Home Blog Page 1258

11 નવેમ્બર 2022, આજનું રાશિફળ : આજે આ 4 રાશિના જાતકો પર મોગલ માં અને ખોડિયારની રહેશે અસીમ કૃપા, ધંધામાં મળશે મોટી સફળતા

11 November 2022, Today’s Horoscope

મેષઃ
આર્થિક ક્ષેત્રે સફળતા મળતા, આનંદ ઉત્સાહમાં વધારો થાય. નાના ભાઈ-બહેનો સાથે પ્રેમનું વાતાવરણ સર્જાશે. પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ જળવાશે. નોકરી-ધંધા ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય સારું રહેશે.

વૃષભઃ
કલાત્મક કૌશલ્યનો વિકાસ થાય. વ્યવહારિક અને ઉત્તેજતાપૂર્ણ વ્યક્તિત્વ રહેશે. ધગશ, ઉત્સાહમાં વધારો. થોડી સ્વાર્થવૃત્તિ વધતી જણાય. મશીનરી, દરજી, ફોટોગ્રાફીના કાર્ય સાથે સંકળાયેલ વ્યક્તિઓને પ્રગતિ-સફળતા મળે.

મિથુનઃ
સ્વભાવ જીદ્દી થાય. આવકમાં ઘટાડો નોંધાય. પરિવારમાં શાંતિ અને સંપની અનુભ‌ૂતિ થાય. નવા આર્થિક આયોજનો સફળ થતા જણાય. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકો. આરોગ્ય સારું રહેશે. જીવનસાથીની તબિયત સાચવવી.

કર્કઃ
દિવસ દરમિયાન શારીરિક અને માનસિક તંદુરસ્તી સારી રહેતી જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થાય. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. ભાગ્યના બળે કાર્ય સફળ થતા જણાય. મિત્રો તરફથી સાથ-સહકાર મળતો જણાય.

સિંહઃ
નાણાંકીય બાબતોથી લાભ સંભ‍વે. કુટુંબમાં સુખ-શાંતિ વધે. જમીન-મકાન મિલકતથી લાભ મળતો જણાય. રંગ-રસાયણ-ટાયરના ધંધાવાળા વ્યક્તિઓને માટે શુભ દિવસ. મિત્રો સાથ મનદુઃખ ન થાય એ સાચવવું.

કન્યાઃ
આજનો દિવસ આપના માટે શુભ પુરવાર થાય. ભાઈ-બહેનો તથા પૂરા પરિવાર સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ બને. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય. નવા કાર્યોની શરૂઆત શક્ય બને. નોકરીમાં બઢતી તથા ધંધામાં પ્રગતિ થાય. પિતાની તબિયત સાચવવી.

તુલાઃ
બપોર સુધી નાણાંની ખેંચ વર્તાય, બપોર બાદ ભગ્ય સાથ આપતું જણાય. નોકરી-ધંધામાં પરિસ્થિતિ સુધરતી જણાય. પરિવારના સભ્યો માટે ચિંતા રહે. કરેલા રોકાણોનું શુભફળ મળતું જણાય. વિદ્યાર્થીમિત્રો માટે દિવસ શુભ ફળદાયી નીવડે.

વૃશ્ચિકઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. બપોર સુધી તમામ બાબતોમાં સફળતા મળતી જણાય. બપોર બાદ માનસિક તણાવ રહે. આવક ઘટતી જણાય. શરીરમાં થાક-સુસ્તીનો અનુભવ થાય. ગળાના રોગોથી સાચવવું.

ધનઃ
ગઈકાલની માનસિક અશાંતિ દૂર થતી જણાય. આનંદ-ઉત્સાહનો અનુભ‍વ થાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં શુભકાર્યનું આયોજન થાય. આરોગ્ય સુધરતું જણાય. ખોટા ખર્ચ ટાળવા જરૂરી.

મકરઃ
આવક ઘટતી જણાય. બચત ઓછી થાય. છતાં માનસિક સ્વસ્થતા જાળવી શકાય. વિચારોમાં શુદ્ધતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી ઉઠાવવી પડે. આદ્યાત્મિક પ્રગતિ થાય.

