Home Blog Page 1188

વેલેન્ટાઈન્સ-ડે પર Hardik Pandya બીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે ! જાણો કોણ હશે તેની દુલ્હનિયા

Hardik Pandya is getting married

  • ટીમ ઈન્ડિયાના ટી-20 કેપ્ટન અને ધાકડ ઓલકાઉન્ડર હાર્દિક પંડયા ફરી એકવાર લગ્ન કરવા જઈ રહ્યો છે.

આ ફેમસ કપલના પ્રાઈવેટ લગ્નને (Private wedding) 3 વર્ષ પૂરા થઈ ગયા છે. 2020માં લગ્ન જીવનની શરૂઆત કરનારું આ કપલ વેલેન્ટાઈન્સ ડેના (Valentine’s Day) દિવસે ફરી મોટા વેડિંગનું પ્લાનિંગ કરી રહ્યું છે.

2020માં હાર્દિક-નતાશાના લગ્ન થયા હતા :

મોડલ નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડયા ઈન્ડસ્ટ્રીના સુપર કૂલ કપલ્સમાંથી એક છે. બંનેનો એક દીકરો પણ છે. આ બંનેએ 1લી જાન્યુઆરી 2020એ સર્બિયાની મોડલ નતાશા સાથે સગાઈ કરી હતી. કોર્ટમાં લગ્નમાં થયા બાદ લગભગ 7 મહિને હાર્દિક પિતા બન્યો હતો.

પંડયાનીએ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા :

હાર્દિક પંડયાની પત્ની નતાશાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. જેનું નામ અગસ્ત્ય રાખવામાં આવ્યું હતું. હવે આ બંને પારંપરિક રીતે લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમણે પહેલા એક સામાન્ય કોર્ટ મેરેજ કર્યા હતા અને હવે એક ભવ્ય લગ્ન થશે. જેમાં ટીમ ઈન્ડિયાના વર્તમાન અને પૂર્વ ખેલાડીઓ પણ સામેલ થઈ શકે છે.

13થી 16 ફેબ્રુઆરી સુધી ચાલશે લગ્ન સમારોહ :

મીડિયા રિપોર્ટ્સ મુજબ લગ્ન સમારોહ આજે 13 ફેબ્રુઆરીથી જ શરૂ થઈ જશે જે 16 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ દરમિયાન હલ્દી, મહેંદી અને સંગીત જેવા પ્રી-વેડિંગ સેલિબ્રેશન ધૂમધામથી આયોજિત કરવામાં આવશે. સમારોહની તૈયારી પાછલા વર્ષે નવેમ્બરમાં જ શરૂ કરી દેવામાં આવી હતી. હાર્દિક પંડયાના લગ્નનો પ્રોગ્રામ રાજસ્થાનના ઉદયપુર શહેરમાં થઈ શકે છે.

આ પણ વાંચો :-

સિદ્ધાર્થ-કિયારાના લગ્ન પર રાખી સાવંતે આપ્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું મને…

Rakhi Sawant made a shocking statement

  • આ વીડિયોમાં રાખીએ સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન વિશે એવું નિવેદન આપી દીધું છે કે જેવું કોઈએ વિચાર્યું પણ ન હોય. વીડિયોમાં રાખી સાવંતે સિદ્ધાર્થ-કિયારાના લગ્ન પર ટિપ્પણી કરી છે. રાખીનું કહેવું છે કે જ્યારે તે સિદ્ધાર્થ-કિયારાને જુએ છે ત્યારે….

રાખી સાવંત હાલ તેના પતિ આદિલ ખાન (Adil Khan) દુર્રાની સાથે ચાલી રહેલા વિવાદના કારણે સતત ચર્ચામાં છે. તેવામાં રાખી સાવંતનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો છવાયેલો છે. કારણ કે આ વીડિયોમાં રાખીએ સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન વિશે એવું નિવેદન આપી દીધું છે કે જેવું કોઈએ વિચાર્યું પણ ન હોય. તે વીડિયોમાં એવું કહેતી જોવા મળે છે કે તેને હવે ‘લવ બર્ડ્સ’ જોવા પસંદ નથી.

