Home Blog Page 1101

શું મકાન વેચવાથી થતી આવક પર ઈનકમ ટેક્સ લાગે ? જાણો શું છે નિયમ

0

Is the income from sale

  • રહેણાંક મકાન વેચવાથી થતી આવક પર તમારી પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે. રહેણાક મકાન વેચવામાં ખર્ચ કાઢ્યા બાદ જે ચોખ્ખી આવક વધે છે તેના પર ટેક્સ ભરવો પડે છે.

સામાન્ય રીતે નિયમ મુજબ મિલકત (Property) વેચવાથી થતી આવક પર ટેક્સ ભરવો પડતો હોય છે. તેવી જ રીતે રહેણાંક મકાનના વેચાણમાં પણ ચોખ્ખી આવક (Income) પર ટેક્સ વસૂલવામાં આવે છે. જેના માટે કેટલાક નિયમ હોય છે. આ નિયમ મુજબ મકાન વેચાવામાં થતી આવક પર ટેક્સ વસૂલવામાં આવે છે. ત્યારે કેવી રીતે આ ટેક્સ  નક્કી થાય છે અને તેમાં કેવી રીતે તમને ફાયદો થઈ શકે તે જાણવું ખૂબ જરૂરી છે.

જાણો શું છે નિયમ?

જો મકાન ખરીદ્યાના 24 મહીના એટલે કે બે વર્ષ બાદ વેચવામાં આવે તો લાંબા સમયના રોકાણના હિસાબે અધિગ્રહણ ચાર્જ લેવાની સહમતી છે. જો બે વર્ષની અંદર મકાન વેચવામાં આવે છે તો તેના માટે અલગ સ્લેબ બનેલા છે જેના હિસાબથી ટેક્સની વસૂલાત કરવામાં આવે છે.

લાંબા સમયના રોકાણથી બચાવી શકાશે ટેક્સ :

જો તમે તત્કાલ રહેણાંક મકાન નથી ખરીદવા માગતા તો લાંબા સમય માટેના રોકાણ પર ટેક્સનો લાભ મેળવી શકાય છે. IRFC, PFC, NHAI અને RIC લીમીટેડ જેવી રોકાણકાર સંસ્થામાં લાભ લઈ શકાય છે. જેમાં લાભ બોન્ડ મુજબ 46.95 લાખના વેચાણાની તારીખથી 6 મહિનાની અંદર એક નાણાંકિય વર્ષ માટે સંપતિના વધુમાં વધુ 50 ટકાનું રોકાણ કરી શકાય છે. આ શરતોમાં 5 વર્ષ લોક પીરિયડ હોય છે. આ બોન્ડ પૂર્ણ થયા બાદ જે રૂપિયા મળે છે તે ટેક્સ ફ્રી હોય છે.

જાણો નોકરિયાત વર્ગ માટે શું છે નિયમો?

નોકરિયાત વર્ગના વ્યક્તિઓ માટે આ રૂપિયાનો ઉપયોગ મિલકતના વેચાણની તારીખથી 2 વર્ષની અંદર મકાન ખરીદવા કે ત્રણ વર્ષની અંતર પોતાનું ઘર બનાવવા અથવા નિર્માણાધિન આવાસનું બુકિગ કરવા માટે કરવામાં આવે છે. મિલકત પરના આ લાભ પર કોઈ ટેક્સ નથી લાગતો. જો રૂપિયાનો ઉપર જણાવેલા નિયમ મુજબ ઉપયોગ કરવામાં આવે છે તો ત્રણ વર્ષ બાદ આ રકમ ટેક્સને પાત્ર ગણવામાં આવે છે.

આ પણ વાંચો :-

આમ તો જુઓ ખબર પણ ન પડી અને..ગોંડલમાં સાડીની ચોરી કરતી મહિલા ગેંગનો આતંક

0

So look, I didn’t even know

  • ગોંડલમાં સાડીની ચોરી કરતી મહિલાના CCTV સામે આવ્યા છે. જેમાં 3 જેટલી મહિલા મોંઘામૂલી 5 સાડી ચોરી નાસી છૂટી હોવાનું દ્રશ્યમાન થાય છે.

ગોંડલમાં (Gondal) સાડીની ચોરી કરતી મહિલા ગેંગના (Women’s Gangs) આતંકની ઘટના સામે આવી છે.જેમાં શહેરના ગુંદાળા શેરીમાં આવેલી દુકાનમાંથી 3 મહિલાઓએ 5 જેટલી સાડીની ચોરી કરી હોવાનું  ચોરી કરતી મહિલાઓની આ સમગ્ર કરતુંત CCTVમાં કેદ પણ થઈ છે.

