Home Blog Page 1173

IPLની સૌથી મોંઘી ખેલાડીનું બેટ ચાલ્યું ધમધોકાર, T-20 વર્લ્ડ કપમાં કર્યો મોટો રેકોર્ડ

0

IPL’s sets record in T-20 World Cup

  • મહિલા ટી20 વર્લ્ડ કપમાં આયરલેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમની ટોપ ઓર્ડર બેટ્સમેન સ્મૃતિ મંધાના એક મોટો રેકોર્ડ કર્યો હતો.

ભારતીય ટીમની ટોપ ઓર્ડર બેટ્સમેન સ્મૃતિ મંધાના (Smriti mandhana) આજકાલ ફૂલ ફોર્મમાં છે. મહિલા આઈપીએલમાં સૌથી મોંઘી કિંમતે વેચાયેલી સ્મૃતિ મંધાનાએ ટી-20 ક્રિકેટના ઈતિહાસમાં તેનો એક મોટો રેકોર્ડ કર્યો છે.

મંધાનાએ ટી-20 વર્લ્ડકપની આયર્લેન્ડ (Ireland) સામેની મેચમાં તેની ટી20 કરિયરનો સૌથી વધારે 87 રનનો સ્કોર કર્યો હતો જેમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ છે. જોકે ટી20 કરિયરમાં પહેલી ઈન્ટરનેશનલ સદી ફટકારવાનું તેનું સપનું અધુરુ રહ્યું હતું.

40 બોલમાં અડધી સદી :

સ્મૃતિ મંધાનાએ 40 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. મંધાનાની આ વર્લ્ડ કપમાં સતત બીજી અડધી સદી. ગત મેચમાં તેણે ઇંગ્લેન્ડ સામે 52 રન બનાવ્યા હતા. સાથે જ આ તેની કારકિર્દીની 22 ટી-20 અડધી સદી પણ છે.

હરમનપ્રીત, રિચા ઘોષ, જેમિમા રોડ્રિગ્સ જેવા મોટા નામો ફ્લોપ  :

હરમનપ્રીત, રિચા ઘોષ, જેમિમા રોડ્રિગ્સ જેવા મોટા નામો ફ્લોપ રહ્યા હતા. રિચા ખાતું પણ ખોલાવી શકી નહોતી, જ્યારે જેમિમાએ માત્ર 19 રન જ બનાવ્યા હતા.

મંધાના બાદ શફાલી વર્માએ બનાવ્યા 24 રન :

ભારત તરફથી મંધાના ઉપરાંત શફાલી વર્માએ સૌથી વધુ 24 રન બનાવ્યા હતા. તે જ સમયે પોતાની 150 મી આંતરરાષ્ટ્રીય મેચ રમનારી કેપ્ટન હરમનપ્રીત કૌર માત્ર 13 રન જ બનાવી શકી હતી.

આ પણ વાંચો :-

Bike Taxi Service : હવે આ શહેરમાં નહીં મળે બાઈક ટેક્સી, સરકારે Ola, Uber અને Rapido પર લગાવ્યો પ્રતિબંધ

0

Bike Taxi Service: Bike taxis are no longer available

  • જે લોકો ટ્રાફિક જામમાં ફસાયા વિના બાઈક ટેક્સી દ્વારા તેમની મંઝીલ સુધી પહોંચે છે તેઓને હવે કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એક મોટા શહેરમાં બાઈક ટેક્સી ચલાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

હવે તમે દિલ્હીમાં (Delhi) બાઈક ટેક્સી નહીં મેળવી શકો. દિલ્હીની અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સરકારે નિયમોના ઉલ્લંઘનના આરોપમાં ઓલા, ઉબેર અને રેપિડોની (Uber and Rapido) બાઈક સેવા બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. દિલ્હી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ (Delhi Transport Department) દ્વારા જારી કરાયેલા એક પરિપત્રમાં બાઈક પર મુસાફરોને લઈ જતા લોકો સામે કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આવું ન કરવા પર આરોપી પર ભારે દંડ ફટકારવામાં આવશે સાથે જ તેનું ડ્રાઈવિંગ લાઈસન્સ (Driving license) પણ સસ્પેન્ડ કરવામાં આવશે.

10 હજારનો થશે દંડ :

દિલ્હી સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ મુજબ, મોટર વ્હીકલ એક્ટ 1988 હેઠળ, કોઈપણ પ્રકારના ટુ વ્હીલર પર મુસાફરોને લઈ જવું એ સજાપાત્ર ગુનો છે. જો આમ કરતા જોવા મળે છે. તો તેણે પ્રથમ કિસ્સામાં 5,000 રૂપિયા અને બીજી ઘટનામાં 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો દંડ ન ભરે તો એક વર્ષ સુધીની જેલની સજા થશે અને બાઈક પણ જપ્ત કરવામાં આવશે.

