Home Blog Page 1237

અમરેલીમાં જેવી કાકડિયાનો થયો વિરોધ, સભા અધૂરી છોડીને ભાગવુ પડયું

0

Like in Amreli there was a protest like

  • અમરેલીના ધારીમાં વોટ માંગવા નીકળેલા ભાજપના ઉમેદવાર જેવી કાકડિયાને થયો કડવો અનુભવ.

ચૂંટણી આવે એટલે નેતાઓ વોટ માંગવા આવી જાય. પરંતુ એકવાર ચૂંટણી જીતી ગયા બાદ ફરકતા પણ નથી. તેથી જ સમસ્યાઓથી પીડાતા મતદારો ચૂંટણી આવે એટલે ઉમેદવારો પર રોષ વ્યક્ત કરે છે. ત્યારે આવો જ કડવો અનુભવ અમરેલીમાં (Amreli) ભાજપના ઉમેદવાર જેવી કાકડિયાને (J.V.Kakadiya) થયો હતો. વિરોધ થતા તેઓને અધૂરી સભા છોડીને બહાર નીકળી જવુ પડયું હતું.

ધારી વિધાનસભામાં ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયાને લોકોના વિરોધનો સામનો કરવો પડયો હતો. જેનો વીડિયો વાયરલ થયો છે. ધારીના કાગદડી અને ખાંભાના દાઢયાળી ગામમા પ્રચાર દરમ્યાન તેમનો વિરોધ થયો હતો. ખાંભાના દાઢીયાળી ગામમા વધુ વિરોધ થતા ભાજપના ઉમેદવારે અધૂરી સભા છોડી બહાર નીકળવાની ફરજ પડી હતી.

ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક લોકોએ વિરોધ દર્શાવતા વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા છે. ગઈકાલે પ્રચાર દરમ્યાન બનેલી ઘટનાઓ આજે સામે આવી છે. 2022 માં ફરી વિરોધનો સુર સાથે લોક સમર્થન નહિ મળતા ભાજપની ચિંતા વધી છે.

જેવી કાકડિયાનો ગામમાં પ્રવેશ થયો. તેમ લોકો તેમની ઘેરી વળ્યા હતા. જેથી જેવી કાકડિયાને અધૂરી સભા છોડીને જવુ પડયું હતું.

સૌરાષ્ટ્રમાં હંમેશા ભાજપ માટે કપરા ચઢાણ રહ્યાં છે. ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં હંમેશા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સાથ મળતો રહ્યો છે. પરંતુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ભાજપ માટે હંમેશા મુશ્કેલ સાબિત થયા છે. ત્યારે જો ફરી 2017 નું પુનરાવર્તન થશે તો ભાજપ બે આંકડામાં સમાઈ શકે છે.

આ પણ વાંચો :-

શું સરકાર આપી રહી છે પુત્રીઓને 1.5 લાખ રૂપિયા ? જાણો શું છે આ સ્કીમ

0

Is the government giving 1.5 lakh rupees

  • સરકાર ગુરૂ નામની એક યૂટ્યૂબ ચેનલે એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં આ વાતનો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર તરફથી એક યોજના ચલાવવામાં આવી રહી છે અને આ યોજનામાં પુત્રીઓને 1.5 લાખ રૂપિયાની રકમ આપવામાં આવી છે.

સોશિયલ મીડિયા (Social media) પર કહેવામાં આવેલી દરેક વાત સાચી હોય, એ જરૂરી નથી. સોશિયલ મીડિયા પર આજકાલ ઘણી ભ્રામક વાતો પણ ફેલાવવામાં આવી રહી છે. આ વાતો દ્વારા લોકોના મનમાં ભ્રમ પેદા કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અથવા પછી લોકોને છેતરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હવ એવો જ એક ભ્રામક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral) થઇ રહ્યો છે. જેમાં સરકાર સાથે જોડીને આ યોજના વિશે જણાવવામાં આવ્યું છે. તેની એક તસવીર PIB Fact Check એ શેર કરી છે.

આ છે દાવો :

જો કે સરકારી ગુરૂ નામની એક યૂટ્યૂબ ચેનલે એક વિડીયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં આ વાતનો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર (Central Govt) તરફથી એક યોજના ચલાવવામાં આવી રહી છે અને આ યોજનામાં પુત્રીઓને 1.5 લાખ રૂપિયાની રકમ આપવામાં આવી રહી છે. તો બીજી તરફ યોજનાનું નામ પ્રધાનમંત્રી કન્યા આર્શિવાદ યોજના (Pradhan Mantri Kanya Arshivad Yojana) બતાવવામાં આવી રહ્યું છે.

