Home Blog Page 1221

22 ડીસેમ્બર 2022, આજનું રાશિફળ : વિષ્ણુજી કૃપાથી હીરાની જેમ ચમકી ઉઠશે આ રાશિના લોકોનું ભાગ્ય

22 December 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
આવક વધતાં આનંદની અનુભૂતિ વધતી જણાય. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધે. શેરબજારમાં રોકાણ ટાળવું. અન્યથા નુકસાનનો સંભવ છે. પરિવારમાં મતભેદ સંભવે. આરોગ્ય સારું રહેશે. નોકરી-ધંધામાં રાહત રહેશે.

વૃષભઃ
દિવસ દરમિયાન આનંદમાં વૃદ્ધિ થાય. મોજશોખમાં ખર્ચ વધે. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. શેરબજારમાં સાચવવું. ઉછીના આપેલા નાણાં ફસાઈ જાય. દામ્પત્ય સુખ તથા નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ.

મિથુનઃ
આકસ્મિક ખર્ચ આવી પડે. માનસિક અશાંતિનો અનુભવ કરવો પડે. પરિવારમાં મનમેળ જળવાય. માતાની તબિયત સારી રહે. માતૃપક્ષ તરફથી સહકાર મળતો જણાય. સંતાન સુખ સારું મળે. નવી વિદ્યા શીખવાના યોગ બને છે.

કર્કઃ
નાણાંનો લાભ મળતો જણાય. મિત્રો તરફથી સહકાર મળે. જુના મિત્રોને મળવાનું થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. વાહન સુખ સારું. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય સાચવવું. ગળાના રોગોથી સાવચેતી જરૂરી.

સિંહઃ
નવી નોકરી, બદલી અથવા બઢતી મળે. નવા ધંધાની શરૂઆત શક્ય બને. માન-સન્માન વધતા જણાય. માતા-પિતા તરફથી સ્નેહ વધતો જણાય. મિત્ર વર્ગની ચિંતા રહે. વિદેશ અંગેના કાર્યો, સંબંધોમાં લાભ.

કન્યાઃ
ઘરમાં આદ્યાત્મિક વાતાવરણ બને. પૂજન-અર્ચન શક્ય બને. તમામ કાર્યોમાં ભાગ્ય સાથ આપતું જણાય. લક્ષ્મીની પ્રાપ્તિ થાય. પરિવારમાં શાંતિ વધે. માતાની તબિયત સાચવવી. સંતાન તરફથી સંતોષ.

તુલાઃ
ધનહાનિના યોગ બને છે. આથી તમામ નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી. પેટમાં ગેસ, ઝઘડા થઈ શકે છે. પત્નિ સાથે પ્રેમ જળવાશે. દિવસ દરમિયાન મિશ્રફળનો અનુભવ થશે.

વૃશ્ચિકઃ
ભાગીદારી તથા પત્નિ સુખમાં વૃદ્ધિ થતી જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કરેલા રોકાણોથી લાભ મળે. નવા રોકાણ કરવા માટે સારો દિવસ છે.

ધનઃ
દિવસ દરમિયાન ઉદાસીનતા વર્તાય. આવક-જાવકનું પાસું સરભર થતું જણાય. પરિવારના સભ્યો સાથે સંઘર્ષ ટાળવો. જીવનસાથીની તબિયતના પ્રશ્નો ઉદ્‍ભવતા જણાય. આરોગ્ય જળવાય.

મકરઃ
દિવસ દરમિયાન આનંદ-ઉત્સાહનું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં મનમેળ રહે. સંતાનની અણધારેલી પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારું રહેશે. આંખ-હાડકા નબળા થતા જણાય.

કુંભઃ
સાહસ કરવાની ભાવના વધે. થોડો ગુસ્સો રહે. આર્થિક દૃષ્ટિએ સારો દિવસ. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. પિતા તરફથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

મીનઃ
પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થાય. કરેલા કાર્યોમાં સફળતા મળે. નવું કાર્ય શરૂ કરવા માટે સારો દિવસ. મિત્રો તરફથી સારા સમાચાર મળે. દિવસ દરમિયાન આરોગ્ય જળવાશે. ઉત્તમ દિવસ.

