Home Blog Page 1279

ફ્રી અનાજ મેળવતા રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, સરકારે દિવાળી પર આપી આ ભેટ

0

Big news for the ration card holders who get

  • જો તમે રાશન કાર્ડ ધારકો છો અને સરકારની મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા કામના છે. યુપીની યોગી સરકાર વતી રેશનકાર્ડ ધારકોને દિવાળીની ભેટ આપવામાં આવી છે.

દિવાળીના (Diwali) અવસર પર મીઠાઈ બનાવવા માટે સરકાર રાશન કાર્ડ ધારકોને (Government ration card holders) રાહત દરે ખાંડ આપવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે યુપીમાં 20 ઓક્ટોબરથી ફ્રી રાશન વિતરણ શરૂ કરવામાં આવશે. આ વખતે પણ લાભાર્થીઓને (Beneficiaries) ઘઉંને બદલે ચોખા આપવામાં આવશે.

20થી 31 ઓક્ટોબર સુધી ચાલશે રાશન વિતરણ :

ખરેખર ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી બાદ રાશન વિતરણનો સમય બગડી ગયો છે. ઓકટોબરના મહિનામાં સરકાર દ્વારા ઓગસ્ટનું રાશન વિતરણ કરવામાં આવશે. રાજ્ય સરકારે 20 ઓકટોબરથી 31મી ઓકટોબર સુધી ઓગસ્ટના રાશન વિતરણની કામગીરી પૂર્ણ કરવાના આદેશ આપ્યા છે. ઓક્ટોબરમાં કાર્ડ ધારકોને રાહત દરે ખાંડનું પણ વિતરણ કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશમાં કુલ 3.6 કરોડ રાશન કાર્ડ ધારક :

રાશનના વિતરણ દરમિયાન એક યુનિટ પર 5 કિલો ચોખા વિનામૂલ્યે આપવાની જોગવાઈ છે. આ વખતે સરકાર તરફથી અંત્યોદય કાર્ડ ધારકોને ત્રણ કિલો ખાંડ પણ આપવામાં આવશે. ખાંડ 18 રૂપિયા પ્રતિ કિલો દરેથી મળશે. ઉત્તર પ્રદેશમાં અંત્યોદય કાર્ડ ધારકોની સંખ્યા લગભગ 41 લાખ છે. આ સિવાય પાત્રતા ધરાવતા રેશનકાર્ડ ધારકોની સંખ્યા 3.18 કરોડ છે.

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યના તમામ રાશન દુકાનદારો વતી 20 ઓક્ટોબરથી રાશનનું વિતરણ શરૂ કરવામાં આવશે. વિતરણની આ પ્રક્રિયા 31 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.

આ વિતરણમાં લાભાર્થીઓને ઘઉંને બદલે ચોખા આપવામાં આવશે. રાશનની દુકાનો પર 19 ઓક્ટોબર સુધીમાં ચોખા અને ખાંડ બંને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પણ વાંચો :-

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે AAP ની છઠ્ઠી યાદી જાહેર, ઘાટલોડિયામાં CM ભૂપેન્દ્ર પટેલ સામે લડશે આ ઉમેદવાર

0

Sixth list of AAP announced for Gujarat

  • આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે પોતાના ઉમેદવારની છઠ્ઠી યાદી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત પણ આમ આદમી પાર્ટી દ્વારા નજીકના સમયમાં અન્ય ઉમેદવારોની યાદી પણ જાહેર થવાની સંભાવના છે. ગુજરાત વિધાનસભાને લઈ AAPએ રફ્તાર તેજ કરી દીધી છે.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. પારંપરિક ભાજપ અને કોંગ્રેસ (BJP and Congress) બે પક્ષો અહીં વર્ષોથી સામસામે ચૂંટણી લડતા આવ્યાં છે. જો કે આ વખતે આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) પણ આ ચૂંટણીમાં ઝુકાવ્યું છે. તેથી આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે.

ત્યારે આપ દ્વારા ગુજરાતમાં વિવિધ બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત થઈ ગઈ છે. આજે પણ આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ઘાટલોડિયામાં CM ભૂપેન્દ્ર પટેલ સામે આમ આદમી પાર્ટીએ વિજય પટેલની ટિકિટ આપવામાં આવી છે.

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે પોતાના ઉમેદવારની છઠ્ઠી યાદી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત પણ આમ આદમી પાર્ટી દ્વારા નજીકના સમયમાં અન્ય ઉમેદવારોની યાદી પણ જાહેર થવાની સંભાવના છે. ગુજરાત વિધાનસભાને લઈ AAPએ રફ્તાર તેજ કરી દીધી છે.

