Home Blog Page 1134

‘ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ,’ ભૂપેન્દ્ર દાદાની બીજી સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ

  • ગુજરાતમાં ભાજપના આંતરિક ગજગ્રાહ વખતે વડાપ્રધાન મોદી અને અમિત શાહે નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરીને લોકોને ચોંકાવી દીધા હતા.
  • સોપારી મમળાવતા મમળાવતા ધારાસભ્યો વચ્ચે બેઠેલા ભૂપેન્દ્ર પટેલ પોતાને પણ ખબર નહોતી કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બનશે.
  • પ્રથમ વખતે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીનો તાજ તો પહેરી લીધો હતો પરંતુ પક્ષમાં સર્વોપરીતાના ગજગ્રાહમાં એક વખત મુખ્યમંત્રીપદ ખાલી કરવા સુધી પહોંચી ગયા હતા.
  • પરંતુ ગત ચૂંટણીનો દોર વડાપ્રધાન મોદી, અમિત શાહ અને સી.આર.પાટીલે હાથમાં લઇને ભૂપેન્દ્ર પટેલને વધુ મજબૂત બનાવ્યા હતા અને મોદીએ પોતાનો રેકોર્ડ તોડીને ૧૫૬ બેઠકો સાથે ભૂપેન્દ્ર પટેલને ફરી મુખ્યમંત્રી બનાવવા સાથે સરકાર ચલાવવા છુટોદોર આપીને ભૂપેન્દ્ર પટેલના રાજકીય કદમાં વધારો કરી દીધો હતો.

ગુજરાતનો ઔદ્યોગિક, સામાજિક અને માળખાગત વિકાસની હારમાળા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel) બીજી વખતની સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ થઈ ગયા. ભૂપેન્દ્ર પટેલ ખરેખર તો નસીબના બળિયા છે. વિજય રૂપાણી (Vijay Rupani) સરકારની વિદાય બાદ ભૂપેન્દ્ર પટેલની ભાજપ મોવડીમંડળે મુખ્યમંત્રી તરીકે પ્રથમ વખત ૧૩-૦૯-૨૦૨૧ના રોજ પસંદગી કરી હતી ત્યારે ખુદ ભૂપેન્દ્ર પટેલને પણ કલ્પના નહોતી કે તેઓ આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.

ખૂબ શાંત, સરળ સ્વભાવ અને દાદા ભગવાનમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા ભૂપેન્દ્ર પટેલની મુુખ્યમંત્રી તરીકેની પસંદગીએ ખુદ ભાજપના લોકોને ચોંકાવી દીધા હતા. ભૂપેન્દ્ર પટેલને રાજકીય અને વહિવટી બંને અનુભવ છે. પરંતુ શાંત અને સરળ સ્વભાવને કારણે જાણિતા નેતાઓમાં નહોતા. અમદાવાદ વિકાસ સત્તામંડળ ‘ઔડા’ના ચેરમેન તરીકે તેમણે દાખવેલી દીર્ધદૃષ્ટીને કારણે અમદાવાદનો સુવ્યવસ્થિત વિકાસ થયો છે પરંતુ ઘણા લોકોને ખબર નહોતી કે ભૂપેન્દ્ર પટેલ ‘ઔડા’ના ચેરમેન હતા. લોકો અત્યાર સુધી આ ‘ઔડા’ના ચેરમેન તરીકે સુરેન્દ્ર કાકાને વધુ જાણતા હતા પરંતુ અમદાવાદના માળખાગત વિકાસ પાછળ ભૂપેન્દ્ર પટેલનો પણ એટલો જ સિંહફાળો રહ્યો છે.

ખેર, ભૂપેન્દ્ર પટેલ પહેલી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના માટે લોખંડના ચણા ચાવવા જેવી હાલત હતી. એક તરફ ભાજપમાં આંતરિક યાદવા સ્થળી ખદબદતી હતી. ભાજપના મોવડીઓના આંતરિક કાવાદાવાને કારણે એક વખત તો ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીપદનો ‘તાજ’ જેને જોઈતો હોય તેને પહેરાવવા તૈયાર થઈ ગયા હતા અને કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ તેમણે વેદના પણ વ્યક્ત કરી દીધી હતી.

બીજી તરફ ગુજરાતની સામાન્ય ચૂંટણીઓ માથે આવીને ઉભી હતી. આવા સંજોગોમાં ભૂપેન્દ્ર પટેલ માટે મુખ્યમંત્રીપદ સફળતાપૂર્વક સંભાળવું લગભગ અશક્ય હતું. ભૂપેન્દ્ર પટેલ નહીં કોઈપણ બળિયો રાજકારણી પણ હાથ બાંધેલી હાલતમાં પક્ષ અને સરકારને સરખો ન્યાય તોળી શકે નહીં. પરંતુ ભૂપેન્દ્ર પટેલે બધુ ‘દાદા ભગવાન’ ઉપર છોડીને સરકારના મુખિયા તરીકેનો કારભાર ચાલુ રાખ્યો હતો.

આ બધાની વચ્ચે અચાનક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલની વહારે આવ્યા હતા અને જાણે બધા જ સંકટના વાદળો વિખેરાઈ ગયા હતા. ગુજરાતની ચૂંટણીનો દોર નરેન્દ્ર મોદી અને અમિત શાહે હાથમાં લેવાની ઘટના બીજા કોઈ માટે નહીં પરંતુ ભૂપેન્દ્ર પટેલ માટે ચોક્કસ ચમત્કાર ગણી શકાય.
વડાપ્રધાન મોદી અને અમિત શાહનો સતત ગુજરાતમાં પડાવ અને ચૂંટણીની વ્યુહરચનામાં સતત સાથે રહેવાથી ભૂપેન્દ્ર પટેલને ભાજપના સર્વોચ્ચ નેતૃત્વની હુંફ મળવાથી તેમનો માનસિક ભય દૂર થઈ ગયો હતો અને હળવા ફુલ બનીને ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાઈ ગયા હતા.