કુંભઃ
દિવસ દરમિયાન શક્તિ-સ્ફૂર્તિનો અનુભવ થાય. આવક વધતી જણાય. કુટુંબના સભ્યો સાથે વિશ્વાસનું વાતાવરણ સર્જાય. નવા રોકાણોથી લાભ થાય. જુના રોકાણોમાંથી આવક વધતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

મીનઃ
માનસિક શાંતિ જળવાશે. આવકનું પ્રમાણ વધશે. નોકરીમાં ઈન્સેન્ટીવની પ્રાપ્તિ શક્ય બને. ધંધામાં પ્રગતિ થાય. નવા વાહનની ખરદી શક્ય બને. સ્ત્રીવર્ગ તરફથી લાભ મેળવી શકાય. પત્નિને ગળાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

PM મોદીના ‘નાના સિપાહી’ના ખભે મોટી જવાબદારી, કોંગ્રેસનો ગઢ ગણાતી સીટ હાર્દિક પટેલ માટે બનશે મોટી ચેલેન્જ

0

PM Modi’s ‘Nana Sipahi’ has a big responsibility

  • વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ડો. તેજશ્રીબેન દિલીપકુમાર પટેલ ભાજપની ટિકિટ પર મેદાનમાં હતા પરંતુ તેમને કોંગ્રેસના ભરવાડ લાખાભાઈ ભીખાભાઈના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ વખતે ભાજપે હાર્દિક પટેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

ભારતીય જનતા પાર્ટીએ (Bharatiya Janata Party) ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ટિકિટની યાદીમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના (Cricketer Ravindra Jadeja) પત્ની રીવાબા સહિત અનેક ખાસ નામો સામેલ છે. આ વખતે પાટીદાર નેતા હાર્દિક પટેલ (Patidar leader Hardik Patel) પણ ચર્ચામાં છે.

ખાસ વાત એ છે કે પાર્ટીએ વિરમગામ બેઠક પર ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) નાના સિપાઈ’ હાર્દિક પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિરમગામ બેઠક પર ભાજપ 15 વર્ષથી જીતી શક્યું નથી.

ગત ચૂંટણીના પરિણામો :

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ડોક્ટર તેજશ્રીબેન દિલીપકુમાર પટેલ મેદાનમાં ઉતર્યા હતા પરંતુ તેમને કોંગ્રેસના લાખાભાઈ ભીખાભાઈ ભરવાડની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારને 76 હજાર 178 મતો મળ્યા હતા. જ્યારે ભાજપ ઉમેદવારને 69 હજાર 630 મતો મળ્યા હતા.

વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપે પટેલ પ્રાગજીભાઈ નારણભાઈ પર વિશ્વાસ મૂક્યો હતો. તેમને ચૂંટણીમાં 67 હજાર 947 મતો મળ્યા હતા. પરંતુ કોંગ્રેસની ટિકિટ પરથી મેદાનમાં ઉતરેલા પટેલ તેજશ્રીબેન દિલીપકુમારે 84 હજાર 930 મતો મેળવીને બેઠક જીતી હતી.

જુઓ હાર્દિક પટેલની કેવી રહી છે રાજકીય સફર ?

  • હાર્દિક પટેલ ગુજરાતના યુવા પાટીદાર નેતા છે
  • હાર્દિક પટેલ PAASના સ્થાપક અને સંયોજક છે
  • હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હતા
  • વીસનગરમાં 2015માં યોજાયેલી રેલીથી હાર્દિક પટેલ લોકપ્રિય થયા
  • હાર્દિક પટેલે 25 ઓગસ્ટે 2015ના અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં અનામતની માગણી સાથે જાહેર રેલી યોજી હતી
  • અમદાવાદના GMDC ગ્રાઉન્ડની રેલી બાદ હાર્દિકનું નામ દેશભરમાં જાણીતું થયું હતું
  • GMDCની રેલી બાદ રાજ્યભરમાં મોટાપાયે તોફાનો થયા હતા
  • આ તોફાનોમાં 14 પાટીદાર યુવાનોના મૃત્યુ થયા હતા
  • હાર્દિક પટેલ સામે રાજ્યભરમાં 56 FIR નોંધાઇ હતી
  • હાર્દિક પટેલ તડીપારીના આદેશને લીધે છ મહિના રાજસ્થાનમાં રહ્યા હતા
  • હાર્દિક પટેલ નવ મહિના સુધી રાજદ્રોહના કેસમાં જેલમાં રહ્યા હતા
  • હાર્દિક પટેલને રાજદ્રોહના આરોપસર સુરતના લાજપોર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા
  • આનંદીબહેન પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજીનામું અપાવવામાં હાર્દિક પટેલે મોટો ભાગ ભજવ્યો હતો
  • 2019માં લોકસભાની ચૂંટણી પહેલાં ગાંધીનગરમાં એક રેલી દરમિયાન હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા
  • કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા
  • બાદમાં છેલ્લાં કેટલાંય સમયથી નારાજ ચાલી રહેલા હાર્દિકે 18 મે 2022ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.
  • 02 જૂન 2022ના રોજ કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા.