સુરત ઉત્તરથી મહેન્દ્ર નાવડીયાને મેદાનમાં ઉતારવાની આપે તૈયારી કરી લીધી છે. બીજી બાજુ જીજ્ઞેશ મેવાણી જ્યાંથી અપક્ષ ચૂંટણી લડીને જીતીને ધારાસભ્ય બન્યા છે તેવી વડગામ બેઠક પર પણ આપ દ્વારા પોતાનો ઉમેદવાર ઉભો રાખવામાં આવશે.

વડગામ બેઠક પર દલપત ભાટીયાને મેદાન-એ-જંગમાં ઉતારવામાં આવ્યાં છે. જ્યારે બીજી તરફ સુરત ઉત્તરમાં આપ દ્વારા સ્થાનિક આગેવાન મહેન્દ્ર નાવડીયાને ચૂંટણી જંગમાં ઉતારવાનો નિર્ણય લેવાયો છે. આમ આદમી પાર્ટી ઉમેદવાર નું ૬ લીસ્ટ જાહેર થશે.

આ પણ વાંચો :-

ભારત-પાક. મેચ રદ્દ થાય તો કઈ ટીમને થશે ફાયદો ? જાણો શું છે ICCના નિયમ

0

Indo-Pak. If the match is cancelled

  • ભારત અને પાકિસ્તાનની વચ્ચે મેલબર્નમાં રમવામાં આવશે વર્લ્ડ કપના સુપર 12 સ્ટેજમાં ગ્રુપ મુકાબલો.

ટી-20 વર્લ્ડ કપની (T-20 World Cup) શરૂઆત થઇ ગઇ છે અને આ સમયે આઠ ટીમોની વચ્ચે પ્રથમ રાઉન્ડની મેચ રમાઈ રહી છે. અહીંથી ટોપ ચાર ટીમો બીજો રાઉન્ડ એટલે કે સુપર 12 સ્ટેજમાં પહોંચશે. જ્યાંથી વર્લ્ડ કપની અસલી લડાઈ શરૂ થશે.

ઓસ્ટ્રેલિયામાં (Australia) આયોજીત થતા વર્લ્ડ કપમાં આમ તો કુલ 16 ટીમો ભાગ લઇ રહી છે અને ખિતાબ માટે જોર લગાવી રહી છે. પરંતુ ક્રિકેટ પ્રેમીઓને (Cricket Lover) સૌથી વધુ રાહ ભારત અને પાકિસ્તાન (India and Pakistan) મેચની છે. બે ટીમો વર્લ્ડ કપમાં આશરે એક વર્ષ બાદ ફરીથી આમને-સામને હશે.

તો ભારત અને પાકિસ્તાનની મેચ થશે રદ્દ ? 

બંને ટીમો સુપર 12 સ્ટેજમાં ગ્રુપ બીનો ભાગ છે અને 23 ઓક્ટોબરે મેલબર્નના ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડમાં પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. જો કે તેની પહેલા મેલબર્નના હવામાન વિભાગની આગાહીએ ક્રિકેટપ્રેમીઓની ચિંતા વધારી દીધી છે.

વિભાગ મુજબ મેલબર્નમાં 23 ઓક્ટોબરે 70-80 ટકા સુધી વરસાદની શક્યતા છે અને વરસાદ રોકાવાની આશા પણ ઓછી છે. એવામાં ભારત અને પાકિસ્તાનની આ મેચ રદ્દ થવાનું  જોખમ ટોળાઈ રહ્યું  છે.

વર્લ્ડ કપ માટે આઈસીસીની પોઈન્ટ સિસ્ટમ :

આઈસીસીએ વર્લ્ડ કપ પહેલા પ્રથમ રાઉન્ડ અને સુપર 12 ગ્રુપ સ્ટેજ માટે પોઈન્ટને ત્રણ ભાગમાં વહેંચ્યા છે. અહીં જીતનારી ટીમને બે પોઈન્ટ મળશે. જ્યારે હારનારી ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે. તો મેચ રદ્દ થવી અથવા ટાઈ થવાની સ્થિતિમાં બંને ટીમોની વચ્ચે 1-1 પોઈન્ટની વહેંચણી થશે.

શું ભારત-પાકિસ્તાન મેચ માટે છે રિઝર્વ ડે? 