‘ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ’ આ કહેવત ભૂપેન્દ્ર પટેલ માટે યથાર્થ પુરવાર થઈ ગઈ હતી. કારણ કે સમગ્ર ચૂંટણીનો ભાર વડાપ્રધાન મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉઠાવી રહ્યા હતા. આ તરફ નવી સરકારમાં ગુજરાતના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની ભાજપ મોવડી મંડળે જાહેરાત કરીને ફરી વખત અનેક લોકોને ચોંકાવી દીધા હતા.

એક તરફ વડાપ્રધાન મોદી અને અમિત શાહ, સી.આર. પાટીલ સમગ્ર ગુજરાતને ધમરોળી રહ્યા હતા. ત્યારે બીજી તરફ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતભરમાં વસતા વિવિધ સમાજના લોકો સાથે વ્યક્તિગત વાર્તાલાપ, સમૂહ ભોજન કરીને ખાસ કરીને ઓબીસી પરિવારોમાં પોતીકા પણાનો ભાવ પેદા કરવામાં અદ્‍ભૂત સફળતા મેળવી હતી.

બીજી તરફ ‘આમ આદમી પાર્ટી’નો આક્રમક પ્રચાર અરવિંદ કેજરીવાલનો ગુજરાતમાં સતત પડાવ અને ભાજપની આંતરિક યાદવા સ્થળીને કારણે ચૂંટણીમાં ભાજપને મોટું નુકસાન થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવતી હતી. રાજકારણને નજીકથી સમજતા લોકો પણ એવું માનતા હતા કે ભાજપને વધુમાં વધુ ૧૦૦ની આસપાસ બેઠકો મળશે પરંતુ ચૂંટણીના પરિણામોએ બધાના ગણિત ઊંધા પાડી દીધા હતા.

 

વડાપ્રધાન મોદીએ ચૂંટણી સભાઓમાં સતત ‘નરેન્દ્ર-ભૂપેન્દ્ર’ની ડબલ એન્જિનની સરકારનો વારંવાર પ્રચાર કરીને ભૂપેન્દ્ર પટેલના ચહેરાને વધુ મજબૂત બનાવવા સાથે ભૂપેન્દ્ર પટેલની કાર્યક્ષમતાને લોકો સમક્ષ ઉજાગર કરી હતી. લોકો પણ ક્રમશઃ ભૂપેન્દ્ર પટેલને સૌમ્ય અને કાર્યક્ષમ મુખ્યમંત્રી તરીકે સ્વીકારતા થઈ ગયા હતા. ચૂંટણી સભાઓમાં વડાપ્રધાન મોદીએ પોતાના કરતા ભૂપેન્દ્ર પટેલની સરકારની વારંવાર સરાહના કરી હતી અને પોતાના એટલે કે નરેન્દ્ર મોદીના રેકોર્ડ તોડીને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ઐતિહાસિક બેઠકોનો રેકોર્ડ હાંસલ કરવા લોકોને સતત અનુરોધ કરતા રહ્યા હતા.

PTI12_02_2021_000130B

અને ૧૫૬ બેઠકો સાથેનો ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ઐતિહાસિક વિજય મેળવીને ફરી વખત મુખ્યમંત્રીપદે ભૂપેન્દ્ર પટેલને આરૂઢ કરવા સાથે સરકાર ચલાવવા સ્વતંત્ર દોર આપ્યો હતો અને બીજી વખત તા.૧૨-૧૨-૨૦૨૨ના રોજ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ૩૨મા મુખ્યમંત્રી તરીકે શપથ લઈને પુરા આત્મવિશ્વાસ સાથે કામગીરીનો પ્રારંભ કર્યો હતો. ૩૦મી માર્ચના રોજ નવી સરકારની વિધાનસભાનું પ્રથમસત્ર સમાપ્‍ત થયું.

નવાવર્ષનું બજેટ વિનાવિવાદે પાસ કરવા સાથે નવી શિક્ષણનીતિના કાયદો પણ પસાર કરાવીને રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પ‌રિવર્તન લાવવાની દિશામાં પ્રયાણ કર્યું છે. વિધાનસભા સત્ર દરમિયાન ગુજરાતમાં નવું રોકાણ લાવવાના પ્રયાસના ભાગ ભાગરૂપે ૫૯ ઉદ્યોગો સાથે ૯૦ હજાર કરોડના રોકાણના કરાર કરીને સરકારના પ્રથમ ૧૦૦ દિવસમાં નવો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. નવા ઉદ્યોગો શરૂ થવાથી લગભગ ૬૫ હજાર લોકોને સીધી રોજગારી મળશે.

આ ઉપરાંત સમગ્ર દેશ માટે ગૌરવ સમાન G-20 સમૂહ દેશોની બેઠકોનો દોર પણ ગુજરાતમાં સફળતા પૂર્વક યોજીને વિશ્વના દેશોને પણ ભારત અને ગુજરાતના માળખાગત વિકાસનો અહેસાસ કરવવા સાથે પર્યાવરણ સહિતની વૈશ્વિક સમસ્યાઓ અંગે ગુજરાતના પાટનગરમાં બેઠકો થઈ હતી અને વિશ્વના દેશોના પ્રતિનિધિઓ ગુજરાત આવ્યા હતા.

