Home Blog Page 1257

ગુજરાતની આ બેઠક પર જંગ બની રોચક : બે સગા ભાઈઓ સામસામે જયારે એક ગુજરાત સરકારમાં રહી ચૂક્યા છે મંત્રી

0

A war has become interesting on this seat of

  • ભારતીય જનતા પાર્ટીએ અંકલેશ્વરથી પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલને ટિકિટ આપી છે. જ્યારે આ બેઠક પર જ કોંગ્રેસે ઇશ્વરસિંહ પટેલના સગા ભાઈ વિજયસિંહને મેદાનમાં ઉતારતા અંકલેશ્વર બેઠક પર જંગ રોચક બની છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી છે. ત્યારે ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પક્ષો તનતોડ મહેનત કરી રહ્યા છે. મતદારને આકર્ષવા માટે અવનવા પેતરા અજમાવી રહ્યા છે. ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા એકસાથે 160 ઉમેદવારોના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે.

પાર્ટીએ અંકલેશ્વરથી (Ankleshwar) પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલને (Former Minister Ishwar Singh Patel) ટિકિટ આપી છે. જ્યારે આ બેઠક પર જ કોંગ્રેસે (Congress) ઇશ્વરસિંહ પટેલના સગા ભાઈ વિજયસિંહને (વિજયસિંહ) મેદાનમાં ઉતારતા અંકલેશ્વર બેઠક પર જંગ રોચક બની છે. આ ચૂંટણીમાં ભરૂચની (Bharuch) અંકલેશ્વર બેઠક પર બે સગા ભાઈ વચ્ચે મુકાબલો જોવા મળશે.

અંકલેશ્વર બેઠક પર બે સગા ભાઈ વચ્ચે જોવા મળશે મુકાબલો :

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ બાદ ભાજપે ગતરોજ 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે અંકલેશ્વર બેઠક પરથી ઈશ્વરસિંહ પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર તરીકે ઈશ્વરસિંહ પટેલને પાંચમી વખત રિપીટ કરવામા આવ્યા છે.

ઈશ્વરસિંહ પટેલ ગુજરાત સરકારમાં સહકાર અને વાહનવ્યવહાર મંત્રી રહી ચૂક્યા છે. તો કોંગ્રેસે પણ ઈશ્વરસિંહ પટેલના સગાભાઈ વિજયસિંહ પટેલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે અંકલેશ્વર બેઠક પર બે સગા ભાઈ વચ્ચે મુકાબલો જોવા મળશે.

છેલ્લી 4 ટર્મથી ઈશ્વર પટેલ ધારાસભ્ય :

ગત વિધાનસભાની ચૂંટણીમાં અંકલેશ્વર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલનો વિજય થયો અને કોંગ્રેસના અનિલકુમાર છીતુભાઈ ભગતની હાર થઈ હતી.

આ પણ વાંચો :-

રિયલ એસ્ટેટમાં ધમાલ મચાવશે મુકેશ અંબાણી ! અહીં બનશે વર્લ્ડ ક્લાસ સ્માર્ટ સિટી

0

Mukesh Ambani will create a stir in real estate

  • રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું કે તેની સંપૂર્ણ માલિકીવાળી એકમ મોડલ ઇકોનોમિક ટાઉનશિપ લિમિટેડ (MET City) ગુરૂગ્રામ પાસે એક વર્લ્ડ ક્લાસ સ્માર્ટ સિટી ડેવલોપ કરી રહી છે.

રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની એક સહયોગી ગુરૂગ્રામથી (Gurugram) અડીને આવેલા વિસ્તારમાં સ્માર્ટ સિટી ડેવલોપ કરી રહી છે. તેમાં જાપાની કંપનીઓ (Japanese company) પણ સામેલ રહેશે. રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ તરફથી નિવેદન જાહેર કરી કહેવામાં આવ્યું છે કે તેની માલિકીવાળી મોડલ ઇકોનોમિક ટાઉનશિપ લિમિટેડ  (Model Economic Township Ltd.) (MET City) ગુરૂગ્રામ પાસે એક વર્લ્ડ ક્લાસ સ્માર્ટ સિટી ડેવલોપ કરી રહી છે.