આઈસીસીએ વર્લ્ડ કપમાં સેમી ફાઈનલ અને ફાઈનલને છોડીને ગ્રુપ સ્ટેજની મેચ માટે કોઈ પણ રિઝર્વ ડે રાખ્યો નથી. એટલેકે મેચ રદ્દ થવાની સ્થિતિમાં અહીં બંને ટીમોને 1-1 પોઈન્ટ મળશે. જો કે આઈસીસીના નિયમ મુજબ કોઈ પણ મેચના પરિણામ માટે ઓછામાં ઓછી 5-5 ઓવરની મેચ હોવી જોઈએ. જેનો અર્થ છે કે જો વરસાદ રોકાય છે અને બધુ સારું રહે છે તો મેચના અધિકારી 5-5 ઓવરની મેચ કરાવી શકે છે.

આ પણ વાંચો :-

આ ધનતેરસે દુકાનમાંથી નહીં, આ જગ્યાએથી ખરીદો સોનું, સારું ડિસ્કાઉન્ટ અને વ્યાજ પણ મળશે

0

This Dhanteras buy gold from this place and not

  • દિવાળી નજીક છે ત્યારે ધનતેરસ પર લોકો મન મૂકીને સોનાની ખરીદી કરતા હોય છે. આ વખતે ધનતેરસ પર તમે દુકાનમાંથી નહીં પરંતુ આ રીતે સોનાની ખરીદી કરશો તો તમને ડિસ્કાઉન્ટ તો મળશે જ સાથે સાથે વ્યાજ પણ મળશે. ખાસ જાણો કેવી રીતે….

દિવાળી (Diwali) નજીક છે. ધનતેરસને હવે ગણતરીના દિવસો છે. ધનતેરસે (Dhanteras) દેશભરમાંથી લોકો સોનાની મન મૂકીને ખરીદી કરે છે. જો તમે પણ આ ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમે ફિઝિકલ  ગોલ્ડની જગ્યાએ ડિજિટલ ગોલ્ડની ખરીદી પણ કરી શકો છો. ડિજિટલ ગોલ્ડમાં (digital gold) તમને ફિઝિકલ ગોલ્ડની (Physical Gold) સરખામણીએ વધુ ફાયદા થાય છે.

ક્યાંથી ખરીદી શકો છો ડિજિટલ સોનું :

તમે ધનતેરસ પર ફોન પે, પીટીએમ, અને ગૂગલ પે જેવી એપ દ્વારા ડિજિટલ ગોલ્ડની ખરીદી કરી શકો છો. સૌથી ખાસ વાત એ છે કે ધનતેરસ અને ફેસ્ટિવલ્સના અવસરે અનેક સારા પ્લેટફોર્મ શાનદાર ડિસ્કાઉન્ટ ઓફર પણ આપે છે.

એટલે કે તમે એ પ્લેટફોર્મ્સ પર દુકાનથી સસ્તું સોનું ખરીદી શકશો. આ સાથે જ અનેકવાર આ પ્લેટફોર્મ પર કેશબેક જેવી ઓફર પણ ઉપલબ્ધ હોય છે. આ ઉપરાંત તમે સરકારની ગોલ્ડ બોન્ડ યોજના દ્વારા પણ ડિજિટલ સોનું ખરીદી શકો છો.

ડિજિટલ ગોલ્ડ પર વ્યાજ અને ડિસ્કાઉન્ટ :

જો તમે ડિજિટલ ગોલ્ડ કે ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરશો તો તેના પર તમને ડિસ્કાઉન્ટ અને વ્યાજ બંનેનો ફાયદો થાય છે. ડિજિટલ સોનાની સૌથી ખાસ વાત એ છે કે તેના પર તમને પ્રતિ 10 ગ્રામ 500 રૂપિયા વધુ ડિસ્કાઉન્ટ મળે છે.

ગોલ્ડ બોન્ડ દ્વારા જો તમે સોનું ખરીદશો અને ઓનલાઈન પેમેન્ટ કરશો તો તમને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. તે પ્રમાણે પ્રતિ 10 ગ્રામ 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. આ સાથે જ તમને ગોલ્ડ બોન્ડ યોજનામાં વાર્ષિક 2.5 ટકાનું વ્યાજ મળે છે.

1 ગ્રામ સોનું ખરીદવાની પણ સુવિધા :

ડિજિટલ ગોલ્ડ કે ગોલ્ડ બોન્ડ યોજનામાં તમે ઓછામાં ઓછું એક ગ્રામ સોનું પણ ખરીદી શકો છો. આ સાથે જ વ્યક્તિ દીઠ તેના દ્વારા આપણને વધુમાં વધુ 4 કિલોગ્રામ સુધી સોનું ખરીદવાનો પણ વિકલ્પ મળે છે. ગોલ્ડ બોન્ડ સ્કીમમાં ગ્રાહકોને બજારથી સસ્તા ભાવે સોનું ખરીદવાની તક મળે છે.

