Home Blog Page 1250

મોર્નિંગ વોક કરતા કરતા પ્રેમમાં પડયા… 70 વર્ષના બાબાજી અને 19 વર્ષની યુવતીની ગજબ પ્રેમ કહાની

0

Fell in love while taking a morning walk

  • પાકિસ્તાનમાં સવાર સવારમાં મોર્નિંગ વોક પર નીકળેલી એક 19 વર્ષની યુવતીનું દિલ 70 વર્ષના વૃદ્ધ પર આવી ગયું અને તેણે આ વૃદ્ધને પોતાના જીવનસાથી બનાવવાનું નક્કી કરી લીધુ અને એકબીજાના જીવનસાથી બની ગયા.

પાકિસ્તાનમાં (Pakistan) સવાર સવારમાં સેર પર નીકળેલી એક 19 વર્ષની યુવતીનું દિલ 70 વર્ષના વૃદ્ધ પર આવી ગયું અને તેણે આ વૃદ્ધને પોતાના જીવનસાથી બનાવવાનું નક્કી કરી લીધુ અને એકબીજાના જીવનસાથી (Spouse) બની ગયા.

આ કપલ વચ્ચે 50 વર્ષથી વધુ ઉંમરનું અંતર છે. તેમની લવસ્ટોરીનો (A love story) એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંનેએ વિગતવાર પોતાની લવ સ્ટોરી વિશે જણાવ્યું છે.

આ નવ દંપત્તિનું નામ લિયાકત અને શમાઈલા છે. બંને લાહોરમાં (Lahore) ખુશીથી રહે છે. આ બધા વચ્ચે લિયાકત અને શમાઈલાએ પોતાની મુકમ્મલ થયેલી લવ સ્ટોરી અંગે શું કહ્યું અમે તમને જણાવીએ. વાત જાણે એમ છે કે શમાઈલાને પૂછવામાં આવ્યું કે તમારા પતિની ઉંમર તો ઘણી વધારે છે તો નવી નવેલી દુલ્હને કહ્યું કે ‘જુઓ પ્રેમમાં ઉંમર જોવાતી નથી, બસ મોહબ્બત થઈ જાય છે. તેમાં જાત-પાત, ઊંચ અને નીચ કશું જોવાતું નથી, તો આવામાં મને પણ મોહબ્બતના રોગે જકડી લીધી.’

જ્યારે લિયાકતે પોતાની પ્રેમ કહાની વર્ણવતા કહ્યું કે ‘રોમેન્ટિક હોવા માટે કોઈ ઉંમર હોતી નથી. દરેક ઉંમરનું પોતાનું એક અલગ રોમાન્સ હોય છે.’

વાત જાણે એમ છે કે પાકિસ્તાનમાં દર 15 દિવસે કોઈને કોઈ પ્રેમ કહાની વાયરલ થાય છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા પોલેન્ડની એક એજેડ મહિલાએ પાકિસ્તાનના 30 વર્ષના યુવક સાથે નિકાહ કરવા માટે પોતાનો દેશ છોડી દીધો. ત્યારે પણ આ કહાની એટલી વાયરલ થઈ હતી.

આ પણ વાંચો :-

 

 

VIDEO : દોસ્તના લગ્નમાં સાડી પહેરીને પહોંચ્યાં બે મિત્ર, દુલ્હા-દુલ્હને આપ્યું ગજબનું રિએક્શન

VIDEO: Two friends wearing sarees at a friend

  • અમેરિકાના મિશગન રાજ્યમાં બે દોસ્તો સાડીના વેશમાં મિત્રના લગ્નમા હાજરી આપવા માટે આવ્યાં હતા.

લગ્નમાં (Marriage) સૌથી વધારે આનંદ તો દુલ્હાના (The bride) દોસ્તોને આવતો હોય છે અને તેઓ પણ આ ખુશીના પ્રસંગની દરેક ક્ષણને માણી લેતા હોય છે અને છવાઈ જતા હોય છે. અમેરિકાના (America) મિશનગ રાજ્યના એક શહેરના બે દોસ્તો તેના મિત્રના લગ્નને ખૂબસુરત અને યાદગાર બનાવી દીધો.

સાડી અને માથે બિંદી લગાવીને પહોંચ્યાં બે મિત્રો  :

ખરેખર વાત એવી છે કે બે યુવકોએ મિત્રના લગ્નમાં જવા માટે કંઇક અલગ કરવાનું વિચાર્યું અને તેમણે સાડી પહેરી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા તે છોકરાઓને સાડી પહેરવામાં મદદ કરે છે. સુંદર અને તેજસ્વી સાડી પહેર્યા બાદ બંને મિત્રના લગ્નમાં જવા તૈયાર થયા હતા.

તેણે કપાળ પર બિંદી પણ લગાવી હતી. આ પછી તેણે આ નવા લુકમાં એક મિત્ર પાસે જવા માટે હા પાડી. શિકાગોના મિશિગન એવન્યુ પર ચાલતા ચાલતાં ચાલતાં તે પોતાના મિત્ર પાસે પહોંચ્યા હતા.