આ પણ વાંચો :-

 

મોરબી પુલ દુર્ઘટના દરમિયાન નદીમાં કૂદીને ‘મસીહા’ બનેલા પૂર્વ MLAને ભાજપે ટિકિટ આપી

0

BJP gave ticket to former MLA who

  • તાજેતરમાં મોરબી પુલ દુર્ઘટના વખતે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા માત્ર ટ્યૂબ પહેરીને પાણીમાં કૂદ્યા હતા. તેમણે અનેક લોકોની જિંદગી બચાવી હતી.

ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) મોરબીના (Morbi) પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને (Former MLA Kantilal Amritia) આ વખતે ચૂંટણીમાં મોટો ફાયદો થયો છે. ભાજપે મોરબી દુર્ઘટના (Morbi Accident) બની ત્યારે નદીમાં કૂદીને અનેક લોકોની જિંદગી બચાવનાર નેતાને વિધાનસભાની ટિકિટ આપી છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં મોરબી પુલ દુર્ઘટના વખતે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા માત્ર ટ્યૂબ પહેરીને પાણીમાં કૂદ્યા હતા. તેમણે અનેક લોકોની જિંદગી બચાવી હતી. એવું કહેવામાં આવે છે કે પહેલા તેઓ ટિકીટની યાદીમાં નહોતા પરંતુ આ સાહસ કર્યા બાદ તેઓને બીજેપીએ ટિકીટ આપી છે.

મોડી રાત સુધી ચાલેલી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 160 જેટલા નામોને મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 182 સીટોવાળી વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે 8 ડિસેમ્બરે પરિણામો જાહેર કરવામાં આવશે.

ગુજરાતમાં હાલમાં કુલ 4.90 કરોડ મતદારો છે. જેમાંથી 2.53 કરોડ પુરુષ, 2.37 કરોડ મહિલા અને 1,417 ત્રીજા જેન્ડરના મતદારો છે. 3.24 લાખ નવા મતદારો છે. મતદાન માટે કુલ 51,782 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, જેમાં 182 મોડેલ મતદાન મથકો હશે. 50 ટકા મતદાન મથકોનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. 33 મતદાન મથકો પર યુવા મતદાન ટીમો રહેશે.

આ પણ વાંચો :-

ઈન્ડિયન રેલ્વેનો નિયમ : રેલ્વેએ આપી કરોડો મુસાફરોને ભેટ, હવે તમે ટિકિટ વગર પણ ટ્રેનમાં મુસાફરી કરી શકશો, નહીં રોકી શકે TTE !

0

Rule of Indian Railways

  • તમે તહેવાર પછી પરત ફરી રહ્યા છો અને આપણને ટિકિટ નથી મળી રહી તો આ સમાચાર જરુર વાંચજો. તમે ટિકિટ વગર પણ ટ્રેનમાં મુસાફરી કરી શકો છે. આવો જાણીએ રેલ્વેની આ સુવિધા વિશે.

તમે પણ ટ્રેનમાં મુસાફરી (Traveling by train) કરવાના છો અને તમને ટિકિટ (Ticket) નથી મળી રહી? હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમારે ક્યારેય અચાનક મુસાફરી કરવી પડે અને તમારી પાસે ટિકિટ ન હોય તો હવે તમે રિઝર્વેશનના (Reservation) નિયમો વિના મુસાફરી કરી શકો છો.

અગાઉ આવી સ્થિતિમાં તત્કાલ ટિકિટ બુકિંગ (Instant ticket booking) નિયમોનો જ વિકલ્પ હતો. પરંતુ તેમાં પણ ટિકિટ મેળવવા માટે તે જરૂરી નથી. આવી સ્થિતિમાં તમારા માટે રેલવેનો એક ખાસ નિયમ જાણવો ખૂબ જ જરૂરી છે. હવે તમે આ સુવિધા હેઠળ આરક્ષણ વિના મુસાફરી (Travel Without Reservation) કરી શકો છો.