ખોટો છે દાવો :

જો કે PIB Fact Check તરફ આ વીડિયોનું ફેક્ટ ચેક કરવામાં આવ્યું છે અને આ વીડિયોને ડુપ્લીકેટ હોવાનું જાણવા મળ્યું છે. PIB Fact Check તરફથી ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે ‘સરકારી ગુરૂ’ નામની એક #YouTube ચેનલના એક વીડિયોમાં કરવામાં આવ્યો છે કે ‘પ્રધાનમંત્રી કન્યા આર્શિવાદ યોજના‘ અંતગર્ત તમામ પુત્રીઓને 1,50,000 રૂપિયાની રકમ મળશે. આ દાવો બનાવટી છે. કેન્દ્ર સરકાર તરફથી આવી કોઇ યોજના ચલાવવામાં આવી રહી નથી.

નથી આવો કોઈ યોજના :

PIB Fact Check તરફથી આ દાવાનો ખોટો ગણાવવામાં આવ્યો છે સાથે જ કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી કન્યા આર્શિવાદ યોજના‘ ના નામે કોઇપણ પ્રકારની યોજના ચલાવવામાં આવી રહી નથી. એવામાં આ દાવો ભ્રામક છે.

ઈલાયચીના આ ઉપાયોથી દૂર થશે નોકરીની સમસ્યા તથા આર્થિક તંગી, મળશે પ્રગતિ

With these cardamom remedies

  • નોકરી મળી રહી નથી. ઘરમાં હંમેશા આર્થિક તંગી રહે છે. તેના માટે જ્યોતિષશાસ્ત્રમાં ઘણા પ્રકારના ઉપાય બતાવવામાં આવ્યા છે. એવો જ એક ઉપાય નાનકડી ઈલાયચીનો પણ છે. જે લોકોને નોકરી મળી રહી નથી. નાની ઈલાયચીનો ઉપયોગ કરવાથી તેમની આ પરેશાની દૂર થઈ શકે છે.

નાનકડી ઈલાયચી (Cardamom) જ્યાં ખાવાનો સ્વાદ વધારે છે. તો બીજી તરફ સ્વાસ્થ્ય માટે પણ કારગર છે. તેના સેવનથી ઘણા પ્રકારની શારિરીક સમસ્યાઓ (Physical problem) દૂર થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં નાનકડી ઇલાયચીના કેટલાક આસાન ઉપાયો વિશે જણાવીશું, જેને કરવાથી તમારું જીવન સરળ થઇ જશે.

નોકરી :

નોકરી માટે પ્રયાસરત છે. આકરી મહેનત છતાં સફળતા મળી રહી નથી તો દરરોજ રાત્રે સૂતાં પહેલાં ઓશિકા નીચે નાનકડી ઈલાયચી રાખો. બીજા દિવસે આ ઈલાયચીને કોઇ ગરીબને દક્ષિણામાં દાન કરો. આમ કરવાની મનપસંદ નોકરીની પ્રાપ્તિ થશે.

આર્થિક તંગી :

પીળા કપડાંમાં પાંચ નાનકડી ઈલાયચી બાંધીને મા લક્ષ્મીના ચરણોમાં મુકો. આમ કરવાથી ધન લાભ થાય છે અને આર્થિક તંગી દૂર થાય છે. આ પ્રક્રિયા ગુરૂવારના દિવસે કરો. તો બીજી ત્રફ ગુરૂવારના દિવસે પીળા કપડાં નાનકડી ઇલાયચી રાખીને તેને દક્ષિણા સાથે ગરીબને દાન કરો. તેનાથી સુંદર પત્ની મળે છે.

કોઇ મહત્વપૂર્ણ કાર્ય માટે જઇ રહ્યા છો તો ઘરેથી નાનકડી ઈલાયચી ખાઇને નિકળો. આમ કરવાથી તમામ કાર્ય સિદ્ધ થશે. શુક્રવારે પાંચ નાનકડી ઈલાયચી માતા લક્ષ્મીના ચરણોમાં અર્પિત કરો. તેને પછી તિજોરી અથવા પર્સમાં રાખી દો. તેનાથી પૈસાની તંગી દૂર થાય છે.

આ પણ વાંચો :-

પ્રતાપ દુધાતની પોલીસને ચેતવણી ! મારા હાથમાં ધોકો આવ્યો ત્યારે તમારી ખાખી….

0

Pratap Dudhat’s warning to the police

  • અમેરલીની સાવરકુંડલા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દૂધાતનો વીડિયો વાયરલ. પ્રચાર દરમિયાન પ્રતાપ દૂધાતે પોલીસ અધિકારીને આપી ધમકી. કહ્યું–મારા હાથમાં ધોકો આવશે તો ખાખી વરદી પર ડાગ લાગશે.

2022ની ચૂંટણીમાં પહેલીવાર એવુ જોવા મળ્યું કે નેતાઓ બેફામ બન્યા હોય. મત માંગવા નીકળ્યા અને દબંગાઈ પર ઉતર્યા હોય. આવામાં સાવરકુંડલા (Savarkundla) કોંગ્રેસ ઉમેદવાર પ્રતાપ દુધાતનો (Pratap Dudhat) વીડિયો વાયરલ થયો છે. અમરેલીમાં (Amreli) પ્રચાર દરમ્યાન કોંગ્રેસ ઉમેદવાર પ્રતાપ દુધાત આક્રમણ બની પોલીસ અધિકારી સામે પ્રહારો કર્યા હતા. પ્રચારની સભા દરમ્યાન પ્રતાપ દુધાત પોલીસ અધિકારીને શાનમાં સમજી જવા ટકોર કરી હતી. ત્યારે પ્રતાપ દૂધાતે શું કહ્યું તે જાણીએ.