એગ્રીગેટર પર 1 લાખ રૂપિયાનો દંડ :

આ નોટિસ બહાર પાડતા પહેલા કેજરીવાલ સરકારે પરવાનગી વિના બાઈક ટેક્સી ચલાવતા ઓલા, ઉબેર અને રેપિડોને ચેતવણી આપી હતી. સરકારે કહ્યું હતું કે બાઈક-સ્કૂટર પર મુસાફરોને લઈ જવું એ મોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન છે. જેના માટે એગ્રીગેટર એટલે કે તેને ચલાવતી કંપનીઓ પર 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ સાથે બાઈક-સ્કૂટર ચલાવનાર ડ્રાઈવરનું લાયસન્સ પણ 3 મહિના માટે સમાપ્ત થઈ શકે છે.

આ પણ વાંચો :-

નેતાઓને ઝટકો ! સત્તા ગઈ તો સુરક્ષા પણ ગઈ, આ નેતાઓ હવે નહીં મારી શકે રોફ

0

Shake the leaders! If power is gone

  • Gujarat Leader Security : ગુજરાતના પૂર્વ મંત્રીઓ સહિત 28 નેતાઓની સુરક્ષા પાછી ખેંચાઈ… ઋત્વિજ પટેલ, સૌરભ પટેલ સહિત જુઓ કોના કોના નામ

ગુજરાત સરકારે (Gujarat Govt) મોટો નિર્ણય લીધો છે. જેમાં ભાજપના ઘણા નેતાઓ સાથે 30  વ્યક્તિઓ હવે કોમનમેન બની ગઈ છે. સરકારે સત્તા જતાં સુરક્ષા પણ પાછી ખેંચી લીધી છે. જેમાં વિધાનસભાની ટિકિટમાંથી કપાયા પછી હવે રાકેશ શાહ, સૌરભ પટેલ, કૌશિક પટેલ, વલ્લભ કાકડિયાને સુરક્ષા નહીં મળે. ગુજરાત સરકારે 72 મહાનુભાવોને મળતી એક્સ કે વાય કેટેગરીની (Y category) મળતી સુરક્ષામાં ફેરફાર કર્યો છે.

હવે એમાંથી 28 મહાનુભાવોને હવે સુરક્ષા મળશે નહીં. ગૃહવિભાગની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. જેમની સુરક્ષા પરત (Security return) લેવાઈ છે. એમાં ઋત્વિજ પટેલ, હિંમતસિંહ, ભૂષણ ભટ્ટ, કૌશિક જૈન, રાજેન્દ્રદાસજીનો પણ સમાવેશ થાય છે.

ગુજરાત સરકાર દ્વારા જોખમને આધારે અલગ અલગ કેટેગરીમાં સુરક્ષા ફાળવાતી હોય છે. અમદાવાદમાં રહેતા નેતાઓ સુપ્રીમ, હાઈકોર્ટના નિવૃત્ત જજ, પૂર્વ મંત્રી. નેતા,ધારાસભ્ય, ઉદ્યોગપતિ વેપારીઓ સહિત 72 મહાનુંભાવોને સરકાર એક્સ કે વાય કેટેગરીમાં સુરક્ષા પ્રદાન કરે છે.

જેમાંથી ચાલુ વર્ષે સુપ્રીમ અને હાઈકોર્ટના 9 નિવૃત્ત જજ સહિત નેતાઓ મળી 30 જણા પાસેથી સુરક્ષા પરત ખેંચી લેવાઈ છે. જ્યારે 28 મહાનુંભાવોની સુરક્ષામાં ફેરફાર કરાયો છે. રાજ્ય સરકારે શક્તિસિંહ ગોહિલ અને અલ્પેશ ઠાકોર સહિત 14 નેતાઓની સુરક્ષા યથાવત રાખી છે.

આ સિવાય શૈલેષ પરમાર, રોહિતજી ઠાકોર, નિવૃત્ત આઈપીએસ જે. કે. ભટ્ટ સહિત કેટલાક બિઝનેસમેનોની સુરક્ષામાં ફેરફાર ન કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જે મહાનુભાવોને એકસ, વાય કે ઝેડ કેટેગરીની સુરક્ષા ફળવાય છે. એ પોલીસ કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક એમની સાથે રહે છે. તો કેટલાક કિસ્સામાં ઘરે અને ઓફિસે પણ પોલીસ તૈનાત હોય છે.

કોની સુરક્ષા પરત ખેંચાઈ :

કૌશિક પટેલ     પૂર્વ મંત્રી
સૌરભ પટેલ    પૂર્વ મંત્રી
રાકેશ શાહ    પૂર્વ ધારાસભ્ય
કૌશિક જૈન    ધારાસભ્ય
હિંમતસિંહ પટેલ    પૂર્વ ધારાસભ્ય
બિમલ શાહ    પૂર્વ ધારાસભ્ય
ભૂષણ ભટ્ટ    પૂર્વ ધારાસભ્ય
ઋત્વિજ પટેલ    યુવા ભાજપ પ્રમુખ
રાજેન્દ્ર દાસજી મહારાજ    અખિલ ભારતીય શ્રી પંચ નિર્મોહી અમી અખાડા

સુરક્ષાની કેટલી શ્રેણીઓ છે?

