Home Blog Page 1259

સુરતમાં સ્પાની આડમાં ચાલતો દેહવ્યાપારનો ધંધો, 9 મહિલા સહિત 13 ની કરાઈ ધરપકડ

Prostitution business running

  • સુરતના વેસુ વિસ્તારમાં પોલીસે દરોડા પાડી સ્પાની આડમાં ચાલતો દેહવ્યાપારનો ધંધો ઝડપી લીધો હતો.

છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં (Criminal Activity) સુરતનું નામ મોખરે થઇ રહ્યુ છે. હત્યા, દુષ્કર્મ સહિતની ઘટનાઓ બાદ હવે દેહ વ્યાપારના (Body Trade) ધંધા ચાલી રહ્યા હોવાનું પોલીસ પોલીસને કાને વાત પડી હતી. પોલીસે વેસુ વિસ્તારમાં લકી ફેમિલી સ્પામાં (Lucky Family Spa) પોલીસે દરોડા પાડયા હતા.

સુરત ક્રાઈમ બ્રાન્ચના (Surat Crime Branch) આ દરોડા દરમિયાન સ્પાની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાનું સામે આવતા ચકચાર જાગી હતી. જેને લઇને પોલીસે 9 મહિલાઓ સહિત કુલ 13 લોકોની ધરપકડ કરી લીધી હતી.

દરોડા દરમિયાન બે ગ્રાહકો પણ ઝડપાયા :

પોલીસે તપાસ હાથ ધરતા લકી ફેમિલી સ્પામાં 2 મહિલા સંચાલકો સ્પા ચલાવતાં હોવાનું સામે આવ્યું હતું.  દરોડા દરમિયાન બે ગ્રાહકો પણ ઝડપાયા હતા. જે ને લઇને કુલ રૂપિયા 44 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

અગાઉ પોલીસ દ્વારા કરાઇ હતી કાર્યવાહી :

અગાઉ પોલીસ દ્વારા  છેલ્લા 3 દિવસ કૂટણખાના વિરુદ્ધ વિશેષ ઝુંબેશ શરુ કરવામાં આવી હતી. જેમાં ઉમરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર બાદ સુરત પોલીસ દ્વારા ભટાર અને વરાછા વિસ્તારમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્પાના ઓથા હેઠળ ચાલતા વધુ 4 કૂટણખાના ઝડપી પાડ્યા હતા.  ભટાર અને વરાછા વિસ્તારમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે સ્પા પર દરોડા પાડીને 20થી વધુ લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરત પોલીસે ત્રણ દિવસથી સ્પેશિયલ ડ્રાઇવ શરુ કરી ગોરખધંધા સામે લાલ આંખ કરીને 12થી વધુ સ્પા સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના સ્થાને કોણ લડશે ચૂંટણી ? ટિકિટ મુદ્દે આપ્યું મોટું નિવેદન…

0

election instead of Dabang MLA Madhushrivastav

  • ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. તેવામાં ભાજપમાં પણ કોને ટિકિટ મળશે અને ક્યાંથી એની ચર્ચાઓ તથા બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. આ દરમિયાન વડોદરાનાં દબંગ ધારાસભ્ય મધુશ્રીવાસ્તવે ચૂંટણી લડવા અંગે મોટુ નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું છે કે અગાઉ મે મજાકમાં કહ્યું હતું કે હું અથવા મારા પત્નીમાંથી કોઈ એક ચૂંટણી લડશે (Will contest the election). પરંતુ ભાજપની પોલિસી છે કે પરિવારના સભ્યોને ટિકિટ નહીં મળે તો પછી હું ભાજપની આ નીતિની સાથે છું. પાર્ટી સાથે જ જોડાયેલો રહીશ. મધુ શ્રીવાસ્તવે (Madhu Srivastava) ટિકિટ મુદ્દે આપેલા નિવેદન પર નજર કરીએ…

મધુ શ્રીવાસ્તવે ટિકિટ મુદ્દે કર્યો ઘટસ્ફોટ :

તેમણે કહ્યું કે અગાઉ મેં મશ્કરીમાં કહ્યું હતું કે ચૂંટણી હું લડુ કે મારા પત્ની એક જ વાત છે. પરંતુ ભાજપની નીતિ સ્પષ્ટ છે કે એક જ પરિવારથી ટિકિટ આપવામાં આવશે નહીં. જેના કારણે હું આનું સન્માન કરું છું અને આગળ પણ ભાજપ સાથે જ જોડાયેલો રહીશ. હું ભાજપનો સેવક છું.

