Home Blog Page 1266

ગુજરાતમાં ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષો ચૂંટણીપંચના નિયમોના બંધનમાં, જાણો આચારસંહિતા વિશે બધુ જ

0

As elections in Gujarat are announced

  • લાંબા સમયથી રાજ્યમાં સૌનુ ધ્યાન ખેંચી રહેલી ગુજરાત વિધાનસભા ચુંટણીની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને રાજ્યમાં આચારસંહિતા અમલી બની છે.

ગઈ કાલે ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે.

આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી 8 ડિસેમ્બરે થશે. આ સાથે જ ગુજરાતમાં આચારસંહિતાનો (Code of Conduct) અમલ શરુ થઇ ગયો છે. જેને લઇને હવે તમામ સરકારી કાર્યક્રમોનો અંત આવી જશે અને સરકારી તંત્ર (Government system) પુરી રીતે ચૂંટણી ફરજ પર લાગી જશે.

શું હોય છે આચારસંહિતા નિયમો :

ઉલ્લેખનીય છે કે આચારસંહિતા લાગુ થતાંની સાથે જ મુખ્યમંત્રી કે કોઈ મંત્રી સરકારી જાહેરાત કરી શકતા નથી. એટલે કે હવે સરકારી જાહેરાત પર ગુજરાતમાં રોક લગી જશે. વધુમાં ચુંટણી માટેની ઝુંબેશ પણ અટકશે. એટલુ જ નહિ કોઈ પણ પક્ષો તેના પ્રચાર માટે બેનર કે પોસ્ટર મૂકી શકશે નહિ. આ નિયમનું ઉલ્લંઘન બદલ જેલ અથવા દંડ થઇ શકે છે.

આચારસંહિતાને પગલે તંત્ર હરકતમાં :

ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજ્યભરમાં આચારસંહિતા લાગૂ થઇ ગઈ છે. જેને લઇ તંત્ર હરકતમાં આવ્યું છે. આજે અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, નવસારી સરકાર દ્વારા લાગેલા વિવિધ પોસ્ટરો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અમદાવાદમાં કોર્પોરેશનનાં સેક્રેટરી દ્વારા વિવિધ કમિટીનાં ચેરમેન સહિત તમામ પદાધિકારીઓની ગાડી જમાં કરવા આદેશ કરાયો છે.

 

 

 

આ પણ વાંચો :-

WhatsAppએ લોન્ચ કર્યું અત્યાર સુધીનું સૌથી શાનદાર ફીચર, યુઝર્સ જાણીને થઈ જશે ખુશખુશાલ

WhatsApp has launched the coolest feature

  • વોટસએપ યુઝર્સ માટે સતત નવા ફીચર્સ જાહેર કરે છે. તેણે હવે એક નવું ફીચર કમ્યુનિટીઝ બહાર પાડયું છે. આની મદદથી યુઝર્સ ગ્રુપમાં સબગ્રુપ બનાવી શકે છે.

ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે (Facebook founder Mark Zuckerberg) વોટસએપ (WhatsApp) પર કોમ્યુનિટી ફીચરના રોલઆઉટની જાહેરાત કરી છે. આ સુવિધા આજથી વૈશ્વિક સ્તરે રોલઆઉટ કરવામાં આવી છે. જો કે દરેકને આ સુવિધા મેળવવામાં થોડો સમય લાગી શકે છે.

કંપનીએ આ વર્ષની શરૂઆતમાં વોટસએપના કોમ્યુનિટી ફીચર વિશે જાહેરાત કરી હતી. કંપની અનેક ઝોનમાં તેનું ટેસ્ટિંગ કરી રહી હતી. આ ફીચરથી યુઝર્સ ગ્રુપમાં કનેક્ટ થઈ શકશે. આ એક જૂથની અંદરનું જૂથ છે. એટલે કે, ગ્રૂપમાં તમે સબ-ગ્રુપ બનાવીને પસંદ કરેલા લોકોને સંદેશ મોકલી શકો છો.