SPG કેટેગરી – સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપની સુરક્ષા હવે માત્ર વડાપ્રધાનને જ ઉપલબ્ધ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગભગ 3000 SPG જવાનો વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત છે. તમામ SPG કર્મચારીઓ ઓટોમેટિક ગન FNF-2000 એસોલ્ટ રાઇફલ સહિત તમામ આધુનિક હથિયારોથી સજ્જ છે. 2020-21ના બજેટમાં SPG સુરક્ષા માટે 592.55 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

2019 સુધી વડાપ્રધાન સિવાય ગાંધી પરિવારને પણ આ સુરક્ષા આપવામાં આવતી હતી. પરંતુ સંસદમાં કાયદો પસાર કરીને સરકારે ગાંધી પરિવાર પાસેથી આ સુરક્ષા પાછી ખેંચી લીધી હતી.

આ પણ વાંચો :-

OYOના માલિક રિતેશ અગ્રવાલ કરવા જઈ રહ્યા છે લગ્ન, PM મોદીને આપ્યું આમંત્રણ

0

OYO owner Ritesh Agarwal is going to get married

  • દેશના પ્રખ્યાત સ્ટાર્ટઅપ OYOના સ્થાપક રિતેશ અગ્રવાલ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

અગ્રવાલ દિલ્હીમાં (Delhi) વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને (Prime Minister Shri Narendra Modi) મળ્યા હતા અને તેમને તેમના લગ્નમાં હાજર રહેવા માટે આમંત્રણ પણ આપ્યું હતું. આ દરમિયાન તેની માતા અને મંગેતર પણ તેની સાથે હતા. તે આવતા મહિને માર્ચમાં દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલમાં (Five star hotel) લગ્ન કરવાના છે.

અગ્રવાલે ખુદ વડાપ્રધાન મોદીને મળવાની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે, જેમાં તેઓ વડાપ્રધાન મોદીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન અગ્રવાલે પીએમને શાલ પણ અર્પણ કરી હતી.

નવી ઈનિંગ્સની શરૂઆત :

અગ્રવાલે પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદથી અમે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તેમણે જે ઉષ્મા સાથે અમારું સ્વાગત કર્યું તે શબ્દો વ્યક્ત કરી શકતા નથી. મારી માતા, જેઓ મહિલા સશક્તિકરણ માટેના તેમના વિઝનથી ખૂબ જ પ્રેરિત છે. તેમને મળવા માટે ઉત્સાહિત હતા. તમારા કિંમતી સમય અને શુભેચ્છાઓ બદલ આભાર.

દેશના યુવા અબજોપતિઓમાં સામેલ છે :

દેશના સૌથી યુવા અબજપતિઓમાં 29 વર્ષના રિતેશ અગ્રવાલનું નામ સામેલ છે. તેણે 2013માં માત્ર 19 વર્ષની ઉંમરે OYOની શરૂઆત કરી હતી. હાલમાં તેમની કંપની OYO વિશ્વના 80 દેશના 800 શહેરમાં તેની સેવાઓ પ્રદાન કરે છે.

નાની ઉંમરનો આ વિચાર ખુબ વિરાટ સાબિત થયો:

રિતેશ અગ્રવાલને શરૂઆતથી જ દેશની ટોપ IIT કોલેજમાં જવું હતું, પરંતુ કંઈક કરી બતાવવાના જુસ્સામાં તેણે કોલેજમાં જવાનું બંધ કરી દીધું. 2011માં શાળા છોડીને 17 વર્ષની ઉંમરે તેણે ઓરેવેલ સ્ટેજ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, જે 2013માં OYO હોટેલ્સ એન્ડ હોમ્સ તરીકે જાણીતું બન્યું.

OYOનો મતલબ :

રિતેશમાં શરૂઆતથી જ કંઈક અલગ કરવાનો જુસ્સો હતો અને જ્યારે તેને 17 વર્ષની ઉંમરે બિઝનેસ શરૂ કરવાની તક મળી, ત્યારે તેણે તેનું નામ પણ તેના પેશનના આધારે રાખ્યું. ખરેખર OYO નો અર્થ છે – તમારી પોતાની તાકાત પર ‘On Your Own’ રીતેશે ખરેખર આટલી મોટી કંપની પોતાના દમ પર શરૂ કરી છે. આજે આમાં 43 હજારથી વધુ હોટલોનું ગ્રૂપ છે. જ્યાં લોકોને સસ્તા ભાવે રૂમ મળે છે.

આ પણ વાંચો :-

Damage Note : નોટનો અડધો ટુકડો હશે તો પણ મળશે પૈસા ! 

0

Damage Note: Even if there is half a piece of note

  • બજારમાં ફાટેલી, કપાયેલી, બળેલી અને જૂની નોટો સામાન્ય રીતે ચાલતી નથી. કારણ કે અનેક દુકાનદારો તે લેવાની ના પાડતા હોય છે. આ સમસ્યાના કારણે લોકોએ ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો કે કપાયેલી-ફાટેલી નોટો બેંકોમાં સરળતાથી બદલાવી શકાય છે. પરંતુ મોટાભાગના લોકોને આ અંગે જાણકારી હોતી નથી.