ચહેરા ઉપર મરક મરક હાસ્ય અને સુગંધી સોપારી મમળાવતા ભૂપેન્દ્ર પટેલ એટલે કે ‘ભૂપેન્દ્ર દાદા’ હવે સરકાર ચલાવવા માટે બરાબર પીઢ થઈ ચૂક્યા છે. રાજકારણના અટાપટાથી હંમેશા દૂર રહેવાનો સ્વભાવ ધરાવતા ‘ભૂપેન્દ્ર દાદા’ હવે આગામી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. અલબત્ત ગુજરાત ભાજપનો ગઢ છે પરંતુ દેશના અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓને ચૂંટણી અભિયાનમાં જોડવાની તૈયારીઓ ચાલી છે તેના ભાગરૂપ બે દિવસ પૂર્વે તામિલનાડુ અને હૈદ્રાબાદના દ‌િક્ષણ ભારતના પ્રવાસ યોજવામાં આવ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રથમ ૧૦૦ દિવસમાં લોકોને ઠેસ પહોંચે એવી એકપણ ઘટના બનવા પામી નથી. ભૂપેન્દ્ર પટેલ સરકારની કામગીરીની ‘બ્લ્યુપ્રિન્ટ’ જોતા આવનારા સમયમાં ગુજરાત વેપાર, ઉદ્યોગક્ષેત્રે ઝડપથી ધમધમતું હશે અને રોજગારી, બેકારીની સમસ્યા લગભગ નહીં બરાબર થઈ જશે એવું પ્રથમ ૧૦૦ દિવસનું ચિત્ર જોતા લાગી રહ્યું છે.

આ પણ વાંચો :-

તમારી આસપાસ ટોયલેટ સીટ કરતા અનેક ગણા વધારે બેક્ટેરિયા છે, બેદરકારી તમને..

There are many times more bacteria

  • આપણે જાણે અજાણે આપણી આસપાસ રહેલી કેટલીક વસ્તુઓ દ્વારા બેક્ટેરિયા આપણા શરીરમાં પ્રવેશ કરી જાય છે. અને આપણને બિમારી પાડી શકે છે. આપણી ખૂબ જ સ્વચ્છતા રાખતા હોઈએ છીએ પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જેના દ્વારા આપણા શરીરમાં બેક્ટેરિયા પ્રવેશવાની સંભાવના વધુ રહે છે.

આપણા ઘરમાં એક એવી જગ્યા છે જ્યાં ઘણા બધા બેક્ટેરિયા (Bacteria) હોય છે. એટલે કે ટોયલેટ સીટ (Toilet seat). લોકો ઘણીવાર તેને સ્પર્શ કરવાથી દૂર રહે છે. બીજી તરફ જો તેઓ તેને સ્પર્શ કરે તો પણ તેઓ તરત જ તેમના હાથ સાફ કરી નાખે છે. પરંતુ શું તમે જાણો છો કે ટોયલેટ સીટ (Toilet seat) સિવાય બીજી કઈ કઈ વસ્તુઓ પર ટોયલેટ સીટ કરતા વધુ બેક્ટેરિયા હોય છે.

અહીં અમને કેટલીક એવી વસ્તુઓ વિશે જાણવા મળ્યું છે જેને સ્પર્શ કરતા પહેલા આપણે આગામી સમયમાં હજાર વાર વિચારવું પડશે. તેમને વારંવાર સ્પર્શ કરવાથી પણ ચેપનું જોખમ વધી જાય છે. કારણ કે વસ્તુઓને સ્પર્શ કર્યા પછી, જાણતા-અજાણતા તેને ચહેરા પર લગાવો તો તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ એ કઈ કઈ જગ્યાઓ છે.

ફોન :

આજના યુગમાં બહુ ઓછા લોકો હશે જેમની પાસે ફોન નહીં હોય. આપણે જ્યાં પણ જઈએ છીએ ત્યાં ફોન સાથે લઈ જઈએ છીએ. ઘણા લોકો ફોનનો ઉપયોગ બાથરૂમમાં પણ કરે છે. ફોનનો ઉપયોગ કરતી વખતે અમે તેને ગમે ત્યાં રાખીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે તે ગંદકીથી ભરેલી છે.

સિનેમા ઘર :

આપણે મૂવી થિયેટરોમાં બેસવા માટે જે ખુરશીઓનો ઉપયોગ કરીએ છીએ તેમાં પણ ઘણા બેક્ટેરિયા હોય છે. ઘણા લોકો આ ખુરશીઓ પર કોલ્ડ ડ્રિંક્સ અથવા અન્ય ઘણી વસ્તુઓ પણ છોડી દે છે. એટલા માટે આ ખુરશીઓ પર પણ ઘણા બેક્ટેરિયા હોય છે.

આ પણ વાંચો :-

 

શું તમે પણ બોટલનું પાણી પીઓ છો ? જો પીતા હોવ તો થઈ જાવ સાવધાન

Do you also drink bottled water

  • Plastic Water Bottle : બોટલ્ડ વોટર કંપનીઓ સામાન્ય રીતે ખૂબ જ ઓછા ખર્ચે ભૂગર્ભ જળને ટેપ કરે છે અને પછી તેને મ્યુનિસિપલ નળના પાણીના સમાન એકમ કરતાં 150થી 1000 ગણા વધુ ભાવે વેચે છે.

જળ એજ જીવન ” પાણીએ શરીરની અનિવાર્ય જરૂરીયાત છે. પાણીએ મહત્વનું જીવન રક્ષાક તત્વ છે. તેના વગર જીવન શકય નથી. શરીરના નિભાવ માટે પાણીની (Water) ખુબજ જરૂરીયાત છે. પરંતુ શું આપણે જાણીએ છીએ કે આપણે રોજ પાણી પીતા હોઈએ છીએ કે ઝેર? આજકાલ આપણે બોટલમાં પાણી પીએ છીએ અને તે પાણી પેક્ડ વોટર (Packed water) એટલે કે બોટલનું પાણી છે.

