Home Blog Page 1289

વિચાર બદલે દુનિયા : જાણો કેવી રીતે સિગારેટનાં ઠુઠામાંથી બની રહ્યાં છે રમકડાં

0

A world instead of thought

  • મન હોય તો માળવે જવાય’ એ ઉક્તિને દિલ્હીના એક બિઝનેસમેને સિધ્ધ કરી બતાવી છે. તેને રમકડાં બનાવવા માટે કોઈ મોંઘા મટીરિયલ નહીં પરંતુ કચરો બની ગયેલ સિગરેટનાં ઠુઠાનો ઉપયોગ કર્યો છે.

કચરાની (Garbage) વધતી જતી સમસ્યા અને સમાજ માટે કાંઈક કરવાની ધગશથી આજે દિલ્હીના (Delhi) બિઝનેસમેન નમન ગુપ્તા (Businessman Naman Gupta) કચરાનો એક નાનો હિસ્સો નિકાલ કરે છે અનેક લોકોને રોજી રોટી આપે છે અને નવો આવિષ્કાર પણ કરે છે.

વધુ વિગતે જાણીએ તો સિગારેટના (Cigarettes) પાછળના ભાગને બનાવવા માટે ફાયબરનો ઉપયોગ થયો હોય છે. આથી કેટલાક સમાજસેવીઓ આ ઉપયોગ થઈ ગયેલી સિગારેટને એકત્ર કરે છે અને જરૂરી પ્રોસેસ કરે છે. સિગરેટના ખાલી ઠુઠાને બ્લિચિંગ કરીને કેમિકલમાં ડુબાડવામાં આવે છે.

મુંબઈ લોકલ ટ્રેનમાં સીટ માટે બે મહિલા ગ્રુપ બાખડ્યા | જુઓ સંપૂર્ણ વિડીયો

ત્યારબાદ કાગળ અને પ્લાસ્ટિકને જુદા પાડવામાં આવે છે. કાગળનો કમ્પોસ્ટ પાવડર તૈયાર કરવામાં આવે છે અને ફાઈબરનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના રમકડાં બનાવવામાં આવે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર ભારતમાં 26.7 કરોડ એટલે કે 30 ટકા લોકો તમાકુંનું સેવન કરે છે આથી ક્યારેય કાચા માલની અછત થતી નથી અને સિગારેટનું ખાલી ઠુઠુ પણ પ્રદુષણ ખરાબ કરતું નથી.

આ પણ વાંચો :-

‘મારા મિત્ર સતીશ પટેલને હવે પૂર્વ ધારાસભ્ય બોલવું અઘરું લાગે છે, એકાદ બે મહિનામાં પૂર્વ MLA કાઢી નાખશો ને ?’

0

‘My friend Satish Patel now finds it difficult

  • વડોદરા તાલુકાના ફતેપુરા ગામ નજીક યોજાયેલા શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે.

વિધાનસભાની ચૂંટણી ટાણે દિગ્ગજ નેતાઓ (Veteran leader) મોટા નિવેદન આપીને રાજકારણમાં (politics) ગરમાવો લાવતા હોય છે. હાલ ડભોઈના ધારાસભ્ય (MLA from Dabhoi) શૈલેષ મહેતાનું (Shailesh Mehta) વિધાનસભા ચૂંટણી પહેલાં મોટું નિવેદન સામે આવ્યું છે જે ચર્ચાનું વિષય બન્યું છે.

વડોદરા તાલુકાના ફતેપુરા ગામ નજીક યોજાયેલા શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મારા મિત્ર સતીશ પટેલને હવે પૂર્વ ધારાસભ્ય બોલવું અઘરું લાગે છે. એકાદ બે મહિનામાં પૂર્વ ધારાસભ્ય કાઢી નાખશો ને? તેવા સવાલો પણ કર્યા હતા.

મુંબઈ લોકલ ટ્રેનમાં સીટ માટે બે મહિલા ગ્રુપ બાખડ્યા | જુઓ સંપૂર્ણ વિડીયો

બે ત્રણ મહિના પછી ધારાસભ્ય સતિષભાઈ ફરીથી બોલતા થઈએ તેવા પ્રકારનું નિવેદન કર્યું હતુ. ભાજપે હજી કોઈ ઉમેદવાર જાહેર કર્યા નથી તેવામાં શૈલેષ મહેતાના નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ભાજપે હજી કોઈ ઉમેદવાર જાહેર કર્યા નથી તેવા સમયે આ નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. શૈલેષ મહેતાએ કહ્યું હતું કે મારા મિત્ર સતીશ પટેલ માટે હવે પૂર્વ ધારાસભ્ય બોલવું અઘરું લાગે છે. એકાદ બે મહિનામાં પૂર્વ ધારાસભ્ય કહેવું કાઢી નાખશોને? આપણે બે ત્રણ મહિના પછી ફરીથી ધારાસભ્ય સતિષભાઈ બોલતા થઈએ તેવા પ્રકારનું નિવેદન કર્યું હતુ.