દુલ્હા અને દુલ્હન હસીહસીને લોટપોટ થઈ ગયા  :

જિગરી મિત્રોને સાડીમાં આવેલા જોઈને દુલ્હા અને દુલ્હન તો ઘડીવાર તાકતા રહી ગયા હતા અને પછી તો હસી હસીને ગોટે વળી ગયા હતા. દુલ્હા અને દુલ્હનને પણ તેમનો આ અલગ અંદાજ ખૂબ પસંદ આવ્યો હોવાનું લાગતું હતું. દુલ્હાએ બન્ને મિત્રોનો ખૂબ સત્કાર કર્યો હતો.

4 લાખથી વધુ વખત જોવામાં વીડિયો :

સાડી પહેરેલા છોકરાઓનો આ સુંદર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પેરાગોનફિલ્મ્સ નામના આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે 39 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

આ પણ વાંચો :-

 

આવી રહી છે નવી Toyota Fortuner ! અંદાજ જૂનો પરંતુ ફીચર્સ નવા દમદાર, 

0

New Toyota Fortuner is coming

  • નવી પેઢીની ટોયોટા ફોર્ચ્યૂનર આગામી વર્ષે એન્ટ્રી કરી રહી છે. એસયૂવીના નવા મોડલને સૌથી પહેલા થાઈલેન્ડમાં લોન્ચ કરી શકાય છે. ત્યારબાદ દક્ષિણ એશિયાના અન્ય દેશોમાં આવશે.

Toyota Fortuner: નવી પેઢીની ટોયોટા ફોર્ચ્યૂનર આગામી વર્ષે એન્ટ્રી કરી રહી છે. SUV ના નવા મોડલને સૌથી પહેલા થાઈલેન્ડમાં લોન્ચ કરી શકાય છે. ત્યારબાદ અન્ય દક્ષિણ પૂર્વ એશિયન (South East Asian) દેશોમાં લાવી શકાય છે. તે ભારતમાં 2023ના અંત કે 2024ની શરૂઆતમાં આવી શકે છે.

2023 ટોયોટા ફોર્ચ્યૂનરમાં ઘણા કોસ્મેટિક ફેરફાર જોવા મળશે. તેમાં નવી બોડી પેનલ પણ હશે. આ વધુ ફીચર લોડેડ હશે અને હાઈબ્રિટ પાવરટ્રેનની (Hybrid powertrain) સાથે આવી શકે છે. તેમાં વર્તમાન IMV આર્કિટેક્ચરની જગ્યાએ TNGA-F પ્લેટફોર્મ પર બેસ્ડ બનાવી શકાય છે.

આ પ્લેટફોર્મ 2023ની શરૂઆતમાં આવનારી નવી ટોયોટા ઈનોવા આઈક્રોસમાં પણ મળી શકે છે. ટોયોટાની ગ્લોબલ Tundra, Sequoia અને Land Cruiser SUVs ને પણ ટીએનજીએ-જી પ્લેટફોર્મ પર ડિઝાઈન કરવામાં આવ્યું છે. જે 2850 મિમીથી 4180 મિમીની વ્હીલબેસ લંબાઈને સપોર્ટ કરે છે.

નવી ફોર્ચ્યૂનરમાં માઈલ્ડ હાઈબ્રિડ તકનીક અને ઈન્ટીગ્રેટેડ સ્ટાર્ટર જનરેટરની સાથે 1GD-FTV 2.8L ડીઝલ એન્જિન મળી શકે છે. ડીઝલ હાઈબ્રિડ પાવરટ્રેનને જીડી હાઇબ્રિડ નામ આપી શકાય છે. નવા હાઈબ્રિડ પાવરટ્રેન એસયૂવીને પહેલાથી વધુ ફ્યૂલ એફિશિએન્ટ બનાવશે.

ફીચર પ્રમાણથી નવી 2023 ટોયોટા ફોર્ચ્યૂનર વર્તમાન જનરેશનવાળા મોડલથી વધુ અફડેટ હશે. એસયૂવીને ADAS (એડવાન્સ ડ્રાઇવર અસિસ્ટેન્ટ સિસ્ટમ) ની સાથે રજૂ કરી શકાય છે. જેમાં બ્લાઇંડ સ્પોટ ડિટેક્શન, ઓટોમટિક ઈમરજન્સી બ્રેકિંગ, ઓટોમેટિક પાર્કિંગ અસિસ્ટ, અડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, ફોરવર્ડ કોલિશન વોર્નિંગ અને લેન ડિપાર્ચર સામેલ છે. વર્તમાન હાઈડ્રોલિક સ્ટીયરિંગ વ્હીલને ઈલેક્ટ્રિક પાવર યુનિટથી બદલી શકાય છે. નવી Fortuner વ્હીકલ સ્ટેબિલિટી કંટ્રોલ સિસ્ટમની સાથે આવી શકે છે.

વર્તમાન પેઢીની ટોયોટા ફોર્ચ્યૂનર 32.59 લાખ રૂપિયાથી 50.34 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની પ્રાઇઝ રેન્જનની વચ્ચે આવે છે. તેમાં 9 વેરિએન્ટ આવે છે. તેમાં ડિઝાઇન, ફીચર અને મેકેનિકલ અપગ્રેડ હોવાની સાથે એસયૂવીની કિંમત પણ વધશે.