પોલીસ BJPની એજન્ટ બનીને કામ કરતી હોવાનો કોંગ્રેસ MLA પ્રતાપ દૂધાતે આરોપ લગાવ્યો. કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રતાપ દુધાતે જાહેર સભામાં પોલીસ અધિકારીઓને ચેતવણી આપી હતી. તેઓએ ભાજપના એજન્ટ બનીને કામ કરનાર અધિકારીઓને ખોંખારો ખાતા કહ્યું કે, તમારાથી થતું હોય એટલું મારું નુકસાન કરી લેજો. મારા હાથમાં ધોકો આવ્યો ત્યારે તમારી ખાખી પર દાગ લગાવીશ. એરુ ડંખ મારે તો બચી જવાશે, મારા ડંખથી આવનારી પેઢી પણ નહીં બચે.

સાવરકુંડલામાં કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દૂઘાત સભા સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે આ નિવેદન આપ્યુ હતું. જોકે, તેઓએ કોઈ પણ પોલીસ અધિકારીનું નામ લીધા વગર આ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, મારા હાથમાં ધોકો આવશે તો ખાખી વરદી ઉપર ડાગ લાગશે. જે પોલીસ અધિકારી ભાજપના એજન્ટ બનીને કામ કરે છે તે પેલી તારીખ સુધી બીજી તારીખ પ્રતાપ દુધાતની છે. આમ, તેમની આ ચેતવણી ચર્ચાનું કેન્દ્ર બની છે.

આ પણ વાંચો :-

WhatsApp યુઝર્સ સાવધાન ! એકાઉન્ટ યુઝ કરતા પહેલાં જાણી લો આ 3 બાબત નહીં તો…

Attention WhatsApp users

  • WhatsApp વાત-ચીત કરવાનું એક મોટુ પ્લેટફોર્મ બની ગયું છે. જોકે તેનો ઉપયોગ કરતી વખત અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. WhatsApp પર એક નાની ભૂલ તમને સીધા જેલ પહોંચાડી શકે છે.

ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે કનેક્ટ કરવા માટે WhatsApp એક સારૂ માધ્યમ છે. યુઝર્સ (users) તેનાથી મેસેજ મોકલવાની સાથે ફોટો, વીડિયો અને ઓડિયો ફાઈલ (Audio file) પણ એક-બીજાને શેર કરી શકે છે. માટે તેનો વ્યાપ હવે ખૂબ જ વધી ગયો છે. હવે WhatsAppનો ઉપયોગ પ્રોફેશનલ કામકાજ માટેથી લઈને સ્ટડી સુદી થઈ રહ્યો છે.

જોકે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે. કારણ કે એક નાની ભૂલ તમને જેલમાં મોકલી શકે છે. તેના માટે અમે તમને જણાવી દઈએ કે વોટ્સએપ ચલાવતી વખતે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ.

સૌથી લોકપ્રિય માધ્યમ છે વોટ્સએપ :

WhatsApp વિશ્વના સૌથી મોટા ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પૈકીનું એક છે. વિશ્વભરમાં 2 અબજથી વધુ યુઝર્સ WhatsApp ચલાવે છે. મોટી કંપનીઓ, શાળાઓ, હોસ્પિટલોથી લઈને સરકારી વિભાગો સુધી વોટ્સએપનો ઉપયોગ થાય છે. તેથી જ તેની પહોંચનું પ્રમાણ ઘણું વધી ગયું છે.

એકવાર શેર કરવામાં આવેલ ફોટો અથવા વીડિયો તરત જ વાયરલ થઈ જાય છે. એટલા માટે WhatsApp નો ઉપયોગ ખૂબ કાળજી સાથે કરવો જોઈએ. અહીં અમે તમને એવી 3 વાતો જણાવી રહ્યા છીએ. જે ભૂલથી પણ વોટ્સએપ પર ન કરવી જોઈએ.

ફેક ન્યૂઝ શેર ના કરો :

આજકાલ વોટ્સએપ ફેક ન્યૂઝ ફેલાવવાનું સૌથી મોટું માધ્યમ બની ગયું છે. જોકે, ફેક ન્યૂઝને રોકવા માટે WhatsAppએ ખૂબ જ કડક પોલિસી બનાવી છે. સાથે જ સરકાર ફેક ન્યૂઝની ફરિયાદ પર પણ કડક કાર્યવાહી કરે છે.

જો તમારી પાસે કોઈ મેસેજ કે મીડિયા ફાઈલ મળે તો તેને ચેક કર્યા વગર ફોરવર્ડ ન કરો. આમ કરવાથી તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો. ખોટા અને નકલી સમાચાર ફેલાવવા બદલ તમને જેલ થઈ શકે છે.