આ પણ વાંચો :-

ઓ માય ગોડ ! પતિને છોડીને પરપુરુષ પર આવ્યું આ હસીનાઓનું દિલ, દુનિયાને ભૂલી ચલાવ્યું ચક્કર !

Leaving the husband, the heart of this girl

  • બોલીવુડ હોય કે ટીવી સ્ટાર્સ, તેમની પર્સનલ લાઈપ અને ખાસ કરીને તેમને લવ લાઈફ હંમેશા ચર્ચામાં રહે છે. વાત જ્યારે એક્સ્ટ્રા મેરિટલ અફેરની આવે ત્યારે લોકોને ખૂબ જ મસાલો મળતો હોય છે.

અનેક વાર અભિનેત્રીઓના (Actress) લગ્ન થઈ ગયા હોવા છતાં પણ તે પતિની સેવા બીજા પુરુષથી એટલી આકર્ષાઈ જાય છે કે તે અભિનેત્રીનું ચક્કર ચાલુ થઈ જાય છે. આજે અમે તમને એવી હિરોઈનો (Heroines) વિશે બતાવીશું જે પોતાના આવા અફેરને કારણે ચર્ચામાં રહી.

આજની આ સ્ટોરીમાં અમે એ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેના પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લાગ્યો. લિસ્ટમાં અનેક પોપ્યુલર ચહેરાઓ છે જેમાં મલાઈકા અરોરાથી લઈને નિશા રાવલનું પણ નામ છે.

મીડિયા રિપોર્ટ્સના અનુસાર મલાઈકા અરોરા વિશે એવું કહેવામાં આવે છે કે, અરબાઝ ખાન સાથેના તેના છૂટાછેડાનું કારણ અર્જુન કપૂર સાથેની તેની નિકટતા હતું. જ્યાં મલાઈકા અત્યારે અર્જુન કપૂરની સાથે પોતાની પર્સનલ લાઈફને માણી રહી છે તો અરબાઝ પણ જૉર્જિયા એન્ડ્રિયાની સાથે સંબંધમાં છે.

આ લિસ્ટમાં કામ્યા પંજાબીનું નામ પણ સામે છે. એક્ટ્રેસના એક્સ હસબન્ડ બંટી નેગીએ કામ્યા પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે કામ્યાનું ચક્કર બોલીવુડ સ્ટાર સંજય દત્તના કઝિન નિમાઈ બાલી સાથે છે.

ટીવીના મશહૂર એક્ટર આમિર અલી અને સંજિદા શેખ પણ અલગ થઈ ચુક્યા છે. જો કે, સંજિદા શેખ પર પણ એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લાગી ચુક્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંજિદા અને આમિરના છૂટાછેડાનું કારણ હર્ષવર્ધન રાણે છે.

ટીવી એક્ટર નિશા રાવલ અને કરણ મહેરાનું નામ ખૂબ જ ચર્ચામાં રહ્યું. કરણે નિશા પર આરોપ લગાવ્યો કે તેનું અફેર તેના માનેલા ભાઈ રિતેશ સાથે રહ્યું.

આ પણ વાંચો :-

વર્ષની છેલ્લી અમાસે આ 4 વસ્તુઓને પાણીમાં નાખીને કરો સ્નાન, થશે મોટો ચમત્કાર 

Bathe by putting these 4 things in water

  • 23 ડિસેમ્બર 2022 એ વર્ષની છેલ્લી અમાસ છે. આને પોષ અમાસ કહેવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પાણીમાં કેટલીક ખાસ વસ્તુઓ નાખીને સ્નાન કરવાથી ભાગ્ય ચમકી ઉઠે છે.

23 ડિસેમ્બર, 2022 એ વર્ષની છેલ્લી અમાસ (Amas) છે. આને પોષ અમાસ કહેવામાં આવે છે. એક વર્ષમાં કુલ 12 અમાસ હોય છે. દર મહિનાના કૃષ્ણ પક્ષની છેલ્લી તિથિને અમાસ કહેવાય છે. અમાસનો દિવસ દેવી લક્ષ્મીની પૂજા અને પિતૃઓની શાંતિ માટે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.