સ્ટોરેજ અને ક્વોલિટી :

સોનું ખરીદ્યા બાદ આપણી સામે જે સૌથી મોટી સમસ્યા આવે છે તે છે તેને રાખવાની. અનેકવાર લોકો પોતાના ઘરેણા કે સોનાને બેંકના લોકરોમાં મૂકે છે અને આ માટે તેમણે ચાર્જ પણ આપવો પડે છે. પરંતુ ડિજિટલ ગોલ્ડમાં તમારી આ સમસ્યા પણ ઉકેલાઈ જાય છે.

ડિજિટલ ગોલ્ડમાં આપણે સ્ટોરેજની ચિંતા કરવાની હોતી નથી. આ ઉપરાંત તેમાં આપણે સોનાની ક્વોલિટી અંગે પણ ચિંતા કરવાની જરૂરી રહેતી નથી. ડિજિટલ ગોલ્ડમાં જે સોનું ખરીદવામાં આવે છે તે 24 કેરેટ સોનાની શુદ્ધતા સાથે લિંક કરવામાં આવે છે.

અમદાવાદમાં RTOનો અણઘડ વહીવટ : કોન્ટ્રાક્ટના ચક્કરમાં લાખો લાયસન્સ અટવાયા ! 

0

Clumsy administration of RTO in Ahmedabad

  • અમદાવાદ RTOની ભૂલના કારણે 1.5 લાખ લોકોના લાયસન્સ અટવાયા છે. જૂની કંપનીએ વાહનચાલકોના નવા, જૂના, નામ-સરનામા સુધારા સહિતના જૂનથી ઓગસ્ટ સુધીના લાયસન્સ ડિસ્પેચ કર્યા નથી. જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.

અમદાવાદ (Ahmedabad) RTOની ભૂલના કારણે 1.5 લાખ લોકોના લાયસન્સ અટવાયા છે. જૂની કંપનીએ જૂનથી ઓગસ્ટ સુધીના લાયસન્સ ડિસ્પેચ (License Dispatch) ન કરતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. જૂની કંપનીએ જૂનથી ઓગસ્ટ સુધીના લાયસન્સ ડિસ્પેચ ન કરવાની સાથે જૂના લાયસન્સના (Old license) ડેટાની પણ સ્પષ્ટતા કરી નથી.

મહત્વનું છે કે વાહન વ્યવહાર વિભાગે ડ્રાઈવિંગ લાયસન્સ માટે નવી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. એવામાં બે કંપનીના વિવાદ વચ્ચે 1.5 લાખ લોકોના લાયસન્સ અટવાયા છે.

જૂનથી સપ્ટેમ્બર સુધીના બનાવાયા નથી લાયસન્સ :

વાહનચાલકોના નવા, જૂના, નામ-સરનામા સુધારા સહિતના લાયસન્સ ડિસ્પેચ થયા નથી. જૂનથી સપ્ટેમ્બર સુધીના લાયસન્સ બનાવવામાં આવ્યા નથી. જેથી વાહન વ્યવહાર વિભાગ દ્વારા લાયસન્સ બનાવવા માટે નવી કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે.

નવી કંપનીએ સપ્ટેમ્બર મહિના પછીના લાયસન્સ બનાવવાની કામગીરી શરૂ કરી છે. એવામાં સવાલ એ ઉભો થાય છે કે જૂનથી સપ્ટેમ્બરના લાયસન્સ ક્યારે બનશે? જૂની કંપનીએ જૂનથી ઓગસ્ટ સુધીના લાયસન્સ નથી કર્યાં ડિસ્પેચ, લાયસન્સ ડિસ્પેચ ન કરવા સાથે જૂના લાયસન્સના ડેટાની પણ સ્પષ્ટતા કરી નથી.

RTOના ધક્કા નહીં ખાવા પડે :

અત્રે ઉલ્લેખનીય છે કે ડ્રાઈવિંગ લાયસન્સ, વાહન રજીસ્ટ્રેશન અને માલિકી ટ્રાન્સફર જેવી સુવિધાઓ માટે કેન્દ્ર સરકારે રાહત આપી છે. એવું કહેવાય છે કે, 58 એવી સુવિધાઓ સાથે જોડાયેલા કામો માટે હવે તમારે RTOના ધક્કા ખાવા પડશે નહીં.

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તેના માટે લીલી ઝંડી આપી દીધી છે. મંત્રાલયે સ્વૈચ્છિક રીતે આધાર વેરિફિકેશન દ્વારા 58 સેવાઓને સંપૂર્ણપણે ઓનલાઈન કરી દીધી છે. મંત્રાલયે શનિવારે તેના માટે નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે.