સમાજમાં નફરત ફેલાવતી વસ્તુઓ ન કરો શેર :

ધર્મ, જાતિ, સમુદાય વગેરેના નામે લોકોમાં ભેદભાવ ફેલાવતી સામગ્રી શેર કરવી એ એક મોટો ગુનો છે. સમાજની શાંતિ વ્યવસ્થાને ઠેસ પહોંચાડતો અથવા ભેદભાવ ફેલાવતો આવો કોઈ મેસેજ તમારી પાસે આવે તો તેને તાત્કાલિક ડિલીટ કરી દેવો જોઈએ. ભૂલથી પણ આવા મેસેજ કે ફોટો-વીડિયો ફોરવર્ડ ન કરો. જો તમે આવું કર્યું તો તમારે જેલ જવાનો વારો આવી શકે છે.

પોર્ન ફાઈલો શેર ન કરો :

વોટ્સએપ પર પોર્ન એટલે કે અશ્લીલ સામગ્રી શેર કરવી ભારે પડી શકે છે. ખાસ કરીને ચાઈલ્ડ પોર્નોગ્રાફી અંગે પોલીસ કડક કાર્યવાહી કરે છે. એટલા માટે વોટ્સએપ પર અશ્લીલ ફોટા અને વીડિયો બિલકુલ શેર ન કરો.

જો કોઈ તમને પોર્ન સામગ્રી મોકલે છે તો તેને ડિલિટ કરી નાખો. આ સિવાય વોટ્સએપ એકાઉન્ટ હેક કરવા, વોટ્સએપ પર કોઈને ધમકાવવા, નકલી વોટ્સએપ એકાઉન્ટ બનાવવા અથવા છેતરપિંડી કરવા બદલ જેલ પણ થઈ શકે છે.

આ પણ વાંચો :-

26 નવેમ્બર 2022 રાશિફળ : શનિવારે કરો આ ખાસ ઉપાય, માં લક્ષ્મીના આશીર્વાદથી મળશે અઢળક ધન લાભ

26 November 2022 Horoscope Gujarat Guardian

મેષ
ગઇ કાલની જેમ આજે પણ ‌દિવસ આનંદથી પસાર થાય. આ‌‌ર્થિક પાસું થોડું નબળું થતું જણાય. શેર બજારના રોકાણમાં ધ્યાન રાખવું જરૂરી. માતાને ગેસ ટ્રબલ, સાંધાના દુઃખાવાની ફ‌રિયાદ રહે. સામાન્ય શરદી, ખાંસીનો ઉપદ્રવ રહે.

વૃષભ
કરેલા કાર્યમાં સઘર્ષે સફળતા મળે. કુટુંબમાં થોડો ‌વિખવાદ રહે. તીર્થ યાત્રા, પ્રવાસ શકય બને. રોકાણોમાંથી આવક મળતી જણાય.  આદ્યો‌ત્મિક ઉન્ન‌તિ થતી જણાય. શુભ કાર્યોનું આયોજન શકય બને. આરોગ્ય જળવાશે.

મિથુન
વાણી ‌વિલાસ સાચવી ને કરવો. બચત ઘસાતી જણાય. ગળાના રોગોની કાળજી રાખવી. ભાઈ-બહેનો ના મનનો ભાગ મેળવવો અશક્ય લાગે. હીમોગ્લીબીન ઘટે, થાક લાગે. બહેનોને મા‌સિક વધારે આવવાની સમસ્યા ઉદભવે.

કર્ક
ખંતીલા, કરકસરીયાં. ચોક્કસ, વ્યવ‌સ્થિત તથા આત્મ‌વિશ્વાસનો અનુભવ થાય. ઓઇલ, કેરોસીન, નહેરને લગતા, જેલને લગતા તથા ગવર્મેન્ટ સપ્લાયરના ધંધા વાળા ને લાભ. બપોર બાદ થોડો થાકનો અનુભવ થતો જણાય.

સિંહ
આત્મ‌વિશ્વાસ ઘટતો જણાય. ખર્ચનું પ્રમાણ વધે. સફેદ વસ્તુ, કાપડ, દવાની સાથે સંકળાયેલ ધંધાર્થીઓને લાભ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. નકારાત્મક ‌વિચારોનું પ્રમાણ વધે. સત્તા, હોદ્દો, માન મળે. ‌પિતૃ સુખ સારૂ મળે.

કન્યા
કોઇની ઉપર ‌વિશ્વાસ મુકતા પહેલા ‌વિચાર કરવો. ‌વિશ્વાસુ વ્ય‌ક્તિ દ્વારા જ ‌વિશ્વાસઘાતના ભોગ બનાય. સોબતથી સાચવવું. ધારેલી આવક અટકતી જણાય. અપમાન સહન કરવું પડે. ડાબી છાતીની કાળજી રાખવી.