ચૂંટણી પ્રચારની તૈયારી વિશે કહ્યું :

મધુ શ્રીવાસ્તવે કહ્યું કે ટિકિટનો સવાલ જ નથી આવતો અત્યારે આ અંગે પાર્ટી નક્કી કરશે. મે અગાઉ જ કહ્યું હતું એમ કે હું પાર્ટીમાં જ રહીશ અને જનતાની સેવા કરતો રહીશ. હવે ચૂંટણીમાં ક્યારે અને ક્યાંથી ઉમેદવારી મળશે એ પાર્ટી નક્કી કરશે.

આ પણ વાંચો :-

પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધી શકે ? તેલ કંપનીઓના કરોડોના નુકસાનના આંકડા ચિંતાજનક, કેવી રીતે પૂરાશે ખાડો

0

Can petrol-diesel prices rise again

  • તેલ કંપનીઓમાં સતત નુકસાન થઈ રહ્યું છે; IOC, BPCL અને HPCLને જુલાઈ-સપ્ટેમ્બરમાં રૂ. 2,748.66 કરોડનું નુકસાન. તેના પરથી સંકેતો મળી રહ્યા છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધી શકે છે.

ઓઈલ કંપનીઓ (Oil Company) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પેટ્રોલ, ડીઝલ અને સ્થાનિક એલપીજીના ભાવમાં થયેલા નુકસાનને કારણે આ નુકસાન વધ્યું છે. વિદેશી બજારમાં કિંમતોમાં તેજી વચ્ચે સ્થિર છૂટક કિંમતોને કારણે કંપનીઓને નુકસાન (Loss) થઈ રહ્યું છે.

શું દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel Prices) વધવાના છે ? આ જણાવી રહ્યાં પરંતુ જે રીતે તેલ કંપનીઓને સતત નુકસાનમાં ચાલી રહી છે તેના પરથી સંકેતો મળી રહ્યા છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ માર્કેટિંગ (Petroleum Marketing) કંપનીઓ IOC, BPCL અને HPCLને જુલાઈ-સપ્ટેમ્બરમાં રૂ. 2,748.66 કરોડનું નુકસાન થયાની માહિતી મળી છે. આ સતત બીજું ક્વાર્ટર છે જ્યારે કંપનીઓને નુકસાન થયું છે.

રૂ. 272.35 કરોડની ખોટ :

શેરબજારોને આપવામાં આવેલી માહિતીમાં તેલ કંપનીઓએ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નુકસાનના આંકડા આપ્યા છે. આ મુજબ IOCએ 29 ઓક્ટોબરના રોજ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 272.35 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી બતાવી છે જે નાણાકીય FY23 એટલે કે નાણાકીય વર્ષ 2022-23ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં IOCને રૂ. 1,992.53 કરોડની ખોટ કરી હતી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસ એલપીજી નીચી કિંમતે વેચી નુકસાન ભોગવ્યું છે.

HPCL ફરી નુકસાન :

3 નવેમ્બર, 2022ના રોજ HPCLએ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં રૂ. 2,172.14 કરોડની ખોટ નોંધાવી છે. જે એપ્રિલ-જૂનમાં રૂ. 10,196.94 કરોડની અત્યાર સુધીની સૌથી વધુ ત્રિમાસિક ખોટ નોંધવામાં આવી છે. આ સિવાય ત્રીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની BPCLની ખોટ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 304.17 કરોડ હતી તેમજ તેને પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 6,263.05 કરોડની ખોટ હતી.

પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર :

તેલ કંપનીઓને થઈ રહેલા ભારે નુકસાનનું સૌથી મોટું કારણ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ લાંબા સમયથી સ્થિર હોવાનું માનવામાં આવે છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) એ સતત સાત મહિનાથી ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

22000 કરોડની સબસિડી :

કંપનીઓને છેલ્લા બે વર્ષમાં ઓછી કિંમતે LPG વેચવાથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે આપવામાં સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી હતી. સરકાર દ્વારા 22,000 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાથી જે નુકસાન થયું તેની ભરપાઈ કરવામાં નિષ્ફળ જ રહી. IOCને છેલ્લા ક્વાર્ટરના અંતે LPG સબસિડી તરીકે રૂ. 10,800 કરોડ મળ્યા હતા. જ્યારે HPCLને રૂ. 5,617 કરોડ અને BPCLને રૂ. 5,582 કરોડ મળ્યા હતા.

આ પણ વાંચો :-

દેશ મનમોહન સિંહનો ઋણી છે…: નીતિન ગડકરીએ કેમ પૂર્વ PMના ખૂલીને કર્યા વખાણ ? 