આ પણ વાંચો :-

ફાયદો નહીં શરીરને નુકસાન કરે છે અંજીર, વધારે પ્રમાણમાં સેવન કરવાથી થાય છે આ મુશ્કેલીઓ

Figs do not benefit the body

  • અંજીર એક એવું ફળ છે જેને ઘણા લોકો પસંદ કરે છે. પરંતુ શોખ કે સારા સ્વાસ્થ્ય માટે તેને વધુ પડતું ન ખાવું નહીંતર ફાયદાની જગ્યા પર તમારે નુકસાન સહન કરવું પડી શકે છે.

ડ્રાય ફ્રૂટ્સ (Dry fruits) ખાવા એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઘણીવાર ડાયટિશિયન્સ (Dieticians) અને હેલ્થ એક્સપર્ટ સારા સ્વાસ્થ્ય માટે ડ્રાય ફ્રૂટ્સ ખાવાની સલાહ આપે છે. તેની ઈમ્યુન વેલ્યૂ ખૂબ જ વધારે હોય છે. તેનો સ્વાદ (taste) આપણને ખૂબ આકર્ષે છે. પરંતુ આપણે તેનું સેવન ક્યારેય પણ જરૂર કરતા વધારે પ્રમાણમાં ન કરવું જોઈએ.

જરૂર કરતા વધારે તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ શકે છે. એવું જ એક ફળ છે અંજીર જેને રાંધીને અને સૂકવીને બંને રીતે ખાઈ શકાય છે. પરંતુ તેને લાંબા સમય સુધી પ્રિઝર્વ કરવા માટે તેને ડ્રાયફ્રૂટનો આકાર આપવામાં આવે છે. ન્યુટ્રિશન એક્સપર્ટે જણાવ્યું કે શા માટે આપણે વધુ સૂકા અંજીર ન ખાવા જોઈએ.

કેલ્શિયમની ઉણપ :

જે લોકો ખૂબ અંજીર ખાય છે તેમના શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ શકે છે કારણ કે આ ડ્રાય ફ્રૂટમાં રહેલા ઓક્સિલેટ આપણા શરીરમાં રહેલા તમામ કેલ્શિયમને શોષી લે છે. કેલ્શિયમની ઉણપને કારણે આપણાં હાડકાં અને શરીર નબળાં પડી જાય છે.

પેટ ફૂલવાની સમસ્યા :

કેટલાક લોકો સુકા અંજીરને સ્વાદને કારણે વધુ ખાવા લાગે છે. પરંતુ તેના કારણે પેટ ભારે થઈ જાય છે અને પછી પેટમાં દુખાવો અને પેટ ફૂલવાની ફરિયાદ રહે છે. તેનાથી બચવા માટે તમારે અંજીર ખાધા પછી એક ગ્લાસ ઠંડુ પાણી પીવું જોઈએ.

લિવર અને આંતરડાને નુકસાન :

જો તમે જરૂર કરતા વધારે અંજીર ખાઓ છો તો તમારા લીવરમાં સમસ્યા થઈ શકે છે. આ સાથે આંતરડામાં બ્લોકેજ થવાનું પણ જોખમ બને છે. તેનું કારણ એ છે કે આ ફળના બીજ સરળતાથી પચી શકતા નથી.

આ પણ વાંચો :-

વંદે ભારત એક્સપ્રેસના ક્ષતિગ્રસ્ત ભાગની રાતોરાત થઈ ‘સર્જરી’, જુઓ તસવીરો

0

Damaged part of Vande Bharat Express underwent

  • ગત રોજ ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો અકસ્માત થયો હતો, જેને રાતોરાત રિપેર કરી દેવામાં આવ્યો છે. આ આખી ટીમે જહેમત ઉઠાવીને આગળનો ભાગ રિપેર કર્યો છે.

