Home Blog Page 1111

ડુંગળીના ભાવ રડાવી રહ્યા છે ખેડૂતોને, 5 વર્ષના સૌથી નીચા ભાવે વેંચાઈ રહી છે ડુંગળી

0
Onion prices
  • Onion Price Drop : છેલ્લા કેટલાક દિવસોથી દેશના અનેક વિસ્તારોમાં વરસાદ અને કરા પડવાના કારણે ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. હવામાનના સંકટના કારણે ખેડૂતોને ઘણી જગ્યાએ ખૂબ ઓછા ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી રહી છે. જેના કારણે ભારતમાં ડુંગળીના ભાવ 5 વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે.

દેશમાં ફરી એકવાર ડુંગળીના (Onion) ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ડુંગળીના (Onion) ભાવમાં થયેલા ઘટાડાનું મુખ્ય કારણ કમોસમી વરસાદ છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશના અનેક વિસ્તારોમાં વરસાદ (Rain) અને કરા પડવાના કારણે ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. હવામાનના (Weather) સંકટના કારણે ખેડૂતોને ઘણી જગ્યાએ ખૂબ ઓછા ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી રહી છે. જેના કારણે ભારતમાં ડુંગળીના ભાવ 5 વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે.

દેશમાં ડુંગળીના કુલ ઉત્પાદનમાંથી 40 ટકા ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે. તેવામાં માર્ચમાં થયેલા વરસાદ અને કરા પડવાના કારણે ઘણી જગ્યાએ ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. હવે ખેડૂતોમાં ગુણવત્તાની ચિંતા વધી છે અને તેઓ આ સ્થિતિમાં વાસ્તવિક કિંમત કરતા ઘણી ઓછી કિંમતે ડુંગળી વેંચી રહ્યા છે.

ખેડૂતો શક્ય તેટલી વહેલી તકે તેમની ડુંગળી વેચવા માટે મોટી સંખ્યામાં એપીએમસી પહોંચી રહ્યા છે. જેના કારણે બજારમાં પણ અચાનક ડુંગળીનો સ્ટોક વધી ગયો છે અને ડુંગળીના ભાવમાં કડાકો થયો છે. જો ખેડૂતો ખરાબ ગુણવત્તાની ડુંગળીનો ચારથી છ મહિના સુધી સંગ્રહ કરરશે તો તેમને પ્રતિ કિલો ડુંગળીના ભાવ 15 રૂપિયાનું નુકસાન સહન કરવું પડી શકે છે. આ રીતે ખેડૂતોને બેવડો માર પડી શકે છે.

એક અહેવાલ મુજબ દરરોજ 24,000 ટન ડુંગળી ખેડૂતો દ્વારા નાશિકની મંડીઓમાં લાવવામાં આવી રહી છે. જેમાંથી 70 ટકા પાકને નુકસાન થયેલું છે. નોંધનીય છે કે આ સીઝનની ડુંગળીની લણણી માર્ચથી મે વચ્ચે કરવામાં આવે છે.

હાલમાં બજારમાં આવતી ડુંગળીનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 200 થી 300 રૂપિયા છે. જ્યારે સારી ગુણવત્તાની ડુંગળીનો ભાવ 500 થી 600 રૂપિયા છે. જો કે હાલ સ્થિતિ એવી છે કે ખેડૂતોએ પોતાનો પાક અડધા ભાવે વેચવો પડે છે.

આ પણ વાંચો :-

IPLમાં રોહિત શર્માનો જલવો, નામે કર્યો મોટો રેકોર્ડ, કોહલી-વોર્નરના ક્લબમાં થયા શામેલ

0

Rohit Sharma’s haul in the

  • IPL 2023 MI Vs SRH: મુંબઈ ઈન્ડિયન્સ ટીમને પોતાની કેપ્ટન્સીમાં સૌથી વધારે 5 વખત ટ્રોફી જીતાડનાર રોહિત શર્માએ આઈપીએલમાં એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. સનરાઈઝર્સ વિરૂદ્ધ 28 રનોની ઈનિંગ રમનાર રોહિતે IPL ઈતિહાસમાં પોતાના 6 હજાર રન પુરા કરી લીધા છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સના (Mumbai Indians) કેપ્ટન રોહિત શર્માનો (Captain Rohit Sharma) જલવો યથાવત છે. તેમની કેપ્ટન્સીમાં મુંબઈ ટીમે સૌથી વધારે 5 વખત ટ્રોફી જીતી છે. આવા બીજા પણ ઘણા રેકોર્ડ છે. જે રોહિતે પોતાના નામે કર્યા છે.

