Home Blog Page 1279

ધનતેરસ પર ધાણા ખરીદવા પણ માનવામાં આવે છે ખૂબ જ શુભ ! જાણો શું છે તેના પાછળની માન્યતા

Buying coriander on Dhanteras is also

  • ધનતેરસના દિવસે નવી વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ધાણા ખરીદવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ તેની પાછળનું કારણ.

23 ઓક્ટોબર અને રવિવારે ધનતેરસનો (Dhanteras) તહેવાર ઉજવવામાં આવશે. ધનતેરસના દિવસે લોકો સોના-ચાંદીના (Gold and silver) નવા વાસણો અને ઘરેણાં પણ ખરીદે છે. તમને જણાવી દઈએ કે ધનતેરસના દિવસે નવી વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ જ કારણ છે કે લોકો બજારોમાં ઘરેણાં અને વાસણો સહિતની તમામ વસ્તુઓ ખરીદતા જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે ધનતેરસના દિવસે વાસણોની સાથે ધાણા ખરીદવા પણ ખૂબ જ શુભ હોય છે. આજે અમે તમને ધાણા ખરીદવા પાછળના કારણ વિશે જણાવીશું.

ધનતેરસના દિવસે ધાણા ખરીદવા શા માટે છે શુભ?

તમને જણાવી દઈએ કે ધનતેરસના દિવસે ધાણા ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ધાણા ખૂબ જ ઉપયોગી છે. આ કારણોસર લોકો અન્ય ખરીદીની સાથે ધાણાની પણ ખરીદી કરે છે. લોકો સામાન્ય રીતે શહેરોમાં ધનતેરસના દિવસે સુકા ધાણા ખરીદે છે.

ગામની વાત કરીએ તો ત્યાં ગોળ અને ધાણાને એકસાથે ભેળવીને નૈવેદ્ય બનાવવામાં આવે છે. મા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ધાણા અને ગોળથી બનેલું નૈવેદ્ય શુભ માનવામાં આવે છે. તમને એ પણ જણાવી દઈએ કે માત્ર ધનતેરસ જ નહીં પરંતુ દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન ધાણાનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

પૂજા બાદ તિજોરીમાં મુકી દો ધાણા :

મા લક્ષ્મીને પ્રસન્ન કરવા ઉપરાંત આર્થિક સ્થિતિ સુધારવા માટે ધનતેરસના દિવસે ધાણા ખરીદવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ધાણા ખરીદવાથી આપણને શુભ ફળ મળે છે. સાથે પૂજા દરમિયાન દેવી લક્ષ્મીને ધાણા ચઢાવો અને પૂજા પછી તેને તિજોરીમાં મુકો.

આ વસ્તુઓ ખરીદવી પણ છે શુભ :

ધનતેરસના સમગ્ર દિવસ દરમિયાન ખૂબ જ સારા યોગ છે. એવામાં તમે આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરી શકો છો. તમને જણાવી દઈએ કે ધાણા ખરીદવા સિવાય તમે ધનતેરસના દિવસે સાવરણી, ગોમતી ચક્ર અને શણગારની વસ્તુઓ પણ ખરીદી શકો છો. આ બધી વસ્તુઓ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો :-

વિચિત્ર કપડાં પહેરીને પણ કરોડો કમાય છે ઉર્ફી જાવેદ, આલિશાન ઘર-કારની છે માલિક : જાણો કેટલી છે પ્રોપર્ટી

Earns crores even by wearing strange

  • ઉર્ફી જાવેદ પોતાના ડ્રેસના કારણે ઘણીવાર ટ્રોલ થઇ છે. જો કે તે પોતાની જિંદગી ખુલીને જીવવાનું પસંદ કરે છે. ચાલો તમને જણાવીએ ઉર્ફી જાવેદની નેટવર્થ કેટલી છે.

બિગ બોસ ઓટીટીથી (Bigg Boss OTT) ચર્ચામાં આવેલી ઉર્ફી જાવેદ સિનેમા જગતમાં પોતાની અતરંગી ફેશન સેન્સ માટે જાણીતી છે. ઉર્ફી મોટાભાગે પોતાના વિચિત્ર આઉટફિટ્સ અને બોલ્ડનેસના (Outfits and boldness) કારણે લોકોના મજગ ચકરાવે ચડાવી દે છે અને આ જ કારણે તે અવારનવાર સોશિયલ મીડિયા (Social media) પર ટ્રોલ પણ થાય છે.