વીડિયોમાં રાખી સાવંતે સિદ્ધાર્થ-કિયારાના લગ્ન પર ટિપ્પણી કરી છે. રાખીનું કહેવું છે કે જ્યારે તે સિદ્ધાર્થ-કિયારા જેવા કપલને જુએ છે ત્યારે તે ભાવુક થઈ જાય છે. કારણ કે હાલ તેનો અને તેના પતિ આદિલ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

આ વીડિયોમાં રાખી સાવંત કહે છે કે, ‘મને ખૂબ જ દુઃખ થાય છે કે હાલ જ્યારે કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નના સમાચાર ચર્ચામાં રહેવા જોઈએ, ત્યારે આવા સમયે તેના તુટતા લગ્નના સમાચાર ફેલાઈ રહ્યા છે.’ રાખી આગળ કહે છે, ‘મને ખૂબ લાગી આવે છે જ્યારે હું કોઈના લગ્ન જોઉં છું ત્યારે મને દુ:ખ થાય છે.

જ્યારે હું કોઈ લવ બર્ડ્સને જોઉં છું ત્યારે રડું છું. વેલેન્ટાઈન્સ ડે આવી રહ્યો છે અને મારું મન રડે છે.’ રાખી સાવંતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ યુઝર્સે પણ પોતાની પ્રતિક્રિયા આપવા લાગ્યા હતા. એક યુઝરે રાખી માટે લખ્યું છે કે, ‘ક્યાંક ફરવા જાઓ અને પોતાને સમય આપો, તમને સારું લાગશે. અન્ય એક યુઝરે લખ્યું કે, ‘બધું સારું થઈ જશે, વિશ્વાસ રાખો’.

ઉલ્લેખનીય છે કે રાખી સાવંતે ગયા વર્ષે જુલાઈ મહિનામાં તેના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ આદિલ સાથે લગ્ન કર્યા હતા. આ વાતની જાહેરાત તેણે આ વર્ષે જાન્યુઆરી માસમાં કરી હતી. ત્યારબાદ તેના લગ્નજીવનમાં વિવાદ શરુ થયા અને રાખીએ હવે તેના પતિ પર અનૈતિક સંબંધો રાખવાનો અને તેના પૈસા હડપ કરવાનો કેસ નોંધાવ્યો છે.

આ પણ વાંચો :-

ભાજપ સરકારે મફતમાં આપેલાં ટેબ્લેટ પાછાં માગ્યાં !, સરકારે વિદ્યાર્થીને આપ્યો ઝટકો

0

BJP government demanded back

  • હરિયાણામાં (Haryana) મનોહરલાલ ખટ્ટર (Manoharlal Khattar) સરકાર સ્કૂલોમાં વહેંચેલાં ટેબલેટ વિદ્યાર્થીઓ પાસેથી પાછા માગતાં વિવાદ સર્જાયો છે.

ગયા વર્ષે ભાજપ-જેજેપી સરકાર (BJP-JJP Govt) દ્વારા મફત ટેબલેટ આપવાનું એલાન કરીને પાંચ લાખ ટેબ્લેટ વહેંચવામાં આવ્યાં હતા. ટેબલેટ (Tablet) સાથે 2 જીબી મફત ડેટાવાળા સિમ કાર્ડ પણ આપ્યા હતા. હવે સરકારે ફતવો બહાર પાડયો છે કે, ટેબ્લેટ પાછાં જમા કરાવાય અને જે વિદ્યાર્થીઓએ ટેબલેટ પાછાં નથી આપ્યાં તેમને પરીક્ષામાં નહી બેસવા દેવાય.

ડીએસઈ દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આ ફરમાન કરાયું છે. શિક્ષણાધિકારીઓએ તે સ્કૂલોના પ્રિન્સિપલને આદેશ આપ્યા છે કે, ધોરણ 10,11 અને 12ના વિદ્યાર્થીઓએ પોતાની સ્કૂલમાં મફત આપેલા ટેબલેટ જમા કરાવવાના છે. વિદ્યાર્થીએ પરીક્ષામાં બેસવા માટેની હોલ ટિકિટ જોઈતી હોય તો, ચાર્જર, સિમ કાર્ડ અને ટેબલેટ સાથે આપવામાં આવેલ અન્ય સમાન પણ સ્કૂલમાં જમા કરાવવાનો રહેશે.