બજારમાં ફાટેલી, કપાયેલી, બળેલી અને જૂની નોટો સામાન્ય રીતે ચાલતી નથી. કારણ કે અનેક દુકાનદારો તે લેવાની ના પાડતા હોય છે. આ સમસ્યાના કારણે લોકોએ ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો કે કપાયેલી-ફાટેલી નોટો (Torn notes) બેંકોમાં સરળતાથી બદલાવી શકાય છે. પરંતુ મોટાભાગના લોકોને આ અંગે જાણકારી હોતી નથી. ખરાબ નોટો બેંકોમાં બદલાવવા માટે રિઝર્વ બેંકની (Reserve Bank) માર્ગદર્શિકા છે. જે અંગે  જાણકારી ખુબ જરૂરી છે. જેથી  કરીને તમને ખરાબ નોટના યોગ્ય ભાવ મળી શકે.

જો તમારી પાસે ફાટેલી કે કપાયેલી નોટ હોય તો તમે તે નોટો સરળતાથી બેંકોમાં બદલાવી શકો છો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન મુજબ જો કોઈ બેંક તમને આ નોટ બદલવાની ના પાડે તો તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. બેંક દ્વારા કપાયેલી કે ફાટેલી નોટો બદલી ન આપવાની સ્થિતિમાં ગ્રાહક આરબીઆઈની અધિકૃત વેબસાઈટ પર તેની ઓનલાઈફ ફરિયાદ કરી શકે છે.

કપાયેલી-ફાટેલી નોટ અંગે RBI નો નિયમ :

રિઝર્વ બેંકના સર્ક્યુલર મુજબ કપાયેલી કે ફાટેલી નોટ બદલવા માટે એક નિર્ધારિત સમયમર્યાદા હોય છે. એક વ્યક્તિ એક સમયે વધુમાં વધુ 20 નોટ બદલાવી શકે છે. પરંતુ તેની કુલ કિંમત 5 હજાર રૂપિયાથી વધુ હોવી જોઈએ નહીં. ખુબ જ ખરાબ રીતે બળી ગયેલી, કપાયેલી કે ફાટેલી નોટો બેંકમાં નથી બદલી શકાતી  કારણ કે તે ફક્ત આરબીઆઈની ઈશ્યુ ઓફિસમાં જ જમા કરાવી શકાય છે.

ફાટેલી નોટનું મૂલ્ય :

ફાટેલી નોટને બદલાવવામાં આવે ત્યારે તેના કેટલા પૈસા મળશે તે નોટ કેટલી ફાટેલી છે તેના પર નિર્ભર કરે છે. 2000 રૂપિયાની નોટનો 88 વર્ગ સેન્ટીમીટર ભાગ હોય તો પૂરી કિંમત મળશે. જ્યારે 44 વર્ગ સેન્ટીમીટરનો  ભાગ હોય તો અડધી રકમ મળી શકે છે. એ જ રીતે 200 રૂપિયાની નોટનો 78 વર્ગ સેન્ટીમીટર ભાગ સુરક્ષિત હોય તો પૂરા પૈસા મળશે. પરંતુ 39 વર્ગ સેન્ટીમીટર પર અડધા પૈસા જ મળી શકશે.

આરબીઆઈનું કહેવું છે કે જૂની અને ફાટેલી નોટો સરળતાથી બદલાવી શકાય છે. આ માટે બેંક તમારી પાસેથી કોઈ ચાર્જ પણ વસૂલ કરતી નથી. પરંતુ જો નોટ ખુબ જ ખરાબ દશામાં હોય અને તેના અનેક ટુકડા થઈ ગયા હોય તો એવી સ્થિતિમાં નોટ બદલાશે નહીં. કારણ કે જો બેંક અધિકારીને એમ લાગે કે નોટને ફાડવામાં આવી છે તો બેંક તેનો સ્વીકાર કરતા નથી.

આ પણ વાંચો :-

કુમાર કાનાણી – બસ ઓપરેટરો આમને-સામને, આજથી લક્ઝરી બસ શહેરમાં નહીં પ્રવેશે

0

Kumar Kanani – Bus operators face off

  • સુરતના ભાજપના ધારાસભ્ય ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા સુરત શહેર ટ્રાફિક DCP સાહેબને એક પત્ર લખી જણાવેલ કે સુરત શહેરમાં નો-એન્ટ્રી દરમિયાન ભારે વાહન પ્રવેશવી જોઈએ નહીં.

આથી સુરત લકઝરી બસ ઓપરેટર્સ (Surat Luxury Bus Operators) ચેરિટેબલ એસોસિએશનની એક મિટિંગમાં સર્વાનુંમતે નક્કી કરવામાં આવેલા છે કે તારી 21.02 2023 ની વહેલી સવારથી સુરત પહોંચતી કોઈપણ લકઝરી બસ સુરતમાં પ્રવેશ કરશે નહીં અને સુરતના કામરેજ રોડ ઉપર આવેલા વાલક પાટીયા (Valak Patiya) પેસેન્જર ખાલી અને પિક-અપ કરવામાં આવશે જેની ખાસ નોંધ લેશો.