પરંતુ એ પણ હકીકત છે કે એક્ટ્રેસને લોકોએ લગાવેલી ફટકારની કોઇ અસર નથી થતી અને તે પોતાની લાઇફ બિન્દાસ જીવી રહી છે. આ વચ્ચે ઘણીવાર ઉર્ફીની કમાણીને લઇને પણ સવાલ ઉઠે છે. ચાલો તમને તેની નેટવર્થ અને કાર કલેક્શન વિશે જણાવીએ.

ઉર્ફીએ આ રીતે શરૂ કરી પોતાની જર્ની : ઉર્ફી જાવેદને આજના સમયમાં સૌકોઇ તેની બોલ્ડનેસના કારણે ઓળખે છે. પરંતુ એક્ટ્રેસે ઢગલાબંધ ટીવી સીરિયલ્સમાં પણ કામ કર્યુ છે. તે ‘દુર્ગા’, ‘સાત ફેરો કી હેરાફેરી’, ‘બેપનાહ’, ‘જીજી માં’, ‘ડાયન’, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ‘ અને ‘કસોટી ઝિંદગી કી’ જેવી સીરિયલ્સમાં પણ જોવા મળી ચુકી છે.

આ ઉપરાંત તે ઘણા મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. પરંતુ લોકો વચ્ચે તેને ઓળખ ‘બિગ બોસ‘થી જ મળી છે. આટલા કરોડની સંપત્તિની માલિક છે ઉર્ફી : ઉર્ફી જાવેદની કમાણીને લઇને દરેક વખતે સવાલ ઉઠે છે પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે ઉર્ફી કરોડોની સંપત્તિની માલિક છે અને તે દર મહિને લાખોમાં કમાણી કરે છે.

એક રિપોર્ટ અનુસાર ઉર્ફી સીરિયલના એક એપિસોડ માટે 25થી 30 હજાર રૂપિયા ચાર્જ કરે છે અને તે દર મહિને આશરે 30 લાખ રૂપિયાની કમાણી કરે છે. તેની કુલ નેટવર્થ 172 કરોડ રૂપિયાની આસપાસ છે. ઉર્ફીનો જન્મ લખનઉમાં થયો છે પરંતુ હવે તે મુંબઇમાં એક આલિશાન ફ્લેટમાં રહે છે. તેની પાસે Jeep Compass SUV છે. જેની કિંમત આશરે 25 લાખ રૂપિયા છે.

આ પણ વાંચો :-

લોકોની દિવાળી બગાડશે અમુલ- આજથી જ ચુપચાપ વધારી દીધા દૂધના ભાવ, જાણો નવા ભાવ

0

Amul will spoil people’s Diwali

  • દિવાળી (Diwali 2022) પહેલા જ સામાન્ય જનતાને ફરી એક વખત મોટો ઝટકો લાગ્યો છે. ઝડપથી વધી રહેલી મોંઘવારી (Inflation)માં આજે સવારે જ ભાવ વધારાનો વધુ એક આંચકો લાગ્યો છે.

તહેવારોની સીઝનમાં મોંઘવારીનો (inflation) વધુ એક આંચકો લાગ્યો છે. શનિવારે ભારતની જાણીતી ડેરી કંપની અમૂલે ફુલ ક્રીમ (Amul Full Cream) અને ભેંસના દૂધના (Buffalo milk) ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે.

2 રૂપિયા પ્રતિ લીટર ભાવ વધારો :

જાણકારી અનુસાર અમૂલનું ફુલ ક્રીમ મિલ્ક હવે 62ના બદલે 64 રૂપિયા પ્રતિ લીટરે મળશે. સાથે જ મધર ડેરી પણ ભાવવધારાની તૈયારી કરી રહી છે. સાંજ સુધીમાં મધર ડેરી નવા ભાવની જાહેરાત કરે તેવી શક્યતા છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના એમડી આર.એસ.સોઢીએ જણાવ્યું છે કે અમૂલે ગુજરાત સિવાય તમામ રાજ્યોમાં ફુલ ક્રીમ દૂધ અને ભેંસના દૂધના ભાવમાં લિટર દીઠ રૂ.2નો વધારો કર્યો છે.

