, પ્રગતિના નવા રસ્તા મળશે.

વૃષભ :
વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ કારકિર્દીમાં નવો બદલાવ લાવશે. જો તમે નવો બિઝનેસ શરૂ કરી રહ્યા છો, તો ઘરના વડીલોનો અભિપ્રાય ચોક્કસ લો. આજે બધા તમારી વાત ધ્યાનથી સાંભળશે. આજે તમે તમારા જીવનસાથીને જરૂરી કંઈક ભેટ કરશો. મા કાલરાત્રી વાંચો, તમને કષ્ટોમાંથી મુક્તિ મળશે.

મિથુન :
તમારો આજનો દિવસ સારો છે. કોઈ ખાસ કામમાં મિત્રોનો સહયોગ મળશે. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. વિદ્યાર્થીઓને નવો પ્રોજેક્ટ મળશે. આજે તમને પૈસા કમાવવાની તકો મળશે. આજે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. ગોળની બનેલી વસ્તુઓ દુર્ગા માને અર્પણ કરો, તમને અટકેલા કાર્યોમાં સફળતા મળશે.

કર્ક :
આજનો દિવસ તમારા માટે ખાસ રહેવાનો છે. બાળકો તમારી વાતોથી પ્રભાવિત થશે. ઉચ્ચ અધિકારી સાથે તમારા સંપર્કને કારણે સરકારી કામમાં લાભ થશે. ઘરના કામકાજ અંગે મહિલાઓની જવાબદારીઓ વધશે. આજે તમે વિચારોમાં જ રહેશો. માતાને લાલ ચુન્રી અર્પણ કરો, લગ્નમાં આવતી સમસ્યાઓ દૂર થશે.

સિંહ  :
આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે. આજે જો તમે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લઈને કામ કરશો તો તમને સફળતા મળશે. ઈલેક્ટ્રોનિક કામ સાથે જોડાયેલા લોકોને આજે વધુ પૈસા મળશે. વ્યાપારીઓને આજે મોટો ફાયદો થવાની તકો મળી રહી છે. માતાને લવિંગ અર્પણ કરો, પ્રમોશનની તકો મળશે.

કન્યા :
આજે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. જો તમારું કાર્ય શૈક્ષણિક સંસ્થા સાથે સંબંધિત છે તો આજે ફાયદો થશે. વ્યવસાયિક પ્રગતિ માટે દિવસ અનુકૂળ છે. તમે ફોન પર કોઈની સાથે વાત કરશો, જેની પાસેથી તમને ભવિષ્યમાં ચોક્કસ ફાયદો થશે. જરૂરિયાતમંદની મદદ કરો, સમાજમાં માન-સન્માન વધશે.

તુલા :
તમારો આજનો દિવસ સારો રહેશે. કોઈપણ કામમાં ઉતાવળ કરવાને બદલે ધીરજથી કામ લેવું જોઈએ. આજે તમારે કોઈપણ પ્રકારની મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.

વૃશ્ચિક :
આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. કોન્ટ્રાક્ટનું કામ કરનારા લોકોને આજે નવો કોન્ટ્રાક્ટ મળશે. ઓફિસના લોકો તમારા કામની ખૂબ પ્રશંસા કરશે. આ રાશિના ફેશન ડિઝાઈનીંગના વિદ્યાર્થીઓને કંઈક નવું શીખવા મળશે. મા દુર્ગાને ખોયા અર્પણ કરો, જીવનમાં સુખ રહેશે.

ધનુ :
આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. આજે તમે કોઈ ખાસ સંબંધી સાથે વાત કરશો, તેમની સાથે બિઝનેસ શરૂ કરવા વિશે વાત કરશો. આજે તમે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવા માટે નવી યોજના બનાવશો.

મકર :
આજે પારિવારિક સુખમાં વધારો થશે. આજે તમે તમારા કરિયરને લઈને કેટલાક સારા નિર્ણયો લેશો. આજે તમે તમારા કાર્યો સમયસર પૂર્ણ કરી શકશો.

કુંભ :
આજનો દિવસ તમારા માટે શાનદાર રહેવાનો છે. આજે ઉચ્ચ અધિકારીઓ સાથેની ઓળખાણ તમારા માટે કામમાં આવશે. કરિયરમાં પ્રગતિની તકો છે.

મીન :
આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. કાર્યસ્થળમાં નવા વિચારોને અમલમાં મૂકવા માટે દિવસ સારો છે. આજે તમે જે પણ કરવાનું વિચારશો તેમાં સફળતા મળશે.