બસ ઓપરેટરો દ્વારા એક મહત્ત્વનો નિર્ણય :

સુરત પોલીસ કમિશનરના જાહેરનામાના સમયની અવધીમાં પણ ખાનગી લક્ઝરી બસો અને મોટા વ્હીકલો પ્રવેશ કરતાં હોવાની ફરિયાદ વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફિક ડીસીપીને લેખિતમાં કરી હતી. ત્યારે હવે કુમાર કાનાણીની ફરિયાદને લઇ શહેરના ખાનગી બસ ઓપરેટરો દ્વારા એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આજથી એક પણ ખાનગી બસ સુરત શહેરમાં પ્રવેશ કરશે નહીં. તમામ બસ સુરત શહેરની બહાર વાલક પાટિયાથી ઊપડશે અને ખાલી પણ ત્યાં જ થશે. જેને લઈ સુરત શહેરના જુદા જુદા છેવાડે રહેતા મુસાફરી કરવા જતા 10 લાખથી વધુ નાગરિકોને બસ સુધી પહોંચવા 10થી 20 કિમી ફરી ભારે હાલાકી સહન કરવાનો વારો આવી શકે છે.

Bjp Mla Bus Operators Face Off Luxury Buses Will Not Enter City From Tomorrow

ધારાસભ્ય વિરુદ્ધ બસ ઓપરેટરો આવી ગયા :

ધારાસભ્યની લેખિત ફરિયાદને લઈને બસ ઓપરેટરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને નિયમોનું પાલન કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જેને લઇ કુમાર કાનાણીના આ પ્રકારના પત્ર અને ફરિયાદને કારણે શહેરના 150થી વધુ ખાનગી બસ ઓપરેટરો એક થયા છે. અને આજથી એટલે કે 21 તારીખથી સુરત શહેરમાં એક પણ ખાનગી બસ શહેરમાં પ્રવેશ કરશે નહીં તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

સુરત પોલીસ કમિશનરના જાહેરનામા આપવામાં આવેલી છૂટના સમયમાં પણ એક પણ લક્ઝરી બસ સુરતમાં આવશે નહીં અને ખાલી પણ થશે નહીં તેવો મક્કમ નિર્ણય કરીને તેની પર અડગ રહ્યા છે. આ સાથે ખાનગી લગ્નપ્રસંગના કાર્યક્રમોમાં પણ એક પણ લક્ઝરી બસ સુરત શહેરમાં પ્રવેશ કરશે નહીં.

ખાનગી બસ ઓપરેટરો મક્કમ :

સુરત લક્ઝરી બસ ઓપરેટર ચેરિટેબલ એસોસિયેશન દ્વારા આજથી બે દિવસ પહેલાં 21 તારીખથી શહેરમાં એક પણ બસ પ્રવેશ કરશે નહીં તે પ્રકારનો મહત્ત્વનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને શહેરના ખાનગી બસ ઓપરેટરો મક્કમ રીતે વળગી રહ્યા છે. આજથી સુરતમાં એક પણ બસ શહેરની અંદર પ્રવેશ કરશે નહીં અને શહેરમાં બસ ખાલી પણ થશે નહીં.

અંદાજે 450થી વધુ બસો સુરત શહેર હદ વિસ્તારની બહાર વાલક પાટિયા પાસેથી જ ભરાશે. અને વહેલી સવારે મુસાફરોને ઉતારીને ખાલી પણ ત્યાં જ કરશે. લક્ઝરી બસ ઓપરેટર એસોસિયેશનના આ પ્રકારના નિર્ણયથી સુરતથી બહાર ખાનગી બસનો ઉપયોગ કરનાર મુસાફરોને મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવી શકે છે.

કુમાર કાનાણીની ફરિયાદને લઈ બસ ઓપરેટરોનો નિર્ણય :

વરાછાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી દ્વારા થોડા દિવસ પહેલાં હેવી વ્હીકલ અને ખાનગી બસ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરીને વરાછામાં ફરી રહી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ટ્રાફિક ડીસીપીને લેખિતમાં કરવામાં આવી હતી. ધારાસભ્યે ડીસીપીને લખેલા પત્રમાં જાહેરનામાનો ભંગ કરીને શહેરમાં ફરતી બસોને કારણે ખૂબ જ મોટી ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી છે અને તેના કારણે શહેરની જનતાને હાલાકી થઈ રહી છે તેવા આરોપ લગાવ્યા હતા.

સુરતમાં અંદાજે 150થી વધુ લક્ઝરી બસ ઓપરેટરો :

સુરત લક્ઝરી બસ ઓપરેટર ચેરિટેબલ એસોસિયેશન દ્વારા બે દિવસ પહેલાં એક બેઠક યોજાઈ હતી. જેમાં 150થી વધુ લક્ઝરી બસ ઓપરેટરો હાજર રહ્યા હતા. તમામ બસ ઓપરેટરો દ્વારા આ નિર્ણય લેવાયો છે. 150માંથી 80 ટકા બસ ઓપરેટરો સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના છે. જ્યારે 20 ટકા રાજસ્થાન અને મહારાષ્ટ્ર તરફના બસ ઓપરેટરો છે.