રોહિત શર્માએ મંગળવારે સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વિરૂદ્ધ મેચ જીતી. જેમાં પોતાના બેટથી શાનદાર શોર્ટ રમ્યા. તેમણે 18 બોલ પર 28 રનોની ઈનિંગ રમી. તેની સાથે તેમણે આઈપીએલ ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

રોહિત 6 હજાર રન બનાવનાર ચોથા પ્લેયર  :

હકીકતે રોહિતે આઈપીએલ ઈતિહાસમાં પોતાના 6 હજાર રન પુરા કરી લીધા છે. રોહિતે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં કુલ 232 મેચ રમી. જેમાં 30.22ના સરેરાશથી 6014 રન બનાવ્યા છે. તે સમયે તેમણે 247 છગ્ગા અને 535 ચોગ્ગા માર્યા છે. તેમણે 1 સેન્ચુરી અને 41 હાફ સેન્ચુરી મારી છે.

હાલના ખેલાડીમાં ધોની પાંચમાં નંબર પર  :

સૌથી વધારે રનોના મામલામાં કોહલી બાદ શિખર ધવન છે. તેમણે 210 મેચોમાં 6477 રન બનાવ્યા છે. ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર છે. જેમણે 167 મેચોમાં 42.13ના શાનદાર સરેરાશથીસ 6109 રન બનાવ્યા છે. આ ચારે બાદ પાંચમા નંબર પર હાજર ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની છે. તેમણે 239 મેચોમાં 5037 રન બનાવ્યા છે.

Gujarat Weather : આજે ગુજરાતના આ વિસ્તારોમાં વિનાશ વેરશે વરસાદ

0

Gujarat Weather

  • Gujarat Weather : મહારાષ્ટ્રમાં અપર એરસર્ક્યુલેશન સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. ગુજરાતમાં એક તરફ આકરા ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે. બીજી તરફ ગુજરાતમાં માવઠાંનો માર યથાવત છે.

એક તરફ હાલ ઉનાળો (Summer) એક પ્રકારે પોતાની હાઈપ પર છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકરી રહ્યાં છે. એવા સમયે ફરી એકવાર કમોસમી વરસાદની (Unseasonal Rain) પણ આગાહી કરવામાં આવી છે. સામાન્ય લોકોને કદાચ આ આગાહી એકાદ બે ડિગ્રી ગરમીથી રાહત આપનારી હોઈ શકે. પણ જગતનો તાત એટલેકે, ખેડૂતો માટે આ કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી છાતીના પાટિયા બેસાડી દે તેવી હોય છે. કારણ કે ખેડૂતોની (Farmers) આખાય વર્ષની મહેનત પર આકાશથી મુસીબત રૂપી પાણી ફરી વળે છે.

ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે કાળઝાળ ગરમી વચ્ચે ફરીથી માવઠાની આગાહી કરી છે. આજે પણ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તાપી, નવસારી, વલસાડ, સુરતમાં વરસાદ પડી શકે છે.  આ ઉપરાંત છોટાઉદેપુર, નર્મદા અને દાહોદમાં પણ માવઠાની આગાહી કરાઈ છે. મહારાષ્ટ્રમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા માવઠાની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે રાજ્યના 6 જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

ખાસ કરીને રાજ્યના દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની આગાહી છે. મહારાષ્ટ્રમાં અપર એરસર્ક્યુલેશન સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો :-

Mukul Roy To Join BJP : TMC નેતા મુકુલ રોય ફરી BJP માં સામેલ થશે ? જાણો શું આપ્યું મોટુ નિવેદન

0

Mukul Roy To Join BJP

  • ટીએમસી ધારાસભ્યએ કહ્યું કે તેઓ દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મળશે.

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા મુકુલ રોયે કહ્યું છે કે તેઓ ભાજપમાં જોડાશે વાતચીતમાં કૃષ્ણનગર ઉત્તરના ટીએમસી ધારાસભ્યએ કહ્યું કે તેઓ દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મળશે. હું ભાજપમાં પાછો જઈશ. મેં શુભાંશુ (તેમના પુત્ર અને પૂર્વ ટીએમસી ધારાસભ્ય) સાથે પણ ફોન પર વાત કરી છે. તેણે પણ ભાજપમાં સામેલ થવું જોઈએ.

પૂર્વ રેલ્વે મંત્રી મુકુલ રોય 2017માં TMC નેતૃત્વ સાથે મતભેદો બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. તેમને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

કૈલાશ વિજયવર્ગીય સાથે વાત કરી

અપહરણ થિયરીને નકારી કાઢતાં મુકુલ રોયે કહ્યું કે, ભાજપે દિલ્હીમાં રહેવાની વ્યવસ્થા કરી છે. મેં કૈલાશ વિજયવર્ગીય સાથે વાત કરી હતી. હું ક્યારેય ટીએમસીમાં પાછો ફરીશ નહીં. રોય હાલમાં દિલ્હીમાં છે.