ગાંધીનગર કેપિટલથી (Gandhinagar Capital) મુંબઈ સેન્ટ્રલ (Mumbai Central) વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને સવારે 11.15 વાગ્યાની આસપાસ અકસ્માત નડ્યો હતો. ટ્રેન વટવાથી મણિનગરના (From Vatwa to Maninagar) ટ્રેક પર ભેંસ આવી જતા એન્જિન (Engine) સાથે અથડાઈ હતી અને તેમાં એન્જિનના આગળના ભાગે નુકસાન થયું હતું.

જો કે આ ટ્રેનના આગળના ભાગમાં જે નુકસાન થયું હતું તેને રાતોરાત રિપેર કરીને ફરી રાબેતા મુજબ કરી દેવામાં આવી છે. હાલમાં આ આખી ટીમ કે જેમણે આખી રાત મહેનત કરીને આ ટ્રેનના આગળના ભાગને રિપેર કર્યો છે. તે ટીમ સાથે આ ટ્રેનનો ફોટો પણ સામે આવ્યો છે. જેમાં આપ જોઈ શકશો કે જે પણ નુકસાન થયું હતું તે પહેલાની માફક થઈ ગયું છે.

એમ જ નથી કહેવાતું કે રાવણથી 100 ફૂટ દૂર રહેજો…આ ક્યારેય પણ દગો આપે … જોઈ લો વીડિયો

આ દુર્ઘટનના એક દિવસ બાદ મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ રિપેર થઈને ફરીથી પાટા પર દોડવા લાગી હતી. તેના આગલા ભાગને મુંબઈ સેન્ટ્રલ રેલ્વેના કોચિંગ કેર સેન્ટરમાં રિપેર કરવામાં આવ્યાં. રેલવે સીપીઆરઓ સુમિત ઠાકુરે શુક્રવારે જણાવ્યું કે, ટ્રેનનો ફક્ત આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. તેના કોઈ ફંકશનલ પાર્ટને નુકસાન નથી થયું.

આ ઘટનાની જાણ થતા જ રેલવે અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને નુકસાન થયેલા ભાગને તાત્કાલિક સમારકામ કરી ટ્રેનને રવાના કરી હતી.

આરપીએફે ગુનો દાખલ કર્યો :

આ મામલે ગંભીરતા દાખવી રેલવે સુરક્ષા દળ દ્વારા ભેંસના માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ આ મામલે આરપીએફે વધુ કાર્યવાહી હાથ ધરી છે. કેટલાંક દિવસ પહેલાં નરોડામાં ઢોર રસ્તામાં વચ્ચે આવી જતા એક યુવકનું મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. તે છતાં હજુ સુધી રખડતા ઢોરોનો ત્રાસ ઓછો થયો નથી.

આ પણ વાંચો :-

Googleને ભારે પડી આ ભૂલ ! હવે ચુકવવો પડ્યો 8.5 કરોડ ડોલરનો અત્યાર સુધીનો સૌથી મોટો દંડ

This mistake was heavy on Google

  • દિગ્ગજ ટેક કંપની ગૂગલ ફરી એકવાર મોટી મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. આ વખતે તેણે અત્યાર સુધીની સૌથી મોટી રકમ દંડના રૂપમાં ચૂકવવી પડશે.

દિગ્ગજ ટેક કંપની ગૂગલ (Giant tech company Google) ફરી એકવાર મોટી મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. આ વખતે તેણે અત્યાર સુધીની સૌથી મોટી રકમ દંડના રૂપમાં ચૂકવવી પડશે. રિપોર્ટ અનુસાર કંપની યુએસ સ્ટેટ એરિઝોનાના (US state of Arizona) દાવાને પતાવટ કરવા માટે 8.5 કરોડ ડોલર ચૂકવી રહી છે.

એમ જ નથી કહેવાતું કે રાવણથી 100 ફૂટ દૂર રહેજો…આ ક્યારેય પણ દગો આપે … જોઈ લો વીડિયો

જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે Google ગેરકાયદેસર એન્ડ્રોઇટ યુઝર્સના (Android users) લોકેશનને ટ્રેક કર્યુ છે. ધ વર્ઝના રિપોર્ટ અનુસાર આ સમજોતો ગ્રાહક સાથે છેતરપિંડીમાં Google દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી ચુકવણી છે.

