Home Blog Page 1267

નસીબનો બળિયો નીકળ્યો આ પરિવાર, ઘટના સમયે 14 લોકો પુલ પર હતા તમામ બચી ગયા

0

This family was lucky, 14 people were

  • મોરબીની દુર્ઘટનામાં રાજકોટના પરિવારનો ચમત્કારીક બચાવ… રાજકોટના વસાણી પરિવારના 14 સભ્યોનો ચમત્કારીક બચાવ.

મોરબીની હોનારત (Morbi disaster) ગુજરાતના ઈતિહાસમાં કાળી શાહીથી લખાશે. આજે મોરબીમાં માતમથી આખા દેશમાં શોક છવાયો છે. માત્ર 3 સેકન્ડમાં મોરબીનો (Morbi) પટ મરણચીસોથી ફેલાઈ ગયો હતો. જ્યાં ત્યા લાશો પડી હતી. કોઈનુ બાળક હતું, તો કોઈની માતા, કોઈના પિતા હતા, તો કોઈનો દીકરો…

ચારેય તરફ કલ્પાંત મચ્યો. કેટલાક તો આખેઆખા પરિવાર હોમાયા. વેકેશન (Vacation) કરવા ગયેલા પરિવારો મોતને લઈને પાછા ફર્યા. ત્યારે આ દુખની ઘડીમાં સૌ કોઈ દુખી છે. ચારેતરફ શોક મનાવાઈ રહ્યો છે. ત્યારે રાજકોટનો પરિવાર પોતાને નસીબનો બળિયો માની રહ્યો છે. મોરબીની ઘટનામાં ચમત્કાર જેવી ઘટના બની. રાજકોટના યુનિવર્સિટી (University of Rajkot) રોડ પાસે રહેતો વસાણી પરિવાર મોરબીની મોતને હાથતાળી આપીને પાછો ફર્યો.

આ પરિવાર ઘટનાનો સાક્ષી બન્યો. જ્યારે ઘટના બની ત્યારે વસાણી પરિવારના 14 સભ્યો પુલ પર હાજર હતા. સદનસીબે પરિવારના તમામ સભ્યો બચી ગયા હતા. રાજકોટના વસાણી પરિવારના 14 સદસ્યો મોરબીમાં બનેલો નવો ઝુલતો પુલ જોવા રાજકોટથી મોરબી ગયા હતા. પણ તેમને શું ખબર હતી કે આવું થશે.

પરિવારના મોભીએ કહ્યું કે અમારો પરિવાર મોરબીમાં બનેલો નવો પુલ જોવા માટે બહુ જ ઉત્સાહી હતો. અમે જોવા ગયા ત્યારે ખબર ન હતી કે આવું થશે. અમે પુલ 30 થી 35 ટકા ક્રોસ કર્યો. પુલ વધારે પડતો હાલકડોલક થઈ રહ્યો હતો. તેથી અમને ડર લાતો હતો. આખરે એવુ જ થયું. અમે બધા 14 લોકો ઉપર હતા અને પુલ તુટ્યો, અમે બધા નીચે પાણીમાં પડ્યા. પુલ પર કદાચ 500 થી વધુ લોકો પણ હોઈ શકે છે તેવુ અમને જોઈને લાગ્યું હતું.

નીચે પડ્યા બાદ કેવી રીતે બચ્યા. તે વિશે તેમણે કહ્યું કે અમને કુદરતી શક્તિ મળી હોય તેવુ લાગ્યું. અમે લોકો છોકરાઓ પાણીમાં પડી ગયા હતા. તૂટેલો પુલના કોડ નજીક દેખાતો હતો, તે જોઈને જેમ તેમ કરીને તેની પાસે પહોંચ્યા. તેના સપોર્ટથી લગભગ અડધો કલાક પકડીને ઉભા રહ્યા. ધીમે ધીમે કરીને પ્રયાસ કરીને સાઈડની ગ્રીલથી સપોર્ટથી બહાર આવ્યા.

પરિવારના સદસ્યો મોત જોઈને પાછા આવ્યા હતા. ત્યારે તેઓ કહે છે કે આવા કિસ્સામાં તંત્રએ ધ્યાન રાખવાની જરૂર હોય છે. પુલની કેપેસિટી 100 થી વધુ લોકોની હતી. તો આટલા બધાને ન જવા દેવા જોઈતા હતા. જ્યાં મેનેજમેન્ટને લોકોએ આટલા લોકોને એલાઉ કરવા ન જોઈતા હતા.

તો પરિવારના નાનકડા દીકરા જુગલ વસાણીએ કહ્યું કે મારી મમ્મી તરતા નથી આવડતુ, ડેડીને આવડે. તેથી મમ્મી પપ્પાને પકડીને બહાર આવી. મેં તરીને તાર પકડી લીધો હતો. આમ મમ્મી બચી ગઈ, પણ તેને થોડુ વાગ્યું. કેટલાક લોકો પુલ હલાવતા હતા તો બીક લાગતી હતી.

આ પણ વાંચો :-

 

ColorOS 13 : વધી જશે બેટરી લાઇફ અને સ્પીડ થશે સુપરફાસ્ટ, આ છે Top 4 નવા ધમાકેદાર ફીચર્સ

ColorOS 13: Battery life will increase and speed

  • ColorOS 13 ના કેટલાક ફીચર્સ એટલા જોરદાર છે કે તમને ઉપયોગ કરવામાં મજા આવશે. આવો નજર કરીએ તે 5 ફીચર્સ વિશે જે તમારું દિલ જીતી લેશે.