મુકુલ રોયના પરિવારે દાવો કર્યો :

અગાઉ સોમવારે (17 એપ્રિલ) રાત્રે મુકુલ રોયના પરિવારે દાવો કર્યો હતો કે તે સાંજથી ગુમ હતા. દિલ્હીમાં તેમના આગમન સાથે  તેમના આગામી રાજકીય પગલા વિશે અટકળો શરૂ થઈ. મુકુલ રોયના પરિવારે દાવો કર્યો હતો કે તેઓની માનસિક સ્થિતિ સારી  નથી અને કોઈ અસ્વસ્થ વ્યક્તિને લઈ રાજકારણ ન રમવું જોઈએ.

ગુમ થવાના દાવા પર મુકુલ રોયે મંગળવારે સવારે દિલ્હીમાં કહ્યું, “હું દિલ્હી આવ્યો છું. કોઈ ચોક્કસ એજન્ડા નથી. હું ઘણા વર્ષોથી સંસદ સભ્ય છું. શું હું દિલ્હી ન આવી શકું? અગાઉ પણ હું નિયમિતપણે દિલ્હી આવતો હતો.

TMC નેતૃત્વ સાથે મતભેદો બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા :

પૂર્વ રેલ્વે મંત્રી મુકુલ રોય 2017માં TMC નેતૃત્વ સાથે મતભેદો બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. તેમને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. રોયે 2021ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીત મેળવી હતી. પરંતુ પરિણામો જાહેર થયાના લગભગ એક મહિના પછી TMCમાં પાછા ફર્યા હતા.

લોક લેખા  સમિતિના અધ્યક્ષનું પદ છોડી દીધું :

ટીએમસીમાં પરત ફર્યા બાદથી તેઓ લોકોની નજરથી દૂર રહ્યા છે. તેમણે ખરાબ તબિયતના કારણે  ગયા વર્ષે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં લોક લેખા સમિતિના અધ્યક્ષનું પદ છોડી દીધું હતું.

આ પણ વાંચો :-  

ડમીકાંડમાં યુવરાજસિંહને પોલીસનું તેડું, આજ સાંજ સુધીમાં કરવું પડશે આ કામ

0

Yuvraj Singh has to be called

  • યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની મુશ્કેલીઓમાં થઈ શકે છે વધારો. ડમીકાંડ મામલે યુવરાજસિંહને પોલીસનું સમન્સ નિવેદન નોંધાવવા જવું પડશે ભાવનગર. રાજ્યમાં ચકચારી બનેલા સ્પર્ધાત્મક પરીક્ષાના ડમીકાંડ મામલે મોટા અપડેટ સામે આવ્યા છે. આ સમગ્ર મામલે ભાવનગર પોલીસે યુવરાજસિંહ જાડેજાને સમન્સ પાઠવ્યું છે.

ગુજરાતમાં (Gujarat) એક બાદ એક સરકારી ભરતીની (Government Recruitment) પરીક્ષાઓ વિવાદમાં આવતી જાય છે. અત્યાર સુધી લેવાયેલી ઘણી બધી ભરતીની પરીક્ષાઓમાં પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી. આ ઘટનાઓમાં પેપર ફોડનાર અથવા ગેરરીતિ આચરીને (Malpractice) પેપર ખરીદીને પરીક્ષા આપનાર અંગે સરકારનું ધ્યાન દોરના યુવા નેતા યુવરાજસિંહની (Yuvraj Singh) મુશ્કેલીઓમાં વધારે થયો છે. યુવરાજસિંહને ભાવનગર ડમી કાંડમાં (Bhavnagar Damikand) પોલીસનું તેડું આવ્યું છે.

સમગ્ર મામલે પૂછપરછ કરવામાં આવશે. તેથી આજ સાંજ સુધીમાં યુવરાજસિંહે પોલીસ સમક્ષ નિવેદન આપવા માટે હાજર રહેવું પડશે. સમગ્ર મામલે યુવરાજસિંહને ભાવનગર પોલીસ દ્વારા સમન્સ આપવામાં આવ્યું છે. જો યુવરાજસિંહ સમન્સનો જવાબ આપવા નિશ્ચિત સમય અવધીમાં હાજર ન થાય તો તેમની સામે પણ પોલીસ કાર્યવાહી થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ભાવનગરના ડમી કાંડમાં તપાસનો રેલો સતત આગળ વધી રહ્યો છે. અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે. જો કે મોટાભાગનાં આરોપીઓ હજુ પણ પોલીસની પહોંચની બહાર છે. આ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. પોલીસે ડમી કાંડ મામલે યુવરાજ સિંહને સમન્સ પાઠવ્યું છે. યુવરાજ સિંહે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેટલાક વ્યક્તિઓના નામ લીધા હતા અને નાણાકીય વ્યવહાર અંગે ખુલાસા કરવા માટે પોલીસે સમન્સ પાઠવ્યું છે.