લોકેશન બંધ થયા પછી પણ ટ્રેકિંગ :

એરિઝોના એટર્ની જનરલ માર્ક બ્રનોવિચે મે 2020માં ગૂગલ પર દાવો માંડ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને એપ્સ પર તેના સોફ્ટવેરમાં ‘ડાર્ક પેટર્ન’ બનાવવામાં આવી હતી. દાવા મુજબ, યુઝર્સ લોકેશન શેરિંગ બંધ કર્યા પછી પણ ગૂગલ એડવર્ટાઇઝિંગ ડેટા એકત્ર કરવા માટે બેકગ્રાઉન્ડમાં લોકેશન ટ્રેકિંગ ચાલુ રાખે છે.

કંપનીના પ્રવક્તાએ કહ્યું કે આ મુદ્દો જૂની પ્રોડક્ટ પોલિસી પર આધારિત છે જેને અપડેટ કરવામાં આવી છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે લોકેશન ડેટા માટે ડાયરેક્ટ કંટ્રોલ અને ઓટો ડિલીટ વિકલ્પો પ્રદાન કરીએ છીએ અને અમે જે ડેટા એકત્રિત કરીએ છીએ તે ડિલીટ માટે હંમેશા કામ કરીએ છીએ. અમને આ મામલો હલ કરવામાં પ્રસન્નતા થઈ રહી છે.’

ગૂગલે આપી હતી આ દલીલ :

લોકેશન ડેટા કલેક્શન અંગે એરિઝોના એટર્ની જનરલ દ્વારા દાખલ કરવામાં આવેલી 2020ની ફરિયાદ પર આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ગૂગલે કહ્યું હતું કે તમામ સ્માર્ટફોન લોકેશન ડેટાનો ઉપયોગ કરે છે. તેઓ જે રીતે કાર્ય કરે છે તેનો આ એક મહત્વપૂર્ણ ભાગ છે. આ કેસમાં કોર્ટે Googleની દલીલ સાંભળી ન હતી અને તેણે આટલી મોટી રકમ નુકસાની તરીકે ચૂકવવી પડી છે

આ પણ વાંચો :-

ગુનાની દુનિયામાં લેડી ડોનનો દબદબો, હસીના પારકર જેવો રોફ, 52થી વધુ ગુના

Lady don’s dominance in the world

  • રોલમાં હસીના પારકર જેવું રોફ જમાવતી આઇશા પોલીસ સકંજા આવી ગઈ છે. દારૂ, હત્યા અને રાયોટિંગ સહિત 52થી વધુ ગુનાને આપી ચૂકી છે અંજામ.

નારોલ વિસ્તારમાં (Narol area) રહેતી લેડી ડોન (Ladydon) વિરૂદ્ધ એક બે નહીં પરંતુ 52 ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે. જેમાં સૌથી વધુ દારૂના કેસો છે. નારોલ પોલીસે તેની દારૂ તેમજ મારમારી સહિતના ત્રણેક ગુનામાં ધરપકડ કરી છે. નારોલના આબાદનગરમાં (Abadnagar) રહેતી આયેશાબાનુ (Ayeshaba) નામની મહિલા એક બે નહી પરંતુ 52 કરતાં વધુ ગુના આચરી ચૂકી છે.

આયેશાબાનુએ 22 વર્ષ પહેલા ગુનાખોરીની દુનિયામાં પગલું માંડ્યું હતું અને આજે તે નારોલની હસીના પારકર જેવું વર્તન કરતી હોવાનું આરોપ લાગી રહ્યો છે. નારોલમાં ગલી-ગલીમાં દાદા અને ભાઈઓ જોવા મળે છે પરંતુ લેડી ડોન તો એક જ છે.

તેનું અસલી નામ આશા અને તે બાપુનગરની રહેવાસી છે. આશાએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરી લીધા છે. આયેશાબાનુ વર્ષ 2002માં દેશી દારુ વેચવાનું શરૂ કર્યુ હતું અને બાદમાં તેના વિરૂદ્ધ ગુના દાખલ થવાના શરૂ થયા હતા.

એમ જ નથી કહેવાતું કે રાવણથી 100 ફૂટ દૂર રહેજો…આ ક્યારેય પણ દગો આપે … જોઈ લો વીડિયો

વર્ષ 2002માં તેના પર ચાર દારૂના કેસ બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા. બાદમાં વર્ષ 2003માં પણ ત્રણ ગુના દાખલ થયા હતા. જે બાદ તેને પોલીસની બીક જતી રહી એટલે આયેશા ઉર્ફે આશાએ ધમધોકાર દારૂનો ધંધો શરુ કરી દીધો હતો. વર્ષ 2004માં તેના વિરૂદ્ધ 6 ગુના દાખલ થયા હતા. બાપુનગર પોલીસ સ્ટેશનમાં તેનું નામ લિસ્ટેડ બુલટેગર તરીકે બની ગયું હતું જ્યારે તેને પાસા પણ થઇ હતી.