આ પણ વાંચો :-

મિસ ઈન્ડિયા બન્યા પછી શ્યામ વર્ણ પર લોકો કરે છે ટિપ્પણી, કામ પણ નથી મળતું, સલમાન ખાન સામે ભાવુક થઈ માન્યા સિંહ

After becoming Miss India, people are commenting  આ વખતે બ્યુટી ક્વીન માન્યા સિંહે પણ ટીવી ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો અને હિટ રિયાલિટી શો બિગ બોસના ઘરમાં એન્ટ્રી લીધી છે.

ટીવી ઇન્ડસ્ટ્રીનો (TV industry) સૌથી મોટો અને હિટ રિયાલિટી શોની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે અને શો માં સલમાન ખાને (Salman Khan) તેના કન્ટેસ્ટન્ટનું ભવ્ય અંદાજમાં સ્વાગત કર્યું હતું અને આ વખતે બ્યુટી ક્વીન માન્યા સિંહે (Manya Singh) પણ ટીવી ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો અને હિટ રિયાલિટી શો બિગ બોસના (Big Boss) ઘરમાં એન્ટ્રી લીધી છે.

માન્યા સિંહ તેના સપના સાચા કરવા આવી છે અને શો માં આવતા જ તેમણે કહ્યું હતું કે જો કોઈ પણ કામ ઈમાનદારી અને મહેનતથી કરવામાં આવે તો તે પૂરું થાય જ છે.

મિસ ઈન્ડિયા બન્યા પછી પણ માન્યા ને કેમ ન મળ્યું કામ ?

મિસ ઈન્ડિયા રનર અપ માન્યા સિંહે શો માં આવીને જણાવ્યું હતું કે તેને જીવનમાં કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. માન્યાએ કહ્યું હતું કે ‘લોકો એમ વિચારે છે કે મિસ ઈન્ડિયા બન્યા પછી જીવન બદલાઈ જાય, ઘણા પૈસા મળે પણ સચ્ચાઈ એ છે કે મિસ ઈન્ડિયા રનર અપ બન્યા પછી પણ મને કોઈ કામ મળ્યું નથી અને 2 વર્ષના લાંબા સમય પછી મને એક કોમર્શિયલ મળ્યું હતું.’

માન્યા રંગ પર લોકો કરતાં હતા કોમેન્ટ :

માન્યાએ આગળ કહ્યું હતું કે, ‘મિસ ઈન્ડિયા રનર અપ બન્યા પછી લોકો મારા શ્યામ રંગ પર ટિપ્પણી કરતા હતા અને હજુ પણ મારા પિતા ઓટો રિક્ષા ચલાવે છે અને હું મારા પિતાની ઓટોમાં મુસાફરી કરું છું જેથી પૈસા બચી શકે અને મારી માતા હજુ પણ લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે.’

માન્યાની સ્ટોરી સાંભળીને પ્રભાવિત થયો સલમાન ખાન :

માન્યા સલમાનને પોતાની સ્ટ્રગલિંગ સ્ટોરી સંભળાવતી વખતે થોડી ઈમોશનલ થઈ ગઈ હતી. માન્યતાએ જણાવ્યું હતું કે એ આ શોમાં પૈસા કમાવા આવી છે. માન્યાની સ્ટ્રગલ સ્ટોરી સાંભળીને સલમાન પણ તેનાથી ઘણો પ્રભાવિત થયો હતો અને સલમાને કહ્યું હતું કે આ શો પછી તેને નામ અને પૈસા બધું જ મળશે.

આ પણ વાંચો :-

આણંદમાં સોસાયટીમાં ગરબા રમતા રમતા અચાનક યુવકનું મોત, VIDEO થયો વાયરલ

0

A young man died suddenly while

  • આણંદના તારાપુરમાં યુવકને ગરબા રમતી વેળાએ ચક્કર આવ્યા બાદ યુવાનનું મોત નીપજતા હાહાકાર મચી ગયો છે.

આણંદ સહીત દેશભરમાં નવલા નોરતાને લઇને માઇ ભક્તો માતાજીની (Mai Bhakto Mataji) આરાધનામાં લીન્ન બન્યા છે. બીજી તરફ ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. તેવામાં આણંદના તારાપુર (Tarapur) શિવશક્તિ સોસાયટીમાં પણ ગરબા મહોત્સવનું (Garba festival) આયોજન કરવામાં આવ્યું છે. આ વેળાએ એક કરુણ ઘટના સામે આવી હતી. જેમાં એક યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

ઘટનાનો વીડિયો વાયરલ થતા તારાપુર પંથકમાં ચકચાર :

તારાપુર શિવશક્તિ સોસાયટીમાં ગરબા રમતી વેળાએ એક યુવકને ચક્કર આવ્યા હતા. ચક્કર આવતાની સાથે જ યુવાન મેદાનમાં ઢળી પડતાં નાશભાગ મચી જવા પામી હતી.

