Home Blog Page 1254

શિયાળાની ઋતુમાં ખરતા વાળથી છો પરેશાન તો આજથી જ અપનાવો આ ઘરેલુ નુસખા ને પછી જુઓ કમાલ

If you are troubled by hair fall in winter season

  • શિયાળામાં ડેન્ડ્રફની સમસ્યા વધુ વધી જાય છે. અઠવાડિયામાં 1-2 વખત કેટલાક ઘરેલું ઉપચારનો ઉપયોગ કરવાથી ડેન્ડ્રફની સમસ્યામાંથી ઘણી હદ સુધી છુટકારો મળશે.

શિયાળામાં (Winter) વાળમાં ડેન્ડ્રફ એક સામાન્ય સમસ્યા છે. આ દિવસોમાં ડેન્ડ્રફને (Dandruff) કારણે ન તો કોઈ હેરસ્ટાઈલ બનાવી શકતા નથી. વાળમાં કાંસકો લગાવતાની સાથે જ ડેન્ડ્રફની સફેદી આખા વાળમાં પાવડરની જેમ ફેલાઈ જાય છે.

તેનું કારણ શુષ્ક હવામાન (Dry weather) અને વાળમાં જમા થયેલી ગંદકી હોઈ શકે છે. ક્યારેક ડેન્ડ્રફ પણ અકળામણનું કારણ બની જાય છે. આ દિવસોમાં આપણે ડેન્ડ્રફને દૂર કરવા માટે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકીએ છીએ.

સફરજન સરકો :

સફરજનના વિનેગરને પાણીમાં મિક્સ કરીને વાળમાંથી ડેન્ડ્રફ દૂર કરી શકાય છે. ડેન્ડ્રફ દૂર કરવા માટે 2 મગ પાણીમાં એપલ વિનેગર મિક્સ કરીને વાળમાં સારી રીતે લગાવો. આ મિશ્રણને વાળમાં 2-4 મિનિટ રહેવા દો અને પછી વાળ ધોઈ લો.

નાળિયેર તેલ અને લીંબુ :

નાળિયેર તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. ડેન્ડ્રફ દૂર કરવા માટે નારિયેળના તેલમાં લીંબુ મિક્સ કરીને વાળના મૂળમાં લગાવો. 10-15 મિનિટ પછી વાળ ધોઈ લો ડેન્ડ્રફની સમસ્યા દૂર થઈ જશે.

એલોવેરા જેલ :

એલોવેરામાં એન્ટીબેક્ટેરીયા અને એન્ટી ફંગલનાં ગુણ હોય છે. જો વાળમાંથી ડૈંડ્રફ હટાવવામાં મદદ કરે છે. એલોવેરા જેલ વાળ પર લગાડવી અને 15-20 મિનિટ સુધી વાળ પર લગાયેલી રાખવી પછી વાળને ધોઈ નાંખવા.

આ પણ વાંચો :-

ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેક પર થયો એવો ભયંકર બ્લાસ્ટ કે…. પોલીસ તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

0

The terrible blast that took place on the Udaipur

  • રાજસ્થાનમાં ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેક પર કરાયેલો વિસ્ફોટ આતંકી ઘટના હતી. રાજસ્થાન પોલીસે પોતાની FIRમાં આનો ખુલાસો કર્યો છે.

આ મામલે રાજસ્થાન (Rajasthan) પોલીસે આતંકી ષડયંત્ર સાથે જોડાયેલી કલમો હેઠળ FIR નોંધી છે. રાજસ્થાન પોલીસે પોતાની પ્રાથમિક તપાસમાં જાણ્યું કે ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેક (Udaipur-Ahmedabad Railway Track) પર થયેલો બ્લાસ્ટ આતંકી હુમલો હતો. આ હુમલા બાદ પાટા તૂટી ગયા હતા અને આ તૂટેલા પાટા પરથી ટ્રેન નીકળી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.

આ પાટા પરથી અમદાવાદ-ઉદયપુર અસારવા ટ્રેન નંબર 19703 અને 19704 રોજ નીકળે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માત્ર 14 દિવસ પહેલા જ આ રેલવે લાઈનનું ઉદ્ધાટન કર્યું હતું. પોલીસ અનુસાર આ બ્લાસ્ટનો હેતુ લોકોમાં ડર પેદા કરવાનો હતો.