પ્લેટફોર્મ ટિકિટ પર મુસાફરી :

રેલ્વેના નિયમો અનુસાર જો તમારી પાસે રિઝર્વેશન નથી અને તમારે ટ્રેનમાં ક્યાંક જવું છે. તો તમે પ્લેટફોર્મ ટિકિટ લઈને જ ટ્રેનમાં ચઢી શકો છો. તમે ટિકિટ ચેકર પાસે જઈને ખૂબ જ સરળતાથી બનાવેલી ટિકિટ મેળવી શકો છો. આ નિયમ (ભારતીય રેલવે નિયમો) રેલવે દ્વારા જ બનાવવામાં આવ્યો છે.

આ માટે તમારે પ્લેટફોર્મ ટિકિટ લઈને તરત જ TTEનો સંપર્ક કરવો પડશે. પછી TTE તમારા જવાના સ્થળ સુધી ટિકિટ બનાવશે. એટલું જ નહીં તમે TTE ને કાર્ડ પેમેન્ટ પણ કરી શકો છો.

પ્લેટફોર્મ ટિકિટ પેસેન્જરને ટ્રેનમાં ચઢવા માટે હકદાર બનાવે :

પ્લેટફોર્મ ટિકિટ પેસેન્જરને ટ્રેનમાં ચઢવા માટે હકદાર બનાવે છે. આ સાથે મુસાફરે તે જ સ્ટેશનથી ભાડું ચૂકવવું પડશે જ્યાંથી તેણે પ્લેટફોર્મ ટિકિટ લીધી છે. ભાડું વસૂલતી વખતે ડિપાર્ચર સ્ટેશનને પણ એ જ સ્ટેશન ગણવામાં આવશે અને સૌથી મોટી વાત એ છે કે તમારે એ જ ક્લાસનું ભાડું પણ ચૂકવવું પડશે જેમાં તમે મુસાફરી કરી રહ્યા છો.

TTE RAC ટિકિટવાળા યાત્રીએને સીટ આપી શકે :

જો તમારી ટ્રેન કોઈ કારણોવશ છુટી જાય છે તે TTE આગળના બે સ્ટેસન સુધી તમારી સીટને અન્ય કોઈ વ્યક્તિને આપી શકતા નથી. એટલે કે તમે આગળના બે સ્ટેશન પર ટ્રેનથી પહેલા પહોચી તમારી મુસાફરી પૂર્ણ કરી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે બે સ્ટેશન પછી TTE RAC ટિકિટવાળા યાત્રીએને સીટ આપી શકે છે. પરંતું તમારી પાસે બે સ્ટેશનનો વિકલ્પ રહે છે.

આ પણ વાંચો :-

Alto 800 અને Alto K10 માંથી કઈ ખરીદશો ? જાણો કિંમત અને ફીચર્સનું અંતર

Which one to buy between Alto 800 and Alto K10

  • મારૂતિ સુઝુકીની અલ્ટો રેંજમાં બે મોડલ-Alto 800 અને Alto K10 વેચવામાં આવે છે. આ બંનેને લઇને ઘણા લોકો કંફ્યૂઝ હોઇ શકે છે આખરે તેમના માટે બંનેમાંથી કઇ કાર બેસ્ટ રહેશે.

Alto 800 Vs Alto K10 : મારૂતિ સુઝુકીની (Maruti Suzuki) અલ્ટો રેંજમાં બે મોડલ-Alto 800 અને Alto K10 વેચવામાં આવે છે. આ બંનેને લઈને ઘણા લોકો કંફ્યૂઝ હોઈ શકે છે આખરે તેમના માટે બંનેમાંથી કઇ કાર બેસ્ટ રહેશે. એટલા માટે આજે અમે તમને બા બંને કારની તુલના કરવાના છીએ. અમે તેમની કિંમત, ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ વિશે તમને જણાવીશું. જેનાથી તમે પોતે સમજી શકશો કે તમારા માટે કઈ કાર વધુ સારી રહેશે.

Alto 800 અને Alto K10 નું એન્જીન :

Alto 800 માં બીએસ 6 નોર્મ્સવાળું 0.8 લીટર, 3- સીલીન્ડર પેટ્રોલ એન્જીન આવે છે. આ એન્જીન 48 પીએસ પાવર અને 69 એનએમ ટોર્ક જનરેટ કરે છે. તેનું સીએનજી વર્જન પણ આવે છે. સીએનજી મોડ પર આ 41 પીએસ પાવર અને 60 એનએમ ટોર્ક જનરેટ આપે છે. તેમાં 5-સ્પીડ મેનુઅલ ટ્રાંસમિશન (એમટી) મળે છે.