જીવનમાં સુખ અને ધનનું થશે આગમન :

પોષ અમાસ સ્નાન માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પાણીમાં કેટલીક ખાસ વસ્તુઓ નાખીને સ્નાન કરવાથી ભાગ્ય ચમકી ઉઠે છે. જીવનમાં ધન અને સુખનું આગમન થાય છે. મહાલક્ષ્મીના આશીર્વાદ વરસે છે. ચાલો જાણીએ પોષ અમાસ પર કઈ વસ્તુઓથી સ્નાન કરવું.

પોષ અમાસ 2022 મુહૂર્ત  :

હિન્દુ પંચાંગ અનુસાર પોષ અમાસ તિથિ 22 ડિસેમ્બર 2022ના રોજ સાંજે 07.13 કલાકે શરૂ થશે. 23 ડિસેમ્બર 2022 ના રોજ બપોરે 03.46 વાગ્યે પૌષ મહિનાની અમાસ તિથિ સમાપ્ત થશે.

  • સ્નાન મુહૂર્ત- સવારે 5.24થી 6.18 (23 ડિસેમ્બર)
  • અભિજીત મુહૂર્ત- બપોરે 12.5થી 12.47 (23 ડિસેમ્બર)

પોષ અમાસે આ ખાસ વસ્તુઓથી કરો સ્નાન

તલ :

ધન મેળવવા માટે આ વર્ષની અંતિમ અમાવાસ્યાના દિવસે પાણીમાં થોડા તલ નાખીને સ્નાન કરો. તેનાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન-ધાન્યની કમી નથી રહેતી. આર્થિક સ્થિતિ સુધરે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.

દૂધ અથવા સફેદ ચંદન :

જે લોકોની કુંડળીમાં ચંદ્ર દોષ હોય તે લોકોએ પોષ અમાસ પર પાણીમાં દૂધ અથવા સફેદ ચંદન ભેળવીને સ્નાન કરવું જોઈએ. એવું કહેવાય છે કે તે માનસિક શાંતિ અને શારીરિક શક્તિ તેમજ દીર્ધાયુ પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો :-

ટ્રેનમાં ભૂલમાંથી આ 4 વસ્તુઓ સાથે લઈ જતાં નહીં નકર પહોંચી જશો સીધા જેલમાં !

0

If you take these 4 things with you by mistake

  • ટ્રેનની મુસાફરી દરમિયાન આપણે ઘણો સામાન પણ સાથે લઈ જતા હોઈએ છીએ. બસ અને ફ્લાઈટની સરખામણીમાં ટ્રેનથી વધુ સામાન જતો હોય છે. જો કે જો એક મર્યાદા કરતા વધુ સામાન  લઈ જઈએ તો ટ્રેનમાં પણ દંડ ભરવો પડી શકે છે.

ટ્રેનની મુસાફરી (Train travel) દરમિયાન આપણે ઘણો સામાન પણ સાથે લઈ જતા હોઈએ છીએ. બસ અને ફ્લાઈટની સરખામણીમાં ટ્રેનથી વધુ સામાન જતો હોય છે. જો કે જો એક મર્યાદા કરતા વધુ સામાન (baggage)  લઈ જઈએ તો ટ્રેનમાં પણ દંડ ભરવો પડી શકે છે. રેલવેમાં મુસાફરી દરમિયાન 3 ચીજો લઈ જવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે.

જો ચેકિંગ દરમિયાન ટીટીઈને તેની ખબર પડી તો સીધા જેલમાં જવું પડી શકે છે અને ભારે ભારખમ દંડ ચૂકવવાનો તો અલગથી. આવો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જે ટ્રેનમાં ક્યારેય સાથે રાખવી જોઈએ નહીં.

ચૂલો કે ગેસ સિલિન્ડર :

બીજી જગ્યાઓ પર રહીને કામ કરતા લોકો હંમેશા ઘર વાપસી દરમિયાન પોતાનો ચૂલો અને સિલિન્ડર પણ સાથે લઈ જતા હોય છે. રેલવે એક્ટ હેઠળ ટ્રેનમાં ગેસ સિલિન્ડર અને સ્ટવ લઈ જવું ગેરકાયદેસર છે. જો કોઈે એવું લાગે કે તેના માટે આમ કરવું મજબૂરી છે તો રેલવે પાસેથી અગાઉથી મંજૂરી મેળવીને તેઓ ફક્ત ખાલી સિલિન્ડર લઈને જઈ શકે છે. જો સિલિન્ડર ભરેલું નીકળે તો જેલ અને કડક દંડ પણ ભોગવવો પડી શકે છે.