આ પણ વાંચો :-

ઉપરથી અકબંધ દેખાતા ભાજપમાં બધુ સમુ સુથરું નથી

  • ક્રમશઃ જુથવાદ ઊભો કરી રહેલાં નેતાઓને રોકવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ભાજપને ભાંગી જતા વાર નહીં લાગે.
  • ભૂતકાળમાં અનેક ચૂંટણીઓ આવી અને ગઈ, પરંતુ ભાજપમાં આ વખતે જોવા મળેલા દૃશ્યો ક્યારેય પણ જોવા મળ્યાં નહોતા.
  • કેડરબેઝ પાર્ટીનાં નામે આગેવાનો, કાર્યકરોને ક્યાં સુધી શિસ્તમાં રાખી શકાશે? સહનશીલતાની હદ આવતા વિસ્ફોટ થતાં વાર નહીં લાગે.
  • વિજય રૂપાણી સરકારનું પતન, ભૂપેન્દ્ર પટેલની સરકારની રચના આ બધુ થવા પાછળ ભાજપનાં ભૂર્ગભમાં કોઈ ચોક્કસ દાવાનળ ભડકી રહ્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે ઘણાં સમીકરણો બદલી નાંખશે. ગુજરાતમાં આમ આદમીનાં (Aam Aadami Party) પગ પેસારા કરતાં ભાજપની આંતરિક અહંમ્ અને વર્ચસ્વની લડાઈ ચૂંટણીની ચોપાટને વધુ રોચક બનાવી રહી છે. આ વખતે ટિકિટોની વહેંચણીમાં ભૂતકાળમાં નથી થયું એવી અનેક ઘટનાઓએ જન્મ લીધો છે. ભય એ વાતનો પણ છે કે ઉપરથી અકબંધ દેખાતા ભાજપમાં જુથનાં નામે નવા તડા પણ ઊભા થઈ શકે. તિરાડ પડવાની શરૂઆત ખુબ જ નાની ઘટનાથી થાય છે, પરંતુ આ પ્રારંભિક તિરાડને સમયસર (Time to crack) પુરવામાં નહીં આવે તો આગળ જતાં મોટું ભંગાણ પડી શકે.

ભાજપમાં ઉપર ઉપરથી બધુ સાફ સુથરું લાગી રહ્યું છે, પરંતુ હકીકતમાં એવું નથી. નેતાઓમાં સળગતો દાવાનળ દિવસો બાદ કાર્યકરોમાં પણ ભડકવાનો ભય આકાર લઈ રહ્યો છે.

ગુજરાત ભાજપનાં અધ્યક્ષપદે સી.આર. પાટીલની વરણી, વિજય રૂપાણી સરકારનું પતન, ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના આ ત્રણ ત્રણ મહત્ત્વની અને કોઈએ કલ્પના પણ કરી નહીં હોય એવી આંચકાજનક ઘટનાઓ સાવ સામાન્ય અને સહજ ઘટનાઓ નથી.

એક કામ કરતી આખી સરકારને રાતોરાત ઉથલાવીને ફેંકી દેવી અને કોઈની કલ્પના પણ નહીં હોય ભૂપેન્દ્ર પટેલની સરકારની રચના કરવી આ બધુ થવા પાછળ ભાજપનાં ભૂગર્ભમાં કોઈ ચોક્કસ દાવાનળ ભડકી રહ્યો હોવાના સંકેત આપી રહ્યો છે.

પરંતુ ભાજપની ટોચની નેતાગીરી આ ઘટનાઓને પક્ષની એક સામાન્ય અને રાબેતા મુજબની ઘટના ગણાવી રહી છે. પક્ષમાં ખરેખર બધુ સમુ સુથરું ચાલતુ હતું તો રૂપાણી સરકારને વિખેરી નાંખવાની શા માટે જરૂર પડી? આ સવાલનો જવાબ ભાજપ નેતાગીરી સહિત કોઈની પાસે પણ નહીં હોય. આનાથી આગળ વધીને ભૂપેન્દ્ર પટેલની સરકાર પક્ષનાં એજન્ડા પ્રમાણે કામ કરતી હતી તો ભૂપેન્દ્ર પટેલની સરકાર ઉપર લગામ કસવાની જરૂર જ ક્યાં હતી? પક્ષની નેતાગીરીનાં ઈન્કાર વચ્ચે પણ લોકો અને કાર્યકરો સમજી ચૂક્યા છે કે, પક્ષમાં બધું જ ઠીક નથી. ક્યાંકને ક્યાંક અસંતોષ અને સર્વોપરિતાની લડાઈ હાવી થવા પ્રયત્ન કરી રહી છે.