જાપાનની ચાર દિગ્ગજ કંપનીઓ હાજર :

આરઆઇએલએ જણાવ્યું કે તેને ‘મેટ સિટી‘નું નામ આપવામાં આવ્યું છે. કંપનીના અનુસાર આ સ્માર્ટ સિટી એક એકિકૃત ઔદ્યોગિક શહેર હશે જેમાં જાપાનની ચાર દિગ્ગજ કંપનીઓ હાજર હશે. તેમાંથી એક જાપાની કંપની નિહોન કોડેને પોતાના ફાળવેલ પ્લોટ પર તાજેતરમાં ભૂમિપૂજન સમારોહ કર્યો છે. નિહોન ઉપરાંત મેટ સિટીમાં પેનાસોનિક, ડેંસો અને ટી-સુઝુકી પણ હાજર રહેશે.

8,000 એકરથી વધુ ક્ષેત્રમાં થઇ રહ્યો છે વિકાસ :

મેટ સિટીના મુખ્ય કાર્યકારી અધિકારી એસવી ગોયલે કહ્યું કે આ ઉત્તર ભારતની સૌથી ઝડપથી વધતી સ્માર્ટ સિટી છે. તેમાં 400થી વધુ ઔદ્યોગિક ગ્રાહકો સાથે વિશ્વસ્તરીય માળખું હશે. તેનો વિકાસ ગુરૂગ્રામથી અડીને આવેલા ઝઝરમાં 8,000 એકરથી વધુ ક્ષેત્રમાં કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :-

અમદાવાદમાં ચૂંટણી પ્રચારમાં ગયેલા MLAનો પબ્લિકે ઊધડો લીધો, કહ્યું- 5 વર્ષમાં ક્યારેય દેખાયા નથી

0

The MLA who went for election campaign in Ahmedabad

  • ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. જોકે ઘણી જગ્યાએ ધારાસભ્યો માત્ર મત માગવા આવે ત્યારે જ દેખાતા હોવાથી સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરાતો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ વચ્ચે અમદાવાદમાં પણ કોંગ્રેસના ધારાસભ્યને આવો જ કડવો અનુભવ થયો છે.

દાણીલિમડાના ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં પહોંચ્યા હતા :

કોંગ્રેસના (Congress) દાણીલીમડા મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ પરમાર (MLA Shailesh Parmar) પોતાના મત ક્ષેત્રમાં મત માગવા માટે પહોંચ્યા હતા. આ માટે દાણીલીમડા કોંગ્રેસના કાર્યકર્તાનું (Congress Worker) સંમેલન યોજ્યું હતું. જેમાં સ્થાનિક લોકોએ જ ધારાસભ્યનો જાહેરમાં વિરોધ કર્યો હતો. સાથે જ આક્ષેપ કર્યો હતો કે ધારાસભ્ય છેલ્લા પાંચ વર્ષમાં દેખાયા જ નથી.

સ્થાનિકે સ્ટેજ પર જ ધારાસભ્યને કર્યા સવાલ :

સ્ટેજ પર જ એક સ્થાનિક વ્યક્તિ ધારાસભ્ય સામે ઊભા રહીને સવાલ પૂછે છે કે, 5 વર્ષ થઈ ગયા શૈલેષ ભાઈ, ક્યારેય કોઈ રાઉન્ડ લીધો હોય અથવા પ્રજાની વચ્ચે આવ્યા હોય આવું કંઈ કામ કર્યું હોય તો હું શૈલેષભાઈને સવાલ કરું છું. ઘણા લોકોને ખોટું લાગશે કે રીઝવાનભાઈ સ્ટેજ પર આવીને આવું કેમ બોલી રહ્યા છે.મેં પાંચ વર્ષ પહેલા પણ શૈલેષભાઈનો વિરોધ કર્યો હતો. પરંતુ તેમણે વચન આપ્યા હતા. તેમાંથી એકપણ વાયદો પૂરો કર્યો નથી.

