Home Blog Page 1279

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ ગુજ્જુ ગર્લ વૈશાલી ઠક્કરની આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યું કારણ

‘Yeh Rishta Kya Kehlata Hai’ fame

  • હાલ તો વૈશાલીના અકાળે મૃત્યુના કારણે ટેલીવુડ અને અભિનય ક્ષેત્ર સાથે સંકળાયેલાં આઘાતમાં છે. એટલું જ નહીં યે રિશ્તા ક્યા કહેલાતા હૈના દર્શકો અને વૈશાલીના ચાહકોને આ સમાચાર સાંભળીને મોટો ઝટકો પહોંચ્યો છે.

જાણીતી ટીવી સીરિયલ (A famous TV serial) યે રિશતા ક્યા કહેલાતા હૈ (Ye Rishta Kya Kehlata Hai) ની અભિનેત્રી વૈશાલી ઠક્કરે (Vaishali Thakre) કરી લીધી આત્મહત્યા (Suicide). આ ગુજ્જુ ગર્લએ અચાનક કેમ આત્મહત્યા કરી લીધી એ સવાલ દરેકના મનમાં થઈ રહ્યો છે. અભિનેત્રીએ ઈન્દોરમાં (Indore) ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.

અભિનેત્રીએ એક સુસાઈડ નોટ પણ છોડી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અભિનેત્રીએ કેમ આત્મહત્યા કરવી પડી તેની પાછળ કયું કારણ જવાબદાર છે તે સવાલોનો જવાબ મેળવવા પોલીસે ચક્રોગતિમાન કર્યાં છે. પણ હાલ તો વૈશાલીના અકાળે મૃત્યુના કારણે ટેલીવુડ અને અભિનય ક્ષેત્ર સાથે સંકળાયેલાં આઘાતમાં છે.

એટલું જ નહીં યે રિશ્તા ક્યા કહેલાતા હૈના દર્શકો અને વૈશાલીના ચાહકોને આ સમાચાર સાંભળીને મોટો ઝટકો પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે ઈન્દોરમાં આત્મહત્યાના કેસ સતત વધી રહ્યા છે. આ મામલામાં ઈન્દોરના તેજાજી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે પોતાના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે.

તે મૂળ મહિધરપુર ઉજ્જૈનની હતી અને તેના ઉચ્ચ સપના અને અભિનેત્રી બનવાના જુસ્સાને કારણે મુંબઈ આવી હતી. મુંબઈમાં વિવિધ સિરિયલો કરવા ઉપરાંત તેણે બિગ બોસમાં પણ ભાગ લીધો હતો. તે પછી તે જયપુર જતી રહી અને જયપુરમાં રહ્યા બાદ છેલ્લા 1 વર્ષથી ઈન્દોરના તેજાજી નગર પોલીસ સ્ટેશન વિસ્તારની સાંઈ બાગ કોલોનીમાં રહેતી હતી.

આ પણ વાંચો :-

ભલે થોડી ઘણી ધમાલ કરી હશે…: રમૂજી અંદાજમાં CM ભૂપેન્દ્ર પટેલે અલ્પેશ ઠાકોરને મંચ પરથી જુઓ શું કહ્યું

0

Even though there may have been a

  • આજે વડગામમાં ભાજપની ગૌરવા યાત્રા દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંચ પરથી અલ્પેશ ઠાકોરને લઈને રમૂજ કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધિત કરતી વખતે અલ્પેશ ઠાકોર અંગે ટકોર કરતું નિવેદન આપ્યું હતું.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓની સક્રિયતા પણ વધી છે. તેવામાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાધનપુર (Radhanpur) વિધાનસભામાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના જ સ્થાનિક આગેવાનોમાં સ્થાનિક ઉમેદવારની માંગ સાથે આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે.

ભાજપના બે પૂર્વ ધારાસભ્યો અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે. તેઓ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. એવામાં આજે વડગામમાં ભાજપની ગૌરવ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અલ્પેશ ઠાકોરને લઈને હળવી રમૂજ કરી હતી.