આ કંપનીના ભાવમાં પણ વધારો થયો :

સાથે જ પંજાબની ડેરી કંપની વેરકાએ પણ દૂધના ભાવમાં ફરી વધારો કર્યો છે. અડધા કિલોના પેકેટમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે એક કિલોના બે રૂપિયા રેટમાં વધારો થયો છે. નવા દર 16 તારીખથી લાગુ થશે.

આ પણ વાંચો :-

સુરતમાં વધી તૈયાર હીરાના એક્સપોર્ટની માંગ, ગત વર્ષની સરખામણીએ આટલા ટકાનો વધારો

0

Export demand for finished diamonds increased

  • ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સુરતમાં તૈયાર હીરા, કટ એન્ડ પોલિશ્ડ હીરા, લેબગ્રોન તૈયાર હીરા સહિત જ્વેલરી અને ડાયમંડ સ્ટડેડ જ્વેલરી સહિતની વસ્તુઓના એક્સપોર્ટમાં વધારો નોંધાયો છે.

સુરતમાં વર્ષ 2021ના સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ વર્ષ 2022માં તૈયાર હીરાના (કટ એન્ડ પોલિશ્ડ હીરા) (Diamonds (Cut and Polished Diamonds)) એક્સપોર્ટમાં 21.99 ટકાનો વધારો થયો છે. વર્ષ 2021ના સપ્ટેમ્બર મહિનામાં 14 હજાર કરોડનું એક્સપોર્ટ (Export) થયું હતું જ્યારે આ વર્ષે 2022માં 17 હજાર કરોડના તૈયાર હીરાનું એક્સપોર્ટ થયું છે.

ગત વર્ષની સરખામણીમાં તૈયાર હીરા, લેબગ્રોન તૈયાર હીરા, જ્વેલરી અને ડાયમંડ સ્ટડેડ જ્વેલરી સહિતની વસ્તુઓના એક્સપોર્ટમાં પણ વધારો થઈ રહ્યો છે. તમને જણાવી દઇએ કે, વર્ષ 2021ના એપ્રિલથી સપ્ટેમ્બર મહિનામાં 4350 કરોડના કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ થયું હતું જ્યારે વર્ષ 2022માં 7407 કરોડના કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ થયું છે.

સ્ટડેડ જ્વેલરીના એક્સપોર્ટમાં 23.43 ટકાનો વધારો :

વર્ષ 2021ના એપ્રિલથી સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ આ વર્ષે તમામ પ્રકારની સ્ટડેડ જ્વેલરીના એક્સપોર્ટમાં 23.43 ટકાનો વધારો થયો છે. વર્ષ 2021ના એપ્રિલથી સપ્ટેમ્બરની સરખામણીએ એક્સપોર્ટમાં 4.71 ટકાનો વધારો થયો છે. જેમાં ગત સપ્ટેમ્બરમાં 91495ના કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ થયું હતું. જ્યારે વર્ષ 2022 દરમિયાન 95805 કરોડનું એક્સપોર્ટ થયું છે.

2022માં કુલ ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં 24.88 ટકાનો વધારો :  

વધુમાં જણાવીએ કે, વર્ષ 2021ના એપ્રિલથી સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ વર્ષ 2022માં કુલ ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં 24.88 ટકાનો વધારો થયો છે.

વર્ષ 2021ના એપ્રિલથી સપ્ટેમ્બર મહિનામાં 31181 કરોડની કુલ ગોલ્ડ જ્વેલરી જ્યારે વર્ષ 2022માં 38939 કરોડની કુલ ગોલ્ડ જ્વેલરીનું એક્સપોર્ટ થયું હતું.

લેબગ્રોનના એક્સપોર્ટમાં 70.26%નો ઉછાળો :

અત્રે વધુમાં તમને જણાવી દઇએ કે નેચરલ હીરાના એક્સપોર્ટમાં તો વધારો છે જ પણ સાથે લેબગ્રોન હીરાના એક્સપોર્ટમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. 2021ના એપ્રિલથી સપ્ટેમ્બરની સરખામણીમાં વર્ષ 2022માં લેબગ્રોન કટ એન્ડ પોલિશ્ડ હીરાના એક્સપોર્ટમાં 70.26 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચો :-

શું ગુજરાતના વિદ્યાર્થીઓ આમ ભણશે ? MS યુનિ.માં કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ રામ ભરોસે

0

Will the students of Gujarat study like this

  • તાજેતરમાં એમ એસ યુનિવર્સિટીને નેકની ટીમે A+ રેન્કિંગ આપ્યું હતું. યુનિવર્સિટીને A+ રેન્કિંગ મળતાં તમામ લોકોએ તેની ઉજવણી પણ કરી. તેમ છતાં યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ રામ ભરોસે ભણી રહ્યા છે.