વોટસએપ કોમ્યુનિટી ફીચર સાથે કંપની પાડોશ, શાળા અને કાર્યસ્થળના માતાપિતાને લક્ષ્ય બનાવશે. વપરાશકર્તાઓ મોટા જૂથમાં પણ એકથી વધુ જૂથોમાં જોડાઈ શકશે. કંપની આ માટે 50 થી વધુ સંસ્થાઓ સાથે 15 દેશોમાં કામ કરી રહી છે.

વપરાશકર્તાઓ કેવી રીતે તેનો ઉપયોગ કરશો?

આ સુવિધાનો ઉપયોગ કરવા માટે, વપરાશકર્તાઓ Android મોબાઇલમાં ચેટની ટોચ પર કોમ્યુનિટી ટેબ પર ક્લિક કરી શકે છે જ્યારે iOSમાં નીચે. ત્યાંથી વપરાશકર્તાઓ નવા જૂથ અથવા અગાઉ ઉમેરાયેલા જૂથમાંથી સમુદાયની શરૂઆત કરી શકે છે.

યુઝર્સ હાઈ-લેવલ સિક્યોરીટી અને પ્રાઈવસી મળશે

વપરાશકર્તામાં યુઝર સહેલાઈથી ગ્રુપમાં સ્વીચ કરી શકે છે. એડમિન જરુરી જાણકારી વપરાશકર્તાનાં તમામ સભ્યોને મોકલી શકે છે. કંપનીએ દાવો કર્યો છે કે યુઝર્સ હાઈ-લેવલ સિક્યોરીટી અને પ્રાઈવસી મળશે. આ ફીચરથી યુઝરને અલગ-અલગ ગ્રુપ બનાવવાની કોઈ જરુર નહીં રહે અને કોઈપણ એક મેસેજ અલગ-અલગ ગ્રુપમાં મોકલવાનો જરુર નહી રહે. કંપનીઁએ જણાવ્યું કે આ એન્ડ ટુ એન્ડ એન્સક્રિપ્શનનો ઉપયોગ કરી શકશો. જેથી યૂઝર્સને ડેટાનો ઉપોયગ પણ નહીં કરે શકે.

હવે યુઝર્સ 32 લોકો સાથે વિડિયો કોલમાં જોડાઈ શકે  છે. એ સિવાય ગ્રુપમાં 512 મેમ્બરોની જગ્યાએ 1024 કરી દીધા છે. વોટસએપ ગ્રપમાં ઈન ચેટ પોલ પણ આયોજીત કરી શકાય છે. આ જૂથના સભ્યો કોઈપણ મુદ્દા પર પોતાના મત આપી શકે છે.

આ પણ વાંચો :-

04 નવેમ્બર 2022 રાશિફળ : રામદેવપીરની કૃપાથી આ રાશિના જાતકોને પારિવારિક જીવન રહેશે સુખી

04 November 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
સ્વભાવ જીદ્દી થતો જણાય. આર્થિક ઉપાર્જન શક્ય બને. કૌટુંબિક ક્ષેત્રે સંવાદિતા જળવાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. આરોગ્ય જળવાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને.

વૃષભઃ
દિવસ દરમિયાન આનંદ વર્તાય. નોકરી-ધંધામાં પ્રગતિનો અનુભવ થાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. નવું જાણવના યોગ બને. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. યાત્રા પ્રવાસ દરમિયાન સાચવવું.

મિથુનઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય, નાણાંકીય વ્યવહારોમાં સફળતા મળે. માતા-પિતાનું સ્વાસ્થ્ય જળવાય. હયાત રોકાણો ફળદાયી નીવડે. જીવનસાથી સાથે આનંદ. ભાગ્યનો સુંદર સાથ મળતો જણાય. નાના યાત્રા-પ્રવાસ સંભ‍વે.

કર્કઃ
નિર્ણય લેવમાં અસમર્થતા જણાય. ધારેલી આવક અટકતી જણાય. પરિવારમાં શાંતિ જળવાય. જીવનસાથીની તબિયત નરમ-ગરમ રહે. મિત્રોથી લાભ. સ્નાયુનો દુઃખાવો પરેશાન કરે. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા.

