અમેઠી અને રાયબરેલીની બેઠકો પર નોમિનેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તેમ છતાં ઉમેદવારોને લઈને વલણ હજુ સ્પષ્ટ થયું નથી. જ્યારે કોંગ્રેસે અમેઠીથી તેના ઉમેદવારના નામની જાહેરાત કરી નથી, ત્યારે કોંગ્રેસની સાથે ભાજપે હજુ સુધી રાયબરેલીમાં તેના ઉમેદવારો ઉભા કર્યા નથી.
આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલી બેઠક માટે પાર્ટીના ઉમેદવારના નામ કેટલાક દિવસમાં જાહેર કરવામાં આવશે. સુત્રો અનુસાર, કોંગ્રેસના ઉત્તર પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે અને ધારાસભ્ય દળના નેતા અરાધના મિશ્રાએ નેતૃત્વને આગ્રહ કર્યો હતો કે અમેઠીથી રાહુલ ગાંધી અને રાયબરેલીથી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ચૂંટણીલ ડવી જોઇએ.
પ્રમોદ કુમાર હેમરામ બાદલ હેમબ્રામની જગ્યાએ બારીપાડા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. પાર્ટીએ અજય સામલને બરચાના વિધાનસભા સીટ પરથી અને ફકીર સામલ પલ્હારા સીટ પરથી ચૂંટણી લડશે. ધારાસભ્ય મોહમ્મદ મુકિમને બારાબતી-કટક મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યારે પ્રતિમા મલિક જગતસિંહપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. પાર્ટીએ ખંડપારા વિધાનસભા મતવિસ્તારમાંથી મનોજ કુમાર પ્રધાનને હટાવીને બૈજયંતિમાલા મોહંતીને બેઠક પરથી ઉતાર્યા. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ વખતે રાયબરેલીથી ચૂંટણી ના લડવાનો નિર્ણય કર્યો હતો અને તે રાજસ્થાનથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા. સોનિયા ગાંધીએ બે દાયકા સુધી રાયબરેલી લોકસભા વિસ્તારનું પ્રતિનિધિત્ત્વ કર્યું હતું. એવામાં સંભાવના વ્યક્ત કરવામાં આવે છે કે પ્રિયંકા ગાઁધી આ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
રાહુલ ગાંધીએ ૨૦૦૪થી સતત ત્રણ વખત અમેઠી બેઠક જીતી છે, પરંતુ ૨૦૧૯માં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવ્યા હતા. સાથે જ રાયબરેલી લોકસભા સીટ પર હંમેશા કોંગ્રેસનો દબદબો રહ્યો છે. આ વીઆઈપી જિલ્લાની બેઠક કોંગ્રેસ પાર્ટીએ ૧૭ વખત જીતી છે, જેમાંથી કોંગ્રેસ (આઈ) બે વખત જીતી છે. ૨૦૧૯ની ચૂંટણીમાં સોનિયા ગાંધી રાયબરેલીથી જીત્યા હતા, પરંતુ આ વખતે સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભામાં પહોંચ્યા છે. સોનિયા ગાંધી સતત પાંચ વખત રાયબરેલીથી ચૂંટણી જીત્યા છે.