OPPO ની ColorOS 13 ઓપરેટિંગ સિસ્ટમ આવી ગઇ છે. કંપનીના મોબાઇલ સોફ્ટવેરનું (Mobile software) લેટેસ્ટ ઇટેરેશન એંડ્રોઇડ 13 પર આધારિત છે. તમને જણાવી દઇએ કે 2020 ColorOS 11 ની શરૂઆત સાથે Android વર્જનના અનુરૂપ ColorOS વર્જનનું નામાકરણ બદલી દીધું છે.

આ વર્ષનું  ColorOS 13 પહેલાંથી જ સારા સોફ્ટવેરને રિફાઇન કરવા પર ફોકસ કરે છે. કંપનીના અનુસાર તેમાં બેટરી લાઇફને પણ સારી કરવામાં આવી છે. ColorOS 13 ના કેટલાક ફીચર્સ એટલા જોરદાર છે કે તમને ઉપયોગ કરવામાં મજા આવી જશે. આવો નજર કરીએ તો તે 5 ફીચર્સ વિશે જે તમારું દિલ જીતી લેશે.

Aquamorphic :

ColorOS 13 માં ‘Aquamorphic‘ નામની એક ડિઝાઇન લેગ્વેઝ છે. ઓપ્પોનો દાવો છે કે ડિઝાઇન પાણીથી પ્રેરિત છે. નવી ડિઝાઇન મોટાભાગે ColorOS 12 ના સમાન છે, જેમાં કેટલાક ફેરફાર છે અને ઓવરઓલ બેટર એક્સપીરિયન્સ પ્રદાન કરે છે.

ડિફોલ્ટ રૂપથી, કલર પેલેટ વાદળી છે અને આખા દિવસ પોતાના શેટ્સ બદલે છે. ઇન્ટરફેસ કાર્ડ-શૈલીના લેઆઉટનું ઇન્ટરફેસ કરે છે. સેટિંગ એપ અને ફર્સ્ટ પાર્ટી એપમાં કેંટેંટના પ્રકારના આધારે જાણકારી દેખાડનાર અલગ-અલગ સાઇઝના કાર્ડ ડિસ્પ્લે થાય છે. કુલ મળીને તમને યૂનિક ડિઝાઇન મળશે.

Home Screen :

ColorOS 13 ની હોમ સ્ક્રીન લગભગ ColorOS 12 જેવી છે, સિવાય કે યૂઝર હવે ફોલ્ડરોને મોટા કરી શકે છે. આ ફીચર ખૂબ સિંપલ લાગે છે પરંતુ ખૂબ ઉપયોગી છે. કારણ કે હવે તમને ડિઝાયર્ડ એપ સુધી પહોંચવા માટે ફોલ્ડર ખોલવાની જરૂર નથી. તમારે બસ આટલું જ કરવાનું છે કે તેને જલદીથી એક્સેસ કરવા માટે મોટા ફોલ્ડરની અંદર ઉપલબ્ધ જરૂરી એપના આઇકન પર ક્લિક કરવાનું છે.

સૌથી મહત્વપૂર્ણ વાત ColorOS 13 એક રિડિઝાઇન કરવામાં આવેલા કંટ્રોલ સેન્ટર સાથે આવે છે. ટોપ પોર્શન લેફ્ટ અને બે મોટા ટોગલ અને જમણી તરફ એક મીડિયા પ્લેબેક વિઝેટથી ભરેલું છે. ડિફોલ્ટરૂપથી, મોટા ટોગલ વાઇફાઇ અને બ્લ્યૂટૂથ હોય છે પરંતુ યૂઝર જે ઇચ્છે  તેને બદલી શકે છે.

Always On Display :

ColorOS માં સૌથી સારા ઓલવેજ-ઓન ડિસ્પ્લે (AOD) ઇમ્પ્લિમેંશન છે. ColorOS 13 સાથે વધુ AOD સ્ટાઇલ્સ અને થર્ડ પાર્ટી એપ્સ સાથે ઇંટિગ્રેટેડ સાથે પણ વધુ સારુ થઇ જાય છે. ઓલવેજ ઓન ડિસ્પ્લેમાં તમે ઇચ્છો તો કોઇપણ એપને એડ કરી શકો છો, જે સ્ક્રીન ઓફ થયા બાદ પણ તમને સ્ક્રીન પર જોવા મળશે.

Kid Space :

ColorOS માં થોડા સમય માટે કિડ સ્પેસ છે જેમાં કોઇ નવું એડીશન નથી. વર્ષો બાદ આખરે ColorOS13 માં એક ઉપયોગી નવી સુવિધા મળે છે. નવી સુવિધા બાળકોની દ્રષ્ટિની સુરક્ષા માટે ફોનના હાર્ડવેર પર નિર્ભર કરે છે. આ બેસવાની સ્થિતિ, જોવાનું અંતર અને એમ્બિયન્સ લાઇટ સાથે સંબંધિત ત્રણ અલગ-અલગ પ્રકારના રિમાઇંડર્સ આપે છે. કિડ સ્પેસ સેશન દરમિયાન માતા-પિતા ફોન દ્રાર જાહેર કરવામાં આવેલા તમા રિમાંડર પણ જોઇ શકો છો. એટલા માટે તે પોતાના બાળકોને સ્માર્ટફોનનો યોગ્ય ઉપયોગ કરવાનું શિખવાડી શકે છે.