નોટિફિકેશન અનુસાર આ સેવાઓ સંપર્ક રહિત અને ફેસલેસ રીતે આપવામાં આવશે. તેનાથી લોકોનો સમય બચશે અને તેનો બોઝ ઓછો થશે. સાથે જ આરટીઓની ઓફિસોમાં ભીડ ઓછી થશે. તેનાથી સરકારી કામમાં સુધારો પણ આવશે.

આ સેવાઓનો લાભ મળશે :

ઓનલાઈન મળતી સેવાઓમાં લર્નિગ લાયસન્સ માટે અરજી, લર્નિંગ લાયસન્સમાં સરનામું, નામ, ફોટો, ફોટો બદલવો, ડુપ્લીકેટ લર્નિંગ લાયસન્સ, લર્નિંગ લાયસન્સ કાઢવાની જોગવાઈઓ વગેરે સામેલ. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ લાયસન્સ પરમિટ આપવા, કંડક્ટર લાયસન્સમાં સરનામા બદલવા જેવા કામો માટે પણ હવે આરટીઓ ઓફિસે જવાની જરુર નહીં પડે.

નોકરીને લઈને ગુડ ન્યૂઝ : દેશભરના હજારો યુવાનોને ખાસ દિવાળી ગિફ્ટ આપશે PM મોદી 

0

Good news about jobs: PM Modi will give

  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર PM 22 ઓક્ટોબરે એટલે કે દિવાળીના બે દિવસ પહેલા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુવાનો સાથે વાતચીત કરશે.

દિવાળીનો (Diwali) તહેવાર રોજગારની શોધમાં હોય તેવા યુવાનો માટે ખુશીઓ લઈને આવશે. કારણ કે આ વખતે દિવાળી રોજગારલક્ષી બનવાની છે. એવા અહેવાલ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) દેશભરમાં હજારો નોકરીઓની (Job) જાહેરાત કરશે. ખાસ વાત એ છે કે તેમણે જૂનમાં જ કહ્યું હતું કે આવતા વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં 10 લાખ નોકરીઓનું સર્જન થશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર PM 22 ઓક્ટોબરે એટલે કે દિવાળીના બે દિવસ પહેલા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુવાનો સાથે વાતચીત કરશે. આ દરમિયાન તેઓ 75 હજાર યુવાનોને રોજગારની ‘ગિફ્ટ‘ પણ આપશે. વિવિધ મંત્રાલયો અને સરકારી વિભાગોમાં 75 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપવામાં આવશે.

નોકરી ક્યાં મળશે ?

આ દરમિયાન સંરક્ષણ મંત્રાલય, રેલ્વે મંત્રાલય, પોસ્ટ વિભાગ, ગૃહ મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલય, CISF, CBI, કસ્ટમ, બેંકિંગ સહિત અન્ય ઘણા ક્ષેત્રોમાં યુવાનોને નોકરીની જાહેરાત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દેશના અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ ભાગ લેશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ઓડિશાથી શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, ગુજરાતથી આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, ચંદીગઢથી માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુર, મહારાષ્ટ્રથી પીયૂષ ગોયલ, રાજસ્થાનથી રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, તમિલનાડુથી નાણા પ્રધાન નિર્મલા સીતારમણ, ઉત્તરપ્રદેશથી ભારે ઉદ્યોગ પ્રધાન મહેન્દ્ર પાંડે, ઝારખંડમાંથી આદિજાતિ બાબતોના પ્રધાન અર્જુન મુંડા અને બિહારમાંથી પંચાયતી રાજ પ્રધાન ગિરિરાજ સિંહ સામેલ થશે.

આ પણ વાંચો :-

Rupee VS Dollar / રૂપિયામાં રેકોર્ડ બ્રેક ઘસારો ! અમેરિકન ડોલરની સામે 83.08 નું લેવલ પણ વટાવ્યું 

0

Rupee VS Dollar / Record break depreciation

  • બ્લૂમબર્ગે જણાવ્યું હતું કે, ડોલર સામે 83.0925 પર ખુલ્યા બાદ રૂપિયો હવે 83.1212ના નીચલા સ્તરના નવા રેકોર્ડને સ્પર્શી રહ્યો છે.

ભારતીય રૂપિયો ડોલર (Indian Rupee Dollar) સામે ફરી નીચલી સપાટીએ પહોંચ્યો છે. અમેરિકી ડોલર સામે રૂપિયો 83.08 પર પહોંચી ગયો છે. આ અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે. બ્લૂમબર્ગે (Bloomberg) જણાવ્યું હતું કે ડોલર સામે 83.0925 પર ખુલ્યા બાદ રૂપિયો હવે 83.1212ના નીચલા સ્તરના નવા રેકોર્ડને સ્પર્શી રહ્યો છે. બુધવારે પણ ડોલર સામે રૂપિયો 82 રૂપિયા 95 પૈસાના નવા રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો હતો.

