Home Blog Page 1258

ઈન્ડિયન રેલ્વેનો નિયમ : રેલ્વેએ આપી કરોડો મુસાફરોને ભેટ, હવે તમે ટિકિટ વગર પણ ટ્રેનમાં મુસાફરી કરી શકશો, નહીં રોકી શકે TTE !

0

Rule of Indian Railways

  • તમે તહેવાર પછી પરત ફરી રહ્યા છો અને આપણને ટિકિટ નથી મળી રહી તો આ સમાચાર જરુર વાંચજો. તમે ટિકિટ વગર પણ ટ્રેનમાં મુસાફરી કરી શકો છે. આવો જાણીએ રેલ્વેની આ સુવિધા વિશે.

તમે પણ ટ્રેનમાં મુસાફરી (Traveling by train) કરવાના છો અને તમને ટિકિટ (Ticket) નથી મળી રહી? હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમારે ક્યારેય અચાનક મુસાફરી કરવી પડે અને તમારી પાસે ટિકિટ ન હોય તો હવે તમે રિઝર્વેશનના (Reservation) નિયમો વિના મુસાફરી કરી શકો છો.

અગાઉ આવી સ્થિતિમાં તત્કાલ ટિકિટ બુકિંગ (Instant ticket booking) નિયમોનો જ વિકલ્પ હતો. પરંતુ તેમાં પણ ટિકિટ મેળવવા માટે તે જરૂરી નથી. આવી સ્થિતિમાં તમારા માટે રેલવેનો એક ખાસ નિયમ જાણવો ખૂબ જ જરૂરી છે. હવે તમે આ સુવિધા હેઠળ આરક્ષણ વિના મુસાફરી (Travel Without Reservation) કરી શકો છો.

પ્લેટફોર્મ ટિકિટ પર મુસાફરી :

રેલ્વેના નિયમો અનુસાર જો તમારી પાસે રિઝર્વેશન નથી અને તમારે ટ્રેનમાં ક્યાંક જવું છે. તો તમે પ્લેટફોર્મ ટિકિટ લઈને જ ટ્રેનમાં ચઢી શકો છો. તમે ટિકિટ ચેકર પાસે જઈને ખૂબ જ સરળતાથી બનાવેલી ટિકિટ મેળવી શકો છો. આ નિયમ (ભારતીય રેલવે નિયમો) રેલવે દ્વારા જ બનાવવામાં આવ્યો છે.

આ માટે તમારે પ્લેટફોર્મ ટિકિટ લઈને તરત જ TTEનો સંપર્ક કરવો પડશે. પછી TTE તમારા જવાના સ્થળ સુધી ટિકિટ બનાવશે. એટલું જ નહીં તમે TTE ને કાર્ડ પેમેન્ટ પણ કરી શકો છો.

પ્લેટફોર્મ ટિકિટ પેસેન્જરને ટ્રેનમાં ચઢવા માટે હકદાર બનાવે :

પ્લેટફોર્મ ટિકિટ પેસેન્જરને ટ્રેનમાં ચઢવા માટે હકદાર બનાવે છે. આ સાથે મુસાફરે તે જ સ્ટેશનથી ભાડું ચૂકવવું પડશે જ્યાંથી તેણે પ્લેટફોર્મ ટિકિટ લીધી છે. ભાડું વસૂલતી વખતે ડિપાર્ચર સ્ટેશનને પણ એ જ સ્ટેશન ગણવામાં આવશે અને સૌથી મોટી વાત એ છે કે તમારે એ જ ક્લાસનું ભાડું પણ ચૂકવવું પડશે જેમાં તમે મુસાફરી કરી રહ્યા છો.

TTE RAC ટિકિટવાળા યાત્રીએને સીટ આપી શકે :

જો તમારી ટ્રેન કોઈ કારણોવશ છુટી જાય છે તે TTE આગળના બે સ્ટેસન સુધી તમારી સીટને અન્ય કોઈ વ્યક્તિને આપી શકતા નથી. એટલે કે તમે આગળના બે સ્ટેશન પર ટ્રેનથી પહેલા પહોચી તમારી મુસાફરી પૂર્ણ કરી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે બે સ્ટેશન પછી TTE RAC ટિકિટવાળા યાત્રીએને સીટ આપી શકે છે. પરંતું તમારી પાસે બે સ્ટેશનનો વિકલ્પ રહે છે.