0

Country owes Manmohan Singh

  • અમે રસ્તાઓ બનાવવા માટે નાણાં એકત્ર કરવાનો ખૂબ પ્રયાસ કર્યો. તેમના દ્વારા શરૂ કરાયેલા આર્થિક સુધારાને કારણે જ અમે રોડ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરી શક્યા : નીતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ (Union Road Transport and Highways Minister Nitin Gadkari) મંગળવારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની (Former Prime Minister Manmohan Singh) પ્રશંસા કરી હતી. એક કાર્યક્રમમાં ગડકરીએ જણાવ્યું હતું કે મનમોહન સિંહ દ્વારા 1991માં નાણાં પ્રધાન તરીકે શરૂ કરાયેલા આર્થિક સુધારાએ (Economic Reforms) ભારતને નવી દિશા આપી કારણ કે તે ઉદાર અર્થતંત્રની શરૂઆત કરે છે.

ગડકરી ‘TIOL એવોર્ડ્સ 2022‘ સમારોહને સંબોધિત કરતાં કહ્યું હતું કે, ‘ભારતને ઉદાર આર્થિક નીતિની જરૂર છે, જેમાં ગરીબોને પણ ફાયદો થાય તે હેતુ હોય. 1991માં તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહ દ્વારા શરૂ કરાયેલા આર્થિક સુધારાએ ભારતને એક નવી દિશા આપી.

આર્થિક સુધારા માટે દેશ તેમનો ઋણી રહેશે. હું 90ના દાયકામાં મહારાષ્ટ્રમાં મંત્રી હતો. અમે રસ્તાઓ બનાવવા માટે નાણાં એકત્ર કરવાનો ખૂબ પ્રયાસ કર્યો. મનમોહન સિંહ દ્વારા શરૂ કરાયેલા આર્થિક સુધારાને કારણે જ અમે રોડ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરી શક્યા.

આ સાથે તેમણે ઉમેર્યું હતું કે કેવી રીતે ઉદાર આર્થિક નીતિ કોઈપણ દેશના વિકાસમાં મદદ કરી શકે તેનું ચીન એ એક સારું ઉદાહરણ છે. બીજી બાજુ ભારતના સંદર્ભમાં તેમણે કહ્યું કે ભારતને આર્થિક વિકાસને વેગ આપવા માટે વધુ મૂડી ખર્ચ રોકાણની જરૂર પડશે.

તેથી NHAI સામાન્ય માણસ પાસેથી હાઈવેના નિર્માણ માટે પણ ભંડોળ એકત્ર કરી રહ્યું છે. ગડકરીએ કહ્યું કે તેમનું મંત્રાલય 26 ગ્રીન એક્સપ્રેસ-વે બનાવી રહ્યું છે અને તેમને ભંડોળની કોઈ અછતનો સામનો કરવો પડી રહ્યો નથી. તેમના મતે NHAIની ટોલ આવક 2024 સુધીમાં રૂ.1.40 લાખ કરોડ થશે જે હાલમાં વાર્ષિક રૂ.40,000 કરોડ છે.

આ પણ વાંચો :-

T20 World Cup 2022 માં ઘડાયા 1992 જેવા ઘાટ ! શું આ કારણોથી ફરી પાકિસ્તાન જીતશે ટ્રોફી ?

0

T20 World Cup 2022 will be like 1992

  • 1992ની જેમ આ વખતે પણ પાકિસ્તાન વર્લ્ડકપની સેમિફાઈનલમાં તુક્કાથી આવી ગયું છે. ત્યારે ફરી એકવાર સવાલ એ આવીને ઊભો છે કે શું ઈમરાન ખાનની જેમ આવખતે બાબરના હાથમાં આવશે વર્લ્ડ કપની ટ્રોફી ? કેમ આવું થઈ શકે છે તેના કારણો પણ જાણો.

હાલ ટી20 વર્લ્ડકપ (T20 World Cup) એના અંતિમ અને રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે. એક તરફ ભારત પોતાના દમખમથી સેમિફાઈનલમાં (Semifinals) પહોંચ્યુ. તો બીજી તરફ પાકિસ્તાન કિસ્મતના જોરે ધક્કો ખાતા ખાતા સેમિફાઈનલમાં પહોંચ્યું. સ્થિતિ એવી થઈ છે કે ફરી એકવાર ભારત-પાકિસ્તાન (India-Pakistan) પણ મેદાનમાં સામસામે જોવા મળી શકે છે.