બોટલ્ડ વોટર વેચતી કંપનીઓ ઝડપથી વિકસી રહી છે. વિશ્વએ તમામ લોકો માટે સુરક્ષિત પાણીના ધ્યેય તરફ નોંધપાત્ર પ્રગતિ કરી છે અને વર્ષ 2020માં 74 ટકા માનવજાતને સલામત પાણીની પહોંચ હતી. આ 2 દાયકા પહેલા કરતા 10 ટકા વધુ છે. પરંતુ તે ભવિષ્ય માટે ખતરનાક છે. કારણ કે બોટલ્ડ વોટર ઈન્ડસ્ટ્રી બધા માટે ભરોસાપાત્ર પીવાનું પાણી પુરું પાડવામાં જાહેર પ્રણાલીઓની નિષ્ફળતાને છુપાવી રહી છે.

બોટલ્ડ વોટર કંપનીઓ સામાન્ય રીતે ખૂબ જ ઓછા ખર્ચે ભૂગર્ભ જળને ટેપ કરે છે અને પછી તેને મ્યુનિસિપલ નળના પાણીના સમાન એકમ કરતાં 150થી 1000 ગણા વધુ ભાવે વેચે છે. ઉત્પાદનને નળના પાણીના સંપૂર્ણ સલામત વિકલ્પ તરીકે રજૂ કરીને કિંમતને ઘણીવાર ન્યાયી ઠેરવવામાં આવે છે. જો કે બોટલમાં ભરેલું પાણી તમામ દૂષણોથી મુક્ત નથી કારણ કે તે ભાગ્યે જ જાહેર ઉપયોગિતાના નળના પાણી જેવા કડક જાહેર આરોગ્ય અને પર્યાવરણીય નિયમોને આધિન છે.

ધ કન્વર્સેશનમાં અહેવાલ થયેલા અભ્યાસ તારણ કાઢે છે કે અત્યંત નફાકારક અને ઝડપથી વધતો બોટલ્ડ વોટર ઈન્ડસ્ટ્રી બધા માટે વિશ્વસનીય પીવાનું પાણી પૂરું પાડવામાં જાહેર પ્રણાલીઓની નિષ્ફળતાને છુપાવી રહી છે. આ અભ્યાસ વિશ્વના 109 દેશોમાં કરવામાં આવ્યો હતો.

આ ઉદ્યોગ વિકાસના પ્રયત્નોને વાળીને અને ઓછા પોસાય તેવા વિકલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરીને મોટાભાગના ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં સલામત પાણીના પ્રોજેક્ટ્સની પ્રગતિને નબળી બનાવી શકે છે. બોટલ્ડ વોટર ઈન્ડસ્ટ્રીમાં તેજી આવી છે. જે યુનાઈટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG) ને પણ ઘણી રીતે અસર કરે છે.

આજકાલ આ બોટલનું પાણી એટલું વેચાય છે કે તેની ખરીદીથી ઉદ્યોગને ઘણો ફાયદો થાય છે. પરંતુ તે આપણા જીવન માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો :-

30 માર્ચ 2023, આજનું રાશિફળ : આજે આ 5 રાશિના જાતકો પર વિષ્ણુજી રહેશે અસીમ કૃપા, ધંધામાં મળશે મોટી સફળતા

30 March 2023, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
આત્મવિશ્વાસનું પ્રમાણ વધે, આવકમાં વૃદ્ધિ થતી જણાય. પરિવારના સભ્યો સાથે આનંદનું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે પ્રમે જળવાય. આરોગ્ય જળવાય. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભઃ
આર્થિક પાસુ મજબૂત બનતા આનંદમાં વધારો થાય. કુટુંબમાં ઉલ્લાસભર્યું વાતાવરણ રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સંતાન તરપથી ચિંતા રહે. પત્નિ સાથે મનમેળ અનુભવાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ
આદ્યાત્મિક ક્ષેત્રે પ્ર‌ગતિ થથી જણાય. સત્ય વાત શાંતિથી કહેવાની સલાહ છે. આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા, સંતાનના પ્રશ્નો ઉકેલાય. વૈવાહિક જીવનમાં આનંદ આરોગ્ય સારૂં રહેશે. વ્યસનથી દૂર રહેવું.

કર્કઃ
બપોર બાદ આવકનું પ્રમાણ વધે આથી પ્રસન્નતાનો અનુવ થાય પરિવારમાં ઉગ્રતા ટાળવી. સંતાનની સમસ્યા સતાવે. દામ્પત્ય જીવનમાં આનંદનની અનુભૂતિ થાય. આરોગ્ય સારૂં રહે. ભાગનો સાથે મળતો જણાય છે.

સિંહઃ
નવા સાહસિક રોકાણો વધુ લાભદાયી બને. ધાર્યા કાર્યો સરળતાથી પાર પાડી શકાશે. આવક જળવાય. સંતાનો સાથે મધુરતા જાળવી રાખવી. પરિવારમાં સ્નેહનું વાતાવરણ જળવાય. નોકરીના ક્ષેત્રે નોંધપાત્ર વધારો થાય.

કન્યાઃ
આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યમાં વધુ સફળતા મળે. નાણાંકીય રીતે બચતનું આયોજન કરવું. યાત્રા મુસાફરી માટે લાભદાયક સમય છે. ભાગ્યનો સાથ મળતો જણાયછે. ધંધાકીય ક્ષેત્રે મહત્ત્વની કામગીરી કરી શકો. માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

તુલાઃ
કુટુંબીજનો સાથે વ્યવર્થઈના મતભેદો ટાળવા. ધંધાકીય વિદ્રાન વ્યકિતનો સહકાર મળી રહે. સંતાનો સાથે સાંતિથી કામ લેવું. લાંચ રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઈ જવાશે. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિકઃ
જ્ઞાનતંતુ તથા સ્નાયુની બિમારી વધુ કષ્ટદાયક બનતી જણાય. પોતાના અહમનો ત્યાગ કરવાથી કાર્યમાં સફળતા મળે. સંતાનોનો આત્મવિશ્વાસ વધતો જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પો ખીલવી શકશો.