આ પણ વાંચો :-

03 નવેમ્બર 2022 રાશિફળ : આ 7 રાશિના જાતકો હોય છે ખુબ જ ભાગ્યશાળી – તેઓની પર હંમેશા રહે છે વિષ્ણુ ભગવાનની કૃપા

03 November 2022 Horoscope

મેષ:
આજનો દિવસ તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવાનો દિવસ છે. કોઈપણ કાયદાકીય કાર્યમાં વિજયથી તમારું મન પ્રસન્ન રહેશે. તમારી મિલકત સંબંધિત કોઈપણ વિવાદ પણ ઉકેલાઈ જશે, પરંતુ સાંજે તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે. જો કેટલીક ધંધાકીય યોજનાઓ અટકેલી હોય, તો તમે તેને ફરીથી આગળ વધારી શકો છો.

વૃષભ:
આજનો દિવસ તમારી સુખ-સુવિધાઓમાં વધારો લાવશે. તમે તમારી લક્ઝુરિયસ પર પણ થોડા પૈસા ખર્ચ કરશો અને સમયસર ફિલ્ડમાં કામ કરીને તમે અધિકારીઓની આંખના એપલ બનશો, જે તમને જોઈને ખુશ થશે અને તમને નવી પોસ્ટ પણ મળી શકે છે.

મિથુન:
આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. રાજકીય ગતિવિધિઓમાં તમારી ચાલી રહેલી કડવાશ પણ સમાપ્ત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં થોડો બદલાવ કરવો પડે તો પણ તે તમારા માટે ફાયદાકારક રહેશે, પરંતુ પ્રવાસ પર જતા પહેલા સાવધાની રાખવી પડશે, નહીંતર કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જવા અને ચોરી થવાનું જોખમ છે.

કર્ક:
આજે તમે તમારા જીવનસાથી સાથે થોડો સમય એકલા વિતાવશો, તેથી તમારે તેમની વાત સાંભળવી અને સમજવી પડશે. દરેક બાબતમાં રસ પડશે. તમને માનસિક શાંતિ મળશે અને મહેનત કરવાથી થાક પણ આવી શકે છે, તેથી તમારે સાવધાન રહેવું પડશે. અપરિણીત લોકોના જીવનમાં નવો મહેમાન દસ્તક આપી શકે છે.

સિંહ:
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. આળસને કારણે, તમે તમારું ઘણું કામ પાછળ છોડી જશો, જે ભવિષ્યમાં તમારો તણાવ વધારી શકે છે. અવરોધો અને વિરોધ છતાં મનોબળ મજબૂત રહેશે. સમાજમાં સ્વચ્છ છબી ઉભી થશે. તમે ચાલી રહેલા કામમાં સાવધાનીથી આગળ વધશો, જે તમારા માટે ફાયદાકારક રહેશે.

કન્યા:
આજે તમે તમારી વધેલી જવાબદારીને કારણે કેટલીક અસ્વસ્થતાભરી સ્થિતિમાં અટવાઈ જશો. સમાજમાં તમને કોઈ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે, પરંતુ તમારા બાળકોનું સ્વાસ્થ્ય ખરાબ રહેશે. સાંજે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થશે.

તુલા:
આજનો દિવસ તમારી પ્રતિષ્ઠામાં વધારો લાવશે. તમે તમારા પાર્ટનરને ક્યાંક ડિનર ડેટ પર લઈ જઈ શકો છો અને તેમના માટે ગિફ્ટ પણ લાવી શકો છો. તમે કોઈ કિંમતી વસ્તુ મેળવી શકો છો. બિઝનેસ ટ્રીપ પર જવું પડશે.

વૃશ્ચિક:
આજનો દિવસ તમે પરોપકારી કાર્યોમાં પસાર કરશો અને બીજાની સેવા કરીને તમને આત્મસંતોષ મળશે. તમારે તમારા જીવનસાથી સાથે ચાલી રહેલા અણબનાવનો અંત લાવવો પડશે અને બાળકની કારકિર્દીમાં આવી રહેલી સમસ્યાઓ વિશે વાત કરવી પડશે.

ધન:
આ દિવસે તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે અને તમારું મન શાંત રહેશે. જો કાર્યસ્થળ પર કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય, તો તમારા માટે મધુર વર્તન અને ધૈર્ય જાળવી રાખવું વધુ સારું રહેશે, તો જ તમે વાતાવરણને હળવું કરી શકશો.

મકર:
આજનો દિવસ તમારા માટે મુશ્કેલ રહેશે. તણાવના કારણે તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે, પરંતુ તમારા વ્યવસાયમાં કોઈ નવી ડીલ અચાનક સેટલ થઈ શકે છે અને તમને જરૂરી નફો મળી શકે છે. નાના વેપારી માલિકો કોઈપણને તેમના વ્યવસાયમાં સામેલ કરી શકે છે.