આયેશાબાનુંના વર્ષ 2005માં બે અને વર્ષ 2006માં 3 ગુના દાખલ થયા હતા. ત્યાર બાદ આશાએ સાજીદખાન પઠાણ સાથે લગ્ન કરી દીધા હતા અને નારોલમાં રહેવા માટે આવી ગઇ હતી. 11 વર્ષ સુધી ગુનાની દુનિયાને અલવિદા કીધા બાદ વર્ષ 2017માં ફરી સક્રિય થઇ. લગ્ન કરી દીધા બાદ આયેશાએ 11 વર્ષ સુધી ગુનાખોરીની દુનિયાને અલવીદા કહી દીધું હતું. જોકે વર્ષ 2017માં તે ફરીથી સક્રિય થઇ હતી અને દેશી દારૂ વેચવાનું શરૂ કરી દીધું હતું.

એમ જ નથી કહેવાતું કે રાવણથી 100 ફૂટ દૂર રહેજો…આ ક્યારેય પણ દગો આપે … જોઈ લો વીડિયો

વર્ષ 2017માં તેના વિરૂદ્ધ એક દારૂનો ગુનો દાખલ થયો હતો. બાદમાં વર્ષ 2018માં પાંચ ગુના નોંધાયા હતા. અત્યાર સુધી તો દારૂના ગુના દાખલ થયા હતા પરંતુ વર્ષ 2019માં દારૂના 12 ગુના સાથે એક રાયોટીંગનો ગુનો પણ નોંધાયો હતો.

વર્ષ 2020માં આયેશાએ તેના પતિ સાથે મળીને એક હત્યા પણ કરી હતી અને બાદમાં તે જામીન પર છૂટી ગયા બાદ ગુનાખોરીનો સિલસિલો ચાલુ જ રહ્યો હતો. આયેશા વિરૂદ્ધ મારમારી ત્રણ હત્યાનો એક અને રાયોટિંગનો એક ગુનો દાખલ છે.

આ પણ વાંચો :-

હવે BCCI ના બોસ નહીં રહે સૌરવ ગાંગુલી, જાણો કોને સોંપાશે ભારતીય ક્રિકેટના ભવિષ્યની કમાન

0

Sourav Ganguly will no longer be the boss

  • BCCI અધ્યક્ષ પદ પરથી સૌરવ ગાંગુલીની વિદાય નિશ્ચિત માનવામાં આવે છે, 1983ની વર્લ્ડ ચેમ્પિયન ટીમના મેમ્બર એવા રોજર બિન્ની આ પદ માટે નવા દાવેદાર ગણાય છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના (Board of Control for Cricket in India) પ્રમુખ પદેથી હવે સૌરવ ગાંગુલી (Sourav Ganguly) આપશે રાજીનામું. ઉલ્લેખનીય છે કે BCCI માત્ર ભારત જ નહીં બલ્કે દુનિયાનું સૌથી વધારે ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ (Rich cricket board) છે. હવે નહીં ચાલે બીસીસીઆઈમાં ગાંગુલીની દાદાગીરી.

તો દાદાના સ્થાને કોને મળશે બીસીસીઆઈના પ્રમુખનું સ્થાન? ભારતીય ક્રિકેટના વહીવટની વ્યવસ્થા અને બીસીસીઆઈની આગામી ચૂંટણી અંગે જાણો વિગતવાર… બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI)ના દિગ્ગજ નેતાઓની ગુરુવારે દિલ્હીમાં બે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી.

ક્રિકેટ કંટ્રોલ બોર્ડની આ બેઠકમાં બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, પૂર્વ પ્રમુખ એન. શ્રીનિવાસન, ખજાનચી અરૂણસિંહ ધુમલે ભાગ લીધો હતો. પ્રથમ બેઠક એક હોટલમાં થઈ હતી જ્યારે બીજી બેઠક ભાજપના દિગ્ગજ મંત્રીના ઘરે થઈ હતી. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે સૌરવ ગાંગુલી આગામી ચૂંટણી નહીં લડે જ્યારે જય શાહ ફરીથી સચિવ પદ માટે ચૂંટણી લડી શકે છે.

એમ જ નથી કહેવાતું કે રાવણથી 100 ફૂટ દૂર રહેજો…આ ક્યારેય પણ દગો આપે … જોઈ લો વીડિયો

1983ની વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના સભ્ય રોજર બિન્ની અને કોગ્રેસના નેતા રાજીવ શુક્લામાંથી એક અધ્યક્ષ અને એક આઇપીએલ ચેરમેન બની શકે છે. હાલના ખજાનચી અને કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરના ભાઈ અરુણ આ જ પદ માટે ફરીથી નામાંકન કરશે.

દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીના પુત્ર રોહન જેટલી, ઓડિશા ક્રિકેટ એસોસિએશનના સંજય બેહરા, હરિયાણા ક્રિકેટ એસોસિએશનના અનિરુદ્ધ ચૌધરીના નામો અન્ય પદો માટે ચર્ચામાં હતા. વર્તમાન જોઈન્ટ સેક્રેટરી જયેશ જ્યોર્જ અને આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલ પણ આગામી ચૂંટણી નહીં લડે.

BCCIની ચૂંટણી 18 ઓક્ટોબરે મુંબઈમાં યોજાશે. 11 અને 12 ઓક્ટોબરે નોમિનેશન લેવામાં આવશે. 13 ઓક્ટોબરે અરજીઓની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવાર 14 સુધી પોતાનું નામ પાછું ખેંચી શકશે. આ પછી યોગ્ય નામાંકન કરનારાઓની યાદી 15 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો :-

આઝાદીના 75 વર્ષમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ટૂરિસ્ટ પહોંચ્યા કાશ્મીર, સરકારે આપ્યો ચોંકાવનારો આંકડો

0

For the first time in 75 years of independence

  • આ વર્ષે અત્યાર સુધીમાં જમ્મૂ કાશ્મીરમાં પર્યટકોની સંખ્યા 1.62 કરોડ રહી, જે આઝાદી બાદનો સૌથી મોટો આંકડો છે.

જમ્મૂ કાશ્મીરમાં (Jammu Kashmir) કલમ 370 નાબૂદ કર્યા બાદથી કેન્દ્ર સરકાર (Central Govt) સતત બદલાવની કોશિશ કરી રહી છે. જમ્મૂ કાશ્મીરમાં પર્યટનને (Tourism) પ્રોત્સાહન આપવાની કોશિશો પૂરજોશમાં ચાલી રહી છે, જે લગભગ સફળ પણ સાબિત થઈ રહી છે. આ વર્ષે રેકોર્ડ 1.62 કરોડ પર્યટકોએ જમ્મૂ કાશ્મીરની યાત્રા કરી.

જે આઝાદી બાદ સૌથી વધારે છે. એક સરકારી પ્રવક્તાએ ગુરુવારે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે આ કેન્દ્ર શાસિત પ્રદેશના સંપૂર્ણ વિકાસ અને બદલાવનું પ્રમાણ છે. તેમણે કહ્યું કે ત્રણ દશકાઓ બાદ કાશ્મીર લાખો પર્યટકોને આકર્ષિત કરી રહ્યું છે. પર્યટન વિશેષજ્ઞોનું કહેવું છે કે આ કાશ્મીર પર્યટનના સુવર્ણ યુગની વાપસી છે.

આઝાદી બાદ 75 વર્ષોમાં સૌથી વધારે સંખ્યા  :

તેમણે કહ્યું કે જમ્મૂ કાશ્મીર આવનાર પર્યટકોની રેકોર્ડ સંખ્યા કેન્દ્ર શાસિત પ્રદેશમાં થયેલા સમગ્ર વિકાસ અને બદલાવને દર્શાવે છે. પ્રવક્તાએ આગળ કહ્યું કે પર્યટન જમ્મૂ કાશ્મીરમાં રોજગારનો સૌથી મોટો સ્ત્રોત છે અને જાન્યુઆરી, 2022થી અત્યાર સુધીમાં 1.62 કરોડ પર્યટકોએ જમ્મૂ કાશ્મીરની યાત્રા કરી છે, જે સ્વતંત્રતાના 75 વર્ષોમા સૌથી વધારે આંકડો છે.

ભાવનગરમાં આખલાનો આંતક : વડવા તલાવડીમાં ભટકતો-ભટકતો દુકાનમાં ઘૂસ્યો, માથુ ઘોડામાં ફસાઈ જતા ગામ ગાંડુ કર્યું

તેમણે જણાવ્યું કે આ વર્ષે પહેલા આઠ મહિનાઓમાં 3.65 લાખ અમરનાથ યાત્રીઓ સહિત 20.5 લાખ પર્યટકોએ કાશ્મીરની યાત્રા કરી છે. પર્યટન આધારિત વ્યવસ્થા થવાથી પ્રવાસીઓના વધવાને કારણે પર્યટન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળે છે.