આ બધુ થવાથી સરવાળે ગુજરાતની પ્રજાનાં જનમાનસમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. કારણ કે, ભાજપમાં યાદવાસ્થળીની ઘટનાઓ ભાગ્યે જ બનવા પામે છે અને એટલે જ ભાજપનો કાર્યકર આઘાત અનુભવી રહ્યો છે. કાર્યકરોને મજબૂરીવશ જુથવાદમાં વહેંચાવું પડી રહ્યું છે. ભાજપ નામે એક ગણાતા કાર્યકરો હવે જુથના નેતાનાં નામથી ઓળખાઈ રહ્યાં છે અને આ જુથવાદને રોકવામાં નહીં આવે તો આવનારા સમયમાં ભાજપને પણ ટુકડામાં વહેંચાઈ જતા વાર નહીં લાગે.

પક્ષ મોટો થયો, રાજ્યો અને કેન્દ્રમાં સત્તામાં આવવાથી ભાજપના કાર્યકર તરીકે દરેક ગર્વ અનુભવે એ સ્વભાવિક છે અને પક્ષનાં કાર્યકરને પણ ગર્વ થવો જ જોઈએ. પરંતુ સમગ્ર ભાજપને એક પરિવારની નજરે જોનારા કાર્યકરને કોઈ નેતાના જુથનાં નામે ઓળખ આપવી પડે ત્યારે એ સ્થિતિ ખરેખર આઘાતજનક હોય છે અને ભાજપ નેતાગીરી આ વાત નહીં સ્વીકારે પણઆવી સ્થિતિ આકાર લઈ રહી છે.

ભૂતકાળમાં કોંગ્રેસનાં નેતાઓ જ કોંગ્રેસના ઉમેદવારને હરાવતા હતા. આ સ્થિતિ રોકવામાં નહીં આવતા આજે સ્થિતિ એવી છે કે, કોંગ્રેસને મજબૂત ઉમેદવાર મળતા નથી. અરે! ઉમેદવારની વાત છોડો, ચૂંટણી લડવા માટે પુરતુ ફંડ પણ નથી!!

આવી સ્થિતિ ભાજપની પણ થઈ શકે. સિવાય કે નેતાગીરી દ્વારા સમયસર જુથવાદનાં દાવાનળને ડામી દેવામાં આવે અથવા તો પક્ષમાં જુથવાદનાં ‘સડા’ની શરૂઆત કરનાર લોકોને સમયસર ઓળખી લેવામાં આવે. ‘સડ્યુ ત્યાંથી કાપી નાંખવું’ આ ગુજરાતી કહેવત મુજબ પક્ષની એકતા અને સ્વાભિમાનતાને લૂંણો લગાડી રહેલા લોકોને તાકીદે દૂર કરવામાં નહીં આવે તો ભાજપ ભલે ગમે તેટલો શક્તિશાળી પક્ષ હોય, પરંતુ ભાંગીને ભુક્કો થઈ જતા વાર નહીં લાગે.

કારણ આજે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપનાં ‘પર્યાય’ બની ગયા છે. ભાજપ પાસે ‘વોટ બેંક’ છે. કારણ કે, ભાજપ પાસે નરેન્દ્ર મોદી છે. પરંતુ નરેન્દ્ર મોદીનાં કરિશ્માને જીવંત રાખવા ભાજપ કાર્યકરોનો પક્ષમાં અને નેતાગીરીમાં મીનમેખ વિશ્વાસ હોવા અનિવાર્ય છે.

આ વખતની ચૂંટણીમાં ટિકિટ વહેંચણી દરમિયાન બનેલી ઘટનાઓએ ભાજપ માટે ચોક્કસ ચિંતાજનક સ્થિતિ પેદા કરી છે. ભૂતકાળમાં પણ અનેક ચૂંટણીઓ આવી અને ભાજપ જીતતુ પણ આવ્યું છે, પરંતુ આ વખત જેટલો અસંતોષ ભૂતકાળમાં ક્યારે પણ જોવા મળ્યો નહોતો. કારણ કે, ભાજપમાં એક રાગીતા હતી. ભાજપ કેડરબેઝ એટલે શિસ્તબદ્ધ પાર્ટી હોવાના નામે કાર્યકરો ક્યાં સુધી અન્યાય અને જોહુકમી સહન કરતા રહેશે? અને સહનશીલતાની હદ આવશે ત્યારે વિસ્ફોટ થતા વાર નહીં લાગે.

ભૂતકાળમાં શંકરસિંહ અને કેશુબાપાએ બંડ પોકાર્યા હતા, પરંતુ એ સમયના વિદ્રોહ પાછળ ચોક્કસ વ્યક્તિની સત્તા લાલસા કારણભૂત હતી. પરંતુ બદલાયેલા સંજોગોમાં કાર્યકરોને જુથવાદમાં ઘસડી જવાની આકાર લઈ રહેલી સ્થિતિ ભાજપનાં ભવિષ્ય માટે ઘાતક પુરવાર થઈ શકે. ગુજરાતમાં ખરેખર સ્થિતિ નિયંત્રણમાં અને સંતોષકારક હોત તો કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દિવસો સુધી ગુજરાતમાં પડાવ નાંખવાની જરૂર જ ક્યાં હતી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ઉપરાછાપરી સભાઓ અને કાર્યક્રમો કરવાની જરૂરિયાત ઊભી થઈ ન હોત, પરંતુ આ બધુ થઈ રહ્યું છે એજ બતાવે છે કે, ગુજરાત ભાજપમાં બધુ હેમખેમ નથી.