ડમી કાંડમાં તપાસનો રેલો હવે ભાવનગરથી અમરેલી સુધી પહોંચ્યો છે. SITએ તપાસ માટે અમરેલીમાં ધામા નાંખ્યા છે. ડમી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તે શાળાઓમાં SIT તપાસ કરી રહી છે. ધારીના દુધાળા ગામની પ્રગતિ શાળામાં પોલીસે પૂછપરછ કરી હતી. જો કે આ તપાસમાંથી સ્થાનિક પોલીસને બાકાત રાખવામાં આવી છે.

ડમી ઉમેદવાર કાંડમાં મિલન ઘુઘાની પણ અટકાયત કરવામાં આવી છે. મિલને સરકારી ભરતીમાં 7 વાર પરીક્ષા આપી હતી. ધોરણ 12માં ફિઝિક્સનું પેપર તેણે ડમી ઉમેદવાર તરીકે આપ્યું હતું. મિલને દેવર્ષિ નામના વિદ્યાર્થી વતી 12માં ફિઝિક્સનું પેપર ડમી ઉમેદવાર તરીકે આપી હતી. દેવર્ષિ અત્યારે ફિલિપાઈન્સમાં મેડિકલનો અભ્યાસ કરે છે. તેની પૂછપરછ દરમ્યાન અન્ય લોકોના નામ સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

સૌથી પહેલાં પકડાયેલા ચાર આરોપીઓ શરદ પનોત, પ્રકાશ દવે, બળદેવ રાઠોડ અને પ્રદીપ બારૈયાની ડમી કાંડમાં મોટી ભૂમિકા છે. આ ટોળકી ડમી ઉમેદવાર તરીકે બેસાડવાની શરૂઆત ધોરણ 12ની પરીક્ષાથી કરતી હતી. શરદ અને પીકે રમણીક જાની પાસેથી ડમી ઉમેદવારો મેળવતા હતા. શરદ અને પીકે ડમી ઉમેદવાર માટે અસલી ઉમેદવાર પાસેથી 10 થી 15 લાખ રૂપિયા લેતા હતા.

જેમાંથી ડમી ઉમેદવારને પરીક્ષા દીઠ 25 હજાર રૂપિયા ચૂકવતા હતા. આરોપી બળદેવ ઉમેદવાર માટે નકલી કોલ લેટર અને ડોક્યુમેન્ટ ઉભા કરવાના 10 હજાર રૂપિયા લેતો હતો. તો આ તરફ ડમી કાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહ જાડેજાએ SITની રચનાના નિર્ણય અને કામગીરીને વખાણી છે. સાથે જ તેમણે દાવો કર્યો છે કે હજુ તેમની પાસે ડમી કાંડને લગતી સ્ફોટક માહિતી છે. જેને તેઓ SITને આપવા તૈયાર છે.

અત્યાર સુધી છ આરોપી ઝડપાયા :

ભાવનગરના ડમી ઉમેદવાર કાંડમાં પકડાયેલા આરોપીઓનો આંકડો છ સુધી પહોંચ્યો છે. જો કે ફરિયાદ કુલ 32 આરોપી સામે નોંધાઈ છે. જેને જોતાં પોલીસે હજુ ઘણા આરોપીઓ સુધી પહોંચવાનું બાકી છે.

આ પણ વાંચો :-

બે કલાક મૃત્યુ પામીને જીવતો થઈ ગયો આ છોકરો ! ડોક્ટરો પણ સ્તબ્ધ થઈ ગયા, જાણો શું છે મામલો

This boy came alive

  • એવું કહેવાય છે કે જીવન અને મરણ એ ઉપરવાળાના હાથમાં છે પરંતુ અનેકવાર કોઈના મોત બાદ ચમત્કારિક રીતે જીવિત થવાના દાવા પણ કરવામાં આવ્યા છે. એક 16 વર્ષનો છોકરો સેમી બરકો..