ટ્રેક પર વિસ્ફોટકો અને સ્ટીલના ટુકડા જોઈ ગામ લોકો ચોંકી ગયાં :

આ ઘટના ઉદયપુરથી લગભગ 35 કિલોમીટર દૂર સલંબુર રોડ પર બનેલા ઓઢા રેલવે પુલની છે. આ ઘટનાની FIR મુજબ શનિવારે સાંજે સવા સાત વાગ્યે ઓઢા ગામના લોકોએ એક જોરદાર બ્લાસ્ટ સાંભળ્યો. રાત્રે થયેલા બ્લાસ્ટથી ગામ લોકો પણ અચરજમાં પડી ગયા. આ બાદ જ્યારે લોકોનું એક ટોળું ત્યાં પહોંચ્યું તો રેલવેના પાટા તૂટેલા, વિસ્ફોટક અને સ્ટીલના ટૂકડા જોઈને દંગ રહી ગયા.

લોકોમાં ડર પેદા કરવા બ્લાસ્ટ કર્યાનો પોલીસનું અનુમાન :

રાજસ્થાન પોલીસે FIRમાં બોમ્બ વિસ્ફોટ શબ્દનો પ્રયોગ કર્યો છે અને કહ્યું કે બ્લાસ્ટનો ઉદ્દેશ્ય લોકોમાં ડર પેદા કરવાનો હતો અને દેશની સુરક્ષાને ખતરામાં મૂકવાનો હતો. આ મામલે રાજસ્થાન પોલીસે UAPA અંતર્ગત કેસ દાખલ કર્યો છે. હાલમાં પોલીસે અજ્ઞાત આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ ઉપરાંત વિસ્ફોટક પદાર્થ અધિનિયમ અને IPCની કલમ 150, 151 અને 285 અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

આ પણ વાંચો :-

રવિન્દ્ર જાડેજાએ વિડીયો પોસ્ટ કરી પત્ની રીવાબા માટે મત માંગ્યા, વાયરલ થયો વીડિયો

0

Ravindra Jadeja posted a video asking for votes

  • રવિન્દ્ર જાડેજાએ સોશ્યિલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને શું કહ્યું એ પણ જાણો…

ચૂંટણી પંચે તારીખો જાહેર કરતાની સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો ધમધમાટ વધુ તેજ બન્યો છે. ભાજપ-કોંગ્રેસ (BJP-Congress) ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) પણ મેદાન-એ જંગમાં છે. ત્યારે કેટલાંક ઉમેદવારોએ સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. એમાંથી એક નામ એટલે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના (Cricketer Ravindra Jadeja) પત્ની રીવાબા જાડેજા (Rivaba Jadeja).

ભાજપે રીવાબાને જામનગર ઉત્તર બેઠક પરથી ટિકિટ આપી છે. ત્યારે પ્રચાર પ્રસારમાં નવો રોમાંચ જોવા મળી રહ્યો છે. પોતાની પત્ની રીવાબા માટે રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા (Social media) પર વીડિયો પોસ્ટ કર્યો. રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને પત્ની રીવાબા માટે મત માંગ્યાં. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગર ઉત્તર (Jamnagar North) બેઠકના મતદારોને અપીલ કરી કે રીવાબા અને ભાજપને મત આપીને જંગી બહુમતથી વિજય બનાવે.

ઉલ્લેખનીય છે કે ભાજપે રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાને જામનગર ઉત્તર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. રીવાબા આજે ઉમેદવારી ફોર્મ ભરશે.જામનગર ઉત્તર બેઠક પરથી રીવાબા જાડેજા સવારે 11 વાગ્યે ઉમેદવારી નોંધાવશે. રવિંદ્ર જાડેજાએ પણ સોશલ મીડિયાના માધ્યમથી પત્ની રીવાબા જાડેજાને જંગી લીડથી જીતાડવા અપીલ કરી હતી.