શિક્ષકોને વિદ્યાર્થીના નામ, ટેલબેટનો સીરિયલ નંબર, માતા-પિતાનું નામ, વિદ્યાર્થીનો આધાર નંબર અને ટેબલેટ તૂટી જવા અને ચાર્જર તૂટી જવા પર રિમાર્ક સહિત રેકોર્ડ રાખવાનું કહેવાયું છે.

આ પણ વાંચો :-

ભારે કરી.. રેલવેએ બજરંગબલીને ફટકારી જમીન કબજાની નોટિસ, ટ્રોલ થયા બાદ ભૂલ સમજાઈ તો જુઓ શું કર્યું

0

Railways hit Bajrangbali with land possession notice

  • આ નોટિસ રેલવે દ્વારા 8 ફેબ્રુઆરીએ જારી કરવામાં આવી હતી. આ નોટિસ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હોબાળો થયો હતો. રેલવેએ પોતાની ભૂલ સુધારી લીધી હતી.

તમે ક્યારેય ભગવાનના નામ પર કોઈ નોટિસ જાહેર થતી જોઈ છે ? મધ્યપ્રદેશમાંથી (Madhya Pradesh) રેલવેનો એક અજબ ગજબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં રેલ્વે વિભાગ (Railway Department) દ્વારા હનુમાનજીને (Hanumanji) અતિક્રમણ તરીકે બતાવતા તેમને નોટિસ જાહેર કરવામાં આવી છે. એટલું જ નહીં નોટિસમાં સમય પણ આપવામાં આવ્યો છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો ?

રેલ્વેએ હનુમાનજીને નોટિસ પાઠવી :

મુરૈના જિલ્લામાં આ દિવસોમાં ગ્વાલિયર શ્યોપુર બ્રોડગેજનું કામ ચાલી રહ્યું છે. રેલ્વે ટ્રેક નાખવામાં આવી રહ્યો છે. જેના કારણે રેલ્વે ટ્રેક પર આવતા દબાણને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુરૈનાના સબલગઢ વિસ્તારમાં ચાલી રહેલા બ્રોડગેજ કામમાં કેટલાક ઘરો અને એક હનુમાનજી મંદિર પણ આ દબાણ હટાવવાની શ્રેણીમાં આવી રહ્યા છે.

નોટિસમાં કહી આ વાત :

આ મકાન અને હનુમાનજીના મંદિરને રેલ્વે વિભાગ દ્વારા 8 ફેબ્રુઆરીએ નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં હનુમાનજીને અતિક્રમણકારી ગણાવતા નોટિસમાં લખવામાં આવ્યું છે કે ‘હનુમાનજીએ રેલ્વેની જમીન પર ઘર બનાવીને અતિક્રમણ કર્યું છે. તેથી રેલવે દ્વારા તેમને 7 દિવસનો સમય આપવામાં આવી રહ્યો છે’.

7 દિવસનો સમય આપવામાં આવ્યો :

જાહેર નોટિસમાં કહેવામાં આવ્યું છે કે 7 દિવસની અંદર દબાણ જાતે જ હટાવવું પડશે   જો તેમ નહીં કરવામાં આવે તો વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરાશે અને તેનો ખર્ચ હનુમાનજી પાસેથી વસૂલવામાં આવશે.  ખાસ વાત એ છે કે આ નોટિસની એક-એક કોપી આસિસ્ટન્ટ ડિવિઝનલ એન્જિનિયર ગ્વાલિયર અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ગ્વાલિયરને પણ મોકલવામાં આવી છે. આ નોટિસ બહાર આવ્યા બાદ રેલ્વે વિભાગની કામગીરીને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રેલ્વેની આ અજીબોગરીબ નોટિસ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

નોટિસને લઈ મંદિરના પૂજારીએ વાંધો ઉઠાવ્યો :