જોકે આનાથી ઉલટું બીજી પણ એક સ્થિતિ છે જે સંકેત આપે છે 1992 જેવા. જી હાં વર્લ્ડકપ 2022 માં ફરી એકવાર 1992 જેવા ઘાટ ઘઢાયા છે. તે સમયે પણ ઈમરાન ખાનની કેપ્ટનશીપ વાળી પાકિસ્તાનની ટીમ તુક્કાથી ફાઈનલમાં આવી ગઈ હતી. અને કપ જીતી ગઈ હતી. આ વખતે પણ પરિસ્થિતિ કંઈક એવા જ સંકેત આપી રહી છે. ત્યારે 1992 અને 2022 માં કેટલી સામ્યતા છે તેના વિશે જાણીએ.

1992ના વર્લ્ડ કપમાં એ સાબિત થયું હતું કે નસીબથી વધુ બળવાન કોઈ નથી. પાકિસ્તાને પોતાની પ્રથમ 5માંથી 3 મેચ ગુમાવી હતી. 1 મેચમાં રિઝલ્ટ નહોતું આવ્યું અને માત્ર 1 મેચમાં જીત મેળવી હતી. એ તબક્કે કોઈ ઈમરાનની ટીમને વર્લ્ડકપનો દાવેદાર નહોંતી માનતી. પણ કિસ્મતે કરવટ બદલી અને પાકિસ્તાનનું પત્તુ ચાલી ગયું. અને ઈમરાન મિયાંએ વર્લ્ડકપ ઉપાડીને ફોટા પડાવ્યાં.

અત્યારે ચાલતા T20 વર્લ્ડ કપમાં પણ બધાને ચોંકાવીને પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારત તો ઠીક પણ એ પછી ઝિમ્બાબ્વે સામે પણ મેચ ગુમાવ્યા બાદ પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી ગયું એ વાતથી બધા ચોંકી ગયા છે.

સાઉથ આફ્રિકા પોતાના ક્રિકેટિંગ ઇતિહાસમાં પહેલીવાર એસોસિએટ નેશન (નેધરલેન્ડ્સ) સામે હાર્યું અને પાકિસ્તાન સેમિ.માં પહોંચ્યું. 2022ના વર્લ્ડ કપની સ્ક્રીપ્ટ પાકિસ્તાન સામે 1992 જેવી સાબિત થઈ રહી છે. અહીં આપણે જાણીશું બંને વર્લ્ડ કપની સમાનતા વિશે એ પછી તમે અમને જણાવજો કે ઇતિહાસનું પુનરાવર્તન થશે કે નહીં?

1) ઓસ્ટ્રેલિયામાં પહેલો વર્લ્ડ કપ :

1992માં ઓસ્ટ્રેલિયામાં વનડે ફોર્મેટનો પ્રથમ વર્લ્ડ કપ રમાઈ રહ્યો હતો. 2022માં T20 ફોર્મેટનો પ્રથમ વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. બંને કેસમાં હોમ ટીમ સેમિફાઇનલમાં પહોંચ્યા વિના ટૂર્નામેન્ટની બહાર થઈ.

2) અગાઉના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર :

1987ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે મેચ ગુમાવી હતી. ત્યારે એલન બોર્ડરની ટીમ સામે ઇમરાન અને બોય્ઝે 18 રને લાહોર ખાતે બાજી ગુમાવી હતી. ગયા વર્ષના T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પણ ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવ્યું હતું. દુબઇ ખાતેની એ મેચ કાંગારુંએ 5 વિકેટે બાજી મારી હતી.

3) બંને વખતે ટૂર્નામેન્ટની પહેલી મેચમાં MCG ખાતે હાર :

1992માં પાકિસ્તાન પોતાની વર્લ્ડ કપની પહેલી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમ્યું હતું. તેમાં વેસ્ટ ઇન્ડિઝ સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે પણ પ્રથમ મેચ પાકિસ્તાને મેલબોર્નમાં જ રમી હતી, જેમાં ભારતે તેને 4 વિકેટે હરાવ્યું હતું.

4) ગ્રુપ સ્ટેજમાં ભારત સામે પાકિસ્તાનની હાર :

આ વખતે તો પાકિસ્તાન પોતાની ગ્રુપ સ્ટેજની પહેલી મેચમાં ભારત સામે હારી જ ગયું છે આશ્ચર્યની વાત એ છે કે 1992માં પણ ઇમરાન ખાનની ટીમે મોહમ્મદ અઝહરુદ્દીનની ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે ત્યારે પાકિસ્તાનને 43 રને માત આપી હતી.