સાડીની ચોરી કરતી મહિલાઓ CCTVમાં કેદ :

CCTVમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર દુકાનદારની નજર ચૂકવી મહિલાઓ સાડીના છેડામાં સંતાડી સાડી ચોરીને જતી રહેતી હોવાનું નજરે પડી રહયુ છે. ગોંડલના ગુંદાળા શેરી તરીકે ઓળખાતા વિસ્તારમા આવેલા લાખાણી સાડી નામની દુકાનમાં મહિલાઓએ ચાલાકી વાપરી હતી. વધુમાં 3 થી ચાર જેટલી મહિલાઓ દુકાનમાં ઘુસી આવી હતી.

આ દરમિયાન પહેલા 2 મહિલાઓ દુકાનમાં ભેગી આવી હતી જે સાડીની વેરાયટી જોવાનો ઢોંગ કરતી હતી. જ્યારે અન્ય મોઢું બાંધીને આવેલી મહિલા દુકાનદારની નજર ચૂકવી સાડીના છેડામાં સાડી છુપાવતું હોવાનું નજરે પડતી હતી. અંદાજ મુજન 5 ચોરાઉ સાડીની લગભગ 4000 થતી હતી.

આ પણ વાંચો :-

આખા મંત્રી મંડળ સહિત સીએમ જ્યાં હાજર રહેવાના છે, ધડાકાભેર તૂટી પડયું એ સ્ટેજનું સ્ટ્રક્ચર

0

The structure

  • જામનગરમાં પહેલી મે ના રોજ ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થવાની હોય અને જુદા જુદા કાર્યક્રમોમાં ગુજરાતના મુખ્યમંત્રી, રાજ્યપાલ અને સમગ્ર મંત્રીમંડળ સહિત હજારોની જનમેદની ઉપસ્થિત રહેવાના છે. એ કાર્યક્રમ સ્થળે જ બની મોટી દુર્ઘટના.

જામનગરમાં (Jamnagar) આગામી પહેલી મે ના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થવાની હોય જેના પગલે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી એવા સમયે ગતરાત્રિના પ્રદર્શન ગ્રાઉન્ડમાં (Exhibition Ground) સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજ પરનું લાઈટિંગ સ્ટ્રક્ચર અચાનકત તુટી પડતા અફરાતરીનો માહોલ સર્જાયો હતો.

આ ઘટનામાં એક બાળકી સહિત કુલ પાંચ જેટલા લોકોને ઈજા થતાં તેમને તાત્કાલિક જીજી હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પહેલી મે ના રોજ ગુજરાત સ્થાપના દિવસની રાજયકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હોય અને આવા સમયે આવી દુર્ઘટના સર્જાતા અનેક સવાલો ઊભા થયા છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે જામનગરના ગ્રાઉન્ડમાં એક મોટી દુર્ઘટના ટળી છે. જેમાં ગુજરાતના ગૌરવ દિવસની ઉજવણી કરવા સાંસ્કૃતિક કાર્યક્રમ માટે બનાવવામાં આવેલા નિર્માણધીન સ્ટેજ પરનું લાઈટિંગ સ્ટ્રક્ચર તૂટી પડતા પાંચ લોકોને ઇજા પહોંચી હતી. જો કે સદનસીબે મોટી જાનહાની થઈ નથી. હાલ તો ઈજાગ્રસ્તને શહેરની સરકારી હોસ્પિટલ જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાં ઈજાગ્રસ્તમાં ચિંતન રાઠોડ, અંકિત વોરા, પિયુષ પંડયા અને અનસુમી પંડયા સહિત પાંચને ઈજા પહોચી હતી. હાલ તમામ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

No description available.

આ ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગયો હતો. જ્યાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ મોટી દુર્ઘટના ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ તંત્રની બેદરકારી કહી શકાય તેમ કામગીરીમાં ચૂક રહી જતા દુર્ઘટથી હાલ તો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે કાર્યક્રમના સમયે જો આ દુર્ઘટના સર્જાઈ હોત તો ? માત્રને માત્ર આ વિચારથી જ એક બિહામણું દ્રશ્ય સામે આવી રહ્યુ છે.

આ પણ વાંચો :-

 

આગામી 4 દિવસ ગુજરાત પર ભારે ! આ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે થશે વરસાદ

0

Next 4 days heavy on Gujarat

  • Gujarat Weather Updates : ખેડૂતો માટે માઠા સમાચાર. આગામી દિવસોમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આ આગાહીના કારણે હાલ ખેડૂતો ચિંતાતૂર બન્યા છે.