રવિન્દ્ર જાડેજાએ પોતાના વીડિયોમાં જામનગરની જનતાને અપીલ કરતા કહ્યું હતું કે મારા વ્હાલા જામનગરવાસીઓ અને તમામ ક્રિકેટ ચાહકો. તમે બધા જાણો છો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અહીં T20 ક્રિકેટની જેમ ઝડપથી આગળ વધી રહી છે.

ભાજપે મારી પત્ની રીવાબાને ઉમેદવાર બનાવ્યા છે. તે 14 નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહી છે. તેથી વિજયી વાતાવરણ બનાવવાની જવાબદારી તમારી છે. તો ચાલો કાલે સવારે મળીએ.

ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજા ઘૂંટણની ઈજાને કારણે ટી-20 વર્લ્ડકપ 2022માં ભાગ લઈ શક્યો ન હતો. એશિયા કપ દરમિયાન જાડેજાને ઈજા થઈ હતી. ત્યારબાદ તેના જમણા ઘૂંટણની સર્જરી થઈ હતી. જાડેજાને બાંગ્લાદેશ સામેની વનડે અને ટેસ્ટ શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ તે ફિટનેસ પરત મેળવ્યા બાદ જ ભાગ લઈ શકશે.

આ પણ વાંચો :-

ખેડૂતોની આવક બમણી કરવા કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, એકાઉન્ટમાં જમા થશે રૂપિયા 5 લાખ !

0

An important decision of the central government

  • પીએમ કિસાન યોજના ઉપરાંત સરકાર દ્વારા આવી જ બીજી એક વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી. ખેડૂતોની આવક વધારવા માટે સરકારે ડ્રોન પર સબસિડી આપવાનો નિર્ણય કર્યો.

કેન્દ્ર સરકાર (Central Govt) દ્વારા ખેડૂતોને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. આ સાથે કેન્દ્ર સહિત રાજ્ય સરકાર પણ દેશભરમાં ખેડૂતોની (Farmers) આવક વધારવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. કૃષિને પ્રોત્સાહન આપવા માટે ઘણી નવી તકનીકો પણ રજૂ કરવામાં આવી રહી છે. પીએમ કિસાન યોજના (PM Kisan Yojana) ઉપરાંત સરકાર દ્વારા આવી જ બીજી એક વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે.

સરકાર દ્વારા એક વિશેષ સુવિધામાં ખેડૂતોને સરકાર તરફથી 5 લાખ રૂપિયાની મદદ મળશે. હવે ડ્રોન દ્વારા ખેડૂતોને આવક વધારવા અને ખેતીને ઝડપી બનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ડ્રોનનો ઉપયોગ કરીને ખેડૂતો ઓછા ખર્ચે વધુ નફો કમાઈ શકે છે. ડ્રોન ખેતીને (Drone farming) પ્રોત્સાહન આપવા માટે તેની ખરીદી પર સબસિડી આપવામાં આવી રહી છે.

મહત્વનું છે કે સરકાર ખેડૂતોને ડ્રોનની કિંમતના 50 ટકા સબસિડીના દરે મહત્તમ રૂ. 5 લાખ સુધીની આર્થિક સહાય આપી રહી છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકારે ડ્રોન પર સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે.

તમને જણાવી દઈએ કે ડ્રોન વડે ખેતી કરવામાં ખેડૂતોનો ખર્ચ ઓછો થાય છે. આ સાથે ઉભા પાકને ફળદ્રુપ કરવું અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો ખૂબ જ સરળ બને છે. તેનાથી ખેડૂતોનો સમય પણ બચે છે. તેમજ પાકને કોઈપણ પ્રકારે નુકસાન થતું નથી.

કયા ખેડૂતોને કેટલી સબસીડી મળે છે ?

નાના અને સીમાંત ખેડૂતો, મહિલા ખેડૂતો અને પૂર્વોત્તર રાજ્યોના ખેડૂતોને ડ્રોનની કિંમતના 50 ટકાના દરે મહત્તમ રૂ. 5 લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. આ સાથે અન્ય ખેડૂતોને ડ્રોન ખરીદવા પર 40 ટકા અથવા વધુમાં વધુ 4 લાખ રૂપિયાની સબસિડી મળે છે.