Alto K10 ની વાત કરીએ તો તેમાં 1.0 લીટર પેટ્રોલ એન્જીન આવે છે. આ એન્જીન 67 પીએસ પાવર અને 89 એનએમ ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ (સ્ટાર્ડડ) અને એએમટી ગિયરબોક્સ (ઓપ્શનલ) મળે છે. પરંતુ હાલ સીએનજી વર્જન આવતું નથી.

Alto 800 અને Alto K10 ના ફીચર્સ :

Alto K10 ફીચર્સના મામલે Alto 800 કરતાં આગળ છે. તેમાં અલ્ટો 800 વાળા ફીચર્સ તો મળે જ છે, સાથે જ ઘણા બીજા ફીચર્સ પણ મળે છે, જેમ કે સ્ટીયરિંગ માઉંટેડ કંટ્રોલ્સ, ડિજિટાઇઝ્ડ ઇંસ્ટ્રૂમેંટ ક્લસ્ટર અને પાવર એડજસ્ટેબલ ઓઆરવીએમ્સ વગેરે.

Alto 800 અને Alto K10 ની કિંમત :

Alto 800 ની કિંમત 3.39 લાખ રૂપિયાથી શરૂ થઇને 5.03 લાખ રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) સુધી જાય છે. તો બીજી તરફ Alto K10 ની કિંમત 3.99 લાખ રૂપિયાથી માંડીને 5.84 લાખ રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) સુધી જાય છે.

આ પણ વાંચો :-

Jio Offer : એક વર્ષ સુધી અનલિમિટેડ ડેટા અને કોલિંગની મજા, જિયોની દમદાર ઓફર

0

Jio Offer: Enjoy unlimited data and calling

  • જો તમે દર મહિને તમારા ફોનમાં રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો જિયો તમારા માટે શાનદાર પ્લાન લઈને આવ્યું છે. આ પ્લાન ડેટા કોલિંગની સાથે અન્ય ફાયદાઓ પણ આપવામાં આવી રહ્યાં છે.

દર મહિને પ્રીપેડ પ્લાન રિચાર્જ (Prepaid plan recharge) કરાવવું યૂઝર્સને ખુબ મોંઘુ પડે છે અને સાથે ઘણીવાર રિચાર્જ કરાવવાનું ભૂલાય જાય તો કંપની કોલિંગ અને નેટની (Calling and Net) સુવિધા બંધ કરી દેતી હોય છે. તેવામાં જિયો પોતાના યૂઝર્સને ધ્યાનમાં રાખતા અનેક લાંબી વેલિડિટીના પ્લાન (Plans of Validity) ઓફર કરે છે. આ પ્લાન એક્ટિવ કરાવ્યા બાદ તમારે 365 દિવસ સુધી બીજીવાર રિચાર્જ કરાવવાની જરૂર પડતી નથી.

2545 રૂપિયાનો પ્લાન :

આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ અનલિમિટેડ કોલ, દરરોજ 1.5GB ડેટા અને 100 એસએમએસ મળે છે. એટલું જ નહીં યૂઝર્સને આ પ્લાનમાં તમામ જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી એક વર્ષ એટલે કે 365 દિવસની છે. તેવામાં યૂઝર્સે વારંવાર રિચાર્જ કરાવવાની જરૂર પડતી નથી.

2897 રૂપિયાનો પ્લાન :

આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2જીબી ડેટા આપવામાં આવે છે અને આ સાથે અનલિમિડેટ કોલિંગ અને દરરોજ 100 SMS આપવામાં આવે છે. જેમ અમે તમને જણાવ્યું કે આ પ્લાનની વેલિડિટી એક વર્ષ એટલે કે 365 દિવસની છે. આ પ્લાનમાં પણ જિયો એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી આપવામાં આવે છે.