રાજ્ય સરકાર (State Govt) શિક્ષણમાં અવ્વલ હોવાની વાત કરે છે. ત્યારે વડોદરાની (Vadodara) એમ એસ યુનિવર્સિટીમાં (MS University) કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ રામ ભરોસે છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. જેને લઈ યુનિવર્સિટી સત્તાધીશો (University authorities) વિવાદમાં આવ્યા છે.

તાજેતરમાં એમ એસ યુનિવર્સિટીને નેકની ટીમે A+ રેન્કિંગ આપ્યું હતું. યુનિવર્સિટીને A+ રેન્કિંગ મળતાં તમામ લોકોએ તેની ઉજવણી પણ કરી. તેમ છતાં યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ રામ ભરોસે ભણી રહ્યા છે. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં અડધું શૈક્ષણિક સત્ર પૂરું થઈ ગયું હોવા છતાં હજી સુધી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના વર્ગો શરૂ કર્યા નથી.

સાથે જ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું પરિણામ પણ જાહેર કરાયું નથી. જેના કારણે બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પણ હજી સુધી થઈ શકી નથી. જેને લઈ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

યુનિવર્સિટીના હોશિયાર તંત્રએ એડમિશન વગર જ કોમર્સના બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ભણાવવાનું પણ શરૂ કરી દીધું છે, એટલું નહિ વિદ્યાર્થીઓએ હજી વિષય પણ પસંદ કર્યા નથી. તેમ છતાં સત્તાધીશો વિદ્યાર્થીઓને મનફાવે તેમ ભણાવી રહ્યા છે.

જેને લઈ વિદ્યાર્થીઓએ અનેક સવાલો ઉઠાવ્યા. ખુદ કોમર્સ ફેકલ્ટીના સેનેટ સભ્યે વાઇસ ચાન્સેલરને પત્ર લખી રજૂઆત કરી કે યુનિવર્સિટીના આંતરિક રાજકારણનો ભોગ વિદ્યાર્થીઓને ન બનાવો. વિદ્યાર્થીઓના વર્ગો અને એડમિશન પ્રક્રિયા વહેલી તકે શરૂ કરવા માંગ કરી.

યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવની ફેકલ્ટીના સત્તાધીશો પર ઢીલી પકડ અને યુનિવર્સિટીના આંતરિક રાજકારણના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે. ભવિષ્ય અંધકારમય બન્યું છે. તેમ છતાં વાઇસ ચાન્સેલર કુંભકર્ણની નિંદ્રામાં છે.

યુનિવર્સિટીના PRO કોરોનાનું કારણ આગળ ધરી સત્તાધીશોની આબરૂ બચાવવાની કોશિશ કરી રહ્યા છે. સાથે જ કોમર્સ ફેકલ્ટીમાં તમામ પ્રક્રિયામાં મોડું થયું હોવાનો સ્વીકાર પણ કરી રહ્યા છે. આ ઉપરાંત દિવાળી બાદ રાબેતામુજબ શૈક્ષણિક સત્ર શરૂ થશે તેવી વાત પણ કરી રહ્યા છે.

મહત્વની વાત છે કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના અણ આવડતના કારણે યુનિવર્સિટીનું નામ ખરાબ થઈ રહ્યું છે. શિક્ષણ ક્ષેત્રે એક સમયે એમ એસ યુનિવર્સિટીનો ડંકો વાગતો હતો. જે આજે સમયસર વર્ગો પણ શરૂ ન કરી શકતા યુનિવર્સિટીની શાખ દાવ પર લાગી છે. ત્યારે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું થશે તેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે..

આ પણ વાંચો :-

ગૌરવયાત્રાનો વિરોધ : કેન્દ્રીય મંત્રીની હાજરીમાં વાંકાનેરમાં ‘સાંસદ કુંડારીયા હાય-હાય’ના નારા! 