આ પણ વાંચો :-

 

ટાટા ગ્રુપની આ કંપની થોડા જ દિવસોમાં આપી શકે છે 21% સુધી વળતર, ICICI ડાયરેક્ટે આપી ખરીદીની સલાહ

0

This Tata Group company can offer up to 21%

  • વર્ષ 2020માં કોરોના સંક્રમણ પછી પ્રવાસન ઉદ્યોગ પર ઘણી અસર થઈ છે. દેશવિદેશમાં ટૂર એન્ટ ટ્રાવેલ્સની ઘણી કંપનીઓ નુકસાન વેઠી ચૂકી છે. હવે જ્યારે બધુ જ સામાન્ય થઈ ગયુ છે, ત્યારે ટૂર એન્ડ ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના કારોબારમાં શાનદાર તેજી આવે તેવી આશા છે.

શેરબજારમાં (Stock market) રોકાણ કરીને કોણ કમાણી કરવા નથી માંગતા. જો તમે પણ શેરોમાં રોકાણથી કમાણી કરવા માંગો છો. તો ટાટા ગ્રુપની (Tata Group) વ્યૂહાત્મક બિઝનેસ શાખા ઈન્ડિયન હોટેલ્સમાં (In Indian hotels) રોકાણ કરી શકો છો. ICICI ડાયરેક્ટે ઈન્ડિયન હોટેલ્સના શેરોને બે રેટિંગ આપી છે અને તેની લક્ષ્ય કિંમત 380 રૂપિયા નક્કી કરી છે. તેનો અર્થ છે કે તમે થોડા જ દિવસોમાં ઈન્ડિયન હોટેલ્સના શેરોમાં 21 ટકાની કમાણી કરતા જોઈ શકો છો.

ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના કારોબારમાં તેજી આવે તેવી આશા :

વર્ષ 2020માં કોરોના સંક્રમણ પછી પ્રવાસન ઉદ્યોગ પર ઘણી અસર થઈ છે. દેશવિદેશમાં ટૂર એન્ટ ટ્રાવેલ્સની ઘણી કંપનીઓ નુકસાન વેઠી ચૂકી છે. હવે જ્યારે બધુ જ સામાન્ય થઈ ગયુ છે. ત્યારે ટૂર એન્ડ ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના કારોબારમાં શાનદાર તેજી આવે તેવી આશા છે.

આવકમાં 69 ટકાનો વધારો થયો છે :

ચાલૂ નાણાકીય વર્ષના બીજા ક્વાટરમાં ઈન્ડિયન હોટેલ્સે શાનદાર આવક વૃદ્ધિ નોંધાવી છે. ઈન્ડિયન હોટેલ્સનું માર્જિન અને નફાકારકતા બ્રોકરેજના અંદાજ કરતા ઓછી કરી છે. ICICI ડાયરેક્ટે કહ્યુ કે ઈન્ડિયન હોટેલ્સની આવકમાં 69 ટકાનો વધારો થયો છે.

વાર્ષિક આધાર પર સપ્ટેમ્બર ક્વાટરમાં ઈન્ડિયન હોટેલની આવક 1,232 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. તે કોરોના આફત પહેલાની સરખામણીમાં 22 ટકા વધ્યો છે. આ રીતે ઈન્ડિયન હોટેલ્સના એબિટડા માર્જિનમાં 800 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે.

ICICI ડાયરેક્ટે ખરીદારીની સલાહ આપી :

આ કોરોના આફત પહેલાથી 24 ટકાથી વધુ વધ્યો છે. ઈન્ડિયન હોટેલ્સના એબિડટા માર્જિનમાં ક્વાટરના આધાર પર સામાન્ય ઘટાડો થયો છે. બ્રોકરેડના અનુમાનથી નબળા પરિણામ હોવાને કારણે પણ ઈન્ડિયન હોટેલનું માર્જિન 10 વર્ષોમાં સારુ રહ્યુ છે. આ કારણે ICICI ડાયરેક્ટે ઈન્ડિયન હોટેલ્સના શેરોમાં ખરીદારીની સલાહ આપી છે.