એવું કહેવાય છે કે જીવન અને મરણ એ ઉપરવાળાના હાથમાં છે પરંતુ અનેકવાર કોઈના મોત (Death) બાદ ચમત્કારિક રીતે જીવિત થવાના દાવા પણ કરવામાં આવ્યા છે. એક 16 વર્ષનો છોકરો સેમી બરકો (Sammy Barco)…તેની સાથે પણ કઈંક આવું થયું હોવાનો દાવો છે કે આ છોકરો થોડી મિનિટ માટે નહીં પરંતુ પૂરા બે કલાક માટે મૃત્યુ પામ્યો હતો. ટેક્સાસના (Texas) મિસૌરી શહેરમાં રોક ક્લાઈમ્બિંગ (Rock Climbing) માટે ગયેલા સેમીને હાર્ટ એટેક આવ્યો અને તેના શરીરે રિસ્પોન્સ આપવાનું જ બંધ કરી દીધુ.

બે કલાક સુધી સીપીઆર :

સેમીને હોસ્પિટલ લઈ જવાયો. બિલકુલ રિસ્પોન્સ આપતો નહતો. આમ છતાં તેની બચાવવામાં લાગેલા ડોક્ટરોએ તેને બે કલાક સુધી સીપીઆર આપ્યો. છતાં જ્યારે કોઈ ફાયદો ન થયો તો ડોક્ટરોએ સેમીના પરિવારને કહી દીધુ કે તે મરી ગયો છે. પરંતુ ભાગ્યને કઈ બીજુ જ મંજૂર હતું.

કથિત રીતે અચાનક પરિવારે સેમીના શરીરમાં મૂવમેન્ટ જોઈ. સેમીની માતા જેનિફરે જોરથી બૂમો પાડી- ઓહ માય ગોડ- તે હલી રહ્યો છે. ડોક્ટરોનું કહેવું છે કે તેમણે આવો ચમત્કાર ક્યારેય જોયો નથી. જેનિફરે કહ્યું કે અચાનક ભગવાને અમારું સાંભળ્યું અને અમારો છોકરો મરીને જીવતો થઈ ગયો.

સેમીને થયો હતો શોર્ટ ટર્મ મેમરી લોસ :

ડોક્ટરોનું કહેવું છે કે સેમીના મગજમાં લાંબા સમય સુધી ઓક્સીજન પહોંચ્યો નહતો. આથી એવું માનવામાં આવી રહ્યું હતું કે તેને સૂપર રેર જેનેટિક ડિસોર્ડર થયો છે જેણે તેના હાર્ટને અસર કરી છે. જેને Catecholaminergic polymorphic ventricular tachycardia (CPVT) કહે છે. પરંતુ એવું નહતું. તેને ફક્ત શોર્ટ ટર્મ મેમરી લોસ થયો હતો. તેને સમગ્ર ઘટના બરાબર યાદ નથી પરંતુ થોડી સેકન્ડની કહાની ટુકડામાં વાતો યાદ આવી રહી હતી. સેમીનું કહેવું છે કે તે દિવસે શું થયું તે બરાબર યાદ નથી. ઘટના બાદ સેમી બરાબર ઠીક થયો ત્યાં સુધી લગભગ એક મહિનો હોસ્પિટલમાં જ રહ્યો. જો કે હવે તે એકદમ બરાબર છે.

આ પણ વાંચો :-

 

Appleનું હેડક્વાર્ટર કોઈ ખુફિયા એજન્સીથી ઓછું નથી, દરેક ખૂણા પર હોય છે ઝીણવટભરી નજર

Apple’s headquarters

  • Apple Park : એપલ પાર્ક કેલિફોર્નિયામાં આવેલું છે. તે વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ એપલ પાર્કને ઉપરથી જુઓ તો તે ફૂટબોલના મેદાન જેવું લાગે છે. અહીં એપલ બિલ્ડિંગમાં ઘણા લોકડાઉન રૂમ બનાવવામાં આવ્યા છે. Appleના હેડક્વાર્ટરમાં દરેક પગલા પર કેમેરાથી નજર રાખવામાં આવે છે.

કેલિફોર્નિયા (California) સ્થિત એપલના મુખ્ય મથક એપલ પાર્કને જોશો તો તે ફૂટબોલ સ્ટેડિયમ જેવું લાગશે. એપલનું આ હેડક્વાર્ટર (Apple Park) કોઈ ગુપ્તચર એજન્સીથી (Intelligence Agency) ઓછું નથી. તેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 175 એકરમાં ફેલાયેલી એપલ બિલ્ડિંગ એરટાઈટ છે.