અલબત્ત હજુ એવી સ્થિતિ નથી કે, રિપેરિંગ કરી શકાય નહીં. થોડા લોકોની મનની વાત અને અન્યાયને સમજવાની કોશિષ કરવામાં આવે તો ગુજરાતમાં હજુ ભાજપની સ્થિતિ મધ્યાહનનાં સૂર્યથી જરા પણ દૂર નથી.

આ પણ વાંચો :-

સ્મૃતિ ઈરાનીને ગુજરાતની પાણીપુરીનો ચટકો લાગ્યો, કાફલો રોકાવીને પાણીપુરી ખાધી

0

Smriti Irani got a taste of Gujarat pani

  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આણંદમાં માણ્યો પાણી પુરીનો સ્વાદ. કાફલો રોકી પાણીપુરી ખાધી.

ચૂંટણી આવે એટલે નેતાઓમાં નવું નવું જોવા મળે છે. મતદારોને રીઝવવા નેતાઓ મેદાને પડે છે. રાજકીય પક્ષો સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારે છે. જેઓ સ્થાનિક ઉમેદવારો (Local candidates) માટે મત માંગવા અપીલ કરે છે. ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Union Minister Smriti Irani) આણંદમાં આવી પહોંચ્યા હતા.

જ્યાં તેમણે કાફલો રોકીને આણંદની ફેમસ પાણીપુરીનો (Panipuri) આસ્વાદ માણ્યો હતો. તેઓએ કારમાંથી ઉતરીને મન ભરીને પાણીપુરી ખાધી હતી. તેમની એક ઝલક જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.

આણંદમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પાણીપુરીનો સ્વાદ માણ્યો હતો. તેમણે આજે આણંદમા મધ્યસ્થ કાર્યલયનું ઉદ્ઘાટન કર્યુ હતું. કાર્યક્રમથી નીકળ્યા બાદ તેમણે આણંદમાં જ એક પાણીપુરીના સ્ટોલ પર પોતાનો કાફલો રોકાવ્યો હતો.

તેમણે કારમાંથી ઉતરીને સામાન્ય માણસની જેમ પાણીપુરી ખાધી હતી. ગુજરાતની પાણીપુરીનો સ્વાદ તેમની દાઢે વળગ્યો હોય તેમ લાગે છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો પાણીપુરી પ્રત્યેનો પ્રેમ અવારનવાર જોવા મળે છે. સ્મૃતિ ઈરાની અગાઉ આવ્યા ત્યારે પણ પાણીપુરી ખાધી હતી.

ઉલ્લેખનીય છે કે, ભાજપે ચૂંટણીના મેદાનમાં સ્ટાર પ્રચારકોની ફોજ મેદાનમાં ઉતારી છે. 10 થી વધુ કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરશે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતમાં 20 થી વધુ સભાઓ કરશે. તો આ લિસ્ટમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ સામેલ છે.

આ પણ વાંચો :-

WhatsApp લાવ્યું ધુઆંધાર ફીચર ! જાણીને તમે પણ કહેશો- હવે તો બધું જ ટેંશન ખતમ થઇ ગયું..

WhatsApp brought Dhuandhar feature

  • WhatsApp એ યૂઝર્સ માટે ધમાકેદાર ફીચર રજૂ કર્યું છે, જે તમારા બધા કામ સરળ કરી દેશે. WABetaInfo દ્રારા શેર કરવામાં આવેલા સ્ક્રીનશોટ અનુસાર Do Not Disturb (DND)  મોડ ઇનેબલ થતાં કોલ ફેલ થઇ જતાં મેસેજિંગ એપ યૂઝર્સને નોટિફાઇ કરે છે.

વોટ્સએપ (WhatsApp) એ કથિત રીતે એંડ્રોઇડ બીટા ટેસ્ટર માટે એક નવું અપડેટ ચાલુ કર્યું છે. WABetaInfo દ્રારા શેર કરવામાં આવેલા સ્ક્રીનશોટના અનુસાર Do Not Disturb (DND) મોડ ઇનેબલ થતાં કોલ ફેલ થતાં મેસેજિંગ એપ યૂઝર્સનું (Messaging app users) નોટિફાઈ કરે છે. એપ તમને કોલ કરવાનો સમય પણ બતાવે છે. યૂઝર્સ વોટ્સએપ ચેટમાં એક નાનકડું બોક્સ જોઇ શકશો. જેના પર લખ્યું હશે. ડૂ નોટ ડિસ્ટર્બ એટ 9:38 PM મિસ્ડ વોઇસ કોલ.’