આ પણ વાંચો :-

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના કરોડો ગ્રાહકોને પડશે મોટો ફટકો, સરકારી ઓઇલ કંપનીઓએ લીધો મોટો નિર્ણય

0

Crores of customers of commercial gas cylinders

  • સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર 200 થી 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું. જેને હવે નાબૂદ કરી દેવામાં આવ્યું છે.

દેશભરમાં ગેસ સિલિન્ડરની (Gas cylinder) વધતી કિંમતોને લઈને સરકારી તેલ કંપનીઓએ મોટો નિર્ણય લીધો છે. હવે તમારે ગેસ સિલિન્ડર ખરીદવા માટે પણ વધુ રૂપિયા ખર્ચવા પડશે. તમને જણાવી દઈએ કે એલપીજી સિલિન્ડર પર મળતું ડિસ્કાઉન્ટ (Discount) હવે બંધ કરવામાં આવ્યું છે. એટલે કે હવેથી તમારે LPG બુક કરાવવા માટે પણ વધુ રૂપિયા ખર્ચવા પડશે.

ડિસ્કાઉન્ટ થશે બંધ :

તમને જણાવી દઈએ કે સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર 200 થી 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું. જેને હવે નાબૂદ કરી દેવામાં આવ્યું છે. કોમર્શિયલ સિલિન્ડર પર વધુ ડિસ્કાઉન્ટ આપતા વિતરકોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારી ઓઈલ કંપનીઓએ આદેશ આપ્યા :

દેશની ત્રણ સરકારી ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી) અને એચપીસીએલ અને બીપીસીએલને માહિતી આપતા તેઓએ વિતરકોને કહ્યું છે કે હવેથી કોઈપણ કોમર્શિયલ ગેસ સિલિન્ડર ધરાવતા ગ્રાહકોને ગેસ સિલિન્ડર પર ડિસ્કાઉન્ટની સુવિધા મળશે નહીં. આ નિર્ણય 8 નવેમ્બરથી લાગુ થઈ ગયો છે.

કયા સિલિન્ડરો પર ડિસ્કાઉન્ટ સમાપ્ત થયું :

ઈન્ડિયન ઓઈલ પાસેથી મળેલી માહિતી અનુસાર, 19 કિલો અને 47.5 કિલોના સિલિન્ડર ડિસ્કાઉન્ટ વિના વેચવામાં આવશે. આ સાથે HPCL એ કહ્યું છે કે 19 kg, 35 kg, 47.5 kg અને 425 kg ના સિલિન્ડરો પર ઉપલબ્ધ તમામ ડિસ્કાઉન્ટ નાબૂદ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :-

Heart Attack Video : લગ્નમાં સ્ટેજ પર ડાન્સ કરતા આવ્યો હાર્ટ એટેક, 40 વર્ષના શિક્ષકનું મોત

0

Heart Attack Video: 40-year-old teacher

  •  રાજસ્થાનમાં 40 વર્ષના એક ટીચરને લગ્નમાં સ્ટેજ પર ડાન્સ કરવા સમયે અચાનક હાર્ટ એટેક આવી ગયો અને તે નીચે પડી ગયો. તેમને હાર્ટ એટેક આવ્યો તે સમયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

રાજસ્થાનમાં (Rajasthan) પાલી જિલ્લામાં એક લગ્ન સમારોહમાં સ્ટેજ પર ડાન્સ કરી રહેલ 40 વર્ષીય એક ટીચરનું હાર્ટ એટેકથી (A teacher’s heart attack) મોત થઈ ગયું છે. ડાન્સ કરતા-કરતા ટીચર અચાનક નીચે પડી ગયા અને પછી ઉઠી શક્યા નહીં. શરૂઆતમાં લોકો તેને ડાન્સનું (Dance) કોઈ સ્ટેપ સમજી રહ્યાં હતા.