ઉલ્લેખનીય છે કે નેતાજી ચૂંટણી ટાણે તો પ્રજાને જાત જાતના વચનો અને વાયદાઓ કરતા હોય છે, ક્યારેક મતદારોના ઘરે જઈને જમશે. ક્યારેક તેમના હાથે પાણી પીશે. પરંતુ ચૂંટણી પૂરી થતા જ જાણે તેમની ગરજ પૂરી થઈ ગઈ હોય તેમ પછી મોઢું બતાવવા પણ ફરકતા નથી. ત્યારે હવે લોકો પણ નેતાઓને સવાલ પૂછતા થયા હોય તેમ લાગી રહ્યું છે.

આ પણ વાંચો :-

AAPના CM પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી, ભાજપનાં ઉમેદવારો વચ્ચે થશે કાંટે કી ટક્કર

0

AAP’s CM candidate Yesudan Gadhvi may

  • આમ આદમી પાર્ટીએ ગુજરાતના મુખ્યમંત્રી પદ માટે જાહેર કરેલા CM પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી દ્રારકાથી ચૂંટણી લડશે એવાં સમાચાર સામે આવી રહ્યાં છે.

વિધાનસભા ચૂંટણીને લઇ ગુજરાતના રાજકારણને લઇ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા CM ઉમેદવાર ઈસુદાન ગઢવી (Isudan gadhvi) દ્રારકાથી ચૂંટણી લડશે. મહત્વનું છે કે તેઓને આમ આદમી પાર્ટીએ ગુજરાત AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ગુજરાતના CM પદના ચહેરા પર અંતિમ મહોર મારી છે.

AAPના સર્વેમાં ઈસુદાન ગઢવીની તરફેણમાં દ્વારકાના સમીકરણો :

તમને જણાવી દઇએ કે AAP દ્વારા ઈસુદાન માટે દ્વારકા અને ખંભાળિયા બેઠક પર સર્વે કરાયો છે. આ સર્વેમાં ઈસુદાન ગઢવીની તરફેણમાં દ્વારકાના સમીકરણો જોવા મળી રહ્યાં છે. આ દ્વારકા બેઠક પરથી ભાજપે પબુભા માણેકને ઉતાર્યા છે.

જ્યારે કોંગ્રેસ મુળુ કંડોરિયાને ટિકિટ આપી શકે છે. ત્યારે એમ કહી શકાય કે દ્રારકા બેઠક પર આ વર્ષે કાંટે કી ટક્કર થઇ શકે છે. જો કે દ્વારકા વિધાનસભા પર કોંગ્રેસ હજુ વેઈટ એન્ડ વોચની ભૂમિકામાં જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો :-

Currency Note : શું તમારી પાસે પણ છે 2000 રૂપિયાની નોટ ? RBI એ આપી મહત્વની જાણકારી. ખાસ જાણો

0

Currency Note: Do you also have a 2000 rupee note

  • 2000 રૂપિયાની નોટ અંગે મોટી જાણકારી સામે આવી રહી છે. 6 વર્ષ પહેલા થયેલી નોટબંધી બાદ દેશભરમાં ઘણું બદલાઈ ગયું છે. દેશભરમાં ડિજિટલ પેમેન્ટ ઝડપથી વધી રહ્યું છે. આ બધા વચ્ચે 2000 રૂપિયાની નોટને લઈને મોટું અપડેટ સામે આવી રહ્યું છે.

2000 રૂપિયાની નોટ અંગે મોટી જાણકારી સામે આવી રહી છે. 6 વર્ષ પહેલા થયેલી નોટબંધી (Demonetization) બાદ દેશભરમાં ઘણું બદલાઈ ગયું છે. દેશભરમાં ડિજિટલ પેમેન્ટ (Digital Payment) ઝડપથી વધી રહ્યું છે. આ બધા વચ્ચે 2000 રૂપિયાની નોટને લઈને મોટું અપડેટ સામે આવી રહ્યું છે કે માર્કેટમાં આ નોટ ખુબ ઓછી જોવા મળી રહી છે જેને લઈને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India) તરફથી મહત્વની જાણકારી આપવામાં આવી છે.

અત્રે જણાવવાનું કે છેલ્લા 3 વર્ષથી 2000 રૂપિયાની એક પણ નોટ  છાપવામાં આવી નથી. આવામાં આ નોટ સર્ક્યુલેશનમાં નહિવત છે. આરટીઆઈ મુજબ વર્ષ 2019-20, 2020-21, 2021-22 દરમિયાન 2000 રૂપિયાની કોઈ પણ નવી નોટ છાપવામાં આવી નથી.

આરબીઆઈ બહાર પાડે છે નોટ :

રિઝર્વ  બેંક તરફથી હાલ બજારમાં 2 રૂપિયા, 5 રૂપિયા, 10, 20, 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવેલી છે. પીએમ મોદીએ 8 નવેમ્બેર 2016ના રોજ 500 અને 1000 રૂપિયાની નોટ ચલણમાંથી રદ કરી હતી. ત્યરાબાદ 2000 રૂપિયાની અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવી હતી.

નવી નોટો બહાર પાડવાનો હેતુ એ હતો કે જલદી દેશભરમાં નવી નોટ ફેલાવવામાં આવે. પરંતુ હવે હાલના સમયમાં માર્કેટમાં 2000 રૂપિયાની નોટ ખુબ ઓછી જોવા મળી રહી છે. આરબીઆઈ તરફથી મળેલી જાણકારી મુજબ 31 માર્ચ 2022 સુધીમાં દેશભરમાં સર્ક્યુલેશનમાં 2000 રૂપિયાની નોટોની ભાગીદારી ફક્ત 13.8 ટકા રહી ગઈ છે.

આ પણ વાંચો :-

વિસનગર સીટ પર જામશે ત્રિપાંખિયો જંગ, વિપુલ ચૌધરી આપમાં જોડાશે, ઋષિકેશ પટેલ સામે ટકરાશે

0

Tripankhio Jung to contest Visnagar seat

  • મહેસાણાના રાજકારણમાં મોટી હલચલ થશે. અર્બુદા સેનાના વિપુલ ચૌધરી આપમાં જોડાશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) રાજ્યમાં જોરદાર પ્રચાર પ્રસાર કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી દૂધસાગર ડેરી સાગર દાણ કૌભાંડ (Dudhsagar Dairy Sagar Dan Scam) મામલે વિપુલ ચૌધરી (Vipul Chaudhary) કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે. આગામી 15 તારીખે અર્બુદા સેનાનું (Arbuda Army) ચરાડા ગામ ખાતે મહા સંમેલન યોજાવાનું છે.

જેમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે. આગામી 15 નવેમ્બરના રોજ અર્બુદા સેના ના અધ્યક્ષ વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે. આપમાં જોડાયા બાદ તેઓ વિસનગરમાં ચૂંટણી લડી શકે છે. જો આવું થયુ તો તેઓ ઋષિકેષ પટેલની સામે ટકરાશે.

મહેસાણા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રી રાજુભાઇ ચૌધરીએ મહત્વનું નિવેદન આપ્યું કે આગામી 15 નવેમ્બરના રોજ અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે. 15 તારીખે ગાંધીનગરના ચરાડામાં અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાનાર છે. આ સંમેલનમાં અર્બુદા સેના પોતાનું રાજકીય સ્ટેન્ડ નક્કી કરશે.

ઋષિકેશ પટેલને ટિકિટ આપતા વિપુલ ચૌધરી આપમાં જોડાઈ વિસનગરથી ચૂંટણી લડશે તેવુ અર્બુદા સેના દ્વારા જાહેરાત કરાશે. આમ વિસનગર સીટ પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ રમાશે. વિસનગરમાં ઋષિકેશ પટેલ સામે વિપુલ ચૌધરી ટકરાશે.

જેલમાંથી વિપુલ ચૌધરી ચૂંટણી લડશે :

અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રી રાજુભાઈ ચૌધરીએ જણાવ્યું કે સરકારે અમારી માંગણી સ્વીકારી નથી. અમારા નેતાને જેલમાં મોકલ્યા, ભલે જેલવાસ પણ વિસનગરમાં ઋષિકેશ પટેલ સામે ચૂંટણી લડશે. અર્બુદા સેનાના કાર્યકર્તાઓએ અપીલ કરી કે તેઓ આપમાંથી ચૂંટણી લડશે. આગામી 15 તારીખે મોટું સ્નેહમિલન થશે.

જેમાં વિપુલ ચૌધરીને સમર્થન અપાશે. ઉલ્લેખનીય છે કે ભારતના ઈતિહાસમાં અનેક એવા ઉદાહરણો છે કે અનેક નેતાઓ જેલમાંથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. આવીતકાલે વિપુલ ચૌધરીની કોર્ટમાં મુદત છે. તેથી જામીન મળે તેવી આશા અર્બુદા સેનાના કાર્યકર્તાઓ વ્યક્ત કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને જ્યારે અર્બુદા સેના અને વિપુલ ચૌધરી વિશે પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે વિપુલ ચૌધરી ઉત્તર ગુજરાતમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. તેઓએ પશુપાલકો માટે ઘણા સારા કામ કર્યા છે એટલે સ્વાભાવિક છે કે વિપુલ ચૌધરી જેવા વ્યક્તિને ચૂંટણી લડવા માટે ટિકીટ આપવી જોઈએ. ગોપાલ ઇટાલિયાએ પણ અર્બુદા સેના અને વિપુલ ચૌધરીને આમ આદમી પાર્ટીમાં આવકારવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

ભાજપે યુવા ચહેરો ડો.પાયલને મેદાને ઉતાર્યા, રશિયાથી ડિગ્રી લઈને આવેલ ડોક્ટર પાર્ટીના સૌથી નાની વયના ઉમેદવાર

0

The BJP fielded a young face Dr. Payal

  • બલરામ થવાણીની ટિકિટ કાપીને ભાજપે 30 વર્ષીય યુવા ડોક્ટરને ટિકિટ આપી, જાણો કેમ

અમદાવાદની (Ahmedabad) નરોડા બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય બલરામ થવાણીની (MLA Balram Thwani) ટિકિટ કાપવામાં આવી છે, તેમના સ્થાને પાયલ કુકરાણીને (Payal Kukrani) ટિકિટ મળી છે. દિગ્ગજ નેતા બલરામ થવાણીની ટિકિટ કાપીને ભાજપે યુવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા. ડો.પાયલ કુકરાણી માત્ર 30 વર્ષના છે. સિંધી સમાજમાંથી (Sindhi society) આવતા પાયલ કુકરાણી આખરે કેવી રીતે ભાજપમાંથી ટિકિટ મેળવવા સફળ રહ્યાં.

સૌથી નાની ઉંમરના ભાજપના ઉમેદવાર :

ભાજપે 30 વર્ષીય ડો.પાયલ કુકરાણીને નરોડા બેઠકથી ટિકિટ આપી છે. ડો.પાયલ અસારવા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તેમણે રશિયામાંથી એમડી મેડિસિનની ડિગ્રી લીધેલી છે. જોકે, ડો.પાયલ પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. જો કે તેઓ પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડશે. ડો.પાયલના માતા રેશમા કુકરાણી અમદાવાદના સૈજપુર બોઘા વોર્ડના કોર્પોરેટર છે. જો કે તેમના પિતા મનોજ કુકરાણી નરોડા પાટિયા હત્યાકાંડમાં આજીવન કેદની સજા મેળવી ચૂક્યા છે.

જો કે પાયલ કુકરાણીની જાહેરાત થતા બાદ નરોડા બેઠક પર નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ પોતાન ટિકિટ મળતા ડો.પાયલે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે મારા માતાપિતા વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા છે. મારા માતા પિતાનો અનુભવ મને કામ આવશે. બધાની સાથે લઈને આગળ વધીશું.

પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડશે  :

ભાજપે જે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, તેમાં 14 ઉમેદવારોને ટિકિટ આપી છે. જેમાંથી 9 મહિલા ઉમેદવારો એવી છે. જે પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. જિજ્ઞા પંડ્યા, ડો.દર્શિતા શાહ, ભાનુબેન બાબરીયા, રીવાબા જાડેજા, દર્શના વસાવા, ભીખીબેન પરમાર, પાયલ કુકરાણી, કંચન રાદડિયા અને દર્શનાબેન વાઘેલા પહેલીવાર ચૂંટણી લડવાના છે.

આ પણ વાંચો :-

વિધાનસભાની પ્રથમ ચરણની ભાજપની 5 બેઠકોનું કોકડું કેમ ગૂંચવાયું, જાણો અંદરની વાત

0

Why the BJP’s 5 seats in the first phase

  • વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે ભાજપે 84 ઉમેદવારોના નામ જાહેર કર્યા… સુરત ચૌર્યાસી, ધોરાજી અને ખંભાળિયા સહિત 5 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી…

ગુજરાત ભાજપના (Gujarat BJP) ઉમેદવારોની યાદી આજે જાહેર કરવામાં આવી છે. ભાજપે કુલ 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ગુજરાત વિધાનસભાની 182 સીટ છે. જે પૈકી ભાજપે હજુ 22 ઉમેદવારો જાહેર કર્યા નથી. પ્રથમ તબક્કાના 84 ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે, જેમાં 5 બેઠકો પર નામ જાહેર કરવાના હજી બાકી છે. સુરત ચૌર્યાસી, ધોરાજી, ભાવનગર પૂર્વ (Bhavnagar East) અને ખંભાળિયા સહિત 5 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. ત્યારે કહેવાય છે કે આ પાંચેય બેઠક પર કોકડુ ગૂંચવાયું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે. પહેલા ચરણમાં 89 બેઠકો પર મતદાન થવાનું છે. આજે 10 નવેમ્બર થઈ ગઈ. ભાજપે 89 માંથી 84 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. હજી 5 બેઠકોના નામ હજી જાહેર થયા નથી. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપની બીજી યાદી આવતીકાલે આવી શકે છે.

પ્રથમ તબક્કાના 5 ઉમેદવારોના નામ હજુ જાહેર થવાના બાકી છે. પરંતુ ભાજપે કેમ 5 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત બાકી રાખી તે મોટો સવાલ છે. કહેવાય છે કે, આ બેઠકો પર ઉમેદવારોના નામમાં ભારે મૂંઝવણ છે. પાર્ટી હાઈકમાન્ડ નામ પર અંતિમ મહોર મારી શકી નથી. ત્યારે 5 બેઠકો બાકી રાખવાથી અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.

પ્રથમ તબક્કાની 5 સીટના ભાજપના ઉમેદવાર બાકી  :

આ 5 બેઠકો પર હાલ MLA કોણ ?

ક્રમ    સીટનો ક્રમ        બેઠક           જિલ્લો        હાલના ધારાસભ્ય        પાર્ટી

1.     75                ધોરાજી        રાજકોટ        લલીત વસોયા          કૉંગ્રેસ
2.     81               ખંભાળિયા      દ્વારકા         વિક્રમ માડમ          કૉંગ્રેસ
3.     84               કુતિયાણા       પોરબંદર       કાંધલ જાડેજા         NCP
4.     104            ભાવનગર પૂર્વ    ભાવનગર     વિભાવરીબેન દવે      ભાજપ
5.     168             ચોર્યાસી        સુરત             ઝંખના પટેલ         ભાજપ

આ સિવાયની અન્ય બેઠકોમાં પણ સર્વસહમત અને જીતી શકે તેવા ઉમેદવાર માટે ચર્ચા વિચારણા ચાલી રહી છે. ભાજપ હાઈકમાન્ડ મૂંઝવણમાં હોવાનું જાણવા મળ્યું છે. આગામી 12 કલાકમાં ફરજિયાતપણે આ બેઠકો પર નામની જાહેરાત કરાય ત્યારે ચિત્ર વધુ સ્પષ્ટ બનશે.

ઉલ્લેખનીય છે કે ભાજપે આજે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં 69 ધારાસભ્યોને ભાજપે રિપીટ કર્યા છે. 36 ધારાસભ્યોની ભાજપે ટિકિટ કાપી છે. તેમજ 14 મહિલાઓને ભાજપે ટિકિટ આપીને લડાવવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો :-

T20 WC : રોહિત શર્માની આંખમાં આવી ગયા આંસુ, ડગઆઉટમાં આ રીતે જોવા મળ્યો કેપ્ટન

0

T20 WC: Tears came to Rohit Sharma

  • ઈંગ્લેન્ડના હાથે સેમીફાઇનલમાં 10 વિકેટે પરાજયની સાથે ભારતનું ટી20 વિશ્વકપ જીતવાનું સપનું રોળાઈ ગયું છે. આ હાર બાદ કેપ્ટન રોહિત શર્મા નિરાશ જોવા મળ્યો હતો.

ટી20 વિશ્વકપ 2022ની (T20 World Cup 2022) સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડ (England) સામે હાર્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Indian captain Rohit Sharma) ડગઆઉટમાં રડતો જોવા મળ્યો છે. આ શરમજનક હાર બાદ કેપ્ટનની આંખો નમ હતી. ભારતે આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં બોર્ડ પર 6 વિકેટના નુકસાન પર 168 રન બનાવ્યા હતા.

આ સ્કોરને ઈંગ્લિશ ટીમે જોસ બટલર અને એલેક્સ હેલ્સની તોફાની ઈનિંગની મદદથી માત્ર 16 ઓવરમાં હાસિલ કરી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઈંગ્લેન્ડ હવે 13 નવેમ્બરે મેલબોર્નમાં ટાઈટલ માટે બાબર આઝમની પાકિસ્તાન સામે ટકરાશે.

ઈંગ્લેન્ડ વિરુદ્ધ કારમા પરાજય બાદ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં કેપ્ટન રોહિત શર્મા ડગઆઉટમાં ભાવુક થઈ બેઠો છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતનો આ પ્રથમ ટી20 વિશ્વકપ હતો અને આ પ્રકારની હાર દિલ તોડનારી છે.

ભારતે ટૂર્નામેન્ટનો પ્રારંભ પાકિસ્તાનને હરાવી શાનદાર રીતે કર્યો હતો. સુપર-12માં માત્ર એક મેચ હારી ભારત સેમીફાઇનલમાં પહોંચ્યું હતું. પરંતુ અહીં ઈંગ્લેન્ડે શાનદાર રમત રમી ટીમ ઈન્ડિયાને બહાર કરી દીધી છે.

વાત મુકાબલાની કરીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને પ્રથમ ઝટકો કેએલ રાહુલના રૂપમાં લાગ્યો. જે માત્ર 5 રન બનાવી શક્યો હતો. ત્યારબાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 47 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્મા 27 રન બનાવી આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાને ત્રીજો ઝટકો આદિલ રાશિદે સૂર્યકુમાર યાદવ (14) ના રૂપમાં આપ્યો હતો.

ભારતે 75 રન પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. ચોથી વિકેટ માટે કોહલી અને હાર્દિકે 50 રનની ભાગીદારી કરી હતી. કોહલી 50 રન બનાવી જોર્ડનની ઓવરમાં આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરી હતી. હાર્દિકે 33 બોલમાં 4 ચોગ્ગા અને પાંચ સિક્સની મદદથી 63 રન બનાવ્યા હતા.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમને કોઈ સમસ્યા થઈ નથી. ઈંગ્લેન્ડે 24 બોલ બાકી રહેતા 170 રન બનાવી મેચ જીતી લીધી હતી. જોસ બટલરે આ દરમિયાન 80 અને એલેક્સ હેલ્સે 86 રનની અણનમ ઈનિંગ રમી હતી.