આ પણ વાંચો :-

 

 

21 ફેબ્રુઆરી 2023 : ગણેશજીની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય હીરાની જેમ ચમકી ઉઠશે – જાણો તમારું આજનું રાશિફળ

21 February 2023 : With the grace of Lord Ganesha

મેષઃ
દિવસ દરમિયાન આનંદની અનુભૂતિ થતી જણાય. આર્થિક મોરચે સફળતા મળે. પરિવારના સભ્યોની ચિંતા સતાવે. ધંધાકીય ક્ષેત્રે ફાયદો મેળવવો શક્ય બને. સંતાનસુખમાં વધારો થાય. આરોગ્ય જળવાય.

વૃષભઃ
દિવસ દરમિયાન કાર્યક્ષેત્રે સાનુકૂળતા જણાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિનો અનુભવ કરી શકાય. આવકનું પ્રમાણ જળવાય. સંતાનોની ચિંતા હળવી થતી જણાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદની અનુભૂતિ થાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ
ધાર્મિક કાર્યોના આયોજનમાં સહભાગી થવાય. ભાગ્યનો સાથ મળતાં આનંદનો અનુભવ થાય કાર્યક્ષેત્રે સફળતાનો સ્વાદ ચાખી શકો. વિદેશ સંબંધી કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. સ્વાસ્થ્ય સારું રહે.

કર્કઃ
ખોટા વિચારોનું પ્રમાણ વધે. વાણી ઉપર કાબૂ રાખવા હિતાવહ. હયાત રોકાણો ફળદાયી નીવડે. નવા રોકાણોમાં સાવધાની જરૂરી. આરોગ્ય સાચવવું. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. મિત્રોનો સાથ-સહકાર મળે.

સિંહઃ
મનોબળ મજબૂત બને. બેંક બેલેન્સ વધતું જણાય. પારિવારિક સંબંધોમાં ઉષ્માનો અનુભવ થાય. માન-સન્માનમાં વૃદ્ધિ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. જીવનસાથી સાથે આનંદ. નોકરી ધંધામાં પ્રગતિ.

કન્યાઃ
જાહેર જીવનમાં કાર્ય કરવાની તક મળે. સાહિત્ય ક્ષેત્રે અભિરુચી વધે. ભાગ્યનો સાથ મળતો જણાય. પરિવારમાં મતભેદ ટાળવા. જીવનસાથીની પ્રગતિથી આનંદ થાય. તબિયત સારી રહે. આંખની કાળજી જરૂરી.

તુલાઃ
આર્થિક પાસુ મજબૂત બને. આનંદમાં વધારો થાય. પરિવારમાં સ્નેહ જળવાય. સંતાનો તરફથી સારા સમાચાર પ્રાપ્ત થાય. વિદ્યાર્થી મિત્રોને સફળતા. આરોગ્ય જળવાય. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થાય.

વૃશ્ચિકઃ
કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. રોકાણોનું યથાર્થ આયોજન શક્ય બને. પરિવારમાં સુખ-શાંતિ જળવાય. માતૃસુખ-પિતસુખમાં વધારો થાય. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ સંભવે.

ધનઃ
દિવસ દરમિયાન આનંદ વર્તાય. આર્થિક મોરચે સફળતા મળતી જણાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. સંતાન અંગેની ચિંતા સતાવે. પેટની ગરબડ રહે. વિચારો ઉપર કાબૂ રાખવો. હિતાવત ગણાશે.

મકરઃ
આનંદ-ઉત્સાહમાં વધારો થાય. યશ-પ્રતિષ્ઠા વધે. આવક જળવાય. પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. પરિવારમાં મનમેળ જળવાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. ભાગ્ય બળવાન.

કુંભઃ
વિચારોમાં અસ્થિરતા રહે. યોગ્ય નિર્ણય લેવામાં અવઢવ વર્તાય. નાણાની વખતસર હેરફેર શક્ય બને. ઉધાર-ઉછીના આપેલા નાણાં ફસાઈ જવાની શક્યતા. વિદેશ અંગેની બાબતોથી લાભ.

મીનઃ
સામાજિક ક્ષેત્રે અગ્રેસર થવાય. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધે. સંતાન તરફથી પ્રેમનો અનુભવ થાય. સ્ત્રીવર્ગથી લાભ. ભાગ્યનો સાથ મળે છે. ડાયાબિટીસના દર્દીઓએ આરોગ્ય સાચવવું.

આ પણ વાંચો :-

Instagram પર કંઈક નવું આવ્યું : કંપનીએ Broadcast Channelનું આપ્યું ફીચર, જાણો કઈ રીતે કરશે કામ

Something new has come on Instagram

  • મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે સોશ્યલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પર તેમની મેટા ચેનલ સાથે એક જાહેરાત કરતાં લખ્યું કે ન્સ્ટાગ્રામ પર નવી બ્રોડકાસ્ટ ચેનલો રજૂ કરી છે જે મેસેજિંગ ટૂલ છે.