પરંતુ ત્યારબાદ ખબર પડતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટીચરને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સ્ટેજ પર ટીચરનો હાર્ટ એટેકથી થયેલા મોતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સ્ટેજ પર ડાન્સ કરતા આવ્યો હાર્ટ એટેક :

પોલીસ પ્રમાણે ટીચર સલીમ પઠાણ પાલી જિલ્લાના રાણાવાસ ગામમાં બનેલી રામસિંહ ગુડા સરકારી સ્કૂલમાં કાર્યરત હતા. તે શુક્રવારે રાત્રે પોતાના પરિવારની સાથે એક લગ્ન સમારોહમાં સામેલ થવા ગયા હતા. અચાનક તેમને હાર્ટ એટેક આપ્યો અને નીચે પડી ગયા હતા. શરૂઆતમાં લોકો સમજી શક્યા નહીં કે શું થયું છે. ઘણા લોકોને લાગ્યું કે આ તેમના ડાન્સનો કોઈ સ્ટેપ છે.

પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો :

મૃતક સલીમ પઠાણ ઘણી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તે યુથ કોંગ્રેસના પૂર્વ બ્લોક અધ્યક્ષ હતા. તેમના આકસ્મિત નિધનથી લોકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. પરિવારના લોકો સમજી શકતા નથી કે જે વ્યક્તિ બે મિનિટ પહેલા ડાન્સ કરી રહ્યો હતો. તેને અચાનક હાર્ટ એટેક કેમ આવ્યો. તેમના પરિવાર માટે આ સમય મુશ્કેલ છે અને તેમના સાથી શિક્ષક તેમના પરિવારને સાંત્વના આપી રહ્યાં છે.

આ પણ વાંચો :-

ચૂંટણી પહેલા જ NCPમાં કડાકો ? નારાજ કાંધલ જાડેજાએ આપ્યું રાજીનામું

0

Crackdown in NCP before the election

  • વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી NCP નેતા કાંધલ જાડેજાએ ભાજપ નેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવ્યા હતા અને જીત મેળવી હતી.

કુતિયાણાના (Kutiyana) ધારાસભ્ય કાંધલ જાડેજા (MLA Kandhal Jadeja)એ NCPમાંથી રાજીનામું આપી દીધું છે. NCPથી નારાજ કાંધલે 2 દિવસ પહેલા કુતિયાણામાંથી ફોર્મ ભર્યુ હતુ. એનસીપી અને કોંગ્રેસે ત્રણ બેઠકો પર ગઠબંધન કરી લીધા બાદ કાંધલ જાડેજાએ (Kandhal Jadeja) કુતિયાણા બેઠક પરથી એનસીપીનાં ઉમેદવાર તરીકે જ ફોર્મ ભર્યું હતુ. ત્યારે તેમણે જણાવ્યું હતુ કે કોંગ્રેસ-એનસીપીનાં (Congress-NCP) ગઠબંધન અંગે તેમને જાણ નથી. ત્યારે કાંધલ અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી શકે છે.

નોંધનીય છે કે કોંગ્રસ અને એનસીપીએ ગંઠબંધન કરી લીધું છે. તેમણે ત્રણ બેઠક નરોડા, ઉમરેઠ, દેવગઢ બારિયા માટે ગઠબંધન કરી લીધું છે. આ અંગે એનસીપીના જયંત બોસ્કી અને કોંગ્રેસનાં જગદીશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. આ પહેલા પણ કોંગ્રેસ પ્રભારી સહિત નેતાઓ સાથે બેઠક થઇ હતી. ઘણાં સમયથી કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધનની ચર્ચા થઇ રહી હતી.

બે ચૂંટણીથી અહીંથી જીતી રહ્યા છે કાંધલ :

આપને જણાવીએ કે કાંધલ જાડેજા ગત બે ચૂંટણીમાં અહીંથી જીત મેળવે છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી NCP નેતા કાંધલ જાડેજાએ ભાજપ નેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવ્યા હતા અને જીત મેળવી હતી.

આ ચૂંટણીમાં કોંગ્રેસ અને NCPનું ગઠબંધન ના હોવા છતાં કાંધલ જાડેજાએ એકલા હાથે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષો સહિતના 11 જેટલા ઉમેદવારોને કારમો પરાજય આપી 24 હજારથી વધુની જંગી બહુમતીથી જીત મેળવી હતી. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કાંધલ જાડેજાએ ત્રણ ટર્મથી ચૂંટાતા ભાજપ નેતા કરશન ઓડેદરાને જંગી બહુમતીથી હરાવ્યા હતા.