આ બિલ્ડીંગમાં એવા ઘણા રૂમ છે જે એકદમ સિક્રેટ છે. આ રૂમોમાં કોઈ બારી નથી. આને લોકડાઉન રૂમ કહેવામાં આવે છે. આ બિલ્ડિંગના ઘણા રૂમમાં કાળા કાચ છે. આ રૂમો એવી રીતે બનાવવામાં આવ્યા છે કે અહીંથી કોઈ માહિતી બહાર ન જઈ શકે.

દરેક ખૂણા પર રખાય છે નજર :

એપલની આ એરટાઈટ બિલ્ડિંગમાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં જવાની બિલકુલ મનાઈ છે. બિલ્ડીંગના દરેક ખૂણે ખૂણાની ઉપરાંત ડસ્ટબીન પર પણ બારીકાઈથી નજર રાખવામાં આવે છે. જ્યારે પણ નવા કર્મચારીની ભરતી કરવામાં આવે છે, ત્યારે તેનો રોલ ક્લિયર થતો નથી.

Apple Park Visitor Center - Apple Store - Apple

ઈન્ટરવ્યુના ઘણા રાઉન્ડ પછી કર્મચારીને જોઈનિંગ આપવામાં આવે છે. એપલના ભૂતપૂર્વ કર્મચારીઓ અનુસાર, કંપનીની દરેક પ્રોડક્ટ માટે કોડ નેમ હોય છે. સ્પેશિયલ ટીમમાં કામ કરતા કર્મચારીઓ તેઓ શું કામ કરી રહ્યા છે તે કોઈને કહેતા નથી. એપલમાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓ એકદમ ફિટ દેખાય છે.

કર્મચારીને મળે છે શાનદાર પગાર :

એપલમાં કામ કરતા કર્મચારીઓને સારો પગાર મળે છે. કંપની કર્મચારીઓને વિવિધ સુવિધાઓ પૂરી પાડે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એપલમાં સિનિયર ડાયરેક્ટર લેવલ પર બે લાખ ડોલર એટલે કે લગભગ 15 કરોડ રૂપિયાનો પગાર મળે છે. આ સિવાય બોનસ પણ મળે છે. કંપની પ્રયત્ન કરે છે કે કર્મચારી બીજી કંપનીમાં ન જાય. આ માટે કર્મચારીઓને ખૂબ સારો પગાર મળવો જોઈએ.

એપલ ગેરેજમાંથી શરૂ થયું :

એપલ કંપનીની શરૂઆત એક ગેરેજમાં થઈ હતી. 1 એપ્રિલ, 1976ના રોજ સ્ટીવ જોબ્સે તેમના મિત્ર વોઝનિયાક સાથે મળીને ગેરેજમાંથી એપલ કંપનીની શરૂઆત કરી. 1985માં સ્ટીવ જોબ્સનો કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ જોન સ્કલી સાથે વિવાદ થયો હતો. આ કારણે તેમને એપલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. સ્ટીવની વર્ષ 1997માં ફરી વાપસી થઈ હતી. જ્યારે ટિમ કૂક ઓગસ્ટ 2011માં કંપનીના સીઈઓ બન્યા હતા. આ પહેલા તેઓ ચીફ ઓપરેટિંગ ઓફિસર હતા.

આ પણ વાંચો :-

Atique Ahmed : દહેશત ફેલાવવાની કોશિશ ! પ્રયાગરાજમાં અતીકના વકીલના ઘર પાસે દેશી બોમ્બથી હુમલો

0

Atique Ahmed: Trying to spread terror

  • Attack in Prayagraj : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદના વકીલના ઘરની પાસે દેસી બોમ્બ ફેંકાયો છે. મામલો કટરા ગોબર ગલીનો છે. મળતી માહિતી મુજબ દહેશત ફેલાવવાના હેતુથી આ બોમ્બ ફેંકાયો.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદના (Atiq Ahmed) વકીલના ઘરની પાસે દેસી બોમ્બ ફેંકાયો છે. મામલો કટરા ગોબર ગલીનો છે. મળતી માહિતી મુજબ દહેશત ફેલાવવાના હેતુથી આ બોમ્બ ફેંકાયો. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. કર્નલગંજ પોલીસ (Colonelganj Police) આ મામલે તપાસ કરી રહી છે.

પ્રયાગરાજ પોલીસ કમિશનરે કહ્યું કે આ હુમલો વકીલ દયાશંકર મિશ્રાના ઘરની સામેની ગલીમાં થયો. અફવા ફેલાવવામાં આવી કે દયાશંકર મિશ્રા પર હુમલો થયો છે પરંતુ આ વાત સાચી નથી. ઘટનાની તપાસ થઈ રહી છે. ઘટના પર દયાશંકર મિશ્રાએ કહ્યું કે 24-25 વર્ષના યુવકે આ ઘટનાને અંજામ આપ્યો. મને હતોત્સાહિત કરવાની કોશિશ છે. હું અનેક વર્ષોથી કેસ લડું છું.