વોટ્સએપ પર આવ્યો DND Mode :

આ એક નાનકડું અપડેટ છે. પરંતુ એટલું જ મહત્વપૂર્ણ છે કારણ કે મીટિંગ્સ અને અન્ય સ્થિતિઓમાં લોકો ડીએનડી મોડનો ઉપયોગ કરે છે અને કેટલા લોકોને એ પણ ખબર હોતી નથી કે તેમને મેસેજ એપમાં કોલ પ્રાપ્ત થયો છે કે નહી. જો યૂઝર ડીએનડી મોડને ડિસેબલ કર્યા બાદ એપના કોલ સેક્શનની તપાસ કરે છે. તો તેમને મિસ્ડ કોલની સૂચના આપવામાં આવશે.

હાલ આ વર્જન પર કરી રહ્યું છે કામ :

એ સ્પષ્ટ નથી કે આ ફીચર સ્ટેબલ અપડેટ દ્રારા તમામ યૂઝર્સ માટે ક્યારે રોલ આઉટ હશે. WhatsApp Android વર્જન 2.22.24.17 નો ઉપયોગ કરનાર કોઇપણ વ્યક્તિ આ સુવિધાને અપનાવી શકે છે. સૂત્રોનો દાવો છે કે કેટલાક યૂઝરે પોતાના Android બીટા બિલ્ડ 2.22.24.15 પર સમાન કાર્યક્ષમતા જોઇ શકે છે.

આ રીતે કામ કરશે ફીચર :

સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસમાં અપડેટને ઘણા બીટા યૂઝર્સ માટે આપવામાં આવશે. જે લોકો જાણતા નથી. તેમના માટે તમામ સ્માર્ટફોનમાં એક ડીએનડી મોડ હોય છે જે તમામ નોટિફિકેશન, એલર્ટ અને ફોન કોલને સાઇલેંટ કરી દે છે. આ સુવિધા સેલ્સ-એક્સપ્લેનેટરી છે અને તેનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે તમે કોઇના દ્વારા પરેશાન થવા માંગતા નથી.

વોટ્સએપ કથિત રીતે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જેને કંપેનિયમ મોડ કહેવામાં આવે છે. તો બીજી તરફ સ્ત્રોત જેને બીટા ફીચર જોયું હતું. તેને ખુલાસો કર્યો કે આ ફીચર યૂઝરને પોતાના હાલના વોટ્સએપ એકાઉન્ટને પોતાના બીજા ફોન પર એક્સેસ કરવાની અનુમતિ આપશે.

હાલમાં એપ તમને પોતાના એકાઉન્ટને લેપટોપ અને ટેબ્લેટ જેવા અલગ અલગ ચાર ઉપકરણો લીક કરવાની અનુમતિ આપે છે. જોકે તેને અન્ય સ્માર્ટફોન્સથી એક્સેસ કરી શકાશે નહી. આ જલદી જ બદલાઈ શકે છે. એ સ્પષ્ટ નથી કે આ સુવિધા તમામ માટે ક્યારે ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો :-

16 નવેમ્બર 2022, આજનું રાશિફળ : ગણપતિ બાપાની કૃપાથી આ રાશિના જાતકોનો ગુરુવાર રહેશે અતિ મંગળમય

16 November 2022, Today’s Horoscope

મેષઃ
આત્મવિશ્વાસનું પ્રમાણ વધે. આવકમાં વૃદ્ધિ થતી જણાય. પરિવારના સભ્યો સાથે આનંદનું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય જળવાય. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભઃ
આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. કુટુંબમાં ઉલ્લાસભર્યું વાતાવરણ રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. પત્નિ સાથે મનમેળ અનુભવાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ
આદ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સત્ય વાત શાંતિથી કહેવાની સલાહ છે. આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા. સંતાનના પ્રશ્નો ઉકેલાય. વૈવાહિક જીવનમાં આનંદ. આરોગ્ય સારું રહેશે. વ્યસનથી દૂર રહેવું.

કર્કઃ
બપોર બાદ આવકનું પ્રમાણ વધે. આથી પ્રસન્‍નતાનો અનુભવ થાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. સંતાનની સમસ્યા સતાવે. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતિ થાય. આરોગ્ય સારું રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

સિંહઃ
નવા સાહસિક રોકાણો વધુ લાભદાયી બને. ધાર્યા કાર્યો સરળતાથી પાર પાડી શકાશે. આવક જળવાય. સંતાનો સાથે મધુરતા જાળવી રાખવી. પરિવારમાં સ્નેહનું વાતાવરણ જળવાય. નોકરીના ક્ષેત્રે નોંધપાત્ર વધારો થાય.

કન્યાઃ
આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યમાં વધુ સફળતા મળે. નાણાંકીય રીતે બચતનું આયોજન કરવું. યાત્રા-મુસાફરી માટે લાભદાયક સમય છે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. ધંધાકીય ક્ષેત્રે મહત્ત્વની કામગીરી કરી શકો. માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

તુલાઃ
કુટુંબીજનો સાથે વ્યર્થના મતભેદો ટાળવા. ધંધાકીય ક્ષેત્રે વિદ્વાન વ્યક્તિનો સહકાર મળી રહે. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઈ જવાશે. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિકઃ
જ્ઞાનતંતુ તથા સ્નાયુની બિમારી વધુ કષ્ટદાયક બનતી જણાય. પોતાના અહંમ્‍નો ત્યાગ કરવાથી કાર્યમાં સફળતા મળે. સંતાનોનો આત્મવિશ્વાસ વધતો જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પો ખીલવી શકશો.