0

Gauravyatra protest: ‘Sansad Kundaria

  • ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીકમાં છે. જેના પગલે તમામ પક્ષો પોતાના પ્રચાર પ્રસારમાં લાગી ગયેલા છે. જેના અનુસંધાને ભાજપ દ્વારા પણ ગૌરવયાત્રા કાઢવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રીઓ (Union Ministers) અને સાંસદો સહિત આ ગૌરવ યાત્રા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અમિત શાહ (Amit Shah) સહિતના દિગ્ગજો પણ આ રેલીમાં જોડાયા અને હાજર રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલની હાજરીમાં હાય-હાયના નારા લાગ્યા :

જો કે આજે આ ગૌરવ યાત્રા કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલની હાજરીમાં મોરબી પહોંચી હતી. જો કે આ યાત્રાનો પ્રથમ ફિયાસ્કો ત્યારે થયો જ્યારે આ યાત્રાનું સ્વાગત કરવા માટે ખુબ જ ઓછી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જાહેર સભા હોવા છતા પણ 500 થી પણ ઓછા લોકો હાજર હતા. જેના કારણે યાત્રાનો ફિયાસ્કો થયો હતો.

ટોળાને આક્રમક થતું જોઇને યાત્રાને ઝડપથી આગળ ધકેલાઈ :

જો કે આટલું ઓછું હોય તેમ યાત્રા આગળ વધી રહી હતી ત્યારે અચાનક મોટી સંખ્યામાં લોકો ઘસી આવ્યા હતા. તેમણે ભાજપ અને સાંસદ મોહન કુંડારિયા હાય હાયના નારા લગાવ્યા હતા. હાજરી ખાતે આ યાત્રાનો ભારે વિરોધ થયો હતો.

જેના કારણે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ સહિતના ભાજપના આગેવાનો અસહજ સ્થિતિમાં આવી ગયા હતા. તો બીજી તરફ કાર્યકરો અને પદાધિકારીઓ દોડતા થયા હતા. ત્યાંથી યાત્રાને ઝડપથી આગળ ધપાવી દેવામાં આવી હતી.

આ પણ વાંચો :-

 

સ્ટેટ મોંનટરિંગ સેલના દરોડા, અ’વાદમાં ચાર પોલીસકર્મીઓ જુગાર રમતા ઝડપાયા

Four policemen caught gambling in

  • સાબરમતી ડી કેબીન વિસ્તારમાં 1 પીએસઆઇ, 1 એ.એસ.આઈ, 1 હેડકોન્સ્ટેબલ એમ કુલ 4 જેટલા પોલીસ કર્મીઓ જુગાર રમતા ઝડપાયા હતા. ત્યારે ડી.જી વિજિલન્સ દ્વારા બાબુ દાઢીના જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદમાં (Ahmedabad) પોલીસના જવાનો જ જુગાર રમતા ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સાબરમતી ડી કેબીન (Sabarmati D Cabin) વિસ્તારમાં સ્ટેટ મોંનટરિંગ સેલએ (State Monitoring Cell) દરોડા પાડ્યા હતા. જેમાં જુગાર રમતા PSI, ASI, હેડકોન્સ્ટેબલ સહિત 4 પોલીસ કર્મચારી ઝડપાયા હતા.

સાબરમતી ડી કેબીન વિસ્તારમાં 1 પીએસઆઇ, 1 એ.એસ.આઈ, 1 હેડકોન્સ્ટેબલ એમ કુલ 4 જેટલા પોલીસ કર્મીઓ જુગાર રમતા ઝડપાયા હતા. ત્યારે ડી.જી વિજિલન્સ દ્વારા બાબુ દાઢીના જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ અગાઉ અનેક વખત બાબુ દાઢીના જુગારધામ પર રેડ પડી ચુકી હોવાની માહિતી સામે આવી છે.

સ્ટેટ મોંનટરિંગ સેલના એસ.પી નિર્લિપ્ત રાય પણ હાજર હતા. આ ઝડપાયેલા પોલીસકર્મીઓમાં એક પીએસઆઇ ખેડાનો અને એક પોલીસકર્મી ક્રાઇમ બ્રાંચનો હોવાની વાત સામે આવી રહી છે.

આ પણ વાંચો :-

આવતીકાલથી કેન્દ્રીય ચૂંટણીપંચના 4 દિવસ ગુજરાતમાં ધામા, રાજ્યના આ જિલ્લાઓમાં અધિકારીઓ સાથે કરશે બેઠક

0

From tomorrow, the Central Election Commission

  • આવતીકાલથી કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ 4 દિવસ ગુજરાતની મુલાકાતે આવશે. જેમાં તેઓ અધિકારીઓ પાસેથી ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગેની વિગતો મેળવશે.