સહાયક પોલીસ આયુક્ત (શિવકુટી) રાજેશકુમાર યાદવે કહ્યું કે કર્નલગંજ પોલીસ મથક વિસ્તાર હેઠળ આવતા કટરાની ગોબર ગલીમાં કેટલાક યુવકોએ અંગત અદાવતના પગલે બોમ્બ ફેંક્યો હતો. જેમાં સંયોગવશ અતીક અહેમદના વકીલ દયાશંકર મિશ્રાના મકાનની સામે વિસ્ફોટ થયો. તેમણે જણાવ્યું કે આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી.

સ્થાનિકોના જણાવ્યાં મુજબ હર્ષિત સોનકર નામના યુવકને રોનક આકાશસિંહ અને છોટે સાથે પૈસા મામલે વિવાદ હતો અને આ કારણે સોનકરે રોનક, આકાશ અને છોટેનો પીછો કરતા તેમના પર દેશી બોમ્બ ફેંક્યો. યાદવે વધુમાં જણાવ્યું કે સંયોગવશ બોમ્બ વકીલ દયાશંકર મિશ્રાના મકાન સામે પડ્યો. સોનકર બોમ્બ ફેંકીને ત્યાંથી ભાગી ગયો. આ મામલે એફઆઈઆર નોંધાઈ રહી છે. જલદી આરોપીની ધરપકડ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મિશ્રા ઉમેશ પાલ અપહરણ મામલે અતીક અહેમદ અને અશરફના વકીલ હતા. આ મામલે અતીક અહેમદ અને અન્ય બે લોકોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. જ્યારે અશરફ સહિત સાત લોકોને પુરાવાના અભાવે છોડી મૂકાયા હતા.

નોંધનીય છે કે શનિવારે રાતે પોલીસ કસ્ટડીમાં કાલ્વિન હોસ્પિટલ આવેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ત્રણ યુવકોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદથી સમગ્ર શહેરમાં સ્થિતિ સંવેદનશીલ છે.

આ પણ વાંચો :-

19 એપ્રિલ 2023 આજનું રાશિફળ : આ રાશિના જાતકો માટે નવુ કરવાની ઉત્તમ તક, જુઓ રાશિ ભવિષ્ય

19 April 2023 Today’s Horoscope 

મેષઃ
ધર્મ-નીતિ અનુસાર કામ કરવાની ઈચ્છા પ્રબળ બનશે. ઉદારતાની ભાવના રહેશે. નાણાંકીય બાબતોમાં લાભ મેળવી શકાશે. સરકારને લગતા તથા ન્યાયક્ષેત્ર સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવી હિતાવહ.

વૃષભઃ
મોજશોખમાં રસ વધે. ગુસ્સા પર કાબૂ રાખવો જરૂરી. ખોટા રોકાણથી નાણાં ફસાઈ જવાની શક્યતા છે. સંતાન સંબંધી ચિંતા રહે. સાસરા પક્ષથી લાભ. આરોગ્ય સારું. નોકરી-ધંધામાં રાહત.

મિથુનઃ
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. આદ્યાત્મિક બાબતોમાં અભિરૂચિ વધે. નોકરી-ધંધામાં પ્રગતિ થવાથી આવકમાં વધારો આવતો જણાય. કરેલા રોકાણોનું સારૂ ફળ મળતું જણાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

કર્કઃ
આનંદ-ઉત્સાહ ભર્યા દિવસ. જમીન-મકાનની દલાલી, રાજકીય કાર્યોમાં સફળતા મળતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો. અપરિણીતને જીવનસાથી મળવાની શક્યતા. સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાંકીય વ્યવહારોમાં સફળતા મળે. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. સંતાનોની ચિંતા રહે. નોકરીમાં બઢતીના યોગ બને છે.

કન્યાઃ
ભાગ્ય બળવાન બનતું જણાય. સાહિત્યના ક્ષેત્રમાં રસ વધે. આવકમાં વધારો થતો જણા. હાડકા સંબંધી તકલીફો અનુભવાય. સંતાનથી પ્રેમ મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. ધંધામાં નવી તક મળતી જણાય.

તુલાઃ
સંઘર્ષ પછી સફળતા મળતી જણાય. નાના ભાઈ બહેન સાથે વાદવિવાદ ટાળવા. પરિવારમાં અસંતોષની ભાવના વધે. અગત્યના કાર્ય મુલતવી રાખવા. ભાગ્યવૃદ્ધિ થતી જણાય.

વૃશ્ચિકઃ
નાના ભાઈ બહેન તરફથી ચિંતા રહે. એમની તબિયતની કાળજી રાખવી જરૂરી. કાર્યક્ષેત્રે સફળતા મળે. સ્થાવર-જંગમ મિલકતોથી લાભ. સંતાન તરફથી આનંદ. આરોગ્ય બળવાન.

ધનઃ
હૃદયમાં અજંપો રહે. માનસિક ઉચાટ ઉપર કાબુ રાખવો. આવકમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય સારું રહે. સામાન્ય શરદી-કફની શક્યતા છે.

મકરઃ
દિવસ દરમિયાન ઉદાસીનતા અનુભવાય. આવક જાવક સરભર થતા જણાય. પરિવારમાં સ્નેહ વધે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાનો દુઃખાવો રહે. ભાગ્યવૃદ્ધિ થતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકમાં વૃદ્ધિ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. રોકાણોથી લાભ મેળવવો શક્ય બને. સંતાન સંબંધી ચિંતા રહે. દેવું કરવાથી દૂર રહેવું. ખર્ચનું પ્રમાણ વધે.

મીનઃ
ઘણો લાભ રહે. શુભતત્વનો અહેસાસ થાય. પ્રેમસંબંધો વધે. આવક વધે. ઝવેરાત-સોનુ-ચાંદી ખરીદવાના પ્રસંગો ઉભા થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પગના તળિયામાં દુઃખાવો જણાય.

15 હજાર આપવાનું કહી મોડલ્સને હોટલમાં બોલાવાતી, પછી ફેમસ કાસ્ટિંગ ડિરેક્ટર રૂમમાં….

Models were called to hotels 

  • Aarti Mittal Arrested : ફિલ્મી દુનિયા બહારથી જેટલી સારી અને સાફ-સુધરી દેખાય છે અંદરથી એટલી જ ગંદી અને ખરાબ પણ છે. બહારથી આપણને જે હીરો કે અભિનેતાઓ કે કલાકારો જેટલાં સારા દેખાય છે વાસ્તવમાં તે એટલાં સારા હોય એ જરૂરી નથી. અહીં પડદા પાછળની દુનિયા કંઈક અલગ જ છે. જ્યાં શરીરનો સોદો પણ થાય છે.

આ વખતે સેક્સ રેકેટ (Sex racket) ચલાવતી ફેમસ ડિરેક્ટર (Famous director) પણ રંગેહાથ ઝડપાઈ ગઈ છે. પોલીસે ફેમસ કાસ્ટિંગ ડિરેક્ટર આરતી મિત્તલની (Aarti Mittal) ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ યુનિટ સોમવારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે આ રેકેટ કથિત રીતે કાસ્ટિંગ ડિરેક્ટર આરતી મિત્તલ (Aarti Mittal) ચલાવી રહી હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે સોમવારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલતા એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, આ સેક્સ રેકેટ કાસ્ટિંગ ડિરેક્ટર આરતી મિત્તલ ચલાવી રહી હતી. પોલીસે તેમની ધરપકડ કરી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટસનું માનીએ તો ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગોરેગાંવના એક સ્થળેથી બે મોડલને બચાવ્યા અને પછી તેમને રિહેબ સેન્ટરમાં મોકલી દીધા.

મોડલ્સે પોલીસને જણાવ્યું કે આરતીએ તેમને 15,000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. તમને જણાવી દઈએ કે પોલીસે ડમી ગ્રાહકોને હોટલમાં મોકલીને આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ રેકેટની માહિતી પોલીસ ઈન્સ્પેક્ટર મનોજ સુતારને મળી હતી.

આ રીતે આરતી મિત્તલ પકડાઈ :

સામે આવી રહેલા અહેવાલો અનુસાર પોલીસ ઈન્સ્પેક્ટર મનોજ સુતારને આ સેક્સ રેકેટની માહિતી મળી હતી. ત્યારબાદ તેણે એક ટીમ બનાવી અને આરતી મિત્તલને ગ્રાહક તરીકે ઉભો કરીને બોલાવ્યો અને તેના મિત્રો માટે 2 છોકરીઓની માંગણી કરી. આરતીએ તેના બદલે 60,000 રૂપિયાની માંગણી કરી હતી. પોલીસે એમ પણ કહ્યું હતું કે આરતી જ્યારે તેમને વિવિધ પ્રોજેક્ટસ દરમિયાન વેશ્યાવૃત્તિમાં જોડાવા માટે સારા પૈસા ઓફર કરતી હતી ત્યારે તેને નિશાન બનાવવામાં આવી હતી.

આ પણ વાંચો :-