મંદિરમાં દરરોજ પૂજા કરવા આવતા ભક્ત મંગલ સિંહે જણાવ્યું કે  તેમણે તેમના જીવનમાં પહેલીવાર આવી નોટિસ જોઈ છે જે બજરંગબલીના નામથી આવી છે. આ નોટિસ અંગે આશ્ચર્ય વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે અમને એ વાંચીને આશ્ચર્ય થયું કે બજરંગબલીના નામે નોટિસ આપવામાં આવી છે  પહેલીવાર જોયું મારી ઉંમરતો ઘણી વધારે થઈ ગઈ છે ઘણી નોટિસ વાંચી પરંતુ ભગવાનના નામ પર નોટિસ આપવામાં આવી તે ખોટુ છે. મંદિર ગેરકાયદેસર છે.

11 મુખવાળા હનુમાનજીનું મંદિર છે. રેલ્વે ટ્રેક 40 ફુટ દુર છે ત્યાં જ શંકરજીનું મંદિર છે આ નોટિસનો જવાબ બજરંગબલી આપશે. મીડિયા સાથે વાતચીતમાં રેલવે અધિકારીએ જણાવ્યું કે  નોટિસમાં ભૂલથી બજરંગબલીનું નામ લખવામાં આવ્યું છે. પરંતુ હવે નોટિસમાં સુધારો કરતી વખતે આ 10મી ફેબ્રુઆરીના રોજ પૂજારી હરિશંકર શર્માના નામની નવી નોટિસ જાહેર કરવામાં આવી છે.

ઝાંસી રેલવે ડિવિઝનના પીઆરઓ (પબ્લિક રિલેશન ઓફિસર) મનોજ માથુરે કહ્યું કે પ્રારંભિક નોટિસ ભૂલથી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે હવે મંદિરના પૂજારીને નવી નોટિસ આપવામાં આવી છે. અગાઉ ઝાંસી રેલવે ડિવિઝનના વરિષ્ઠ સેક્શન એન્જિનિયર દ્વારા બજરંગબલી, સબલગઢને નોટિસ આપવામાં આવી હતી.

મંદિરના પૂજારીને નોટિસ મોકલવામાં આવી હતી :

શ્યોપુર-ગ્વાલિયર બ્રોડગેજ લાઇનના નિર્માણ માટે અતિક્રમણ દૂર કરવામાં આવશે. 10 ફેબ્રુઆરીએ જારી કરવામાં આવેલી નવી નોટિસ મંદિરના પૂજારી હરિશંકર શર્માના નામે આપવામાં આવી હતી.

Gujarat Politics : કોણ છે રાધિકા રાઠવા, જેને આમ આદમી પાર્ટીએ આપી છે મોટી જવાબદારી

0

Who is Radhika Rathwa

  • બે મહિના પહેલાં સંપન્ન થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાધિકા રાઠવા પાવી જેતપુર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. રાધિકાએ ચૂંટણીમાં જીત તો ના મેળવી પરંતુ કોંગ્રેસના દિગ્ગજ અને તત્કાલિન વિપક્ષ નેતા સુખરામ રાઠવાથી વધુ મત મેળવ્યા હતા.

2013 સુધી વડોદરામાં (Vadodara) રહેલા છોટાઉદેપુરની (Chotaudepur) રાજનીતિ 1977થી રાઠવાની આગળ પાછળ ફરે છે. 2022ની ચૂંટણીમાં ભાજપનો નવો ગઢ બનેલા છોટાઉદેપુરમાં ગાબડું પાડવા માટે આમ આદમી પાર્ટીએ મહિલા કાર્ડ ખેલ્યું છે અને એજ્યુકેટેડ રાધિકા રાઠવાને (Radhika Rathwa) કમાન સોંપી છે.

આદિવાસી વિસ્તારની રાધિકા રાઠવાને કમાન :

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ હવે આમ આદમી પાર્ટીની નજર 2024માં થનારી લોકસભાની ચૂંટણી પર છે. એટલા માટે જ પાર્ટીએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ રણનીતિના ભાગરૂપે આમ આદમી પાર્ટીએ છોટાઉદેપુર જિલ્લામાં મહિલા કાર્ડ ખેલ્યું છે.