મહત્વનું છે કે અગાઉ 16 ઓક્ટોબરે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે રૂપિયાએ ઉભરતા બજારના અન્ય ચલણોને પાછળ રાખી દીધા છે. મંત્રીની ટિપ્પણી રૂપિયો 82.69ની સર્વકાલીન નીચી સપાટીએ ગબડ્યાના કેટલાક દિવસો બાદ આવી છે. ભારતીય ચલણના ઘટાડા અંગે વાત કરતાં સીતારમણે કહ્યું હતું કે ડોલર મજબૂત થવાને કારણે આવું થયું છે. તેમણે કહ્યું કે રૂપિયાનું અવમૂલ્યન નથી થઈ રહ્યું.

શું કહ્યું હતું નિર્મલા સિતારમણે

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, હું તેને રૂપિયામાં ઘટાડાના રૂપમાં નહીં. પરંતુ ડોલરના સતત મજબૂતી તરીકે જોઉં છું. સીતારમણે જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે કે ત્યાં વધુ પડતી અસ્થિરતા ન હોય અને ભારતીય ચલણના મૂલ્યને પુનઃપ્રાપ્ત કરવા માટે કોઈ બજાર હસ્તક્ષેપ ન થાય.

ઈન્ટરનેશનલ મોનેટરી ફાઈનાન્સ કમિટી (IMFC)ને સંબોધતા સીતારમણે કહ્યું હતું કે ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 23 સપ્ટેમ્બર 2022 સુધીમાં $537.5 બિલિયન હતું. જે અન્ય સમકક્ષ અર્થતંત્રો કરતાં વધુ સારું છે. યુએસ ડોલરની મજબૂતીને કારણે મૂલ્યાંકનમાં ફેરફાર આ શેરમાં બે તૃતીયાંશ ઘટાડા માટે ફાળો આપે છે.

આ પણ વાંચો :-

શું સાચે ‘તારક મહેતા..’ શોમાં થવા જઈ રહી છે જૂના ‘ટપુડા’ ની એન્ટ્રી? ભવ્ય ગાંધીએ આ વાત પર તોડ્યું મૌન

Is the entry of the old ‘Tapuda’ really going

  • સમાચાર આવ્યા હતા કે ભવ્ય ગાંધી એટલે કે જૂનો ટપૂ ફરીથી શોમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. આ વિશે અપડેટ સામે આવી છે.

બદલાતા સમય સાથે બદલાવ જરૂરી છે. હિટ બનવા માટે બદલાવ જરૂરી છે. ટીવીના સુપરહિટ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ (Tarak Mehta Ka Ulta Chashma)ની સફળતા સામે આ બધી વાતો ખોટી સાબિત થઈ રહી છે. 28 જુલાઈ, 2008ના રોજ શરૂ થયેલ આ શો એ લાંબા સમય સુધી ટીઆરપી લિસ્ટમાં (TRP list) અને લોકોના દિલ પર પોતાનો સિક્કો જમાવી રાખ્યો છે.

ટીવી જગતના સૌથી લાંબા સમય સુધી ચાલતા શોમાંનો એક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ એ દરેક લોકોને પસંદ આવતો એક શો છે. આ કોમેડી સિરિયલ લગભગ 14 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહી છે. અને એવામાં વચ્ચે સમાચાર આવ્યા હતા કે ભવ્ય ગાંધી એટલે કે જૂનો ટપૂ ફરીથી શોમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. આ વિશે અપડેટ સામે આવી છે.

ભવ્યએ અફવા પર પૂર્ણવિરામ લગાવ્યું :

સમાચાર આવ્યા હતા કે તારક મહેતા શોના નિર્માતા ફરીથી ભવ્ય ગાંધીને ટપુના રોલ માટે સંપર્ક કરી રહ્યા છે પણ ભવ્ય ગાંધીએ તેનાથી વિપરિત વાત કરી છે. તમને જણાવી દઈએ કે ટપુના કિરદારમાં ભવ્ય ગાંધી ફરી એક વખત એન્ટ્રી કરશે આ સમાચાર પર ભવ્ય ગાંધીએ પૂર્ણવિરામ લગાવતા એ સમાચારને અફવા ગણાવી હતી.

