HomeGujaratસુરતની સૌથી ચર્ચિત બેઠક પર પ્રચાર માટે PM મોદી પોતે મેદાનમાં, પાટીદારોના...

સુરતની સૌથી ચર્ચિત બેઠક પર પ્રચાર માટે PM મોદી પોતે મેદાનમાં, પાટીદારોના ગઢમાં AAP આપી રહ્યું છે સીધી ટક્કર

Date:

Related stories

Video : કુલદીપ યાદવે નાખી ‘બોલ ઓફ ધ સેન્ચુરી’! પિચ પર પડતાની સાથે જ એક ફૂટ ટર્ન, બેટ્સમેન ક્લીન બોલ્ડ

ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્ને 1993માં ઈંગ્લેન્ડ સામે...

આજનું રાશિફળ: નવી તકથી લઈને અટકેલા પૈસા સુધી, કોના પક્ષમાં રહેશે દિવસ?

🌟જાણો ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ નું રાશિફળ: ♈ મેષ: આજે કામકાજમાં...

iPhone 18 Pro vs iPhone 17 Pro: 7 મોટા અપગ્રેડથી જાણો કયો iPhone બેસ્ટ

નવો iPhone ખરીદવાનો પ્લાન હોય અને તમારી સામે iPhone...

Vitamin Cના નામે શું મોકલાતું હતું? સુરતના બિઝનેસમેનને અમેરિકામાં સાડા 4 વર્ષની જેલ

સુરતના કેમિકલ બિઝનેસમેનનું નામ અમેરિકાના ફેન્ટેનિલ નેટવર્ક સાથે જોડાયા...
spot_img

AAP is giving a direct fight to PM Modi

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં જાહેરસભા અને રોડ-શો કરવા જઈ રહ્યા છે. 27મી નવેમ્બરે પીએમ મોદીનો એરપોર્ટથી મોટા વરાછા સુધી રોડ શો યોજાશે. સાથે પાટીદારોના ગઢ સમાન મોટા વરાછામાં જાહેર સભા યોજાશે.

પાટીદારોના ગઢ સુરતમાં PM મોદીની જાહેર સભા :

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ઉપરા ઉપરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને સભાઓ ગજવી રહ્યા છે. આ તરફ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાટીદારોના ગઢ સુરતની (Surat) મુલાકાતે આવવાના છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27 નવેમ્બરે સુરતમાં આવવાના છે. જેને લઈ સુરત ભાજપની ટીમ કવાયતમાં લાગી છે. પીએમ મોદીનો એરપોર્ટથી મોટા વરાછા (Mota Varacha) રૂટ પર રોડ શો યોજાશે. સાથે પાટીદારોના (Patidar) ગઢ સમાન મોટા વરાછામાં જાહેર સભા યોજાશે.

રાત્રિ રોકાણ પણ સુરતમાં જ કરશે PM મોદી :

મહત્વનું છે કે સુરત સહિત ગુજરાતની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને છે. તેવામાં હવે પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો પર PMનો રોડ-શો અને જાહેર સભા યોજાશે. મોટા વરાછામાં જાહેર સભા પૂર્ણ થયા બાદ પીએમ મોદી રાત્રિ રોકાણ પણ સુરતમાં જ કરશે. તેઓ બીજા દિવસે બપોરે 12 વાગ્યા સુધી સુરતમાં રોકાણ કરશે.

ગત વખતે ભાજપને પ્રચાર કરવા માટે ભારે મુશ્કેલી થઈ :

વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં સુરતની વરાછા બેઠક પર ભાજપના કાર્યકર્તાઓને પ્રચાર કરવા માટે ભારે મુશ્કેલી થઈ હતી. આ વિસ્તારમાં આંદોલનને લગતા વિરોધ પ્રદર્શન પણ થયા હતા. ભાજપને પ્રચારમાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતા ભાજપે આ બેઠકને જાળવી રાખી હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે પાટીદારોનું દિલ જીતવામાં આ વખતે કોણ સફળ થાય છે. ભાજપ, આપ કે કોંગ્રેસ.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img