આ પણ વાંચો :-

AADHAAR કાર્ડ ખોવાઈ જાય અને AADHAAR નંબર યાદ જ ના હોય તો શું કરવું ? સમજો આખી પ્રોસેસ

0

What to do if AADHAAR card is lost and AADHAAR

  • આધાર કાર્ડ એ આજકાલ કોઇપણ કામ માટે સૌથી વધુ વાપરવામાં આવતું દસ્તાવેજ છે ત્યારે જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય અથવા આધાર નંબર ભૂલી ગયા છો તો આટલું કરો.

આધાર કાર્ડ (Aadhar card) એ ભારતના સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. તે દેશમાં સૌથી વધુ સ્વીકૃત ઓળખ દસ્તાવેજોમાંનું એક છે. આધાર કાર્ડમાં એક અનન્ય 12-અંકનો રેન્ડમ કોડ હોય છે જેને આધાર નંબર અથવા UID પણ કહેવાય છે.

આ નંબર ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો વ્યક્તિ પાસે આધાર કાર્ડની નકલ ન હોય તો પણ તે મોટાભાગના સ્થળોએ સ્વીકાર્ય છે. નંબરનું બીજું મુખ્ય પાસું એ છે કે તમે તેનો ઉપયોગ કરીને આધાર કાર્ડને જ ડાઉનલોડ કરી શકો છો.

જો આધાર કાર્ડ ખોવાઈ જાય તો ?

પરંતુ જો તમને આધાર નંબર અથવા UID યાદ ન હોય તો શું ? તો હવે ચિંતા કરશો નહીં, ફોર્ગોટ કરવાની પણ એક રીત છે. તમારે ફક્ત એક નોંધાયેલ મોબાઇલ નંબરની જરૂર છે.

શું જરૂરી છે :

રજિસ્ટર્ડ નંબર અથવા રજિસ્ટર્ડ ઈમેલ આઈડી, મોબાઈલ નંબર એસએમએસ સુવિધા સાથે સક્રિય હોવો જોઈએ, ઈન્ટરનેટ કનેક્ટિવિટી

આધાર નંબર અથવા UID ફરી મેળવવાની ઓનલાઇન પદ્ધતિ :

  1. કોઈપણ બ્રાઉઝર પર https://resident.uidai.gov.in/ ખોલો
  2. MyAadhaar બટન પર ક્લિક કરો.
  3. નીચે સ્ક્રોલ કરો અને આધાર સેવા વિભાગ શોધો.
  4. હવે, ‘રીટ્રીવ, લોસ્ટ અથવા ભૂલી ગયેલા EID/UID’ પર ક્લિક કરો.
  5. હવે નામ અને રજીસ્ટર મોબાઈલ નંબર દાખલ કરો
  6. પ્રાપ્ત થયેલ OTP અને Captcha દાખલ કરો અને લોગિન બટન પર ક્લિક કરો.
  7. ત્યાર પછી, તમે તમારા દ્વારા પસંદ કરેલ તમારા રજીસ્ટર્ડ ફોન નંબર અથવા ઈમેઈલ આઈડી પર તમારો આધાર નંબર અથવા એનરોલમેન્ટ આઈડી મળશે.
  8. આગલા પૃષ્ઠ પર, આધાર નંબર (UID) વિકલ્પ પસંદ કરો. નોંધ: જો તમે EID શોધવા માંગતા હોવ તો નોંધણી ID (EID) વિકલ્પ પસંદ કરો અને બાકીના પગલાં અનુસરો.
  9. હવે આધાર કાર્ડ, રજિસ્ટર્ડ ફોન નંબર અથવા ઈમેલ આઈડીમાં દર્શાવેલ તમારું પૂરું નામ દાખલ કરો. નોંધ કરો કે તમે તમારા ફોન નંબર અથવા ઈમેલ આઈડી પર એક OTP પ્રાપ્ત કરશો, તમે જે પણ વિકલ્પ પસંદ કરશો. તેથી ખાતરી કરો કે આ પ્રક્રિયા કરતી વખતે તમારી પાસે તેમની એક્સેસ હોવી જરૂરી છે.

