Home Blog Page 1253

જો લોન લેનારનું મૃત્યુ થઇ જાય તો પછી ભરપાઈની જવાબદારી કોની ? જાણી લો શું છે તેની માટેના નિયમ

0

If the borrower dies, then who is responsible

  • લોન લેનારની મૃત્યુ પછી લોનની બાકીની રકમ તેના ઉત્તરાધિકારી એ ચૂકવવાની રહેશે કે શું ? તેને લઈને કોઈ નિયમ છે કે નહીં ? આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આપણે દરેકે જોયું હશે અને ઘણા લોકો એ કર્યું પણ હશે કે જ્યારે પણ પૈસાની (Money) જરૂર હોય છે આવી સ્થિતિમાં મહત્વપૂર્ણ કામો કરાવવા માટે લોકો બેંકમાંથી લોનનો (A Loan Bank) સહારો લે છે. જણાવી દઈએ કે લોન પણ વિવિધ પ્રકારની હોય છે જેમ કે પર્સનલ લોન (Personal Loan), કાર લોન, હોમ લોન વગેરે.

દરેક ગ્રાહકો તેમની જરૂરિયાત મુજબ અલગ અલગ લોન છે અને એ લોન લીધા પછી દર મહિને હપ્તા ભરીને તેને ચુકવણી કરે છે. પણ ઘણી વખત એવું બને છે કે લોન લેનાર વ્યક્તિનું (Borrower) કમનસીબે મૃત્યુ થાય છે. પણ શું ક્યારેય એવું વિચાર્યું છે કે લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થયા પછી લોનની રકમ બાકી રહે છે તેની કોણ ચુકવણી કરે છે ?

લોન લેનાર વ્યક્તિની મૃત્યુ થવાના સંજોગોમાં લોનની ચુકવણી કોણ કરશે તેના પર અનેક સવાલો ઉભા થાય છે. લોનની બાકીની રકમ તેના ઉત્તરાધિકારી એ ચૂકવવાની રહેશે કે શું ? તેને લઈને કોઈ નિયમ છે કે નહીં ? આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે લોન લેનારની મૃત્યુ પછી લોનની ચુકવણી અંગે દરેક પ્રકારની લોનના અલગ-અલગ નિયમો હોય છે. હોમ લોન રિકવરી અંગે અલગ નિયમો છે અને પર્સનલ લોન રિકવરીના પણ અલગ નિયમો છે.

પર્સનલ લોનનું શું થશે ?

જો આપણે પર્સનલ લોન વિશે વાત કરીએ તો પર્સનલ લોન સિક્યોરડ લોન નથી હોતી. આવી સ્થિતિમાં જો પર્સનલ લોન લેનાર વ્યક્તિક મનસીબે મૃત્યુ પામે છે તો બેંક અન્ય કોઈ વ્યક્તિ અથવા તેના ઉત્તરાધિકારી પાસેથી પૈસા વસૂલ કરી શકતી નથી. પર્સનલ લોનમાં જે વ્યક્તિએ લોન લીધી છે તેના મૃત્યુ પછી થી તેની લોન પણ સમાપ્ત થઈ જાય છે.

ક્રેડિટ કાર્ડની ચુકવણીનું શું થશે? 

ક્રેડિટ કાર્ડ અસુરક્ષિત લોનની શ્રેણીમાં આવે છે. આથી તેને સુરક્ષિત લોન તરીકે ગણવામાં આવતી નથી અને કાર્ડધારકના મૃત્યુના કિસ્સામાં બેંક બાકી રકમને રાઈટ ઓફ કરી દે છે. એટલા માટે બેંક અન્ય કોઈ વ્યક્તિ, વારસદાર અથવા કાનૂની વારસદાર પાસેથી લેણાં વસૂલ કરી શકતી નથી.

હોમ લોનનું શું થશે ? 

જો કોઈ વ્યક્તિ હોમ લોન લે છે અને એ લોનનમાં બદલામાં તેના ઘરના કાગળને બદલે ગીરવે મૂકે છે. અને જો હોમ લોન લીધા પછી એ વ્યક્તિની મૃત્યુ થઈ જાય છે તો આવી પરીસ્થિતિમાં તેના દ્વારા લીધેલ લોનની ચુકવણીની જવાબદારી તેના સહ-લોન લેનાર અથવા તો વ્યક્તિના ઉત્તરાધિકારીએ આ લોનની ચુકવણી કરવી પડે છે.

ઓટો લોન કોણ ચૂકવશે ?

જો કોઈ વ્યક્તિએ ઓટો લોન લીધી હોય અને કોઈ કારણસર અકાળે તેનું મૃત્યુ થઈ જાય તો બાકીની રકમ પરિવારના સભ્યોએ ચૂકવવી પડશે. જો પરિવાર એ ચુકવણી નથી કરી શકતા તો બેંક કારની હરાજી કરીને તેના પૈસા વસૂલ કરે છે.