ત્યારબાદ ચક્કર ખાઈને પડેલા યુવકનું ઘટનાસ્થળે જ લાખો લોકોની નજર સામે મોત નીપજ્યું હતું. જે ઘટનાને લઇને ગરબાની મોજ માતમમાં ફેરવાઇ ગઇ હતી. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો પણ વાયરલ થયો હતો.

આ પણ વાંચો :-

સાવધાન ! ઘરે ચાર્જિંગ થઈ રહેલા ઈલેક્ટ્રિક સ્કૂટરમાં થયો ઓચિંતો ધમાકો, 7 વર્ષના બાળકનું મોતઃ દાદીને થઈ ઈજા

0

Caution! Electric scooter charging at home

  • ઈલેક્ટ્રિક સ્કૂટરની બેટરીમાં ધમાકો થતાં કહેતાં બેટરી ફાટતાં 7 વર્ષના બાળકનું મોત થયું હતું. આ ઘટના મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના વસઈ વિસ્તારની છે.

વિસ્ફોટને (Explosion) કારણે બાળકનું શરીર 70 ટકા બળી ગયું હતું. સ્કૂટરમાં બ્લાસ્ટની (Blast in a scooter) આ ઘટના 23 સપ્ટેમ્બરની રાત્રે બની હતી. રામદાસ નગર સ્થિત પોતાના ઘરમાં સબ્બીર અંસારી (Sabbir Ansari) તેની દાદી સાથે હોલમાં સૂઈ રહ્યો હતો. બતાવવામાં આવી રહ્યું છે કે અંસારીના પિતાએ સૂવા જતા પહેલા ઈલેક્ટ્રિક સ્કૂટરને (Electric scooter) ચાર્જિંગ માટે મૂક્યું હતું. વહેલી સવારે 4:30 થી 5:00 વાગ્યાની વચ્ચે અચાનક ધડાકાનો અવાજ સંભળાયો જેનાથી બાળકના માતા-પિતા જાગી ગયા.

દાદીને અકસ્માતમાં સામાન્ય ઈજા થઈ :

ચાર્જિંગમાં રહેલા સ્કૂટરમાં થયેલા બ્લાસ્ટને કારણે સબ્બીર લગભઘ 70 ટકા જેટલો દાઝી ગયો હતો. તેને ઝડપથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ઘણા દિવસોની સારવાર બાદ આખરે બાળકનું મોત થયું હતું. સાથે જ આ અકસ્માતમાં તેની દાદીને પણ સામાન્ય ઈજા થઈ છે. સ્કૂટરની બેટરી ક્યારે ચાર્જિંગ માટે રાખવામાં આવી હતી તેને લઈને સ્થિતિ સ્પષ્ટ કરાયેલી નથી. પીડિતાના પરિવારજનોનો દાવો છે કે તે સવારે 2:30 વાગ્યે ચાર્જિંગ માટે લગાવવામાં આવી હતી.

પરિવારના સભ્યોનો સ્કૂટર ઉત્પાદક પર આરોપ :

પીડિતાના પરિવારના સભ્યો સ્કૂટર ઉત્પાદક પર આરોપ લગાવી રહ્યા છે. માણિકપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સંપત પાટીલે કહ્યું,અમે અકસ્માત હેઠળ મૃત્યુનો કેસ નોંધ્યો છે. હજુ સુધી અમને પીડિતાના પરિવારજનો તરફથી કોઈ ફરિયાદ મળી નથી.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

આ સ્કૂટર 2021નું મોડલ છે. આ મામલે તપાસ ચાલુ છે. પ્રાથમિક તબક્કે એવું માનવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ઓવરહિટિંગ કહેતા વધુ પડતી ગરમીના કારણે બની હશે. અંસારીના પરિવારના સભ્યો સ્કૂટર ઉત્પાદક પર આરોપ લગાવી રહ્યા છે.

આ પણ વાંચો :-

ચૂંટણી પંચનું મોટું એલાન ! આ 6 રાજ્યોની ખાલી બેઠકો માટે જાહેર કરી પેટા-ચૂંટણીની તારીખ, જાણો વિગત

0

Haryana, Telangana Election Commission big announcement

  • ભારતીય ચૂંટણી પંચે 6 રાજ્યોમાં ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજવાનું શેડ્યૂલ જાહેર કર્યું છે.