કુંભ:
આજનો દિવસ તમારા માટે ખૂબ ફળદાયી રહેશે. તમારા જીવનસાથી સાથે થોડો વિવાદ થશે, જેને તમે વાતચીત દ્વારા ઉકેલી શકશો. મોટી રકમ મળવાથી તમારું મન પ્રસન્ન રહેશે, પરંતુ તમારા જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. તમને કોઈ મહાન વ્યક્તિ સાથે મળવાનો મોકો મળશે.

મીન:
કરિયરની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમારા જીવનસાથીની પ્રગતિ જોઈને તમે ખુશ થશો. તમે બાળકો માટે નવો ધંધો શરૂ કરવા વિશે પણ વિચારી શકો છો, જે યુવાનો હજુ સિંગલ છે તેઓ તેમના લગ્ન વિશે વાત કરી શકે છે. સાંજથી રાત સુધી તમે તમારા પરિવારના સભ્યો સાથે સમાધાનમાં પસાર કરશો.

આ પણ વાંચો :-

મોદી જેના વખાણ કરે તે…: ગેહલોતના વિરોધમાં ફરી ‘રનવે પર પાયલટ’, કોંગ્રેસમાં વિવાદ ભડકે તેવી આશંકા

0

What Modi should praise

  • સપ્ટેમ્બરમાં રાજસ્થાનમાં ધારાસભ્યોની બેઠક રદ્દ થવા મામલે હાઈકમાન્ડે નોટીસ મોકલી છે. તો બીજી તરફ માનગઢની સભામાં વડાપ્રધાને અશોક ગહેલોતના વખાણ કરતા રાજકારણ ગરમાયું છે.

પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટે (Former Deputy CM Sachin Pilote) રાજસ્થાનમાં 25 સપ્ટેમ્બરના રોજ રાજકીય ગરમાવો અને ધારાસભ્ય દળની બેઠકના બહિષ્કાર બાદ સર્જાયેલ ઘટના ક્રમ પર સચિન પાયલોટ (Sachin Pilote) પહેલી વખત ખુલીને બોલ્યા છે. સિયાસી રાજકારણ પર પાયલટે મંગળવારે જયપુરમાં કહ્યું કે વિધાયક દળની બેઠક રદ્દ થયા બાદ હાઈકમાન્ડ (High Command) તરફથી જે ત્રણ નેતાઓને નોટીસ મોકલી છે.

તેના પર ઝડપી નિર્ણય થવો જોઈએ. ત્યાં જ મંગળવારે માનગઢ ધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અશોક ગહેલોતના વખાણ કરવા પર કટાક્ષ કર્યો છે અને ગુલામ નબી આઝાદનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ સાથે સાથે હાઈકમાન્ડને પાર્ટી અને સંગઠન વિરુધ્ધ કામ કરવા વાળા લોકો સામે કાર્યવાહિ કરી દાખલો બેસાડવો જોઈએ. એમણે કહ્યું કે પાર્ટીમાં દરેક લોકો માટે કાયદો સમાન હોવો જોઈએ.

13 મહિના જ બાકી છે હાઈકમાન્ડ કરે નિર્ણય :

રાજસ્થાનાં નેતૃત્વ બદલવાના પ્રશ્ન પર પાયલોટે કહ્યું કે રાજસ્થાનમાં 13 મહિના પછી ચૂંટણી થવાની છે. તેથી હાઈકમાન્ડે નક્કી કરવાનું છે કે ક્યા નેતાને જવાબદારી આપવી. પાયલોટે કહ્યું કે વિધાનસભ્ય દળની બેઠક હાઈકમાન્ડ દ્વારા નક્કી કરવાની છે. જે ટૂંક સમયમાં નિર્ણય લેશે.

તેમણે કહ્યું કે 25 સપ્ટેમ્બરે વિધાન મંડળની બેઠક બોલાવવામાં આવી હતી. તે બેઠક થઈ શકી ન હતી. જેના માટે મુખ્યમંત્રીએ પોતી માફી માંગી હતી અને AICC એ તેને અનુશાસનહીન ગણાવ્યું હતું. પાયલોટે માંગણી કરે હતી કે નિયમ અને કાયદાઓ બધા માટે સમાન છે અને જેમને નોટિસ મળી છે તેનો તાત્કાલિક નિર્ણય લેવામાં આવે. સાથે જ પાયલોટે કહ્યું કે મલ્લિકાર્જુન ખડગેના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પાર્ટી અને સંગઠનમાં અનુશાસન રહેશે અને તેમના માર્ગદર્શનમાં સાથે મળીને કામ કરીશું.

ગહેલોતનાં વખાણ કરી વડાપ્રધાને આપ્યા સંકેત :

માનગઢમાં પીએમ મોદી દ્વારા મુખ્યમંત્રી અશોક ગહેલોતના વખાણ કરવા પર સચિન પાયલોટે કટાક્ષ કર્યો હતો. પાયલટે કહ્યું કે માનગઢમાં વડાપ્રધાન મોદી મોટો સંકેત આપીને ગયા છે. એમણે વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાને અશોક ગહેલોત પહેલા ગુલામનબી આઝાદનાં પણ વખાણ કર્યા હતા જે બાદ ગુલામનબી આઝાદે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી.