CMની અલ્પેશ ઠાકોરને લઈને હળવી રમૂજ :

સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ‘અલ્પેશભાઈ ઠાકોર અને અમે વર્ષોથી સાથે બેઠા છીએ, ભલે કામ કરવા માટે તેમણે થોડી ઘણી ધમાલ કરી હોય. પણ ધમાલ કરવાનું એટલે, એમનો સ્વભાવ છે કે ભાઈ કામ તો કરવું જ પડશે અને કામ કરાવવાની દરેકની પરિભાષા જુદી-જુદી હોય છે.’

આ પણ વાંચો :-

પાટણના સાંતલપુર પાસે ટ્રક અને પોલીસ જીપ વચ્ચે અકસ્માત, કચ્છના PSIનું નિધન

0

Kutch PSI dies in accident between

  • પશ્ચિમ કચ્છ પોલીસની જીપને અકસ્માત નડ્યો. પાટણના સાંતલપુર પાસે ટ્રક અને પોલીસની જીપ વચ્ચે અકસ્માત સર્જાતા કચ્છના PSI કે. એફ વસાવાનું અવસાન થયું છે.

ગુજરાતમાં (Gujarat) અકસ્માતોના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે. વાહન ચાલકો ટ્રાફિક નિયમોને નેવે મૂકીને વાહન હંકારે છે જેના લીધે અકસ્માતના બનાવો ખુબ વધી રહ્યા છે. પાટણમાં (Patan) ગમખ્વાર અકસ્માત થયાના સમાચાર સામે આવી રહ્યા છે.

પાટણના સાંતલપુર (Santalpur) પાસે ટ્રક અને પોલીસ જીપ (Police Jeep) વચ્ચે અકસ્માત સર્જાતા કચ્છના પીએસઆઈ કે. એફ વસાવાનું નિધન થયું છે. આ સાથે અન્ય પોલીસ કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે.

અન્ય ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓને ખસેડાયા હોસ્પિટલ :

પ્રાપ્ત વિગતો અનુસાર પાટણના સાંતલપુર પાસે ટ્રકે પોલીસની જીપને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કચ્છના પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ કચ્છના પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું આ દુર્ઘટનામાં અવસાન થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

રાધનપુર ગોચનાથ નજીક અકસ્માતમાં થયા હતા ત્રણના મોત :

અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ રાધનપુર ગોચનાથ નજીક અકસ્માતની ઘટના બની હતી. જેમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે સારવાર દરમિયાન અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું હતુ. જેથી આ અકસ્માતમાં કુલ ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

રાધનપુર ગોચનાથ નજીક ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ખબર વાયુવેગે પ્રસરતા સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટ્યાં હતા. જો કે સમી પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકની સમસ્યા દૂર કરીને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકોને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

 

 

 

17 ઓકટોબર 2022, આજનું રાશિફળ: સૂર્યદેવ આ રાશિના લોકો પર થશે મહેરબાન, તમામ દુઃખો થશે દુર

17 October 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
માનસિક ઉગ્રતા રહે. પરંતુ બપોર પછી સુધારો થતો જણાય. ઈચ્છિત આવકની પ્રા‌િપ્‍ત અટકે. સ્વાસ્થ્ય સાચવવું. નવા નાણાંકીય રોકાણો ટાળવા. માતૃ પક્ષ તરફથી ચિંતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી રહે.

વૃષભઃ
આદ્યાત્મિક ક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સંતાન સુખ સારું. મિત્રોથી લાભ મળે. દામ્પત્ય જીવનમાં એકરાગિતા રહે. ભાગ્ય સારું રહે. નોકરી-ધંધામાં રાહત.

મિથુનઃ
માનસિક ચિંતા વધે. આકસ્મિક ખર્ચની સંભાવના છે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં અસંતોષ રહે. નાણાંનો વ્યવહાર સાચવીને કરવો અન્યથા નાણાં ફસાઈ જવાનો યોગ છે. સાંજે પરિસ્થિતિમાં સુધારો જણાય.

કર્કઃ
દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતો જણાય. આર્થિક બાબતો અંગે સાવધાની રાખવી જરૂરી છે. પરિવારમાં લાગણીશીલતા, સ્નેહનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. દામ્પત્યજીવનમાં પ્રેમ જળવાય.