ધનઃ
માનસિક પરેશાનીમાંથી મુત્સદ્દીપણાથી, મીઠાશથી રસ્તો કાઢી શકશો. આવકનું પ્રમાણ જળવાતું જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાશે. ધંધાકીય ક્ષેત્રે વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવી શકશે.

મકરઃ
જાહેર સામાજીક જીવનમાં રૂચિ વધે. પારિવારિક ચિંતામાંથી મુક્તિ મળતી જણાય. હરિફો ઉપર વિજય મેળવી શકાશે. આવક જળવાઈ રહેશે. દામ્પત્ય જીવનમાં સ્નેહનું વાતાવરણ જળવાય. હાડકાંના રોગો, માથાનો દુઃખાવો રહે.

કુંભઃ
બપોર બાદ આત્મવિશ્વાસ અને મનોબળ ઘટતું જણાય. ભાઈ-બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. ખોટો ખર્ચ થતો જણાય. આર્થિક રોકાણો અંગે મહત્ત્વનાં નિર્ણયો, યોગ્ય રીતે લઈ શકાય. શરદી-ખાંસીથી પરેશાની વધતી જણાય.

મીનઃ
શારીરિક માનસિક પરેશાનીઓ દૂર થાય. મકાન અને જમીનને લગતા કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકશો. પ્રતિસ્પર્ધાઓને પરાસ્ત કરી શકો. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. આરોગ્ય સારું રહેશે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

પોતાના ગઢમાં જીતવા અમિત શાહ એક્શનમાં : મોડી રાતે પહોંચ્યા વેજલપુર, સાણંદમાં કહ્યું પ્રચંડ બહુમત મળશે

0

Amit Shah in action to win in his stronghold

  • ગુજરાતમાં ચૂંટણીનો દમદાર માહોલ જામ્યો છે. તમામ પક્ષના જીતના દાવાઓ વચ્ચે સભા, રેલી, શક્તિ પ્રદર્શન, પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. તેવામાં અમિત શાહ પોતાના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતી વિધાનસભાના ઉમેદવારોની મુલાકાત લઈ રહ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ પાર્ટીઓએ મોટાભાગની બેઠકમાં ઉમેદવારના નામની જાહેરાત કરી છે. ત્યારે વિધાનસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) છેલ્લા બે દિવસથી ગુજરાતમાં છે. તેઓ પોતાના ગાંધીનગર (Gandhinagar) લોકસભા મતવિસ્તારમાં આવતી વિધાનસભાના ઉમેદવારોની મુલાકાત લઈ રહ્યા છે.

સોમવારે રાત્રે તેઓ વેજલપુર પહોંચ્યા હતા. અહીં તેઓએ ભાજપના ઉમેદવાર અમિત ઠાકરના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે વેજલપુરમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ખાસ વાત તો એ છે કે કાર્યાલયના ઉદ્ધાટન વેળાએ વેજલપુરના ગત ટર્મના ધારાસભ્ય કિશોરસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા.

નારણપુરા વિધાનસભાના કાર્યકર્તાઓને આપ્યું હતું માર્ગદર્શન :

સાથે જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નારણપુરા વિધાનસભાના ઉમેદવાર જીતેન્દ્ર પટેલ (ભગત)ના નારણપુરા સ્થિત મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ જીતેન્દ્ર પટેલને જીતાડવા માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી : અમિત શાહ

આ ઉપરાંત આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમદાવાદની એલિસબ્રિજ વિધાનસભાના ભાજપના ઉમેદવાર સાથે રેલી યોજી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ફોર્મ ભર્યા પહેલાં અમિત શાહએ પત્રકારોને જણાવ્યું હતું કે, ‘અલિસબ્રિજ ભાજપનો ગઢ છે. એલિસબ્રિજ વિધાનસભામાં ભાજપની થશે જીત.’ સાથે જ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધી ટક્કર છે. ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી.

ફરી એકવાર પ્રચંડ બહુમતીથી સરકાર બનાવશે ભાજપ : શાહ 

એલિસબ્રિજથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાણંદ પહોંચ્યા હતા. અમિત શાહ સાણંદના ભાજપના ઉમેદવાર કનુ પટેલનું ફોર્મ ભરાવવા પહોંચ્યા હતા. અહીં તેઓએ પત્રકારોને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં અત્યાર સુધીના બધા જ વિક્રમો તોડીને સૌથી વધુ સીટો અને સૌથી વધુ મતો સાથે ફરી એકવાર પ્રચંડ બહુમતીથી સરકાર બનાવશે એવો અમારા સૌનો વિશ્વાસ છે.

ચાણસ્માથી દિલીપ ઠાકોરને 1 લાખ મતની લીડથી જીતાડવા પાટીલે કર્યું આહ્વાન :

આજે પાટણના હારીજમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાણસ્મા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિલીપ ઠાકોરનાં સમર્થનમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખે દિલીપ ઠાકોરને 1 લાખ મતથી જીતાડવા આહ્વાન કર્યું હતું. સાથે જ સભામાં આવેલા કાર્યકરોને પેજ કમિટીની તાકાત બતાવવા સી.આર.પાટીલે સૂચન કર્યું હતું.