હથિયારો :

તમે ટ્રેનમાં લાઈસન્સી હથિયારોને બાદ કરતા તલવાર, ચાકૂ, ભાલા, દેશી તમંચો, રાઈફલ કે અન્ય કોઈ પણ ઘાતક હથિયાર સાથે રાખી શકો નહીં. જો રાખ્યા તો તમારા વિરુદ્ધ આમ કરવા બદલ રેલવે એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરીને તરત જ કાર્યવાહી શરૂ થઈ શકે છે. આવામાં હથિયારો ટ્રેનમાં સાથે લઈને ન જવા એમાં જ તમારું હિત છે.

આ પણ વાંચો :-

બાળકોને ઓરીથી કેમ હોય છે વધારે ખતરો ? જાણો ઓરીથી બચવાના ઉપાયો 

Why are children more at risk from measles

  • શું ઓરીએ ચેપી રોગ છે? નાના બાળકો કેમ આ રોગની ઝડપથી આવે છે ઝપેટમાં? શું છે ઓરીના લક્ષણો? ઓરીથી બચવા માટે નિષ્ણાતો આપી રહ્યાં છે શું સલાહ જાણો..

અમદાવાદ (Ahmedabad) સહિત સમગ્ર ગુજરાતમાં ઓરીનો કહેર વધી રહ્યો છે. દિનપ્રતિદિન ઓરીના (Measles) કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દવાખાનાઓ અને સરકારી હોસ્પિટલોમાં ઓરીના કેસોમાં ભરાવો થઈ રહ્યો છે. બાળકો ખુબ જ ઝડપથી આ રોગની ઝપેટમાં આવી રહ્યાં છે. ત્યારે જાણીએ તેનાથી બચવા માટે શું તકેદારી રાખવી? અને આ રોગ વિશે શું કહી રહ્યાં છે નિષ્ણાતો?

ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી બાળકોમાં ઓરીના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. ખાસ કરીને નવેમ્બર મહિનામાં ઓરીના કેસમાં વધારો જોવા મળ્યો હતો. ગુજરાતમાં નવેમ્બર માસ દરમિયાન 1650 બાળકોને ઓરી થયા હતા. જ્યારે 9 બાળકોના તેનાથી મૃત્યુ થયા છે. નવેમ્બરમાં ઓરીથી સૌથી વધારે મૃત્યુ પામ્યા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા સ્થાને છે.

લોકસભાના શિયાળુ સત્રમાં સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે કે નવેમ્બરમાં બાળકોના ઓરીના કેસમાં વધારો થયો છે. સમગ્ર દેશમાં નવેમ્બર મહિનામાં 10,416 બાળકોને ઓરી થયો. જ્યારે 40 બાળકોના મોત થયા. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે 3075 કેસ નોંધાયા. અને 13 બાળકોના મોત થયા. જેના પછી સૌથી વધુ કેસમાં ઝારખંડ બીજા નંબરે અને ગુજરાત ત્રીજા નંબરે છે. ત્યારબાદ હરિયાણા અને બિહારનો નંબર આવે છે.

ડો.અભય શાહ સિનિયર પિડિયાટ્રિશને જણાવ્યું કે જેણે ઓરીની રસી નથી અપાઈ તેને ઓરીની રસી અપાવવી જરૂરી છે. બાળકોને તેની સૌથી વધુ અને સૌથી ઝડપી અસર થાય છે. ઓરી એક પ્રકારનો ચેપી રોગ છે. એક વ્યક્તિને થાય તો બીજા સાતથી આઠ લોકો કે બાળકને ઓરી થઈ શકે છે. આઈસોલેશનમાં રાખવું જરૂરી છે. બહાર જવું જોઈએ નહીં.

આ પણ વાંચો :-

“ભારત જોડો યાત્રા” દરમિયાન સ્વાસ્થ્ય મંત્રીએ રાહુલ ગાંધીને પત્ર લખી કરી અપીલ, જુઓ શું કહ્યું

0

During the “Bharat Jodo Yatra”, the Health Minister

  • વિશ્વમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રીની મનસુખ માંડવિયાની આજે ઉચ્ચ સ્તરીય બેઠક, રાહુલ ગાંધી અને અશોક ગેહલોતને પત્ર લખી શું કહ્યું ?

ચીનમાં (China) હાહાકાર મચાવ્યાં બાદ કોરોનાએ યુરોપના ઘણા દેશોને પોતાના કબજામાં લઈ લીધા છે. ભારત પણ આ અંગે સતર્ક છે. આજે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા (Health Minister Mansukh Mandaviya) ઉચ્ચ સ્તરીય બેઠક યોજવાના છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ બેઠક બાદ કોરોના સંબંધિત કેટલીક નવી માર્ગદર્શિકા આવી શકે છે.

આ દરમિયાન માંડવિયાએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને (Ashok Gehlot) પત્ર લખ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારત જોડો યાત્રા દરમિયાન કોવિડ ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવે અને માસ્ક-સેનિટાઈઝરનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવે.

Image

જે લોકોને રસી આપવામાં આવી છે તેઓને પ્રવાસમાં સામેલ કરવામાં આવ્યા છે. પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ એવો પણ અનુરોધ કર્યો છે કે જો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું શક્ય ન હોય તો જાહેર આરોગ્યની કટોકટીને ધ્યાનમાં રાખીને ભારત જોડો યાત્રાને રાષ્ટ્રીય હિતમાં સ્થગિત કરવામાં આવે.

શું કહ્યું કોંગ્રેસ નેતાએ ? 

કોંગ્રેસના નેતા પવન ખેરાએ કહ્યું કે, શા માટે માત્ર અમને જ સલાહ આપવામાં આવે છે? જ્યારે પ્રવાસમાં સામેલ તમામ મુસાફરોને રસી આપવામાં આવી છે. તેમણે સરકારને અપીલ કરી છે કે, આખા દેશ માટે સમાન એડવાઈઝરી જાહેર કરવામાં આવે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના પત્ર પર કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે મોદી સરકાર ભારત જોડો યાત્રાથી ડરી ગઈ છે.

સામાન્ય લોકોનું ધ્યાન હટાવવા માટે ભાજપ વિવિધ પ્રશ્નો ઉઠાવી રહી છે. શું પીએમ મોદી ગુજરાતની ચૂંટણીમાં માસ્ક પહેરીને તમામ પ્રોટોકોલનું પાલન કરીને ઘરે-ઘરે ગયા હતા? કોંગ્રેસની ભારત જોડો યાત્રા આજે હરિયાણામાં છે. કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ પણ તેમની સાથે ચાલી રહ્યા છે. તમિલનાડુથી શરૂ થયેલી આ યાત્રા આજે હરિયાણા પહોંચી છે અને ત્યારબાદ પંજાબ જશે.

જો હવે સૂત્રોનું માનીએ તો સ્વાસ્થ્ય મંત્રીની બેઠકમાં કોવિડ-19ના નવા પ્રકાર અંગે નિષ્ણાતોના અભિપ્રાય પર ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત સૌથી મોટી સમસ્યા વિદેશથી ભારત આવતા લોકો માટે નિયમો બનાવવાની છે. દેશમાં કોવિડ-19ના હાલના પ્રકારો અને તેમની સ્થિતિ વિશે પણ આજે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો :-

શું શેર બજારનાં ખુલવાના અને બંધ થવાનાં સમયમાં ફેરફાર થશે ? SRBIએ આપી મંજૂરી

0

Will there be a change in the opening and closing times

  • શેરબજાર સવારે નવ વાગ્યે ખુલે છે. પ્રથમ 15 મિનિટ પ્રી માર્કેટ ટ્રેડિંગનો સમય હોય છે. આમાં ડીલ સેટલ થાય છે. આ પછી બજારમાં સવારે 09:15 વાગ્યે બજારનો વેપાર શરૂ થાય છે. બપોરે 03:30 વાગે બજાર બંધ થઈ જાય છે.

શેરબજાર (Stock market) સવારે નવ વાગ્યે ખુલે છે. પ્રથમ 15 મિનિટ પ્રી માર્કેટ ટ્રેડિંગનો (Pre Market Trading) સમય હોય છે. આમાં ડીલ સેટલ થાય છે. આ પછી બજારમાં સવારે 09:15 વાગ્યે બજારનો વેપાર શરૂ થાય છે. બપોરે 03:30 વાગે બજાર બંધ થઈ જાય છે. શેરબજારનો સમય વધારવા માટે રોકાણકારો સતત માંગ કરી રહ્યા છે.

આરબીઆઈ આના પર પોતાની મહોર લગાવી ચૂકી છે. સાત ડિસેમ્બરે પોલિસી સમીક્ષા બાદ ગવર્નર શક્તિકાંત દાસે તેમના ભાષણમાં કહ્યું હતું કે, ‘મની માર્કેટ સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ખુલી શકે છે. પરંતુ આ માટે સેબીએ નિર્ણય લેવો પડશે.’

શેરબજારના સમય અંગે સેબીએ કહ્યું કે…

શેરબજારના ખુલવા અને બંધ થવાના સમયને લઈને SEBIના ચેરમેન માધબી પુરી બુચે બોર્ડ મીટિંગ બાદ જણાવ્યું હતું કે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE અને NSE ઈચ્છે તો ટ્રેડિંગ કલાક વધારી શકે છે. શેરબજારમાં કામકાજના કલાકો વધારવા માટે કોઈ પ્રતિબંધ નથી.

બ્રોકર્સ ટ્રેડિંગ કલાક વધારવા માગે છે?

પ્રી-બજેટ મીટીંગમાં તમામ બ્રોકર્સ શેરબજારનો સમય બદલવા માટે તૈયાર છે. જાણકારોના જણાવ્યા પ્રમણે વાત કરીએ તો આનાથી દલાલોને ઘણો ફાયદો થશે. કારણ કે વેપારના કલાકો વધવાની સાથે બ્રોકરેજ વધશે.

રોકાણકારોને કેવી રીતે ફાયદો થશે?

એક્સપર્ટ્સનું કહેવું છે કે ટ્રેડિંગ અવર્સ વધવાથી રોકાણકારોને માર્કેટમાં કમાણી કરવાની વધુ તકો પણ મળી રહેશે. જો કે, મોટાભાગના લોકો ઇન્ડેક્સ ટ્રેડિંગના કલાક વધારવા માંગે છે. જેમ SGS નિફ્ટી અને ડાઉ ફ્યુચર્સમાં હોય છે. આનાથી રોકાણકારોને પ્રવેશ અને બહાર નીકળવા માટે વધુ સમય મળશે.

આ પણ વાંચો :-

પોસ્ટ ઓફિસનો આ પ્લાનમાં કરો દર મહિને આટલું રોકાણ બનાવી દેશે કરોડપતિ

0

Do the post office in this plan

  • જો તમે દર મહિને આ યોજનામાં 12,500 રૂપિયાનું રોકાણ કરશો તો એક વર્ષમાં તમારી પાસે 1.50 લાખ રૂપિયા થઈ જશે. આ રીતે તમારી પાસે અમુક વર્ષ પછી મોટી રકમ જમા થઈ જશે.

જો તમે સુરક્ષિત રોકાણ (Safe Investment) કરવા માંગો છો. તો તમારે પોસ્ટ ઓફિસની (Post Office) યોજનાઓમાં રોકાણ કરવું જોઈએ. અહીં તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. અહીં તમે તમારી સુવિધા અનુસાર ઘણી યોજનાઓમાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસમાં કેટલીક એવી યોજનાઓ છે. જે તમને થોડા વર્ષોમાં સારો નફો પણ આપે છે.

ખાસ કરીને પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં પૈસા જમા કરાવવા એ વધુ સારો વિકલ્પ છે. જો તમે લાંબા સમય માટે રોકાણ કરો છો. તો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરી શકો છો. જે તમને કરોડપતિ બનાવી શકે છે.

વર્ષે મળશે 7.1 ટકા વ્યાજ :

પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ વાર્ષિક 7.1 ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ દર ઓફર કરે છે. આ યોજનાનો મેચ્યોરિટી પીરિયડ 15 વર્ષ છે. પરંતુ તે પછી તેને વધુ 5 વર્ષ માટે વધારી શકાય છે. જો તમને 15 વર્ષના સમયગાળાના અંતે ફંડની જરૂર ન હોય તો તમે ફંડને આગળ વધારી શકો છો. આ તમને ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળશે.

દર વર્ષે 1.50 લાખનું કરી શકાશે રોકાણ :

તમે દર વર્ષે આ સ્કીમમાં વધુમાં વધુ 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. એક વર્ષમાં 1.50 લાખ રૂપિયા જમા કરાવવાને બદલે તમે માસિક 12500 રૂપિયા પણ જમા કરાવી શકો છો. આ સિવાય તમે ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 80C હેઠળ PPF પર ટેક્સ છૂટનો લાભ પણ મેળવી શકો છો.

તેના વ્યાજ પર મળેલા પૈસા પર કોઈ ટેક્સ લાગતો નથી. બચત યોજનામાં 22.5 લાખ રૂપિયાનું રોકાણ કરવા પર તમને 18 લાખ રૂપિયાનું વ્યાજ આપવામાં આવે છે. જેની મેચ્યોરિટી 15 વર્ષ છે.

દર મહિને 12,500 રૂપિયાનું પણ કરી શકાશે રોકાણ  :

જો તમે દર મહિને આ સ્કીમમાં 12,500 રૂપિયાનું રોકાણ કરો છો, તો એક વર્ષમાં તમારી પાસે 1.50 લાખ રૂપિયા હશે. એટલે કે તમારે દરરોજ 416 રૂપિયાની બચત કરવી પડશે. ત્યાં જ 15 વર્ષમાં કુલ રોકાણ 22.50 લાખ રૂપિયા થાય છે જેના પર તમને 7.1 ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે. મેચ્યોરિટી પર કુલ રૂ. 40.70 લાખ રૂપિયા જમા થશે. જેમાં રૂ. 18.20 લાખનો વ્યાજનો લાભ મળે છે.

મેચ્યોરિટી પર મળશે 1.03 કરોડ :

25 વર્ષ માટે 12,500 રૂપિયા દર મહિનાના હિસાબથી જમા કરવા પર 40.70 લાખ રૂપિયાની રકમ બે ગણીથી પણ વધારે થઈ જાય છે. તેના પર વાર્ષિક વ્યાજદર 7.1 ટરાથી લાગુ થાય છે તો 25 વર્ષમાં કુલ રોકાણની રકમ 37.50 લાખ રૂપિયા થવા લાગે છે અને વ્યાજના ફાયદાની સાથે 62.50 લાખ રૂપિયા મળે છે એટલે કે મેચ્યોરિટી પર 1.30 કરોડ રૂપિયા મળશે.

આ પણ વાંચો :-

ભારત જોડો યાત્રા : રાહુલ ગાંધીની સુરક્ષા માટે આવેલા પોલીસકર્મીઓ પર હુમલો, શું છે સમગ્ર મામલો 

0

Join Bharat Yatra: Attack on policemen who came

  • રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા માટે અલવર ડ્યુટી પર આવેલા બીકાનેર જિલ્લાના પોલીસ કર્મચારીઓ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે.

પોલીસ કર્મચારી (police officer) આંબેડકર નગર સ્થિત સામુદાયિક ભવનમાં રોકાયા હતા. હુમલામાં 4 પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી છે. જેમાં હેડ કોન્સ્ટેબલ મોહમ્મદ યૂનુસ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા છે. તેમને જયપુર રેફર કરવામાં આવ્યા છે. ત્રણ અન્ય પોલીસ કર્મચારીઓને પ્રાથમિક સારવાર (First aid) બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.

બદમાશોના ડરના કારણે રાત્રે જ ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તમામ પોલીસ કર્મચારીઓને સામુદાયિક ભવનમાંથી બીજા સ્થળે શિફ્ટ કરી દીધા. આ સંબંધિત અલવરના એનઈબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે આ ઘટના સોમવારે મોડી રાતે થઈ હતી પરંતુ રાહુલ ગાંધીનો પ્રવાસ અને મુખ્યમંત્રી અશોક ગેહલોતનું અલવર જિલ્લામાં હોવું જેના કારણે આ મામલો બહાર આવ્યો નહોતો પરંતુ મંગળવારે આ ઘટના પ્રકાશમાં આવી.

રાહુલ ગાંધીની યાત્રા માટે ફરજ પર આવેલા બીકાનેરના 60 પોલીસ કર્મચારી અલવર શહેરના એનઈબી પોલીસ સ્ટેશન વિસ્તારના આંબેડકર નગર સ્થિત સામુદાયિક ભવનમાં રોકાયા હતા. જેમાંથી એક પોલીસ કર્મચારી રાત્રે લગભગ 9 વાગે જમવાનું લેવા ગયા હતા.

 40-50 લોકોએ રાત્રે અચાનક હુમલો કર્યો :

તે દરમિયાન સામુદાયિક ભવન નજીક એક ઈ-રિક્ષા વાળા સાથે એક યુવક ઝઘડો કરતા જોવા મળ્યો. પોલીસ કર્મચારીએ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો. તે યુવકે રિક્ષા ચાલકને છોડી મૂક્યો અને પોલીસ કર્મચારી સાથે મારામારી શરૂ કરી દીધી. બાદમાં બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ.

જોકે બાદમાં તે બદમાશ તેની સાથે પોતાના લગભગ 40-50 લોકોને લઈને આવ્યો. તેમના હાથમાં લાકડીઓ સહિત અન્ય હથિયાર હતા. ત્યાં તેમણે પોલીસ કર્મચારી યુનૂસ સાથે જબરદસ્તી મારામારી કરી જેના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા.

આ પણ વાંચો :-

હવે આ જ બાકી હતું ! હવે પાપડ અને ભૂંગળા પર પણ આટલાં ટકા GST આપવો પડશે, કિલો દીઠ કેટલો વધારો થશે જાણો ? 

0

Now this was the only thing left

  • તાજેતરમાં જ પરાઠા પર 18 ટકા GST લાગુ કરવામાં આવ્યો હતો. અને તેને લઈને ભારે રોષ પ્રગટ્યો હતો. ત્યારે તાજેતરમાં મળેલી 48મી GST કાઉન્સિલમાં પાપડ અને ભૂંગળા પર GST અંગે વસૂલવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

હવે પાપડ (Papad) અને શેકેલા ભૂંગળા (Roasted potatoes) પર પણ 18 ટકા GST લાગશે. આ નિર્ણયનો ઓલ ઈન્ડિયા પાપડ મેન્યુફેક્ટરિંગ એસોસિયેશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને CMને પત્ર લખીને રજૂઆત કરી છે.

પાપડમાં કિલોએ રૂ.50 સુધીનો વધારો થશે :

ગુજરાતમાં એકલા દક્ષિણ ગુજરાતમાં જ વર્ષે 30 લાખ કિલોથી વધારે પાપડ અને ભૂંગળાનું ઉત્પાદન થાય છે. રૂ.280 કિલો લેખે હવે આ પાપડ ખરીદવા માટે લોકોએ 50 રૂપિયા વધારે ચૂકવવા પડશે. આ અંગે હવે ઓલ ઈન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશને મુખ્યમંત્રી અને નાણામંત્રી અને GST કમિશનરને રજૂઆત કરી છે. ખાસ બાબત છે કે, 2017માં GST આવ્યા બાદ રાજ્ય સરકારે 2011માં એફિલીએટ ઓથોરિટી દ્વારા ઝીરો ટેક્સ કરાયો હતો. પરંતુ હવે પાપડ અને ભૂંગળા પર 18 ટકા GST આપવા કહેવાયું છે.

વર્ષે 15 કરોડથી વધુ GST ચૂકવવો પડશે :

GSTની લાગુ થવાથી ગ્રાહકોને કેવી રીતે બોજો પડશે તે જોઈએ તો ધારો કે શહેરમાં જો વર્ષે 30 લાખ કિલો પાપડ અને ભંગાળનું વેચાણ થતું હોય તો તેના પર 18 ટકા GST લેખે 15 કરોડથી વધુ ચૂકવવા પડશે. સામાન્ય રીતે મોટાભાગે મહિલાઓ પાપડના વ્યવસાય સાથે જોડાયેલી હોય છે. એવામાં પાપડનું ઉત્પાદન કરનારા ગૃહ ઉદ્યોગોને તેની અસર થશે.

આ પણ વાંચો :-