5) ગ્રુપ સ્ટેજમાં છેલ્લી ત્રણેય મેચ જીતી :

1992માં પાકિસ્તાને પોતાના ગ્રુપ સ્ટેજની છેલ્લી ત્રણેય મેચ જીતી હતી. તેમણે ઓસ્ટ્રેલિયાને પર્થ ખાતે 48 રને, શ્રીલંકાને પર્થ ખાતે 4 વિકેટે તો ન્યૂઝીલેન્ડને ક્રાઈસ્ટચર્ચ (ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં સંયુક્તપણે વર્લ્ડ કપ યોજાયેલો) ખાતે 7 વિકેટે હરાવ્યું હતું. આ વખતે પાકિસ્તાને પોતાની અંતિમ-3 ગ્રુપ ગેમ્સમાં નેધરલેન્ડ્સને પર્થ ખાતે 6 વિકેટે, સાઉથ આફ્રિકાને સિડની ખાતે 33 રને તો બાંગ્લાદેશને એડિલેડ ખાતે 5 વિકેટે હરાવ્યું હતું.

6) 1992 અને 2022 બન્ને વાર પાકિસ્તાન સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે :

બંને કેસમાં પાકિસ્તાને સેમિફાઇનલમાં એક પોઇન્ટના અંતરથી સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું. તેમજ વધુ રસપ્રદ રીતે 1992માં પાકિસ્તાને સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ઓકલેન્ડ ખાતે 4 વિકેટે હરાવ્યું હતું. આ વખતે પણ પાકિસ્તાન સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે જ ટકરાશે.

7) ઇંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન વર્લ્ડ ચેમ્પિયન બન્યું :

1992માં ઇંગ્લેન્ડને ફાઇનલમાં 22 રને હરાવીને પાકિસ્તાન વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. આ વખતે પણ તેની પાસે તક છે ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં પહોંચવાની અને પછી ચેમ્પિયન બનવાની. તેમજ જો અન્ય સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ ભારતને હરાવી દે તો 1992ના ફાઇનલની જેમ આ વખતે પણ ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનની વચ્ચે ફાઇનલ રમાઈ શકે છે. તમને શું લાગે છે આ ટૂર્નામેન્ટની બાકીની ત્રણ મેચમાં પણ 1992ની સ્ક્રીપ્ટ રિપીટ થશે કે પછી આ સંયોગોનો સેમિફાઇનલમાં અંત આવી જશે?

આ પણ વાંચો :-

 

ચૂંટણી પ્રચાર દરમિયાન ભૂલથી પણ આ નિયમનો ભંગ ના કરતા, વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીનું જાહેરનામું જાહેર

0

Vadodara District Election Officer issued a notification

  • વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા તમામ વાહનોની નોંધણી ફરજીયાત કરાવવાની રહેશે. સાથે જ પ્રચાર માટે ફોર વ્હીલરમાં 5 લોકો જ બેસી શકશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જેના કારણે તમામ રાજકીય પક્ષો (Political parties) ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું છે. રાજકીય પક્ષો મતદારોને (Voters) આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં ચૂંટણી પ્રચારને લઈને વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી (Vadodara District Election Officer) દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીનું જાહેરનામું :

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર કોઈપણ રાજકીય પક્ષ, વ્યક્તિ, સંસ્થા, ચૂંટણી ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈપણ ઉમેદવાર માટે કે પક્ષ માટે ઉપયોગમાં લેવાતા વાહનોનું સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી પાસે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટર કરાવેલ વાહનની પરમીટ મેળવી તેને વાહનની વિન્ડ સ્ક્રીન ઉપર અથવા નાના વાહનમાં સહેલાઈથી દેખાઈ આવે તે રીતે ચોંટાડવાની રહેશે.

પ્રચાર માટે ફોર વ્હીલરમાં 5થી વધુ લોકો નહીં બેસી શકે :

ચૂંટણી અધિકારી પાસે પરમીટ મેળવેલા વાહનો સિવાય અન્ય કોઈપણ વાહનોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહી. સાથે જ પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા ફોર વ્હીલરમાં 5 જ લોકો બેસી શકશે.

જાહેરનામાનો ભંગ કરનારને ફટકારવામાં આવશે સજા :

જાહેરનામા અનુસાર,ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા વાહન પર વધારાની એસેસરીઝ ફીટ કરેલી હશે તો RTOની મંજૂરી લેવી પડશે. આ ઉપરાંત ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ચૂંટણી અધિકારીની રૂમમાં 5 વ્યક્તિને જ પ્રવેશ અપાશે. આ જાહેરનામાનો ભંગ કરનારને સજા ફટકારવામાં આવશે.