બુધવારે ECI સેક્રેટરી સંજીવ કુમાર પ્રસાદ (Sanjiv Kumar Prasad) દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ મહારાષ્ટ્ર, બિહાર, હરિયાણા, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને ઓડિશા રાજ્યોની સાત સીટો માટે પેટાચૂંટણીની (By-election) પ્રક્રિયા 14 ઓક્ટોબરથી શરૂ થશે. આ તમામ બેઠકો માટે પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે અને ચૂંટણી પરિણામ 6 નવેમ્બરે આવશે.

જાણો ક્યાં યોજાશે પેટા ચૂંટણી :

ECIના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રની 166-અંધેરી પૂર્વ, બિહારની 101-ગોપાલગંજ અને 178-મોકામા, હરિયાણાની 47-આદમપુર, તેલંગાણાની 93-મુનુગોડે, ઉત્તર પ્રદેશની 139-ગોલા ગોકરનાથ અને 46-ધામનગર (SC) વિધાનસભા બેઠકો ઓડિશામાં પરંતુ પેટાચૂંટણીઓ ગુરુવાર, 3 નવેમ્બર, 2022 ના રોજ એક જ દિવસે યોજાશે નહીં. આ તમામ બેઠકોના પરિણામો 6 નવેમ્બર, 2022, રવિવારના રોજ આવશે.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

17 ઓક્ટોબરે જાહેર થશે ગેઝેટ નોટિફિકેશન :

આ તમામ બેઠકોની પેટાચૂંટણી અંગેનું ગેઝેટ નોટિફિકેશન 7 ઓક્ટોબરે બહાર પાડવામાં આવશે. આ પછી આદર્શ આચારસંહિતા લાગુ થશે. તે જ સમયે નોમિનેશનની પ્રક્રિયા 14 ઓક્ટોબરથી શરૂ થશે, અને છટણી 15 ઓક્ટોબરે થશે, 17 ઓક્ટોબરે નામાંકન પાછું ખેંચવામાં આવશે.

પેટા-ચૂંટણી પ્રક્રિયાનું શેડ્યૂલ :

નોંધણી તારીખ – 14 ઓક્ટોબર
17 ઓક્ટોબરે નામાંકન પરત ખેંચાશે
ચૂંટણીની તારીખ – 3 નવેમ્બર
ચૂંટણી પરિણામો – નવેમ્બર 6

આ પણ વાંચો :-

ખોરાકના બગાડમાં ભારત બીજા નંબરે, જાણો છતાં કેમ રોજ ભૂખ્યા સૂવે છે 19 કરોડ લોકો

0

India ranks second in food wastage

  • UNEPના રિપોર્ટ પ્રમાણે ખોરાકના બગાડના મામલામાં પહેલા નંબરે ચીન છે. જ્યાં દર વર્ષે 9.6 કરોડ ટન ખોરાકનો બગાડ થાય છે. જ્યારે ભારતમાં વાર્ષિક 6.87 કરોડ ટન ખોરાકનો બગાડ થાય છે. તેના પછી અમેરિકામાં 1.93 કરોડ ટન ખોરાકનો બગાડ થાય છે.

ભારત (India) સહિત અનેક વિકસિત અને વિકાસશીલ દેશોમાં (Developing countries) ખોરાકનો બગાડ મોટી સમસ્યા છે. આ મામલામાં ચીન પછી ભારત બીજો એવો દેશ છે જ્યાં ખોરાકનો (food) સૌથી વધારે બગાડ થાય છે. આ તે સમયમાં થઈ રહ્યું છે જ્યાં દુનિયામાં લગભગ 83 કરોડ લોકો ભૂખ્યા (Hungry) સૂઈ જાય છે.

ખોરાકનો બગાડ અને અછત વિશે જાગૃતતા ફેલાવવા માટે 29 સપ્ટેમ્બરે દર વર્ષે આંતરરાષ્ટ્રીય દિવસ 2022 (International day) ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને ખોરાક-પાણીના બગાડને રોકવા માટે જાગૃત કરવામાં આવે છે. ભોજનના નુકસાન અને બગાડને (Damage and spoilage) રોકવા માટે આપણે તેના પ્રભાવ વિશે વધારે જાગૃત અને જરૂરી પગલાં ઉઠાવવાની જરૂરિયાત છે.