આ પણ વાંચો :-

Pan Card અને Salary Slip વિના પણ મળી શકે છે Personal Loan, બસ અપનાવી પડશે આ રીત

0

Personal Loan can be obtained even

  • પાનકાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જેમાં કરદાતાની નાણાકીય જાણકારી હોય છે. તો બીજી તરફ લોન લેતી વખતે પણ પાનકાર્ડની જરૂર પડી શકે છે. બેંક પણ લોન આપતી વખતે ઘણી બધી જાણકારીઓ લે છે અને દસ્તાવેજ પણ લે છે.

લોકોને ઘણીવાર પોતાની જરૂરિયાતોને પુરી કરવા માટે પૈસાની જરૂર પડે છે. જોકે તેમની પાસે એટલા પૈસા હોતા નથી કે તે પોતાની જરૂરિયાતો પુરી કરી શકે. એવામાં લોકો બેંક્માંથી લોન (Loans from banks) લે છે જેથી પોતાની જરૂરિયાતોને પુરી કરી શકે. તો બીજી તરફ બેંક પણ લોન (Loan) આપતી વખતે ઘણી બધી જાણકારીઓ લે છે અને દસ્તાવેજ (Document) પણ લે છે.

પર્સનલ લોન (Personal Loan) આપવા માટે પણ બેંકોને જરૂરી દસ્તાવેજોની જરૂર હોય છે. જોકે ઘણીવાર એવી સ્થિતિ પણ જોવા મળે છે જ્યારે જેને લોન જોઇએ તેની પાસે પાન કાર્ડ (PAN card) અને સેલરી પણ હોતી નથી. જોકે પાનકાર્ડ અને સેલરી સ્લિપ ન હોવાની સ્થિતિમાં પન લોકોને પર્સનલ લોન મળી શકે છે.

પાન કાર્ડ  :

પાનકાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જેમાં ટેક્સપેયરની નાણાકીય જાણકરી હોય છે. આ ઉપરાંત પર્સનલ લોન માટે સંપૂર્ણપણે ડિજિટલ અરજીના મામલે પાનકાર્ડ અને આધાર ઓળખ અને નાણાકીય વિશ્વનીયતાને સત્યાપિત કરવા અને રાષ્ટ્રીયતાની સાથે-સાથે ટેક્સની જાણકારીને પ્રમાણિત કરવા માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની જાય છે. જો કે કેટલાક કેસમાં પાનકાર્ડ વિના અને સેલરી સ્લિપ વિના પણ લોન મળી જાય છે. આ સ્થિતિ હોઈ શકે છે.

ક્રેડિટ સ્કોર :

700 અને તેનાથી વધુનો CIBIL સ્કોર થતાં લોન લેનાર કંપની દસ્તાવેજો વિના પર્સનલ લોન આપવામાં સંકોચ કરતી નથી. એક હાઇ ક્રેડિટ સ્કોર નાણાકીય વિશ્વનીયતા તરફ જાય છે.

ગત રેકોર્ડ :

જો તમે પહેલાં પણ ક્યારેય લોન લીધી છે અને તમે સમયસર ચૂકવી છે તો આ તમારો ચોખ્ખો રેકોર્ડ દર્શાવે છે. બેંક અથવા ફાઇનાન્સ સાથે જોડાયેલી કંપનીઓ ગત રેકોર્ડને જોઇને પણ પર્સનલ લોન પાનકાર્ડ વિના અને સેલરી સ્લિપ વિના આપે છે.

Collateral Security  :

જો તમે કોઈ પણ દસ્તાવેજ જમા કરાવી શકાતા નથી તો તમે તમારી કોઇ સંપત્તિને સિક્યોરિટીના રૂપમાં જમા કરાવી શકો છો અને પર્સનલ લોન લઇ શકો છો.

આ પણ વાંચો :-