આ પણ વાંચો :-

શિલ્પા શેટ્ટી અને તમે સાથે છો ? શું હજુ પણ પોર્ન બિઝનેસ કરો છો ? તો સામે રાજ કુન્દ્રાએ ટ્રોલ્સને આપ્યો સણસણતો જવાબ

Shilpa Shetty and you together

  • એક યુઝરે રાજ કુંદ્રાને તેનાં લગ્ન પર સવાલ કરતા પૂછ્યું કે તમે અને શિલ્પા સાથે છો તે એક દેખાડો છે? જવાબમાં આપ્યા વગર રાજ કુંદ્રા રહી ન શક્યા અને તેમણે લખ્યું કે આ સવાલ ગમ્યો.

જ્યારથી શિલ્પા શેટ્ટીનાં (Shilpa Shetty) પતિ રાજ કુંન્દ્રાનું (Raj Kundra) નામ પોર્નોગ્રાફી કેસમાં (Pornography Case) આવ્યું છે. ત્યારથી પતિ-પત્નિનાં સબંધ પર લોકો ટીપ્પણીઓ કરી રહ્યા છે. લોકોએ શિલ્પા તેમજ રાજ કુંન્દ્રાના ડિવોર્સ (Raj Kundra’s Divorce) સુધીની અફવા પણ ફેલાવી દીધી હતી. રાજ કુંન્દ્રા અને શિલ્પા શેટ્ટીએ આ મામલે મૌન સેવ્યું હતું. એવું લાગી રહ્યું છે કે લગ્ન જીવન પર થનારી ટીપ્પણીઓથી રાજ કુંદ્રા થાકી ચૂક્યો છે. એટલા માટે જ તેણે ટ્રોલરના ટ્વિટનો જવાબ આપ્યો.

શું શિલ્પા-રાજ એકબીજાની સાથે છે ?

એક યૂઝરે #AskRaj રાજુ કુંદ્રાને એના લગ્ન જીવન પર પ્રશ્ન કરતા કહ્યું કે શું તમે શિલ્પાની જોડે છો તે એક માત્ર દેખાડો છે? જવાબ આપ્યા વગર રાજ કુંદ્રા રહી ન શક્યા. તેમણે લખ્યું કે હા..હા..હા… આ સવાલ મને ગમ્યો. પ્રેમનો કોઈ કાયદો નથી અને તેનો દેખાવો પણ કરી શકાતો નથી. 22 નવેમ્બરનાં રોજ તેમની 13 મી વર્ષગાંઠ પર અમને શુભેચ્છા પાઠવવાનું  ભૂલતા નહીં. રાજ અને શિલ્પાનાં શુભેચ્છકો આ જવાબથી પ્રભાવિત છે.

પોર્ન કેસમાં ફસાયા હતા રાજ :

રાજ કુંદ્રા હવે પોર્ન કેસ પર પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે. એક સમય હતો જ્યારે રાજ કુંદ્રાને સોશ્યિલ મીડિયા, અને પબ્લીકથી દૂર રહેતા હતા. પછી જેલની બહાર આવ્યાના થોડા મહિના બાદ રાજ ધીરે ધીરે જાહેરમાં દેખાવાનું અને સોશ્યિલ મીડીયા પ્રવૃતિને શરુ કરી. 21 ડિસેમ્બર 2021 નાં રોજ રાજ કુંદ્રાનું નામ પોર્નગ્રાફી કેસમાં સામે આવ્યું હતું. તેમજ તેમણે ધણો સમય જેલમાં વિતીવવો પડ્યો હતો.

પત્ની શિલ્પા શેટ્ટીએ પતિ પર આવેલી મુસીબતને દૂર કરવા માટે ઘણાં મંદિરનાં ચક્કર લગાવ્યા હતા. મુશ્કેલીના સમયમાં મજબૂત ઢાલ બનીને પતિ રાજ કુંદ્રા સાથે ઉભી રહી હતી. રાજે પહેલેથી જ તેના ઉપર લાગેલા આરોપોને ખોટા કહી પોતે નિર્દોષ હોવાનું કહ્યું હતું. આશા છે કે કાયદો ન્યાય કરશે અને સાચી હકીકત જલ્દી સામે આવશે.

આ પણ વાંચો :-

“ભગવાન રાજી નહીં હોય એટલે……. “, ઓરેવા કંપનીના નિવેદનથી લોહી ઉકળી ઉઠશે

0

“God will not be pleased so……”, the statement of Orewa company

  • મોરબી બ્રિજ દુર્ઘટના વચ્ચે ઓરેવા ગ્રુપ અને મોરબી કલેકટરની મીટીંગનો પત્ર વાયરલ થયો છે જે અંગે ઓરેવા ગ્રુપે મોરબી કલેક્ટરને બે વર્ષ પહેલા લખ્યો હતો. આ પત્ર કામચલાઉ સમારકામ કરીને પુલ શરૂ કરવા અંગે લખવામાં આવ્યો હતો.

ગુજરાતના મોરબીમાં (Morbi of Gujarat) 30 ઓક્ટોબરે થયેલ પુલ અકસ્માત (Bridge accident) સમગ્ર દેશ માટે ખૂબ જ દુઃખદ ઘટના છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 135 લોકોના મોત થયા છે અને નદીમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. દરમિયાન બ્રિજનું રિનોવેશન (Renovation of Bridges) કરનાર કંપનીએ કોર્ટમાં વિચિત્ર દલીલ કરી છે અને કહ્યું છે કે આ વખતે ભગવાનની કૃપા નહીં હોય તેથી આ દુર્ઘટના બની છે.