સિંહઃ
આવકનું પ્રમાણ વધવા છતાં માનસિક ‌ઉચાટ રહે. પરિવારમાં મનમેળ રહે. શરદી-ખાંસી, કફથી સાચવવું. સંતાન અંગે ચિંતા રહે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. વિચારો ઉપર કાબુ રાખવો. હકારાત્મક વિચારો કરવા.

કન્યાઃ
દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારના સભઅયો સાથે પરસ્પર પ્રેમ જળવાય. જીવનસાથીની પ્રગતિથી આનંદ. સ્વાસ્થ્ય સારું રહેશે. આંખ તથા હાડકાં દુઃખાવાની કાળજી રાખવી.

તુલાઃ
નાણાંકીય રોકાણમાં સાવચેતી જરૂરી. સંતાન સાથે વાદ-વિવાદ ટાળવો. નોકરી-ધંધામાં ચિંતાનું વાતાવરણ સર્જાય. વાહન સાચવીને ચલાવવું. માતાની તબિયતની ચિંતા રહે. બપોર પછી પરિસ્થિતિ થાળે પડતી જણાય.

વૃશ્ચિકઃ
આત્મબળ વધતાં અગત્યના નિર્ણયો મક્કમતાથી લઈ શકાશે. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. જ્ઞાનતંતુ સંબંધી સમસ્યાઓથી સાચવવું.

ધનઃ
નાણાંકીય આવક વધતી જણાય. નાના-ભાઈ બહેનની ચિંતા હળવી થતી જણાય. માતૃસુખ સારું. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. માન-સન્માનમાં વધારો થાય. નવી ઓળખાણ ફાયદાકારક પુરવાર થાય.

મકરઃ
સમાજસેવા ક્ષેત્રે મન પરોવાય. પરિણામે યશ-પ્રતિષ્‍ઠા વધે. પરિવારમાં આનંદ અને કરેલા કાર્યના સારા ફળ મળતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સાડી, ડ્રેસ મટીરીયલ તથા સૌંદર્ય પ્રસાધનના ધંધામાં વિશેષ લાભ.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થતો અનુભવાય. આવકનું પાસુ મજબૂત બને. પરિવારમાં સ્નેહ વધે. સંતાનની ચિંતા સતાવે. ભાગ્યના બળે ધંધામાં સફળતા મળવાના યોગ છે. પાણીથી દૂર રહેવું.

મીનઃ
મનમાં ચંચળતા વધે. વિચારવાયુનું પ્રમાણ વધે. ધન પ્રા‌િપ્‍તના યોગ બને છે. નવા પ્રેમ સંબંધોનું નિર્માણ થાય. ઝવેરાત, સોના, ચાંદીની ખરીદી શક્ય બને. ભાગીદારી તથા દામ્પત્ય સુખમાં વધારો થતો અનુભવી શકાય.

16 ઓક્ટોબર 2022, આજનું રાશિફળ : આ રાશિના જાતકોને હનુમાન દાદાની અસીમ કૃપાથી પારિવારિક જીવન રહેશે સુખી

16 October 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષ
મનોબળમાં વધારો થાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ, છતાં થોડું ગુસ્સાવાળું વાતાવરણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.

વૃષભ
અણગમતા સંજોગોનો સમનો કરવો પડે. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમ જળવાય. મિત્રોથી સહકાર મળે.

મિથુન
મનનું સિદ્ધાંતવાદી વલણ રહે. આવક જળવાશે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુના રોકાણોથી ફાયદા તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગતિથી આનંદ વધે.

કર્ક
દિવસ દરમિયાન આનંદની અનુભૂતિ થાય. કરેલા રોકાણો ફાળદાયી નીવડે. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થાય. આથી આવક વધે. ઠંડાપીણા, પાણી, આઈસ્ક્રીમના ધંધામાં વિશેષ લાભ.

સિંહ
થોડું ગસ્સાનું પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદદાયક સાબિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સાચવવું.

કન્યા
સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબૂત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટાળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય છે.

તુલા
ખર્ચનું પ્રમાણ વધતું જણાય. છતાં આનંદ-ઉત્સાહ જળવાય. હિંમત, વિદ્વત્તા તથા મનોબળમાં વધારો થાય. અણુઉર્જા, ઈલે‌ક્ટ્રોનિક્સ ,પુસ્તકાલય, કુરિયર જેવા ધંધામાં વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વૃશ્ચિક
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસું મજબૂત બનતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. પત્નિ સાથે પ્રેમ જળવાય. પ્રિયપાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો નથી. આથી નોકરી, ધંધામાં શાંતિ રાખવી.