તુલા
મન ઉપર ‌ચિંતાઓ ભાર વધારે રહે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. આ‌‌ર્થિક પલ્લુ મજબૂત બનતુ જણાય. પ‌રિવારના સભ્યોની ‌વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. લીવર નબળું રહે. અપચનની સમસ્યાની સમસ્યા રહે. નોકરી ધંધા માટે શુભ.

વૃ‌શ્ચિક
મહેનત જેટલું જ ફળ મળતું જણાય. યાત્રા-પ્રવાસ થોડી મુશ્કેલી સાથે સફળ રહે. આ‌‌ર્થિક બાબતોથી અસંતોષ રહે. પ‌રિવારના સભ્યો સાથે આનંદ. આરોગ્ય સારૂં રહેશે. નોકરી, ધંધામાં સફળતા મળતી જણાશે.

ધન
નાણાંભીડ વર્તાય. માન‌સિક અશાં‌તિ રહે. શરદી, ખાંસી કફનો ઉપદ્રવ થાય અને જો હોય તો એમાં વધારો થતો જણાય. પ‌રિવારમાં ગુસ્સા ભર્યું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ ન મળે. ભાગીદારી વાળા ધંધામાં ‌વિશેષ ધ્યાન આપવું.

મકર
નોકરીના ઇન્ટરવ્યુમાં સફળતા મળે. ધનલાભ ના યોગ બને છે. વ્યાજની આવક માટે રોકાણ કરી શકાય. દામ્પત્ય જીવનમાં મધુરતા નો અનુભવ થાય. સંતાનની ત‌બિયતની કાળજી રાખવી. શરદી, તાવથી સાવચેતી રાખવી.

કુંભ
આત્મ ‌વિશ્વાસ વધે, પરંતુ પછી થોડી ‌ચિંતામાં વધારો થાય. આ‌‌ર્થિક પાસુ મજબૂત બનતું જણાય. માતૃસુખ સારૂ મળે. દવા ના ધંધા વાળાને લાભ. જળાશયથી દૂર રહેવું. પાણીથી થતા રોગોથી ધ્યાન રાખવું.

મીન
સંતાનની પ્રગ‌તિથી આનંદ થાય. નવું વાંચવાનો જાણવાનો પ્રસંગ બને. ધા‌ર્મિક આયોજનો શકય બનતા જણાય. ‌મિત્રો તરફથી લાભ મળે. લક્ષ્મીની વખતસર હેરફેર થતી જણાય. જમણા હાથમાં દુઃખાવો રહે.

આ પણ વાંચો :-

રૂ.35થી 50 હજારમાં ફોરેન ફરવાની મોજ : પ્લાન બનાવતા પહેલા જોઈ લો 5 ડેસ્ટિનેશનનું લિસ્ટ

The fun of traveling abroad for Rs 35 to 50 thousand

  • જો તમને પણ વિદેશ ફરવા જવાનો શોખ છે પણ બજેટને કારણે તમે એ શોખ પૂરો નથી કરી શકતા તો આ સમાચાર તમારા કામના છે.

કામ કરીને લોકો જ્યારે થાકે ત્યારે ફ્રેશ થવા માટે ફરવા જાય છે. ફરવાનો શોખ લગભગ દરેક લોકોને હોય છે અને ઘણાને વિદેશ ફરવા (Travel abroad) જવાનો શોખ હોય છે પણ બજેટના કારણે દરેક લોકો એ કરી શકતા નથી. જો તમને પણ વિદેશ ફરવા જવાનો શોખ છે પણ બજેટને કારણે તમે એ શોખ પૂરો નથી કરી શકતા તો આ સમાચાર તમારા કામના છે. આજે અમે એવા વિદેશી સ્થળો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે 35-50 હજારમાં આરામથી ફરવા જઈ શકો છો.

સિંગાપોર : જો તમે ફરવાની સાથે-સાથે શોપિંગ અને સ્વાદિષ્ટ ખોરાક ખાવાના શોખીન છો તો સિંગાપોર તમારા ફરવા માટે બેસ્ટ ઓપ્શન છે. જણાવી દઈએ કે ત્યાં યુનિવર્સલ સ્ટુડિયો ઉપરાંત સુંદર બીચ પણ છે અને તમે 40 થી 50 હજાર રૂપિયા ખર્ચીને ત્યાં આરામથી ફરવા જઈ શકો છો.

મ્યાનમાર : આ સ્થળની સુંદરતાના કારણે તેની ગણતરી શ્રેષ્ઠ પર્યટન સ્થળોમાં થાય છે. મ્યાનમાર ફરનારાઓમાં ભારતીયોની સંખ્યા ઘણી વધુ છે અને જો તમે પણ આ દેશની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો તમે 35 થી 45 હજાર રૂપિયામાં ત્યાં ફરવા જઈ શકો છો.