આગામી 4 દિવસોમાં ગુજરાતમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) થશે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા એવી પણ આગાહી કરાઈ છે કે આગામી 4 દિવસોમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કેટલાંક સ્થળે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગની આ પ્રકારની આગાહીના કારણે હાલ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. કારણકે, આખા વર્ષની મહેનત પર મુસીબત રૂપી પાણી ફરવાનો ડર જગતના તાતને સતાવી રહ્યો છે.  ગુજરાતમાં હજુ પાંચ દિવસ હજુ વરસાદની આગાહી કરાઈ છે. મોટા ભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં વરસાદી માહોલ તૈયાર થયો છે. આ માહોલ આગામી પાંચ દિવસ સુધી રહેશે. ખાસ કરીને અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી કરાઈ છે.  એવી પણ આગાહી કરવામાં આવી છે કે આગામી ત્રણ દિવસમાં 3 ડિગ્રી ઓછું તાપમાન થશે. રાજસ્થાનમાં વેસ્ટર્ન સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો આવશે.

મહત્વનું છે કે હાલ ભરઉનાળે રાજ્યભરમાં માવઠા થઈ રહ્યા છે. ત્યારે ઉનાળામાં માવઠા થવા માટે સૂર્યની ગરમી જવાબદાર છે. કારણ કે મહાસાગરમાં ચાલતા ગરમ પ્રવાહને સૂર્યની ગરમી ઉત્તેજિત કરે છે. જેને લીધે મહાસાગરોમાં પાણીની વરાળ થઈ જાય છે અને મહાસાગરોની વરાળ બનતા છેવડે વરસાદ વરસે છે. તો બીજુ કારણ જોઈએ તો પૃથ્વીની પ્રાંત અને ગતિના લીધે રાશિ ચક્ર પશ્ચિમ તરફ ખસે છે. જેથી ઉનાળામાં શિયાળો અને માવઠું થાય છે.

આ પણ વાંચો :-

Maharashtra Politics : મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી નવાજૂનીના એંધાણ ? અજીત પવારના બળવાના સંકેત !

0

Maharashtra Politics

  • મહારાષ્ટ્રના રાજકારણમાં ફરીથી બળવાના એંધાણ છે. શિવસેનામાં હાલમાં થયેલા ભંગાણ પર ઉદ્ધવ ઠાકરેને શિખામણ આપનારા શરદ પવારનું પોતાનું ઘર વેરવિખેર થવાની અણી પર છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં નંબર બેની હેસિયત ધરાવતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી અજીત પવારે બળવાના પાક્કા અને સીધા સંકેત આપ્યા છે.

મહારાષ્ટ્રના (Maharashtra) રાજકારણમાં ફરીથી બળવાના એંધાણ છે. શિવસેનામાં હાલમાં થયેલા ભંગાણ પર ઉદ્ધવ ઠાકરેને શિખામણ આપનારા શરદ પવારનું (Sharad Pawar) પોતાનું ઘર વેરવિખેર થવાની અણી પર છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં નંબર બેની હેસિયત ધરાવતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી અજીત પવારે બળવાના પાક્કા અને સીધા સંકેત આપ્યા છે.

તેમણે ગુરુવારે એક સવાલના જવાબમાં કહ્યું કે જે રીતે રાજ ઠાકરેએ પોતાના કાકા બાળાસાહેબ ઠાકરેનું ધ્યાન રાખ્યું, એ જ રીતે તેઓ પોતાના કાકા એટલે કે શરદ પવારનું ધ્યાન રાખશે. અત્રે જણાવવાનું કે રાજ ઠાકરેએ પોતાના કાકા અને શિવસેનાથી બળવો કરીને એક નવી પાર્ટી બનાવી હતી.

પવાર પરિવાર અને ઠાકરે પરિવારનું રાજકીય કહાની લગભગ સરખી છે. બંને પરિવારના મુખ્યાઓએ પોત પોતાના ભત્રીજાના દમ પર રાજકારણ ખેલ્યુ છે. પરંતુ જ્યારે બાગડોર સોંપવાનો કે વારસદાર પસંદ કરવાનો વારો આવ્યો તો પોતાના પુત્રને પસંદ કર્યા. તેવરમાં બાળા સાહેબ ઠાકરેની  કોપી કરનારા રાજ ઠાકરે પણ શિવસેના પર કંટ્રોલ ઈચ્છતા હતા પરંતુ કમાન ઉદ્ધવ ઠાકરેને મળી. એનસીપીમાં પણ આ હાલ જોતા જોવા મળી રહ્યા છે.