ધન
જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિરતા જળવાઈ રહે. ખોટા વિચાર મનનો કબજો ન લઈ લે એનું ધ્યાન રાખવું. મિત્રવર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારું રહે. ધંધાકીય ક્ષેત્રે આનંદમાં વધારો થાય.

મકર
નવી નોકરી અથવા ધંધાની શરૂઆત શક્ય બને. હાલના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આર્થિક રોકાણોમાં ફાયદો જણાય.  નવા વાહનની ખરીદી શક્ય બને. ઓટોમોબાઈલ ડીલર તથા ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ લાભ.

કુંભ
ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધશે પરંતુ ખોટો ખર્ચ અટકાવવો. શેરબજાર, સ્ત્રીશણગારના સાધનોના ક્ષેત્રે વિશેષ લાભ. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

મીન
મજબૂત આત્મબળને કારણે સાહસિક નિર્ણય લઈ શકો. પરિવારમાં આનંદ જળવાય. આવકનું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયતની કાળજી જરૂરી. માથાનો દુઃખાવો, પડવા-વાગવાથી સાચવવું. સંતાન સુખ સારું.

આ પણ વાંચો :-

મહિલા ટીમે ભારતીયોનું સપનું પૂરું કર્યુ, શ્રીલંકાને હરાવી 7મી વખત એશિયા કપ ભારતના નામે કર્યો

0

India won the Asia Cup by defeating Sri Lanka

  • ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને હરાવી સાતમી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે.

ભારતીય મહિલા ટીમે (Indian women’s team) શ્રીલંકાને હરાવી સાતમી વખત એશિયા કપનો (Asia Cup) ખિતાબ પોતાના નામે કર્યો છે. ફાઈનલ મેચમાં (The final match) ભારતીય મહિલા ખેલાડીઓએ શાનદાર રમત બતાવી સૌના દિલ જીતી લીધા હતા.

શ્રીલંકાએ 66 રનનો ટાર્ગેટ આપ્યો હતો :

ભારતીય મહિલા ટીમે શનિવારે અહીં એશિયા કપ T20 ટૂર્નામેન્ટની ફાઇનલમાં શ્રીલંકાની ઇનિંગ્સને 20 ઓવરમાં 9 વિકેટે 65 રન પર રોકી દીધી હતી. ટીમ ઈન્ડિયાએ 66 રનનો ટાર્ગેટ ખૂબ જ સરળતાથી મેળવી લીધો હતો. સ્મૃતિ મંધાનાએ ભારત માટે શાનદાર રમત બતાવી છે.

બાંગ્લાદેશના સિલ્હેટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મહિલા એશિયા કપની ફાઈનલ રમાઈ રહી છે. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ, કેપ્ટન ચમારી અટાપટ્ટુનો આ નિર્ણય શ્રીલંકાને ભારે પડ્યો. સ્કોરબોર્ડ પર 20 રન ઉમેરતાની સાથે જ શ્રીલંકાના 6 બેટ્સમેન ડગઆઉટમાં પરત ફર્યા હતા.

ટોપ-6માં એક પણ બેટ્સમેન ડબલ ફિગરને પાર કરી શક્યો નથી. આખી ટીમ કોઈક રીતે 50 રનનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી. શ્રીલંકાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 65 રન બનાવ્યા હતા. શ્રીલંકાને ત્રીજી ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો હતો. કેપ્ટન અટાપટ્ટુ એક રન બનાવીને આઉટ થયો હતો. તે 12 બોલમાં માત્ર 6 રન જ બનાવી શકી હતી.

અટાપટ્ટુના આઉટ થયા બાદ શ્રીલંકાની ઈનિંગ્સ ડગમગી ગઈ હતી. શ્રીલંકાને ચોથી ઓવરમાં ત્રણ ફટકા પડ્યા હતા. રેણુકા સિંહે તેની ઓવરના ત્રીજા બોલ પર હર્ષિતા સમરવિક્રમાને આઉટ કર્યો. અનુષ્કા સંજીવની પણ આગલા જ બોલ પર રનઆઉટ થઈ ગઈ હતી. પછીના બોલ પર રેણુકાએ હંસિની પરેરાને સ્મૃતિ મંધાનાના હાથે કેચ કરાવ્યો. શ્રીલંકાની ત્રણ વિકેટ સતત ત્રણ બોલમાં પડી હતી.