આ પણ વાંચો :-

Business Idea : માત્ર એક એકર જમીનમાં કરો આ પ્રકારે ખેતી, લાખોમાં નહિ પરંતુ કરોડોમાં થશે કમાણી

0

Business Idea: Do this kind of farming in just

  • Turmeric Vertical Farming : વાસ્તવમાં દેશમાં સતત વધતી વસ્તી, ઘર-મકાન અને ફેક્ટરીના કારણે ખેતીની જમીન ઓછી થઈ રહી છે. એવામાં ઓછી ખેતી દ્વારા વધારે ફાયદો મેળવવાની ઈચ્છા હોય છે.

તમે હળદરની (Turmeric) ખેતી વિશે તો સાંભળ્યુ જ હશે. પરંતુ તેનાથી થનારી કમાણી વિશે જો અમે તમને કહીએ કે તેનાથી લાખો નહિ પરંતુ કરોડોનો ફાયદો (A gain of crores) થવાનો છે. તે પણ દર વર્ષે તો કદાચ તમે વિશ્વાસ ન કરો. પરંતુ તે હકીકત છે. વાસ્તવમાં દેશમાં સતત વધતી વસ્તી, ઘર-મકાન અને ફેક્ટરીના કારણે ખેતીની જમીન ઓછી થઈ રહી છે. એવામાં ઓછી ખેતી (Farming) દ્વારા વધારે ફાયદો મેળવવાની ઈચ્છા હોય છે.

ઓછી જમીન પર વધારે ઉપજ :

આવી જ એક તકનીકનું નામ છે વર્ટિકલ ફાર્મિંગ (Vertical farming). કૃષિ સાથે જોડાયેલી ઘણી બધી કંપનીઓ આ પ્રકારે ખેતી કરે છે. લોકોનું માનવુ છે કે આ તકનીક દ્વારા એક એકર જમીનમાં 100 એકરના બરાબર ઉપજ કરી શકાય છે. જો તમે પણ આ બિઝનેસ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હોવ તો હળદરની વર્ટિકલ ફાર્મિંગ કરીને તમે તમારા સપનાઓને પાંખ લગાવી શકો છો.

વર્ટિકલ ફાર્મિંગ માટે આ વસ્તુઓની જરૂરિયાત હોય છે :

વર્ટિકલ ફાર્મિંગ માટે સૌથી પહેલા તમારે જીઆઈ પાઈપની જરૂર પડે છે. આ પાઈપ પર 2-3 ફૂટ ઊંડા અને 2 ફૂંટ પહોળા લાંબા-લાંબા કન્ટેનર્સને વર્ટિકલ રીતે સેટ કરવામાં આવે છે. પ્રત્યેક કન્ટેનરનો ઉપરી ભાગ ખુલ્લો રહે છે. આમાં જ હળદર ઉગાડવામાં આવે છે.

કેવી રીતે થાય છે ખેતી ?

હળદરની વર્ટિકલ ફાર્મિંગ માટે 10-10 સેમીના અંતરે બોક્સને ક્રોસવાઈઝ લગાવવામાં આવે છે. માટી વાળા કન્ટેનરમાં હળદરના બીજની બે લાઈન કરવામાં આવે છે. થોડા સમય પથી હળદર ઉગી આવે છે. તે સીધી ઉપરની તરફ વધે છે. છોડ મોટો થવા પર પાંદડા આજુ-બાજું નીકળી આવે છે. હળદરની ખેતી માટે વર્ટિકલ ફાર્મિંગને જ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

કેટલો ફાયદો થશે :

ઉદાહરણ તરીકે એક વર્ષમાં જો તમારી પાસે 250 ટન હળદરની ઉપજ હોય છે. તો તમારી પાસે અઢી કરોડ રૂપિયા આવશે. જો આમાં 70થી 80 લાખ ખર્ચો પણ માની લો તો તમને સરળતાથી ડોઢથી પોણા બે કરોડ રૂપિયા બચી જાય છે. ત્યારબાદ તમે હળદરનો પાઉડર બનાવીને પણ વેચી શકો છો.

આ પણ વાંચો :-

આ છે ગુજરાતની એવી બેઠકો કે કોંગ્રેસ આ બેઠકો મોદી લહેરમાં પણ હારી નથી !

0

These are the seats of Gujarat that Congress

  • વર્ષ 2017ની ચૂંટણીમાં ગુજરાતમાં અનેક બેઠકો એવી હતી કે જ્યાં જીત-હારનું માર્જિન 3,000થી ઓછું હતું.

મોદીની લહેર (Modi wave) ગુજરાતમાં ઘણા વર્ષોથી રહી છે. 2002માં તો મોદીની ઉજળી પ્રતિભા અને હિન્દુત્વ (Hinduism) ચરમસીમાએ હતા. એ વખતે પણ કોંગ્રેસ (Gujarat Congress) તેના ગઢ તો સાચવતી જ રહી છે. સ્વાભાવિક છે કે ભાજપ પણ અનેક બેઠકો ક્યારેય હાર્યું નથી.

તો બીજી તરફ કોંગ્રેસ ખત્મ થઇ રહ્યાની હવા ભલે ચાલતી રહી છે પણ કોંગ્રેસ પણ હજુ તેના ગઢ સાચવીને જ બેઠી છે. રાજ્યમાં પૂરી એક ડઝન બેઠકો એવી છે. જે કોગ્રેસ છેલ્લા 24 વર્ષમાં ક્યારેય હારી નથી. આ એક ડઝન બેઠકો કઇ છે તે જાણવું જરૂરી છે. કોંગ્રેસ છેલ્લા 24 વર્ષમાં ક્યારેય હારી ન હોય એવી 12 બેઠકો

નીચે મુજબ છે :

વ્યારા
જમાલપુર – ખાડિયા
વાંસદા
ખેડબ્રહ્મા
કપરાડા
મહુધા
બોરસદ
ભિલોડા
દાંતા
દરિયાપુર
વડગામ
જસદણ

આ પણ વાંચો :-

વડોદરાના ઉમેદવાર મનીષા વકીલની મિલકતનું સરવૈયું, 5 વર્ષમાં 5 ગણી વધી, દીકરો પણ લખપતિ બન્યો

0

Vadodara candidate Manisha Vaki

  • ડોદરા શહેર વિધાનસભાના ભાજપ ઉમેદવાર મનીષા વકીલે આજે ફોર્મ ભર્યું, જેમાં તેમની મિલકતમાં કેટલો વધારો થયો તે માહિતી સામે આવી.

વડોદરા શહેર (Vadodara City) વિધાનસભા બેઠક પર પાર્ટીએ સતત ત્રીજી વખત મનીષાબેન વકીલને (Manishaben Vakil) ટિકિટ આપી છે. ત્યારે આજે વડોદરાના શહેર વિધાનસભાના ઉમેદવાર મનીષા વકીલ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. તેઓએ વડોદરાના યવતેશ્વર મહાદેવ મંદિરમાં (Yavateshwar Mahadev Temple) દર્શન કર્યા બાદ પગપાળા ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.

હાલમાં મનીષા વકીલ રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી (Minister of Women and Child Development) છે. ત્યારે તેમની ઉમેદવારી ફોર્મમાં તેમની સંપત્તિની માહિતી સામે આવી છે. જેમાં જાણવા મળ્યું કે વડોદરા શહેર વિધાનસભાના ભાજપના ઉમેદવાર મનીષાબેન વકીલનું પાંચ વર્ષમાં દેવું ઘટયું અને સંપત્તિમાં વધારો થયો છે.

મનીષા વકીલના જંગમ મિલકતમાં 5 વર્ષમાં 5 ગણો વધારો થયો. જ્યારે તેમના પતિ રાજીવ વકીલની જંગમ મિલકતમાં 10 ગણો વધારો થયો છે. તો 5 વર્ષમાં મનીષા વકીલનો પુત્ર પણ લખપતિ બન્યો છે. પુત્રની જંગમ મિલકત શૂન્ય હતી. જે વધીને 22,18,654 થઈ છે. મનીષા વકીલ અને પતિ રાજીવ વકીલની સ્થાવર મિલકત 5 વર્ષમાં બમણી થઈ છે. 2022 માં તેમની સંપત્તિમાં અઢળક વધારો થયો છે.

2017માં સ્થિતિ :

મનીષાબેન વકીલની 2017માં જંગમ મિલકતો 7,93,633 રૂ હતી. તેમના પતિ રાજીવ વકીલની મિલકત 6,20,331 રૂપિયા હતી અને તેમના હાથ પર રોકડ 5/5 હજાર રૂપિયા હતાય તો સ્થાવર મિલકત 35 લાખ રૂપિયા હતી. તેમનુ દેવું 22 લાખ હતું.

2022માં સ્થિતિ :

2022 માં તેમની સંપત્તિમાં વધારો થયો છે. મનીષા વકીલ અને પતિ રાજીવ વકીલનું 5 વર્ષમાં દેવું 22 લાખથી ઘટીને 18.50 લાખ થયું છે. તો આ પાંચ વર્ષમાં મનીષા વકીલે કેટલીક સંપત્તિની પણ ખરીદી કરી. 5 વર્ષમાં બે નવી કારની ખરીદી કરી. તો ખેતીની જમીન પણ ખરીદી.

મનીષા વકીલની જંગમ મિલકત :

મનીષાબેનના હાથમાં રોકડ 5000થી વધીને 74000 રૂપિયા થયા છે. પતિ રાજીવ વકીલના હાથમાં રોકડ 5000 હતા, તે વધીને 62 હજાર રૂપિયા અને પુત્રના હાથમાં રોકડ 12500 રૂપિયા થયા છે. તેમની કુલ જંગમ મિલકત 37,94,492 બતાવાઈ છે. તો પતિની 62,74,444 રૂપિયા અને પુત્રની 22,18,654 રૂપિયા થઈ છે.

મનીષા વકીલની સ્થાવર મિલકત :

કુલ સ્થાવર મિલકત 38,50,000 રૂપિયા થઈ છે. પતિ રાજીવ વકીલની કુલ સ્થાવર મિલકત 39,00,000 રૂપિયા થઈ છે. મનીષાબેન વકીલનું દેવુ 9,10,131 રૂપિયા છે, તો પતિનું દેવું 9,34,903 રૂપિયા છે.

આ પણ વાંચો :-

ખરખરીનો જંગ તો પંચમહાલમાં છે, પ્રભાતસિંહ ચૌહાણના પત્ની અને પુત્રવધુ જ વિરોધી પાર્ટીમાં

0

Kharkhari’s fight is in Panchmahal

  • ગુજરાતમાં ચૂંટણીના માહોલમાં ગરમાવો આવ્યો છે. ઉમેદવારોના નામ જાહેર થતા ચૂંટણી જંગમાં પ્રાણ ફૂંકાયો છે, પરંતુ અસલી ખરાખરીનો દાવ તો પંચમહાલમાં જોવા મળ્યો છે. પંચમહાલના કોંગ્રેસના ઉમેદવાર માટે યક્ષ પ્રશ્ન ઉભો થયો છે.

એક તરફ પ્રભાતસિંહે કોંગ્રેસના (Prabhat Singh Congress) સમર્થન સાથે ફોર્મ ભર્યું છે. તો બીજી તરફ તેમના પત્ની અને પુત્રવધુ ભાજપના ઉમેદવારના પડખે ઉભા રહ્યાં છે. એક જ પરિવાર બે અલગ અલગ રાજકીય પાર્ટીઓ સાથે આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

પંચમહાલની (Panchmahal) કાલોલ વિધાનસભાના ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણે (Fatesinh Chauhan) પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું, તો કોંગ્રેસમાંથી પ્રભાતસિંહ ચૌહાણે ઉમેદવારી કરી. પરંતુ અહીં રાજકારણના રંગ જ બદલાયા છે. પ્રભાતસિંહે કોંગ્રેસમાંથી (In Congress) ઉમેદવારી નોંધાવી તો સામે પુત્રવધુ અને પત્ની ભાજપના ઉમેદવાર સાથે આવ્યા છે.

પ્રભાતસિંહના પુત્રવધુ અને ગત ટર્મના ભાજપના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ અને તેમના પત્ની રંગેશ્વરી ભાજપ સાથે જ રહેશે. ભાજપના પડખે રહેવાનો નિર્ણય કરનાર પ્રભાતસિંહના પત્ની રંગેશ્વરીબેન અને પુત્રવધુ સુમનબેન ચૌહાણે આ વિશે કહ્યું કે પ્રભાતસિંહ કોઈ પણ પક્ષમાંથી ઉમેદવારી કરે તે એમનો વ્યક્તિગત નિર્ણય છે. પરંતું અમે ભાજપ સાથે જ છીએ. અમે ફતેસિંહને જંગી લીડથી જીતાડીશું.

પ્રભાતસિંહ ચૌહાણના પત્ની રંગેશ્વરી ચૌહાણે પણ કહ્યું કે પ્રભાતસિંહનો નિર્ણય એમનો પોતાનો છે. હું ભાજપ પાર્ટી સાથે જ છું અને રહેવાની છું. તો પારિવારિક જંગ વિશએ પ્રભાતસિંહે કહ્યું કે મારી દીકરાની પત્ની વિધવા છે એમની મરજી છે. જ્યાં જાય ત્યાં રંગેશ્વરીબેન મારી નોટેડ કરેલી પત્ની નથી આ તમને આજે ચોખ્ખું કહું. એને જ્યાં રહેવું હોય ત્યાં રહે એમાં શું? લોકશાહીમાં જેને જ્યાં રહેવું હોય ત્યાં રહે.

આમ ગુજરાતના રાજકારણમાં પહેલીવાર એવુ જોવા મળ્યુ છે કે ઉમેદવારના પરિવારજનો સામા ઉમેદવારને જીતાડવા મદદ કરી રહ્યાં છે. ત્યારે આ રાજનીતિમાં આગળ કેવા કેવા રંગ જોવા મળશે તે તો સમય આવ્યે જોવા મળશે.

આ પણ વાંચો :-

OPPO A1 Pro 5g Launch Date : 108MP કેમેરા અને દમદાર બેટરી સાથે લોન્ચ થશે OPPO નો નવો 5g ફોન, જાણો વિગત

OPPO A1 Pro 5g Launch Date

  • ઓપ્પો વધુ એક 5જી ફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ફોન 16 નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે. જાણો તેની દરેક વિગત…

ભારતીય સ્માર્ટફોન (Indian smartphone) માર્કેટમાં ઓપ્પોનો પણ દબદબો છે. હાલમાં કંપનીએ Oppo A58 લોન્ચ કર્યો છે અને હવે તે વધુ એક હેન્ડસેટ લોન્ચ (Launch the handset) કરવાની તૈયારી કરી રહી છે. કંપની પોતાનો નવો હેન્ડસેટ Oppo A1 Pro 5G ને 16 નવેમ્બરે લોન્ચ કરશે. રિપોર્ટ પ્રમાણે કંપનીએ પોતાના ઓફિશિયલ Weibo હેન્ડલથી આ ફોનની લોન્ચ ડેટ કન્ફર્મ કરી દીધી છે.

પરંતુ આ ફોનને સૌથી પહેલા ચીનમાં લોન્ચ કરવામાં આવશે. પછી તે ભારતમાં લોન્ચ થશે. લોન્ચિંગ પહેલા આ ફોનના ફીચર્સની ખુબ ચર્ચા શરૂ થઈ ગઈ છે. તમે પણ જાણો આ ફોનમાં શું ખાસ છે. કેમેરાથી લઈને બેટરી અને પ્રોસેસર કેટલા દમદાર છે આવો જાણીએ…

OPPO A1 Pro ફીચર્સ :

રિપોર્ટ પ્રમાણે આ ફોનમાં 6.7 ઇંચ AMOLED ડિસ્પ્લે હશે. જે FHD+ રિઝોલ્યૂશનની સાથે અને 10-bit કલરની સાથે આવશે. આ સિવાય ફિંગરપ્રિન્ટ સ્કેનર હશે. તે માનીને ચાલો કે તેની ડિસ્પ્લે આવી રહેલા OPPO Reno 9 સિરીઝ જેવી હશે.

હેન્ડસેટમાં Snapdragon 695 ચિપસેટ હશે. જે 12 GB LPDDR4x RAM ની સાથે આવશે. તેમાં UFS 3.1 નું 256 GB સ્ટોરેજ હશે. જેને તમે માઇક્રોએસડી કાર્ટ દ્વારા વધારી પણ શકો છો.

A1 Pro માં સેલ્ફી માટે જ્યાં 16 મેગાપિક્સલનો કેમેરો હશે, તો પાછળ તરફ 108 મેગાપિક્સલ + 2 મેગાપિક્સલનું ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. ફોનને પાવર આપવા માટે 5,000mAh બેટરી છે. જેને 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળી રહ્યું છે.

આ પણ વાંચો :-

15 નવેમ્બર 2022, આજનું રાશિફળ : આ 5 રાશિના મહાદેવની કૃપાથી ખુલી જશે ભાગ્યના દરવાજા- જાણો આજનું રાશિફળ

15 November 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
દિવસ દરમ્યાન નવી શક્તિનો સંચય થતો જણાય. પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો જણાય. જુના રોકાણથી લાભ મળતો જણાય. પરંતુ નવા રોકાણો મુલતવી રાખવા. માતાની તબિયત બગડતી જણાય.

વૃષભઃ
પરિવારમાં વિખવાદ થવાની શક્યતા છે. કરેલા કાર્યની સફળતામાં મુશ્કેલી રહે. જમણા હાથની કાળજી રાખવી. આજે આપને ભાગ્યનો સાથ મળતો નથી. મિત્રો સાથેના સંબંધો ન બગડે એનું ખાસ ધ્યાન રાખવું.

મિથુનઃ
દિવસ દરમ્યાન આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ-બહેનોની તબિયતની કાળજી રાખવી જરૂરી. જમણી આંખમાં ઈજાથી સાચવવું. સંતાન સુખ સારું મળશે. સંતાન મોજશોખમાં પૈસા વાપરશે. નવા નાણાંકીય રોકાણો લાભદાયક પુરવાર થાય.

કર્કઃ
અભ્યાસ, ગ્રહણશક્તિ વધે. બીજાની નકલ કરવાની ઈચ્છા થાય. વ્યસનથી દૂર રહેવું. ધનનો બગાડ ટાળવો. યાર્નને લગતાં, ટ્રાવેલીંગ, દલાલ, પ્રાણીઓ, પશુઓને લગતા ધંધાવાળાને ફાયદો. જીવનસાથીની તબિયત બગડતી જણાય.

સિંહઃ
રોગ પ્રતિકારક શક્તિ નબળી પડતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. ડિપ્રેશનના શિકાર ન બનાય એનું ધ્યાન રાખવું. આકસ્મિક ધનહાનિના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં ઉગ્રતા રહે. નોકરી-ધંધામાં પ્રગતિ.

કન્યાઃ
ખોટી સોબતને કારણે પસ્તાવાનો વખત આવે. સંતાનો તરફથી ચિંતા રહે. વિદ્યાર્થીવર્ગને માનસિક ટેન્શન રહે. આવક ઘટતી જણાય. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય કાર્યો મુલતવી રાખવા.

તુલાઃ
વિચારવાયુનું પ્રમાણ વધે. વિલંબે કાર્ય સફળતા સિદ્ધ થતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય બાબતો અંગે ચિંતા વધે. ખોટા નિર્ણય લેવાઈ જાય. પ્રતિષ્‍ઠાને હાનિ પહોંચતી જણાય.

વૃશ્ચિકઃ
આવક ઓછી થતી જણાય. પરિવારમાં મન દુઃખ થવાના યોગ બને છે. જો જમીન-મકાનમાં રોકાણ કર્યું હોય તો તેમાંથી ફાયદો મેળવી શકાય. નસીબનો સાથ મળતો નથી. ધાર્મિક બાબતોમાં રસ વધતો જણાય.

ધનઃ
આજે આપને માટે સૌથી અગત્યની બાબત આપનું આરોગ્ય છે. આજે સંભાળજો. શરદી-ખાંસી તાવથી અવશ્ય સાચવશો. માનસિક હાલત બગડતી જણાય. પાણીથી દૂર રહેવું. આજનો દિવસ ઘરમાં જ રહેવાની સલાહ છે.

મકરઃ
આજે આપે પત્નિની તબિયતનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી પત્નીએ બહાર નીકળવાનું ટાળવું. થોડી માનસિક અશાંતિ રહેશે. આપનું આરોગ્ય જળવાશે. નોકરી-ધંધા માટે સારો દિવસ છે.

કુંભઃ
મક્કમ મનોબળના દર્શન થશે. તકલીફનો હિંમતથી સામનો કરી શકાશે. આરોગ્યની કાળજી રાકવી જરૂરી બને છે. તાવ, શરદી, ખાંસી સતાવશે. જમણા પગનો દુઃખાવો સંભવી શકે. આર્થિક બાબતો માટે શુભ. સ્ત્રીવર્ગથી લાભ.

મીનઃ
આજે સંતાનના પ્રશ્નો સતાવશે. સંતાનની તબિયતની સાવચેતી રાખવી. પેટના રોગોથી સાચવવું. મિત્રોથી લાભ. આવક અંગે સંતોષ જળવાશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે. બેંક, એક્સપોર્ટ-ઈમ્પોર્ટનાં ધંધામાં પ્રગતિ.

આ પણ વાંચો :-

રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા અને બહેન નયનાબા વચ્ચે રાજકીય લડાઈ, જાણો કોણ કોનાથી છે ચઢીયાતું?

0

Political battle between Ravindra Jadejas wife Reevaba

  • નેતા ખાસ એટલા માટે છે કારણે તેમના પરિવારમાં સંબંધ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે છે. એક બાજુ છે રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા અને બીજી બાજુ બહેન નયનાબા જાડેજા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાલ રાજનીતિનો પારો ચરમસીમાએ પહોંચ્યો છે. પરંતુ અમુક સીટો પર ઉમેદવારો સાથે સીધું કનેક્શન નીકળી રહ્યું છે. જેના કારણે અલગ સમીકરણો બની રહ્યા છે. પરંતુ હાલ કોંગ્રેસ અને બીજેપીના બે નેતાઓએ તેણે વધુ દિલસ્પર્શ બનાવી દીધું છે.

નેતા ખાસ એટલા માટે છે કારણે તેમના પરિવારમાં સંબંધ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે છે. એક બાજુ છે રવિન્દ્ર જાડેજાની (Ravindra Jadeja) પત્ની રિવાબા જાડેજા (Rivaba Jadeja) અને બીજી બાજુ બહેન નયનાબા જાડેજા (Naynaba Jadeja). હાલ જામનગર ઉત્તરની (Jamnagar North) સીટ રાજનીતિની પીચ બની ગઈ છે.

આ સીટ પરથી ભાજપે જાડેજાની પત્ની રિવાબાને ટિકિટ આપી છે. જ્યારે બીજી બાજુ હવે કોંગ્રેસના નયનાબા જાડેજા તેમનો ખૂલીને વિરોધ કરી રહ્યા છે. તેમણે તાજેતરમાં આપેલું એક નિવેદન ચારેબાજુ ચર્ચાનું વિષય બન્યું છે. નયનાબા જાડેજાના નિવેદનથી એ સ્પષ્ટ છે કે નણંદ-ભાભી રાજનીતિના આ ખેલમાં એકબીજા વિરુદ્ધ આમને સામને ઉભા છે.

એવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસ આ સીટ પરથી નયનાબા જાડેજાને મેદાનમાં ઉતારશે. પરંતુ કોંગ્રેસે આ સીટ પરથી સ્થાનિક વ્યવસાયી દીપેન્દ્રસિંહ જાડેજાને ઉમેદવાર બનાવ્યા છે. જો કે મુકાબલો હજું પણ દિલસ્પર્શ એટલા માટે છે કારણ કે નણંદ જ ભાભીનો કડક શબ્દોમાં વિરોધ કરી રહ્યા છે અને તેમની હાર માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.

નયનાબા જાડેજાનું કહેવું છે કે મારી ભાભી રિવાબાને ભાજપે ઉમેદવાર બનાવીને મોટી ભૂલ કરી છે. રિવાબા સેલેબ્રિટી હોઈ શકે છે. પરંતુ તેમને રાજનીતિનો કોઈ અનુભવ નથી. એટલા માટે બીજેપીની આ સીટ પરથી હાર થશે.

ચાલો જાણીએ કે રાજનીતિની પીચમાં કોન કઈ રીતે છે આગળ….

રીવાબા ભાજપના સક્રિય કાર્યકર

રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાની વાત કરીએ તો તેમણે ભાજપ સાથે જોડાયાને લાંબો સમય થયો નથી. તેઓ ત્રણ વર્ષ પહેલા જ ભાજપમાં જોડાયા હતા. જો કે અગાઉ તેઓ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. રિવાબા અગાઉ કરણી સેનામાં પણ રહી ચૂક્યા છે. રિવાબા ભાજપમાં જોડાયા ત્યારથી ખૂબ જ સક્રિય છે. આ જ કારણ છે કે ભાજપે તેમને માત્ર ત્રણ વર્ષમાં જ જામનગર બેઠક પરથી ટિકિટ આપી છે. તે ભાજપના સક્રિય કાર્યકર છે.