2,999 રૂપિયાનો પ્લાન 

આ જિયોનો એક વર્ષની વેલિડિટી સાથે આવનાર સૌથી મોંઘો પ્લાન છે. તે માટે તમારે 3000 રૂપિયા ચુકવવા પડે છે. આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 2.5GB ડેટા અને 100 SMS આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી પણ 365 દિવસની છે. આ પ્લાનમાં ગ્રાહકોને કેટલાક ઓટીટી પ્લેટફોર્સનું પણ સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. આ પ્લાન તમારા માટે સારો ઓપ્શન સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો :-

 

 

10 નવેમ્બર 2022 રાશિફળ : 7 રાશિના જાતકો પર વિષ્ણુ ભગવાનની રહેશે અસીમ કૃપા – બની રહ્યો છે પ્રવાસનો યોગ

10 November 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ધારેલું કાર્ય કરી શકાય. આવકમાં વૃદ્ધિ શક્ય બને. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. નવી ઓળખાણ શક્ય બને. સાંસારિક જીવનમાં પ્રેમ વધે.  ધંધામાં નવી તક ખુલતી જણાય.

વૃષભઃ
નવા કપડાં ધારણ કરવાથી નવા સંબંધો વિકસે. કલા કારીગરીમાં પ્રગતિ. આર્થિક સ્થિરતા મળે. ધંધા રોજગારમાં પ્રગતિ થાય. અભિમાન વધે. ભાગ્ય બળવાન થતું જણાય. મિત્રો તરફથી લાભ. ખર્ચમાં ઘટાડો જણાય.

મિથુનઃ
આકસ્મિક ધનહાનિના યોગ બને છે. શેરબજારમાં રોકાણ ટાળું. કોર્ટ-કચેરી સરકારી કામકાજમાં સાવધાની જરૂરી. માનસિક ચિંતા રહે. પરિવારમાં શાંતિ જળવાશે. દુર્વા સાથે રાખવાથી અશુભતા દૂર થશે.

કર્કઃ
દિવસ દરમિયાન મન પ્રફુલ્લિત રહેશે. આવકનું પ્રમાણ વધતું જણાશે. ભાઈ બહેન પરિવારના સભ્યો સાથે મનમેળ રહેશે. માતૃસુખ સારું. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનો તરફથી થોડી ચિંતા રહે. આરોગ્ય સારું રહેશે..

સિંહઃ
અભિમાનમાં વધારો થાય. સિદ્ધાંતવાદી વલણ રહે. ભાઈબહેન પરિવારના સભ્યો તરફથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. યોગ્ય રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થાય.

કન્યાઃ
‌દિવસ દરમિયાન ભાગ્ય સાથ આપતું જણાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય. સાહિત્યનો શોખ વધે. વાણી થકી નવા સંબંધો બને. માતાની ત‌બિયતની કાળજી જરૂરી. સંતાન કહ્યું કરે. સ્વાસ્થ્ય જળવાય.

તુલાઃ
સફળતા માટે સંઘર્ષ કરવો જરૂરી બનશે. લાંચ રુશ્વતs લવાથી દૂર રહેવું. અન્યથા પકડાઈ જવાશે. લીવર નબળું રહે. પાચનશક્તિ મંદ પડે. પ્રવાસ-યાત્રા શક્ય બને. આવક વધતી જણાય.

વૃશ્ચિકઃ
વિવેકપૂર્ણ, મીઠીવાણી રહેશે. અત્તર-પરફ્યુમની ખરીદી શક્ય બને. મનમાં અનિશ્ચિતતા રહે. અભિમાન. ઘમંડ વધે. સ્ત્રીવર્ગ સાથે કાર્ય કરવાની ઈચ્છા વધારે થાય. જીવનસાથી સાથે પ્રેમમાં વધારો થાય.

ધનઃ
મન ઉપર ખોટા-નકાતારાત્મક વિચારો હાવી થાય. પરિવારમાં શાંતિ-સ્નેહ જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. શરદી-ખાંસી રહે. દિવસ દરમિયાન થાકનો અનુભવ થાય. ભાગ્યનો સાથ છુટતો જણાય.

મકરઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. થોડી ઉદાસીનતા જણાય. આર્થિક બાબતોથી લાભ. કુટુંબમાં મતભેદ થવાની શક્યતા છે. સંતાન તરફથી સારા સમાચાર મળે, જો આપ પ્રેમસંબંધમાં હો તો પ્રેમનો એકરાર શક્ય બને.