આ પણ વાંચો :-

જેલમાં રહેલા રામ રહીમને ફરીવાર મળી જેલ બહાર આવવાની મંજુરી, દિવાળી માટે કોર્ટે આપી આટલા દિવસોની છૂટ

0

Ram Rahim who is in jail got permission to come out of jail again, court gave so many days off for Diwali

  • રોહતકની સુનારિયા જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદા ચીફ ગુરમીત રામ રહીમને ફરી એકવાર પેરોલ મળી છે. રામ રહીમ 40 દિવસ માટે જેલમાંથી બહાર આવ્યા છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રામ રહીમને ઉત્તર પ્રદેશના બાગપત આશ્રમમાં લઈ જવામાં આવી રહ્યો છે.

શનિવારે સવારે 6.55 કલાકે બાગપત (Bagpat) જવા રવાના થયા હતા. હકીકતમાં ગુરમીત રામ રહીમ (Gurmeet Ram Rahim) સાધ્વી યૌન શોષણ કેસમાં રોહતકની સુનારિયા જેલમાં (Sunaria Jail, Rohtak) 20 વર્ષની સજા કાપી રહ્યા છે. ગુરમીત રામ રહીમની 40 દિવસની પેરોલ અરજી શુક્રવારે સ્વીકારવામાં આવી હતી.

કોણ છે ગુરમીત રામ રહીમ :

જણાવી દઈએ કે ગુરમીત રામ રહીમ સિંહની 40 દિવસની પેરોલ અરજી સ્વીકારવામાં આવી છે. આદમપુર વિધાનસભા પેટાચૂંટણી પહેલા આ પગલું ભરવામાં આવ્યું છે. આદમપુરમાં 3 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે. અગાઉ ડેરા ચીફને જૂનમાં એક મહિનાની પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો અને ફેબ્રુઆરીમાં તેને ત્રણ અઠવાડિયાની રજા આપવામાં આવી હતી.

ગુરમીત રામરહીમ ડેરાના સિરસા હેડક્વાર્ટરમાં તેના આશ્રમમાં બે મહિલા અનુયાયીઓ પર દુષ્કર્મ કરવા બદલ 20 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. ઓગસ્ટ 2017માં પંચકુલામાં સ્પેશિયલ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો.

ગુરમીત રામરહીમને 2002માં ડેરા મેનેજર રણજીત સિંહની હત્યાનું કાવતરું ઘડવા બદલ ચાર અન્ય લોકો સાથે ગયા વર્ષે પણ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ડેરા ચીફ અને અન્ય ત્રણને પણ 2019માં 16 વર્ષ પહેલાં એક પત્રકારની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

 

ગુજરાતનો ગઢ જીતવા દિલ્હીમાં દોડધામ : PM મોદીના આવાસ પર 5 કલાક ચાલી મેરેથોન મીટિંગ

0

Rushing to Delhi to win the stronghold

  • પીએમ આવાસ પર મેરેથોન બેઠક યોજાઇ જેમાં ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા.

હિમાચલ પ્રદેશની (Himachal Pradesh) સાથે વિધાનસભા ચૂંટણી (વિધાનસભા ચૂંટણી 2022)ને લઈને ગુજરાતમાં પણ ચૂંટણી પ્રચાર તેજ થઈ ગયો છે. એક તરફ તમામ રાજકીય પક્ષો રેલી કરી રહ્યા છે તો બીજી તરફ આજે (15 ઓક્ટોબર) પીએમ આવાસ પર મેરેથોન બેઠક યોજાઇ હતી. લગભગ પાંચ કલાક ચાલેલી આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah), પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendrabhai Patel) અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હાજર રહ્યા હતા.