હાલ અફવાઓથી ઘેરાયેલ રહે છે શો  ‘તારક મહેતા..’ :

જો કે હાલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો ઘણી અફવાઓથી ઘેરાયેલ છે અને ઘણા દિવસોથી આ સિલસિલો ચાલુ રહ્યો છે. પહેલા સમાચાર આવ્યા હતા કે દિશા વાકાણી ગળાના કેન્સર સામે ઝઝૂમી રહી છે પણ એ પછી દિશા વાકાણીના ભાઈ મયુર વાકાણીએ આ સમાચાર પર પૂર્ણવિરામ મુકતા કહ્યું હતું કે એ બધી અફવા છે.

આ કારણોસર ભવ્ય ગાંધીએ છોડ્યો હતો શો :

ભવ્ય ગાંધી વિશે વાત કરીએ તો તેને થોડા વર્ષો પહેલા આ શોને અલવિદા કહ્યું હતું. એ સમયે સમાચાર મળ્યા હતા કે ગુજરાતી સિનેમા અને થિયેટરમાં કામ કરવા માટે એમને આ શો છોડી દીધો હતો. જો કે એ પછી શોમાં ટપુની ભૂમિકામાં ભવ્ય ગાંધીની જગ્યાએ રાજ અનડકટે લીધી હતી. જણાવી દઈએ કે રાજ પણ એક નિશ્ચિત સમયગાળા માટે શોનો હિસ્સો બન્યો હતો. મળતી માહિતી મુજબ રાજ હવે બોલિવૂડમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે.

આપણે જાણીએ જ છીએ કે આ પહેલા તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢાએ શોને અલવિદા કહી દીધું હતું. મેકર્સ અને શૈલેષ લોઢા વચ્ચે ઘણા અણબનાવ બન્યા હતા અને અંતે મામલો ઉગ્ર બન્યો હતો. જે પછી એમને શો છોડી દીધો હતો.

જો કે જ્યારથી દિશા વાકાણીએ આ શો છોડી દીધો છે. ત્યારથી દર્શકોને આ શો જોવામાં કંઈ ખાસ મજા નથી આવી રહી. લોકોનું કહેવું છે કે દયાબેન વિના શો અધૂરો લાગે છે. પહેલા શોનો જે ચાર્મ હતો તે હવે જોવા નથી મળતો.

આ પણ વાંચો :-

મહાત્મા ગાંધી બાદ એક માત્ર પ્રધાનમંત્રી મોદી જ દેશની નાડી પારખી શકે છે – જાણો કોણે કહ્યું

0

After Mahatma Gandhi, PM Modi is the

  • વડાપ્રધાન મોદી પર લખાયેલ પુસ્તક ‘મોદી એટ 20: ડ્રીમ્સ મીટ ડિલિવરી’ની ગુજરાતી આવૃત્તિ સોમવાર, 17 ઓક્ટોબરે ગુજરાતમાં લોન્ચ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) વડાપ્રધાનના કામની પ્રશંસા કરી હતી. અને કહ્યું કે મહાત્મા ગાંધી (Mahatma Gandhi) પછી નરેન્દ્ર મોદી (Narendra Modi) બીજા એવા નેતા છે જેઓ દેશની જનતાની નાડી ઓળખે છે.

રાજનાથ સિંહે કહ્યું કે, પીએમ મોદી દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને કારણે ભારતને વિશ્વ સ્તરે મજબૂત સ્થાન મળ્યું છે. “પીએમ મોદી માત્ર વર્તમાનને બદલવા માટે સખત મહેનત કરી રહ્યા નથી પરંતુ દેશના ભવિષ્યને આકાર આપવા માટે તેમના વિઝન પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. મહાત્મા ગાંધી પછી પીએમ મોદી એકમાત્ર એવા બીજા નેતા છે જે આપણા દેશની નાડી જાણે છે કારણ કે તેઓ દેશના લોકો સાથે સીધો સંવાદ કરે છે.”

રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, “આ પુસ્તક વડાપ્રધાનના વિઝનને ડીકોડ કરે છે અને લોકોના ભલા માટે આપણે જે મોટા સપનાઓ જોતા હોય છે તે સમજવામાં મદદ કરે છે. આ પુસ્તક પીએમ મોદીની 20 વર્ષની કારકિર્દીમાં સુશાસનનો સાચો હિસાબ છે જેમાં મુખ્યમંત્રી તરીકે 12 વર્ષ અને વડાપ્રધાન તરીકે 8 વર્ષનો સમાવેશ થાય છે.”

વધુમાં જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરુગન પણ હાજર હતા. ‘Modi@20: Dreams Meet Delivery’ પુસ્તક અંગ્રેજીમાં લખાયેલું છે.