આ પણ વાંચો :-

Alto 800 અને Alto K10 માંથી કઈ ખરીદશો ? જાણો કિંમત અને ફીચર્સનું અંતર

Which one to buy between Alto 800 and Alto K10

  • મારૂતિ સુઝુકીની અલ્ટો રેંજમાં બે મોડલ-Alto 800 અને Alto K10 વેચવામાં આવે છે. આ બંનેને લઇને ઘણા લોકો કંફ્યૂઝ હોઇ શકે છે આખરે તેમના માટે બંનેમાંથી કઇ કાર બેસ્ટ રહેશે.

Alto 800 Vs Alto K10 : મારૂતિ સુઝુકીની (Maruti Suzuki) અલ્ટો રેંજમાં બે મોડલ-Alto 800 અને Alto K10 વેચવામાં આવે છે. આ બંનેને લઈને ઘણા લોકો કંફ્યૂઝ હોઈ શકે છે આખરે તેમના માટે બંનેમાંથી કઇ કાર બેસ્ટ રહેશે. એટલા માટે આજે અમે તમને બા બંને કારની તુલના કરવાના છીએ. અમે તેમની કિંમત, ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ વિશે તમને જણાવીશું. જેનાથી તમે પોતે સમજી શકશો કે તમારા માટે કઈ કાર વધુ સારી રહેશે.

Alto 800 અને Alto K10 નું એન્જીન :

Alto 800 માં બીએસ 6 નોર્મ્સવાળું 0.8 લીટર, 3- સીલીન્ડર પેટ્રોલ એન્જીન આવે છે. આ એન્જીન 48 પીએસ પાવર અને 69 એનએમ ટોર્ક જનરેટ કરે છે. તેનું સીએનજી વર્જન પણ આવે છે. સીએનજી મોડ પર આ 41 પીએસ પાવર અને 60 એનએમ ટોર્ક જનરેટ આપે છે. તેમાં 5-સ્પીડ મેનુઅલ ટ્રાંસમિશન (એમટી) મળે છે.

Alto K10 ની વાત કરીએ તો તેમાં 1.0 લીટર પેટ્રોલ એન્જીન આવે છે. આ એન્જીન 67 પીએસ પાવર અને 89 એનએમ ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ (સ્ટાર્ડડ) અને એએમટી ગિયરબોક્સ (ઓપ્શનલ) મળે છે. પરંતુ હાલ સીએનજી વર્જન આવતું નથી.

Alto 800 અને Alto K10 ના ફીચર્સ :

Alto K10 ફીચર્સના મામલે Alto 800 કરતાં આગળ છે. તેમાં અલ્ટો 800 વાળા ફીચર્સ તો મળે જ છે, સાથે જ ઘણા બીજા ફીચર્સ પણ મળે છે, જેમ કે સ્ટીયરિંગ માઉંટેડ કંટ્રોલ્સ, ડિજિટાઇઝ્ડ ઇંસ્ટ્રૂમેંટ ક્લસ્ટર અને પાવર એડજસ્ટેબલ ઓઆરવીએમ્સ વગેરે.

Alto 800 અને Alto K10 ની કિંમત :

Alto 800 ની કિંમત 3.39 લાખ રૂપિયાથી શરૂ થઇને 5.03 લાખ રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) સુધી જાય છે. તો બીજી તરફ Alto K10 ની કિંમત 3.99 લાખ રૂપિયાથી માંડીને 5.84 લાખ રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) સુધી જાય છે.

આ પણ વાંચો :-

Jio Offer : એક વર્ષ સુધી અનલિમિટેડ ડેટા અને કોલિંગની મજા, જિયોની દમદાર ઓફર

0

Jio Offer: Enjoy unlimited data and calling

  • જો તમે દર મહિને તમારા ફોનમાં રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો જિયો તમારા માટે શાનદાર પ્લાન લઈને આવ્યું છે. આ પ્લાન ડેટા કોલિંગની સાથે અન્ય ફાયદાઓ પણ આપવામાં આવી રહ્યાં છે.