75 નવા પર્યટન સ્થળોને પણ પ્રોત્સાહન અપાયું :

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વર્ષે આવેલા પર્યટકો માત્ર કાશ્મીર તથા જમ્મૂ સુધી જ સિમિત નથી રહ્યા, પણ રાજૌરી-પુંછ જેવા પહાડી વિસ્તારોમાં પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. આ પાછળનું મુખ્ય કારણ એ પણ હતું કે પ્રશાસને 75 નવા પર્યટન સ્થળોને પણ પ્રોત્સાયન આપ્યું છે.

જ્યાં ખૂબ જ ઓછી સંખ્યામાં લોકો જતા હતા. ગત 70 વર્ષથી આ માંગ હતી કે જમ્મૂ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવે તો વખતે મોદી સરકારે લોકોની માંગ પૂરી કરીને શ્રીનગરથી શારજાહ માટે સિદ્ધિ ફ્લાઇટ શરૂ કરાવી.

આ પણ વાંચો :-

અનૈતિક સંબંધો ભારે પડ્યા : યુવક યુવતીના ઘરમાં ઘુસતા પાંચ શખ્સોએ મોતને ઘાટ ઉતાર્યો

Immoral relations become serious

  • કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી ગામે તાજેતરમાં એક યુવતીના ઘરમાં ગયેલા જામનગર તાબેના લાલપુર તાલુકાના મોડપર ગામના રહીશ એવા એક યુવાનને આ યુવતીના પરિવારજનોએ સાથે મળી અને યુવાનની ઘાતકી હત્યા કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

કલ્યાણપુર તાલુકાના (Kalyanpur Taluka) કાનપર શેરડી ગામે તાજેતરમાં એક યુવતીના ઘરમાં ગયેલા જામનગર (Jamnagar) તાબેના લાલપુર (Lalpur) તાલુકાના મોડપર ગામના રહીશ એવા એક યુવાનને આ યુવતીના પરિવારજનોએ સાથે મળી અને યુવાનની ઘાતકી હત્યા કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જે સંદર્ભે પાંચ શખ્સો સામે ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામે રહેતો ભરતભાઈ રામાભાઈ ગાગીયા નામનો 30 વર્ષનો શખ્સ તારીખ 25-26 સપ્ટેમ્બરના રોજ રાત્રીના એકાદ વાગ્યે કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી રહેતા એક આસામીના રહેણાંક મકાનમાં ગયો હતો. ત્યાં યુવતી સાથે તેને ઘરમાં રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો અને પરિવારે તેને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

યુવકને ઘાતકી હથિયારોથી રહેંસી નાખ્યો :

યુવતીના રૂમમાંથી ભરતભાઈ ગાગીયા મળી આવતા યુવતીના પરિવારજનો એવા વિરા માલદે ભાદરકા, ખીમા માલદે ભાદરકા, મેરામણ ઉર્ફે મેરા માલદે ભાદરકા, મેરામણ ઉર્ફે મેરગ અરજણ ભાદરકા અને દિનેશ હરદાસ ભાદરકા નામના પાંચ શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી, યુવતીના ઘરે આવેલા ભરતભાઈને મારી નાખવાના ઈરાદાથી લાકડી, લોખંડના પાઇપ, વિગેરે જેવા જીવલેણ હથિયારોથી તૂટી પડ્યા હતા.

એમ જ નથી કહેવાતું કે રાવણથી 100 ફૂટ દૂર રહેજો…આ ક્યારેય પણ દગો આપે … જોઈ લો વીડિયો

આ ઘાતકી હુમલા દરમિયાન આરોપી શખ્સોએ ભરતભાઈના શરીરના જુદા જુદા ભાગોમાં બેફામ માર મારતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને વધુ સારવાર અર્થે ખંભાળિયાની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબિબોઓએ ભરતભાઈને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. બનાવના બીજા દિવસે જ યુવાનના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. મૃતકના પરિવારજનોએ ધોરણસરની ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી :

મૃતક તથા આરોપી પરિવારજનો દૂરના સગા થતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સમગ્ર બનાવવા અંગે મૃતકના ભાઈ નારણભાઈ રામાભાઈ ગાગીયા (ઉ.વ. 30, રહે. મોડપર) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ઉપરોક્ત પાંચેય આરોપીઓ સામે માનવ હત્યાની કલમ 302 સાથે રાયોટીંગની કલમ 143, 147, 148, 149, તથા 325, 323, 506(2) તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાનની હત્યાનો બનાવ બનતા જ ડીવાયએસપી ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ પ્રકરણમાં કલ્યાણપુરના પી.એસ.આઈ. એમ.આર. સવસેટાએ જરૂરી કાર્યવાહી કરી, આરોપીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવે નાના એવા કાનપર શેરડી વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો :-

VNSGUના કુલપતિ સહિત અધિકારીઓના ખર્ચ પર કસાયો સિન્ડિકેટનો ગાળિયો, હવે ખોટો ખર્ચ નહીં કરી શકાય

0

Butcher Syndicate’s slander on the expenses

  • સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના સિન્ડિકેટ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. VNSGU દ્વારા કુલપતિની ખર્ચ કરવાની સત્તા ઉપર કાપ મૂકવામાં આવ્યો છે.

યુનિવર્સિટીના (University) નિર્ણય બાદ હવેથી કુલપતિ મહિને 1 લાખ અને વાર્ષિક 12 લાખથી વધુ ખર્ચ નહીં કરી શકે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના (Veer Narmad South Gujarat University) સિન્ડિકેટ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે-સાથે ઓર્ડિનન્સમાં પણ સુધારો કરાયો છે.

રજીસ્ટર ફેકલ્ટીડીન અને મુખ્ય હિસાબી અધિકારીના (Chief Accounts Officer) ખર્ચની પણ મર્યાદા નક્કી કરાઇ છે. તદુપરાંત નાયબ કુલ સચિવ, આચાર્ય અને કોર્ડીનેટર સહિતના ખર્ચની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે.

કુલપતિની સત્તા 5 લાખથી હવે 1 લાખ કરી દેવાઈ :

વધુમાં જણાવી દઈએ કે નર્મદ યુનિવર્સિટીમાં કલાક આધારિત કર્મચારીઓની ભરતી કરીને કરોડોનો ધુમાડો કર્યા બાદ હવે નાણાંનો વેડફાટ ન થાય એ માટે સિન્ડિકેટે કુલપતિ સહિતના અધિકારીઓના ખર્ચની મર્યાદા નક્કી કરી દીધી છે. કુલપતિની સત્તા 5 લાખ પરથી હવે 1 લાખ કરી દેવાઈ છે.

ભાવનગરમાં આખલાનો આંતક : વડવા તલાવડીમાં ભટકતો-ભટકતો દુકાનમાં ઘૂસ્યો, માથુ ઘોડામાં ફસાઈ જતા ગામ ગાંડુ કર્યું

જ્યારે 5 લાખ સુધીનો ખર્ચ કરવો હોય તો ટેન્ડર મંગાવવા પડશે. કુલસચિવ અને પરીક્ષા નિયામકને વિભાગો માટે 70 હજાર, જ્યારે 3 લાખ સુધીનો ખર્ચ કરવો હોય તો ટેન્ડર ફરજિયાત રહેશે. વાર્ષિક 5 લાખનો ખર્ચ હોય ત્યારે દરેક કિસ્સામાં 70 હજારથી વધુ ખર્ચી શકશે નહીં.

અધિકારીઓના ખર્ચની મર્યાદા પણ નક્કી કરાઈ :

તદુપરાંત મુખ્ય હિસાબી અધિકારીને 15,000, મદદનીશ કુલ સચિવને 5,000, સ્નાતક વડાને 20,000, આચાર્યને 8000 અને કો-ઓર્ડીનેટરને 10,000 સુધીની સત્તા રહેશે. તમને જણાવી દઇએ કે સિન્ડિકેટે ખરડામાં બદલાવ કરી 1 ઓક્ટોબરથી નવા નિયમ લાગુ કર્યા છે.

કોલેજને IQAC કમિટી બનાવવા તાકીદ કરવામાં આવી છે. વધુમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા આ કમિટીના નિર્ણય મહત્વના રહે છે. યુનિવર્સિટીએ કોલેજોને IQAC કમિટી બનાવવા અંગેની સૂચના આપી છે. જેમાં ડાયરેક્ટર કમિટી મેમ્બર મેનેજમેન્ટ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ એક્સપોર્ટની નિમણૂંક કરવાની રહેશે.

આ પણ વાંચો :-