કુંભઃ
‌નિર્ણયશક્તિ વધતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સુખ-શાંતિ-આનંદનો અનુભવ થાય. પતિપત્નીના સંબંધોમાં મધુરતા જણાય. ઉધાર-ઉછીના નાણાં આપવાનું ટાળવું. અન્યથા નાણાં ફસાઈ જાય.

મીનઃ
પરિવાર સાથે જલસો. મનની ઉચ્ચ કોટિની ભાવના પેદા થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. સાંધાનો દુઃખાવો રહે. બહેનો એ સ્ત્રીરોગોથી સાચવવું. આકસ્મિક ધનલાભના યોગ બને છે.

આ પણ વાંચો :-

ગુજરાત કોંગ્રેસમાં કયા સિનિયર નેતાઓને ચૂંટણી લડવાના અભરખા જાગ્યા ? કોણ ક્યાંથી લડી શકે છે ચૂંટણી ?

0

Which senior leaders in Gujarat Congress

  • કોંગ્રેસમાં ખેડબ્રહ્મા બેઠક પરથી તુષાર ચૌધરી ચુટણી લડવા તૈયાર થયા છે. પાલનપુરના વર્તમાન ધારાસભ્યની ટીકીટ કપાઇ શકે છે. તેમના સ્થાને રવિરાજ ગઢવીને ઉમેદવાર બનાવવાનું આયોજન કોંગ્રેસ કરી રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) કેટલાક સિનિયર નેતાઓેને (Senior Leaders) ચુંટણી લડવાના અભરખા જાગ્યા છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલકી પેટલાદ બેઠક પરથી ચુટંણી લડવા તત્પર થયા છે. જો ભરતસિંહને (Bharat Singh) ટિકિટ મળે તો વર્તમાન ધારાસભ્ય નિરંજન પટેલની (Niranjan Patel) ટિકિટ કપાઇ શકે છે.

એવી જ રીતે કોંગ્રેસમાં ખેડબ્રહ્મા બેઠક પરથી તુષાર ચૌધરી ચુટણી લડવા તૈયાર થયા છે. પાલનપુરના વર્તમાન ધારાસભ્યની ટીકીટ કપાઇ શકે છે. તેમના સ્થાને રવિરાજ ગઢવીને ઉમેદવાર બનાવવાનું આયોજન કોંગ્રેસ કરી રહી છે. મહેન્દ્રસિંહ વાઘેલાના કોંગ્રેસ પ્રવેશ બાદ કેટલીક બેઠકના ગણિત બદલાયા છે. કોંગ્રેસ મહેન્દ્ર સિંહને બાયડ, કપડવંજ કે દેહગામથી ચુંટણી મેદાનમાં ઉતારી શકે છે. મહેન્દ્ર સિંહ બાયડ– કપટવંજ પર કોંગ્રેસના સીટીગ ધારાસભ્ય છે.

મહત્વનું છે કે કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં સત્તાથી દૂર છે એટલે કોંગ્રેસ આ વખતે ગમે તેમ કરીને એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસે આ વખતે ચૂંટણીમાં એવી રણનીતિ બનાવી હતી કે તેઓ પાર્ટીના જૂના દિગ્ગજ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારશે. જેના ભાગરૂપે કોંગ્રેસ નેતા ભરતસિંહ ચૂંટણી ચૂંટણી લડે એવી શક્યતા દેખાઈ રહી છે. બીજી બાજુ કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ પણ ચૂંટણી લડવા માટે તૈયારી દર્શાવી છે.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ પેટલાદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો દાવો કર્યો છે. પરંતુ હાલ આણંદ જિલ્લાની પેટલાદ બેઠક પર નિરંજન પટેલ સીટિંગ ધારાસભ્ય છે.

આ પણ વાંચો :- 

ગુજરાત AAPના સ્ટાર પ્રચારકની યાદી જાહેર- આ દિગ્ગજ ક્રિકેટર સહિત આ લોકોનાં નામનો સમાવેશ થયો

0

List of Gujarat AAP’s Star Pracharak announced

  • 20 નેતાઓની આ સૂચીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે જ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સાંસદ સંજય સિંહ અને રાઘવ ચડ્ડાનું નામ પણ સામેલ છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) પોતાના સ્ટાર પ્રચારકોની સૂચી જાહેર કરી દીધી છે. 20 નેતાઓની આ સૂચીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi Chief Minister Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Chief Minister Bhagwant Mann) સાથે જ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia), સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઠ્ઠાનું નામ પણ સામેલ છે.