દર મહિને પ્રીપેડ પ્લાન રિચાર્જ (Prepaid plan recharge) કરાવવું યૂઝર્સને ખુબ મોંઘુ પડે છે અને સાથે ઘણીવાર રિચાર્જ કરાવવાનું ભૂલાય જાય તો કંપની કોલિંગ અને નેટની (Calling and Net) સુવિધા બંધ કરી દેતી હોય છે. તેવામાં જિયો પોતાના યૂઝર્સને ધ્યાનમાં રાખતા અનેક લાંબી વેલિડિટીના પ્લાન (Plans of Validity) ઓફર કરે છે. આ પ્લાન એક્ટિવ કરાવ્યા બાદ તમારે 365 દિવસ સુધી બીજીવાર રિચાર્જ કરાવવાની જરૂર પડતી નથી.

2545 રૂપિયાનો પ્લાન :

આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ અનલિમિટેડ કોલ, દરરોજ 1.5GB ડેટા અને 100 એસએમએસ મળે છે. એટલું જ નહીં યૂઝર્સને આ પ્લાનમાં તમામ જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી એક વર્ષ એટલે કે 365 દિવસની છે. તેવામાં યૂઝર્સે વારંવાર રિચાર્જ કરાવવાની જરૂર પડતી નથી.

2897 રૂપિયાનો પ્લાન :

આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2જીબી ડેટા આપવામાં આવે છે અને આ સાથે અનલિમિડેટ કોલિંગ અને દરરોજ 100 SMS આપવામાં આવે છે. જેમ અમે તમને જણાવ્યું કે આ પ્લાનની વેલિડિટી એક વર્ષ એટલે કે 365 દિવસની છે. આ પ્લાનમાં પણ જિયો એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી આપવામાં આવે છે.

2,999 રૂપિયાનો પ્લાન 

આ જિયોનો એક વર્ષની વેલિડિટી સાથે આવનાર સૌથી મોંઘો પ્લાન છે. તે માટે તમારે 3000 રૂપિયા ચુકવવા પડે છે. આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 2.5GB ડેટા અને 100 SMS આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી પણ 365 દિવસની છે. આ પ્લાનમાં ગ્રાહકોને કેટલાક ઓટીટી પ્લેટફોર્સનું પણ સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. આ પ્લાન તમારા માટે સારો ઓપ્શન સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો :-

 

 

10 નવેમ્બર 2022 રાશિફળ : 7 રાશિના જાતકો પર વિષ્ણુ ભગવાનની રહેશે અસીમ કૃપા – બની રહ્યો છે પ્રવાસનો યોગ

10 November 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ધારેલું કાર્ય કરી શકાય. આવકમાં વૃદ્ધિ શક્ય બને. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. નવી ઓળખાણ શક્ય બને. સાંસારિક જીવનમાં પ્રેમ વધે.  ધંધામાં નવી તક ખુલતી જણાય.

વૃષભઃ
નવા કપડાં ધારણ કરવાથી નવા સંબંધો વિકસે. કલા કારીગરીમાં પ્રગતિ. આર્થિક સ્થિરતા મળે. ધંધા રોજગારમાં પ્રગતિ થાય. અભિમાન વધે. ભાગ્ય બળવાન થતું જણાય. મિત્રો તરફથી લાભ. ખર્ચમાં ઘટાડો જણાય.

મિથુનઃ
આકસ્મિક ધનહાનિના યોગ બને છે. શેરબજારમાં રોકાણ ટાળું. કોર્ટ-કચેરી સરકારી કામકાજમાં સાવધાની જરૂરી. માનસિક ચિંતા રહે. પરિવારમાં શાંતિ જળવાશે. દુર્વા સાથે રાખવાથી અશુભતા દૂર થશે.