ધનઃ
માનસિક પરેશાનીમાંથી મુત્સદ્દીપણાથી, મીઠાશથી રસ્તો કાઢી શકશો. આવકનું પ્રમાણ જળવાતું જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાશે. ધંધાકીય ક્ષેત્રે વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવી શકશે.

મકરઃ
જાહેર સામાજીક જીવનમાં રૂચિ વધે. પારિવારિક ચિંતામાંથી મુકિત મળતી જણાય. હરીફો ઉપર‌ વિજય મેળવી શકાશે. આવક જળવાઈ રહેશે. દામ્પત્ય જીવનમાં સ્નેહનું વાતાવરણ જળવાય. હાડકાના રોગો, માથા નો દુખાવો રહે.

કુંભઃ
બપોર બાદ આત્મવિશ્વાસ અને મનોબળ ઘટતું જણાય. ભાઈ બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. ખોટા ખર્ચ થતો જણાય. આર્થિક રોકાણો અંગેમહત્તવના નિર્ણયો યોગ્ય રીતે લઈ શકાય. શરદી ખાંસીથી પરેશાની વધતી જણાય.

મીનઃ
શારિરીક માનસિક પરેશાનીઓ દૂર થાય. મકાન અને જમીનને લગતા કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકશો. પ્રતિસ્પર્ધિઓને પરાસ્ત કરી શકે. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળ‍વો. આરોગ્ય સારૂં રહેશે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

Raghav Chadha સાથે લગ્નના સવાલ પર શરમાઈ ગઈ પરિણીતિ ચોપરા, VIDEOમાં જુઓ કેવું આપ્યું રિએક્શન

Parineeti Chopra got embarrassed  

  • Parineeti Chopra reaction On Marriage : બોલિવુડ એક્ટ્રેસ પરિણીતિ AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે ડેટિંગને લઈને ચર્ચામાં આવ્યા છે.

બોલિવુડ (Bollywood) અને રાજનીતિનો (Politics) સંબંધ કંઈ નવો નથી. ઘણા સેલિબ્રિટીઝે ફિલ્મી સ્ટાર્સને છોડી નેતા સાથે લગ્ન કર્યા છે. સ્વરાભાસ્કર (Swarabhaskar) બાદ પરિણીતિ ચોપડા પણ હવે લગ્ન કરવા માટે તૈયાર છે.

અહેવાલ અનુસાર તે જલ્દી જ AAP નેતા રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) સાથે લગ્ન કરવા જઈ રહી છે. આમ તો લગ્નની કોઈ ઓફિશ્યલ એનાઉન્સમેન્ટ નથી થઈ. પરંતુ હવે લગ્નની ખબરો પર પરિણીતીનું રિએક્શન સામે આવી રહ્યું છે.

રાઘવ ચઢ્ઢા સાથે લગ્નની ખબર પર પરિણીતિનું રિએક્શન  :

ગઈકાલે રાત્રે એટલે કે 28 માર્ચ 2023એ પરિણીતિ ચોપરાને લગ્નની ખબરોની વચ્ચે એરપોર્ટ પર સ્પોર્ટ કરવામાં આવી હતી. આ સમયે તેની સાથે લગ્નને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. એક્ટ્રેસે રાઘવ ચઢ્ઢા સાથે પોતાના લગ્નને લઈને કોઈ નિવેદન તો નથી આપ્યું પરંતુ તેના શરમાવવા અને સ્માઈલે સવાલનો જવાબ આપી દીધો.

લગ્નનો સવાલ સાંભળીને પરિણીતિ શરમાઈ ગઈ અને કેની આંખોમાં પણ ચમક જોવા મળી. એરપોર્ટ પર એક્ટ્રેસ વ્હાઈટ હાઈનેકની સાથે બ્લેક કોટ-પેંટમાં ગોર્જિયસ લાગી રહી હતી.

આ પણ વાંચો :-

તમારા વિસ્તારના ધારાસભ્યો વિધાનસભામાં બેસીને શું કરે છે તે લાઈવ જોઈ શકશો, લોન્ચ થઈ Youtube ચેનલ

0
You can watch live what the MLAs of your area are doing while sitting in the Legislative
  • Gujarat Vidhansabha Youtube Channel : ગુજરાત વિધાનસભાની યુ-ટ્યુબ ચેનલ શરૂ કરવામાં આવી. મુ્ખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુ-ટ્યુબ ચેનલની શરૂઆત કરાવી. વિધાનસભામાં થતી સંસદીય બાબતોની કાર્યપ્રણાલી લોકો સુધી પહોંચશે.

ગુજરાત વિધાનસભાએ (Gujarat Assembly) ગુજરાતના લોકોના પ્રશ્નોને વાચા આપવા માટેનું લોકશાહીનું મંદિર છે. ગુજરાત વિધાનસભામાં થતી સંસદીય બાબતોની કાર્યપ્રણાલીથી પ્રજા અવગત થાય તે માટે ખાસ ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલ (Youtube channel) શરૂ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચેનલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Chief Minister Bhupendra Patel) હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે.