ગુજરાતમાં ચુંટણીની તારીખો ટૂંક સમયમાં બહાર પડશે :

આ બેઠકમાં પીએમ મોદીના ગુજરાત પ્રવાસ અને પાર્ટીના કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ ટિકિટ વહેંચણી, ચૂંટણી મુદ્દા, કેન્દ્ર સરકારની યોજનાઓ અને પીએમ મોદીની 18 અને 19 ઓક્ટોબરે ગુજરાત મુલાકાતના માપદંડ પર પણ વિચાર કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આવી સ્થિતિમાં હવે ગુજરાતની ચૂંટણી અંગેની જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ શકે છે.

ચૂંટણીના મુદ્દાઓ પર ચર્ચા :

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને ભાજપે રણનીતિ ઘડવાની દિશામાં વધુ સઘન બનાવી છે. આ બેઠકમાં ગુજરાતની ચૂંટણીને લગતા ચૂંટણીલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે રાજ્યમાં કેન્દ્ર સરકારની યોજનાઓની સકારાત્મક અસર વિશે પણ વાતચીત કરવામાં આવી હતી. કયા ચૂંટણી મુદ્દા પર આગળ વધવું અને કયા મુદ્દાઓને વિપક્ષને પ્રહાર કરી શકાય, તમામ પ્રકારની રણનીતિ બનાવવામાં આવી રહી છે.

ગુજરાત ચૂંટણી પર વિપક્ષનો હુમલો :

બીજી તરફ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ વિપક્ષે ભાજપ અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા છે. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે પીએમ મોદીની રેલીઓને ધ્યાનમાં રાખીને ગુજરાતની તારીખોની જાહેરાત કરવામાં વિલંબ કરવામાં આવ્યો. જેથી ભાજપ પોતાની યોજનાઓની જાહેરાત કરીને જનતાને રીઝવવાનું કામ કરી શકે.

આ પણ વાંચો :-

ધનતેરસ પર ધાણા ખરીદવા પણ માનવામાં આવે છે ખૂબ જ શુભ ! જાણો શું છે તેના પાછળની માન્યતા

Buying coriander on Dhanteras is also

  • ધનતેરસના દિવસે નવી વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ધાણા ખરીદવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ તેની પાછળનું કારણ.

23 ઓક્ટોબર અને રવિવારે ધનતેરસનો (Dhanteras) તહેવાર ઉજવવામાં આવશે. ધનતેરસના દિવસે લોકો સોના-ચાંદીના (Gold and silver) નવા વાસણો અને ઘરેણાં પણ ખરીદે છે. તમને જણાવી દઈએ કે ધનતેરસના દિવસે નવી વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ જ કારણ છે કે લોકો બજારોમાં ઘરેણાં અને વાસણો સહિતની તમામ વસ્તુઓ ખરીદતા જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે ધનતેરસના દિવસે વાસણોની સાથે ધાણા ખરીદવા પણ ખૂબ જ શુભ હોય છે. આજે અમે તમને ધાણા ખરીદવા પાછળના કારણ વિશે જણાવીશું.

ધનતેરસના દિવસે ધાણા ખરીદવા શા માટે છે શુભ?

તમને જણાવી દઈએ કે ધનતેરસના દિવસે ધાણા ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ધાણા ખૂબ જ ઉપયોગી છે. આ કારણોસર લોકો અન્ય ખરીદીની સાથે ધાણાની પણ ખરીદી કરે છે. લોકો સામાન્ય રીતે શહેરોમાં ધનતેરસના દિવસે સુકા ધાણા ખરીદે છે.

ગામની વાત કરીએ તો ત્યાં ગોળ અને ધાણાને એકસાથે ભેળવીને નૈવેદ્ય બનાવવામાં આવે છે. મા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ધાણા અને ગોળથી બનેલું નૈવેદ્ય શુભ માનવામાં આવે છે. તમને એ પણ જણાવી દઈએ કે માત્ર ધનતેરસ જ નહીં પરંતુ દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન ધાણાનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

પૂજા બાદ તિજોરીમાં મુકી દો ધાણા :

મા લક્ષ્મીને પ્રસન્ન કરવા ઉપરાંત આર્થિક સ્થિતિ સુધારવા માટે ધનતેરસના દિવસે ધાણા ખરીદવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ધાણા ખરીદવાથી આપણને શુભ ફળ મળે છે. સાથે પૂજા દરમિયાન દેવી લક્ષ્મીને ધાણા ચઢાવો અને પૂજા પછી તેને તિજોરીમાં મુકો.