કર્કઃ
દિવસ દરમિયાન મન પ્રફુલ્લિત રહેશે. આવકનું પ્રમાણ વધતું જણાશે. ભાઈ બહેન પરિવારના સભ્યો સાથે મનમેળ રહેશે. માતૃસુખ સારું. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનો તરફથી થોડી ચિંતા રહે. આરોગ્ય સારું રહેશે..

સિંહઃ
અભિમાનમાં વધારો થાય. સિદ્ધાંતવાદી વલણ રહે. ભાઈબહેન પરિવારના સભ્યો તરફથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. યોગ્ય રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થાય.

કન્યાઃ
‌દિવસ દરમિયાન ભાગ્ય સાથ આપતું જણાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય. સાહિત્યનો શોખ વધે. વાણી થકી નવા સંબંધો બને. માતાની ત‌બિયતની કાળજી જરૂરી. સંતાન કહ્યું કરે. સ્વાસ્થ્ય જળવાય.

તુલાઃ
સફળતા માટે સંઘર્ષ કરવો જરૂરી બનશે. લાંચ રુશ્વતs લવાથી દૂર રહેવું. અન્યથા પકડાઈ જવાશે. લીવર નબળું રહે. પાચનશક્તિ મંદ પડે. પ્રવાસ-યાત્રા શક્ય બને. આવક વધતી જણાય.

વૃશ્ચિકઃ
વિવેકપૂર્ણ, મીઠીવાણી રહેશે. અત્તર-પરફ્યુમની ખરીદી શક્ય બને. મનમાં અનિશ્ચિતતા રહે. અભિમાન. ઘમંડ વધે. સ્ત્રીવર્ગ સાથે કાર્ય કરવાની ઈચ્છા વધારે થાય. જીવનસાથી સાથે પ્રેમમાં વધારો થાય.

ધનઃ
મન ઉપર ખોટા-નકાતારાત્મક વિચારો હાવી થાય. પરિવારમાં શાંતિ-સ્નેહ જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. શરદી-ખાંસી રહે. દિવસ દરમિયાન થાકનો અનુભવ થાય. ભાગ્યનો સાથ છુટતો જણાય.

મકરઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. થોડી ઉદાસીનતા જણાય. આર્થિક બાબતોથી લાભ. કુટુંબમાં મતભેદ થવાની શક્યતા છે. સંતાન તરફથી સારા સમાચાર મળે, જો આપ પ્રેમસંબંધમાં હો તો પ્રેમનો એકરાર શક્ય બને.

કુંભઃ
‌નિર્ણયશક્તિ વધતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સુખ-શાંતિ-આનંદનો અનુભવ થાય. પતિપત્નીના સંબંધોમાં મધુરતા જણાય. ઉધાર-ઉછીના નાણાં આપવાનું ટાળવું. અન્યથા નાણાં ફસાઈ જાય.

મીનઃ
પરિવાર સાથે જલસો. મનની ઉચ્ચ કોટિની ભાવના પેદા થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. સાંધાનો દુઃખાવો રહે. બહેનો એ સ્ત્રીરોગોથી સાચવવું. આકસ્મિક ધનલાભના યોગ બને છે.

આ પણ વાંચો :-

ગુજરાત કોંગ્રેસમાં કયા સિનિયર નેતાઓને ચૂંટણી લડવાના અભરખા જાગ્યા ? કોણ ક્યાંથી લડી શકે છે ચૂંટણી ?

0

Which senior leaders in Gujarat Congress

  • કોંગ્રેસમાં ખેડબ્રહ્મા બેઠક પરથી તુષાર ચૌધરી ચુટણી લડવા તૈયાર થયા છે. પાલનપુરના વર્તમાન ધારાસભ્યની ટીકીટ કપાઇ શકે છે. તેમના સ્થાને રવિરાજ ગઢવીને ઉમેદવાર બનાવવાનું આયોજન કોંગ્રેસ કરી રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) કેટલાક સિનિયર નેતાઓેને (Senior Leaders) ચુંટણી લડવાના અભરખા જાગ્યા છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલકી પેટલાદ બેઠક પરથી ચુટંણી લડવા તત્પર થયા છે. જો ભરતસિંહને (Bharat Singh) ટિકિટ મળે તો વર્તમાન ધારાસભ્ય નિરંજન પટેલની (Niranjan Patel) ટિકિટ કપાઇ શકે છે.