Broadcast Channels Features on Instagram : મેટા ઈન્સ્ટાગ્રામ (Meta Instagram) પર અનેક અપડેટ કરતું રહે છે એવામાં મેટાએ ઈન્સ્ટાગ્રામ પર નવી બ્રોડકાસ્ટ ચેનલો રજૂ કરી છે જે એક-થી-ઘણા મેસેજિંગ ટૂલ છે. એટલે કે આ નવી બ્રોડકાસ્ટ ચેનલ ક્રિએટર્સને મોટા પાયે સીધા તેમના ફોલોઅર્સ સાથે જોડાવવાની અનુમતિ આપશે.

જણાવી દઈએ કે મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે સોશ્યલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પર તેમની મેટા ચેનલ સાથે આ જાહેરાત કરી હતી. આ સાથે જ કંપનીએ તેના એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે નિર્માતાઓ તેમના નવીનતમ અપડેટ્સ અને પડદા પાછળની ક્ષણો શેર કરવા માટે વોઇસ નોટ્સનો ઉપયોગ પણ કરી શકે છે અને ચાહકોના પ્રતિસાદ માટે પોલ પણ બનાવી શકે છે.

જો કે ફક્ત નિર્માતાઓ જ બ્રોડકાસ્ટ ચેનલોમાં મેસેજ મોકલી શકશે અને રીસીવરો મળેલ મેસેજ કે કન્ટેન્ટ પર તેમની પ્રતિક્રિયા આપી શકે છે આ સિવાય બીજી બાજુનો યુઝર્સ પોલ દ્વારા વોટિંગ કરી શકે છે. આ વિશે માહિતી આપતાં કંપનીએ કહ્યું કે આવનારા સમયમાં આ બ્રોડકાસ્ટ ચેનલોમાં ઘણા વધુ ફીચર્સ પણ ઉમેરવામાં આવશે. આ આવનાર ફીચર્સમાં બીજા ક્રિએટરને એડ કરવા, કંઈપણ પૂછવા માટે ક્રાઉડસોર્સ પ્રશ્નો અને ઘણું બધું શામેલ કરવામાં આવશે.

એકવાર ક્રિએટર બ્રોડકાસ્ટ ચેનલો એક્સેસ કરે અને ઈનબોક્સમાં પહેલો મેસેજ કરે ત્યારે તેના ફોલોઅર્સ બ્રોડકાસ્ટ ચેનલો સાથે જોડાવા માટે આપમેળે મેસેજ મળશે અને વધુમાં ફોલોઅર્સ કોઈપણ સમયે આ ચેનલોને છોડી અથવા મ્યૂટ કરી શકે છે અને ક્રિએટર તરફથી મળતી નોટિફિકેશન નિયંત્રિત કરી શકે છે.

ક્રિએટર એમની સ્ટોરીમાં જોન ચેનલ સ્ટીકરનો ઉપયોગ કરીને તેમના ફોલોઅર્સને પણ જોડાવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. આ વિશે મેટા એ જણાવ્યું હતું કે અમે હાલમાં યુ.એસ.માં થોડા સર્જકો સાથે બ્રોડકાસ્ટ ચેનલોનું પરીક્ષણ કરી રહ્યા છીએ અને આવનાર મહિનાઓમાં વિસ્તરણ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. આ સાથે જ આગામી મહિનાઓમાં મેસેન્જર અને ફેસબુક પર બ્રોડકાસ્ટ ચેનલોનું પરીક્ષણ કરીશું.

આ પણ વાંચો :-

i phone માટે ડિલિવરી બોયની હ*યા : 3 દિવસ સુધી લાશને ઘરમાં રાખી અને પછી…, સમગ્ર ઘટના જાણી હચમચી જશો

Delivery boy for i phone: keep the dead body

  • એપલ કંપનીના મોબાઈલ આઇફોનનો દુનિયાભરમાં જબરદસ્ત ક્રેઝ છે. કર્ણાટકમાં એક એવી ઘટના સામે આવી છે કે એક યુવકે આઈફોન માટે એક ડિ‌લિવરી બોયને મોતને ઘાટ ઉતારી દીધો છે.

એપલ કંપનીના મોબાઈલ આઈફોનનો (I phone) દુનિયાભરમાં જબરદસ્ત ક્રેઝ છે. મજાકના અંદાજમાં લોકો આઇફોન માટે પોતાની કિડની વેચવાની વાત પણ સોશિયલ મીડિયા પર કરે છે. પરંતુ કર્ણાટકમાં એક એવી ઘટના સામે આવી છે કે એક યુવકે આઈફોન માટે સંપૂર્ણ પ્લાનિંગ સાથે એક ડિ‌લિવરી (Delivery) બોયને મોતને ઘાટ ઉતારી દીધો છે. તેની લાશને પણ રેલવે સ્ટેશનના કિનારે સળગાવીને પુરાવા મિટાવવાની કોશિશ કરી છે.