રીવાબા જાડેજાની વાત કરીએ તો તે મૂળ રાજકોટના છે. તેમના પિતા શહેરના જાણીતા બિઝનેસમેન છે. રીવાબાએ રાજકોટની આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.

લોકોમાં સારું પ્રભુત્વ ધરાવે છે રિવાબા : 

રિવાબાને ટિકિટ મળતા જ તેમની નણંદ નયનાબા એ તેમનો ખુલ્લેઆમ વિરોધ શરૂ કરી દીધો છે. તેઓ દીપેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં ઉગ્રતા પૂર્વક લોકો પાસે વોટની માંગણી કરી રહ્યા છે. નયનાબાને પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા રહેવા માટે વધુ સમય મળ્યો નથી.

રીવાબા ભાજપમાં જોડાયા તેના થોડા સમય બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાયા ત્યારથી જ અહીંના લોકોમાં તેમની સારી પકડ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ જ કારણ છે કે નણંદ નયનાબા આટલા ઓછા સમયમાં જામનગર કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ પણ છે.

આ પણ વાંચો :-

અભિનેત્રી અમીષા પટેલનો નવો વીડિયો આવ્યો સામે, મિનિટોમાં થયો વાયરલ

Actress Ameesha Patel’s new video has gone viral

  • છેલ્લા થોડા સમયથી અમીષા પટેલ ઓછા પ્રોજેક્ટ્સમાં દેખાઈ રહી છે. જો કે, આ વખતે તે પોતાની બોલ્ડનેસથી લોકોને દીવાના બનાવી રહી છે.

એક સમય હતો જ્યારે લોકો અમીષા પટેલના (Ameesha Patel) ચહેરાની નિર્દોષતા અને સાદગી પર ફિદા હતા. પ્રશંસકો તેમને ફિલ્મી પડદા પર જોવા માટે ખૂબ ઉત્સાહિત રહેતા હતા. જો કે છેલ્લા કેટલાંક સમયથી અભિનેત્રી ઓછા પ્રોજેક્ટસમાં (Fewer projects) જોવા મળી રહી છે.

અમીષા પોતાના ચાહક વર્ગ સાથે સોશિયલ મીડિયામાં (Social media) હંમેશા જોડાયેલી રહે છે. એવામાં વારંવાર તેમના ઈન્સ્ટાગ્રામ પેજ પર તેમના પ્રોજેક્ટ્સ અને લુક્સની ઝલક જોવા મળે છે. હવે ફરીથી અભિનેત્રીએ પોતાના લેટેસ્ટ લુકથી પ્રશંસકો માટે દિલના ધબકારા વધારી દીધા છે. આ વીડિયોમાં અમીષા પટેલ (Ameesha Patel) હદથી વધારે બોલ્ડ અંદાજમાં દેખાઈ રહી છે અને 46ની ઉંમરમાં તેની પરફેક્ટ બોડી બતાવી રહી છે.

અભિનેત્રીએ આપી આ માહિતી :

સામે આવેલા વીડિયોમાં તમે જોઇ શકો છો કે અમીષા પટેલ તેના પ્રશંસકોને જણાવી રહી છે કે તે ડિસેમ્બરમાં ઉદયપુરમાં એક ઈવેન્ટમાં ભાગ લેવા માટે જવાની છે. આ સાથે અભિનેત્રીએ એવું પણ જણાવ્યું કે ઉદયપુર તેમની ફેવરિટ જગ્યાઓમાં સામેલ છે. અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ સાથે પ્રશંસકો તેમને મળવાની ઈચ્છા પણ જાહેર કરી રહ્યાં છે.

ગદર 2માં દેખાશે અમીષા પટેલ  :

ઉલ્લેખનીય છે કે અમીષા થોડા સમયથી ગદર 2ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેઓ ફરીથી સની દેઓલની (Sunny Deol) સાથે લીડ રોલની ભૂમિકા નિભાવશે. પ્રશંસકો આ ફિલ્મને લઇને ખૂબ ઉત્સાહિત છે.

આ પણ વાંચો :-

લિવ ઈન પાર્ટનરે લગ્ન માટે જીદ કરી તો પ્રેમીએ કરી નિર્દયતાથી હત્યા, 35 ટુકડાં કરી લાશ ઠેકાણે પાડી 

Live-in partner insists on marriage, lover brutally

  • દિલ્હીથી એક હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યા છે. આફતાબ નામના યુવકે 1500 કિમી દૂર જઈને લિવ ઈન પાર્ટનર શ્રદ્ધાની નિર્દયતાથી હત્યા કરી નાખી. દિલ્હી પોલીસે 5 મહિના પહેલા થયેલી હત્યાનું કોકડું ઉકેલતા આફતાબ અમીન પૂનાવાલા નામના વ્યક્તિની ધરપકડ કરી છે.