આ પણ વાંચો :-

સિંહ તો સિંહ કહેવાય : પુત્રએ પાર્ટીમાંથી હાંકી કાઢતા છોટુ વસાવાએ કહ્યું-હું પોતે જ પાર્ટી છું મારે કોઈ પાર્ટીની જરૂર નથી

0

A lion is called a lion: Chotu Vasava said while

  •  વિધાનસભાની ચૂંટણી ટાણે ભરૂચની ઝઘડિયા બેઠકના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. છોટુ વસાવાની સામે તેમના જ પુત્ર મેદાને આવ્યા છે. ત્યારે છોટુ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે.

રાજકારણ એવું ક્ષેત્ર છે. જ્યાં ભાઈ-ભાઈને વેરી બનાવે છે. પિતા-પુત્ર દુશ્મન બની જાય છે. ખુરશીના મોહમાં નેતાઓ સંબંધો ભૂલીને વિરોધીઓ બને છે તેવા એક નહિ, અનેક કિસ્સા છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા જ કાવાદાવા રચાઈ રહ્યાં છે. બીટીપીના સ્થાપકને (Founder of BTP) તેમના પુત્રએ બીટીપીમાંથી હકાલપર્ટી કરી છે.

બીટીપીના સંસ્થાપક છોટુ વસાવાને (Chotu Vasava) પુત્ર મહેશ વસાવાએ (Mahesh Vasava) પાર્ટીમાંથી બહાર કર્યાં છે. ત્યારે પાર્ટીમાંથી હકાલપટ્ટી (Expulsion) બાદ છોટુ વસાવાએ અપક્ષ લડવાની જાહેરાત કરી છે. સાથે જ છોટુ વસાવાએ હુંકાર કરતા કહ્યું કે, હું પોતે જ પાર્ટી છું મારે કોઈ પાર્ટીની જરૂર નથી.

પુત્ર મહેશ વસાવાએ પિતા છોટુ વસાવાને બીટીપીમાંથી અલગ કર્યા છે. જેના બાદ છોટુ વસાવાએ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટના મોહમાં પુત્ર મહેશ વસાવાએ પિતા છોટુ વસાવા અને સગા ભાઈ દિલીપ વસાવાને પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે.

મહેશ વસાવાએ પોતાના પિતા છોટુ વસાવાને BTP માંથી બેદખલ કર્યા છે. જેને પગલે તેમના બીજા પુત્ર દિલીપ વસાવાએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવા છે. આમ, મહેશ વસાવા પિતા અને સગો ભાઈ સામે જ મેદાને પડ્યા છે. ટિકિટના ચક્કરમાં પિતા-પુત્ર અને ભાઈનો સંબંધ તૂટ્યો છે.

બીટીપીમાંથી પુત્રએ હકાલપટ્ટી બાદ છોટુ વસાવાએ અપક્ષ લડવાની જાહેરાત કરી છે. BTP સંસ્થાપક જ પક્ષ માટે પારકા થયા છે. આમ, જ્યારે પિતાએ અપક્ષ લડવાનુ મન બનાવી લીધુ છે ત્યારે હવે ઝઘડિયા બેઠક પર છોટુ વસાવા VS મહેશ વસાવાનો જંગ જોવા મળશે.

અપક્ષ લડવાની જાહેરાત બાદ છોટુ વસાવાએ કહ્યું કે, હું પોતે જ પાર્ટી છું મારે કોઈ પાર્ટીની જરૂર નથી. સરકાર જેવું કશું જ છે નહિ, નહી તો મોરબી જેવા કાંડ થાય જ નહિ. આ પોલીસનું રાજ છે બાકી સરકાર, ભાજપ કે મોદીનું રાજ હોય એવું લાગતું નથી. પુત્ર મહેશ વસાવા અંગે પૂછતા છોટુ વસાવાએ જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યુ હતું કે, અલા ભાઈ તમે એને પૂછી લેજોને મને શું પૂછવાનું.

આ પણ વાંચો :-