200 મીટરની ત્રિજ્યામાં 4થી વધુ વ્યક્તિઓને મંજૂરી નહીં :

મતદાન મથકોની 200 મીટરની ત્રિજ્યામાં 4થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ મૂકાયો છે. સાથે જ 200 મીટરની ત્રિજ્યામાં ટેબલ ખુરશી કે છત્રી પર પણ પ્રતિબંધ મૂકાયો છે. 200 મીટર ત્રિજ્યાની બહાર 1 ટેબલ, 2 ખુરશી અને 1 છત્રી રાખી શકાશે. 200 મીટર ત્રિજ્યા બહાર રાવટી, તંબુ કે મંડપ બાંધવા પર રોક લગાવવામાં આવી છે.

આ પણ વાંચો :-

Video Call આવ્યો.. છોકરી અચાનક નિર્વસ્ત્ર થઈ, બાદમાં નંખાઈ બ્લેકમેલની જાળ, કૌભાંડનો નવો કીમિયો સેકસટોર્શન

Video call came.. girl suddenly naked

  • વોટ્સએપ પર કૌભાંડ નવું નથી. પરંતુ તેના પર કૌભાંડની નવી રીત આવતી રહે છે. આવી જ એક પધ્ધતિ સેક્સટોર્શન છે જે આજકાલ ચર્ચામાં છે.

સામાન્ય ફોન કોલ્સ પર ઘણીવાર સ્પામ કોલ્સને (Spam calls) અવગણીએ છીએ. પરંતુ ભાગ્યે જ કોઈ વોટ્સઅપ પર કોલ મિસ કરશે. જો તમે WhatsApp કોલને ખૂબ જ મહત્વપૂર્ણ માનીને ઉપાડો અને તમને છેતરવામાં (Cheat) આવે તો શું થશે. કૌભાંડ પણ એવું છે. જેની તમે કલ્પના પણ નહીં કરી હોય.

છેલ્લા કેટલાક દિવસોમાં સેક્સટોર્શનના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આ કૌભાંડમાં થોડીક સેકન્ડોમાં કંઈક એવું થાય છે કે યુઝરના હોશ ઉડી જાય છે. ઉદાહરણ તરીકે વપરાશકર્તાઓને વિડિયો કોલ મળે છે પછી સમગ્ર કૌભાંડની વાર્તા શરુ થાય છે.

આ માત્ર વાર્તા નથી પરંતુ વાસ્તવિકતા છે :

અમારી સાથે તેની વાર્તા શેર કરતી વખતે એક વ્યક્તિએ કહ્યું કે તે સાંજે તેના ઘરે કેટલાક મહેમાનો સાથે બેઠો હતો. આ દરમિયાન તેને વોટ્સએપ પર કોલ આવે છે . શરૂઆતમાં તેણે તે કોલને અવગણ્યો પરંતુ સતત બેથી ત્રણ વખત કોલ્સ પ્રાપ્ત કર્યા પછી તેને આ કોલ જરૂરી લાગ્યો.

તમે કેવી રીતે છટકી શકો છો

હવે પ્રશ્ન એ છે કે તમે આવા કેસને કેવી રીતે ટાળી શકો. પોલીસના જણાવ્યા મુજબ અનુસાર સ્કેમર્સ લોકોને ખૂબ જ સ્માર્ટ રીતે ફસાવે છે અને આવા કિસ્સાઓમાં તેમને ટ્રેક કરવા મુશ્કેલ છે.

સ્કેમર્સ એક રાજ્યમાં રહેતા અન્ય રાજ્યોનાં લોકોને નિશાન બનાવે છે. જેમ કે તેઓ ઉત્તર ભારતમાં રહેતા દક્ષિણ ભારતના વપરાશકર્તાને ટાર્ગેટ કરશે. આવી સ્થિતિમાં તેમને ટ્રેક કરવું મુશ્કેલ છે. તેઓ કોલિગ માટે અલગ-અલગ નંબરનો ઉપયોગ કરે છે.

તો પછી તેમને ટાળવાનો ઉપાય શું છે ?

તમે આવા કોલ્સને ટાળી શકતા નથી પરંતુ તમે આવી મુશ્કેલીમાં આવવાથી ચોક્કસપણે બચી શકો છો. આ માટે તમારે ફક્ત સાવચેત રહેવાની જરૂર છે. કોઈપણ અજાણ્યા નંબર પરથી આવતા વિડિયો કોલ્સ પ્રાપ્ત કરશો નહીં. જો જરૂરી હોય તો નંબર પર ઓડિયો કોલ કરો અને કોલ કરનારનો હેતુ શું છે તે તપાસો. આ રીતે તમે તમારી જાતને મુશ્કેલીમાંથી બચાવી શકો છો.