અહેવાલો અનુસાર આ પુસ્તકમાં નરેન્દ્ર મોદીની રાજકીય સફરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કુલ 21 પ્રકરણો છે, જે ગૃહમંત્રી અમિત શાહથી લઈને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને સુધા મૂર્તિ સહિત વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા લખવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

ગોરખધંધાનો થયો ઘટસ્ફોટ : યુવતિને 4 મહિનામાં 40 યુવકો સાથે સૂવા કરી મજબૂર

Ghorkha business revealed: Girl forced

  • સોહેલ અગાઉ બળાત્કાર, હત્યા અને હત્યાની કોશિશના ગુનામાં પકડાઇ ચૂક્યો છે તેની પત્ની રૂબીના પણ હિસ્ટ્રીશીટર છે. તેની સામે અપહરણ સહિતના ૧૨ ગુના નોંધાયા છે. પોલીસે રૂબીનાના ૮ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે.

સુરતના લિંબાયત (Limbayat of Surat) વિસ્તારની અંદર એક ચોંકાવનારી ઘટના સામે આવી કે અલગ અલગ યુવકો સાથે સૂવા માટે મજબૂર કરનારી માથાભારે રૂબીનાની (Headstrong Rubina) પોલીસે કડોદરાથી ધરપકડ કરી હતી. પીડિતાને ઘરમાં આશરો આપી રૂબીનાએ પતિ પાસે બદકામ કરાવ્યું હતું. મોબાઇલમાં અશ્લીલ ફોટા (Indecent photos) પાડી બ્લેકમેઇલ કરી પીડિતા પાસે ગોરખધંધા (Embroidery) કરાવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

સુરતના લિંબાયતમાં રહેતી 15 વર્ષીય યુવતી મૂળ યુપીની વતની છે. યુવતિનો ભાઇ કોઇક ગુનામાં જેલમાં હોય તે પરિચિત રૂબીનાના ઘરે રહેતી હતી. રૂબીનાનો પતિ સોહેલ ઉર્ફે ગુન્ડેએ પોતાના ઘરમાં યુવતિની એકલતાનો લાભ લઇ મોઢું દબાવી બળાત્કાર ગુજાર્યો હતો.

ત્યારબાદ મોબાઇલમાં અશ્લીલ ફોટા પાડી સોહેલ વારંવાર બ્લેકમેઇલ કરી યુવતી સાથે દુષ્કર્મ આચરતો હતો. દોઢ મહિના પહેલાં સગીરાએ ફરિયાદ આપતા લિંબાયત પોલીસે સોહેલ ઉર્ફે ગુન્ડે (રહે. લિંબાયત) સામે બળાત્કાર, છેડતી અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધ્યો હતો.

પરિવારે રૂબીના સામે શંકા વ્યક્ત કરતા ડિંડોલી પોલીસે ગુનો નોંધી તે દિશામાં તપાસનો ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યાં લિંબાયત પોલીસે કડોદરાથી સોહેલ ઉર્ફે ગુન્ડેની પત્ની રૂબિના ઉર્ફે મુબારક જુલ્ફેકાર ઉર્ફે સોહેલ ગુન્ડે એઝાઝ સિદ્દીક (ઉ.વ. ૪૧, રહે. શાસ્ત્રી ચોક, લિંબાયત- મૂળ જલગાંવ)ની ધરપકડ કરી હતી.

રૂબીના સાથે સગીરા પણ મળી આવી હતી. પોલીસે સગીરાની પૂછપરછ કરતા ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. સગીર પીડિતાનો ચુંગાલમાંથી થયો છુટકારો રૂબીનાએ જ તેના પતિ સાથે મિલીભગત રચી હતી. પતિ સોહેલે બદકામ કરી ફોટા પાડી લીધા હતા. ફોટા બતાવી બ્લેકમેઇલ કરી છેલ્લાં ચારેક માસમાં પીડિતાને ૩૫-૪૦ યુવકો સાથે સૂવા મજબૂર કરી હતી.

રૂબીનાને 8 દિવસના રિમાન્ડ મેળવી અને અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે કે આ રૂબીના આ સગીરાને કઈ કઈ જગ્યાએ લઈ ગઈ હતી અને કઈ રીતે આખી દુનિયાને અંજામ આપતી હતી. 12 ગુનાનો ઇતિહાસ રૂબીનાનો પતિ સોહેલ ઉર્ફે ગુન્ડે માથાભારે તરીકેની છાપ ધરાવે છે.

સોહેલ અગાઉ બળાત્કાર, હત્યા અને હત્યાની કોશિશના ગુનામાં પકડાઇ ચૂક્યો છે તેની પત્ની રૂબીના પણ હિસ્ટ્રીશીટર છે. તેની સામે અપહરણ સહિતના ૧૨ ગુના નોંધાયા છે. પોલીસે રૂબીનાના ૮ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો :-