આ કોઈ સ્કૂલ નથી પણ IAS-IPSની છે ખાણ, CBIના ડાયરેક્ટર પણ અહીં રહી ચૂક્યા છે વિદ્યાર્થી

Share this story

This is not a school but mine of IAS-IPS

  • Netarhat Residential School, Jharkhand : નેતરહાટ રેસિડેન્શિયલ સ્કૂલ, ઝારખંડમાંથી ભણેલા 3000 થી વધુ વિદ્યાર્થીઓ IAS-IPS અને સિવિલ સર્વન્ટ્સ તરીકે દેશની સેવા કરી રહ્યા છે.

ઘણીવાર એવી ચર્ચા થાય છે કે ખાનગી શાળાઓ સારી છે કે સરકારી શાળાઓ. જો કે જ્યારે પણ નામાંકિત શાળાઓની વાત આવે છે. ત્યારે ફક્ત ખાનગી શાળાઓ જ લોકોના મગજમાં આવે છે. પરંતુ જાણી લો કે આપણા દેશમાં ઘણી એવી સરકારી શાળાઓ છે.

જેનો રેકોર્ડ ઘણી મોટી ખાનગી શાળાઓ કરતા ઘણો સારો છે. તેથી જ આજે અમે તમને એક એવી સરકારી શાળા વિશે જણાવીશું જેને IAS-IPSની ફેક્ટરી કહેવામાં આવે છે. કારણ કે દેશની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ અહીંથી અભ્યાસ કરીને મોટા અધિકારીઓના હોદ્દા હાંસલ કર્યા છે.

દરેક વિદ્યાર્થી લેવા માગે છે અહીં એડમિશન :

વાસ્તવમાં અમે ઝારખંડની નેતરહાટ રેસિડેન્શિયલ સ્કૂલ (Netarhat Residential School, Jharkhand) વિશે વાત કરી રહ્યા છીએ. તે દેશની જાણીતી અને ખૂબ જ પ્રતિષ્ઠિત શાળા છે. ઝારખંડ અને તેની આસપાસના રાજ્યોના માતાપિતાનું સપનું છે કે તેમના બાળકોને કોઈપણ રીતે આ શાળામાં પ્રવેશ મળે. કારણ કે આ શાળામાંથી ઘણા IAS, IPS, વહીવટી અધિકારીઓ સહિત ઘણા ડોકટરો અને એન્જિનિયરો બહાર આવ્યા છે.

વિદ્યાર્થીઓએ વિદેશોમાં પણ નામના મેળવી  :

આ શાળા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખાય છે. આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આજે દેશમાં અનેક મહત્વના પદો પર સેવા આપી રહ્યા છે. ઝારખંડ રાજ્યમાં કામ કરતા ઘણા IAS અને IPS અધિકારીઓ પોતે આ શાળાના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. વિશ્વના ઘણા દેશોમાં પણ અહીંના વિદ્યાર્થીઓએ પોતાનો ધ્વજ ફરકાવ્યો છે.

સીબીઆઈ ડાયરેક્ટર પણ અહીં ભણ્યા છે :

તમને જણાવી દઈએ કે આ સ્કૂલની શરૂઆતથી જ નેતરહાટ સ્કૂલના વિદ્યાર્થીઓએ જ એકીકૃત બિહાર અને બાદમાં ઝારખંડમાં યોજાનારી બોર્ડની પરીક્ષામાં પ્રથમ દસ સ્થાન મેળવ્યા છે. અત્યાર સુધીમાં અહીંથી ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ IASIPS અને અન્ય સિવિલ સર્વિસ સર્વિસ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ સિવાય મહાન ગણિતશાસ્ત્રી વશિષ્ઠ નારાયણ અને પૂર્વ સીબીઆઈ ડાયરેક્ટર ડો.ત્રિનાથ મિશ્રા અને ડો.રાકેશ અસ્થાના પણ આ શાળાના વિદ્યાર્થી રહી ચૂક્યા છે.

આ પણ વાંચો :-