પાર્ટીએ છોટાઉદેપુરના પહેલાં આદિવાસી સાંસદ રહેલા દિવંગત અમરસિંહ રાઠવાના પુત્રી રાધિકા રાઠવાને જિલ્લા પ્રમુખ બનાવ્યા છે. આમ આદમી પાર્ટીએ 31 જિલ્લા પ્રમુખના નામોની જાહેરાત કરી છે જેમાં એકમાત્ર મહિલા રાધિકા રાઠવા છે.

સિડનીમાં કરી નોકરી :

રાધિકા રાઠવાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ હોટલ એન્ડ ટૂરિઝમ મેનેજમેન્ટની બેચલરની ડિગ્રી મેળવી છે. રાધિકા વડોદરા, અમદાવાદ અને થોડા સમય માટે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં નોકરી કરી ચૂક્યા છે. પરંતુ, 2014માં રાધિકાએ નોકરી છોડીને સમાજ સેવા કરવાનો નિર્ણય કર્યો અને કોંગ્રેસમાં સામેલ થયા હતા.

2014થી 2022 સુધી કોંગ્રેસમાં વિવિધ જવાબદારીઓ સ્વીકારીને કામ કર્યું હતું. પરિવારમાં સૌથી મોટા રાધિકાને એક ભાઈ અને એક બહેન છે. ભાઈ અભય રાઠવા અમેરિકામાં નોકરી કરે છે અને બહેનનું નામ તરાના છે.

આ પણ વાંચો :-

Gold Rate Today : ટૂંક સમયમાં 60,000ને પાર જશે સોનું, કેમ વધી રહી છે કિંમત ?

0

Gold Rate Today : Gold will cross 60,000 soon

  • એવામાં તમારે એ જાણી લેવું જોઈએ કે ગ્લોબલ માર્કેટમાં આખરે એવું શું થઈ રહ્યું છે જેનાથી સોનાના ભાવમાં આગ લાગી છે. 24 કેરેટ ગોલ્ડ સોનાના ભાવમાં 614 રૂપિયાનો ઘટાડો થયો છે.

સોનાનો (Gold ) ભાવ રોજેરોજ વધી રહ્યો છે. પરંતુ શુક્રવારના દિવસે સોનાનો ભાવમાં થોડીક રાહત મળી. પરંતુ શું સોનાનો ભાવ આગળ પણ વધતો જ રહેશે?. લોકોના મનમાં આ સવાલ ઉભો થઈ રહ્યો છે. એવામાં તમારે એ જાણી લેવું જોઈએ કે ગ્લોબલ માર્કેટમાં (Global Market) આખરે એવું શું થઈ રહ્યું છે જેનાથી સોનાના ભાવમાં આગ લાગી છે.

24 કેરેટ ગોલ્ડ સોનાના ભાવમાં 614 રૂપિયાનો ઘટાડો થયો છે. તેની સાથે જ સોનું 56,983 રૂપિયા પર બિઝનેસ કરી રહ્યું હતું. વિશ્લેષકોનું માનવું છે કે ટૂંક સમયમાં સોનું 60,000 ને પાર કરી જશે. કેમ કે લગ્નની સિઝન ચાલી રહી છે. એવામાં સોનાની ડિમાન્ડ પણ વધવાની છે.

ફેડનું નરમ વલણ :

અમેરિકી કેન્દ્રીય બેંક જયારથી પોતાના વ્યાજ દરમાં વધારો કર્યો છે ત્યારથી જ ડોલર મજબૂર થઈ રહ્યો છે. તેનું જ પરિણામ હતું કે માર્ચ 2002માં 1950 ડોલર પ્રતિ ઔસના ઉચ્ચ સ્તરથી સોનું ઓક્ટોબર 2022માં 1636  ડોલર પ્રતિ ઔસ પર આવી ચૂક્યું હતું. પરંતુ જ્યારથી ફેડે વ્યાજ દરમાં નરમ વલણ અપનાવ્યું છે ત્યારથી સોનામાં તેજી જોવા મળી રહી છે.

એવામાં માનવામાં આવી રહ્યો છે કે ડોલરમાં ઘટાડાના કારણે સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જો ઘરેલુ બજારની વાત કરીએ તો સોનુ દિવાળીના સમયે 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે ચાલી રહ્યું હતું. અને હવે તેમાં તેજી જોવા મળી છે.

મંદીમાં આગ ઓકી રહ્યું છે સોનું :

ડોલરમાં આવેલા ઘટાડાના કારણે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ફેડ આગળ પણ 0.25 ટકાના દર વ્યાજમાં વધારશે. તે સિવાય વિશેષજ્ઞોનું કહેવું છે કે પશ્વિમી દેશોમાં મંદીના કારણે પણ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. કોટક સિક્યોરિટીઝના રવિન્દ્ર રાવનું કહેવું છે કે વર્ષ 1973થી યૂએસમાં 7માંથી 5 વખત મંદીના સમયે સોનાની કિંમતમાં ભારે તેજી જોવા મળી હતી.

આ પણ વાંચો :-

અંબાલાલ પટેલે કરી તારીખ સાથે ભયંકર આગાહી, આ તારીખથી અનેક વિસ્તારોનું આવી બન્યું સમજો!

0

Ambalal Patel made a terrible prediction with the date

રાજ્યમાં હાલ ગરમી અને ઠંડીનો (heat and cold) સાથે અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ઠંડીને લઈ વધુ એક આગાહી કરી છે કે, રાજ્યમાં આવતીકાલથી ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે. રાજ્યમાં ફરી ઠંડી વધવાની હવામાન વિભાગની (Meteorological Department) આગાહી કરી છે. રાજ્યમાં 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટે તેવી શક્યતા જોવાઈ રહી છે. આ સિવાય રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બે દિવસ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. સવારે વાદળછાયું વાતાવરણ અને બપોરે ગરમીનો અહેસાસ થશે.

શું કહે છે અંબાલાલની આગાહી?

ગુજરાતમાં ફરી માવઠાની હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી કરી છે. 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં માવઠું પડશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. ત્યારે આ માવઠું ફરી એકવાર ખેડૂતો માટે મુસીબતોનું માવઠું બની રહેશે. જાન્યુઆરી મહિનાના અંતમાં આવેલા માવઠાએ ખેડૂતોને બરબાદ કર્યા. ઠંડીમાં પાકેલો પાકને નુકસાની સહન કરવી પડી. ત્યારે ફરી એકવાર આવી રહેલું માવઠું ખેડૂતોને રાત પાણીએ રડાવશે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 2023નો ઉનાળો આકરો બની રહેશે. તેની શરૂઆત ફેબ્રુઆરી મહિનાથી જ થઈ જશે. 13 ફેબ્રુઆરીથી જ વાતાવરણમાં ગરમી વધવાની શરૂઆત થઈ જશે. વાદળછાયું વાતાવરણ રહેશે. 19/20 ફેબ્રુઆરીથી ગરમી વધવા લાગશે.

મહત્તમ તાપમાન એ સમયે 37 ડિગ્રી રહેવાની શક્યતા છે. 22-26 ફેબ્રુઆરી દરમિયાન માવઠાંની શક્યતા છે. રાજસ્થાનના દક્ષિણ ભાગ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થશે. 26 એપ્રિલથી 45 ડિગ્રી પર તાપમાન રહેવાની શક્યતા છે. ગરમ પવન વધવાની પણ શક્યતા છે.

આ પણ વાંચો :-

આ રાશિના લોકોના જીવનમાં સોમવારના પવિત્ર દિવસે સૂર્યદેવની કૃપાથી ઉજાસ પથરાશે

The life of people of this zodiac sign Gujarat Guardian

મેષ
મનોબળમાં વધારો થાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ છતાં થોડું ગુસ્સાવાળુ વાતાવરણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ

વૃષભ
અણગમતા સંજોગોનો સામનો કરવો પડે. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતી રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્ની સાથે પ્રેમ જળવાય. મિત્રોથી સહકાર મળે.

મિથુન
મનનું સિદ્ધાંતવાદી વલણ રહે. આવક જળવાશે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુના રોકાણોથી ફાયદો તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગતિથી આનંદ વધે.

કર્ક
દિવસ દરમિયાન આનંદની અનુભૂતિ થાય. કરેલા રોકાણો ફળદાયી નીવડે નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થાય. આથી આવક વધે. ઠંડા પીણા, પાણી, આઇસક્રીમના ધંધામાં વિશેષ લાભ.

સિંહ
થોડું ગુસ્સાનાનું પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબૂતનું થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદદાયક સાબિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય આરોગ્ય સાચવવું.

કન્યા
સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબૂત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટાળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય છે.

તુલા
ખર્ચનું પ્રમાણ વધતુ જણાય. છતાં આનંદ-ઉત્સાહ જળવાય. હિંમત, વિદ્વત્તા તથા મનોબળમાં વધારો થાય. અણુ ઉર્જા, ઇલેક્ટ્રોનિક્સ, પુસ્તકાલય, કુરિયર જેવા ધધામાં વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વૃશ્ચિક
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. પત્ની સાથે પ્રેમ જળવાય. પ્રિય પાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો નથી. આથી નોકરી, ધંધામાં શાંતી રાખવી.

ધન
જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિરતા જળવાઇ રહે. ખોટા વિચાર મનનો કબજો ન લઇ લે અેનું ધ્યાન રાખવું. મિત્ર વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારૂં રહે. ધંધાકીય ક્ષેત્રે આનંદમાં વધારો થાય.

મકર
નવી નોકરી અથવા ધંધાની શરૂઆત શક્ય બને. હાલના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આર્થિક રોકાણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ઓટો મોટોબાઇલ ડીલર તથા ટ્રાવેલીંગનાં ધંધામાં વિશેષ લાભ.

કુંભ
ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધશે પરંતુ ખોટો ખર્ચ અટકાવવો. શેર બજાર, સ્ત્રી શણગારના સાધનોના ક્ષેત્રે વિશેષ લાભ. પત્નીના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

મીન
મજબૂત આત્મબળને કારણે સાહસિક નિર્ણય લઇ શકો. પરિવારમાં આનંદ જળવાય. આવકનું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયતની કાળજી જરૂરી. માથાનો દુઃખાવો, પડવા-વાગવાથી સાચવવું સંતાન સુખ સારૂં.

આ પણ વાંચો :-

દહીં સાથે ભૂલથી પણ ન ખાવી આ વસ્તુઓ નક્કર પસ્તાવાનો વારો આવી શકે છે

Even mistakenly not eating these things

  • આ બધા ફાયદાઓના કારણે રોજ દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ઘણા લોકો દહીંમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને ખાય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવો જાણીએ કઈ એવી વસ્તુઓ છે જે દહીં સાથે ન ખાવી જોઈએ.

દહીં સ્વાસ્થ્ય (Health) માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પ્રોટિન, પોટેશિયમ (Potassium) અને અન્ય વિટામિન્સથી ભરપૂર છે. તેને સુપરફૂડ માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા વિટામીન (Vitamins) ભરપૂર માત્રામાં હોય છે. તેના નિયમિત સેવનથી પેટ સંબંધિત સમસ્યાઓની સાથે અન્ય ઘણી બીમારીઓથી પણ રાહત મળે છે.

આ બધા ફાયદાઓના કારણે રોજ દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ઘણા લોકો દહીંમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને ખાય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવો જાણીએ કઈ એવી વસ્તુઓ છે જે દહીં સાથે ન ખાવી જોઈએ.

ડુંગળી સાથે :

સામાન્ય રીતે લોકો દહીંમાં ડુંગળી ઉમેરીને રાયતુ બનાવે છે. જો તમે પણ એવા લોકોમાં છો તો દહીં અને ડુંગળી એક સાથે ખાવાથી નુકસાન થઈ શકે છે.

દૂધ સાથે :

દૂધ અને દહીં એકસાથે ખાવાનું ટાળો. જો તમે આ બંનેનું એક સાથે સેવન કરો છો. તો એસિડિટી, છાતીમાં બળતરા, પેટ ફૂલવું વગેરે સમસ્યાઓ થઈ શકે છે.

