HomeGujaratઘરે બેઠા કરો દર્શન : હનુમાનજીની 54 ફુટની વિશાળ પ્રતિમાનું મુખ-છાતીનો ભાગ...

ઘરે બેઠા કરો દર્શન : હનુમાનજીની 54 ફુટની વિશાળ પ્રતિમાનું મુખ-છાતીનો ભાગ કુંડળ આવી પહોંચ્યો, સંતોએ કર્યું પૂજન

Date:

Related stories

VIDEO:એક-બે નહીં, 1 કરોડ બંગડીઓ! બાપ્પાની આ ભવ્ય મૂર્તિ બની સૌના આકર્ષણનું કેન્દ્ર

ગણેશોત્સવમાં દર વર્ષે બાપ્પાને અનોખી રીતે સજાવવાની હોડ જોવા...

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું...

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ...

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...
spot_img

Do darshan at home: The face-chest part

  • બોટાદ જિલ્લાનું વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામ એવું કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ હવે આગામી દિવસોમાં કિંગ ઓફ સાળંગપુર નામથી પણ ઓળખાશે.

સાળંગપુર (Salangpur) ધામે કિંગ ઓફ સાળંગપુરમાં 54 ફુટ ઉંચી હનુમાનજી દાદાની (Hanumanji Dad) મૂર્તિ મુકવાની છે જે મૂર્તિનું મુખ અને છાતીનો ભાગ કુંડળ ધામ આવી પહોંચતાં કુંડળ ધામે (Kundal Dhame) સંતો અને મહંતો દ્વારા દાદાની મૂર્તિના મુખનું વિધિવત પૂજન કરી આરતી ઉતારી હતી.

ત્યારબાદ સાળંગપુર જવા રવાના થયા છે. મંગળવારે સવારે સાળંગપુર મંદિરના પટાંગણમાં સંતો દ્વારા વિધિવત પૂજન (Ritual worship) કરવામાં આવ્યું હતું.

બોટાદ જિલ્લાનું વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામ એવું કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ હવે આગામી દિવસોમાં કિંગ ઓફ સાળંગપુર નામથી પણ ઓળખાશે. કારણ કે આજે હજારો લોકોના આસ્થાના આ મંદિર પર લોકો દર્શન કરવા દેશ અને વિદેશથી અહીં આવતા હોય છે.

ત્યારે આગામી દિવસોમાં માત્ર ધામ નહિ પણ એક પર્યટક સ્થળ બને અને યુવા વર્ગ પણ અહીં દાદાના દરબારમાં આવે તે વાત અને સંતોના વિચાર સાથે હાલ અહીંયા વિરાટ 54 ફૂટની બોર્ઝની હનુમાનજી દાદાની મૂર્તિની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

સાળંગપુરમાં 54 ફુટ ઉંચી હનુમાનજી દાદાની મૂર્તિના પગ અને છાતીનો ભાગ અગાઉ આવી ગયેલ હોઈ જેને ફીટીગ કરવાની કામગીરી શરુ કરેલ છે. ત્યારે આજે સાંજના સમયે હનુમાનજી દાદાની મૂર્તિનું મુખ અને છાતીનો ભાગ કુંડળ ધામ આવી પહોંચ્યો હતો. ત્યારે કુંડળ ધામ ખાતે સંતો, મહંતો દ્વારા હનુમાનજી દાદાની મૂર્તિના મુખના ભાગનું વિધિવત પૂજન કરી આરતી ઉતારી હતી. તેમજ પ્રસાદ ધરાવાયો હતો. ત્યારબાદ મૂર્તિ સાળંગપુર જવા રવાના કરવામાં આવી હતી.

આ મૂર્તિ મુક્યા બાદ ભક્તો સાત કિલોમીટર દુરથી દાદાની મૂર્તિના દર્શન કરી શકાશે. ત્યારે ભકતોના હૃદયમાં ખુબ જ આનંદ અને ભાવ પ્રગટી રહ્યો છે અને જયારે આ હનુમાનજી દાદાની 54 ફુટ ઉંચી મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે એટલે વિશેષ માહોલમાં વધારો થશે. મંગળવારે સવારે સાળગપુર મંદિરના પટાંગણમાં સંતો દ્વારા પૂજન વિધિ કરવામા આવી છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img