ખોરાકના બગાડ અંગે ચોંકાવનારા આંકડા :

દુનિયાના 10 ટકા લોકો એટલે લગભગ 83 કરોડ લોકો ભૂખ્યા સૂઈ જાય છે.
દુનિયાભરમાં દર વર્ષે લગભગ 250 કરોટ ટન ખોરાકનો બગાડ થાય છે.
નેશનલ હેલ્થ સર્વેના મતે ભારતમાં દરરોજ 19 કરોડ લોકો ભૂખ્યા સૂવે છે.
ભારતમાં ખોરાકના ઉત્પાદનના 40 ટકા ભાગનો બગાડ થાય છે.
ભારતમાં વાર્ષિક 92,000 કરોડ રૂપિયાનું ખાવાનું બગડે છે.
116 દેશોમાં હંગર ઈન્ડેક્સ સર્વે 2021માં ભારતનું સ્થાન 101મું છે.
UNEPના રિપોર્ટ પ્રમાણે કોરોનાકાળ પહેલાં 93 કરોડ ટન ખોરાક એટલે 17 ટકા ખોરાક ખરાબ થતો હતો. તેમાં 63 ટકા ખોરાક સામાન્ય ઘરમાંથી, 23 ટકા ખોરાક રેસ્ટોરાં અને 13 ટકા ખોરાક રિટેઈલ ચેનમાં ખરાબ થઈ ગયો હતો.

ખોરાક બગાડની યાદીમાં બીજા નંબરે ભારત :

UNEPના રિપોર્ટ પ્રમાણે આ યાદીમાં પહેલા નંબરે ચીન છે. જ્યાં દર વર્ષે 9.6 કરોડ ટન ખોરાકનો બગાડ થાય છે. જ્યારે ભારતમાં વાર્ષિક 6.87 કરોડ ટન ખોરાકનો બગાડ થાય છે. તેના પછી અમેરિકામાં 1.93 કરોડ ટન ખોરાકનો બગાડ થાય છે.જો પ્રતિ વ્યક્તિ ખોરાક બગાડની વાત કરીએ તો આ મામલામાં ઓસ્ટ્રેલિયા પહેલા નંબરે છે. જ્યાં એક વ્યક્તિ વર્ષમાં 102 કિલો ખોરાકનો બગાડ કરે છે.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

આ પ્રમાણે ફ્રાંસમાં 85 કિલોગ્રામ, સ્પેનમાં 77 કિલોગ્રામ અને યૂકેમાં 77 કિલોગ્રામ ખોરાકનો બગાડ થાય છે. (Where a person wastes 102 kg of food in a year. According to this, 85 kg of food is wasted in France, 77 kg in Spain and 77 kg in the UK.)

ખોરાકના બગાડનું મુખ્ય કારણ શું છે :

સામાન્ય રીતે મોટા દેશોમાં મોટાભાગે ખોરાક ખેતર અને બજારની વચ્ચે હોય છે. જેના  અનેક કારણ છે. તેમાંથી કેટલાંક પ્રકાર છે. ભોજનનું ખરાબ થઈ જવું, ભંડારણ અને સંચાલન. ખરાબ પોષણ, અપૂરતી આધારભૂત સંચરના, ખોટું લેબલિંગ અને અસ્થિર કૃષિ પદ્ધતિઓ. ઘરમાં ખોરાકના બગાડની સાથે વધારે ખરીદદારી અને તેની દેખરેખમાં બેદરકારી જવાબદાર છે. જેનાથી તે ખરાબ થાય છે. અને સીધું કચરામાં ચાલ્યું જાય છે.

ખોરાકના બગાડને રોકવાના ઉપાય :

1. આપણે સંસાધનોના સંરક્ષણ, આપણા કાર્બન પદચિન્હને ઓછું કરવા અને આપણા સાર્વજનિક સ્વાસ્થ્યમાં        સુધારો કરવામાં મદદ મળે છે.
2. પેકેજિંગ પર વધારે ધ્યાન આપવું પડશે.
3. જરૂરિયાતના હિસાબથી હોલસેલમાં ખરીદદારી કરવી જોઈએ.
4. રિસાઈકલિંગ અને રી-યૂઝનો યોગ્ય પ્રકાર હોવો જોઈએ.
5. વેસ્ટ ફૂડનો ઉપયોગ ખાતર બનાવવા માટે કરી શકાય છે.
6. ખોરાકને સારી રીતે સ્ટોર કરીને રાખો.
7. ફેંકવામાં આવતા ખોરાકના પ્રમાણને ઓછું કરીને ભોજનના બગાડને ઓછો કરી શકાય છે.
8. પ્લેટમાં એઠું ખાવાનું છોડી દો
9. બીજાને ખોરાકનું નુકસાન કરતાં અટકાવો
10. પ્રસંગમાં ભોજન વધે તો તેને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરો.

આ પણ વાંચો :-