થાઈલેન્ડ : થાઈલેન્ડ માત્ર ભારતીયો માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના લોકો માટે ફરવા માટેનું બેસ્ટ અને પસંદિતા સ્થળ છે. થાઈલેન્ડના આધુનિક શહેરો અને સાંસ્કૃતિક વારસો લોકોને પોતાની તરફ ખેંચે છે. આ સાથે જ સુંદર બીચ અને નાઈટલાઈફ પણ તેની શાન છે. જણાવી દઈએ કે ત્યાં તમે 45 થી 50 હજાર રૂપિયામાં ફરવા જઈ શકો છો.

શ્રીલંકા : ભલે છેલ્લા 2 વર્ષથી આર્થિક સંકટને કારણે શ્રીલંકા ઘણા પડકારોમાંથી પસાર થયું છે પણ આ દેશ પ્રવાસીઓ પર આધારિત છે અને શ્રીલંકાની સંસ્કૃતિ, સુખદ વાતાવરણ, ખાણી-પીણી અને સુંદર લેન્ડસ્કેપ ત્યાંની શાન છે. આ સાથે તેના રેતાળ બીચ પણ લોકોને ખૂબ આકર્ષિત કરે છે. અહીં ફરવા માટે એક વ્યક્તિને 35 થી 40 હજારનો ખર્ચ થાય છે.

વિયેતનામ : વિયેતનામ પણ ખૂબ જ સુદંર સ્થળ છે અને ફરવા માટે લોકોનું એક આકર્ષણનું કેન્દ્ર છે. ત્યાંની સુંદર નદીઓ, દરિયાકિનારા અને બૌદ્ધ મંદિરોની પસંદગી અહીં લોકોને આકર્ષે છે અને આ સિવાય આ દેશમાં ખાવાનો સારો વિકલ્પ પણ મળી રહે છે. તમે 30 થી 40 હજાર રૂપિયામાં આ દેશમાં જઈ શકો છો.

ઈજિપ્તજો તમે ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવાના શોખીન છો. તો તમને ઇજિપ્ત એક ખૂબ સારો વિકલ્પ છે. આ દેશ તેની સંસ્કૃતિ અને ઈતિહાસ માટે ખૂબ પ્રખ્યાત છે. ઈજિપ્તની નાઈલ નદી, ભવ્ય પિરામિડ અને ઘણા પ્રાચીન મંદિરો અને મસ્જિદો જોવા મળે છે અને ત્યાં તમે લગભગ 50 હજારના બજેટમાં ફરવા જઈ શકો છો.

આ પણ વાંચો :-

એક Video Call અને જિંદગી તબાહ ! પૈસા પડાવવામાં જામતાડાને પછાડી ગયું રાજસ્થાનનું આ ગામ

0

A video call and life is ruined y

  • તમે ઓનલાઈન ફ્રોડ તો સાંભળ્યું હશે પણ હવે લોકો વીડિયો કોલથી પણ હજારો લાખો ગુમાવી રહ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી સેક્સટોર્શનના (Sextortion) કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. તમને આ શબ્દ નવો લાગતો હશે, પરંતુ તમારા કોઈ નજીકના વ્યક્તિ પણ આ પ્રકારના ગુનાનો શિકાર બન્યા હશે. આવા જ એક કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રાજસ્થાનમાં લગભગ આખું ગામ આ પ્રકારના સાયબર ક્રાઈમમાં (Cybercrime) સામેલ હતું.

શું છે સેક્સટોર્શન ?

વાસ્તવમાં સાયબર છેતરપિંડી કરનારાઓ કોઈને કોઈ રીતે લોકોને ઓનલાઈન પ્લેટફોર્મ પર વાતચીતમાં ફસાવે છે. મોટા ભાગના કિસ્સાઓમાં પુરુષોને ટાર્ગેટ કરવા માટે મહિલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. એવા ઘણા કિસ્સા છે જેમાં વોટ્સએપ પર અજાણ્યા વિડિયો કોલ ચલાવવામાં આવે છે. જેમ જેમ કોઈ વ્યક્તિ તેમની જાળમાં ફસાઈ જાય છે. ત્યારે કોલના બીજા છેડે બેઠેલી વ્યક્તિ યુઝરનો વાંધાજનક વીડિયો બનાવે છે.

કેટલાક કિસ્સાઓમાં વપરાશકર્તાઓના ચિત્રની મદદથી એક મોર્ફ વિડિયો (Morph video) બનાવવામાં આવે છે. પછી તેમને બ્લેકમેલ કરવામાં આવે છે. સ્કેમર્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપે છે. જો કોઈ પૈસા આપે તો પણ બ્લેકમેઈલિંગનો આ તબક્કો અહીં પૂરો થતો નથી પણઆગળ વધે છે. આ આખી રમતને સેક્સટોર્શન કહેવામાં આવે છે.

કેવી રીતે બહાર આવ્યો સમગ્ર  કેસ ? 

પુણે પોલીસે રાજસ્થાનના 29 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આ વ્યક્તિની સેક્સટોર્શન સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. પુણેમાં 19 વર્ષીય યુવકે કથિત સેક્સટોર્શનના કારણે આત્મહત્યા કરી લીધી. પોલીસના જણાવ્યા અનુસાર છેતરપિંડી કરનારાઓ સતત પીડિતાને બ્લેકમેઈલિંગ અને હેરાન કરતા હતા.