આ પણ વાંચો :-

વંદે ભારત ટ્રેનના ટક્કરથી મહિલાનું કમકમાટી ભર્યું મોત, આણંદ પાસે રેલવે ટ્રેક ઓળંગતી વખતે સર્જાઈ દુર્ઘટના

0

Vande Bharat train hit a woman and died

  • આણંદ રેલ્વે સ્ટેશન પાસે સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ટક્કરથી 54 વર્ષીય મહિલાનું કમકમાટી ભર્યું મોત, મહિલાની ઓળખ બીટ્રાઈસ આર્ચીબાલ્ડ પીટર તરીકે થઈ છે.

ગુજરાતના આણંદ રેલ્વે સ્ટેશન (Anand Railway Station) પાસે મંગળવારે મુંબઈ જતી સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની (Vande Bharat Express Train) ટક્કરથી એક 54 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. રેલવે પોલીસના જણાવ્યા અનુસાર ભોગ બનનાર મહિલા ઓળખ બીટ્રાઈસ આર્ચીબાલ્ડ પીટર (Beatrice Archibald Peter) તરીકે થઈ છે.

તેમણે કહ્યું કે અકસ્માત સાંજે 4.37 વાગ્યે થયો છે. તેમણે કહ્યું કે, મહિલા ટ્રેક ક્રોસ કરી રહી હતી ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. તે મહિલા અમદાવાદમાં રહેતી હતી પીટર આણંદમાં એક તેના સંબંધીને મળવા જતી હતી.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે મહિલાનું મોત :

ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી મુંબઈ સેન્ટ્રલ જઈ રહી હતી. રેલવે અધિકારીએ જણાવ્યું કે આણંદમાં ટ્રેનનું કોઈ સ્ટોપેજ નથી તેમજ વધુ તપાસ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે, વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયાના સમાચાર સામે આવ્યા હતા.

જેમાં અસદુદ્દીન ઓવૈસી ચૂંટણીલક્ષી ગુજરાતમાં પ્રવાસ આવી રહ્યાં હતા. જોકે પોલીસે આ દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે સોમવારે બનેલી ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા એક મહિનામાં ટ્રેનની અડફેટે આવીને ટ્રેક પર ઢોર મારવાના ઓછામાં ઓછા ત્રણ બનાવો બન્યા છે.

આ પણ વાંચો :-

નશામાં ચૂર યુવકોના કાર સ્ટંટે લીધો વ્યક્તિનો જીવ, આ વીડિયો જોઈ ઉભા થઇ જશે રૂવાડાં

0

The car stunt of the drunken youth

  • સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે નશામાં ધૂત યુવકોને એક વ્યક્તિ પર પુરઝડપે કાર ચઢાવી દીધી.

ગુરૂગ્રામમાં (Gurugram) એક ચોંકાવનારી ઘટનામાં સ્ટંટ કરી યુવકોએ એક વ્યક્તિ પર પુર ઝડપે કાર ચઢાવી દીધી. કારની ઝપેટમાં આવેલા વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થઇ ગયું. આ રૂવાડાં ઉભા કરી દેનાર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ ખૌફનાક અકસ્માત ગુરૂગ્રામના ઉદ્યોગ વિહાર (Udyog Vihar of Gurugram) ફેજ-2 માં રવિવારે રાત્રે 2 વાગે સામે આવ્યો છે. પોલીસે કાર્યવાહી કરતાં 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

વાયરલ થયો ચોંકાવનારો વીડિયો :

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે નશામાં ધૂત યુવકોનું ગ્રુપ કારથી ખતરનાક સ્ટંટ કરી રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં લગભગ 10-12 યુવક દારૂની દુકાનની બહાર મારૂતિ અર્ટિગા, એક હ્યુંડાઇ વેન્યૂ અને એક હ્યુન્ડાઇ ક્રેટા વડે સ્ટંટ કરતાં જોઇ શકાય છે.

અચાનક એસયૂવીમાંથી એકે કાબૂ ગુમાવી દીધો અને રાહદારીને ટક્કર મારી દીધી જેથી તેમાંથી બે નીચે પડી ગયા. એક કચરું વીણનારનું ઘટનાસ્થળે મોત થઇ ગયું. જ્યારે બે અન્ય ઘાયલ થઇ ગયા.

7 આરોપીની ધરપકડ :

ઘટના બાદ અત્યાર સુધી 7 આરોપીની ધરપકડ થઇ ચૂકી છે. પોલીસે બે કારોને જપ્ત પણ કરી લીધી છે. ઘટના વિશે પૂછવામાં આવતાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે આરોપીઓમાંથી એક કમિશ્નર કાર્યાલયમાં કોમ્યુટર ઓપરેટર છે. જ્યારે ત્રણ લોકો એક ટ્રાવેલ એજન્સી માટે કામ કરી રહ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ પર ગંભીર કલમો નોંધવામાં આવી છે.