યુવકની હત્યા કરી તેની લાશને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો :

આઈફોનની સનકમાં મર્ડર જેવા ક્રૂર અપરાધના આ ઘટના કર્ણાટકના હાસન જિલ્લાના અર્સિકેરે શહેરમાં બની છે. ચોંકાવનારી વાત એ છે કે હત્યાને અંજામ આપનાર આરોપીની ઉંમર માત્ર ૨૦ વર્ષ છે. જે વ્યક્તિને મોતને ઘાટ ઉતારવામાં આવી છે તેની ઉંમર ૨૩ વર્ષ છે.

અર્સિકેરે શહેરના અંકકોપ્પલ રેલ્વેસ્ટેશન પાસે ૧૧ ફેબ્રુઆરીના રોજ કર્ણાટક પોલીસને એક સળગેલી લાશ મળી હતી. આ પ્રકારે રેલવે સ્ટેશન પાસે સળગેલી લાશ જોઇને પોલીસકર્મીઓ હેરાન થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક ઘટના અંગે પોતાના ઉપરી અધિકારીઓને સૂચિત કર્યા. ઘટનાની ગંભીરતાને જોતાં અધિકારીઓએ તાત્કાલિક ઘટનાની તપાસ માટે એક ટીમનું ગઠન કર્યું. તપાસમાં ખુલાસો થયો તો પોલીસ પણ હેરાન-પરેશાન થઈ ગઈ હતી.

ફોનની ડિલિવરી આપતી વખતે રૂપિયા આપવાનું કહેવાયું હતું :

પોલીસે જણાવ્યું કે અર્સિકેરે લક્ષ્મીપુરા લેઆઉટ પાસે રહેતા હેમંત દત્તાએ એક સેકન્ડ હેન્ડ આઇફોન ઓનલાઇન બુક કર્યો હતો. આ બુકિંગને પહોંચાડવાની જવાબદારી ઈ-કાર્ટે ડિલિવરી બોય હેમંત નાયકને આપી હતી. નક્કી કરેલા સમયે હેમંત લક્ષ્મીપુરા વિસ્તાર સ્થિત ઘર પર પહોંચી ગયો.

ફોન ડિ‌લિવરી કરતી વખતે તેને ૪૬,૦૦૦ રૂપિયા આપવાનું કહેવાયું હતું.  હેમંત દત્તાએ કોઇ પણ બહાને હેમંત નાયકને ઘરની અંદર બોલાવ્યો અને ચપ્પુ લઇને તેની પર તૂટી પડ્યો. તેને મોતને ઘાટ ઉતાર્યા બાદ ત્રણ દિવસ સુધી લાશ પોતાના ઘરમાં છુપાવીને રાખી.

આ પણ વાંચો :-

શહેનાઝ ગિલ બની Bold, શોર્ટસ પહેરી કરાવ્યું એવું ફોટોશૂટ કે ચાહકો પણ રહી ગયા દંગ

Shahnaz Gill became bold

  • Shehnaaz Gill Bold Photos : જે શહેનાઝ ગિલને બિગ બોસથી લોકચાહના મળી તેના લુકમાં હવે એટલો ફેરફાર થઈ ગયો છે કે તે સતત ચર્ચામાં રહે છે.

હાલ પણ શહેનાઝ (Shahnaz) તેના લેટેસ્ટ લુકના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ ફોટામાં શહેનાઝ ગિલ ફૂલ પ્રિન્ટ બ્રા અને શોર્ટ્સમાં જોવા મળી હતી. શહેનાઝ ગિલના બોલ્ડ ફોટોશૂટની (Bold photo shoot) તસવીરો વાયરલ થઈ રહી છે.

આ ફોટામાં શહેનાઝ ગિલ ફૂલ પ્રિન્ટ બ્રા અને શોર્ટ્સમાં જોવા મળી હતી. શહેનાઝ ગિલના બોલ્ડ ફોટોશૂટની તસવીરો વાયરલ થઈ રહી છે.

શહેનાઝ ગિલનું આ ફોટોશૂટ પ્રખ્યાત ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીએ કર્યું છે. શહેનાઝ ગુલાબી રંગના શોર્ટ્સ સાથે બ્રા પહેરીને એક પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

શહેનાઝ ગિલ ફ્લાવર પ્રિન્ટ બ્રા પહેરીને કેમેરાની સામે બોલ્ડ પોઝ આપ્યા હતા. ફોટોમાં શહેનાઝ ગિલનો કિલર લુક જોઈને ફેન્સ પણ દંગ રહી ગયા છે. તસવીરોમાં શહેનાઝ બોલ્ડનેસની સાથે પોતાની સ્ટાઈલથી પણ ફેન્સના દિલ ધડકાવી રહી છે.

આ તસવીરો શહેનાઝ ગીલે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેની સાથે કેપ્શનમાં તેણે પિંક કલરનું ફૂલ પણ શેર કર્યું હતું. જો કે આ પહેલીવાર નથી કે અભિનેત્રીએ બોલ્ડનેસ બતાવી હોય. આ પહેલા પણ શહેનાઝ બોલ્ડ લુકમાં તસવીરો શેર કરી ચૂકી છે.

આ પણ વાંચો :-