યુવકે 28 સપ્ટેમ્બરે આત્મહત્યા કરી લીધી હતી. સેક્સટોર્શન સાથે જોડાયેલા આ કેસમાં યુવકે અગાઉ છેતરપિંડી કરનારાઓને 4500 રૂપિયા આપ્યા હતા. પરંતુ બ્લેકમેલિંગની પ્રક્રિયા અહીં સમાપ્ત થતી નથી. આ કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

રાજસ્થાનના આ ગામમાં ચાલે છે સેક્સટોર્શન ? 

દત્તવાડી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર અભય મહાજને કહ્યું, આ કેસની તપાસમાં અમે રાજસ્થાનના અલવરના ગોથરી ગુરુ ગામમાં પહોંચ્યા. જ્યાં અમે અનવર સુબાન ખાનની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આખા ગામમાં સેક્સટોર્શન રેકેટ ચાલી રહ્યું છે. જેનો માસ્ટરમાઈન્ડ અનવર છે.

પોલીસ તપાસમાં શું બહાર આવ્યું ? 

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ગામના મોટાભાગના યુવકો અને મહિલાઓ ઓનલાઈન સેક્સટોર્શનમાં સામેલ છે.  સાયબર પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર 2022 સુધીમાં પુણેમાં કુલ 1445 કેસ નોંધાયા છે. જેમાં પીડિતોને બ્લેકમેલ કરવામાં આવ્યા છે અને હેરાન કરવામાં આવ્યા છે.

આ કિસ્સામાં સાયબર ગુનેગારો પુરુષોને નિશાન બનાવવા માટે મહિલાઓનો ઉપયોગ કરે છે. અધિકારીએ જણાવ્યું હતું કે આવા કિસ્સાઓમાં ગુનેગારો ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પર તેમના લક્ષ્યો શોધી કાઢે છે. લોકોને પોતાની જાળમાં ફસાવવા માટે આકર્ષક ડીપીનો ઉપયોગ કરવામાં આવે છે. સાયબર પોલીસે લોકોને ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પર અજાણ્યા વીડિયો કોલ્સ અને અજાણ્યા લોકો સાથેની વાતચીત વિશે ચેતવણી આપી છે.

આ પણ વાંચો :-

સુરતની સૌથી ચર્ચિત બેઠક પર પ્રચાર માટે PM મોદી પોતે મેદાનમાં, પાટીદારોના ગઢમાં AAP આપી રહ્યું છે સીધી ટક્કર

0

AAP is giving a direct fight to PM Modi

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં જાહેરસભા અને રોડ-શો કરવા જઈ રહ્યા છે. 27મી નવેમ્બરે પીએમ મોદીનો એરપોર્ટથી મોટા વરાછા સુધી રોડ શો યોજાશે. સાથે પાટીદારોના ગઢ સમાન મોટા વરાછામાં જાહેર સભા યોજાશે.

પાટીદારોના ગઢ સુરતમાં PM મોદીની જાહેર સભા :

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ઉપરા ઉપરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને સભાઓ ગજવી રહ્યા છે. આ તરફ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાટીદારોના ગઢ સુરતની (Surat) મુલાકાતે આવવાના છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27 નવેમ્બરે સુરતમાં આવવાના છે. જેને લઈ સુરત ભાજપની ટીમ કવાયતમાં લાગી છે. પીએમ મોદીનો એરપોર્ટથી મોટા વરાછા (Mota Varacha) રૂટ પર રોડ શો યોજાશે. સાથે પાટીદારોના (Patidar) ગઢ સમાન મોટા વરાછામાં જાહેર સભા યોજાશે.

રાત્રિ રોકાણ પણ સુરતમાં જ કરશે PM મોદી :

મહત્વનું છે કે સુરત સહિત ગુજરાતની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને છે. તેવામાં હવે પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો પર PMનો રોડ-શો અને જાહેર સભા યોજાશે. મોટા વરાછામાં જાહેર સભા પૂર્ણ થયા બાદ પીએમ મોદી રાત્રિ રોકાણ પણ સુરતમાં જ કરશે. તેઓ બીજા દિવસે બપોરે 12 વાગ્યા સુધી સુરતમાં રોકાણ કરશે.

ગત વખતે ભાજપને પ્રચાર કરવા માટે ભારે મુશ્કેલી થઈ :

વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં સુરતની વરાછા બેઠક પર ભાજપના કાર્યકર્તાઓને પ્રચાર કરવા માટે ભારે મુશ્કેલી થઈ હતી. આ વિસ્તારમાં આંદોલનને લગતા વિરોધ પ્રદર્શન પણ થયા હતા. ભાજપને પ્રચારમાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતા ભાજપે આ બેઠકને જાળવી રાખી હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે પાટીદારોનું દિલ જીતવામાં આ વખતે કોણ સફળ થાય છે. ભાજપ, આપ કે કોંગ્રેસ.

આ પણ વાંચો :-

અમિતાભ બચ્ચનનું નામ કે ફોટો ગમે ત્યાં વાપર્યો તો તમારું આવી બન્યું સમજો ! કોર્ટે આપ્યો ચુકાદો

If Amitabh Bachchan’s name or photo

  • કેટલીક કંપનીઓ અમિતાભ બચ્ચનના નામ, અવાજ અને વ્યક્તિત્વનો ખોટો ઉપયોગ કરી રહી હતી અને બચ્ચને તેની અરજીમાં કહ્યું છે કે જે લોકો આ કામ કરી રહ્યા છે એ ખોટું છે.

બોલિવૂડના (Bollywood) શહેનશા કહેવાતા અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High Court) અરજી દાખલ કરી છે કે ઘણી કંપનીઓ તેમની પરવાનગી વિના તેમના નામ, અવાજ અને વ્યક્તિત્વનો ઉપયોગ કરી રહી છે. જો કે આપણ બધાએ જાણીએ છીએ કે આ ઘટના ઘણા લાંબા સમયથી બની રહી છે. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન તેમના હકમાં તેમના પબ્લિસિટી (Publicity) અને પર્સનાલિટી (Personality) અધિકારો ઈચ્છે છે અને પ્રખ્યાત પબ્લિક ફિગર (Public Figure) હોવાને કારણે અમિતાભ બચ્ચન નથી ઈચ્છતા કે તેમની પરવાનગી વગર કોઈ તેમની ઓળખનો ઉપયોગ કરે.

જણાવી દઈએ કે તેમાં પણ અમિતાભને રાહત મળી છે. જણાવી દઈએ કે જસ્ટિસ ચાવલાએ ઓથોરિટી અને ટેલિકોમ ડિપાર્ટમેન્ટને અમિતાભ બચ્ચનનું નામ, ફોટો અને પર્સનાલિટી ટ્રેટસ જે સાર્વજનિક રૂપે ઉપલબ્ધ છે તેને તાત્કાલિક દૂર કરવા માટે આદેશો જારી કરવામાં આવ્યા છે.

આ સિવાય કોર્ટે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને પણ એ ફોન નંબર વિશે જાણકારી આપવા માટે કહ્યું છે જે બચ્ચનના નામ અને અવાજનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને આવી ઓનલાઈન લિંક્સ હટાવવા માટે કહેવામાં આવ્યું છે જે બચ્ચનના પર્સનાલિટી રાઈટસને ખરાબ કરે છે.

શું હતો સમગ્ર મામલો?

જણાવી દઈએ કે કેટલીક કંપનીઓ અમિતાભ બચ્ચનના નામ, અવાજ અને વ્યક્તિત્વનો ખોટો ઉપયોગ કરી રહી હતી અને બચ્ચને તેની અરજીમાં કહ્યું છે કે જે લોકો આ કામ કરી રહ્યા છે એ ખોટું છે. કોમર્શિયલ ઈન્ડસ્ટ્રીમાં એ વસ્તુ પર કંટ્રોલ કરવો જોઈએ. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમિતાભ બચ્ચનના નામે એક લોટરીની જાહેરાત પણ ચાલી રહી છે અને ત્યાં પ્રમોશનલ બેનર પર તેમનો ફોટો પણ પ્રદર્શિત કરવામાં આવ્યો છે અને તેના પર KBC નો લોગો પણ લગાવવામાં આવ્યો છે.

વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ અમિતાભ બચ્ચન દ્વારા અરજી રજૂ કરી હતી અને કહ્યું હતું કે મારા ક્લાઈન્ટના વ્યક્તિત્વ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને તે ઈચ્છે છે કે કોઈપણ જાહેરાતમાં તેના નામ, અવાજ અને વ્યક્તિત્વનો ઉપયોગ ન થવો જોઈએ અને તેને કારણે તેની ઈમેજ બગડે છે.

જણાવી દઈએ કે રિપોર્ટ્સમાં સામે આવી રહ્યું છે કે અમિતાભ બચ્ચન એક મોટી સેલિબ્રિટી છે અને આવી સ્થિતિમાં તેમના નામનો ઉપયોગ કોઈપણ પ્રકારના પ્રચારમાં થઈ શકે નહીં. અને એ માટે જાહેરાત કંપનીઓ પર પ્રચાર અધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. અમિતાભ બચ્ચનના વકીલે પણ કોર્ટને કહ્યું હતું કે બચ્ચન એક પ્રખ્યાત વ્યક્તિ છે.

કોઈ જાહેરાતમાં તેમની પરવાનગી વિના તેમનું આ રીતે પ્રતિનિધિત્વ કરવું તે પણ ખોટું છે. જો એડ કંપનીઓ અમિતાભ બચ્ચનના નામ અને અવાજનો ઉપયોગ કરવા માંગે છે. તો તેઓ અભિનેતાની પરવાનગીથી જ કરી શકે છે.

આ પણ વાંચો :-