સિંહઃ
આનંદથી દિવસ વ્યતિત થાય. જીવનસાથી સાથે આનંદની ક્ષણો માણી શકાય. બંનેનું આરોગ્ય જળવાય. આવકનું પ્રમાણ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નસીબનો સાથ મળે. પાણીથી સાચવવું.

કન્યાઃ
સ્વભાવમાં સરળતા અનુભવાય. પરંતુ બીજા તેનો ગેરલાભ ન ઉઠાવે એ સાચવવું. આર્થિક દૃષ્ટિએ ફાયદો. કાર્ય સફળતા મળતી જણાય. સંતાન સંબંધી સમસ્યાઓ હળવી થતી જણાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

તુલાઃ
દિવસ દરમિયાન આળસનો અનુભવ થાય. આર્થિક રીતે સામાન્ય દિવસ. પરિવારમાં મનમેળ જળવાય. હૃદયમાં થોડો અજંપો વર્તાય. સંતાન સુખ સારું, સ્વાસ્થ્ય સારું, ધાર્મિક ભાવના વધે.

વૃશ્ચિકઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. નાણાંકીય બાબતોમાં સાવધાની જરૂરી. પરિવરમાં મતભેદ ટાળવ જરૂરી બનશે. હયાત રોકાણોમાંથી લાભ મળતો જણાય. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય.

ધનઃ
નકારાત્મક વિચારો હાવી થતા જણાય. આર્થિક બાબતો માટે શુભ દિવસ. માતા સાથે મતભેદની શક્યતા છે. સંતાનો તરફથી શાંતિનો અનુભવ થાય. આરોગ્ય જળવાય. દામ્પત્ય ક્ષેત્રે સંતોષ.

મકરઃ
આત્મવિશ્વાસ જળવાય. આર્થિક મોરચે સફળતાનો અનુભવ થાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ અનુુભવાય. અગત્યના કાર્યો ટાળવા. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ભાગ્યનો સથ મળે છે. આંખની કાળજી રાખવી.

કુંભઃ
સ્વભાવમાં આનંદ વર્તાય. આર્થિક પાસુ મજબૂત બને. સાથે સાથે ખર્ચનું પ્રમાણ પણ વધે. ભાગ્યમાં વૃદ્ધિ થાય. નોકરી-ધંધામાં પ્રગતિ અનુભવાય. ખાવા-પીવામાં સંયમ રાખવો હિતાવહ.

મીનઃ
ઉદારદીલ અને દાન કરવાની ભાવના પેદા થાય, ખર્ચનું પ્રમાણ વધે. સંતાનોની પ્રગતિના સાક્ષી બની શકય. વિદ્યાર્થીમિત્રોને સફળતા. કોઈને નાણાં ઉછીના આપવા નહીં. આરોગ્ય જળવાય.

આ પણ વાંચો :-

TMKOC : ‘તારક મહેતા…’ શોની આ અભિનેત્રીના બોલ્ડ લૂકવાળા PHOTOS વાયરલ

TMKOC: PHOTOS of this actress with a bold

  • પલક સોશિયલ મીડિયા પર પોતાના ફોટા અને વીડિયો અવારનવાર શેર કરતી રહે છે. પલક હાલ ગોવામાં છે અને ત્યાં રજાઓ ગાળી રહી છે. અહીંથી તેણે કેટલીક બોલ્ટ અને હોટ તસવીરો શેર કરી.

મનોરંજન જગતમાં ધૂમ મચાવનારા કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના (Tarak Mehta Ka Ulta Chashma) લગભગ તરીકે પાત્રો લોકોના મનમાં વસેલા છે. આ શો છેલ્લા 14 વર્ષથી લોકોનું ભરપૂર મનોરંજન (Entertainment) કરી રહ્યો છે. લોકો શોની સાથે સાથે તેના પાત્રોને પણ ખુબ પસંદ કરે છે.