આ યુટ્યુબ ચેનલના માધ્યમ થકી વિધાનસભા સંકુલમાં થતાં કાર્યક્રમની વીડિયો ક્લિપ્સ અપલોડ કરવામાં આવશે. જેના કારણે વિધાનસભા સંકુલમાં થતી સંસદીય બાબતો પ્રજા સુધી પહોંચશે. ગુજરાત વિધાનસભા ચેનલ માટે લોગો પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે લોગો વિધાનસભા સંકુલમાં થયેલા કાર્યક્રમની વીડિયો ક્લિપમાં જોવા મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે, યુટ્યુબ ચેનલ થકી સંસદીય કાર્યપ્રણાલી પ્રજા સુધી પહોંચશે. ગુજરાત વિધાનસભા ચેનલ માટે લોગો પણ તૈયાર કરવામાં આવ્યો. હવે તમે તમારા વિસ્તારના ધારાસભ્યો વિધાનસભામાં બેસીને શું કરે છે તે લાઈવ જોઈ શકશો.

આ યુટ્યુબ ચેનલ પર તમામ ધારાસભ્યો, મંત્રીઓના નિવેદનો મૂકવામાં આવશે. જો કે રેકોર્ડ પરથી દૂર કરાયેલા શબ્દો તેમજ વિવાદિત નિવેદનો અપલોડ કરવામાં નહિ આવે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાત વિધાનસભાનું લોકસભા, રાજ્યસભાની જેમ જીવંત પ્રસારણ કરવા રજૂઆત કરાઈ રહી હતી. જો કે જીવંત પ્રસારણને લઈ હાલ કોઈ નિર્ણય કરાયો નથી. પરંતુ હવે તમામ ધારાસભ્યો, મંત્રીઓએ ગૃહમાં અપાયેલા નિવેદનોને સોશિયલ મીડિયા પર જોઈ શકાશે.

ગુજરાત વિધાનસભાને હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આપ્યું છે. આજથી ગુજરાત વિધાનસભા વેબસાઈટ પણ શરૂ કરાઇ છે. હાલ વેબસાઈટ ટ્રાયલ સ્ટેજ પર છે. ગુજરાત વિધાનસભામાં થતા તમામ પ્રશ્નોત્તરીના મહત્વના ડોક્યુમેન્ટ વેબસાઈટ પર મૂકાશે. http://gujaratassembly.gov.in/gujaratindex.html પર જઈને વિધાનસભાની માહિતી મેળવી શકાશે.

આ પણ વાંચો :-

આ ગુજ્જુ ખેલાડીથી ઓસ્ટ્રેલિયન ટીમ થર થર કાંપે છે, કાંગારુ ખેલાડીએ કર્યો ખુલાસો

0

The Australian team is shaking  

  • Josh Hazlewood : ઓસ્ટ્રેલિયાના ખૂંખાર ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે વિરાટ કોહલી નહીં, પરંતુ ભારતના એક બેટરને ખુબ જોખમી ગણાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના ખૂંખાર ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે મંગળવારે આરસીબી પોડકાસ્ટમાં કહ્યું કે બોલર્સ માટે તેમની વિકેટ ખુબ રોમાંચિત કરનારી છે. તેમને આઉટ કરવા માટે ખુબ મહેનત કરવી પડે છે.

ઓસ્ટ્રેલિયાના (Australia) ખૂંખાર ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે (Josh Hazlewood) વિરાટ કોહલી (Virat Kohli) નહીં પરંતુ ભારતના એક બેટરને ખુબ જોખમી ગણાવ્યો છે. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે (Josh Hazlewood) માન્યું છે કે આ જે બોલર છે તેની સામે બોલિંગ કરવી ખુબ મુશ્કેલ હોય છે અને તેમની વિકેટ લઈને બોલર ખુબ રોમાંચિત મહેસૂસ કરે છે.

આ ભારતીય બેટરથી કાંપે છે ઓસ્ટ્રેલિયનો :

આ ભારતીય ખેલાડી છે ચેતેશ્વર પૂજારા. ભારતીય બેટર પૂજારાએ હાલમાં જ ટેસ્ટ મેચોની સદી પૂરી કરી હતી. જો કે ઓસ્ટ્રિલન વિરુદ્ધ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચાર મેચોમાં તેઓ કોઈ મોટો સ્કોર ખડો કરી શક્યા નહીં. તેમનું યોગદાન આમ છતાં ઉલ્લેખનીય રહ્યું. 35 વર્ષના પૂજારા ટેસ્ટ ક્રિકેટમાં 102 મેચોમાં 19 સદી અને 35 અડધી સદી સહિત 7000 થી વધુ રન બનાવી ચૂક્યા છે.

કાંગારુ ખેલાડીએ પોતે કર્યો ખુલાસો :

ઓસ્ટ્રેલિયાના ખૂંખાર ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે મંગળવારે આરસીબી પોડકાસ્ટમાં કહ્યું કે, બોલર્સ માટે તેમની વિકેટ ખુબ રોમાંચિત કરનારી છે. તેમને આઉટ કરવા માટે  ખુબ મહેનત કરવી પડે છે. આટલા વર્ષોમાં બોલિંગ કરવાની મે પૂરી મજા લીધી છે. તેઓ ઉત્કૃષ્ટ બેટર છે અને ઓસ્ટ્રેલિયન બોલર્સના નિશાના પર હંમેશા રહે છે.

આઈપીએલમાં કોઈએ ખરીદ્યા નહીં :

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ 31 માર્ચથી આઈપીએલ રમશે પરંતુ ચેતેશ્વર પૂજારાને આઈપીએલમાં કોઈ ટીમે ખરીદ્યા નથી. પૂજારાએ આઈપીએલની 30 મેચોમાં 390 રન કર્યા છે. 2019મં તેમણે પોતાની છેલ્લી મેચ પંજાબ કિંગ્સ તરફથી રમી હતી. ત્યારબાદ તેમને એક પણ મેચ રમવા મળી નથી. ચેતેશ્વર પૂજારાની ધીમી બેટિંગ વિશે હંમેશા ટીકા થતી રહી છે.