અડદની દાળ સાથે દહીં :

જો તમે અડદની દાળ સાથે દહીંનું સેવન કરો છો તો તેનાથી એસિડિટી, ગેસ, લૂઝ મોશન જેવી સમસ્યાઓ થઈ શકે છે.

આ પણ વાંચો :-

શું કોંગ્રેસમાં જગદીશ ઠાકોરની હકાલપટ્ટી થશે ? નવા પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર નેતાના નામનો ગણગણાટ શરૂ

0

Will Jagdish Thakor be expelled from the Congress?

  • ગુજરાતમાં કોઈપણ સમયે બદલાઈ શકે છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, આ નેતાઓના નામ ચર્ચામાં…. કોંગ્રેસે વિપક્ષના નેતા તરીકે OBC પર પસંદગી ઉતારી હવે પાટીદારને પ્રતિનિધિત્વ આપશે તેવી ચર્ચા ચાલી રહે છે…

ગુજરાત વિધાનસભામાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) પક્ષના નેતાની નિમણૂં કરવાની કામગીરી ઘોંચમાં પડી હતી. જેમાં આંતરિક વિવાદ પણ ઉઠયો હતો. ત્યારે આખરે કોંગ્રસે ઊંઘમાંથી જાગી છે અને વિધાનસભામાં વિરોધ પક્ષના (opposition party) નેતાનું નામ ફાઈનલ કર્યું હતું. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવાયા છે. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારને (Shailesh Parmar) વિધાનસભાના પક્ષના ઉપનેતા જાહેર કર્યાં છે.

ત્યારે હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પણ બદલે તેવા અણસાર મળ્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જગદીશ ઠાકોરને સુકાન સોંપ્યુ હતું. પરંતું તેઓ નિષ્ફળ રહ્યાં છે. ઉલટાનું કોંગ્રેસને અગાઉની વિધાનસભાની ચૂંટણી કરતા વધુ નુકસાન થયુ છે. બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક ડખા એટલા વધ્યા છે કે જગદીશ ઠાકોર આ ગૂંચ ઉકેલવામાં પણ અસફળ રહે છે. આવામાં હવે કોંગ્રેસ નવા પ્રદેશ પ્રમુખ લાવે તો નવાઈ નહિ. ત્યારે હવે કોંગ્રેસમા નવા પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર ચહેરાની શોધ ચાલી રહી છે. જેમાં પરેશ ધાનાણીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.

આ નામો પર ચર્ચા થઈ રહી છે :

કોંગ્રેસ હાઈકમાન્ડ ગમે તે ઘડીએ પ્રદેશ પ્રમુખ બદલી શકે છે. હાલ પ્રદેશ પ્રમુખ તરીકે પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા અને જીતુ પટેલનું નામ ચર્ચામાં છે. જોકે, ચર્ચા તો એવી પણ છે કે કોંગ્રેસ પાટીદાર કાર્ડ અજમાવી શકે છે. મુખ્યમંત્રી જ્યારે પાટીદાર છે, ત્યારે કોંગ્રેસ પણ પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખનુ પદ આપી શકે છે.

જોકે, 2022 ની વિધાનસભા ચૂંટણીમાં સ્થિતિ બદલાઈ હતી. 2019 માં અમરેલી સીટ પરથી ખુદ પરેશ ધાનાણી ચૂંટણી લડ્યા અને જીતી ગયા હતા, જોકે 2022 ની ચૂંટણીમાં ભાજપ સામે તેમનો પરાજ્ય થયો છે. પરેશ ધાનાણીની સૌરાષ્ટ્રમાં દિગ્ગજ નેતા તરીકે ગણના થાય છે. ભૂતકાળમાં તેમણે ભાજપના મંત્રીઓને પણ હરાવ્યા છે. 2017 જિલ્લામાં થયેલું સારું પ્રદર્શન પણ પરેશ ધાનાણીને ફાળે ગયું હતું.

આ પણ વાંચો :-