ગઇકાલે ઇલેક્શન કમિશને (ચૂંટણી પંચ) (Election Commission) પ્રેસ કોન્ફરન્સ યોજી હિમાચલ પ્રદેશની (Himachal Pradesh) ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હજુ સુધી જાહેર નથી કરી. કારણ કે તેની પાછળના અનેક સંભવિત કારણો જવાબદાર છે.

ત્યારે ચૂંટણીની તારીખો દિવાળી બાદ જાહેર થાય તેવી શક્યતા રહેલી છે. એવામાં કેન્દ્રીય ચૂંટણીપંચની (Central Election Commission) ટીમ આવતીકાલથી 4 દિવસ ગુજરાતની મુલાકાતે આવશે.

રાજકોટ, વડોદરા, સુરત અને જૂનાગઢની લેશે મુલાકાત :

કેન્દ્રીય ડેપ્યુટી ઈલેક્શન કમિશનર પણ ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ રાજકોટ, વડોદરા, સુરત અને જૂનાગઢની મુલાકાત લેશે. આ સાથે ડે. ઈલેક્શન કમિશનર ચૂંટણીલક્ષી મહત્વની બેઠકો પણ યોજશે. જેમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે અધિકારીઓ પાસેથી તેઓ જરૂરી વિગતો મેળવશે.

ઘરેથી પણ મતદાનની સુવિધા અપાશે :

80 વર્ષથી વધુની ઉમરના લોકો, દિવ્યાંગ અને કોરોના સંક્રમિત લોકો જો મત આપવા માંગે છે અને બુથ સુધી નથી આવી શકે તેમ તો તેમણે માટે ચૂંટણી આયોગે આગવી વ્યવસ્થા કરી છે. અને આવા મતદાતાઓના ઘરે જઈને તેમણે મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે.

આ પણ વાંચો :-

પાટીદારોને લઈને ફરી ગરમાયું રાજકારણ – PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાએ ભાજપમાં જોડાવવા અંગે આપ્યું મોટું નિવેદન

0

Politics heated up again over Patidars

  • વિધાનસભા ચૂંટણી પહેલાં અલ્પેશ કથીરિયાને લઇને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS)ના કન્વીનર અલ્પેશ કથીરિયા(Alpesh Kathiriya) ભાજપ(BJP)માં જોડાઈ શકે છે.

ગુજરાત વિધાનસભાને ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે એવામાં એક સમાચાર વાયુવેગે વાયરલ થયા હતા. ત્યારે આ અંગે અલ્પેશ કથીરિયાએ (Alpesh Kathiria) ફરી એક વાર મોટું નિવેદનન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘હાલ ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા છે.’

સુરતમાં ગબ્બર તરીકે જાણીતા છે અલ્પેશ કથીરિયા :

પાટીદાર યુવા નેતા અલ્પેશ કથીરિયા ગબ્બર તરીકે પણ જાણીતા છે. ત્યારે આ અંગે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ અંગે સ્પષ્ટતા કરી હતી.

અમારી માંગણીઓ છેલ્લા 6 વર્ષથી પેન્ડિંગ છે : અલ્પેશ કથીરિયા

અલ્પેશ કથીરિયાએ જણાવતા કહ્યું કે આ વાત માત્ર ચર્ચા છે, આમાં કોઈપણ પ્રકારની તથ્યતા નથી. અમારી માંગણી ખૂબ જ સ્પષ્ટ છે. આ સરકાર અને આ પાર્ટી સામે અમારી માંગણીઓ છેલ્લા 6 વર્ષથી પેન્ડિંગ છે. શહીદ પરિવારને નોકરી ફાળવવામાં આવે અને સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો ઉપરના કેસો પરત ખેંચવામાં આવે. આ બે મુદ્દા પર સરકાર દ્વારા પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવામાં આવે.