દિલ્હીથી (Delhi) એક હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યા છે. આફતાબ (Aftab) નામના યુવકે 1500 કિમી દૂર જઈને લિવ ઈન પાર્ટનર શ્રદ્ધાની (Live in partner Shraddha) નિર્દયતાથી હત્યા કરી નાખી. દિલ્હી પોલીસે 5 મહિના પહેલા થયેલી હત્યાનું કોકડું ઉકેલતા આફતાબ અમીન પૂનાવાલા નામના વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ હવે આફતાબે જેની હત્યા કરી હતી તે શ્રદ્ધાના શરીરના એવા ટુકડાઓને શોધ કરી રહી છે જેને આફતાબે હત્યા કર્યા બાદ અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા.

મુંબઈ થઈ હતી મુલાકાત :

શ્રદ્ધાના પિતાએ દિલ્હીના મેહરોલી પોલીસ મથકમાં પુત્રી ગૂમ થઈ હોવાની ફરિયાદ દાખલ કરી હતી. પિતા વિકાસ મદાને પોલીસને જણાવ્યું કે તેઓ પરિવાર સાથે મહારાષ્ટ્રના પાલઘરમાં રહે છે. તેમની 26 વર્ષની પુત્રી શ્રદ્ધા મુંબઈના મલાડમાં સ્થિત એક મલ્ટીનેશનલ કંપનીના કોલ સેન્ટરમાં કામ કરતી હતી.

અહીં શ્રદ્ધાની મુલાકાત આફતાબ અમીન સાથે થઈ. બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને લિવ ઈન રિલેશનશીપમાં રહેવા લાગ્યા હતા. જ્યારે પરિવારને આ સંબંધ અંગે જાણ થઈ તો તેમણે વિરોધ કરવાનો શરૂ કરી દીધો. ત્યારબાદ આફતાબ અને શ્રદ્ધાએ મુંબઈ છોડી દીધુ અને દિલ્હી જઈને રહેવા લાગ્યા.

ફેસબુકની મદદથી મળ્યું લોકેશન :

પિતાએ જણાવ્યું કે તેમને પછી ખબર પડી કે તેમની પુત્રી મહેરોલીના છતરપુર વિસ્તારમાં રહે છે. તેમણે જણાવ્યું કે કોઈને કોઈ માધ્યમ દ્વારા પુત્રીની જાણકારી તેમને મળતી રહેતી હતી. તેમને ફેસબુક પર અપલોડ કરાયેલા ફોટાના માધ્યમથી ખબર પડી કે શ્રદ્ધા હિમાચલ પ્રદેશ ફરવા માટે ગઈ છે.

પરંતુ ત્યાર બાદથી કોઈ સૂચના મળી નહી. ફોન નંબર પર સતત સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી પરંતુ તે પણ બંધ આવી રહ્યો હતો. ત્યારબાદ કોઈ અનહોનીની આશંકા થતા તેઓ 8 નવેમ્બરે સીધા છતરપુર સ્થિત ફ્લેટમાં ગયા જ્યાં પુત્રી ભાડે રહેતી હતી.

ત્યાં તાળું હોવાથી મહેરોલી પોલીસ મથકમાં પોલીસને અપહરણની સૂચના આપવામાં આવી અને એફઆઈઆર દાખલ કરાવવામાં આવી. પોલીસે કાર્યવાહી હાથ ધરતા 12 નવેમ્બરના રોજ આફતાબને પકડ્યો.

મૃતદેહના 35 ટુકડાં કર્યા :

પોલીસ કેસ દાખલ કરીને ત્યારે તપાસ શરૂ કરી દીધી અને પછી આફતાબની ધરપકડ કરવામાં આવી. આફતાબે જણાવ્યું કે શ્રદ્ધા હંમેશા તેના પર લગ્ન માટે દબાણ કરતી હતી. આ મુદ્દે બંને વચ્ચે હંમેશા વિવાદ થતો રહેતો હતો. આથી જ્યારે 18મી મેના રોજ ઝઘડો થયો તો તેણે શ્રદ્ધાનું ગળું દબાવીને તેને મારી નાખી.

ત્યારબાદ મૃતદેહના આરીથી 35 ટુકડાં કરી નાખ્યા અને અલગ અલગ ત્રણ જગ્યાએ ફેંકી દીધા. હાલ પોલીસની ટીમ આરોપીના નિવેદનના આધારે શ્રદ્ધાની લાશના ટુકડાં શોધવામાં લાગી છે.

18 દિવસ સુધી ફ્રિજમાં રાખ્યાં ટુકડાં :

પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ આફતાબે શ્રદ્ધાની ગળું દબાવીને હત્યા કરી અને ત્યારબાદ આરીથી લાશના 35 ટુકડાં કરી તેને પોતાના ઘરમાં રાખ્યા. આ માટે આફતાબ એક મોટું ફ્રિજ પણ ખરીદીને લાવ્યો હતો. 18 દિવસ સુધી લાશના ટુકડાં તેણે ઘરમાં ફ્રિજમાં રાખ્યા. રાતે 2 વાગે એક એક કરીનેને પ્લાસ્ટિકની બેગમાં ભરીને લઈ જતો અને ફેંકીને પાછો ઘરે આવી જતો હતો.

આ પણ વાંચો :-