અકસ્માત અંગે ઓરેવા કંપનીનું કોર્ટમાં નિવેદન :

મોરબી બ્રિજ અકસ્માત અંગે ઓરેવા કંપનીએ કોર્ટમાં નિવેદન આપ્યું છે. જેમણે રિનોવેશન કર્યું હતું. ઓરેવાના મીડિયા મેનેજર દીપક પારેખે કોર્ટમાં કહ્યું કે અમારા એમડી જયસુખ પટેલ સારા વ્યક્તિ છે. 2007માં પ્રકાશભાઈને કામ સોંપવામાં આવ્યું, કામ સારી રીતે કરવામાં આવ્યું હતું. તેથી તેમને ફરીથી કામ સોંપવામાં આવ્યું. અમે પહેલાં રિપેરિંગ કામ કર્યું હતું. આ વખતે ભગવાનની કૃપા નહીં હોય, કદાચ તેથી જ આ દુર્ઘટના બની છે.

ઓરેવા ગ્રુપ અને મોરબી કલેક્ટરનો પત્ર વાયરલ :

મોરબી બ્રિજ દુર્ઘટના વચ્ચે ઓરેવા ગ્રુપ અને મોરબી કલેકટરની મીટીંગનો પત્ર વાયરલ થયો છે જે અંગે ઓરેવા ગ્રુપે મોરબી કલેક્ટરને બે વર્ષ પહેલા લખ્યો હતો. આ પત્ર કામચલાઉ સમારકામ કરીને પુલ શરૂ કરવા અંગે લખવામાં આવ્યો હતો. આ પત્રમાં ઓરેવા ગ્રૂપે લખ્યું છે કે જો માત્ર રિપેરિંગનું કામ જ કરવાનું હોય તો કંપની રિપેર માટે કોઈપણ પ્રકારની સામગ્રી કે સામાન મંગાવવાની નથી.

મેનેજરે જયસુખ પટેલનું નામ લીધું  :

કોર્ટમાં ઓરેવા કંપનીના મેનેજર દિપક પારેખે કોર્ટ સમક્ષ પ્રથમ વખત જ એમ.ડી. જયસુખ પટેલનું નામ લીધું હતું. અગાઉ પોલીસ સમક્ષ દિપક પારેખે જયસુખ પટેલનું નામ નહોતું લીધું. મોરબી દુર્ધટના કેસમાં પોલીસે ૯ પૈકી ૪ આરોપીઓના ૧૦ દિવસની રિમાન્ડની માંગ કરી હતી.

જેમાં 4 આરોપીઓના 5 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. તો 5 આરોપીઓને સીધા જેલ હવાલે કરાયા છે. જેમાં ઓરેવા કંપનીના મેનેજર દિપક પારેખ, દિનેશ દવે, પ્રકાશ પરમાર અને દેવાંગ પરમારના રિમાન્ડ મંજૂર કરાયા છે.

આ પણ વાંચો :-

અરે બાપ રે ! દિલ્હીમાં દિવાળી અગાઉના ત્રણ દિવસમાં રૂ. 100 કરોડના દારૂનું વેચાણ

0

Oh my God ! In the three days preceding

  • દારૂ નીતિ કૌભાંડની તપાસની વચ્ચે દુકાનદારોને રાહત. દિવાળી અગાઉ 21 થી 23 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં રૂ. 100 કરોડની દારૂની 48 લાખ બોટલો વેચાઈ

કોરોનાનો (Corona) પ્રકોપ સમાપ્ત થયા પછી આ વખતે લોકોએ દિવાળીની (Diwali) ધામ ધૂમથી ઉજવણી કરી છે. એક તરફ જ્યાં બજારોમાં ગ્રાહકોની ભીડ ઉમટી. તો બીજી તરફ દારૂ પીનારાઓએ મન ભરીને દારૂ પીધો. દિવાળીના દિવસોમાં સમગ્ર દેશમાં દારૂનું ધૂમ વેચાણ થયું અને દારૂના વેચાણમાં (Sale of alcohol) દિલ્હી પ્રથમ ક્રમે રહ્યું છે.

જારી કરવામાં આવેલા આંકડા અનુસાર શુક્રવાર થી રવિવાર એટલે કે ૨૧ થી ૨૩ ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં દારૂનું ધૂમ વેચાણ થયું હતું. આ ત્રણ દિવસમાં ૧૦૦ કરોડ રૂપિયાની ૪૮ લાખ દારૂની બોટલો વેચાઇ હતી.

એક અહેવાલમાં આબકારી વિભાગના સિનિયર અધિકારીના સંદર્ભથી જણાવવામાં આવ્યું છે કે દિવાળી પહેલાના ત્રણ દિવસમાં દિલ્હીમાં ૧૦૦ કરોડ રૂપિયાની દારૂની ૪૮ લાખ બોટલ વેચવામાં આવી હતી. આ ત્રણ દિવસો પૈકી ૨૩ ઓક્ટોબરે સૌથી વધુ દારૂ વેચાયો હતો. તેનું કારણ એ હતું કે દિવાળીના દિવસે દિલ્હીમાં ડ્રાય ડે હતો.