આ શોમાં ટપુ સેનાનું પણ એક અનેરું લોકોને આકર્ષણ છે. જેમાંની એક છે ભીડે માસ્ટરની પુત્રી સોનુ. આમ તો આ પાત્ર અનેક અભિનેત્રીઓ દ્વારા ભજવાયું છે પણ હાલ આ સોનુના પાત્રમાં છેલ્લા કેટલાક સમયથી પલક સિધવાની જોવા મળી રહી છે. લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે.

પલકનો ગ્લેમરસ લૂક :

પલક સોશિયલ મીડિયા પર પોતાના ફોટા અને વીડિયો અવારનવાર શેર કરતી રહે છે. હાલમાં પલક વેકેશન પર ગઈ અને ત્યાંથી કેટલીક તસવીરો તેણે શેર કરી. જેણે ચાહકોના મન જીતી લીધા. પલક હાલ ગોવામાં છે અને ત્યાં રજાઓ ગાળી રહી છે. અહીંથી તેણે કેટલીક બોલ્ટ અને હોટ તસવીરો શેર કરી.

પલકે સોશિયલ મીડિયા પર પોતાની આ તસવીરો શેર કરી છે અને તેમાં તે અલગ અલગ પોઝ આપતી પણ જોવા મળી રહી છે. પલકે આ ફોટોશૂટ દરમિયાન સફેદ રંગનું  ક્રોપ ટોપ પહેર્યું છે. પલકે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. તેની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો :-

ભાવિકોની ભીડ અને ધસારો જોતા નિયત સમય પહેલા જ લીલી પરિક્રમા શરૂ, જાણો કેવી છે સુરક્ષા વ્યવસ્થા ?

0

Seeing the crowd and rush of pilgrims

  • ગીરનાર ની લીલી પરિક્રમા કોરોના બાદ પ્રથમ વખત તમામ છુટછાટ સાથે યોજાઈ રહી છે, અને પરીક્રમામાં 15 લાખ ભાવિકોનો અંદાજ સાથે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

ગીરનાર લીલી પરિક્રમા (Girnar Green Circle) જય ગિરનારીના નાદ સાથે એક દિવસ અગાઉ ભાવિકોની ભીડ જોઈને પ્રારંભ થઇ ચૂક્યો છે. વહીવટી તંત્રની (Administrative system) અનેક નવી સુવિધા સાથે ભાવિકોને 36 કિ.મી.ના રૂટ ઉપર જવા દેવાની છુટ આપતા ગીરનારની (Girnar) લીલી પરિક્રમાનો માહોલ જામ્યો છે.

ગીરનારની લીલી પરિક્રમા કોરોના બાદ પ્રથમ વખત તમામ છુટછાટ સાથે યોજાઈ રહી છે, અને પરીક્રમામાં 15 લાખ ભાવિકોનો અંદાજ સાથે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પ્રથમ વખત ગીરનારની લીલી પરિક્રમામાં પોલીસ તંત્ર દ્વારા ડ્રોન કેમેરા સાથે બોડી વોર્ન કેમેરા અને નેત્રમના સીસીટીવી કેમેરાથી યાત્રિકોની સુખાકારીનું ધ્યાન રાખવામાં આવશે. પોલીસની 40 રાવટી સાથે વન વિભાગ સતત પેટ્રોલિંગ કરશે.

ગીરનારની લીલી પરીક્રમાનો નિયત સમય પહેલા પ્રારંભ થઇ ચૂક્યો છે. ત્યારે પરીક્રમાના રૂટ પર અન્નક્ષેત્રો સજ્જ થઈ ચુક્યા છે. અને ઠેર ઠેર રૂટ પર ભોજન સાથે ભક્તિ અને ભજનનો આનંદ જોવા મળી રહ્યો છે અને સ્વચ્છતાને ધ્યાને રાખીને પ્રથમ વખત લીલી પરિક્રમામા જુનાગઢ જિલ્લા સહીત અનેક જિલ્લામાંથી ટોઈલેટ બ્લોકનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે લાઈટ, પાણી અને આરોગ્ય સહીતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

તૈયારીઓ શરૂ કરી દો : જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા તારીખ જાહેર, જાણો ક્યારે લેવાશે Exam

0

Start Preparation: Junior Clerk and Talati Cum Minister

  • સવારે હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનમાં વધારો કર્યા બાદ હવે જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા તારીખ જાહેર.