આ પણ વાંચો :-

 

Heart-Healthy Foods : ઉનાળામાં સારા સ્વાસ્થ્ય માટે સામેલ કરો આ ફ્રૂટસ, જાણો તેના અદભૂત ફાયદા

Heart-Healthy Foods 

  • આકરો તડકો શરૂ થયો છે. ત્યારે દરેક લોકોએ પોતાના આહારમાં આટલી વસ્તુઓ સામેલ કરવી જરૂરી છે કેમ કે ઉનાળામાં તબિયત વધુ ખરાબ થતી હોય છે.

જો આપણે સ્વસ્થ રહેવું હશે તો આપણે આપણાં હ્રદયને (Heart) પણ સ્વસ્થ રાખવું પડશે. મહત્વપૂર્ણ બાબત છે કે યોગ્ય ભોજન અને સારી લાઈફસ્ટાઈલથી (Lifestyle) જ તમારે તમારા હ્રદયને સ્વસ્થ રાખી શકો છો

માર્ચ મહિનામાં જ તાપમાન વધી ગયું છે તો વિચારો એપ્રિલમાં શું હાલત થશે. તાપમાન વધવાથી શરીર પર સ્ટ્રેસ પણ ઓટોમેટિક વધી જાય છે. જેના લીધે દિલને બ્લડ (Blood) સપ્લાય માટે ઝડપથી પંપ કરવુ પડે છે. હાર્ટની યોગ્ય દેખભાળ રાખવા માટે ફિઝિકલ એક્ટિવિટી તો જરૂરી છે જ આ સાથે યોગ્ય ખાણીપીણી પણ જરૂરી છે.

શું કહે છે ડોક્ટર્સ :

ડોક્ટર્સનું કહેવુ છે કે ગરમીમાં ડિહાઈડ્રેશન (Dehydration) અને હીટ સ્ટ્રોકથી (Heat stroke) હ્રદયને બચાવવું જરૂરી છે. વધુ માત્રામાં સોડિયમ કે મીઠુ શરીર પર ઉંધી અસર કરે છે. તેથી મીઠું ઓછુ ખાવું જોઈએ સાથે સાથે 3થી 4 લિટર પાણી પીવો અને ફળોના જ્યુસની સાથે સાથે શાકભાજી પણ ખાવા જોઈએ. ગરમીની સીઝનમાં આ ફુડ્સને ડાયેટમાં ઉમેરો તો સ્વસ્થ રહી શકશો.

તરબુચ :

તરબુચ સીઝનલ ફ્રુટ છે. ગરમીમાં તે ઠેર ઠેર મળી આવે છે. ગરમીમાં ડિહાઇડ્રેશન રોકવાનો તે સૌથી સારો વિકલ્પ છે. તે મિનરલ્સથી પણ ભરપુર હોય છે. આ ફ્રુટમાં લગભગ 92 ટકા ભાગ પાણીનો હોય છે. આ ફ્રુટ ખાવાથી બ્લડ પ્રેશર લો થાય છે અને હ્રદય પર દબાણ ઓછુ આવે છે.

લીલા પાંદડાવાળી શાકભાજી :

ગરમીની સીઝનમાં લીલા પાંદડાવાળા શાકભાજીને ડાયેટમાં સામેલ કરો. તે વિટામીન અને ઓમેગા 3 ફેટી એસિડથી ભરપુર હોય છે. તેમાં પર્યાપ્ત માત્રામાં ઓમેગા 3 હોય છે. તે આરોગ્ય સારુ રાખે છે.

પપૈયુ :

પપૈયુ એક એવું ફળ છે જે દરેક વ્યક્તિ ખાવાનું પસંદ કરે છે. તેને ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે. તેમાં પેપિન નામનું કમ્પાઉન્ડ હોય છે. જે હાર્ટને સ્વસ્થ રાખવા અને બ્લડ વેસલ્સને ક્લીન કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો :-

Gujarat : વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું- રાજ્યની જેલમાં સતત..

0

Gujarat: Minister of State for Home Harsh Sanghvi 

  • ગુજરાત વિધાનસભા બજેટનો આજે અંતિમ દિવસ છે. રાજ્યની 17 જેલમાં પોલીસે કરેલી રેડનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો હતો.

ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) બજેટનો આજે અંતિમ દિવસ છે. રાજ્યની 17 જેલમાં પોલીસે કરેલી રેડનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો હતો. જાહેર તાકીદની અગત્યની બાબત અંગે ઉદય કાનગડે મુદ્દો ઉઠાવ્યો હતો. રેડ દરમિયાન કેટલી પ્રતિબંધિત વસ્તુઓ મળી. ગેરપ્રવૃતિઓમાં (Misconduct) સંડોવાયેલા લોકો સામે શું પગલાં લીધા તેવો સવાલ કરવામાં આવ્યો હતો.

રાજ્યની 17 જેલની અંદર થયેલી પોલીસ રેડ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે સિસ્ટમમાં રહેલા લીકેજ દૂર કરવા જરૂરી છે. સિસ્ટમમાં રહેલા લીકેજ દૂર કરવા માટેનું આ ચેકિંગનું ઓપરેશન હતું. ગુજરાતની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરાયું હતું. કોઇને ખ્યાલ ન આવે તે રીતે દરોડા પાડવાનો મુખ્યમંત્રીનો (Chief Minister) આદેશ હતો.

હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) કહ્યું હતું કે રાજ્યની જેલમાં સતત ચેકિંગ ચાલુ રહેશે. એસપી અને રેન્જ આઇજી જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરાશે. જેલમાં ઝામર હોવા છતાં ફોન કાર્યરત રહે છે. જેલની આસપાસ રહેણાંક વિસ્તાર હોવાથી ફોન કનેક્ટ થાય છે. આગામી દિવસોમાં ટેકનોલોજીના વધુ ઉપયોગથી ખામી દૂર કરાશે.

નોંધનીય છે કે રાજ્યની ૧૭ જેલો પૈકી ૦૩ જેલોમાં મોબાઇલ ફોન સાથે અન્ય પ્રતિબંધિત વસ્તુઓ મળી આવેલ જેમાં જવાબદાર અધિકારી/કર્મચારીઓ સામે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવેલ છે. પ્રાથમિક તપાસના અંતે જવાબદાર અધિકારી કર્મચારી સામે ખાતાકિય તપાસ હાથ ધરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ૧૭ જેલો પૈકી ૦૫ જેલોમાં કોઈ પ્રતિબંધિત વસ્તુ મળેલ નથી.

આ પણ વાંચો :-

સોનામાં રોકાણ કરતા હોય તો સાવધાન, વધુ રિટર્નની લાલચમાં તમારી સાથે આવું ન થાય તે જોજો

Be careful if investing in gold

  • Gold Trading Fraud : ભરુચ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા એવા આરોપીઓને પકડવામા આવ્યા છે. જેઓ ભારતના 15 રાજ્યોમાં ગોલ્ડ ટ્રેડિંગ કરાવવાના બહાને લોકોને છેતરતા હતા.

દેશના કુલ 15 રાજ્યમાં ગોલ્ડમાં ટ્રેડિંગ (Trading in Gold) કરાવવાના બહાને છેતરપિંડી (Fraud) કરતી ગેંગ ઝડપાઈ. ગોલ્ડ ટ્રેડિંગમાં વધુ રીટર્ન મેળવવાની લોભામણી લાલચ આપી ડમી વેબસાઈટ, ડમી સીમકાર્ડ તેમજ ડમી બેંક એકાઉન્ટ મેળવી લોકો સાથે કરોડોની છેતરપીંડી કરતા ઈન્ટરનેશનલ દુબઈ કનેક્શન (International Dubai Connection) રેકેટનો પર્દાફાશ ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે કર્યો છે. પોલીસે બેંકના ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર સહિત ગેંગના ૬ આરોપીઓની ધરપકડ કરી છે.

ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે ભારત દેશના કુલ ૧૫ રાજ્યમાં ગોલ્ડ ટ્રેડિંગ માં વધુ રીટર્ન મેળવવાની લોભામણી લાલચ આપી ડમી વેબસાઈટ, ડમી સીમકાર્ડ તેમજ ડમી બેંક એકાઉન્ટ મેળવી લોકો સાથે કરોડોની છેતરપીંડી કરતા ઈન્ટરનેશનલ દુબઈ કનેક્શન રેકેટનો પર્દાફાશ કરી બેંકના ડેપ્યુટી બ્રાંચ મેનેજર સહિત ગેંગના ૬ આરોપીઓની ધરપકડ કરી છે.

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ભરૂચમાં ફેબ્રુઆરી મહિનામાં નોંધાયેલ સોનાના ટ્રેડિંગમાં વધુ રિટર્ન મેળવવાની લાલચ આપી રૂ.૩૭ લાખની ફ્રોડના ગુનાની તપાસ કરવામાં આવી હતી. સાયબર ક્રાઈમ દ્વારા ટેકનિકલ એનાલિસીસ તેમજ હ્યુમન રીસોર્સ તથા બેંક એકાઉન્ટોની માહિતી મેળવાઈ હતી. જેનું એનાલીસીસ કરી ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલ બેંક એકાઉન્ટ ઓપન કરનાર તેમજ ગુનામાં ઉપયોગમાં લેવામાં આવતા સિમકાર્ડ એકટીવ કરતા ઈસમોને સુરત ખાતેથી ધરપકડ કરી છે.

આ આરોપીઓ દ્વારા મજૂરોને લોન અપાવવાની લાલચ આપી તેમના ડોક્યુમેન્ટ મેળવી લેવાતા હતા. તેનાથી લોન ઈચ્છુક વ્યક્તિઓના બેંક એકાઉન્ટ ખુલ્યા બાદ તેઓ પાસેથી બેંકની કીટ જેમાં એ.ટી.એમ.કાર્ડ, ચેક બુક, પાસબુક વિગેરે મેળવી લઇ બેંક એકાઉન્ટની માહીતીની PDF ફાઇલ બનાવી દુબઈ ખાતે મોકલી આપતા હતા.

આરોપીઓ પોલીસ પકડથી દુર રહેવા માટે ડમી સીમકાર્ડ પ્રી-એક્ટીવ નો જથ્થો મેળવી અમુક નંબરો પોતે રાખી વારંવાર બદલતા રહેતા હતા. તેમજ કેટલાક નંબરોનો જથ્થો દુબઈ ખાતે મોકલી આપતા. ભારતના 15 રાજ્યોમાં છેતરપીંડી કરેલ હોવાનું જેમાં સાયબર ક્રાઈમની ફરીયાદ માટે કાર્યરત કરવામાં આવેલ ભારત સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ NCRP (૧૯૩૦) પોર્ટલ ઉપર સર્ચ કરતા કુલ -૮૬ તેમજ અન્ય ૧૦ મળી કુલ – ૯૬ ફરીયાદ હોવાનું બહાર આવવા સાથે જુદા જુદા બેંક એકાઉન્ટમાંથી રૂ.32 કરોડના વ્યવહાર પણ બહાર આવ્યા છે.

આ પણ વાંચો :-