સામાન્ય રીતે દિલ્હીમાં દરરોજ ૧૧ થી ૧૨ લાખ દારૂની બોટલો વેચાય છે પણ દિવાળીના ત્રણ દિવસ પહેલા દારૂની બોટલોના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો હતો. આ અહેવાલ મુજબ ૨૧ ઓક્ટોબરે ૧૩.૫૬ લાખ દારૂની બોટલો ૨૨ ઓક્ટોબરે ૧૫.૦૯ લાખ બોટલ અને ૨૩ ઓક્ટોબરે ૨૦ લાખ બોટલ વેચવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારની દારૂ નીતિ અને તેના અમલમાં કથિત કૌભાંડની ચાલી રહેલી તપાસને કારણે રાજધાનીમાં દારૂના વ્યવસાય પર અસર પડી છે. સરકારે એક્સાઇઝ પોલિસી ૨૦૨૧-૨૨ને પરત લઇ લીધી છે. આ સ્થિતિમાં દિવાળી પહેલાના સપ્તાહમાં ૧૦૦ કરોડ રૂપિયાનુૂં દારૂ વેચાવાથી દુકાનકારોને રાહત મળી છે.

આ પણ વાંચો :-

AAPમાં ટિકિટ મુદ્દે કકળાટ ! આઠમી યાદી જાહેર થતા જ વલસાડમાં જિલ્લા ચૂંટણી પ્રભારીનું “રાજીનામું”

0

Uproar over ticket issue in AAP

  • ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની આઠમી યાદીની જાહેરાત કરવામાં આવી હતી. AAP દ્વારા નવા ઉમેદવારોના નામની જાહેરાત સાથે જ પાર્ટીમાંથી આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે.

વલસાડ (Valsad) જિલ્લામાં આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) જુના સંગઠનમાં ભંગાણ પડાવ વારો આવ્યો છે. AAPના મોવડી મંડળ (Mowdi Mandal) દ્વારા વલસાડ વિધાનસભાની પારડી, ધરમપુર (Dharampur) અને કપરાડામાં બેઠક માટે ઉમેદવારના નામોની જાહેરાત કરાઈ હતી.

જેમાં ત્રણ દિવસ પહેલા જ પાર્ટીમાં જોડાયેલા બે ઉમેદવારોના નામ જાહેર થતા જુનું સંગઠન (Old association) નારાજ થયું છે. જિલ્લા ચૂંટણી પ્રભારી રાજીવ પાંડે એ સમગ્ર બાબતથી નારાજ થઈ રાજીનામુ (Disgruntled and Resignen) ધરી દેતા આંતરીક વિખવાદ બહાર આવ્યો છે.

વલસાડની ત્રણ બેઠકો પર ઉમેદવારોને લઈને કકળાટ :

આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં જ ત્રણ દિવસ પહેલા જોડાયેલા ધરમપુરના આદિવાસી વિકાસ પરિષદના કમલેશ પટેલ તેમજ વાપીના તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા કેતન પટેલના નામની પારડી વિધાનસભા બેઠક માટે જાહેરાત કરતાની સાથે જ ધરમપુર અને વાપીમાં છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી માટે લોહી રેડનારા જુના સંગઠનના કાર્યકર્તાઓમાં નારાજગી વ્યાપી છે.

એટલું જ નહીં ટિકિટ આપવા પૂર્વે કે નામ જાહેર કરવા પૂર્વે જિલ્લામાં વિધાનસભાના પ્રભારી ડો.રાજીવ પાંડેને પણ સંકલનમાં લેવામાં ન આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે રાજીવ પાંડે પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેતા ચકચાર મચી ગઈ છે.

જિલ્લા ચૂંટણી પ્રભારીએ રાજીનામું આપ્યું :

મહત્વનું છે કે માત્ર ત્રણ દિવસમાં જ જોડાયેલા લોકોને પાર્ટીએ ટિકિટ આપી દેતા જુના સંગઠનમાં ભારે નારાજગી વ્યાપી છે. જેને પગલે આ સમગ્ર બાબતની સીધી અસર આગામી ચૂંટણીમાં પડી શકે છે એટલું જ નહીં જુના સંગઠન પૈકી કપરાડામાં મનાલા ગામના સરપંચ અને આદિવાસીના અગ્રણી જયેન્દ્ર ગામીતને ઉમેદવારી જાહેર કરતાની સાથે જ તેમનો નાણા માંગતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે.

જેને પગલે તેમની સામે પણ આંગળી અને પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે હવે વલસાડ જિલ્લામાં ઉમેદવારોના નામ જાહેર કરીને આમ આદમી પાર્ટીએ હાથના કર્યા હૈયે વાગે તેવી સ્થિતિ સર્જાઈ છે. જૂનું સંગઠન ભંગાણ થવાના આરે  છે આગામી દિવસમાં પારડી અને ધરમપુરમાં પણ રાજીનામાં પડે તો નવાઈ નહીં.

આ પણ વાંચો :-

હે ભગવાન…સુરતમાં ખીચોખીચ ભરેલી બસમાં લટકતું મોત ! શું માણસના જીવની કોઈ ચિંતા નથી ?