આ પણ વાંચો :-

50 વર્ષથી કોંગ્રેસના ધારાસભ્ય રહેલાં દિગ્ગજ નેતા 51માં વર્ષે ભાજપમાં ! રાઠવાના જવાથી કોંગ્રેસનું રમણ ભમણ

0

A veteran leader who has been a Congress MLA

  • મોહન રાઠવાએ કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું ધરી દીધું છે અને તેઓ ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે. કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ (Congress) ફરી એક વખત તૂટી રહી છે. હાલ રાજનીતિના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે. મોહન રાઠવા (Mohan Rathwa) ભાજપમાં જોડાવવાની વાતો વચ્ચે ખળભળાટ મચી જવા પામ્યો છે. કોંગ્રેસના આદિવાસી ધારાસભ્ય (Tribal MLA of Congress) ભાજપમાં જોડાશે.

મોહન રાઠવાએ કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું ધરી દીધું છે અને તેઓ ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે. કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના સૌથી સિનિયર ધારાસભ્ય મોહન રાઠવા છે.

કોણ છે મોહન રાઠવા ?

  • સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ.
  • 11 વખત ધારાસભ્ય બન્યા.
  • છોટાઉદેપુરથી સતત 1972થી ધારાસભ્ય બન્યા.
  • 55 વર્ષ સુધી વિધાનસભાના સભ્ય તરીકે પ્રતિનિધિત્વ કર્યુ.
  • કોંગ્રેસના સૌથી સિનિયર નેતા.

મોહનસિંહ રાઠવા છોટાઉદેપુર બેઠક પરથી ચૂંટાતા આવ્યા છે. કોંગ્રેસના આદિવાસી ધારાસભ્ય મોહન રાઠવા સૌથી વધુ વાર ધારાસભ્ય બનવાનો રેકોર્ડ ધરાવે છે. છોટા ઉદેપુર વિધાનસભા બેઠક – 182 પરથી છેલ્લી 11 ટર્મથી એટલે કે  1972થી અત્યાર સુધી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે.

ગુજરાતમાં સતત 9 વખત ચૂંટાઈને વિધાનસભાના સભ્ય તરીકે શપથ લેનારા મોહનસિંહ રાઠવા 2012માં સતત વધુ વખત ચૂંટાવાનો વિક્રમ પ્રસ્થાપિત કર્યો હતો. ગુજરાત વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે ત્યારે તેઓ 10મી વખત ધારાસભ્ય તરીકેના શપથ લીધા હતા, 2017માં પોતાનો જ વિક્રમ પોતે તોડીને ગુજરાતના અવલ્લ નંબરના ધારાસભ્ય બન્યા હતા.

છેવાડાના આદિવાસી બેલ્ટમાં પહેલાથી રાઠવા રાજ રહેલુ છે. ત્યારે એકબીજાના સંબંધીઓ ગણાતા રાઠવા બ્રધર્સ વચ્ચે ટિકિટનો જંગ છંછેડાયો હતો. છોટાઉદેપુર, રાજપીપળાની બેઠકો પર આદિવાસીઓનું પ્રભુત્વ વધુ છે. આ બેલ્ટમાં વર્ષોથી માત્ર 3 નેતાઓનો દબદબો રહ્યો છે. સુખરામ રાઠવા, નારણ રાઠવા અને મોહનસિંહ રાઠવા. ત્રણેય પરસ્પર એકબીજાના સંબંધી ગણાય છે. પરંતુ રાજકારણમાં કોઈ સગો હોતો નથી વખત આવ્યે એ પણ સાબિત થઈ ચૂક્યું છે.

No description available.

છોટાઉદેપુર વિધાનસભા બેઠક પર આદિવાસી બહુમતો જોવા મળે છે. આ સાથે જ અહીં રાઠવા જ્ઞાતિના મતોનુ પણ પ્રભુત્વ જોવા મળે છે. જણાવી દઈએ કે આ બેઠક પર જ્ઞાતિ આધારિત ગણિત ખૂબ જ પ્રબળ છે. આ બેઠક પર સૌથી વધુ વખત મોહનસિંહ રાઠવાનો વિજય થયો છે.

મોહનસિંહ રાઠવા 1972-90 સુધી, 1990-97 સુધી, 1998-2002, 2007 થી 2022 સુધી સતત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. સતત મોહનસિંહનું આ બેઠક પર પ્રભુત્વ રહેલું છે. જેથી હવે નારણ રાઠવાએ હવે ટિકિટ માટે જંગ છેડયો.

આ પણ વાંચો :-