આ પણ વાંચો :-

શું તમારી કારમાં AC બરાબર નથી ચાલતું ? તો આજથી જ ફોલો કરો આ ટિપ્સ ને પછી જુઓ કુલિંગ

0

Is the AC not working properly in your car

  • જો તમે તમારી કારના એસીનું આયુષ્ય વધારવા માંગો છો તો તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેથી એસીની સાથે સાથે તમારા સ્વાસ્થ્યને પણ સાચવી શકશો.

જો તમે તમારી કારના એસીનું (Car AC) સ્વાસ્થ્ય અને ઉંમર બંને વધારવા માંગતા હોવ તો તમારે અમારા આ સમાચાર પૂરેપૂરા વાંચવા જોઈએ. આજે અમે તમને તે સરળ રીતો વિશે જણાવી રહ્યા છીએ. જેને અનુસરીને તમે તમારી કારના ACને લાંબા સમય સુધી ખરાબ થવાથી બચાવી શકો છો.

કારમાં રહેલી ગરમી દૂર કરો :

એસી ચલાવતા પહેલા કારમાં હવાની અવર જવરની ચકાસણી કરી લેવી જોઈએ. આ સિવાય ઈગ્રીશનને ઓન કરતા પહેલા કારની બારીને ખોલી દેવાથી કારમાં રહેલી ગરમી બહાર નીકળી જશે. જેનાથી ગાડીનું તાપમાન નીચું આવે છે અને એસી ઝડપથી ગાડીને ઠંડી કરે છે.

છાંયડામાં ગાડી પાર્ક કરવી :

જો તમે તમારી કારને તડકામાંથી દૂર પાર્ક કરશો તો એસીની ગુણવત્તા વધી જશે. હંમેશા ગાડીને તડકાથી દૂર પાર્ક કરવી જોઈએ જેથી એસી કારને સરળતાથી ઠંડી કરી શકે છે. તડકામાં ઉભેલી ગાડીમાં વધારે ગરમ થઈ જાય છે. જેથી કારનું એસી કારને ઠંડી કરવામાં સમય લગાડે છે.

ગંદા ફિલ્ટર ઠંડક ઘટાડે છે :

જો એસી ફિલ્ટર ગંદા હોય તો તે કારના સેવનમાં અવરોધ ઉભો કરી શકે છે. આ કારણે કારને કૂલ થવામાં ઘણો સમય લાગી શકે છે. તેથી એસી ફિલ્ટર્સને સ્વચ્છ રાખવાના પ્રયત્નો કરવા જોઈએ અને આ ફિલ્ટર્સને સમયાંતરે સાફ કરવા જોઈએ. જો ફિલ્ટરમાં વધુ પડતો કચરો હોય તો તેને બદલી પણ શકાય છે.

આ પણ વાંચો :-

કેટલા ધનવાન છે ઉમેદવાર ? રિવાબા જાડેજા પાસે કેટલી છે સંપત્તિ ? પતિ રવીન્દ્રની મિલકત પણ જાહેર 

0

How rich is the candidate

  • જામનગર ઉતર બેઠકના ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ નિયમો મુજબ ચૂંટણીપંચ સમક્ષ મિલકતને લઈ સોગંદનામુ રજૂ કર્યું.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ જામનગર ઉત્તર વિધાનસભાના (Jamnagar North) ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ ગઈકાલે ફોર્મ ભર્યું હતું. જે બાદમાં ચૂંટણીપંચ સામે રિવાબા જાડેજાએ મિલકત જાહેર કરી હતી.

વિગતો મુજબ રીવાબાએ (Rivaba) ચૂંટણીપંચ સમક્ષ કરેલ સોગંદનામા મુજબ તેમના એટલે કે રિવાબા જાડેજાના નામે 6 લાખ 20 હજારની મિલકત જાહેર કરાઇ છે. આ સાથે રીવાબા જાડેજાના પતિ રવિન્દ્ર જાડેજાના (Ravindra Jadeja) નામે 18.56 કરોડની મિલકત જાહેર કરી છે.

જામનગર ઉત્તર વિધાનસભામાં ભાજપે રિવાબા જાડેજાને ટિકિટ આપી છે. જેથી ગઈ કાલે રિવાબાએ પતિ રવીન્દ્ર જાડેજા અને આગેવાનો સાથે ઉમેદવારી પત્ર (Nomination letter) ભર્યું હતું. જેમાં નિયમો મુજબ ચૂંટણીપંચ સમક્ષ મિલકતને લઈ સોગંદનામુ આપવાનું હોય છે.

જેમાં રીવાબાએ પોતાના નામે 6 લાખ 20 હજારની મિલકત હોવાનું જાહેર કર્યું હતું. આ સાથે રીવાબા જાડેજાના પતિ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના (Cricketer Ravindra Jadeja) નામે 18.56 કરોડની મિલકત જાહેર હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો :-