Home Blog Page 1241

શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીનો “કમળ” પ્રેમ ? આડકતરી રીતે ભાજપ માટે માગ્યા વોટ, વાયરલ વીડિયોથી અનેક તર્ક વિતર્ક

0

“Lotus” love of Shastri Hariprakash Swami

  • ગુજરાતમાં ચુંટણી ટાણે કમળને મત આપવાની અપીલ કરતા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના મહંતનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં (Gujarat) ચુંટણીનો માહોલ જામ્યો છે. તેવામાં બોટાદના (Botad) સાળંગપુર (Salangpur) કષ્ટભંજન હનુમાનજી મંદિરના મહંતનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ વિડીયોમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ (Shastri Hariprakash Swami) કમળને મત આપવાની અપીલ કરતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.  મહત્વનું છે કે હરિપ્રકાશ સ્વામીએ કથા દરમિયાન કમળ માટે ઉપસ્થિત લોકોને અપીલ કરી હતી. હાલ આ વિડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

શું કહ્યું શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ  ?

હરિદ્વાર ખાતે યોજાયેલી કથામાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ વિડીયોમાં કહ્યું કે લક્ષ્મીના હાથમાં જે કમળ છે તે બટન દબાવજો અને ગામની શેરીઓ સાફ કરવી હોય, મજૂર થવુ હોય તો બીજા પર બટન દબાવજો. તેમ પણ કહ્યું હતું. એટલું જ નહિ જો વોટ નહીં આપો તો કોઈને કેવાનો અધિકાર નથી તેમ ઉલ્લેખ કરી મતદાન કરવા જણાવ્યું હતું. મહત્વનું છે કે હાલ ચૂંટણીના માહોલમાં વચ્ચે હરિપ્રકાશ સ્વામીનો શ્રોતાજનોને અપીલ કરતો વીડિયો વાયરલ થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

આ પણ વાંચો :-

AAP કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી, SMC ના કર્મચારીઓએ બેનરો હટાવતા મામલો ગરમાયો

0

Clashes between AAP workers

  • ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં આમ આદમી પાર્ટી પ્રચારમાં લાગી છે… SMC ના કર્મચારીઓએ આપના બેનરો હટાવ્યા. રોષે ભરાયેલા કાર્યકર્તાઓ પોલીસ સાથે બાખડયાં

સુરતના (Surat) સિંગણપોર ચાર રસ્તા (Singanpore four roads) પર અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) સભા પહેલા બબાલ થઈ હતી. SMC ના કર્મચારીઓ બેનરો હટાવવતા મામલો ગરમાયો હતો. જેના બાદ પોલીસ અને આપના કાર્યકરો આમને-સામને થયા હતા. થોડા સમય માટે મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાના આપના કાર્યકર્તાઓ અને પોલીસ (Police) વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ બન્યા હતા.

હાલ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસો છે. તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે ગુજરાતનો ત્રીજો મોરચો બનેલી આમ આદમી પાર્ટી બેવડા જોશ સાથે મેદાનમાં આવી ગઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, રાઘવ ચઢ્ઢા અને ભગવંત માન ગુજરાતમાં સતત ચૂંટણી પ્રચાર માટે સભાઓ અને રેલી કરી રહ્યાં છે.

ત્યારે આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની સભા સુરતના સિંગણપોર વિસ્તારમાં આયોજિત કરાઈ હતી. તે પહેલા વાતાવરણ તંગ થયુ હતું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા આમ આદમી પાર્ટીના બેનરો હટાવતા મામલો ગરમાયો હતો. જેના કારણે સુરત પોલીસ અને આપના કાર્યકરો આમને સામને આવી ગયા હતા.

સિંગણપોર વિસ્તારમાં સભા હોઈ આપ ગુજરાત દ્વારા સિંગણપોર વિસ્તારમાં મોટા મોટા બેનર લગાવવામાં આવ્યા હતા. પરંતુ કોર્પોરેશનની ટીમે આ બેનર હટાવવાનો પ્રયાસ કર્યા હતા. જેથી આપના કાર્યકર્તાઓ ગુસ્સે થયા હતા. જેથી રોષે ભરાયેલા કાર્યકર્તાઓએ હલ્લાબોલ કર્યું હતું. તો બીજી તરફ સુરત પોલીસે આપના કાર્યકર્તાઓ ઝપાઝપી કરી હતી.

આ પણ વાંચો :-

 

અમદાવાદમાં લવજેહાદનો કિસ્સો : વિધર્મી યુવકે સ્પામાં કામ કરતી યુવતીને પ્રેમના નામે બનાવી સામુહિક દુષ્કર્મનો શિકાર, બીભત્સ વીડિયો પણ ઉતાર્યો

A case of love jihad in Ahmedabad

  • સ્પામાં કામ કરતી યુવતીને વિધર્મી યુવકએ પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ આવતા સનસનાટી મચી છે.

અમદાવાદમાં (Ahmedabad) લવજેહાદનો (Love Jihad) વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સ્પામાં કામ કરતી યુવતીને વિધર્મી યુવક (A heathen youth) પીછો કરી બ્લેકમેલ કરીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. વિધર્મી યુવકે પોતાની હિન્દુ તરીકેની ઓળખ આપી બે મહિના સુધી લિવ ઈન રિલેશનશિપમાં (Live in relationship) રાખીને યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં યુવતીનો બીભત્સ વિડીયો (Nasty video) વાયરલ કરવાની ધમકી આપીને વિધર્મી યુવકે પોતાના બે મિત્રો સાથે મળી યુવતીનો ગેંગરેપ કર્યો છે.  આ મામલે પોલીસે 3 આરોપી ધરપકડ કરી છે.

 ભાડે ફ્લેટ રાખી પીડિતાને ગોંધી રાખી :

વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા એક સ્પામાં નોકરી કરતી 37 વર્ષીય યુવતીને તાજેતરમાં સ્પામાં મસાજ કરાવવા આવતા એક સમીર પ્રજાપતિ નામના યુવક સાથે પરિચય થયો હતો. સમીર પ્રજાપતિ પોતે મુસ્લિમ હોય અને તેનું નામ નાસિર હુસેન હોવાનું છુપાવી યુવતીનો પીછો કરવાનું શરૂ કર્યું હતું.

જે બાદ આરોપીએ તેના પરિવારજનોની વિગતો મેળવીને યુવતી સ્પામાં ખરાબ ધંધા કરે છે તેવી જાણ પરિવારજનોને કરી દેવાની ધમકીઓ આપી તેને ગેસ્ટ હાઉસમાં બોલાવી ચપ્પુની અણીએ યુવતી પર ત્રણ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. તે સમયે આરોપીએ યુવતીના અંગત પળોના વિડીયો ઉતારી લઈ તેનું આધારકાર્ડ પડાવીને આનંદનગર વિસ્તારમાં એક ફ્લેટ ભાડે રાખ્યું હતું.

આરોપી સાળો અને પત્ની પણ મદદ કરતા હતા :

આરોપીએ યુવતીને સ્પાની નોકરી છોડાવીને ફ્લેટ પર બે મહિના સુધી લિવ ઈન રિલેશનશીપમાં રાખી વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો. આરોપી  નાસીર હુસેન ઘાંચીએ એક દિવસ ફ્લેટ પર પોતાના બે મિત્રોને બોલાવી યુવતીની આંખો પર પટ્ટી બાંધી તેના બે મિત્રોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ મામલે દુષ્કર્મનો મુખ્ય આરોપી નાસિર હુસેન મદદ કરનાર તેની પત્ની રૂપા રાણા અને સાળો વિજયની ધરપકડ કરી છે. પોલીસ તપાસ કરતા સામે આવ્યું છે કે આરોપી નાસિર હુસેનએ ખાડિયા વિસ્તારમાં રહેતી હિન્દુ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જોકે આ ગુનામાં તેની સાથે પત્ની રૂપા રાણા, સાળી હિરલ અને સાળો વિજય પણ મદદગારી કરતો હતો અને ભોગ બનાર યુવતી પાસે પૈસા પડાવતા હતા.

એક દિવસ યુવતીના પતિને આ આરોપીઓએ તેની પત્નીને અંગત પળોના વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પાંચ લાખ રૂપિયાની ખંડણી માગી હતી જેથી અંતે કંટાળીને યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને લવ જેહાદ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાતા આ સમગ્ર મામલે 3 આરોપીઓની ધરપકડ કરી SCST સેલને સોંપવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

23 નવેમ્બર 2022 રાશિફળ : ગણપતિ બાપાની અસીમ કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં પથરાશે ઉજાસ

23 November 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
બપોર સુધી માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સારી રહેશે. પરિવારમાં આનંદ જળવાશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધામાં લાભ. બપોર બાદ આવક ઘટતાં માનસિક અશાંતી વધે. નવા રોકાણો ટાળવા. દામ્પત્ય જીવનમાં સંતોષ.

વૃષભઃ
બપોર સુધી આપની તથા પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી બને છે. આવક અંગે પણ અસંતોષ રહે. બપોર પછી પરિસ્થિતિમાં સુધારો થતો જણાય. આવક અને આરોગ્ય બંને જળવાય. દામ્પત્ય સુખમાં પણ વૃદ્ધિ થાય.

મિથુનઃ
આર્થિક બાબતો અંગે સારો દિવસ, પરિવારમાં પણ શાંતી રહે. રોકાણોમાંથી લાભ. નોકરી-ધંધામાં સફળતા. સતાન સુખમાં વધારો થાય. પરંતુ બપોર બાદ તમામ પરિસ્થિતિમાં ઘટાડો થતો જણાય. આવક ઘટે, નોકરીમાં ચિંતા તથા આરોગ્ય સાચવવું.

કર્કઃ
દિવસ દરમિયાન શુભ ફળનો અનુભવ થાય. માનસિક શાંતી રહે. આવક વધતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. નવું જાણવાનો યોગ બને. ધંધામાં લાભ. મિત્રોનો સહકાર મળે.

સિંહઃ
થોડા નકારાત્મક વિચારો સતાવે છતાં આવક વધતી જણાય. કુટુંબમાં સંપ રહે. કાર્ય સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આરોગ્ય સારૂ રહે. દામ્પત્ય જીવનમાં મધુરતા રહે.

ન્યાઃ
નાણાંની વૃદ્ધિ થતી જણાય. નાના ભાઇ-બહેનની સફળતાથી આનંદ. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. ધંધાકીય ક્ષેત્રે સાવધાની રાખવી જરૂરી. માતાની તબિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય સંબંધી ચિંતા દૂર થતી જણાશે.

તુલાઃ
જુસ્સો, ચાણક્ય નીતિ, સાચું-ખોટું પારખવાની કુદરતી શક્તિમાં વધારો થાય. ન્યાયી વલણ રહે. આવકનો નવો સ્ત્રોત ખુલતો જણાય. ખરીદ-વેચાણ, ફાયનાન્સ, બ્રોકર, કાચ-પ્લાસ્ટીકના ધંધામા વિશેષ લાભ મેળવી શકાય.

વૃશ્ચિકઃ
બપોર સુધી થોડી માનસિક ચિંતા રહે. આવકમાં ઘટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળે નહીં. પરંતુ બપોર પછી જુસ્સામાં વધારો થાય. ન્યાયી વલણ રહે. યોગ્ય નિર્ણય લઇ શકાય. બેંકીંગ, શિક્ષણ, ઇન્કમટેક્સ, સેલ્સટેક્સના ધંધાવાળા માટે પ્રગતી.

ધનઃ
બપોર સુધીનો સમય સારો છે. આવક જળવાય. મિત્રોનો તથા સંતાનનો સાથ-સહકાર મળતો જણાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા. બપોર બાદ પરિસ્થિતિ વિપરિત થતી જણાય. આવક ઘટે. માનસિક ટેન્શન વધે. આરોગ્ય સાચવવું. ખર્ચ ઘટાડવો.

મકરઃ
આનંદની અનુભૂતિ થાય. નિર્ણય શક્તિ વધે. પૈસાનો બગાડ અટકાવવો. નોકરી, ધંધામાં સારા સમાચાર મળે. લક્ષ્મીનો વખતસર લાભ મળે. જૂના મિત્રો મળે તથા નવી ઓળખાણ થાય. અન્યની સેવા કરવાનો અવસર પ્રાપ્‍ત થાય.

કુંભઃ
ભાગ્યમાં વૃદ્ધિ થતી જણાય. ઓછી મહેનતે વધુ લાભ મળતો જણાય. ધાર્મિક યાત્રા. પ્રવાસનું આયોજન શક્ય બને. નવો ધંધો કરવાનો રસ્તો મળે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. પિતુસુખમાં વૃદ્ધિ થાય. નફાકારક રોકાણો કરી શકાય.

મીનઃ
દિવસની શરૂઆતમાં તબિયતમાં ઢીલાશ રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. બપોર બાદ તબિયત સુધરતી જણાય. ભાગ્યનો સાથ મળવાને કારણે આવકમાં વધારો થતો જણાય. આદ્યાત્મિક ઉન્‍નતી થાય. થોડી માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

આ પણ વાંચો :-

રિટાયરમેન્ટ બાદ આ 5 સરકારી સ્કીમમાં રોકાણ કરવાથી ક્યારેય નહીં થાય પૈસાની કમી ! જાણો કઇ-કઇ યોજના થશે ફાયદાકારક

0

By investing in these 5 government schemes

  • રોકાણ માટે આજે અમે તમને 5 યોજનાઓ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે હાલ રોકાણ શરૂ કરીને તમારા રિટાયરમેન્ટની પ્લાનિંગ કરી શકો છો.

જો તમે હજુ સુધી તમારા રિટાયરમેન્ટ (Retirement) માટેની તૈયારી શરૂ નથી કરી તો આજે જ કરી લો. કેમ કે નોકરી કરતાં કરતાં જો ભવિષ્ય માટે રોકાણ કરવાનું શરૂ કરી દેશો તો મોજ-મસ્તીમાં તમે વૃદ્ધાવસ્થાનો (Old age) આનંદ માણી શકશો. એટલા માટે હંમેશા નોકરીના પહેલા દિવસથી જ રોકાણ (Investment) શરૂ કરવાની સલાહ આપવામાં આવે છે.

રોકાણ માટે આજે અમે તમને 5 યોજનાઓ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે હાલ રોકાણ શરૂ કરીને તમારા રિટાયરમેન્ટની પ્લાનિંગ (Planning Retirement) કરી શકો છો. સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનાઓમાં હાલ રોકાણ શરૂ કરવાથી વૃદ્ધાવસ્થાની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. ચાલો જાણીએ કઈ છે એ યોજના.

ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation)

જો તમે અત્યારથી રિટાયરમેન્ટની યોજના બનાવી રહ્યા છો અને એ માટે સરકારી અને સલામત સ્થળે રોકાણ કરવા માંગો છો તો તમે ભારતીય જીવન વીમા નિગમની (Life Insurance Corporation) સરળ પેન્શન યોજનામાં રોકાણ કરી શકો છો. આ યોજનાના ઘણા ફાયદા છે અને આમાં તમે 60 વર્ષની નહીં પણ 40 વર્ષની ઉંમરથી પેન્શન લેવાનું શરૂ કરી શકો છો.

જણાવી દઈએ કે આ સ્કીમમાં તમારે માત્ર એક સાથે સમાન રકમનું રોકાણ કરવું પડે છે અને એ પછી તમે જીવનભર પેન્શન મેળવી શકો છો. આ સાથે જ ગંભીર બીમારીના સમયે તમે પોલિસીમાંથી પૈસા ઉપાડી શકો છો. જણાવી દઈએ કે પોલિસી સરેન્ડર કરવા પર 95% તમને પરત કરવામાં આવે છે અને આ સિવાય તમે આ સ્કીમ પર લોન પણ લઈ શકો છો.

રાષ્ટ્રીય પેન્શન યોજના (National Pension Scheme) :

રિટાયરમેન્ટની યોજના બનાવી રહ્યા છો અને જો તમે ટેક્સ-ફ્રેન્ડલી સ્કીમમાં રોકાણ કરવા માંગો છો તો નેશનલ પેન્શન સ્કીમ (National Pension Scheme) તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે આ સ્કીમ પણ સલામત છે એટલે કે અહીં રોકાયેલા પૈસા ગુમાવવાનો ડર નથી.

આ સાથે જ તમે નિવૃત્તિ સમયે શાંતિ અને આરામનું જીવન જીવવા માટે આ યોજનામાં રોકાણ કરી શકો છો. જણાવી દઈએ કે આ યોજનામાં તમને એક નિશ્ચિત પેન્શન મળશે અને 3 વર્ષ સુધી સતત પ્રીમિયમ ચૂકવ્યા પછી તમે તેમાંથી પૈસા ઉપાડી શકો છો. આ સાથે જ પાકતી મુદત પહેલા કુલ થાપણ રકમના માત્ર 25% જ ઉપાડી શકાય છે.

અટલ પેન્શન યોજના (Atal Pension Yojana) :

અટલ પેન્શન યોજના (Atal Pension Yojana)હેઠળ 60 વર્ષની ઉંમરે પહોંચવા પર દર મહિને 1000 રૂપિયાથી 5000 રૂપિયાનું પેન્શન મળે છે. જણાવી દઈએ કે આ યોજનામાં 18 વર્ષથી 40 વર્ષ સુધીની વ્યક્તિ રોકાણ કરી શકે છે અને આમાં તમે 100% ઉપાડ પણ કરી શકો છો. આ યોજના હેઠળ સરકાર સબસ્ક્રાઈબર્સના યોગદાનના 50 ટકા અથવા દર વર્ષે રૂ. 1000 બેમાંથી જે ઓછું હોય તે યોગદાન આપે છે.

પ્રધાનમંત્રી વય વંદના યોજના (Pradhan Mantri Vaya Vandana Yojana) :

રિટાયરમેન્ટની યોજના બનાવી રહ્યા છો અને જો તમે સુરક્ષિત જગ્યાએ પૈસાનું રોકાણ કરવા માંગો છો તો પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં રોકાણ કરવા પર વિચાર કરી શકાય છે. જણાવી દઈએ કે જો તમે પણ ઘરે બેસીને નિવૃત્તિ પછી માસિક પેન્શન ઈચ્છો છો તો તેના માટે તમારે આ યોજના હેઠળ 15 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડે છે અને આ યોજનામાં 1,000 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીનું પેન્શન ઉપલબ્ધ છે. એટલે કે જો તમે 15 લાખ રૂપિયા જમા કરાવ્યા છે તો 8%ના દરે એક વર્ષમાં વ્યાજ 1.20 લાખ રૂપિયા થાય છે અને એ રકમ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક રીતે ઉપાડી શકાય છે.

વરિષ્ઠ નાગરિક બચત યોજના (Senior Citizen Savings Scheme) :

રિટાયરમેન્ટની યોજના બનાવી રહ્યા છો તો વરિષ્ઠ નાગરિક બચત યોજના વિશે વિચાર કરવો જોઈએ. આ યોજના સલામત અને સરકારી યોજના છે અને આમાં 5 વર્ષ માટે રોકાણ કરી શકો છો. જણાવી દઈએ કે હાલમાં આ યોજનામાં દર વર્ષે 7.4% વળતર મળી રહ્યું છે.

તમે આ સ્કીમમાં 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. તમારે આ સ્કીમમાં ઓછામાં ઓછા 5 વર્ષ માટે રોકાણ કરવું પડશે અને તે પછી તમે તેને આગળ વધારી શકો છો. સાથે જ આ યોજના 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે ઉપલબ્ધ છે.

આ પણ વાંચો :-

‘આપ’ના મટિયાલાના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

0

The video of ‘AAP’ MLA from Matiala Gulab Singh Yadav

  • આમ આદમી પાર્ટીના મટિયાલાના ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવને (Gulab Singh Yadav) માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટના ત્યારે બની જ્યારે ધારાસભ્ય શ્યામ વિહારમાં (Shyam Vihar) લગભગ 8:00 વાગ્યે તેમના કાર્યકરો સાથે બેઠક કરી રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણે મીટિંગ દરમિયાન વિવાદ થયો અને કાર્યકરોએ ધારાસભ્યને માર મારવાનું શરૂ કર્યું. જોકે સત્તાવાર રીતે આમ આદમી પાર્ટી તરફથી આ મુદ્દે કોઈ નિવેદન બહાર નથી આવ્યું.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પોતાને બચાવવા માટે ધારાસભ્ય બેઠક સ્થળેથી ભાગી રહ્યા છે જ્યારે કેટલાક લોકો તેનો પીછો કરી રહ્યા છે. ઘટનાનો વીડિયો શેર કરતા ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટી પર ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો છે.

ભાજપના પ્રવક્તાએ ટ્વીટ કર્યું કે ‘પ્રામાણિક રાજકારણ’ ના નાટકમાં સામેલ પાર્ટીનું આ અભૂતપૂર્વ દ્રશ્ય. AAPનો ભ્રષ્ટાચાર એવો છે કે, તેના સભ્યો પણ તેમના ધારાસભ્યો નેબક્ષતા નથી! આગામી એમસીડી ચૂંટણીઓમાં પણ સમાન પરિણામો તેની રાહ જોઈ રહ્યા છે.

દિલ્હી ભાજપ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે AAP ધારાસભ્યને માર મારવામાં આવ્યો ! ટિકિટ વેચવાના આરોપમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવને AAP કાર્યકરોએ માર માર્યો હતો. કેજરીવાલ જી આ જ રીતે AAPના તમામ ભ્રષ્ટ ધારાસભ્યોનો નંબર આવશે.

આ પણ વાંચો :-

વોટસએપ પોતાના વેબ વર્જનને બનાવ્યું સિક્યોર, લોન્ચ થયું નવું ફીચર

WhatsApp made its web version secure

  • હવે વધુ એક લેટેસ્ટ ફીચરની જાણકારી સામે આવી રહી છે. આ ડેસ્કટોપ અથવા વેબ વર્જન માટે સ્ક્રીન લોક ફીચર છે. હાલ વોટસએપ લોક એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસ માટે જ ઉપલબ્ધ છે.

વોટસએપ (WhatsApp) તાજેતરમાં જ યૂઝર્સ એક્સપિરિયન્સને સારો બનાવવા માટે ઘણા નવા ફીચર્સને રોલ આઉટ કર્યા છે. હવે વધુ એક લેટેસ્ટ ફીચરની જાણકારી સામે આવી રહી છે. આ ડેસ્કટોપ (Desktop) અથવા વેબ વર્જન (Web version) માટે સ્ક્રીન લોક ફીચર છે.

હાલ વોટસએપ લોક એન્ડ્રોઈડ (WhatsApp Lock Android) અને આઇઓએસ ડિવાઇસ માટે જ ઉપલબ્ધ છે. સમાચાર છે કે જલદી જ વોટસએપ ડેસ્કટોપ તથા વેબ વર્જન પર પણ તમને સ્ક્રીન લોકનું ફીચર મળવાનું છે. આવો આ વિશે ડિટેલમાં વાત કરીએ.

જલદી જ લોન્ચ થશે ડેસ્કટોપ સ્ક્રીન લોક ફીચર :

WhatsApp ના દરેક પગલાં પર નજર રાખનારી વેબસાઇટ Wabetainfo ના લેટેસ્ટ રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે કે વોટસએપ ડેસ્કટોપ તથા વેબ વર્જન પર જલદી જ સિક્યોરિટી માટે સ્ક્રીન લોકનું ફીચર લોન્ચ થવાનું છે. જાણકારી અનુસાર અત્યાર સુધી ફીચર ફક્ત વોટસએપ એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસ માટે જ હતું. પરંતુ હવે જલદી જ તેને ડેસ્કટોપ તથા વેબ વોટસએપ વર્જન માટે પણ લોન્ચ કરવામાં આવી રહ્યું છે.

Wabetainfo એ પોતાના રિપોર્ટ અનુસાર આ ફીચરનો સ્ક્રીનશોટ શેર કર્યા છે. સ્ક્રીનશોટમાં બતાવવામાં આવ્યું છે કે વોટસએપ ડેસ્કટોપ તથા વેબ વર્જન ઓપન કરતાં પાસવર્ડ પૂછવામાં આવી રહ્યા છે. સમાચાર એ છે કે હાલ આ ફીચર પર કામ ચાલુ છે. હવે આગામી સમયમાં આ જોવાનું રસપ્રદ રહેશે કે આ ફીચરનું અસલ ઈન્ટરફેસ કેવું હશે. આ ઉપરાંત કંપનીએ એન્ડ્રોઇડ તથા આઇઓએસ વર્જન પર સિક્યોરિટી માટે સ્ક્રીન લોક સુવિધા 3 વર્ષ પહેલાં રિલીઝ કરી હતી.

WhatsApp Polls ફીચર :

ઈન્ટંટ મેસેજિંગ એપ વોટસએપ પર ઉમેરાયેલું સૌથી લેટેસ્ટ ફીચર ‘Poll’ છે. આ ફીચરની મદદથી યૂઝર્સ વોટસએપ ગ્રુપમાં પોલ ક્રિએટ કરી શકે છે. આ ટ્વિટર અને યૂટ્યૂબના પોલ ફીચરની માફક છે. તેની મદદથી તમે પોલ દ્વારા પ્રશ્ન પૂછી શકો છો. લોકોને જવાબ આપવા માટે ઘણા ઓપ્શન આપી શકો છો. લોકો જે જવાબને માર્ક કરશે. તે જવાબ પણ તમને શો થશે.

આ પણ વાંચો :-

 

 

 

લો બોલો ! ગાંધીનગર દક્ષિણથી ચૂંટણી લડતા અલ્પેશ ઠાકોર પોતાના જ કાર્યાલયના ઉદ્ધાટનમાં ન ફરક્યા

0

Speak up! Alpesh Thakor, contesting from Gandhinagar South

  • ગાંધીનગરમાં દક્ષિણ બેઠક પરથી ભાજપે આ વખતે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપીને મેદાને ઉતાર્યા છે. જોકે તેમના નામની જાહેરાત પહેલા જ સ્થાનિક કાર્યકરોએ વિરોધ કર્યો હતો. જોકે ભાજપ દ્વારા તેમ છતાં અલ્પેશ ઠાકોરને જ ટિકિટ આપવામાં આવી.

ગાંધીનગર દક્ષિણ (Gandhinagar South) બેઠકના ઉમેદવાર અલ્પેશ ઠાકોરના (Alpesh Thakor) કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જોકે આ ઉદ્ધાટનમાં અલ્પેશ ઠાકોર પોતે જ ગેરહાજર હતા. ગાંધીનગરના રાંદેસણ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi) અને ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ કાર્યાલયનું ઉદ્ધાટન કર્યું.

હર્ષ સંઘવીએ કર્યું કાર્યાલયનું ઉદ્ઘાટન :

ખુદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કાર્યાલયના ઉદ્ધાટનના ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા. જેમાં અલ્પેશ ઠાકોરના પોસ્ટર તો દેખાયા પણ અલ્પેશ ઠાકોર પોતે ક્યાંય દેખાયા જ નહીં. ખાસ વાત છે કે બે દિવસ પહેલા જ ચિલોડા ખાતે કાર્યાલયના ઉદ્ધાટન દરમિયાન જ અલ્પેશ ઠાકોર વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયો હતો અને અલ્પેશ ગો બેકના નારા લાગ્યા હતા. જે બાદ તેઓ પોતાના જ કાર્યાલયના ઉદ્ધાટનમાં દેખાયા નહોતા.

આજે ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે અલ્પેશ ઠાકોર :

ખાસ વાત છે કે અલ્પેશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતી બેઠકો પર ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરવામાં વ્યસ્ત છે. આજે પણ તેઓ પાટણના રાધનપુર અને બનાસકાંઠાના વડગામ અને ધાનેરામાં ચૂંટણી પ્રચાર કરવા માટે જઈ રહ્યા છે. જોકે તેમના જ કાર્યાલયના ઉદ્ધાટન દરમિયાન તેઓ ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્કો અને ચર્ચાઓ ઉઠી હતી.

આ પણ વાંચો :-

મને માફ કરી દો, મારી નસમાં કોંગ્રેસ છે હું ભૂલથી AAPમાં ગયો હતો : રાહુલ ગાંધી સામે ઇન્દ્રનીલે બે હાથ જોડી માફી માંગી

0

Forgive me, I have Congress in my veins

  • રાજકોટ જનસભામાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાહુલ ગાંધીની માંગી માફી “તમામ લોકોની વચ્ચે હું આપની માફી માંગુ છું”

ગુજરાત વિધાનસભા મતદાનની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે. આક્ષેપ અને નિવેદનબાજીઓ તેમજ પક્ષ પલટાના પવનો ફૂંકાઈ રહ્યાં છે. મતદાનની તારીખો નજીક આવતા રાજકીય પક્ષો દ્વારા જાહેરસભાઓ (Public meeting) અને રેલીઓ ચાલી રહી છે. કોંગ્રેસ (Gujarat Congress) અને આમ આદમી પાર્ટી દ્વારા તમામ મોરચે તૈયારી આરંભી દેવાંમાં આવી છે.

ગુજરાતનો ગઢ જીતવા કોઈ પણ પાર્ટી કાચું કાપવા તૈયાર ન હોવાથી ગુજરાતનો જંગ હવે રોચક બન્યો છે.  ભાજપમાં પ્રચારનો મોરચો વડાપ્રધાન મોદી (Prime Minister Modi) અને અમિક શાહે સંભાળ્યો છે તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ આજે જનસભાને સંબોધી છે. જેમાં રાજકોટમાં જાહેર સભા દરમિયાન ઈન્દ્રનીલ રાજ્યગુરુએ માફી માંગી છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ સ્ટેજ પરથી રાહુલ ગાંધીની માંગી માફી હતી.

ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાહુલ ગાંધીની માંગી માફી :

રાજકોટમાં જાહેર સભા દરમિયાન ઈન્દ્રનીલ રાજ્યગુરુએ માફી માંગી હતી. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ સ્ટેજ પરથી રાહુલ ગાંધીની માફી માંગી હતી. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું કે, તમામ લોકોની વચ્ચે હું આપની માફી માંગુ છું. તેમણે કહ્યું કે વર્ષોથી મારી પેઢીઓ કોંગ્રેસ સાથે હતી અને રહીશ.

તેમણે કહ્યું કે હું ભૂલથી AAP પાર્ટીમાં જતો રહ્યો હતો અને તેમણે આપ પર પ્રહાર કરતા કહ્યું કે કેજરીવાલ કટ્ટર ઈમાનદાર નથી તે કટ્ટર ભ્રષ્ટાચારી છે. તેમણે કહ્યું કે મને માફ કરી દો. મારી નસમાં કોંગ્રેસ છે હું ભૂલથી AAPમાં ગયો હતો.

રાહુલ ગાંધીની રાજકોટમાં જનસભા :

રાહુલ ગાંધીએ સભાસ્થળ શાસ્ત્રી મેદાન ખાતે આવતા લોકોને અભિવાદન કર્યું હતું. સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મોરબીમાં બનેલી ઝૂલતા પુલની દુર્ઘટના અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 150 લોકોના મૃત્યુ થયા તેમાં રાજનીતિ નહીં કરું અને મોરબી દુર્ઘટનામાં ચોકીદારોને પકડી અંદર કરી દીધા પણ જવાબદારો સામે કાંઈ નહીં.

તે સાથે રોજગારી અને બેરોજગારીને લઈ નિવેદન આપતા જણાવ્યું હતું કે યુવાનોને રોજગારી મળતી નથી. 45 વર્ષની આજે સૌથી વધુ બેરોજગારી ભારતમાં જોવા મળી રહી છે. સરકારમાં લાખો જગ્યા ખાલી છે પણ ભરતી કરવામાં આવતી નથી. મોંઘવારી-બેરોજગારી વધુ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો સહન કરે છે. સાથે જ રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહારો પણ કર્યા હતો.

આ પણ વાંચો :-

 

 

રાજનીતિમાં ગરમાવો ! ભાજપના 3 નેતાઓ પર નોંધાઇ એટ્રોસિટીની ફરિયાદ, અજય તડવીનો મોટો આક્ષેપ

0

Get hot in politics ! Atrocity complaint filed

  • વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર કરવામાં ક્યારેક નેતાઓ ભાન ભૂલતા હોયા છે. ત્યારે વડોદરામાં ભાજપના 3 નેતાઓ પર એટ્રોસિટીની ફરિયાદ નોધાઈ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરામાં (Vadodara) ભારતીય જનતા પાર્ટીના ત્રણ નેતાઓ સામે એટ્રોસિટીની (Atrocity) ફરિયાદ નોંધાઈ છે. 2 નગરસેવક અને ભાજપ શહેર મહામંત્રી સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

કાસકીવાળ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક ઘટના બની હતી. જેમાં અજય તડવીએ જાતિ વિષયક અપમાનનો આક્ષેપ કર્યો હતો. આ વિશે મળતી માહિતી પ્રમાણે વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર કરવામાં ક્યારેક નેતાઓ ભાન ભૂલતા હોયા છે. ત્યારે વડોદરામાં ભાજપના 3 નેતાઓ પર એટ્રોસિટીની ફરિયાદ નોધાઈ છે. વડોદરામાં 2 નગરસેવકો અને 1 ભાજપ શહેર મહામંત્રી પર ફરિયાદ નોધાતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

જેમના પર એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે તેમના નામમાં કાઉન્સિલર બિરેન શાહ, વિશાલ શાહ અને મહામંત્રી અમિત સોલંકી છે. ડોદરામાં કાસકીવાળ વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં ભાજપના ત્રણેય નેતાઓ ગયા હતા. તે સમયે આ  ઘટના બની હતી. ફરિયાદી અજય તડવીએ ભાજપના ત્રણેય નેતાઓ પર પોતાની ફરિયાદમાં જાતિ વિષયક અપમાનનો આક્ષેપ કર્યો હોવાનો વાત સામે આવી રહી છે. આ મામલે DYSP દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરાઇ છે.

આ પણ વાંચો :-