ગુજરાતમાં (Gujarat) ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા રાજ્ય સરકાર (State Govt) હાલ અનેક જાહેરાત કરી રહી છે. આજે સવારે હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનમાં વધારો કર્યા બાદ હવે જુનિયર ક્લાર્ક (Junior Clerk) અને તલાટી કમ મંત્રીની (Talati cum Minister) ભરતી પરીક્ષા તારીખ જાહેર કરી દીધી છે.

Image

મહત્વનું છે કે જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા 8 જાન્યુઆરીના રોજ યોજાશે. તો તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા  આગામી 29 જાન્યુઆરીના રોજ યોજાશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે આ જાહેરાત કરવામાં આવી છે.

હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનમાં વધારો કર્યો :

વિધાનસભા ચૂંટણી પહેલા હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે સરકારે આજે મોટી જાહેરાત કરી છે. જેથી હવે હોમગાર્ડ જવાનોને 300ના બદલે પ્રતિદિન 450 રૂ વેતન મળશે તો જીઆરડી જવાનોને પ્રતિદિન 200 ના બદલે 300 રૂ વેતન મળશે.

CM દ્વારા હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનને લઈ જાહેરાત કરાઇ છે. જે મુજબ હવે હોમગાર્ડ જવાનોને 300ના બદલે પ્રતિદિન 450 રૂ. વેતન મળશે. આ સાથે જીઆરડી જવાનોને પ્રતિદિન 200ના બદલે 300 રૂ. વેતન મળશે.  જોકે મહત્વનું છે કે આ વધારો 1 નવેમ્બર 2022થી ગણાશે.

આ પણ વાંચો :-

બે તબક્કામાં યોજાશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી, જુઓ કઈ-કઈ બેઠક માટે કયા તબક્કામાં યોજાશે મતદાન

0

Gujarat assembly elections will be held in two

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે, સોરાષ્ટ્ર-કચ્છ અને દ. ગુજરાતમાં 19 જિલ્લાની 89 બેઠક માટે પ્રથમ તબક્કામાં મતદાન, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કામાં મતદાન.

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી જેની રાહ જોવાઇ રહી હતી તેનો આજે અંત આવી ગયો છે. આજે  (Election Commission) પત્રકાર પરિષદ યોજી 1 અને 5 ડિસેમ્બરે તારીખ જાહેર કરી દીધી છે. મહત્વનું છે કે ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરીની (Counting of votes) 8 ડિસેમ્બરે થશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે છે. જેને લઈ 5 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે તો 17 નવેમ્બર સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે છે.  બીજા તબક્કા માટે નામાંકન દાખલ કરવાની તારીખ 17 નવેમ્બર છે. તો બીજા તબક્કા માટે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર છે. જોકે પ્રથમ અને બીજા તબક્કા બંનેની મતગણતરી 8 ડિસેમ્બરે જ યોજાશે. મહત્વનું છે કે, પહેલા તબક્કામાં 19 જિલ્લામાં  કુલ 89 બેઠકો પર મતદાન થશે. આ સાથે બીજા તબક્કામાં 14 જિલ્લામાં  93 બેઠકો પર મતદાન થશે.

પ્રથમ તબક્કામાં કયા જિલ્લામાં મતદાન

કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડ

બીજા તબક્કામાં કયા જિલ્લામાં મતદાન

અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા.

મહત્વનું છે કે ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો છે. 2017માં અહીં બે તબક્કામાં મતદાન થયું હતું. ત્યારે ભાજપે આમાંથી 99 બેઠકો જીતી હતી. ત્યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપતા 77 બેઠકો જીતી હતી. અન્યના ખાતામાં 6 બેઠકો હતી. આ ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા.

આ પણ વાંચો :-

Bharat Jodo Yatra : કોંગ્રેસ નેતાની એક ભૂલે પાર્ટીને શરમજનક સ્થિતિમાં મૂકી, ‘ભારત જોડો યાત્રા’ વચ્ચે જાણો શું થયું

0

Bharat Jodo Yatra

  • કોંગ્રેસના તેલંગણા રાજ્ય સચિવ ડો. રોહિન રેડ્ડી જે હૈદરાબાદમાં ભારત જોડો યાત્રાના કો ઓર્ડિનેટર પણ હતા તેમણે ભારત જોડો યાત્રામાં ભાગ લેવા માટે આવેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે સાથે મુલાકાત બાદ ટ્વીટ કરી હતી. જેમાં તેમણે આ ભૂલ કરી.

લખવામાં ક્યારેક ક્યારેક એક નાનકડી ભૂલ ખુબ મોંઘી પડી જતી હોય છે. આવું જ કઈંક તેલંગણાના એક કોંગ્રેસ નેતા રોહિન રેડ્ડી સાથે થઈ ગયું. તેમણે ભારત જોડો યાત્રા (Connect India Journey) અંગે કરાયેલી પોતાની ટ્વીટમાં જોડોની જગ્યાએ તોડો શબ્દનો ઉપયોગ કર્યો. જેના કારણે કોંગ્રેસ પાર્ટીએ (Congress Party) શરમજનક સ્થિતિમાં મૂકાવવું પડ્યું.

અત્રે જણાવવાનું કે કોંગ્રેસના તેલંગણા (Telangana) રાજ્ય સચિવ ડો. રોહિન રેડ્ડી (State Secretary Dr. Rohin Reddy) જે હૈદરાબાદમાં (Hyderabad) ભારત જોડો યાત્રાના કો ઓર્ડિનેટર પણ હતા તેમણે ભારત જોડો યાત્રામાં ભાગ લેવા માટે આવેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે (Congress president Mallikarjun Kharge) સાથે મુલાકાત બાદ ટ્વીટ કરી હતી. જેમાં તેમણે આ ભૂલ કરી.

ટ્વીટમાં લખ્યો આ શબ્દ :

રોહિન રેડ્ડીએ પોતાના ટ્વિટર હેન્ડલથી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને રાજ્યના કોંગ્રેસ પ્રમુખ એ રેવંત રેડ્ડી તથા પાર્ટી મહાસચિવ કે. સી.વેણુગોપાલને ટેગ કરતા લખ્યું કે ‘ગર્વ અને મહાન ક્ષણ જ્યારે એઆઈસીસી અધ્યક્ષ ખડગેએ હૈદરાબાદમાં ભારત તોડો યાત્રા માટે મારી પ્રશંસા કરી.

rohin reddy Tweet

વખાણ બદલ આભાર સર.’ તેમણે ખડગે અને અન્ય નેતાઓ સાથે લેવાયેલી એક તસવીર પણ પોસ્ટ કરી. સ્પષ્ટ રીતે આ ભૂલ પર ધ્યાન આપવાના બદલે તેલંગણા કોંગ્રેસે પાછી તેને રિટ્વીટ કરી. જો કે બાદમાં ભૂલનો અહેસાસ થતા રોહિન રેડ્ડીએ ટ્વીટ હટાવી લીધી અને સુધારો કરીને ફરીથી ટ્વીટ કરી.

એક અન્ય ટ્વીટમાં પણ ભૂલ :

નોંધનીય છે કે રોહિન રેડ્ડીએ અન્ય એક ટ્વીટમાં પણ ભૂલ કરી. આ ટ્વીટમાં રોહિન રેડ્ડીએ લખ્યું કે દેશના સાચા નેતા સાથે ચાલવા પર ગર્વ અને સૌભાગ્યની અનુભૂતિ થઈ રહી છે. જેમણે ભારત તોડો યાત્રા સાથે રાષ્ટ્રને એકજૂથ કરવા માટે પદયાત્રા શરૂ કરી.

તેલંગણામાં સત્તાધારી ટીઆરએસના નેતા કૃષ્ણક મન્નેએ તેને કોંગ્રેસનો સેલ્ફ ગોલ ગણાવ્યો. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે રાહુલ ગાંધીજી યાત્રાના કોઓર્ડિનેટરે તેને ‘તોડો યાત્રા’ તરીકે ટ્વીટ કરી અને તેલંગણાના કોંગ્રેસના અધિકૃત હેન્ડલે તેને રિટ્વીટ કરી. આ કોંગ્રેસનો સેલ્ફ ગોલ છે.

આ પણ વાંચો :-

પોતાની મજા માટે અને પોલીસને અલર્ટ કરવા શખ્સે ટ્રેનમાં બોમ્બ હોવાની ફેલાવી અફવા, આરોપીની સુરતમાંથી ધરપકડ

0

For fun and to alert the police the man

  • રાણકપુર એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ હોવાની અફવા ફેલાવનાર સુરતના યુવકની પોલીસે કરી ધરપકડ, પોતાના મજા માટે અને પોલીસને એલર્ટ કરવા માટે યુવકે આવી હરકત કરી.

રાણકપુર એક્સપ્રેસ ટ્રેનમાં (Ranakpur Express Train) બોમ્બ હોવાની અફવા ફેલાવનાર સુરતનો યુવક ઝડપાયો છે. રેલવે પોલીસ અને RPFની ટીમે આરોપી દેવેન્દ્રસિંહ રાઠોડની (Devendra Singh Rathore) ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં દેવેન્દ્રસિંહ રાઠોડે પોતાની મજા માટે અને પોલીસને અલર્ટ (Alert The Police) કરવા માટે આ પ્રકારની હરકત કરી હોવાનું સામે આવ્યું છે.

પોલીસને બોમ્બ હોવાનો મેસેજ મળ્યો હતો :

તમને જણાવી દઈએ કે રાણકપુર એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ હોવાનો મેસેજ મળતા રેલવે પોલીસ હરકતમાં આવી હતી અને તપાસ હાથ ધરી હતી. પરંતુ એલસીબી. એસઓજી. રેલવે પોલીસ ફોર્સ. બીડીડીએસ અને ડોગ સ્કવોડની તપાસ બાદ ટ્રેનમાં કંઈ પણ વાંધાજનક વસ્તુ મળી ન હતી.

જો કે પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ કરનાર રેલવેનો જ મુસાફર હોવાનું સામે આવતા તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ રેલવે પોલીસે રાજસ્થાનના વતની આરોપી દેવેન્દ્રસિંહ ભવરસિંહ રાઠોડની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

કોલ ડિટેઈલ્સ ના આધારે આરોપી ઝડપાયો :

દેવેન્દ્રસિંહ રાઠોડ મૂળ રાજેસ્થાનનો છે અને તેનો પરિવાર વર્ષો થી સુરતમાં રહે છે. ટ્રેનમાં તે રાજસ્થાન જઈ રહ્યો હતો ત્યારે પોતાના મોબાઈલથી રેલવેમાં બોમ્બ હોવાનો મેસેજ કર્યો હતો અને બાદમાં તે મેસેજ ડીલીટ કરી ફોન સ્વીચ ઓફ કર્યા હતો. પોલીસે મોબાઈલ કોલ ડિટેઈલ્સ ના આધારે આરોપીના ઘરે પહોંચી અને તપાસ કરી હતી. જેમાં દેવેન્દ્ર પોતાના પિતરાઈ ભાઈ સાથે ટ્રેનમાં જતો હોવાનું ખુલતા પોલીસે આરોપીની ધરપકડ કરી.

આરોપી અગાઉ પણ ખોટા મેસેજો કરી ચૂક્યો :

મહત્વનું છે કે પરિવારજની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે દેવેન્દ્ર અગાઉ પણ આવી રીતે ખોટા મેસેજો કરી ચૂક્યો છે. તેની માનસિક સ્થિતિ નબળી હોવાથી પોતાની મજા માટે આ હરકત કરતો હોય છે.હાલમાં રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

1 નવેમ્બરે પેટ્રોલ-ડીઝલ સસ્તું કેમ ન થયું ? પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું કારણ

0

Why did petrol-diesel not become cheaper on November 1

  • તાજેતરમાં તમામ મીડિયા રિપોર્ટ્સમાં 1 નવેમ્બરથી ઓઈલના ભાવમાં 40 પૈસા પ્રતિ લીટર સુધીના કાપની વાત કરાઈ હતી. સૂત્રો તરફથી એવો પણ દાવો હતો કે પેટ્રોલ ડીઝલના ભાવમાં લીટરે 2 રૂપિયા સુધીનો ઘટાડો થશે અને તેને અલગ અલગ તબક્કામાં લાગુ કરાશે.

પેટ્રોલ-ડીઝલના (Petrol-Diesel) ભાવ પાંચ મહિનાથી પણ વધુ સમયથી એક જ સ્તર પર સ્થિર છે. આ દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવમાં રેકોર્ડ લેવલનો ઘટાડો નોંધાયો પરંતુ આમ છતાં ઘર આંગણે પેટ્રોલ ડીઝલના (Petrol Diesel) ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. તાજેતરમાં તમામ મીડિયા રિપોર્ટ્સમાં 1 નવેમ્બરથી ઓઈલના ભાવમાં 40 પૈસા પ્રતિ લીટર સુધીના કાપની વાત કરાઈ હતી.

સૂત્રો તરફથી એવો પણ દાવો હતો કે પેટ્રોલ ડીઝલના ભાવમાં લીટરે 2 રૂપિયા સુધીનો ઘટાડો થશે અને તેને અલગ અલગ તબક્કામાં લાગૂ કરાશે. પરંતુ એક નવેમ્બરથી પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થવાથી લોકોને ઝટકો લાગ્યો છે.

રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ખુબ નુકસાન થયું :

હવે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓને ડીઝલ પર હજુ પણ ચાર રૂપિયા પ્રતિ લીટરનું નુકસાન થઈ રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે પેટ્રોલ પર કંપનીઓનો માર્જિન સકારાત્મક થયો છે. પુરીને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડા બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં કાપ વિશે પૂછવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે સરકારી ઓઈલ કંપનીઓને રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન ખુબ નુકસાન થયું છે.

નુકસાન બદલ સહાયતા માંગવામાં આવશે :

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે તેમનું મંત્રાલય ત્રણ રિટેલ ઈંધણ વિક્રેતાઓ- ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) ને થયેલા નુકસાન બદલ સહાયતાની માંગણી કરશે. આ કંપનીઓએ મોંઘવારીને પહોંચી વળવામાં સરકારની મદદ માટે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ ખુબ મોંઘુ થઈ ગયું હતું છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા નહતા.

19,000 કરોડથી વધુની ખોટ :

કિંમતોમાં કાપ વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, ‘ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMC) ને હજુ પણ ડીઝલ પર ખોટ છે.’ હાલ ડીઝલ પર લગભગ 27 રૂપિયા પ્રતિ લીટર છે. પરંતુ વાસ્તવિક કેશ ખોટ લગભગ 3-4 રૂપિયા પ્રતિ લીટર છે. 3 રિટેલ ઈંધણ વિક્રેતાઓને એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં 19,000 કરોડ રૂપિયાથી વધુની શુદ્ધ ખોટ ગઈ છે. એવો અંદાજો છે કે આ કંપીઓને સપ્ટેમ્બર ત્રિમાસિકમાં પણ નુકસાન થશે.

આ પણ વાંચો :-