ભત્રીજાના દમ પર રાજકારણ :

મહારાષ્ટ્રના રાજકારણના ગલિયારોમાં ચર્ચા છે કે શરદ પવારે પણ રાજકારણ પોતાના ભત્રીજા અજીત પવારના દમ પર રમ્યા પરંતુ પોતાના રાજકીય વારસો તેઓ પોતાની પુત્રી સુપ્રીયા સુલેને સોંપવા માંગે છે. આ વાત અજીત પવારને ખટકી રહી છે. સુપ્રીયા સુલે સાંસદ છે પરંતુ એનસીપી કે પછી મહારાષ્ટ્રના રાજકારણમાં તેમનું કદ અજીત પવાર જેવું નથી.

ઉદ્ધવની સલાહ પર અજીતનો પલટવાર :

અજીત પવારને જ્યારે ગુરુવારે ઉદ્ધવ ઠાકરેએ સલાહ આપતા કહ્યું હતું કે તેમણે તેમના કાકા પર તે જ રીતે ધ્યાન આપવું જોઈએ જે રીતે બહારના લોકો પર આપો છે. જેના પર પલટવાર કરતા અજીત પવારે કહ્યું કે જે પ્રકારે રાજ ઠાકરેએ પોતાના કાકા પર ધ્યાન આપ્યું તે જ રીતે હું પણ મારા કાકા પર ધ્યાન આપીશ. અત્રે જણાવવાનું કે એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેએ શિવસેનામાં યોગ્ય ભાગીદારી નહીં મળતા કાકાથી અલગ રસ્તો પસંદ કર્યો અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ની રચના કરી. અજીત પવારના નિવેદન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં કઈક નવાજૂનીના એંધાણ મળી રહ્યા છે.

આ પણ વાંચો :-

 

ગુજરાતમાં આવનારું વર્ષ કેવું રહેશે ? વર્ષો જૂની પ્રણાલી મુજબ ટિટોડીના ઈંડા પરથી કરાયો વરસાદનો વરતારો

0

How will the next year be in Gujarat?

  • લોક વાયકા મુજબ મુખ્યત્વે ટીટોડીના ઈંડા આકાશ તરફી હોઈ છે. ત્યારે ઉમરપાડાના વાડી ગામે ટીટોડીએ જમીન તરફી ટોચ રાખતા ઈંડા મુકતા ચારેબાજુ કતુહલ સર્જાયું છે.

દેશના દરેક ખૂણે પ્રાચીનકાળથી વરસાદના (Rain) વરતારા કરવાની અનેક પરંપરાઓ પ્રચલિત છે. જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો ટીટોડીના (TTOD) ઈંડા મૂકવાની રીતથી આવનારું વર્ષ કેવું રહેશે તેની આગાહી કરવાની રીત ખૂબ જ જાણીતી છે. હાલ ટીટોડીના ઈંડાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ઈંડાની ટોચ જમીન તરફની હોવાનું સામે આવ્યું છે. લોક વાયકા મુજબ મુખ્યત્વે ટીટોડીના ઈંડા આકાશ તરફી હોઈ છે. ત્યારે ઉમરપાડાના વાડી ગામે ટીટોડીએ જમીન તરફી ટોચ રાખતા ઈંડા મુકતા ચારેબાજુ કતુહલ સર્જાયું છે.

No description available.

ટીટોડી કેટલા ઈંડા મૂકે. જમીનથી કેટલી ઉંચાઈ પર મૂકે. ઉભા કે આડા આ તમામ પદ્ધતિથી આવનારું વર્ષ અને વરસાદનું અનુમાન કરાય છે. ત્યારે વાડી ગામે રહેતા 50 વર્ષીય ખેડૂતના પ્રકાશ વસાવના મુજબ પ્રથમ વાર આ પ્રકારે ટીટોડીના ઈંડા જોયા છે. જે સૌ કોઈને અસમંજસ કતુહલમાં મૂકી દે તે પ્રકારે છે. સામાન્ય રીતે ટીટોડી આકાશ તરફી ટોચના ઈંડા મૂકે છે. પરંતુ જમીન તરફી ઈંડાની ટોચ એ સારા ચોમાસાની નિશાની લાગી રહી નથી. ટીટોડી પ્રકૃતિ સાથે તાલમેલ સાંધતું ખુબ જ હોશિયાર પક્ષી મનાય છે.

નોંધનીય છે કે હવામાન વિભાગે તો જુન મહિનામાં વિધિવત ચોમાસું આવી જવાની આગાહી કરી છે. આજે સેટેલાઈટથી લઈને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ વરસાદ અને હવામાનની માહિતી મેળવી શકાય છે. પરતું ગુજરાતમાં પ્રાચીનકાળથી થતી વરસાદના વર્તારાની પણ એક પરંપરા છે. આવી પરંપરા એટેલે ખેતરમાં ટીટોડીએ ઈંડાની પણ છે.

6 ઈંડા મૂકવાનુ તારણ :

જાણકારો કહે છે કે ટીટોડીના એક ઈંડાના આધારે એક મહિનો વરસાદ સારો જાય એવુ માનવામાં આવે છે. ચાર ઈંડા મૂકે તો ચાર મહિના સારુ ચોમાસું રહે. ચાર ઈંડા એટલે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું સારુ જાય. પરંતુ 6 ઈંડા મૂકે તો 6 મહિના સુધી ચોમાસું લંબાય તેવુ મનાય છે. એટલે કે ટીટોડીના 6 ઈંડા સારા સંકેત છે.

આ પણ વાંચો :-

Jio Cinema એ છીનવી મોટી ડીલ, બંધ થઈ જશે HotStarની દુકાન ! લોકોએ કહ્યું – ડિલીટ કરો એપ

Jio Cinema

  • Jio Cinema Big deal : જિયો સિનેમાએ ઓટીટી માર્કેટમાં પોતાનો દબદબો બનાવવા માટે મોટો દાંવ રમ્યો છે. જેનાથી હોટસ્ટાર અને નેટફ્લિક્સને ફટકો પડી શકે છે.

Jio Cinema Multi Year Deal : જિયો સિનેમાએ (Jio Cinema) એક મોટો દાંવ રમ્યો છે, જેનાથી હોટસ્ટારનો ધંધો બંધ થઈ શકે છે. હકીકતમાં જિયો સિનેમાએ Warner Bros અને HBOની સાથે મલ્યી યર ડીલ કરી છે. આ ડીલમાં Warner Bros અને HBOના કન્ટેન્ટને ભારતમાં જિયો સિનેમા પર દેખાડવામાં આવશે.

તેવામાં જિયો યૂઝર્સ જિયો સિનેમા પર ગેમ્સ ઓફ થ્રોન્સ અને હેરી પોટર સિરીઝ, ડિસ્કવરી જેવી શાનદાર મૂવી અને શોની મજા માણી શકશે. આ દરેક મૂવી અને શો પહેલાં હોટસ્ટાર પર હાજર હતા. તેવામાં જાણકાર માને છે કે હોટસ્ટાર પાસેથી આટલી મોટી ડીલ છીનવાઈ ગયા બાદ ભારતમાં hotstarનું કોઈ મહત્વ રહી જશે નહીં. સાથે જિયો સિનેમા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

જિયો સિનેમાએ આપ્યો ઝટકો :

નોંધનીય છે કે આ પહેલાં હોટ સ્ટાર પર આઈપીએલનું પ્રસારણ થતું હતું, જેને જિયો સિનેમાએ છીનવી લીધુ હતું, તેનાથી હોટ સ્ટારને મોટું નુકસાન થયું છે. પરંતુ HBO, Warner Bros ની ડીલ છીનવાયા બાદ હોટસ્ટારે તેનું મહત્વ ગુમાવી દીધુ છે. આ કારણ છે કે ટ્વિટર પર યૂઝર્સ હોટસ્ટાર એપને અનઈન્સ્ટોલ કરવાની વાત કહી રહ્યાં છે. આ ડીલ બાદ હોટસ્ટાર ટ્વિટરના ટોપ ટ્રેન્ડિંગ લિસ્ટમાં સામેલ થઈ ગયું છે.

જિયો સિનેમા પેડ સબ્સક્રિપ્શન :

જિયો સિનેમા હાલ સંપૂર્ણ રીતે ફ્રી છે. કોઈપણ યૂઝર્સ પોતાના મોબાઈલમાંમાં જિયો સિનેમાને ફ્રીમાં ઈન્સ્ટોલ કરી મજા માણી શકે છે. પરંતુ આઈપીએલ બાદ કંપની જિયો સિનેમાને પેડ સબ્સક્રિપ્શનને લોન્ચ કરી શકે છે.

નેટફ્લિક્સ અને હોટસ્ટારના કારોબારને ઝટકો :

જો જિયો સિનેમા આવા મોટા કન્ટેન્ટ ક્રિએટર્સ પ્લેયફોર્મથી કરે છે. તો આવનારા દિવસોમાં ભારતમાં હાજર સ્ટ્રીમિંગ પ્લેયફોર્મ જેવા Netflilx, Hotstarના કારોબારને જોરદાર ઝટકો લાગી શકે છે.

આ પણ વાંચો :-

 

Today’s Horoscope : 28 એપ્રિલ 2023નું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ જશે ચકાચક, નોકરી, રોકાણ, અભ્યાસમાં ધાર્યું ફળ મળશે, જુઓ રાશિ ભવિષ્ય

Today’s Horoscope

મેષઃ
દિવસ દરમ્યાન નવી શક્તિનો સંચય થતો જણાય. પરિવારમા તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો જણાય. જુના રોકાણથી લાભ મળતો જણાય. પરંતુ નવા રોકાણો મુલતવી રાખવા. માતાની તબિયત બગડતી જણાય.

વૃષભઃ
પરિવારમાં વિખવાદ થવાની શક્યતા છે. કરેલા કાર્યની સફળતામાં મુશ્કેલી રહે. જમણા હાથની કાળજી રાખવી. આજે આપને ભાગ્યનો સાથ મળતો નથી. મિત્રો સાથેના સંબંધો ન બગડે અનું ખાસ ધ્યાન રાખવું.

મિથુનઃ
દિવસ દરમ્યાન આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાનાભાઇ બહેનોની તબિયતની કાળજી રાખવી જરૂરી. જમણી આંખમાં ઇજાથી સાચવવું. સંતાન સુખ સારૂ મળશે. સંતાન મોજ શોખમાં પૈસા વાપરશે. નવા નાણાંકીય રોકાણો લાભદાયક પૂરવાર થાય.

કર્કઃ
અભ્યાસ, ગ્રહણશક્તિ વધે. બીજાની નકલ કરવાની ઈચ્છા થાય. વ્યસનથી દૂર રહેવું. ધનનો બગાડ ટાળવો. યાર્નને લગતાં, ટ્રાવેલીંગ, દલાલ, પ્રાણીઓ-પશુઓને લગતા ધંધાવાળા ને ફાયદો. જીવનસાથીની તબિયત બગડતી જણાય.

સિંહઃ
રોગ પ્રતિકાર શક્તિ નબળી પડતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. ડિપ્રેશનના શિકાર ન બનાય એનું ધ્યાન રાખવું. આકસ્મિક ધનહાનિના યોગ બને છે. દામપત્ય જીવનમાં ઉગ્રતા રહે. નોકરી-ધંધામાં પ્રગતિ.

કન્યાઃ
ખોટી સોબતને કારણે પસ્તાવાનો વખત આવે. સંતાનો તરફથી ચિંતા રહે. વિધાર્થી વર્ગને માનસિક ટેન્શન રહે. આવક ઘટતી જણાય.  માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય કાર્યો મુલતવી રાખવા.

તુલાઃ
વિચારવાયુનું પ્રમાણ વધે. વિલંબે કાર્યસફળતા સિધ્ધ થતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય બાબતો અંગે ચિંતા વધે. ખોટા નિર્ણય લેવાઇ જાય. પ્રતિષ્ઠાને હાનિ પહોંચતી જણાય.

વૃષિકઃ
આવક ઓછી થતી જણાય. પરિવારમાં મન દુઃખ થવાના યોગ બને છે. જો જમીન-મકાનમાં રોકાણ કર્યું હોય તો તેમાંથી ફાયદો મેળવી શકાય. નસીબનો સાથ મળતો નથી. ધાર્મિક બાબતોમાં રસ વધતો જણાય.

ધનઃ
આજે આપને માટે સૌથી અગત્યની બાબત આપનું આરોગ્ય છે. આજે સંભાળજો. શરદી-ખાંસી તાવથી અવશ્ય સાચવજો. માનસિક હાલત બગડતી જણાય. પાણીથી દૂર રહેવું. આજનો દિવસ ઘરમાં જ રહેવામી સલાહ છે.

મકરઃ
આજે આપે પત્નિની તબિયતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી પત્નિએ બહાર નીકળવાનું ટાળવું. થોડી માનસિક અશાંતિ રહેશે. આપનું આરોગ્ય જળવાશે. નોકરી-ધંધા માટે સારો દિવસ છે.

કુંભઃ
મક્કમ મનોબળના દર્શન થશે. તકલીફનો ‌હિંમતથી સામનો કરી શકશે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને છે. તાવ, શરદી-ખાંસી સતાવશે. જમણા પગનો દુઃખાવો સંભવી શકે. આર્થિક બાબતો માટે શુભ. સ્ત્રીવર્ગથી લાભ.

મીનઃ
આજે સંતાનના પ્રશ્નો સતાવશે. સંતાનની તબિયતની સાવચેતી રાખવી. પેટના રોગોથી સાચવવું. મિત્રોથી લાભ. આવક અંગે સંતોષ જળવાશે. નોકરી ધંધામાં સફળતા મળતી જણાશે. બેંક, એક્સપોર્ટ – ઇમ્પોર્ટના ધંધામાં પ્રગતિ.

આ પણ વાંચો :-

UAE જેલથી છૂટી ‘બાટલા હાઉસ’ એક્ટ્રેસ Chrisann Pereira, ડ્રગ્સ કેસમાં થઈ હતી ધરપકડ

Chrisann Pereira

  • Bollywood Actress Chrisann Pereira : બોલિવુડ એક્ટ્રેસ ક્રિસન પરેરાને લઈને એક મોટી ખબર સામે આવી રહી છે. ક્રિસન પરેરાને UAE જેલથી મુક્ત કરી દેવામાં આવી છે. ક્રિસનના ભાઈએ સોશિલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં એક્ટ્રેસની માતા ખુશી નાચતી જોવા મળી રહી છે.

સડક 2‘ અને ‘બાટલા હાઉસ‘ જેવી હિંદી ફિલ્મોમાં કામ કરી ચુકેલી એક્ટ્રેસ ક્રિસન પરેરા (Actress Krishan Perera) એક વખત ફરી ચર્ચામાં છવાઈ ગઈ છે. થોડા દિવસો પહેલા ખબર આવી હતી કે એક્ટ્રેસ ક્રિસન પરેરા ડ્રગ્સ તસ્કરીમાં (Drug trafficking) અરેસ્ટ થઈ ગઈ છે તો આખી ઈન્ડસ્ટ્રીમાં તહેલકો મચી ગયો હતો.

હવે ક્રિસન પરેરાએ યુએઈ જેલમાંથી બહાર આવી છે તે ખબર ચારે બાજુ ફેલાઈ ગઈ છે. ક્રિસન પરેરાના ભાઈ કેવિન પરેરાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક્ટ્રેસ જેલમાંથી બહાર આવ્યા બાદ પોતાની માતા સાથે વાત કરતા જોવા મળી રહી છે.

ક્રિસનના ભાઈએ બતાવી પહેલી ઝલક :

બોલિવુડ એક્ટ્રેસ ક્રિસન પરેરાના ભાઈ કેવિન પરેરાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક્ટ્રેસ યુએઈના શારજાહ જેલમાંથી છૂટ્યા બાદ પહેલા વખત જોવા મળી રહી છે. વીડિયોમાં એક્ટ્રેસ બહાર આવ્યા બાદ પરિવાર સાથે ફોન પર વાત કરતી જોવા મળી રહી છે.

એક્ટ્રેસ ક્રિસનના માતા દિકરીના જેલમાંથી છૂટ્યા બાદ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. તે ખુશીથી નાચી રહ્યા છે. એક્ટ્રેસ ક્રિસનના ભાઈ કેવિનને વીડિયો શેર કરવાની સાથે એક કેપ્શન પણ લખ્યું છે. એક્ટ્રેસે ભાઈને લખ્યું, ક્રિસન આઝાદ છે. તે આવતા 48 કલાકમાં ભારતમાં હશે. ત્યાં જ વીડિયોમાં એક્ટ્રેસ ક્રિસન રડતા રડતા પરિવાર સાથે વાત કરતી જોવા મળી રહી છે.

48 કલાકમાં થઈ એક્ટ્રેસની ધર વાપસી  :

ક્રિસન પરેરાના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક્ટ્રેસના માતા પહેલી વખત જ્યારે દિકરીને સુરજની રોશનીમાં જોવે છે તો તેમને પોતાની આંખો પર વિશ્વાસ નથી આવતો. પછી તે દિકરીને કહે છે. “તુ આઝાદ છે…”

માતા અને પરિવાર સાથે વાત કરીને એક્ટ્રેસ ઈમોશનલ થતી જોવા મળી રહી છે. રિપોર્ટ્સ  અનુસાર ક્રિસન પરેરા જે ડ્રગ્સ કેસમાં યુએઈ પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવી હતી હવે 48 કલાકની અંદર ભારતમાં આવી જશે.

આ પણ વાંચો :-

Badrinath Dham : બદ્રીનાથ ધામના આ રહસ્યો વિશે નહીં જાણ્યું હોય આજ સુધી

0

Badrinath Dham 

  • Badrinath Dham : દરેક હિન્દુ પોતાના જીવનકાળમાં એક વખત બદ્રીનાથના દર્શન કરવાની ઈચ્છા રાખે છે. ચારધામોમાંથી એક એવું બદ્રીનાથ ધામ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. મંદિરના દ્વાર દર વર્ષે ખુલે છે ત્યાર પછી મોટી સંખ્યામાં તીર્થયાત્રીઓ અહીં દર્શન કરવા પહોંચે છે. ભગવાન બદ્રીનાથના દ્વાર બંધ થાય અને ખુલે ત્યારે ખાસ પૂજા વિધિ પણ કરવામાં આવે છે.

ભગવાન બદ્રીનાથના (Lord Badrinath) મંદિરના દ્વાર આજે ભક્તો માટે ખુલ્યા છે. મંદિરના દ્વાર 6 મહિના પછી ખુલ્યા છે. દેશના પ્રમુખ વિષ્ણુ મંદિરોમાંથી એક ભગવાન બદ્રી વિશાલનું (Badri Vishal) આ મંદિર છે. દરેક હિન્દુ પોતાના જીવનકાળમાં એક વખત બદ્રીનાથના દર્શન કરવાની ઈચ્છા રાખે છે. ચારધામોમાંથી એક એવું બદ્રીનાથ ધામ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.

મંદિરના દ્વાર દર વર્ષે ખુલે છે ત્યાર પછી મોટી સંખ્યામાં તીર્થયાત્રીઓ અહીં દર્શન કરવા પહોંચે છે. ભગવાન બદ્રીનાથના દ્વાર બંધ થાય અને ખુલે ત્યારે ખાસ પૂજા વિધિ પણ કરવામાં આવે છે. આ સાથે જ મંદિર સાથે કેટલાક રહસ્ય પણ જોડાયેલા છે. તો ચાલો તમને જણાવીએ બદ્રીનાથ મંદિર સાથે જોડાયેલા રહસ્યો વિશે.

ભગવાન બદ્રીનાથનું મંદિર ભક્તો માટે છ મહિના જ ખુલે છે. અન્ય છ મહિના દરમિયાન અહીં એટલી બરફ વર્ષા થાય છે કે અહીં જવું શક્ય નથી હોતું.

– બદ્રીનાથ મંદિરમાં ભગવાન બદ્રી વિશાલ ની સામે એક દીવો પ્રજવલિત રહે છે. મંદિરના દ્વાર જ્યારે છ મહિના સુધી બંધ હોય છે ત્યારે પણ આ દીવો બુજાતો નથી.

ભગવાન બદ્રીનાથની મૂર્તિને લેપ કરવા માટે અને સતત પ્રજ્વલિત રહેતા દીવા માટે તેલ દર વર્ષે તીહરીના રાજમહેલમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ કાઢે છે. તેલ કાઢવાની આ પ્રક્રિયા મહારાણીની આગેવાનીમાં થાય છે.

બદ્રીનાથ ધામમાં ભગવાન બદ્રી વિશાલ ની જે ધ્યાન મુદ્રાવાળી મૂર્તિ છે તેના વિશે માન્યતા છે કે તે શાલીગ્રામ શીલામાંથી બનેલી છે. આ મૂર્તિને આદિ શંકરાચાર્યએ પોતાના યોગ બલથી શોધી અને મંદિરમાં વિધિ વિધાનથી સ્થાપિત કરાવી હતી. સાથે જ તેની નિરંતર પૂજા થાય અને સુરક્ષા થાય તે માટે જ્યોતિરમઠની સ્થાપના કરી હતી.

બદ્રીનાથ ધામમાં ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવા માટે દક્ષિણ ભારતના કેરળથી પૂજારી આવે છે. મંદિરમાં પૂજા કરવાનો અધિકાર માત્ર તેમને હોય છે. ભગવાન બદરી વિશાલ ની પૂજા કરવાનો અધિકાર શંકરાચાર્યએ તેમને આપ્યો હતો.

– સમુદ્રની સપાટીથી 3000 ફીટ ઊંચાઈએ આવેલા ભગવાન બદ્રીનાથના આ મંદિર વિશે એવું માનવામાં આવે છે કે એક દિવસ નર અને નારાયણ પર્વત એક થઈ જશે. જેના કારણે બદ્રીનાથ ધામ જવાનો રસ્તો બંધ થઈ જશે. આવું થશે ત્યારે ભગવાન વિષ્ણુ પોતાના ભક્તોને ભવિષ્યબદ્રિ નામના તીર્થ પર દર્શન આપશે.

– બદ્રીનાથ મંદિરમાં નર અને નારાયણના વિગ્રહની પૂજા થાય છે. તેના વિશે એવું કહેવાય છે કે જે વ્યક્તિ અહીં આવીને દર્શન કરે છે તેને ફરીથી પૃથ્વી પર જન્મ લેવો પડતો નથી એટલે કે તેને જન્મ અને મૃત્યુના ચક્રથી મુક્તિ મળે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. Gujarat Guardian તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-