એવી જ રીતે કોંગ્રેસમાં ખેડબ્રહ્મા બેઠક પરથી તુષાર ચૌધરી ચુટણી લડવા તૈયાર થયા છે. પાલનપુરના વર્તમાન ધારાસભ્યની ટીકીટ કપાઇ શકે છે. તેમના સ્થાને રવિરાજ ગઢવીને ઉમેદવાર બનાવવાનું આયોજન કોંગ્રેસ કરી રહી છે. મહેન્દ્રસિંહ વાઘેલાના કોંગ્રેસ પ્રવેશ બાદ કેટલીક બેઠકના ગણિત બદલાયા છે. કોંગ્રેસ મહેન્દ્ર સિંહને બાયડ, કપડવંજ કે દેહગામથી ચુંટણી મેદાનમાં ઉતારી શકે છે. મહેન્દ્ર સિંહ બાયડ– કપટવંજ પર કોંગ્રેસના સીટીગ ધારાસભ્ય છે.

મહત્વનું છે કે કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં સત્તાથી દૂર છે એટલે કોંગ્રેસ આ વખતે ગમે તેમ કરીને એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસે આ વખતે ચૂંટણીમાં એવી રણનીતિ બનાવી હતી કે તેઓ પાર્ટીના જૂના દિગ્ગજ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારશે. જેના ભાગરૂપે કોંગ્રેસ નેતા ભરતસિંહ ચૂંટણી ચૂંટણી લડે એવી શક્યતા દેખાઈ રહી છે. બીજી બાજુ કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ પણ ચૂંટણી લડવા માટે તૈયારી દર્શાવી છે.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ પેટલાદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો દાવો કર્યો છે. પરંતુ હાલ આણંદ જિલ્લાની પેટલાદ બેઠક પર નિરંજન પટેલ સીટિંગ ધારાસભ્ય છે.

આ પણ વાંચો :- 

ગુજરાત AAPના સ્ટાર પ્રચારકની યાદી જાહેર- આ દિગ્ગજ ક્રિકેટર સહિત આ લોકોનાં નામનો સમાવેશ થયો

0

List of Gujarat AAP’s Star Pracharak announced

  • 20 નેતાઓની આ સૂચીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે જ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સાંસદ સંજય સિંહ અને રાઘવ ચડ્ડાનું નામ પણ સામેલ છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) પોતાના સ્ટાર પ્રચારકોની સૂચી જાહેર કરી દીધી છે. 20 નેતાઓની આ સૂચીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi Chief Minister Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Chief Minister Bhagwant Mann) સાથે જ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia), સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઠ્ઠાનું નામ પણ સામેલ છે.

ભગવંત માન સાથે જ પાર્ટીએ ગુજરાત ચૂંટણી પ્રચારમાં દિલ્હી સાથે જ પંજાબના નેતાઓ પર પણ વિશ્વાસ બતાવ્યો છે. પાર્ટીએ સ્ટાર પ્રચારક તરીકે બે મહિલા નેતાઓને પણ સામેલ કર્યા છે.

આ સાથે જ સ્ટાર પ્રચારકોની સૂચીમાં પૂર્વ ક્રિકેટર અને પંજાબથી રાજ્યસભાના સંસદ સભ્ય હરભજન સિંઘને પણ ગુજરાતમાં પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ઉમેદવાર ઈસુદાન ગઢવી પણ સ્ટાર પ્રચારકોની સૂચીમાં છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ઉપરાંત મનોજ સોરઠિયા, અલ્પેશ કથિરિયા અને યુવરાજસિંહ જાડેજાને પણ સ્ટાર પ્રચારકોમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ સાથે જ આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચારના સ્ટાર પ્રચારકોમાં પંજાબ સરકારની બે મહિલા મંત્રી બલજિંદર કૌર અને અનમોલ ગગન માનનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત સ્ટાર પ્રચારકોમાં જગમલ વાળા, રાજૂ સોલંકી, પ્રવીણ રામ, ગૌરી દેસાઈ, મથુર બલદાણિયા , અજીત લોકિલ, રાકેશ હીરપરાને પણ સામેલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

5G વાપરવા માટે લેવું પડશે નવું સીમ ? Reliance Jio એ આપી જાણકારી

Need to get a new SIM to use 5G

  • 5Gની શરૂઆતથી જ લોકોના મનમાં એક પ્રશ્ન છે કે શું તેમને 5G સિમ કાર્ડની પણ જરૂર પડશે. હવે કંપનીએ આ જાણકારી આપી છે.

રિલાયન્સ જીઓ દ્વારા Jio True 5G સેવા શરૂ કરવામાં આવી છે. કંપનીએ તેની સેવાને ઘણા શહેરોમાં જીવંત કરી છે. જો કે 5G સેવા હજુ સુધી અહીંના તમામ વપરાશકર્તાઓ સુધી પહોંચી નથી. Jioએ દશેરાના અવસર પર ચાર શહેરોમાં તેની 5G સેવા શરૂ કરી છે. બાદમાં કંપનીએ તેને વધુ બે શહેરોમાં વિસ્તરણ કર્યું છે. તેમાં 5G સેવા છે અને અન્ય 5G આધારિત Wi-Fi ફીચર્ડ છે.

કંપનીએ આપી જાણકારી :

5Gની શરૂઆતથી જ લોકોના મનમાં એક પ્રશ્ન છે કે શું તેમને 5G સિમ કાર્ડની પણ જરૂર પડશે. હવે કંપનીએ આ જાણકારી આપી છે. એટલે કે Jio એ જણાવ્યું છે કે તમારે Jio True 5G માટે નવા સિમ કાર્ડની જરૂર પડશે કે નહીં.

શું તમારે 5G સિમની જરૂર છે?

Jio એ પોતાના ઓફિશિયલ ટવિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું છે. આ ટવિટ અનુસાર, તમારું Jio સિમ 5G તૈયાર છે. તમારા માતા-પિતા અને મિત્રો પાસે સિમ 5G તૈયાર છે.

એટલે કે Jio યુઝર્સને નવું સિમ કાર્ડ લેવાની જરૂર નથી. તેના બદલે 5G સેવા તેમના હાલના સિમ કાર્ડ પર જ ઉપલબ્ધ થશે. આ સિમ કાર્ડ 5G તૈયાર છે.

કયા શહેરોમાં Jio 5G સેવા મળી રહી છે? 

જિયોએ શરૂઆતમાં તેની 5G સેવા ચાર શહેરોમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીમાં શરૂ કરી હતી. જો કે થોડા દિવસો પછી તે અન્ય બે શહેરોમાં વિસ્તરણ કરવામાં આવ્યું હતું. તમે ચેન્નાઈમાં પણ Jio 5G સેવાનો ઉપયોગ કરી શકશો. તે જ સમયે રાજસ્થાનના નાથદ્વારામાં કંપનીએ Jio 5G પર આધારિત Wi-Fi સેવા શરૂ કરી છે.

આ પણ વાંચો :-

સુરતમાં સ્પાની આડમાં ચાલતો દેહવ્યાપારનો ધંધો, 9 મહિલા સહિત 13 ની કરાઈ ધરપકડ

Prostitution business running

  • સુરતના વેસુ વિસ્તારમાં પોલીસે દરોડા પાડી સ્પાની આડમાં ચાલતો દેહવ્યાપારનો ધંધો ઝડપી લીધો હતો.

છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં (Criminal Activity) સુરતનું નામ મોખરે થઇ રહ્યુ છે. હત્યા, દુષ્કર્મ સહિતની ઘટનાઓ બાદ હવે દેહ વ્યાપારના (Body Trade) ધંધા ચાલી રહ્યા હોવાનું પોલીસ પોલીસને કાને વાત પડી હતી. પોલીસે વેસુ વિસ્તારમાં લકી ફેમિલી સ્પામાં (Lucky Family Spa) પોલીસે દરોડા પાડયા હતા.

સુરત ક્રાઈમ બ્રાન્ચના (Surat Crime Branch) આ દરોડા દરમિયાન સ્પાની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાનું સામે આવતા ચકચાર જાગી હતી. જેને લઇને પોલીસે 9 મહિલાઓ સહિત કુલ 13 લોકોની ધરપકડ કરી લીધી હતી.

દરોડા દરમિયાન બે ગ્રાહકો પણ ઝડપાયા :

પોલીસે તપાસ હાથ ધરતા લકી ફેમિલી સ્પામાં 2 મહિલા સંચાલકો સ્પા ચલાવતાં હોવાનું સામે આવ્યું હતું.  દરોડા દરમિયાન બે ગ્રાહકો પણ ઝડપાયા હતા. જે ને લઇને કુલ રૂપિયા 44 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

અગાઉ પોલીસ દ્વારા કરાઇ હતી કાર્યવાહી :

અગાઉ પોલીસ દ્વારા  છેલ્લા 3 દિવસ કૂટણખાના વિરુદ્ધ વિશેષ ઝુંબેશ શરુ કરવામાં આવી હતી. જેમાં ઉમરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર બાદ સુરત પોલીસ દ્વારા ભટાર અને વરાછા વિસ્તારમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્પાના ઓથા હેઠળ ચાલતા વધુ 4 કૂટણખાના ઝડપી પાડ્યા હતા.  ભટાર અને વરાછા વિસ્તારમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે સ્પા પર દરોડા પાડીને 20થી વધુ લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરત પોલીસે ત્રણ દિવસથી સ્પેશિયલ ડ્રાઇવ શરુ કરી ગોરખધંધા સામે લાલ આંખ કરીને 12થી વધુ સ્પા સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના સ્થાને કોણ લડશે ચૂંટણી ? ટિકિટ મુદ્દે આપ્યું મોટું નિવેદન…

0

election instead of Dabang MLA Madhushrivastav

  • ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. તેવામાં ભાજપમાં પણ કોને ટિકિટ મળશે અને ક્યાંથી એની ચર્ચાઓ તથા બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. આ દરમિયાન વડોદરાનાં દબંગ ધારાસભ્ય મધુશ્રીવાસ્તવે ચૂંટણી લડવા અંગે મોટુ નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું છે કે અગાઉ મે મજાકમાં કહ્યું હતું કે હું અથવા મારા પત્નીમાંથી કોઈ એક ચૂંટણી લડશે (Will contest the election). પરંતુ ભાજપની પોલિસી છે કે પરિવારના સભ્યોને ટિકિટ નહીં મળે તો પછી હું ભાજપની આ નીતિની સાથે છું. પાર્ટી સાથે જ જોડાયેલો રહીશ. મધુ શ્રીવાસ્તવે (Madhu Srivastava) ટિકિટ મુદ્દે આપેલા નિવેદન પર નજર કરીએ…

મધુ શ્રીવાસ્તવે ટિકિટ મુદ્દે કર્યો ઘટસ્ફોટ :

તેમણે કહ્યું કે અગાઉ મેં મશ્કરીમાં કહ્યું હતું કે ચૂંટણી હું લડુ કે મારા પત્ની એક જ વાત છે. પરંતુ ભાજપની નીતિ સ્પષ્ટ છે કે એક જ પરિવારથી ટિકિટ આપવામાં આવશે નહીં. જેના કારણે હું આનું સન્માન કરું છું અને આગળ પણ ભાજપ સાથે જ જોડાયેલો રહીશ. હું ભાજપનો સેવક છું.

ચૂંટણી પ્રચારની તૈયારી વિશે કહ્યું :

મધુ શ્રીવાસ્તવે કહ્યું કે ટિકિટનો સવાલ જ નથી આવતો અત્યારે આ અંગે પાર્ટી નક્કી કરશે. મે અગાઉ જ કહ્યું હતું એમ કે હું પાર્ટીમાં જ રહીશ અને જનતાની સેવા કરતો રહીશ. હવે ચૂંટણીમાં ક્યારે અને ક્યાંથી ઉમેદવારી મળશે એ પાર્ટી નક્કી કરશે.