0

Oh God…Death hanging in a crowded bus in Surat

  • સુરત મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ પર શહેરમાં બીઆરટીએસ, સીટી બસો દોડાવવામાં આવે છે. મોટા પ્રમાણમાં લોકો સીટી બસ,બીઆરટીએસનો ઉપયોગ કરતા હોય છે.

હાલમાં જ મોરબીમાં બ્રિજ તુટવાની (Breaking the bridge in Morbi)  ગંભીર દુર્ઘટના સર્જાઈ છે પરંતુ સુરત શહેરમાં પાલિકાની બસો (Municipal buses) એટલી ભરાઈને જાય છે કે વાત ન પૂછો સુરત શહેરમાં ઘણી બસો છે જેમાં બસની કેપેસિટી કરતા વધુ લોકો મુસાફરી કરી રહ્યા છે.

તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા હોય તેમ શહેરની અંદર અનેક બસો આ જ રીતે મુસાફરો ભરીને બેફામ રીતે દોડે છે. મહિના અગાઉ બસની કેપેસિટી કરતાં વધુ પ્રમાણમાં મુસાફરી કરતા એક યુવક ચાલુ બસે પટકાયો હતો તેમ છતાં બેફામ રીતે હાલમાં પણ બસો દોડી રહી છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ પર શહેરમાં બીઆરટીએસ, સીટી બસો દોડાવવામાં આવે છે. મોટા પ્રમાણમાં લોકો સીટી બસ, બીઆરટીએસનો ઉપયોગ કરતા હોય છે.

શહેરની અંદર અનેક વિસ્તારમાં તમને સીટી બસ, બીઆરટીએસ બસની અંદર મોતની મુસાફરી કરતા દ્રશ્ય જોવા મળશે. મોરબીની ગંભીર દુર્ઘટના બાદ પણ તંત્ર નિંદ્રામાં બસની કેપેસિટી કરતા વધુ પ્રમાણમાં મુસાફરી કરતા લોકો નજરે પડી રહ્યા છે.

શહેરની અંદર ગીચોગીચ ભરીને જતી બસોમાં લોકો મોતની મુસાફરી કરી રહ્યા છે. સામાન્ય રીતે જ્યારે પોલીસ કોઈ વાહન ચાલકને કાયદાનું ભાન કરાવી નિયમોનું પાલન કરાવવાની સાથે દંડ ફટકારતી હોય છે. પરંતુ શહેરની અંદર મનપાની સીટી બસો ગીચગીચ ભરીને મોતની સવારી કરતી હોય ત્યારે બસો ઉપર પોલીસ પણ કેમ કોઈક કાર્યવાહી કરતી નથી.

આ પણ વાંચો :-

PM મોદીની જાહેરસભામાં ચૂક ! થરાદમાં મંડપના નટ બોલ્ટ ખોલનાર શખ્સનો VIDEO વાયરલ, ક્યાં ગયાં હતાં સુરક્ષા અધિકારીઓ ?

0

Miss PM Modi’s public meeting

  • બનાસકાંઠાના થરાદમાં PM મોદીની જાહેરસભા દરમ્યાન મંડપનો નટ બોલ્ટ ખોલતા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને લઇને અનેક સવાલો તંત્ર સામે ઊભા થયા છે.

બનાસકાંઠાના (Banaskantha) થરાદ ખાતે PM મોદીની સભામાં એક વ્યક્તિ મંડપના નટ બોલ્ટ ખોલતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ થયો છે. ચાલુ સભામાં એક વ્યક્તિ મંડપના નટ બોલ્ટ ખોલી રહ્યો છે. જોકે આ શખ્સની આવી હરકતના કારણે જો કોઈ મોટી દુર્ઘટના (Big tragedy) ઘટી હોત તો કદાચ મોટી જાનહાનિ થઈ હોત.

પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આખરે કોઈ પણ સુરક્ષા અધિકારીને PMની સભામાં આ વ્યક્તિ કેમ ન દેખાયો? શું આમાં કોઇનું ષડયંત્ર છે કે પછી આ શખ્સ માનસિક રીતે અસ્થિર છે? જેવાં અનેક સવાલો અહીં ઊભા થઇ રહ્યાં છે.

શખ્સની આ હરકતના કારણે મોટી જાનહાનિ થઈ હોત :

આ વીડિયો બનાસકાંઠાના થરાદમાં આયોજિત વડાપ્રધાન મોદીની સભાનો હોવાનું કહેવાઇ રહ્યું છે. જેમાં PMની ચાલુ સભા દરમ્યાન કોઇ એક શખ્સ ડોમના જે થાંભલા ઉભા કરવામાં આવ્યા હોય તેના નટ બોલ્ટ ખોલતો જોવા મળી રહ્યો છે.

જોકે આ વાયરલ વીડિયોને લઇને કેટલાક સવાલો પણ ઊભા થઇ રહ્યાં છે. કારણ કે લાખો લોકો આ સભામાં હાજર હતા. આથી જો કોઇ દુર્ઘટના ઘટી હોત તો ચોક્કસથી આ શખ્સની હરકતના કારણે મોટી જાનહાનિ થઈ શકત.

આ પણ વાંચો :-