આ વસ્તુઓ ખરીદવી પણ છે શુભ :

ધનતેરસના સમગ્ર દિવસ દરમિયાન ખૂબ જ સારા યોગ છે. એવામાં તમે આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરી શકો છો. તમને જણાવી દઈએ કે ધાણા ખરીદવા સિવાય તમે ધનતેરસના દિવસે સાવરણી, ગોમતી ચક્ર અને શણગારની વસ્તુઓ પણ ખરીદી શકો છો. આ બધી વસ્તુઓ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો :-

વિચિત્ર કપડાં પહેરીને પણ કરોડો કમાય છે ઉર્ફી જાવેદ, આલિશાન ઘર-કારની છે માલિક : જાણો કેટલી છે પ્રોપર્ટી

Earns crores even by wearing strange

  • ઉર્ફી જાવેદ પોતાના ડ્રેસના કારણે ઘણીવાર ટ્રોલ થઇ છે. જો કે તે પોતાની જિંદગી ખુલીને જીવવાનું પસંદ કરે છે. ચાલો તમને જણાવીએ ઉર્ફી જાવેદની નેટવર્થ કેટલી છે.

બિગ બોસ ઓટીટીથી (Bigg Boss OTT) ચર્ચામાં આવેલી ઉર્ફી જાવેદ સિનેમા જગતમાં પોતાની અતરંગી ફેશન સેન્સ માટે જાણીતી છે. ઉર્ફી મોટાભાગે પોતાના વિચિત્ર આઉટફિટ્સ અને બોલ્ડનેસના (Outfits and boldness) કારણે લોકોના મજગ ચકરાવે ચડાવી દે છે અને આ જ કારણે તે અવારનવાર સોશિયલ મીડિયા (Social media) પર ટ્રોલ પણ થાય છે.

પરંતુ એ પણ હકીકત છે કે એક્ટ્રેસને લોકોએ લગાવેલી ફટકારની કોઇ અસર નથી થતી અને તે પોતાની લાઇફ બિન્દાસ જીવી રહી છે. આ વચ્ચે ઘણીવાર ઉર્ફીની કમાણીને લઇને પણ સવાલ ઉઠે છે. ચાલો તમને તેની નેટવર્થ અને કાર કલેક્શન વિશે જણાવીએ.

ઉર્ફીએ આ રીતે શરૂ કરી પોતાની જર્ની : ઉર્ફી જાવેદને આજના સમયમાં સૌકોઇ તેની બોલ્ડનેસના કારણે ઓળખે છે. પરંતુ એક્ટ્રેસે ઢગલાબંધ ટીવી સીરિયલ્સમાં પણ કામ કર્યુ છે. તે ‘દુર્ગા’, ‘સાત ફેરો કી હેરાફેરી’, ‘બેપનાહ’, ‘જીજી માં’, ‘ડાયન’, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ‘ અને ‘કસોટી ઝિંદગી કી’ જેવી સીરિયલ્સમાં પણ જોવા મળી ચુકી છે.

આ ઉપરાંત તે ઘણા મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. પરંતુ લોકો વચ્ચે તેને ઓળખ ‘બિગ બોસ‘થી જ મળી છે. આટલા કરોડની સંપત્તિની માલિક છે ઉર્ફી : ઉર્ફી જાવેદની કમાણીને લઇને દરેક વખતે સવાલ ઉઠે છે પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે ઉર્ફી કરોડોની સંપત્તિની માલિક છે અને તે દર મહિને લાખોમાં કમાણી કરે છે.

એક રિપોર્ટ અનુસાર ઉર્ફી સીરિયલના એક એપિસોડ માટે 25થી 30 હજાર રૂપિયા ચાર્જ કરે છે અને તે દર મહિને આશરે 30 લાખ રૂપિયાની કમાણી કરે છે. તેની કુલ નેટવર્થ 172 કરોડ રૂપિયાની આસપાસ છે. ઉર્ફીનો જન્મ લખનઉમાં થયો છે પરંતુ હવે તે મુંબઇમાં એક આલિશાન ફ્લેટમાં રહે છે. તેની પાસે Jeep Compass SUV છે. જેની કિંમત આશરે 25 લાખ રૂપિયા છે.

આ પણ વાંચો :-