આ પણ વાંચો :-

પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધી શકે ? તેલ કંપનીઓના કરોડોના નુકસાનના આંકડા ચિંતાજનક, કેવી રીતે પૂરાશે ખાડો

0

Can petrol-diesel prices rise again

  • તેલ કંપનીઓમાં સતત નુકસાન થઈ રહ્યું છે; IOC, BPCL અને HPCLને જુલાઈ-સપ્ટેમ્બરમાં રૂ. 2,748.66 કરોડનું નુકસાન. તેના પરથી સંકેતો મળી રહ્યા છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધી શકે છે.

ઓઈલ કંપનીઓ (Oil Company) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પેટ્રોલ, ડીઝલ અને સ્થાનિક એલપીજીના ભાવમાં થયેલા નુકસાનને કારણે આ નુકસાન વધ્યું છે. વિદેશી બજારમાં કિંમતોમાં તેજી વચ્ચે સ્થિર છૂટક કિંમતોને કારણે કંપનીઓને નુકસાન (Loss) થઈ રહ્યું છે.

શું દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel Prices) વધવાના છે ? આ જણાવી રહ્યાં પરંતુ જે રીતે તેલ કંપનીઓને સતત નુકસાનમાં ચાલી રહી છે તેના પરથી સંકેતો મળી રહ્યા છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ માર્કેટિંગ (Petroleum Marketing) કંપનીઓ IOC, BPCL અને HPCLને જુલાઈ-સપ્ટેમ્બરમાં રૂ. 2,748.66 કરોડનું નુકસાન થયાની માહિતી મળી છે. આ સતત બીજું ક્વાર્ટર છે જ્યારે કંપનીઓને નુકસાન થયું છે.

રૂ. 272.35 કરોડની ખોટ :

શેરબજારોને આપવામાં આવેલી માહિતીમાં તેલ કંપનીઓએ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નુકસાનના આંકડા આપ્યા છે. આ મુજબ IOCએ 29 ઓક્ટોબરના રોજ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 272.35 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી બતાવી છે જે નાણાકીય FY23 એટલે કે નાણાકીય વર્ષ 2022-23ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં IOCને રૂ. 1,992.53 કરોડની ખોટ કરી હતી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસ એલપીજી નીચી કિંમતે વેચી નુકસાન ભોગવ્યું છે.

HPCL ફરી નુકસાન :

3 નવેમ્બર, 2022ના રોજ HPCLએ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં રૂ. 2,172.14 કરોડની ખોટ નોંધાવી છે. જે એપ્રિલ-જૂનમાં રૂ. 10,196.94 કરોડની અત્યાર સુધીની સૌથી વધુ ત્રિમાસિક ખોટ નોંધવામાં આવી છે. આ સિવાય ત્રીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની BPCLની ખોટ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 304.17 કરોડ હતી તેમજ તેને પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 6,263.05 કરોડની ખોટ હતી.

પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર :

તેલ કંપનીઓને થઈ રહેલા ભારે નુકસાનનું સૌથી મોટું કારણ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ લાંબા સમયથી સ્થિર હોવાનું માનવામાં આવે છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) એ સતત સાત મહિનાથી ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

22000 કરોડની સબસિડી :

કંપનીઓને છેલ્લા બે વર્ષમાં ઓછી કિંમતે LPG વેચવાથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે આપવામાં સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી હતી. સરકાર દ્વારા 22,000 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાથી જે નુકસાન થયું તેની ભરપાઈ કરવામાં નિષ્ફળ જ રહી. IOCને છેલ્લા ક્વાર્ટરના અંતે LPG સબસિડી તરીકે રૂ. 10,800 કરોડ મળ્યા હતા. જ્યારે HPCLને રૂ. 5,617 કરોડ અને BPCLને રૂ. 5,582 કરોડ મળ્યા હતા.

આ પણ વાંચો :-