આવનારા દિવસોમાં સરકાર દ્વારા આ બાબતે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે આ તમામ બાબતો પર ધ્યાન રાખી રહ્યા છીએ. જે બાદ રાજકીય પ્રકારના નિર્ણય અમારા દ્વારા જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે દાવો કર્યો છે કે, તેમને ભાજપ, કોંગ્રેસ અને AAP પાર્ટીમાંથી ઓફર આવી છે.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં પાટીદાર સીટને મજબૂત કરવા અને આમ આદમી પાર્ટીના મત ભાજપ તરફ વાળવા અલ્પેશ કથીરિયાને ભાજપમાં લઈ લેવાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત રીતે પ્રચાર કરી રહી છે તેમજ પ્રભુત્વ જમાવવાના તમામ પ્રયાસો પણ થઈ રહ્યા છે. સુરતની વરાછા અને તેની આસપાસની બે મળી કુલ ત્રણ સીટ પર ભાજપ નબળી સાબિત થઇ રહી છે.

બીજી બાજુ સ્થાનિક હોવાને કારણે અલ્પેશ કથીરિયાનું આ ત્રણેય સીટ પર વધારે પ્રભુત્વ છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ આ વિસ્તારમાં જોરશોરમાં પ્રચાર કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીની મત બેંક કાપવા અલ્પેશ કથિરીયાની ભાજપમાં લઈને ધારાસભ્યની ટિકિટ પણ આપવામાં આવી શકે છે.

આ પણ વાંચો :-

 

હોટેલના રૂમમાંથી ગમે તે વસ્તુ ઘરે લઈ જતાં પહેલા જોઈ લેજો આ લિસ્ટ, નહીંતર ભરવો પડી શકે છે દંડ

0

Check this list before taking anything

  • હોટલમાં જો તમે ઉભા રહ્યાં છો અને ત્યાંની કોઈ વસ્તુ તમને ખૂબ પસંદ આવી રહી છે અને મૂંઝવણમાં છો કે તેને લઇ જવાય કે નહીં તો આ આર્ટીકલમાં જણાવવામાં આવેલા એવા સામાન વિશે જાણી લો, જેને તમે લઇ જઇ શકો છો અથવા લઇ જઇ શકતા નથી.

સાબુ :

જ્યારે પણ તમે બહાર જાઓ છો તો આ વિચારીને પોતાનુ પેકિંગ કરો છો કે આ સામાન રાખી લો છો. શું ખબર હોટલમાં અથવા બહાર કયાય મળે ના મળે. પરંતુ મોટાભાગની હોટલના (Hotel) રૂમમાં દરેક જરૂરીયાતનો સામાન મળી જાય છે. જેમાં સાબુનો પણ સમાવેશ થાય છે. ઘણા હોટલવાળા પોતાના ગેસ્ટને ન્હાવાનો (Bathing the guest) સાબુ પણ આપે છે. જો તમે તેને પોતાની સાથે લઇ જવા માંગો છો તો મુક્તપણે તેને ઉઠાવીને પોતાની બેગમાં રાખી શકો છો.

હોટલના રૂમમાંથી શું લઇ જઇ શકશો નહીં :.

ચાદરો અને ટુવાલ :

હોટલના રૂમની વ્હાઈટ ચાદર અને વ્હાઈટ ટુવાલને જોઈને તમારું પણ મન તેને સાથે લેવાની ઈચ્છા રાખતુ હશે. પરંતુ આ કઈક એવો સામાન છે, જેને તમે પોતાની સાથે લઇ જઇ શકતા નથી. જો તમે તેને પૈસામાં પણ સાથે લઇ જવા માંગશો તો પણ સ્ટાફ પણ તમને ના પાડશે. સારું છે કે તમે તેની મજા હોટલમાં રહીને જ લો.

વિજળીનો સામાન :

હોટલમાં તમે વિજળીમાંથી ચાલતા સામાનનો ખૂબ ઉપયોગ કર્યો હશે. જેમકે ચાની કિટલી, કોફી મશીન, પ્રેસ, વાળ માટે સ્ટેટનિંગ મશીન, એવી ઘણી વસ્તુઓ છે. જેને તમે પોતાની સાથે લઇ જઇ શકતા નથી. જો લઇ જવા માંગો છો તો પણ હોટલ બિલમાં તમારે તેના પૈસા પણ ચૂકવવા પડશે. કોઈ-કોઈ હોટલમાં તમે પૂછ્યા વગર સામાન લઇને જાઓ છો તો ત્યાંનો સ્ટાફ તમારા પર દંડ પણ નાખી શકે છે.

આ પણ વાંચો :-