ભગવંત માન સાથે જ પાર્ટીએ ગુજરાત ચૂંટણી પ્રચારમાં દિલ્હી સાથે જ પંજાબના નેતાઓ પર પણ વિશ્વાસ બતાવ્યો છે. પાર્ટીએ સ્ટાર પ્રચારક તરીકે બે મહિલા નેતાઓને પણ સામેલ કર્યા છે.

આ સાથે જ સ્ટાર પ્રચારકોની સૂચીમાં પૂર્વ ક્રિકેટર અને પંજાબથી રાજ્યસભાના સંસદ સભ્ય હરભજન સિંઘને પણ ગુજરાતમાં પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ઉમેદવાર ઈસુદાન ગઢવી પણ સ્ટાર પ્રચારકોની સૂચીમાં છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ઉપરાંત મનોજ સોરઠિયા, અલ્પેશ કથિરિયા અને યુવરાજસિંહ જાડેજાને પણ સ્ટાર પ્રચારકોમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ સાથે જ આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચારના સ્ટાર પ્રચારકોમાં પંજાબ સરકારની બે મહિલા મંત્રી બલજિંદર કૌર અને અનમોલ ગગન માનનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત સ્ટાર પ્રચારકોમાં જગમલ વાળા, રાજૂ સોલંકી, પ્રવીણ રામ, ગૌરી દેસાઈ, મથુર બલદાણિયા , અજીત લોકિલ, રાકેશ હીરપરાને પણ સામેલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

5G વાપરવા માટે લેવું પડશે નવું સીમ ? Reliance Jio એ આપી જાણકારી

Need to get a new SIM to use 5G

  • 5Gની શરૂઆતથી જ લોકોના મનમાં એક પ્રશ્ન છે કે શું તેમને 5G સિમ કાર્ડની પણ જરૂર પડશે. હવે કંપનીએ આ જાણકારી આપી છે.

રિલાયન્સ જીઓ દ્વારા Jio True 5G સેવા શરૂ કરવામાં આવી છે. કંપનીએ તેની સેવાને ઘણા શહેરોમાં જીવંત કરી છે. જો કે 5G સેવા હજુ સુધી અહીંના તમામ વપરાશકર્તાઓ સુધી પહોંચી નથી. Jioએ દશેરાના અવસર પર ચાર શહેરોમાં તેની 5G સેવા શરૂ કરી છે. બાદમાં કંપનીએ તેને વધુ બે શહેરોમાં વિસ્તરણ કર્યું છે. તેમાં 5G સેવા છે અને અન્ય 5G આધારિત Wi-Fi ફીચર્ડ છે.

કંપનીએ આપી જાણકારી :

5Gની શરૂઆતથી જ લોકોના મનમાં એક પ્રશ્ન છે કે શું તેમને 5G સિમ કાર્ડની પણ જરૂર પડશે. હવે કંપનીએ આ જાણકારી આપી છે. એટલે કે Jio એ જણાવ્યું છે કે તમારે Jio True 5G માટે નવા સિમ કાર્ડની જરૂર પડશે કે નહીં.

શું તમારે 5G સિમની જરૂર છે?

Jio એ પોતાના ઓફિશિયલ ટવિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું છે. આ ટવિટ અનુસાર, તમારું Jio સિમ 5G તૈયાર છે. તમારા માતા-પિતા અને મિત્રો પાસે સિમ 5G તૈયાર છે.

એટલે કે Jio યુઝર્સને નવું સિમ કાર્ડ લેવાની જરૂર નથી. તેના બદલે 5G સેવા તેમના હાલના સિમ કાર્ડ પર જ ઉપલબ્ધ થશે. આ સિમ કાર્ડ 5G તૈયાર છે.

કયા શહેરોમાં Jio 5G સેવા મળી રહી છે? 

જિયોએ શરૂઆતમાં તેની 5G સેવા ચાર શહેરોમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીમાં શરૂ કરી હતી. જો કે થોડા દિવસો પછી તે અન્ય બે શહેરોમાં વિસ્તરણ કરવામાં આવ્યું હતું. તમે ચેન્નાઈમાં પણ Jio 5G સેવાનો ઉપયોગ કરી શકશો. તે જ સમયે રાજસ્થાનના નાથદ્વારામાં કંપનીએ Jio 5G પર આધારિત Wi-Fi સેવા શરૂ કરી છે.

આ પણ વાંચો :-